Friday, November 24, 2017

પૌરાણિક કથાઓમાં સમાયેલું છે વિજ્ઞાન

આજથી ૭૦૦૦ વર્ષ પૂર્વે અગસ્ત્સ મુનિ થઈ ગયા. તેમની પત્નીનું નામ લોપામુદ્રા હતું. અગસ્ત્ય ઋષિએ વેદોનું એક પ્રકરણ લખ્યું છે. તેમની પત્ની લોપામુદ્રા પણ મહાજ્ઞાની હતી. તેઓ વિંધ્ય પર્વતની પેલે પાર ઉત્તર પ્રદેશમાં આશ્રમ બાંધીને રહેતા હતાં. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે ચૌદ વર્ષના વનવાસમાં હતાં ત્યારે તેઓ અગસ્ત્ય મુનિના આશ્રમે મહેમાન બન્યાં હતાં. વિદુષી લોપામુદ્રાએ સીતાજીને ઉપદેશ આપેલો.

અગસ્ત્ય મુનિનું શરીર ઘણું ભારે હતું. અગસ્ત્ય મુનિએ દક્ષિણ ભારતના લોકોમાં સંસ્કૃતિ, શિક્ષણ અને જ્ઞાન પ્રસરે તેવા વિચારે દક્ષિણમાં યાત્રા કરવાનો નિશ્ર્ચય કર્યો, પણ વચ્ચે વિંધ્ય પર્વત આવતો હતો. વિંધ્ય પર્વતને ઋષિએ પાછા ન ફરે ત્યાં સુધી ઊંચે નહીં વધવા વિનંતી કરી. વિંધ્યે ઋષિની તે વિનંતી માન્ય રાખી અને ઊંચે નહીં વધવાનું વચન આપ્યું. જોકે અગસ્ત્ય મુનિ કદી ફરી વિંધ્ય ઓળંગી ઉત્તર પ્રદેશમાં પાછા ફર્યા નહીં અને તેમના પાછલા જીવનમાં દક્ષિણ એશિયામાં જ રહ્યાં. સિલૉન, કોરિયા વગેરે દેશો ત્યારે વિશાળ ભારતના ભાગો હતા. ત્યાં તેમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. આજે પણ દક્ષિણ કોરિયા વગેરે જગ્યાએ અગસ્ત્ય ઋષિની મૂર્તિઓ જોવા મળે છે. ઋષિ પાછા ફર્યા નહીં તેથી હાલ સુધી વિંધ્ય બિચારો ઊંચો થઈ શક્યો નથી. તેણે ઋષિની પાછા ફરવાની રાહ જોઈ પણ ઋષિ પાછા ફર્યા જ નહીં. આ ઘટનાને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. આપણે કોઈ વાયદો કરીએ અને તે પાળીએ નહીં, તેને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. તો આપણા મનમાં પ્રશ્ર્ન થાય કે શું ત્યારે વિંધ્ય પર્વત ઊંચો થતો હતો જેમ હાલમાં હિમાલય દર વર્ષે બે ઇંચ ઊંચો થતો જાય છે. તો બીજો પ્રશ્ર્ન એ થાય કે અગસ્ત્ય મુનિને તેની ખબર કેવી રીતે પડી હશે? તેમને વિંધ્ય ઊંચો થાય છે તેની ખબર હોય તો જ તે આવો વાયદો વિંધ્ય સાથે કરે ને? આ ખરેખર રસપ્રદ બાબત છે. વિંધ્ય પર્વત હવે ઊંચે ઊઠતો નથી તેની પાછળનું એક કારણ હવે તે અરવલ્લીના પર્વતો માફક દુનિયાનો સૌથી વૃદ્ધ, પ્રથમ જન્મેલો સૌથી મોટી વયનો પર્વત છે એટલે કદાચ તેની નીચેની આંતરખંડીય પાટો હવે કાર્યરત નહીં હોય. હિમાલય પર્વતમાળાની નીચેની પાટો અથડાય છે અને કાર્યરત છે તેથી હિમાલય દર વર્ષે બે ઇંચ ઊંચો થતો જાય છે. હકીકતમાં હિમાલયને પાંચ કરોડ વર્ષ પૂર્વે ખંડીય પાટોની અથડામણે જ જન્મ આપ્યો છે. હજુ પણ હિમાલયની નીચે પાટોની અથડામણ ચાલુ જ છે, જે દર વર્ષે હિમાલયને ઊંચો કરતી જાય છે. હિમાલયની ઊંચાઈ દર વર્ષે લેઝરથી માપવામાં આવે છે. હિમાલય છે ત્યાં પ્રાચીન સમયમાં મહાસાગર હતો. હિમાલય પર કેટલાય મરિન બાયોલોજીના ફોસીલ્સ મોજૂદ છે. અગસ્ત્ય ઋષિને વિંધ્ય પર્વત ઊંચો થતો જાય છે તે વાતની ખબર હતી તે જ આશ્ર્ચર્યકારક છે. ઋષિના દક્ષિણ એશિયામાં સદ્ભાવના, સંસ્કાર અને શિક્ષણ પ્રસારવાના કાર્યની યાદમાં દક્ષિણ આકાશના પ્રકાશિત તારાને અગસ્ત્ય (ઈફક્ષજ્ઞાીત) નામ આપવામાં આવ્યું છે. અગસ્ત્ય ઋષિએ વહાણમાં દક્ષિણ એશિયામાં કાર્ય કર્યું હતું. તેથી અગસ્ત્યનો તારો જે તારક સમૂહમાં છે તેનું નામ વહાણ તારામંડળ છે. અગસ્ત્યનો તારો આપણાથી ૯૦૦ પ્રકાશવર્ષ દૂર છે. અંતરીક્ષયાનો જે અંતરીક્ષમાં પ્રવાસ કરે છે તે અગસ્ત્યના તારાના સંદર્ભે પ્રવાસ કરે છે. તે અંતરીક્ષયાનોની દીવાદાંડી છે. તે ખૂબ જ દૂર અને તેજસ્વી છે માટે અંતરીક્ષયાનો તેની જગ્યા બરાબર દર્શાવે છે. ધ્રુવના તારાનું અંતર અગસ્ત્યના તારાના અંતરની સરખામણીમાં ઘણું ઓછું છે અને વળી તે તદ્દન ઝાંખો તારો છે. ધ્રુવનો તારો સ્થિર છે, કારણ કે તે પૃથ્વીની ધરીની સીધી રેખામાં છે. જોકે તેમ છતાં તે બરાબર પૃથ્વીની ધરી પર નથી. અગસ્ત્યનો તારો દક્ષિણ ગોળાર્ધની પૃથ્વીની ધરીથી સારા પ્રમાણમાં દૂર છે, તેમ છતાં તેને અંતરીક્ષયાનો દીવાદાંડી તરીકે લે છે. ભવિષ્યમાં ૧૧૦૦૦ વર્ષ પછી તે લગભગ દક્ષિણ ધ્રુવ તારો બનશે. મુંબઈ પરથી અગસ્ત્યનો તારો માર્ચ, એપ્રિલ, મેમાં દેખાય છે. તે નર-તુરંગ (ઇંફહરળફક્ષ-ઇંફહરવજ્ઞતિય) અને ત્રિશંકુ (ઈિીડ્ઢ) તારામંડળોની તદ્દન નજીક છે. 

બીજી એક પૌરાણિક કથા છે જે પણ આપણને વિચાર કરતા કરી મૂકે છે. જોકે આ બધી પૌરાણિક કથા છે, પણ વિચારવા જેવી ખરી. એક વખત લક્ષ્મીજી પાર્વતીજીને મળવા આવ્યાં. તેમણે પાર્વતીજીની સુંદર ઝૂંપડીની આજુબાજુ રાખના ઢગલેઢગલા જોયા. પાર્વતીજીને જોયાં તો તદ્દન સાદા વેશમાં, શરીર પર કોઈ આભૂષણ નહીં. પાર્વતીજીની હાલત જોઈને લક્ષ્મીજી ખિન્ન થઈ ગયાં. લક્ષ્મીજીએ પાર્વતીજીને કહ્યું, તું મારી નાની બહેન ગણાય અને તારી પરિસ્થિતિ બહુ કંગાળ છે. આપણે થોડા તોરમાં રહેવું જોઈએ. તું કહે તેટલો વૈભવ, સોનું, આભૂષણો હું તને આપું. ત્યારે પાર્વતીજીએ કહ્યું, અમારે કાંઈ પણ જોઈતું નથી. અમારો અપરિગ્રહનો સિદ્ધાંત છે. શંકર ભગવાન તો ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન અને કલ્યાણના દેવતા છે. પણ લક્ષ્મીજીના ખૂબ આગ્રહથી પાર્વતીજીએ પછી એ રાખના ઢગલેઢગલા પડ્યા હતા તેમાંથી ચપટી રાખ લઈ એક પાંદડામાં રાખી, પડીકી વાળી લક્ષ્મીજીને આપીને કહ્યું, મહાલક્ષ્મી આ પડીકીના વજન જેટલું સોનું આપશો તો વાંધો નહીં આવે. શંકર ભગવાન ક્રોધે નહીં ભરાય. હું તેમને તમારા આગ્રહની પણ વાત કરીશ, ત્યારે લક્ષ્મીજી મનમાં બોલ્યાં કે ગરીબનાં ભાગ્ય પણ ગરીબ જ હોય છે. મેં તેમને વૈભવ આપવાની વાત કરી તો તેણે જરા જેટલી પડીકીના વજન જેટલું જ સોનું માંગ્યું. 

પછી તો લક્ષ્મીજી વૈકુંઠમાં ગયાં અને વજન-કાંટો લઈ તે ભસ્મની પડીકીના વજન જેટલા વજનનું સોનું તોળવા બેઠાં. થોડું પાંચ-દશ ગ્રામ સોનું ત્રાજવાના એક પલ્લામાં રાખ્યું અને બીજા પલ્લામાં પેલી ભસ્મની પડીકી રાખી, પણ પેલી પડીકી ઉપર આવી નહીં. તો લક્ષ્મીજીએ વધારે સોનું પહેલા પલ્લામાં રાખ્યું તોય તે ભસ્મની પડીકી ઉપર ન આવી. પછી તો બે-ત્રણ કિલો સોનું પ્રથમ પલ્લામાં રાખ્યું તો પણ તે ભસ્મની પડીકી ઉપર ન આવી. પછી લક્ષ્મીજીએ ત્રાજવું બદલ્યું અને મોટું ત્રાજવું લીધું. આમ ને આમ તેઓએ મોટું ને મોટું ત્રાજવું લઈ તે ભસ્મની પડીકીના વજન જેટલું સોનું તોળવા મથવા લાગ્યાં. પછી તો બ્રહ્માંડ જેવડું મોટું ત્રાજવું લઈ એક પલ્લામાં પૂરા બ્રહ્માંડનો વૈભવ અને બીજા પલ્લામાં પેલી નાની ભસ્મની પડીકી. તો પણ પેલી ભસ્મની પડીકી ઉપર ન આવી. લક્ષ્મીજી તો પરેશાન પરેશાન થઈ ગયાં. તેમને થયું કે કાંઈક કાચું કપાઈ ગયું છે, આ ભસ્મની પડીકી ઊંચી આવતી જ નથી. તે પછી પોતે પહેલા પલ્લામાં બેઠાં તો પણ પેલી નાની ભસ્મની પડીકીવાળું ત્રાજવું ઊંચે ન આવ્યું. ત્યાં વિષ્ણુ ભગવાનનો પ્રવેશ થયો. તેમણે કહ્યું, દેવીજી આ બધું શું ચાલી રહ્યું છે. નાનાંમોટાં હજારો ત્રાજવાં, આ વળી બ્રહ્માંડ જેવડો કાંટો, એક પલ્લામાં મહાલક્ષ્મી, તમારા સમેત બ્રહ્માંડનો વૈભવ અને બીજા પલ્લામાં આ કોઈ નાનકડી પડીકી? ત્યારે લક્ષ્મીજીએ રડતાં રડતાં આખી વાત વિષ્ણુ ભગવાનને કહી. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવી તમે જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય અને કલ્યાણને ધનથી તોળવા બેઠાં છો. આ તો હજુ આ ભસ્મની નાની પડીકી જ છે, શંકર ભગવાનના ઘરે તો રાખના ઢગલેઢગલા પડ્યા છે. જો પાર્વતીજીએ તેને આપ્યા હોત તો આપણું શું થાત? એમ કહી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના પલ્લામાં બેઠા. ત્યારે છેક તે ભસ્મની પડીકી ઉપર આવી. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે આપણે બંને પણ શંકર ભગવાનના દાસ બની ગયાં છીએ. ચાલો જઈને પાર્વતીજીની માફી માગી આવીએ.

તો પ્રશ્ર્ન થાય કે શું આવી ભારે ભસ્મ હોઈ શકે? હાલનું વિજ્ઞાન કહે છે કે હા, આટલી ભારે ભસ્મ હોઈ શકે. 

સૂર્ય જેવા તારાનો અંત શ્ર્વેતવામન તારાના રૂપમાં થાય છે. આ શ્ર્વેતવામન તારો એ તારાની રાખ છે. તારાના મૃત્યુ પછીની રાખ. તેનું ચમચીભર દ્રવ્ય હજારો ટન થાય છે. સૂર્ય કરતાં મોટા તારા મૃત્યુ પામે છે ત્યારે તે ન્યુટ્રોન તારાના રૂપમાં મૃત્યુ પામે છે. આ ન્યુટ્રોન તારા પણ તારાના મૃત્યુ પછીની રાખ જ છે. તેનું એક ચમચીભર દ્રવ્ય લઈએ તો તેનું વજન અબજો ટન થાય છે. ભયંકર મોટા તારાનું મૃત્યુ બ્લેકહોલના રૂપમાં થાય છે. આ બ્લેકહોલ તારાની રાખ જ છે જેનું વજન થઈ શકે નહીં. 

આમ બ્રહ્માંડમાં ભારે રાખ સંભવી શકે છે. આપણે કબ્રસ્તાન-સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. કોઈ પણ એવી જગ્યા નહીં હોય જ્યાં કોઈ વસ્તુનું મૃત્યુ ન થયું હોય. બ્રહ્માંડમાં પણ તારાઓનાં મૃત શરીરો-રાખ છે. શંકર ભગવાનનું રૂપક સમજવું બહુ કઠિન છે. તે કાળને જ પહેરીને બેઠા છે. શંકર ભગવાનની ભસ્મ બહુ જ વિચિત્ર છે. તેનું વજન કરવું પણ કઠિન છે. હાલનું જગત ત્યાગ, કલ્યાણ, વૈરાગ્ય, જ્ઞાનને ધનથી તોળવા જ પ્રયત્ન કરે છે તેથી જ તેની અધોગતિ છે.

લોનાર ઉલ્કાકુંડ: કુદરતની લીલાનો આહ્લાદક સાક્ષાત્કાર

મહાભારતમાં વાત આવે છે કે પાંડવોને સદાને માટે મારી નાખવા લાક્ષાગૃહનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમાંથી આગ લગાડનારને છટકવા ભોંયરું પણ રાખવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે તે વખતે લોકોને લાખના ઉપયોગની ખબર હતી. તે જરા વારમાં આગ પકડે છે તેવા લાખના ગુણની ખબર હતી. 

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લૉનાર નામનું એક ગામ છે. તે ઔરંગાબાદથી ૮૦ કિમી. દૂર છે. ત્યાં લૉનાર ગામના પાદરે બે કિ.મી.ના વ્યાસવાળો સુંદર ઉલ્કાકુંડ છે. જાણે જમીનમાં બે કિ.મી.ના વ્યાસનો તવો (તાવડો) બેસાડ્યો હોય.તેની દીવાલો ખૂબ જ ઢાળવાળી છે. તેમાં હવે પાણી ભરાઇ ગયું છે તેથી તે તળાવ બની ગયું છે, તેથી તેને લૉનાર તળાવ કે (લૉનાર લેક)કહે છે. તેની નજદીકમાં પહાડમાંથી એક ઝરણું સતત વહ્યા કરે છે. આ લૉનાર તળાવ માનસરોવરની માફક તીર્થ ગણાય છે. પદ્મપુરાણમાં તેની કથા છે. લોનાર તળાવની નજીકમાં એક બીજો છીછરો ઉલ્કાકુંડ છે, અને નજીકમાં સૂતેલા હનુમાનજીનું મંદિર છે. 

લૉનાર તળાવનું કે લૉનાર ગામનું નામ લવણાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. પદ્મપુરાણની કથા પ્રમાણે લવણાસુર નામનો રાક્ષસ હતો. તેણે શંકર ભગવાનનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યાં. શંકર ભગવાને તેને વરદાન માગવાનું કહ્યું,ત્યારે લવણાસુરે શંકર ભગવાન પાસે વરદાન માગ્યું કે મારું કોઇ અસ્ત્ર કે શસ્ત્રથી મૃત્યુ ન થાય. આવું વરદાન હોવાથી લવણાસુર દેવો સહિત બધાને રંજાડવા લાગ્યો. દેવો ત્રાહિમામ પોકારી ઊઠ્યા અને વિષ્ણુ ભગવાન પાસે લવણાસુરના ત્રાસમાંથી બચાવવા વિનંતી કરવા ગયા. વિષ્ણુ ભગવાને તેમને વરદાન આપ્યું કે તે લાવણાસુરને મારશે. 

આ વાત સાંભળી લવણાસુર ડરી ગયો અને જબ્બર ખાડો ખોદી તેના પર સજ્જડ ઢાંકણું કરી સંતાઇ ગયો. માત્ર શ્ર્વાસોચ્છવાસ માટે કુંડમાં એક નાનું કાણું રાખ્યું. વિષ્ણુ ભગવાન પછી ત્યાં આવે છે અને જુએ છે તો કુંડમાં જવાનો ક્યાંય માર્ગ નથી. તેઓ પછી કુંડની ચારે તરફ ચક્કર મારે છે તો તેમને એક નાનું કાણું નજરે પડે છે. વિષ્ણુ ભગવાન પછી વામનરૂપ ધરે છે અને કુંડમાં પ્રવેશ કરે છે. ત્યાં વિષ્ણુ ભગવાન અને લવણાસુરની જબ્બર લડાઇ થાય છે. લવણાસુરને વરદાન હતું કે તે કોઇ અસ્ત્ર-શસ્ત્રથી મરે નહીં. તેથી વિષ્ણુ ભગવાને લવણાસુરની નાભિમાં તેમના પગનો અંગૂઠો ભરાવી તેને ગોળ ગોળ ફેરવી પછાડ્યો. લાવણાસુરના રામ રમી ગયા. મૃત્યુ પામતાં પહેલાં લવણાસુરના શરીરમાંથી એવડો મોટો છેલ્લો શ્ર્વાસ નીકળ્યો કે તેણે કુંડ ઢાંકણાને ઉછાળી નજીકમાં ફેંક્યું. ત્યારે વિષ્ણુ ભગવાનના અંગૂઠાને લવણાસુરને ચક્કર ચક્કર ફેરવવામાં જબ્બર શ્રમ પડ્યો હતો અને લોહી નીકળતું હતું. તે સાફ કરવા ત્યાં ગંગાજી ઉત્પન્ન થયાં. 

આ કથાનો વૈજ્ઞાનિક અર્થ એવો છે કે તે નાના કાણાં વાટે એક ૧૫૦ ફૂટનો લઘુગ્રહ ત્રાંસી દિશામાંથી ત્યાં પૃથ્વી સાથે અથડાયો હતો. એ નાનો લઘુગ્રહ પોતે જ વિષ્ણુ ભગવાનનું વામન સ્વરૂપ હતું. તે લઘુગ્રહ ત્યાં અથડાયો તે ત્યાં ચક્કર ચક્કર ફર્યો હતો અને એનો એક મોટો ટુકડો ઉછળી બાજુમાં પડ્યો હતો જેને છીછરો ઉલ્કાકુંડ બનાવ્યો અને મુખ્ય લઘુગ્રહના ટુકડાએ બે કિલોમીટરના વ્યાસનો અને એક હજાર ફૂટ ઊંડો મોટો ઉલ્કાકુંડ બનાવ્યો. ત્યારે જે ગંગા અવતરણ થયું તે લઘુગ્રહની ત્યાં અથડામણથી બાજુના નાના પહાડ પર એટલું તો પ્રેશર આવ્યું કે ત્યાં ઝરણું ફૂટી નીકળ્યું. નજીકમાં સૂતેલા હનુમાનજીની જે કથા છે તે એવી છે કે લક્ષ્મણને મૂર્છા આવી ગઇ હતી તેથી હનુમાનજી હિમાલયમાંથી સંજીવની લેવા ગયા હતા. નાના પહાડમાં જે સંજીવની ઊગી હતી તે લઇને આવતા હતા તેથી હનુમાનજી થાક ઉતારવા બે ઘટી સૂઇ ગયા હતા. તે સૂતેલા હનુમાનજી હકીકતમાં ભારે લાંબો ઉલ્કાપાષાણ છે જે લઘુગ્રહ ત્યાં અથડાયો તેનો ટુકડો છે. જો એ સૂતેલા હનુમાનજીની નજીકમાં લોહચુંબક લઇ જઇએ તો તે આકર્ષાય છે, એટલે કે ઉલ્કાપાષાણ છે. આ કથા લવણાસુરની છે પણ આકાશમાંથી આવેલા લઘુગ્રહે ત્યાં પૃથ્વી સાથે અથડાઇ બે કિલોમીટરનો વિશાળ ઉલ્કાકુંડ બનાવ્યો તેની કથા છે. 

અમેરિકી વિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કર્યો. ભારતીય વિજ્ઞાનીઓએ પણ તેનો અભ્યાસ કર્યો અને સાબિત કર્યું છે કે લોનાર તળાવ ઉલ્કાકુંડ છે અને તે ૫૦૦૦૦ વર્ષ પહેલાં બન્યો હતો. તેમાં હવે પાણી ભરાઇ જવાથી તે વિશાળ સુંદર તળાવના રૂપે આપણને દૃશ્યમાન થાય છે. તેનું પાણી ૫૦,૦૦૦ વર્ષ જૂનું છે. તે હવે બર્ડ સેન્કચ્યુઅરી થઇ ગયો છે. તેની કિનારીએ ઊભા રહીએ તો જબ્બર આહ્લાદક અનુભવ થાય છે. ત્યાંથી ખસવાનું મન જ ન થાય. ત્યાં પ્રદેશની ભૂમિ બસાલ્ટિકી છે. ચંદ્રની ભૂમિ પણ બલાસ્ટિક છે. એટલે ચંદ્ર પરના ઉલ્કાકુંડો આ લૉનાર ઉલ્કાકુંડ જેવો જ છે. લૉનાર ઉષ્ણકુંડ પણ ચંદ્ર પરના ઉષ્ણકુંડ જેવો બલાસ્ટિક ઉલ્કાકુંડ જ છે, માત્ર તેમાં પાણી ભરાઇ ગયું છે. લૉનાર ઉલ્કાકુંડ જોઇએ તો તેનો અર્થ એમ થાય કે આપણે ચંદ્ર પરનો ઉલ્કાકુંડ જ જોઇએ છીએ. ચંદ્ર પર ઉલ્કાકુંડ જોવા જવાની જરૂર નહીં. 

ચોમાસામાં કે ચોમાસા પછી લૉનાર ઉલ્કાકુંડ જુઓ તો ખૂબ જ આહ્લાદક અનુભવ થાય, કારણ કે તેને કુદરતે બનાવ્યો છે. ઉત્તર-પશ્ર્ચિમમાંથી એક નાનો ૧૫૦ ફૂટની સાઇઝનો લઘુગ્રહ લગભગ ૪૫ અંશના ખૂણે આવીને ત્યાં અથડાયો હતો. જો તે પ૦ મીટરને બદલે ૫૦૦ મીટર (અડધો કિલોમીટર)ની સાઇઝનો હોત તો પૂરા વિદર્ભનો નાશ કરત અને જો તે ૫૦૦૦ મીટરનો હોત તો પૂરા મહારાષ્ટ્રને તહસ-નહસ કરી નાખ્યું હોત, કદાચ પૂરા ભારતને તહસ-નહસ કરી નાખ્યું હોત. 

લૉનાર લેક વિષે પ્રારંભિક સંશોધન અમેરિકી વિજ્ઞાની ફ્રેડિક્સને કરેલું, પછી તાતા અને ઇન્ડિયન જિયોલોજિકલ સોસાયટી અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના નરેન્દ્ર ભંડારી સાહેબે કરેલું. લૉનાર લેકને પ્રકાશમાં લાવનાર લેખક હતા. લેખકે લોનાર લેક હકીકતમાં કેવી રીતે બન્યું, નાનો લઘુગ્રહ ત્યાં કેવી રીતે ખાબક્યો તેના વિષે સંશોધન કર્યું છે અને ઇન્ટરનેશનલ વિજ્ઞાન સંશોધન સામયિક ‘કરન્ટ સાયન્સ’માં પ્રગટ કર્યું છે. 

લૉનાર ઉલ્કાકુંડ હકીકતમાં ભારતની શોભા છે. અને પૂરી દુનિયામાં ભારતની જેમ વિશિષ્ટ છે. આપણે નસીબદાર છીએ કે આવો ઉલ્કાકુંડ ભારતમાં બન્યો છે. ભારતનાં બાળકો, વિદ્યાર્થીઓ શિક્ષકો જ નહીં પણ બધા જ માણસોએ તે જીવનમાં જરૂર જોવો જોઇએ. કુદરતની લીલાનો સાક્ષાત્કાર કરવો જોઇએ. જેમ વરસાદ કલાકમાં બધા જ ડેમો ભરી દે છે અને ગામોનાં ગામો અને શહેરોનાં શહેરોને પાણીથી સાફ કરી દે તેવો જ લૉનાર લેક કુદરતનો કરિશ્મા છે. 

ઇન્દ્રપ્રસ્થમાં કહે છે માયાવી સ્થપતિએ જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવી રચના કરેલી. હજુ સુધી અર્વાચીન વિજ્ઞાન એ કરી શક્યું નથી. હા, વિજ્ઞાને સ્થળ હોય ત્યાં જળ કેવી રીતે દેખાય તે આપણને સમજાવ્યું છે ખરું જેને આપણે મૃગજળ કહીએ છીએ. 

આપણા પ્રાચીનોને દર વર્ષે ક્યારે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત થાય, ક્યારે ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત થાય, ક્યારે દિવસ-રાત સરખા થાય, ધ્રુવપ્રદેશ પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય, કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે રહેતા માનવીનો પડછાયો અદૃશ્ય થાય છે તે બધી બાબતોની ખબર હતી પણ તેની પાછળનું વિજ્ઞાન તો અર્વાચીન વિજ્ઞાને જ સમજાવ્યું છે. પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં ખસે છે અને કયા દરે ખસે છે તેની પણ તેમને ખબર હતી પણ તેની પાછળનું વિજ્ઞાન અને તે ૨૫,૮૦૦ વર્ષનું ચક્ર છે તે ખબર ન હતી. 

ગીતામાં બ્રહ્માનો દિવસ, દેવોનો દિવસ, પૃથ્વી પરના માનવીઓનો દિવસ વગેરે રસપ્રદ વાતો કહેવામાં આવી છે, અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું માનવીના પેટમાં અગ્નિરૂપે રહેલો છું અને બધા જ પ્રકારનાં અન્ન શ્ર્વાસોચ્છવાસની ક્રિયા વડે પચાવું છું. તે ઘણી જ દિમાગ ઉઘાડી નાખે તેવી વાત છે. 

પુરાણોમાં ઘણી બધી ઉટપટાંગ કથાઓ છે જે માની ન શકાય જે હાલની ટાઇમ ટ્રાવલ અને સ્પેશટ્રાવલ જેવી વાતો છે. ભવિષ્યમાં વિજ્ઞાન તેને સાચી પણ સાબિત કરે! પ્રાચીન ભારતમાં અણુવિજ્ઞાન, તબીબીશાસ્ત્ર, ઔષધીશાસ્ત્ર, ગણિતવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, ધાતુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ભાષા અને વ્યાકરણ શાસ્ત્ર વગેરે ઘણાં વિકસ્યાં હતાં જે પતંજલિ, પાણિનિ, કણાદ, બૌધાયન, વેદ, ઉપનિષદ, સુશ્રૂત, ચરક, આર્યભટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કર, નાગાર્જુનના કાર્યથી ખબર પડે છે.

સ્પર્ધા હોવી જ ન જોઈએ -- અવંતિકા ગુણવંત

નાનકડો ઉપમન્યુ વક્તૃત્વ હરીફાઈમાં ઈનામ જીતી લાવ્યો. ઉપમન્યુની મમ્મી શૈલી તથા પપ્પા સંદીપ ખૂબ ખૂશ હતાં. ઘરમાં ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું. ઉપમન્યુના દાદી રમાબહેન ખુશ હતા. પણ તેઓ બહાર ઓટલાના હીંચકા પર બેસીને કશુંક વાંચતાં હતાં. તેઓ છોકરાંઓ જોડે વાતચીતમાં ભાગ લેતાં ન હતાં.

થોડી વારે સમય મળ્યો એટલે સંદીપે રમાબેન પાસે આવીને ચિંતાભર્યા સૂરે પૂછયું, "મમ્મી, તબિયત ઠીક નથી?

દીકરાની ચિંતા રમાબેનને સ્પર્શી. એમણે ઋજુતાથી જવાબ આપ્યો, ‘ઠીક છે.’

"તો તું કેમ કંઈ બોલતી નથી? તારો લાડકો ઉપમન્યુ પ્રથમ ઇનામ જીતી લાવ્યો એનો યશ તો તને જ મળે. મમ્મી, રોજેરોજ તું એને કેટલી વાતો કહે છે, એના વિકાસનો તું કેટલો ખ્યાલ રાખે છે. ત્યારે ઉપમન્યુ પ્રથમ ઇનામ જીત્યો છે અને એનો તને આનંદ હોય જ છતાં તું કેમ આમ ચુપ થઈને બધાથી અળગી એકલી બેઠી છે.

"બેટા, હું વિચારતી હતી... કહીને રમાબહેન અટકી ગયા.

"શું વિચારતી હતી મમ્મી બોલને, નાની પાર્ટી ગોઠવી દેવી છે? લો એવું કરીએ.

રમાબહેન બોલ્યાં, "બેટા, મારું મન તો કેટલાંય વરસો પહેલાંના ભૂતકાળમાં પહોંચી ગયું હતું, જ્યારે હું ઉપમન્યુ જેવડી હતી. મારા બાપુજીનો બે માળનો વિશાળ બંગલો હતો અને ચારે બાજુની ખુલ્લી જગ્યામાં હરિયાળી જ હરિયાળી. ઊંચા ઊંચા વૃક્ષો, વેલીઓ અને ફૂલ-છોડ. ગુલાબ અને મોગરાના અલગ ક્યારા. ખૂબ ફૂલો આવે પણ મારી બા કહે, ‘ફૂલ ચૂંટીએ તો છોડને દુ:ખ થાય. ફૂલ તો છોડ પર જ શોભે. એને ચૂંટવાનું નહીં! મને ફૂલ બહુ ગમે પણ બાએ સમજાવેલી એટલે ફૂલ ચૂંટું નહીં, ફૂલને છોડ પર જોઈને હરખાઉં. હવે અમારા બંગલાનો ઉપરનો ભાગ ભાડે આપેલો. એ ભાડુઆતને ત્રણ દીકરીઓ. બે મારાથી મોટી. રોજ વહેલી સવારે જ્યારે હું ઊંઘતી હોઉં ત્યારે ભાડુઆતની એ બે દીકરીઓ બધાં ફૂલ ચૂંટી જાય. છાનામાના ચૂંટી જાય તો કંઈ વાંધો નહીં પણ સવારે હું ઊઠું પછી ઉપરની અગાસીમાંથી મોટો થાળ ભરીને એ ફૂલો મને બતાવે. હું કહું મને આપો ને તો મને આપે નહીં પણ મને ચિડાવે. હું રડું રોજનો એ કકળાટ. મારા બાપુજીને ગમે નહીં. મારી બાએ તો દીકરીઓની માને કહ્યું કે ફૂલ ચૂંટી લો છો એ સારી વાત નથી અને વળી તમારી દીકરીઓ મારી દીકરીને બતાવીને જીવ બાળે છે એ મને પસંદ નથી. તમારી દીકરીઓને કહી દો આવું ના કરે. પણ એ છોકરીઓ સમજી નહીં અને મને ચીડવે આથી એક દિવસ ગુસ્સામાં આવીને મારા બાપુજીએ એ છોડ જ ઉખાડી નખાવ્યાં. મારી બાએ હેબતાઈ જઈને પૂછયું, આ તમે શું કર્યું? ત્યારે બાપુજી બોલ્યા, "મારી દીકરી રોજ રોજ ફૂલો માટે કકળે એ મને ના પાલવે. એમાં તો દીકરીનો સ્વભાવ બગડી જાય. એ ઇર્ષાળુ બની જાય. આટલું કહ્યા પછી બાપુજી ગળગળા અવાજે બોલ્યા, છોડી ઉખાડી નખાવવાનું મને ય દુ:ખ થયું છે, પણ....

શોકમગ્ન મારાં બા બાપુજી તે દિવસે અનાજનો કણ તો મોંમાં નહતાં મૂકી શક્યાં પણ એક ઘૂંટડો પાણીય નહોતાં પી શક્યાં. દિવસો સુધી તેઓ બેચેન રહ્યા હતા. એમની રોજની પ્રસન્નતા તેઓ ગુમાવી બેઠાં હતાં.

આટલું બધું તેમણે શું કરવા વેઠ્યું હતું. હું ઇર્ષાળુ ન બની જાઉં એ માટે. શરીરની તંદુરસ્તીની જેમ મનની તંદુરસ્તીનોય તેઓ એટલો બધો ખ્યાલ રાખતાં હતાં.

રમાબેનની વાત સાંભળીને અભિભૂત થતાં સંદીપ બોલ્યો, "આવાં માબાપ માટે તો ગૌરવ થાય એના બદલે તું ઉદાસ કેમ થઈ ગઈ છે?

"બેટા, આપણે માબાપ બનીએ ત્યારે મારા માબાપ જેવાં જાગ્રત બનવું જોઈ ને! પણ આપણે એવાં જાગ્રત દીર્ઘદૃષ્ટિવાળાં માબાપ છીએ?

ઉપમન્યુ સ્પર્ધામાં ઇનામ જીતી લાવ્યો, એનો આપણને હરખ થાય એ સ્વભાવિક છે, પણ એ હરખ પ્રદર્શિત કરવામાં ઇનામને આપણે વધારે પડતું મહત્ત્વ આપી દેતાં હોઈએ એવું તને નથી લાગતું?

હરીફાઈ તો દર વર્ષે યોજાશે. આવતી સાલ ફરીથી હરીફાઈ થશે. ઉપમન્યુ ભાગ લેશે. ખૂબ આશા અને ઉમંગ સાથે તૈયારી કરીને એ ભાગ લેશે, પણ ધારો કે એ ઇનામ ન જીતી શકે તો એ કેટલો નિરાશ થઈ જશે?

"પણ મમ્મી આવતા વરસની ચિંતા અત્યારથી શું કામ?

"બેટા, બાળકના વિકાસ અને ઘડતરને અનુલક્ષીને રમતગમત ક્ષેત્રે, કલાક્ષેત્રે, અભ્યાસના વિવિધ તબક્કે સ્પર્ધાઓ યોજાતી જ રહે છે, આયોજકો માને છે કે આમ કરવાથી બાળકમાં એ વિષયમાં રસ જાગે, વધારે ખંતથી એ વિષયમાં ઊંડો ઉતરે, એનામાં મહેનત કરવાનો ગુણ કેળવાય, આપસૂઝે ખીલે, આત્મવિશ્ર્વાસ જાગે.

પણ અત્યારે સ્પર્ધાને ઇનામ સાથે એવી રીતે જોડી દેવામાં આવી છે કે માબાપ બાળક પર એ પ્રથમ આવે અને ઇનામ જીતે એવું દબાણ લાવે છે. પરિણામે બાળક તણાવમાં આવી જાય છે અને ઇનામ ન જીતે તો ઉદાસ થઈ જાય છે, ક્યારેક તો માબાપ ઇનામ જીતનાર બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરીને પોતાના બાળકને ઉતારી પાડે છે. એ સમયે બાળકને શું થતું હશે એનો ખ્યાલ માબાપને આવે છે? માબાપ સમજે છે અમે બાળકને પ્રેરણા આપીએ છીએ પણ એ તો પ્રેરણા નહીં પણ બાળકને તણાવમાં લાવી દે છે, બાળકનું અહિત કરે છે.

આમાં બીજા સ્પર્ધકો સાથે ક્યારેક હૂંસાતૂંસી થાય છે, ક્યારેક વિખવાદ અને ઝઘડા થાય છે. આમાં બાળકનું માનસ દ્વેષીલું અથવા ડંખીલું થઈ જાય છે. ક્યારેક એ નીતિના નિયમાં નેવે મૂકીને દરેક ઇનામ જીતવાની વેતરણ કરે છે. સ્પર્ધાનું પરિણામ શું આવશે એ ચિંતામાં બાળકો અને એમનાં માબાપો અધ્ધરજીવ થઈ જાય છે. તેથી વિદ્વાન બાળશિક્ષણશાસ્ત્રીઓ તથા મનોચિકિત્સકો કહે છે કે સ્પર્ધા હોવી જ ન જોઈએ.

અને દીકરા સંદીપ, આપણો દીકરો ઇનામ જીતી લાવે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ હશે એવી કોઈ ખાતરી મળતી નથી. ક્યારેક પૂરી યોગ્યતા ન હોય તો ય બાળક પ્રથમ ક્રમે આવે છે, પણ જીવનની દોડમાં એ પાછળ રહી જાય એવુંય બને છે.

બેટા, આરોગ્ય અને જીવન ટકાવવા માટે શ્ર્વાસ લેવો, ખાવું સૂવું, રમવું, બધું જરૂરી છે, એવી જ રીતે વિકાસ માટે ભણવું, કલાપ્રવૃત્તિ કરવી, રમવું એ બધું જરૂરી છે. એમાં બાળકોમાં ઉત્સાહ જાગે, મન પ્રસન્ન રહે. માટે સ્પર્ધા ભલે યોજાય, પણ બાળકમાં જો ઈનામની લાલચ જાગે તો એની બાળકના માનસ પર ખરાબ અસર થાય છે. વિજેતા બનવાની ચિંતા બાળકને કચડી નાખે છે. સંકુચિતતા એના માનસનો કબજો લઈ લે છે, બાળક વલોવાયા કરે છે. એની ઈશ્ર્વરદત્ત શક્તિઓ કુંઠિત થઈ જાય છે.

આપણા બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અને વિકસાવવા 

આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ અને કરવા જોઈએ, પણ દરેક બીજમાં પાંગરવાની શક્તિ છે. ભવિષ્યમાં એ મોટું વૃક્ષ બનશે પણ એ ધીરે ધીરે થતો ક્રમિક વિકાસ છે. કોઈ બીજની અંદર ફૂટી રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢીએ તો તે વૃક્ષ ન બને, પણ કરમાઈ જાય તેવું જ થાય છે. બાળકના વિકાસમાં જો આપણે ધીરજથી કામ ન લઈએ તો ઈશ્ર્વરદત્ત એની શક્તિ વેડફાઈ જાય છે.

આજની શિક્ષણ વ્યવસ્થા બાળકને ઝટ હોંશિયાર બનાવી દેવાના મોહમાં- માળી બીજમાંથી જેમ બોન્સાઈન એટલે કે નાનકડું વૃક્ષ બનાવી આપે છે, જે વૃક્ષમાં આભની અખિલાઈને માપવાની ક્ષમતા કદી નથી આવતી. એ વૃક્ષના મૂળ જમીનમાં બહું ફેલાઈ નથી શકતા એ કૂંડામાં જ મર્યાદિત રહે છે એવું જ આપણા બાળકનું થાય.

સંદીપ તને તારા સ્કૂલના દિવસો યાદ નથી આવતા? તું કદી પહેલા નંબરે તો નહીં પણ પહેલા પાંચ નંબરમાંય ન હતો આવતો, પણ અમે કદીય તને કહ્યું હતું કે તું કેમ આગળ નંબરે પાસ નથી થતો?

અમે તો એક જ ઈચ્છા રાખતાં હતાં કે તું પ્રસન્નચિત્તે રસથી અભ્યાસ કરે. તારાં હૃદયમન ખીલે. તું સારો માણસ બને.

બ્રહ્માંડની ભવ્યતાનો કોઈ પાર નથી -- ડૉ. જે. જે. રાવલ

આપણે સવારે ઉદય થતા સૂર્યને જોઇએ તો આપણું હદય આનંદથી ભરાઇ જાય. સૂર્યોદય સાથે જાણે આપણો જ ઉદય થયો હોય તેવું લાગે. ખરેખર સૂર્ય જેમ જેમ માથે આવે તેમ તેમ દુનિયાનો ઉદય થતો જ આવે છે. નવો સૂર્ય દરરોજ આપણા માટે નવું જીવન લાવે છે. નવું ભવિષ્ય લાવે છે. પ્રભાતે ઉષાના દર્શન ખૂબ જ આહ્લાદક હોય છે, તેવું જ સંધ્યા સમયે જબ્બર લાલ સૂર્યને ક્ષિતિજ પર ડૂબતો જોઇએ ત્યારે મન નાચી ઊઠે. સંધ્યા સમયે લાલ આકાશમાં ઊડતા કાળા કાગડા આકાશની શોભા વધારે છે. 

મધ્યાહ્ન સમયે સ્વચ્છ નીલુ આકાશ તપસ્વીના હૃદય જેવું લાગે. તેમાં ઊંચે ઊંચે ઊડતી સમડીઓ આપણને ઊંચા શિખરો સર કરવા પ્રેરણા આપે છે. 

રાતે તારાભર્યા ચંદરવાની શોભા તો આડો આંક વાળી દે છે. આપણને તે અતીતમાં લઇ જાય છે, બ્રહ્માંડની દાર્શનિકતાના દર્શન કરાવે છે. રાતે દેખાતી ચંદ્રની કળા, આકાશમાં પ્રકાશની રેખા તાણતી ઉલ્કા કે ચંદ્રની આડે આવતી વાદળી સુંદર દૃશ્ય સર્જે છે. રાત્રિ આકાશ જો સ્વચ્છ હોય અને ઉનાળાના દિવસો હોય ત્યારે વીંછુડાની પૂંછડીમાંથી પસાર થતી આકાશગંગા શુભ્ર પટ્ટો સર્જે છે જેને જોઇને આપણા પૂર્વજોએ તેને આકાશગંગા કહી. વાસ્તવમાં ગંગાનું બરફરૂપે આકાશમાંથી જ અવતરણ થાય છે. 

આકાશ રાત-દિવસ આટઆટલી શોભા દેખાડતું હોવા છતાં ઘણા લોકો કહે છે કે આના સિવાય આકાશમાં કાંઇ પણ નાવીન્ય નથી. હાં, જેમ વિશ્ર્વરૂપ દર્શન જોવા શ્રીકૃષ્ણ ભગવાને દિવ્યચક્ષુ આપ્યાં હતાં તેમ આ કુદરતના, ઇશ્ર્વરના વિશ્ર્વરૂપ દર્શન કરવા ઇશ્ર્વરે આપણને દૂરબીનોરૂપી દિવ્યચક્ષુ આપેલાં જ છે. 

દૂરબીનમાંથી ચંદ્ર જોઇએ તો લાગે કે તે ચાંદીનો ગોળો છે. ગુરુને તેના ચાર ચંદ્ર સાથે જોઇએ તો લાગે કે ગ્રહોનો મોટો ભાઇ પૂરા દોર-દમામમાં છે. શનિ પૂરા બ્રહ્માંડમાં સૌથી વધારે સુંદર છે. શું રાત્રિ-આકાશની શોભા આટલી જ છે? નહીં. તમે શક્તિશાળી દૂરબીન મૃગતારામંડળમાં તેના વચ્ચેના ત્રણ તારા ઓખા-અનિરુદ્ધ અને ચિત્રલેખાની નીચે સ્થિર કરો. આકાશની ભવ્યતા જોઇને તમે વાહ વાહ પોકારી ઊઠો. અહીં તમે રંગ-બેરંગી ઝળહળતી મૃગનિહારિકા જોઇ શકો છો. તેની બાજુમાં અશ્ર્વમુખ નિહારિકાના દર્શન કરી શકો. આ બંને નિહારિકાઓમાં આજે પણ તારા જન્મ લઇ રહ્યા છે. 

હવે તમે દૂરબીન વૃષભના દક્ષિણ શિંગડા પર તાકો તમને કરચલા આકારની કર્ક નિહારિકા દેખાશે. તે તારાનું મૃત શરીર છે. આ તારાનું મૃત્યુ વિસ્ફોટ સાથે થયેલું. તે ૪ જુલાઇ ૧૦૫૪ની સાલમાં થયેલું. તેની નોંધ ચીની ખગોળશાસ્ત્રીઓએ કરેલી છે. તે દિવસે પણ દૃશ્યમાન થતી હતી અને મહિના સુધી દેખાયેલી. હકીકતમાં તેનું મૃત્યુ ૭૦૦૦ વર્ષ પહેલાં થયેલું, કારણ કે પ્રકાશને કર્ક નિહારિકાથી આપણા સુધી પહોંચતાં ૭૦૦૦ વર્ષ લાગે છે. એટલે કે એ તારાનો વિસ્ફોટ આજથી ૭૦૦૦ વર્ષ પહેલાં થયેલો જ્યારે સરસ્વતી મહા નદીના કિનારે ભારતીય મનીષીઓ વેદો લખતા હતા, કર્ક નિહારિકાના કેન્દ્રમાં પલ્સાર (ન્યુટ્રોન)તારો દેખાય છે જે સૂર્યથી ત્રણ ગણો ભારે છે પણ તેનો વ્યાસ માત્ર ૧૦ કિલોમીટર છે, તેનું ચમચીભર દ્રવ્યનું વજન એક અબજ ટન થાય. તે એક સેક્ધડમાં ૩૩ વખત પોતાની ધરી પર ઘૂમી રહે છે. તેની શોધ કરનાર મહિલા ખગોળશાસ્ત્રી જોસલીન ર્બલ હતી. અને તેના પર પ્રકાશ પાડનાર બ્રિટિશ ખગોળશાસ્ત્રી હ્યુઇશ હતો. તેને આ માટે નૉબેલ પારિતોષિક મળેલું. વીસ લાખ કિ.મી.નો વ્યાસ ધરાવતો એ તારો માત્ર ૧૦ કિ.મી.ના વ્યાસનો બની ગયો છે. એક રહસ્ય છે. જો આપણે દેવયાની તારામંડળમાં આપણું દૂરબીન તાકીએ તો ભવ્ય દેવયાની મંદાકિનીના દર્શન થાય સર્પિલ ભુજાવાળી આ મંદાકિની ૨૦૦૦ અબજ તારાનું આવાસ છે. તેની ફરતે ઉપમંદાકિનીઓ પ્રદક્ષિણા કરે છે. જેમ ગ્રહો સૂર્યની ફરતે અને ઉપગ્રહો ગ્રહોની ફરતે પરિક્રમા કરે છે. આવી તો બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. તે બધી એકબીજાથી દૂર લાગે છે. એક એક મંદાકિનીનાં રૂપ-રંગ અને છટા જોઇને આપણે મોહી જઇએ. તેવી જ રીતે બ્રહ્માંડમાં મૃગ નિહારિકા, અશ્ર્વમુખ નિહારિકા, કર્ક નિહારીકા જેવી સૌંદર્યથી ભરપૂર હજારો નિહારીકાઓ છે. વાયુનાં, ધૂલીકણોનાં વિશાળ વાદળો અને તારાના ગુચ્છો છે. આપણી આકાશગંગા મંદાકિનીની પરિક્રમા કરતી મેગેલેનનું નાનું વાદળ અને મેગેલેનનું મોટું વાદળ નામની આપણી મંદાકિનીની ઉપમંદાકિનીઓ છે. 

બ્રહ્માંડ નિતનવું રૂપ ધારણ કરે છે. તે જોવા માટે આપણી પાસે દૃષ્ટિ પણ જોઇએ અને દૂરબીન પણ જોઇએ. બ્રહ્માંડની ભવ્યતાનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે જ. 

બ્રહ્માંડમાં ક્યાંક તારા જન્મ લે છે તો ક્યાંક મૃત્યુ પામે છે. બ્રહ્માંડમાં શૂન્યાવકાશ હોવાથી અને અવાજના તરંગો માધ્યમ વગર શૂન્યાવકાશમાં ગતિ નહીં કરી શકતા હોવાથી તારાના વિસ્ફોટ સમયે થયેલા ધડાકાનો અવાજ પૃથ્વી સુધી આવી શકતો નથી, નહીં તો પૃથ્વી પર જીવન જન્મતાં જ બાષ્પીભવન થઇ જાય. બ્રહ્માંડ લાગે શાંત પણ વિધ્વંસક છે. તેમાં હર ક્ષણે તારાનો મહા વિસ્ફોટ થતો જ રહે છે. તે ઘટોત્કચના હાથીની જેમ હરક્ષણે વિસ્તૃત થતું જ રહે છે. તે મુજબ નિરપેક્ષ રીતે માપી શકાય તેમ નથી. 

બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. દરેકમાં સરાસરી ૫૦૦ અબજ તારા છે. તેમાં ૫૦ ટકા સૂર્ય જેવા છે માટે આપણે માનવું ન જોઇએ કે આપણે બ્રહ્માંડમાં એકલા છીએ. 

આ બ્રહ્માંડ આટલું વિશાળ હોવા છતાં તેને આપણે સમજી શકીએ છીએ તે જ મોટો ચમત્કાર છે. બ્રહ્માંડની ભવ્યતાનો કોઇ પાર નથી. 

કુદરતે આટલું સુંદર અને વિશાળ બ્રહ્માંડ રચ્યું તેની પાછળ કુદરતનો હેતુ શું હશે? કુદરતે આપણને બનાવીને પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી હોય તેમ લાગે છે. 

૫૦૦ અબજ તારાથી ભરેલી વળી પાછું બે તારા વચ્ચે સરાસરી ૪૦,૦૦૦ અબજ કિલોમીટરનું અંતર અને તેથી તેની સાઇઝે લગભગ ૩ લાખ પ્રકાશવર્ષ અને આવી મહાકાય મંદાકિનીની ફરતે તારા ભરેલાં વલયો, ખરેખર બ્રહ્માંડ અદ્ભુત છે. ગ્રહોનાં વલયો ખડકોનાં બનેલાં છે. જ્યારે મંદાકિનીનાં વલયો તારાનાં બનેલાં છે. આપણા બ્રહ્માંડની બહાર આપણે જોઇ શકતા નથી, નહીં તો તેને પણ કદાય વલયો હોય અને જો બ્રહ્માંડની ફરતે વલયો હોય તો તે નાની મોટી સર્પિલ ભુજાવાળી કે સર્પિલ ભુજા વગરની મંદાકિનીઓનાં બનેલાં હોય. 

બ્રહ્માંડને દૃશ્યસ્વરૂપ છે તો તેને અદૃશ્ય સ્વરૂપ પણ છે જેને ડાર્કમેટર કે ડાર્ક એનર્જી કહે છે. તેણે પૂરા બ્રહ્માંડને પ્રવેગી બનાવી રાખ્યું છે. તો પ્રશ્ર્ન થાય કે શું બ્રહ્માંડને મૃત્યુ નથી? વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડનો જન્મ ઇશલ ઇફક્ષલ થી થયો છે, પણ શું તેનું મૃત્યુ નથી? તે ઊદયિ ઊડ્ઢાયક્ષમશક્ષલ છે? તો તો ગીતામાં કૃષ્ણ કહે છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ નિશ્ર્ચિત છે જાતસ્ય હી ધ્રુવં મૃત્યુ ા ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ા ખોટું પડે, ચર્પટમંજરિકા સ્તોત્રમાં શંકરાચાર્ય કહે છે કે પુનરપિજનનં પુનરપિ મરણં, પુનરપિજનની જઠરે શયનમ ા અર્થાત ફરી ફરી જન્મવાનું હોય છે, ફરી ફરી મરવાનું હોય છે અને ફરી ફરી માના પેટમાં શયન કરવાનું હોય છે તે પણ ખોટું પડે. શંકર ભગવાનને અજન્મા કહે છે. તો શું શંકર ભગવાન જ બ્રહ્માંડનું રૂપક છે. શંકર ભગવાન વિષે વિવિધ કથાઓ વાંચીએ તો લાગે કે શંકર ભગવાન જ બ્રહ્માંડનું રૂપક છે. તે ગળે સાપરૂપી કાળને લગાવીને બેઠા છે, સ્મશાન જ તેનો આવાસ છે અને ભસ્મ તેનો શણગાર છે. બ્રહ્માંડ જ દિકકાળ છે. બ્રહ્માંડ જ સ્મશાન છે, કારણ કે બ્રહ્માંડમાં કોઇ પણ જગ્યા એવી નથી જ્યાં કોઇને કોઇ જીવનું મૃત્યુ ન થયું હોય, તેનું શબ ન રહ્યું હોય. ઘર ઘરમાં મૃત્યુ, બ્રહ્માંડ પણ તારાનું કબ્રસ્તાન છે. બ્લૅક હૉલ મોટા તારાની ભસ્મ છે, એવી ભારે ભસ્મ કે તોળી ન શકાય. 

બ્રહ્માંડની અદ્ભુતતામાં વધારો કરતા શ્ર્વેતવામન તારા (ૂવશયિં ઉૂફરિ તફિંતિ), ન્યુટ્રૉન સ્ટાર્સ-પલ્સાર, બ્લૅક હૉલ અને કવેઝાર્સ છે. કવેઝાર્સ અબજો પ્રકાશ વર્ષ દૂર હોવા છતાં ચમકે છે તેની પાસે કેટલી બધી ઊર્જા હશે? તેનો અંદાજ લગાવવો અઘરો છે. 

આપણું શરીર સૌથી વધારે અદ્ભુત છે. આટલા વિશાળ વિશ્ર્વને આપણું નાનું મગજ આત્મસાત કરી શકે છે તે શું આશ્ર્ચર્ય નથી? આપણા મનીષીઓનું વિધાન છે કે પિંડે તે બ્રહ્માંડે તે વિજ્ઞાન સાબિત કરે છે, નરસિંહ મહેતાનાં વિધાનો કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અતેં તો હેમનું હેમ હોયે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે આજનું વિજ્ઞાન સાબિત કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ બીજું કાંઇ જ નથી ચેતનાનો ગોળો છે, માયા છે. રાતે અંધારામાં દોરડી આપણને સાપ લાગે પણ અજવાળું થાય તો તે દોરડી દેખાય, સત્ય લાધે. માટે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ બ્રહ્માંડ સત્ય લાગે પણ જ્ઞાન થાય પછી તેની માયા સમજાય, નહીં તો માયા જ સત્ય લાગે. શંકરાચાર્યે કહેલું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે કે જગત મિથ્યા નથી, તે પણ સાચું છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે તે માયા લાગે, મિથ્યા લાગે, માયા બની જાય. દોરડી અને સાપની વાર્તાની જેમ.

આપણે કદી સમયને જાણી શકીશું? -- ડૉ. જે. જે. રાવલ

સમય બધે જ છે પણ દેખાતો નથી. સમયને જાણવું તે એક કોયડો છે. સમય શું છે તે આપણે મનથી- મગજથી કે અમૂર્ત રીતે જાણીએ છીએ, તેમ છતાં આપણે તે બીજાને સમજાવી શકીએ નહીં કે સમય શું છે? તેની આપણે વ્યાખ્યા કરી શકીએ નહીં. કોઈ આપણને પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ છીએ કે આપણે જાણીએ છીએ કે સમય શું છે. જેવું કોઈ આપણને પૂછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે સમય શું છે તેના વિષે કશું જ જાણતાં નથી. 

આપણે સમયનાં જ બાળકો છીએ તેમ છતાં આપણે તેમાંથી છટકવા માંગીએ છીએ, અજર- અમર થવા માંગીએ છીએ.

નદીમાં પાણીનો પ્રવાહ વહે છે. આપણને ઉપર ઉપરથી જોતાં લાગે કે સમય પણ જતો જાય છે. તેથી લોકો બોલવા લાગ્યાં કે સમયનો પ્રવાહ, સમય વહે છે. જો કે સમયને પોતાને કોઈએ જોયો નથી. એ તો આપણી આસપાસની ક્રિયાઓમાં ફેરફાર થતાં આપણે જોઈએ છીએ. હજુ પણ એ નક્કી નથી થયું કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. સમય માપવા ફેરફાર થવાની જરૂર છે. માટે ફેરફાર સમય માપતા હોય તેમ લાગે. તો બીજી બાજુ લોકો માને છે કે સમય ફેરફારો કરે છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ફેરફારો થતાં ચાલે છે.

સમયનો પ્રથમ વિચાર આપનાર આપણો ચંદ્ર છે. ચંદ્ર જે કળા કરે છે તેથી આપણને ખબર પડે છે કે સમય વહે છે. સુદ પ્રથમાનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, આઠમનો, પછી પૂનમનો, પછી તે ઘટતો જાય છે અને અમાસને દિવસે તે દેખાતો નથી. આ ક્રિયાએ આપણને સમયનો વિચાર આપ્યો. સમયચક્રનો વિચાર આપ્યો. અમાસથી અમાસનો સમય તે જ આપણો મહિનો. આમ સીધો ચાલતો સમય હકીકતમાં સમયચક્ર વડે મપાય છે તે પણ કુદરતની કમાલ છે. આપણા પૂર્વજોએ જોયું કે આકાશમાં જ્યારે ચંદ્ર ૧૨ ચક્કર લગાવી લે છે ત્યાં સુધી સૂર્ય આકાશમાં એક ચક્કર લગાવી લે છે. તેજ આપણું વર્ષ. સૂર્ય દર મહિને રાશિ બદલતો દેખાય છે.

તો આપણને થાય કે દિવસના ૨૪ કલાક કેવી રીતે થયાં? આપણા પૂર્વજો તારા નિરીક્ષણમાં નિપુણ હતા. દિન અને રાત તેઓ આકાશીપિંડાનું અધ્યયન કરતાં, કેમ કે તેમને સમજ પડી ગઈ હતી કે આકાશ આપણા જીવનનો ભાગ છે. તેને ઘણું કહેવાનું છે. તેથી રાત્રિ- નિરીક્ષકોએ જોયું કે પૂરી રાત દરમિયાન ક્ષિતિજ પર એક પછી એક ૧૨ પ્રકાશિત તારા લગભગ સરખા સમયને અંતરે ઉદય પામે છે. તેથી તેમણે રાત્રિના ૧૨ ભાગ કર્યાં. તેવી જ રીતે દિવસના પણ ૧૨ ભાગ થાય. આમ ૨૪ કલાકનો દિવસ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ૪૮ મિનિટની ઘડી હતી. આમ ૧૫ ઘડીનો દિવસ હતો અને ૧૫ ઘડીની રાત. તે જ આપણા ચોઘડિયા.

સૂર્યોદય અને સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત પણ સમયના વિચારને પુષ્ટિ આપી તો આ બાજુ ઋતુચક્રે પણ સમયના વિચારને પુષ્ટિ આપી.

પશુ- પંખીને દિવસ રાતની ખબર પડે. તેમના બચ્ચા મોટા થાય તેની પણ ખબર પડે પણ સમયના વિચારની તેમને ખબર નહીં પડતી હોય.

સમય આપણા જીવનમાં એવો તો ઘડાઈ ગયો છે કે તે જ આપણી જીવનરેખા બની ગઈ છે. પૂરી દુનિયા સમયથી બંધાયેલી છે, જેને હજુ કોઈએ જોયો નથી. આ તો ઈશ્ર્વર જેવું છે. ઈશ્ર્વરને કોઈએ જોયો નથી, પણ લોકો માને છે કે ઈશ્ર્વર છે.

પુરાતન સમયમાં સમયને બહુ ઉંડાણમાં લેવાની જરૂર ન હતી. કલાક, મિનિટ સેક્ધડની જરૂર ન હતી. ત્યારે સવાર, બપોર, સાંજ પૂરતા રહેતા. હવે તો મિલીસેક્ધડ, નેનો સેક્ધડ, પીકો સેક્ધડ અસ્તિત્વમાં આવ્યાં છે અને પ્લાન્ક ટાઈમ એટલે કે એક સેક્ધડના અબજ અબજ અબજ અબજ અબજમો ભાગ. સમયના આ બધા ભાગો સૂક્ષ્મ દુનિયાની ગતિવિધિનું 

પરિણામ છે. 

સાથે સાથે આપણી પાસે સ્થાનિક સમય (કજ્ઞભફહ ઝશળય), પ્રામાણિત સમય (જફિંક્ષમફમિ ઝશળય) અને ગ્રીનીચ મિન ટાઈમ (ૠખઝ) સમય છે. આ પાછળનું કારણ આપણી પૃથ્વી ગોળ છે અને તેની ધરી પર ગોળ ગોળ ફરે છે તે છે. જ્યારે સ્થાનિક સમય કુદરતી છે, પ્રમાણિત સમય અને ગ્રીનીચ મિન ટાઈમ એક સિસ્ટમ છે કે જ્યારે દેશના એક સમયે સ્થાનિક ૧૨ વાગ્યે સૂર્ય બરાબર માથે આવે તેને આખા દેશનો સમય ગણવો અને ગ્રીનીચ રેખાંશવૃત્ત પર રાતે ૧૨ વાગે ત્યારે તારીખ બદલાવવી. સ્થાનિક સમય અને પ્રમાણિત સમય, દેશના સમયે વ્યવહાર માટે છે અને પ્રમાણિત સમય અને ગ્રીનીચ ટાઈમ વ્યવહાર માટે છે. (યુનિવર્સસ ટાઈમ) પૃથ્વી પરના દેશ દેશ વચ્ચેનો સમય છે.

પરિમાણ અંતરિક્ષ છે, ઊર્જા છે, બ્રહ્માંડ છે અને સમય પણ છ -- ડૉ. જે. જે. રાવલ,

એક બિન્દુ અંતરિક્ષ ઉત્પન્ન કરી શકે નહીં. તે માત્ર બ્લેકહૉલ  જ ઉત્પન્ન કરે. બિન્દુ બહુ રહસ્યમય છે. ભૂમિતિમાં જો ખૂબ જ મહત્ત્વનું પણ ખૂબ રહસ્યમય હોય તો તે બિન્દુ છે. તીક્ષ્ણ અણીવાળી પેન્સિલથી બિન્દુ કરો તો તે પણ બિન્દુ અને તદ્દન બુઠ્ઠી અણીવાળી પેન્સિલથી બિન્દુ કરો તો તે પણ બિન્દુ જ કહેવાય. બિન્દુ બ્રહ્માંડ જેટલું વિશાળ હોઇ શકે છે અને તમે કલ્પના કરી શકો તેના કરતાં પણ નાનું (સૂક્ષ્મ) હોઇ શકે છે. બિન્દુની ભૂમિતિમાં કોઇ વ્યાખ્યા નથી. 

હવે જ્યારે બીજું બિન્દુ અસ્તિત્વમાં આવે ત્યારે આપણે બે બિન્દુ વચ્ચેનું અંતર માપી શકીએ અને તે અંતરિક્ષ ઉત્પન્ન કરે, અંતરીક્ષને વ્યાખ્યાયિત કરે, કેમ કે તે બે બિન્દુ વચ્ચે સંબંધ ઉત્પન્ન કરે. 

બે બિન્દુ વચ્ચેનું અંતર રૈખિક પરિમાણ ઉત્પન્ન કરે. તે અનંત રેખા પણ ઉત્પન્ન કરી શકે. 

કલ્પના કરો કે એક જંતુ છે જેને માત્ર એક જ પરિમાણ નું જ્ઞાન છે. તે જતું હોય અને બાજુમાં કોઇ બીજું ટપકું કે પથ્થર પડ્યો હોય તો તેને તે દેખાય જ નહીં. હવે કલ્પના કરો કે એ જતુને માત્ર બે જ પરિમાણનું જ્ઞાન છે, તો તેના રસ્તાની નજીકમાં કોઇ બિન્દુ હોય તો તે જોઇ શકે. આપણે ત્યાં ઊભા હોઇએ તો તે આપણને જોઇ શકે નહીં. માત્ર આપણા પગની છાપ જ જોઇ શકે. જો તે જંતુને ત્રણ પરિમાણનું જ્ઞાન હોય તો તે આપણને પૂરા જોઇ શકે, અંતરિક્ષ, આકાશમાં ઊડતાં પંખી, પહાડ, વૃક્ષો બધાને જ તે જોઇ શકે, કારણ કે તેને ત્રણ પરિમાણનું જ્ઞાન છે. 

આ બ્રહ્માંડમાં કોઇ જ વસ્તુને એક કે બે પરિમાણ નથી. બ્રહ્માંડની દરેકેદરેક વસ્તુને ત્રણ પરિમાણ તો છે જ. આપણે આપણા માથાનો વાળ લઇએ તો તેને પણ ત્રણ પરિમાણ છે. તેનાં બે પરિમાણો ઢંકાયેલાં છે, તેની લંબાઇની સરખામણીમાં દેખાતાં નથી. પણ બેકટેરિયાને તે જબ્બર ટનલ લાગે. ઊંચા આકાશમાંથી ગંગા નદી જોઇએ તો તે માત્ર વાંકીચૂંકી રેખા જેવી લાગે. કાગળની સીટ આપણને બે પરિમાણવાળી (લંબાઇ અને પહોળાઇ) લાગે પણ તેને ઊંચાઇ પણ છે. બેકટેરિયાને કે અણુની નાભિને તે જબ્બર ઊંચી દીવાલ લાગે. 

ન્યુટને તેના ગતિશાસ્ત્રમાં યુકલિડની સપાટ ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો અને સમયને અલગ રીતે બહારથી માપવાનું કર્યું હતું. તેને સમયને એક પેરામીટર તરીકે લીધો હતો જે ઘડિયાળથી મપાતો. આમ ન્યુટને આખું ગતિશાસ્ત્ર ખડું કર્યું હતું અને તે પ્રતિ સેક્ધડની ૧૫૦૦૦૦ (દોઢ લાખ) કિલોમીટરની ગતિ માટે બરાબર જવાબ આપે છે. આટલી મોટી ગતિ સામાન્યપણે બ્રહ્માંડમાં વસ્તુને હોતી જ નથી. પૃથ્વી પર કે બ્રહ્માંડમાં સામાન્યપણે વસ્તુને ગતિ એક સેક્ધડના ૨૫૦ કે ૫૦૦ કિલોમીટર હોય છે. માટે ન્યુટનના ગતિશાસ્ત્રમાં કોઇ ખામી દેખાતી નહોતી. પણ જ્યારે પ્રકાશની ગતિ સેક્ધડની ૩ લાખ કિલોમીટરની મપાઇ કે ઓગણીસમી સદીના અંતે નવા શોધાયેલા ઇલેકટ્રોન્સની ગતિ પ્રતિ સેક્ધડની ૨ લાખ કે ૨,૯૦,૦૦૦ કિલોમીટર મપાઇ ત્યારે ન્યુટનનું ગતિશાસ્ત્ર ખોટું પડ્યું. તે નિરીક્ષણને સમજાવી શકતું ન હતું. તેમાં બીજી બે-ત્રણ ખામીઓ પણ નજરે ચઢી. તે બુધની કક્ષાને પણ બરાબર સમજાવી શકતું ન હતું. 

આઇન્સ્ટાઇને જોયું કે ન્યુટનનું ગતિશાસ્ત્ર ઘણી સફળ રીતે વિશ્ર્વના ગતિશાસ્ત્રને સમજાવી શકે છે પણ તે બે-ત્રણ બાબતે ખોટું પડે છે. તેની આ ખામીઓ દૂર કરવી જોઇએ. ત્યારે વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધું હતું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ પ્રતિ સેક્ધડની ૩ લાખ કિલોમીટર છે જે અચલ છે અને પ્રકાશની ગતિથી વધારે ગતિ બ્રહ્માંડમાં કોઇ પણ વસ્તુની હોઇ શકે નહીં. ન્યુટનના ગતિશાસ્ત્ર પ્રમાણે પૂરા બ્રહ્માંડમાં કાંઇ પણ ફેરફાર થાય, તેની અસર ત્ક્ષણે આપણાથી અનુભવાય. તે સમજમાં આવતું નથી. આઇન્સ્ટાઇને જોયું કે બ્રહ્માંડમાં કોઇ પણ ઘટના બને તેની સાથે સમય જોડાયેલો જ છે પણ ન્યુટન સમયને બહારથી ઘડિયાળથી માપે છે. તેને સમયને પણ અંતરિક્ષના સ્તરે લેવો જોઇતો હતો. હવે જો પ્રકાશ સૂર્યમાંથી આવતા સવાઆઠ મિનિટનો સમય લે તો ગુરૂત્વાકર્ષણની અસર પણ સમય લે તેના જેટલો અથવા તેનાથી ઓછો કેમ કે પ્રકાશની ગતિથી વધારે ગતિથી કોઇ પણ ગતિવિધિ સંભવી શકે નહીં. 

આઇન્સ્ટાઇનનો જિનિયસ વિચાર એ હતો કે સમય બ્રહ્માંડનું ચોથું પરિમાણ છે, લંબાઇ-પહોળાઇ-ઊંચાઇ (અંતરિક્ષ) એ બ્રહ્માંડનાં ત્રણ પરિમાણ છે અને સમય બ્રહ્માંડનું ચોથું પરિમાણ. એટલે કે આઇન્સ્ટાઇને બ્રહ્માંડને ત્રણ પરિમાણવાળું નહીં પણ ચાર પરિમાણવાળું લીધું જેનું ચોથું પરિમાણ સમય છે. 

પણ પ્રશ્ર્ન એ હતો કે લંબાઇ-પહોળાઇ-ઊંચાઇ એટલે કે અંતરિક્ષ મીટર, કિલોમીટર, ફૂટ અથવા વારમાં મપાય પણ સમય સેક્ધડમાં મપાય. તો સમયને લેન્થમાં કેવી રીતે ફેરવાય? આઇન્સ્ટાઇનનો બીજો જિનિયસ વિચાર વૈશ્ર્વિક અચલ પ્રકાશની ગતિને તેણે સમય સાથે ગુણી જેને સમયને લંબાઇ અર્પી. પ્રકાશ વર્ષ કે પ્રકાશ કલાક કે પ્રકાશ મિનિટ કે પ્રકાશ સેક્ધડ એ સમયનું માપ નથી પણ લંબાઇ (લેન્થ)નું માપ છે. એક પ્રકાશ સેક્ધડ એટલે ૩ લાખ કિલોમીટર, એક પ્રકાશવર્ષ એટલે લગભગ ૧૦,૦૦૦ અબજ કિલોમીટર. 

આઇન્સ્ટાઇને સમયને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લઇને એટલે કે સમયને અંતરિક્ષના સ્તરે (લંબાઇ-પહોળાઇ-ઊંચાઇના સ્તરે) લઇને ન્યુટનના ગતિશાસ્ત્રને વિસ્તૃત કર્યું. સમયને અંતરિક્ષના બંધારણમાં જ સમાવી દીધો. ન્યુટન સમયને અંતરિક્ષથી અલગ બહારથી માપતો હતો. આઇન્સ્ટાઇનનું આ કાર્ય એટલે આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ .
આ કારણે આઇન્સ્ટાઇન બતાવી શક્યા કે જ્યારે વસ્તુ ગતિમાં હોય છે ત્યારે ગતિની દિશામાં તેની લંબાઇ ઘટે છે જે તેની ગતિ પર આધાર રાખે છે, તેથી ત્રણ પરિમાણવાળી વસ્તુનો શેપ (જવફાય) બદલાય છે, તે બેડોળ બનતી જાય છે. ગતિમાં આવેલી ઘડિયાળ ધીમી ચાલે છે અને તેનું ધીમાપણું તેની ગતિ પર આધાર રાખે છે. આઇન્સ્ટાઇન એ પણ બતાવી શક્યા કે જ્યાં અંતરીક્ષ છે ત્યાં સમય હાજર જ છે અને જ્યાં સમય છે ત્યાં અંતરિક્ષ હાજર જ છે. અંતરિક્ષ અને સમયને અતૂટ સંબંધ છે. આઇન્સ્ટાઇને એ પણ દર્શાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને પણ અતૂટ સંબંધ છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર જ છે અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે. છેવટે આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે પદાર્થ અને ઊર્જાનો પણ અતૂટ સંબંધ છે. પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઊર્જામાંથી પદાર્થ ઉત્પન્ન કરી શકાય. આઇન્સ્ટાઇન પહેલાં એમ મનાતું કે પદાર્થ અને ઊર્જાને કાંઇ લેવા દેવા નથી. પણ આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે પદાર્થ અને ઊર્જા એકનાં એક છે. 

છેવટે આ બધું પરિમાણોનું પરિણામ છે. પરિમાણ અંતરિક્ષ છે, ઊર્જા છે, બ્રહ્માંડ છે અને સમય પણ છે. આ બધા એકનાં એક છે. પરિમાણ બધાથી સ્વતંત્ર હોય છે. લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ, સમય બધા એકબીજાથી સ્વતંત્ર છે અને બીજું પરિમાણ પૂરા બ્રહ્માંડમાં વિસ્તરેલું હોવું જોઇએ. ઉપરોક્ત ચાર ભૌતિક રાશિ માટે જ પરિમાણ છે. પરિમાણ ન હોય તો આપણું અસ્તિત્વ સંભવી શકે નહીં. પરિમાણ ન હોય તો આપણને લંબાઇ, ઊંચાઇ, પહોળાઇ હોઇ શકે નહીં. આપણને હાડકાં પણ ન હોઇ શકે, કારણ કે  જીન્સ, બેકટેરિયા ભલે ગમે તેટલા સૂક્ષ્મ હોય પણ તેને ત્રણ પરિમાણો હોય જ, સમય બધા જ પ્રસંગ (ઘટના)માં હોય જ. 

પદાર્થ બ્રહ્માંડનું પાંચમું પરિમાણ છે. તે સ્વતંત્ર છે અને પૂરા બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. એક વૈશ્ર્વિક અચલ પદાર્થને લંબાઇમાં ફેરવે છે, પણ તેની લંબાઇ મીટરની દસ અબજ અબજ અબજ ગણી નાની છે. માટે તે અદૃશ્ય રહે છે. પણ જો વસ્તુમાં પદાર્થ દસ અબજ અબજ અબજ કિલોગ્રામ હોય તો તેના પદાર્થની પરિમાણની લંબાઇ એક મીટર થાય જેને આપણે જોઇ શકીએ. પદાર્થનું પરિમાણ સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે માટે આપણે તેને જોઇ શકતા નથી.

બ્રહ્માંડની સુન્દરતાને ઉજાગર કરતો ગોલ્ડન રેશિયો - ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડના પાયાનાં અચલો ચલાયમાન બ્રહ્માંડને અચલોની જરૂર 

પડે છે. 

બ્રહ્માંડમાં એક એવો અચલ (ભજ્ઞક્ષતફિંક્ષિ)ં છે જે હકીકતમાં ગણિતિક અચલ છે, પણ બ્રહ્માંડને સમજવાનો પાયો છે. એને અંગ્રેજી અક્ષર યથી પ્રદર્શિત કરવામાં આવે છે. તેને લગભગ કિંમત ર અને ૩ની વચ્ચે છે અને તે ર.૭ લેવામાં આવે છે. ય રજ્ઞિ યડ્ઢાજ્ઞક્ષયક્ષશિંફહ આપણી પાસે લોગેરીથમ્સ છે જે ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ વગેરેની લાંબી લાંબી ગણતરીમાં આપણને સહાય કરે છે. લોગેરીથમમાં પાયા તરીકે કોઈ પણ સંખ્યા લઈ શકાય છે, પણ સરળતા માટે ૧૦ લેવામાં આવે છે અથવા ય લેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના સૂત્રોમાં લોગેરીથમના પાયા તરીકે લેવામાં આવે છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર માટે પાયા તરીકે ૧૦ની સંખ્યા હોય છે. યને અસીમિત સંખ્યા શ્રેણીના રૂપે પણ પ્રદર્શિત કરવામાં આવે છે. બ્રહ્માંડને સમજવા ય બહુ અગત્યની સંખ્યા છે. યડ્ઢ એ એક ડ્ઢ સાથેનો સંબંધ છે તેને એક્ષ્પોનન્સિયલ ફંકશન કહે છે- યની સંખ્યાનો શોધક સ્વીસ-ગણિતશાસ્ત્રી બર્નોલીનો હતો. ચક્રવૃદ્ધિ વ્યાજના સંબંધે તેણે ય સંખ્યાને શોધી કાઢી હતી, પણ તે સંખ્યાને અંગ્રેજી અક્ષર ય થી પ્રદર્શિત કરવી તે વાત વિખ્યાત ગણિતશાસ્ત્રી લિઓન્હાર્ડ ઑયલરે કરી હતી.

બ્રહ્માંડનો સાતમો અચલ વિખ્યાત (પાઈ) છે. તે વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. વર્તુળ નાનું હોય કે મોટું આ ગુણોત્તર જ હોય. એટલે કે વર્તુળનો પરિઘ, વ્યાસના સમપ્રમાણ (ઙજ્ઞિાજ્ઞિશિંજ્ઞક્ષફહ)માં વધે ઘટે છે. તેમ છતાં કોઈ વાસ્તવિક સંખ્યા નથી. તેની લગભગ કિંમત રર/૭ છે પણ દશાંશ પછી તેનું મૂલ્ય અબજોમાં વધે છે. જ્યારે કોઈ મોટી રકમ સાથે ગુણાકારમાં આવે ત્યારે આ દશાંશ પછીના આંકડા તેનું મૂલ્ય ખૂબ જ વધારે છે. માટે આવી પરિસ્થિતિમાં ના દશાંશ પછીના આંકડા કેટલા લેવા તે વિચાર માગી લે છે. આ બધી સંખ્યાઓ (આ બધા અચલો) હકીકતમાં જાદુઈ અચલો છે. કુદરતના દૂતો છે, સંદેશવાહકો છે, કુદરતની ગહનતાનો અહેસાસ કરાવે છે. ની સંખ્યા વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ દડો (ગોળક), શંકુ, નળાકાર વગેરે ભૌમિતિક આકૃતિઓનાં ક્ષેત્રફળો અને કદના સૂત્રોમાં દેખાય છે અને ભૌતિકશાસ્ત્રના કેટલાય સૂત્રોમાં દર્શન દે છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડને સમજવામાં ના મૂલ્ય વગર ચાલી શકે તેમ નથી. 

નું મૂલ્ય શોધવા પ્રયત્ન કરનાર પ્રથમ માનવી આર્કિમીડીઝ હતો અને પછી તેનું સારું એવું સાચું મૂલ્ય શોધનાર આર્યભટ હતા અને તે પછી તેનું ખૂબ જ ગહન મૂલ્ય શોધનાર રામાનૂજ હતા. હવે તો સુપર કમ્પ્યુટરો આવી ગયા છે તે ના મૂલ્યમાં દશાંશ પછી અબજો આંકડા સુધી આપણને લઈ જઈ શકે છે. (૩.૧૪૨૮.... અબજો આંકડા)

ઘણી વાર વિચાર આવે છે કે કુદરતે આવા અંત વગરના (ીક્ષ-યક્ષમશક્ષલ) અચલો શા માટે ઉત્પન્ન કર્યા હશે? કુદરતને પોતાની ગહનતા દેખાડવા તેની હાજરી દેખાડવા આવા અચલો ઉત્પન્ન કર્યા હશે? ઈશ્ર્વર માનવીને પોતાની હાજરી કેવી રીતે મહેસૂસ કરાવે? આ દર્શાવે છે કે કુદરતને આપણે કદી પૂર્ણ રીતે (૧૦૦ ટકા) જાણી શકશું નહીં. કુદરતને આપણે જે જાણીએ છીએ તે લગભગ (ફાાજ્ઞિડ્ઢશળફયિં) જાણીએ છીએ. આપણે કદી પણ ૧૦૦ ટકા શૂન્યવકાશ ઉત્પન્ન કરી શકીશું નહીં, કદી નિરપેક્ષ શૂન્ય (અબતજ્ઞહીયિં ુયજ્ઞિ-૨૭૩.૧૬) સુધી પહોંચી શકીશું. આપણું વર્ષ ૩૬૫ દિવસનું નથી. તે પણ લગભગ છે. માટે આપણે તિથિ વધ-ઘટ, લીપ યર, અધિકમાસ, ક્ષયમાસ વગેરે લઈ આવ્યા છીએ. શું આપણે કદી બ્રહ્માંડની વિશાળતા અને ઊંડાઈ જાણી શકીશું? આ બધું ટાઈમપાસ કરવા આપણે કરતા હોઈએ તેવું લાગે છે. 

બીજી એક સુંદર સંખ્યા છે તે ૩/૨ છે. ૩/૨=૧.૬૬૬૬૬... આ સંખ્યા માત્ર સંખ્યા જ નથી, પણ સંગીત છે. નૃત્ય છે, ગુરૂત્વીય સ્પંદનોની જનક છે અને તેની સમતુલનની જનક છે. તે વેલીઓ અને વૃક્ષમાં જે પાંદડા ઊગે છે તે આ સંખ્યાના ગુણોત્તરમાં ઊગે છે. અવાજના તરંગો આ સંખ્યા પ્રમાણે ચાલે છે. સૂર્યમાળામાં જે રેસોનન્સ ચાલે છે, જે સંબંધો, સહમતી ચાલે છે તે ૩/ર ગુણોત્તરમાં ચાલે છે. માટે જ ગણિત માત્ર આંકડા નથી, પણ ભૌતિકક્રિયાઓ છે. 

બ્રહ્મગુપ્તને ડ્ઢ૨+૪=૦નું સમીકરણ મળ્યું તેઓ તેનો ઉકેલ શોધવા લાગ્યા તો ડ્ઢ૨=-૪ મળ્યું શું કોઈ પણ સંખ્યા ઘન હોય કે ઋણ હોય તેનો વર્ગ ઋણ હોઈ શકે, -રનો વર્ગ ૪ અને +રનો વર્ગ પણ ૪ તેથી તેમને થયું કે ડ્ઢ૨+૪=૦ જેવા સમીકરણોનો ઉકેલ નથી ડ્ઢ૨=-૪ એટલે કે ડ્ઢ૨=-૨૨ તેનો ઉકેલ નથી. પણ અર્વાચીન ગણિતશાસ્ત્રીઓએ -૧=૨.૨ લઈ ડ્ઢ૨=૨.૨ુ૨ એટલે કે ડ્ઢ=+ુ.ુ ઉકેલ શોધ્યો જેને વાસ્તવિક સંખ્યાનો વિસ્તાર અવાસ્તવિક સંખ્યામાં કર્યો. દેકાર્નના સંદર્ભ માળખામાં (ડ્ઢ, ુ) એટલે ડ્ઢ+૨.ુ આમ આપણને અવાસ્તવિક સંખ્યા (ઈજ્ઞળાહયડ્ઢ ક્ષીળબયતિ) મળ્યાં ડ્ઢ, ૨ુ એટલે ડ્ઢ -૪ડ્ઢ૧ત (ડ્ઢ-યામ) પર ડ્ઢ અંતર સુધી જવાનું પછી ડ્ઢ-૪ડ્ઢ૧તને લંબ ુ અંતર પર જવાનું એટલે આપણને ડ્ઢ+૨.ુ=(ડ્ઢ, ુ) બિન્દુ મળે. આમ સંખ્યાગણ (ગીળબયિ જુતયિંળ) વાસ્તવિક સંખ્યામાંથી વિસ્તાર પામી. દરેકે દરેક વાસ્તવિક સંખ્યા અવાસ્તવિક છે કારણ કે ટ૨ને ટ૨+૨ લખી શકાય ુને ુ+૨+૦ લખી શકાય. આ અવાસ્તવિક સંખ્યા કહેવાય છે તો અવાસ્તવિક પણ તે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવી શકે છે. આ અવાસ્તવિકતામાં વાસ્તવિકતા છે અને વાસ્તવિકતામાં અવાસ્તવિકતા તો આપણે કોને અવાસ્તવિક કહીશું અને કોને વાસ્તવિક કહીશું?

ગણિતશાસ્ત્રમાં કે બ્રહ્માંડમાં એક અસિમતા (શક્ષરશક્ષશિું-શક્ષરશક્ષશયિંક્ષયતત, રશક્ષયિંક્ષયતત)નો વિચાર છે. તેને ચિહ્નથી પ્રદર્શિત કરવામાં આવે છે. હકીકતમાં શક્ષરશક્ષશિું (અસિમતા) એ સંખ્યા નથી પણ વિચાર છે. પ્રાચીન ભારતીય વિદ્વાનોએ સીમિતતા અને અસીમિતા બંનેને આત્મસાત્ કરી હતી. રામાનૂજ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે તેના શિક્ષકે કહ્યું કે ૧/૧=૧, ૨/૨=૧ ત્યારે રામાનૂજને શિક્ષકને સવાલ કર્યો કે ૦/૦ એટલે ૧ થાય કે શું થાય? બિચારા શિક્ષકને તેનો જવાબ આવડયો ન હતો. ૦/૦ એ શક્ષમયયિંળિશક્ષફયિં છે તે શૂન્ય પણ નથી અને ૧ પણ નથી, કારણ કે શૂન્યથી ભાગી શકાતું નથી. કારણ કે ૦=૦૧=૦ર તેથી જો શૂન્યથી ભાગી શકાતું હોય તો ૧=૨ થઈ જાય. ૧=૨=૩=૪... થઈ જાય. આ બધું શક્ષરશક્ષશિું (અસિમ) નથી પણ શક્ષમયયિંળિશક્ષફયિં (કાંઈ કહી શકાય નહીં તેવું) છે. 

બ્રહ્માંડને જે સંખ્યા સુંદરતા અર્પે છે, તેને સુવર્ણ ગુણોત્તર (ૠજ્ઞહમયક્ષ છફશિંજ્ઞ) કહે છે તેને ગ્રીક આલ્ફાબેટના એકવીસમા અક્ષરથી પ્રદર્શિત કરવામાં આવે છે તે હ્ છે. તેનું લગભગ મૂલ્ય ૧.૬૨ છે. ધારોકે એક લંબાઈ છે. તેને ફ અને બ ભાગમાં વહેંચીએ તો પૂરી લંબાઈનો મોટા ભાગ સાથે ગુણોત્તર નાની લંબાઈનો મોટા ભાગ સાથે ગુણોત્તર સરખા થાય તો ફ ફક્ષમ બનો ગુણોત્તર સુવર્ણ ગુણોત્તર (ૠહજ્ઞમયક્ષ છફશિંજ્ઞ) કહેવાય, એટલે કે (ફ+બ)/ફ=ફ/બ બ્રહ્માંડમાં ભૌમિતિક આકૃતિઓની જે સુંદરતા દેખાય છે તે આ ગોલ્ડન રેસિયોની આભારી છે. ગોલ્ડન રેસિયો બ્રહ્માંડની સુડોળતાનો દ્યોતક છે તે સુડોળતા અર્પનાર દેવી છે. 

સુવર્ણ-ગુણોત્તર માત્ર ગાણિતિક ગુણોત્તર નથી. પણ જીવનનાં દરેક ક્ષેત્રે તે દર્શન દે છે, જીવ-વિજ્ઞાનશાસ્ત્રમાં કલામાં, સંગીત, ઈતિહાસ, શિલ્પશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે આ બધા ક્ષેત્રોનાં નિપુણ વિદ્વાનોએ સુવર્ણ-ગુણોત્તરનો જાદુ સમજવા પ્રયત્ન કર્યો છે તેમાં પાયથાગોરસ, યુકિલક નિઓનાર્ડો, યોહાન્સ કેપ્લરને હાલમાં વિખ્યાત ગણિતશાસ્ત્રી રોજર પેનરોમે છે. 

સુવર્ણ-ગુણોત્તરને દિવ્ય-ગુણોત્તર પણ કહેવામાં આવે છે. સુવર્ણ-ગુણોત્તર બ્રહ્માંડમાં ગાણિતિક રચના અને સિદ્ધાંત દર્શાવે છે. માનવીનું શરીર પણ સુવર્ણ-ગુણોત્તર દર્શાવે છે. આપણી દૃષ્ટિમાં ઘણી બધી વસ્તુ જેવી કે પોસ્ટકાર્ડ, ગંજીપત્તા વગેરે જે ગોલ્ડન રેસીઓ દેખાડે છે. પિરામિડના પરિમાણો સુવર્ણ-ગુણોત્તરમાં છે, પણ એ કહી ન શકાય કે તેઓ હકીકતમાં એ પ્રમાણે બાંધ્યા છે કે માત્ર યોગાનુયોગ છે.

જેનાથી લોકો ત્રાસતા નથી અને જેને લોકોનો ભય નથી -- સૌરભ શાહ

વિચાર જ્યારે માત્ર વિચારની અવસ્થામાં જ રહી જાય છે ત્યારે બહુ જલદી એનું બાષ્પીભવન થઈ જાય છે. વ્યવહારમાં મુકાયા વિનાનો વિચાર, અમલમાં લાવ્યા વિનાનો વિચાર પાંગરી શકતો નથી. લખાતા, બોલાતા કે છપાતા શબ્દોનું મહત્ત્વ ત્યારે જ ગણાય જ્યારે એને વ્યવહારમાં ઉતારવાની કોશિશ થાય. કોશિશનો અર્થ જ એ કે એમાં નિષ્ફળ જવાની સંભાવના પણ રહેવાની. મહત્તા પ્રયત્નોની સફળતા કે એની નિષ્ફળતાની નથી, મહત્તા પ્રયત્નોની જેન્યુઈનનેસની છે. આ પ્રયત્નો પછી પરિણામ માટેની વિહ્વળતા રાખવાને બદલે ધીરજ અને આસ્થા કે શ્રદ્ધા કે વિશ્ર્વાસ કે ભરોસો રાખતાં આવડી જાય તો માણસે ક્યારેય ન તો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મગુરુઓ કે બાબાસાધુઓના શરણે જવું પડે, ન સાયકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડે.

જીવન માટેની સમજ કેળવવી હોય તો સવાલ એ ઊઠે કે આવી સમજ ક્યાંથી મળે, કોણ આપે. પોતાના અનુભવોની એક સીમા હોય છે અને બીજાઓ પાસે મળતા વિચારોમાં એ વ્યક્તિની પોતાની મર્યાદાઓ પણ હોવાની જ.

તો પછી ક્યાં જવું? ગાંધીજીએ આ બાબતમાં ભગવદ્ ગીતાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. ભારોભાર અધ્યાત્મિકતાની સાથે સો ટકાના વ્યવહારુપણાનું વિરલ કૉમ્બિનેશન ગાંધીજીમાં હતું. ૧૮૮૮ના કે ૧૮૮૯ના અરસામાં ગાંધીજી સૌપ્રથમ વાર ભગવદ્ગીતાના પરિચયમાં આવ્યા હતા. ટીન એજમાંથી માંડ બહાર આવ્યા હતા. તે જ વખતે તેઓ સમજી શક્યા હતા કે આ માત્ર ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવા ઘડેલી કલ્પના છે. ગાંધીજીની આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યાં પછી પાકી થઈ અને મહાભારત વાંચ્યા પછી આ વિચાર ઔર દૃઢ થયો.

મહાભારતને ગાંધીજી ઈતિહાસનો ગ્રંથ ગણતા નથી અને આદિ પર્વનો હવાલો આપીને તેઓ કહે છે કે તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવા જ કર્યો છે. વ્યાસ ભગવાને આદિ પર્વમાં પાત્રોની અ-માનુષી અને અતિ-માનુષી ઉત્પત્તિ વર્ણવીને રાજાપ્રજાના ઈતિહાસને ભૂંસી નાખ્યો છે.

ગાંધીજીની આ સમજે ગીતાના અભ્યાસનો અને એને વ્યવહારમાં મૂકવાના પ્રયત્નોનો વ્યાપ વધાર્યો. ભગવદ્ગીતાનું મહત્ત્વ શ્ર્લોકોની ગોખણપટ્ટી કરવા પૂરતું કે જીવનની સમસ્યાઓમાંથી છટકબારીઓ શોધવા પૂરતું નથી. એ સ્તરે ગીતા પાસે જનારાઓ એમાંથી કશું જ પામી શકતા નથી. એમના માટે ગીતા વેડફાઈ જાય છે. ગીતા વિશે વાંચીને, સાંભળીને, લખીને, બોલીને, સમજીને કે સમજાવીને માણસના રોજબરોજના વ્યવહારમાં કશો ફરક પડતો ન હોય તો સમજવાનું કે એના માટે ગીતાના ગ્રંથની ઉપયોગિતા એક જમાનામાં આવતી એવી સિનેમાનાં ગાયનોની ચોપડી જેટલી જ છે. ભક્તિ અને કર્મની વાતો માત્ર વિચારના જ સ્તરે રહે, માત્ર ક્ધસેપ્ટના લેવલે જ રમ્યા કરે તો એનો શું અર્થ?

ભક્તિની બાબતમાં પણ ફરી એક વાર સ્પષ્ટ થઈ જવું પડશે. લૌકિક કલ્પનામાં ‘ભકત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર.’ ગાંધીજી કહે છે કે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ઘ્ય ઈત્યાદિ સાધનો ભક્ત ભલે વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી. ગાંધીજી આગળ કહે છે કે ભક્તનાં લક્ષણો કયાંં? જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહમ્-મમતાથી મુક્ત છે, જેને મન સુખદુખ ટાઢતકડો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ર્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્ર્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય રાખતો નથી, જે હર્ષ-શોક-ભય વગેરેથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે તે ભક્ત છે.

ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં જ

વર્ણવ્યાં છે અને ગાંધીજી કહે છે એમ આ ભક્તિ પછી જે મળે છે તે મોક્ષ છે.

મોક્ષનો અર્થ બાબાગુરુઓ ગમે તે સમજાવે પણ જીવન પૂરું થઈ ગયા પછી મળનારી કોઈપણ ચીજમાં સમજુ પુરુષને રસ ન હોઈ શકે. એને તો જીવતે જીવ જે મળતું હોય તેને પામવામાં રસ હોય. ગાંધીજી કહે છે: ‘ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.’ ગીતા દ્વારા તમને તમારી તમામ ચિંતાઓમાંથી પરમ શાન્તિ મળતી હોય, મુક્તિ મળતી હોય તો તે તમારા માટે મોક્ષ છે.

મોક્ષ અને પરમ શાન્તિને એકમેકના પર્યાય માની લીધા પછી ગીતાનો અભ્યાસ વધુ સરળ બની જવાનો. પરિણામની ઈચ્છા રાખ્યા વિના માત્ર પ્રયત્નો કરતાં રહેવાનું મનોબળ કેળવવાનું કામ પણ સરળ બની જવાનું.



કાગળ પરના દીવા........



ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે કોઈક અન્ય દિશામાં બીજો દરવાજો ઉઘડતો જ હોય છે. પણ મોટે ભાગે બને છે એવું કે બંધ થઈ ગયેલા દ્વારને સૂની નજરે તાકી રહેવામાંથી જ આપણે ઊંચા આવતા નથી, જેને કારણે આપણા માટે ખોલી નાખવામાં આવેલાં બીજાં બારણાં નજરે ચડતાં નથી.

- હેલન કેલર

Saturday, November 11, 2017

#Random_Musings_On_Bhagwat_Gita 8

http://baklol.co/aarambh-8/


सनकी राजाओं और उनके अजीबो-गरीब शौक का आपने सुना होगा। ऐसे ही एक अजीब से राजा को अपने राज्य के सबसे बड़े मूर्खों को पुरस्कार देने कि सूझी। फ़ौरन उसने मंत्री को पकड़ा और उसे पांच सबसे बड़े मूर्खों को ढूंढ कर लाने रवाना हो जाने का हुक्म सुना दिया। मंत्री बेचारे ने कहा ये तो मुश्किल काम है, सफ़र में खर्चा भी आएगा। तो मुझे कुछ धन मिलना चाहिए कहकर उसने राजा से पैसे लिए और चल पड़ा। राज्य में थोड़ा घूमने टहलने पर उसे एक गाँव के बाहर दिखा कि गाँव के रास्ते में एक तरफ कई क्यारियां थी, फूल खिले थे लेकिन दुसरी तरफ कोई फूल नहीं था। उसे आश्चर्य हुआ तो उसने गाँव वालों से पूछा। गाँव वालों ने बताया कि फूल गाँव के बाहर रहने वाले किसी साधू ने लगाए हैं। तो मंत्री साधू से पूछने गया कि एक ही साइड उसने फूल क्यों लगाये ?
साधू बोला कि उसके पास एक साबुत घड़ा है और एक जरा टूटा हुआ है, जिनसे वो गाँव के कूएँ से पानी भरकर लाता है। टूटे घड़े से पानी रिसता है, इसलिए टूटे घड़े को हमेशा अपने कम उपयोगी होने का अफ़सोस होता है। ठीक वैसे ही जैसे कई लोगों को अपने कम बुद्धिमान होने का, या कम शक्तिशाली, या कम सुन्दर, कम धनवान होने का होता है। तो जिस तरफ बहंगी पर वो टूटा घड़ा लेकर आता है उस तरफ गिरा पानी बर्बाद ना हो, इसलिए साधू ने रास्ते में फूलों के बीज बिखेर दिए थे। जिस तरफ घड़ा सही था उस तरफ पानी छलका नहीं इसलिए फूल उगे नहीं, टूटे घड़े वाली तरफ, रोज़ पानी मिलने से फूल उग आये। टूटे घड़े के इस्तेमाल से साधू को दो फायदे हो रहे थे, पहला तो रास्ता खुबसूरत हो गया था।
दूसरा वो ये समझा पा रहा था कि, किसी मामूली सी कमी कि वजह से कोई पूरी तरह अनुपयोगी नहीं हो जाता। मंत्री साधू कि बात सुनकर खुश हो गया और उसे फ़ौरन पकड़कर दरबार में ले गया। राजा ने उसे जल्दी लौटा देखकर पुछा कि इतनी जल्दी कैसे आ गए ? तो मंत्री बोला मैं मूर्ख ढूंढ लाया हूँ। हमारे राज्य में इतने मूर्ख लोग बसते हैं जो सिर्फ एक छोटी मोटी कमी कि वजह से पूरे इंसान को बचपन में, विद्यालय में ही सिरे से खारिज़ कर देते हैं। ये जो साधू है ये ऐसे मूर्ख लोगों को सिखा रहा था कि हर आदमी में कुछ कमियां होती हैं, उन्हें पूरी तरह एक कमी कि वजह से नकारना नहीं चाहिए ! मूर्खों के सुधरने कि संभावना ढूँढता ये साधू निस्संदेह उन सबसे बड़ा मूर्ख है।
राजा ने हामी भरी, कहा हाँ, ये साधारण सी बात तो सबको पता होती है, लेकिन लोग बदलते नहीं अपनी आदत ! उनको सुधारने में जुटा ये साधू जरूर बड़ा मूर्ख होगा। लेकिन बात तो पांच मूर्ख लाने कि हुई थी, बाकि के मूर्ख कहाँ हैं ? मंत्री बोला, इतने मूर्खों से घिरा हुआ मैं पूरे राज्य में मूर्ख ढूंढ रहा था ! किन्ही पांच को यहीं से पकड़ के खड़ा कर देना चाहिए था मुझे तो ! इसलिए हुज़ूर दूसरा मूर्ख मैं हूँ। राजा ये भी मान गया। मंत्री आगे बोला, राज्य के विकास, सुरक्षा जैसे मुद्दे छोड़कर आप मुझे मूर्ख ढूँढने दौड़ा रहे हैं। तो गुस्ताखी माफ़ हो हुज़ूर, लेकिन तीसरे बेवक़ूफ़ आप हुए।
गलतियाँ, कमियां ढूंढ कर लोगों को बेकार घोषित करने कि जो बेवकूफी लोग स्कूल के ज़माने से रोज़ करते हैं उसकी याद दिलाने के लिए हमने सुबह-सुबह इतनी लम्बी कहानी लिख डाली है, तो चौथे बेवक़ूफ़ निस्संदेह हम खुद ही हैं। अब आप मेरी पिछले कुछ दिन की हरकत से वाकिफ हैं। हर रोज़ किसी ना किसी बहाने भगवत गीता पढ़ा देने की कोशिश हम करते ही हैं। फिर भी आपने यहाँ तक पढ़ा तो पांचवा मूर्ख कौन होगा ये बताने कि जरुरत नहीं होनी चाहिए।
दरअसल जब भी लम्बे चौड़े व्याख्यान दिए जाते हैं तो कुछ ना कुछ झूठ ही परोसा जा रहा होता है। न्यूटन ने कोई लम्बे चौड़े नियम नहीं दिए थे। आइन्स्टाइन का सापेक्षता का सिद्धांत बहुत लम्बा चौड़ा तो नहीं है, उनको जिस E=MC(2) के लिए जाना जाता है वो तो और भी छोटा सा है। इसके मुकाबले मोटी सरकारी फ़ाइलें देखिये, आपको पता होता है कि उनमें जितने विकास की बात की गई है उतना सचमुच नहीं हुआ है। मोटे पोथे कि जरुरत ही तभी पड़ती है जब धोखाधड़ी करनी हो। जो किसी लम्बी चौड़ी विचारधारा की मोटी विदेशों में छपी किताबें परोस रहा है वो निश्चित रूप से आपको ठगना चाहता है।
बेकार कि बातों पर ध्यान दिए बिना अपना काम किये जाना ही श्रीमद्भगवत गीता के अक्षरब्रह्म योग नाम के आठवें अध्याय का विषय है। इस अध्याय में आप आध्यात्म में इस्तेमाल होने वाले कई शब्दों का अर्थ भी सीख जाते हैं। यहाँ आवागमन का सिद्धांत भी है, जो ये बताता है की दुनियां किसी एक पॉइंट से शुरू होकर किसी दुसरे पॉइंट पर ख़त्म होने वाली सीधी रेखा नहीं है। ये एक चक्र कि तरह चलने वाली साइक्लिक व्यवस्था है, सब गोल घूमकर वापिस आएगा। पुनर्जन्म किस तरह आवागमन से अलग है, वो भी शायद आप सीख लेंगे। आपके सोचने का आपपे क्या असर हो सकता है वो भी ध्यान में आएगा।
तो जनाब इस तरह, साधू के घड़े कि जीवित प्राणियों जैसी भावनाएं होने के बहाने हमने आपको ये याद दिला दिया है कि आपकी सोच आगे बढ़कर किसी दिन आपको जिन्दा, सचमुच कि लगने लगती है। राजा और मंत्री कि मूर्खों को ढूँढने के बहाने ये बता दिया कि गीता में शब्द important हैं। सिर्फ 700 श्लोकों में जब कोई बात कहनी हो तो कोई भी शब्द फ़ालतू काफिया मिलाने, तुकबंदी के लिए इस्तेमाल किया हुआ नहीं होगा और आपको शब्दों को समझना होगा। टूटे घड़े का पानी टपकना जैसे waste नहीं हो रहा था, वैसे ही कोई कर्म भी बेकार नहीं होता। हरेक के Repurcussion होंगे। इस तरह (धोखे से) आपको गीता के आठवें अध्याय का सार पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 7

http://baklol.co/aarambh-7/


एक दिन एक गुरुकुल में गुरूजी ने अपने छात्रों को सिखाया कि हर जीव में परमात्मा का निवास है। इसलिए सभी जीवों से बराबरी का बर्ताव करना चाहिए। सबको बराबर सम्मान देना चाहिए। छात्रों ने रट लिया कि सबमें परमात्मा का निवास है और वो आस पास के सभी प्राणियों के प्रति सम्मान का भाव भी रखने लगे। एक दिन जब छात्र पास के ही एक गाँव में भिक्षा लेने पहुंचे तो अचानक कुछ कोलाहल सुनाई दिया।
छात्रों ने मुड़कर देखा तो सामने एक क्रुद्ध बैल भड़का हुआ चला आ रहा था और लोग उसे देखकर रास्ते से हट रहे थे। पीछे पीछे बैल का मालिक भी लोगों को हटने के लिए कहता चिल्लाता हुआ आ रहा था और बैल की रस्सी पकड़ने की कोशिश कर रहा था। लेकिन बैल भड़का हुआ था तो वो पकड़ में नहीं आ रहा था। बाकी छात्र तो गुस्साए हुए बैल को देखकर हट गए मगर एक छात्र नहीं हटा। बैल नजदीक आया, रास्ते में खड़े छात्र को उठा कर पटक दिया और आगे चला। बैल को थोड़ी देर में काबू कर लिया गया और आश्रम में भी छात्र के घायल होने कि खबर भिजवाई गई।
थोड़ी देर में गुरूजी भी भागते हुए गाँव तक पहुंचे तो लड़के से पुछा वत्स जब सब हट गए थे तो तुम बीच में ही खड़े क्यों रहे ? छात्र बोला गुरूजी आपने ही तो समझाया कि सबमें परमेश्वर होते हैं, तो मुझे लगा पागल बैल में भी वही होंगे ! गुरूजी बोले बच्चे उसके पीछे ही किसान भी तो था ना ? उसकी बातों में भी तो परमात्मा कि आवाज सुनते और हटना चाहिए था न ? सबमें परमात्मा होते हैं ये सोचकर बाघ के गले लग जाना अक्सर मूर्खता ही सिद्ध होती है।
हिंदी में शिक्षा, विद्या, और ज्ञान तीनो अलग अलग शब्द हैं। इनका अर्थ मिलता जुलता सा लगता हो लेकिन होता अलग अलग है। जैसे स्कूल को हिंदी में विद्यालय तो कहते हैं, लेकिन शिक्षालय या ज्ञानालय नहीं कह सकते। कारण ये है की शिक्षा जब आपको दी जाती है तो उसमें अपने अनुभव और जानकारियां जोड़कर उस से आप अपने लिए विद्या बना लेते हैं। फिर विद्या के इस्तेमाल से ज्ञान होता है। शिक्षा बाहर से आएगी, शिक्षित व्यक्ति फिर कभी किसी विषय का विद्वान भी हो सकता है, विद्वान अपने ज्ञान का कई बार इस्तेमाल देख देख कर आगे ज्ञानी भी हो जाते हैं। शिक्षित ही हर बार ज्ञानी भी होगा ऐसा जरूरी नहीं होता।
श्रीमद् भगवत गीता के ज्ञानविज्ञानयोग नाम के सातवें अध्याय में भगवान् श्री कृष्ण ऐसे ही विषयों कि चर्चा करते हैं। बीमार या किसी मुसीबत में पड़ा व्यक्ति भी भगवान् को याद करेगा, धन या ऐश्वर्य प्राप्त करने के लिए भी कई लोग भक्त हो जाते हैं। कभी कभी लोग सिर्फ जानना चाहते हैं कि ईश्वर है क्या ? तो वो भी जानने कि कोशिश में जुट जाते हैं, और आखरी जो जान चुके हैं वो भी भगवान के ही चिंतन में डूबे रहते हैं। इन सभी किस्म के भक्तों कि चर्चा, और उनके ज्ञान के स्तर कि चर्चा गीता का सातवां अध्याय है। बैल और जरा कम समझने वाले चेले की कहानी में हमने आपको सातवां अध्याय पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 6

http://baklol.co/aarambh-6/


नक़्शे में ऊपर कि तरफ नार्थ होता है। बचपन में ही जब नक्शा देखना सिखाया जाता है तभी ये बता दिया जाता है। इसके साथ ही हमने ये भी सीख लिया था की NEWS का फुल फॉर्म नार्थ, ईस्ट, वेस्ट, साउथ होता है। सचमुच NEWS कोई abbreviation होता है या नहीं ये तो पता नहीं लेकिन उत्तर को पहचानने कि दो मुख्य वजहें तो नजर आती है। एक तो ये है कि कम्पास में सुई नार्थ-साउथ ही पॉइंट करती है तो नार्थ के हिसाब से ही लोग बाकि दिशाओं का अंदाजा लगाते होंगे। दूसरा ये है कि उत्तर में पोल स्टार होता है, ध्रुव तारे कि मदद से लोग यात्रा के दौरान अपना रास्ता तय करते होंगे।
ध्रुव तारे के नाम के पीछे भी भारत में एक कहानी होती है। कहानी है ध्रुव कि, वो एक राजा उत्तानपाद के पुत्र थे। उनकी माता थी सुनीति, लेकिन राजा को अपनी दूसरी पत्नी सुरुचि ज्यादा प्रिय थी। एक दिन जब बालक ध्रुव अपने पिता कि गोद में बैठना चाहते थे तो उनकी सौतेली माता सुरुचि ने ध्रुव को गोद से उतार दिया। साथ ही ये भी कहा कि पिता कि गोद में बैठने का इतना ही शौक है तो भगवान विष्णु जो पूरे जगत के पालनकर्ता हैं, उनकी गोद में जाकर बैठ जाये ! सुरुचि का मतलब था कि मरने के बाद आदमी भगवान के पास होता है, तो वो ध्रुव के मर जाने कि बात कर रही थी, लेकिन ध्रुव छोटे थे और उन्होंने शब्दों को पकड़ कर सचमुच विष्णु की गोद में जा बैठने की ठान ली।
अपनी माता सुनीति के समझाने बुझाने पर भी वो माने नहीं। आखिर तपस्या करने की इजाजत लेकर वो निकल पड़े। रास्ते में उनकी मुलाकात नारद मुनि से हो गई। ध्रुव को तप के लिए कोई मन्त्र-विधि भी नहीं आती थी, तो नारद ने उन्हें वो भी सिखा दिया। अक्सर जो “ॐ नमो भगवते वासुदेवाय” का मन्त्र सुनाई दे जाता है वो मन्त्र नारद ने ध्रुव को तपस्या के लिए सिखाया था। माना जाता है कि ध्रुव को छह महीने तपस्या करनी पड़ी थी। उन्हें भगवान् के दर्शन भी हुए और बाद में राजा उत्तानपाद के राज्य के वो उत्तराधिकारी भी बने। अब तप के समय के हिसाब से देखें तो ध्रुव को फल काफी ज्यादा मिला है। जब तक लोगों को ध्रुव तारे का नाम याद रहेगा, तब तक ये नाम क्यों पड़ा था ये किस्सा भी याद आ जायेगा।
जिन लोगों को महान कहा जाता है, जिनकी जीवनियाँ लिखी और पढ़ी जाती हैं उनमें से ज्यादातर को देखेंगे तो इसी किस्म का कुछ नजर आता है। उन्होंने कुछ साल मेहनत की और सदियों के लिए इतिहास में अपना नाम दर्ज करवा लिया है। नेपोलियन, एलेग्जेंडर, अकबर, शेक्सपियर, आइंस्टाईन किसी ने भी उतने साल मेहनत नहीं की है जितने साल से इतिहास ने उन्हें याद रखा है। अच्छे और बुरे दोनों किस्म के काम के नतीजे ऐसे ही कई गुना बढ़ा-चढ़ा के मिलते आप अपने आस पास कभी भी देख सकते हैं। अर्जुन ने ऐसे ही प्रश्न भगवान् के सामने छठे अध्याय में रखे थे। अगर किसी ने थोड़े ही दिन आध्यात्मिक मार्ग पर प्रयास किया हो और फिर छोड़ दे तो क्या होगा ? कितने समय कि मेहनत का क्या नतीजा होगा ? यहाँ कृष्ण अर्जुन को cyclic concept समझा रहे होते हैं। जन्म, बाल अवस्था, युवावस्था, फिर बुढ़ापा, मृत्यु और फिर जन्म ये एक चक्र कि तरह चल रहा होता है।
अध्यात्म कि दिशा में प्रयास का फल, जीवन चक्र जैसे विषयों पर श्रीमद भगवतगीता के आत्मसंयम योग नाम के छठे अध्याय में चर्चा कि गई है। ध्यान जैसे विषयों पर भी यहीं बात कि गई है। इस बार ध्रुव तारे और दिशाओं के एक किस्से के बहाने हमने आपको (धोखे से) गीता का छठा अध्याय पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 5

http://baklol.co/aarambh-5/

भारत में अभी का पढाई का तरीका देखेंगे तो शायद दर्ज़नों कमियां दिखेंगी। पाठ्यक्रम में किसी भी किस्म के बदलाव कि चर्चा भी कि जाये तो उसे फ़ौरन से पेश्तर भगवाकरण भी घोषित कर दिया जाता है। समय के साथ परिवर्तन ना होने के नतीजा ये भी होता है कि जब कॉलेज से कोई छात्र बाहर आ कर नौकरी कि तलाश में जुटता है तो उसे बड़ी मुश्किल होती है। इंटरव्यू लेने वालों से, या छोटे-बड़े बिज़नस करने वाले लोगों से भी पूछेंगे तो पता चलेगा कि ज्यादातर नौकरी की तलाश में आये लोगों को काम का कुछ भी पता नहीं होता। इस मामले में पुराना गुरुकुल वाला सिस्टम थोड़ा बेहतर तो जरूर था। छात्रों को कृषि जैसी चीज़ों के बारे में पता होता था। छात्र सफ़र भी कर रहे होते थे तो लोगों से बात चीत करने कि समझ होती थी, कल्चर में अलग अलग जगहों पे फर्क होता है ये भी पता होता था।
सीखने के लिए यात्रा करना बहुत जरुरी होता है। सिर्फ किताबों से सारी चीज़ें नहीं सीखी जा सकती, कम्युनिकेशन और कल्चर सेंसिटिविटी आदमी यात्रा में अपने आप ही सीख जाता है। ऐसे ही एक पुराने गुरुकुल का किस्सा है जहाँ कुछ छात्र अपने गुरु के पास रहते थे। एक बार दो चार छात्र किसी यात्रा पर निकले थे और वापिस गुरुकुल लौट रहे थे। रास्ते में एक छोटी सी बरसाती नदी थी। नदी के किनारे एक महिला खड़ी थी जिसे नदी पार तो करनी थी मगर उसे नदी की गहराई का अंदाजा नहीं था। इसलिए वो पानी में उतरने से हिचकिचा रही थी। छात्र जब वहां पहुंचे तो उन्होंने कहा की इस नदी में पानी कम होता है। महिला फिर भी दुविधा में थी तो एक छात्र बोला कि वो उसे कंधे पर बिठा कर नदी पार करवा सकता है।
इस तरह महिला को एक छात्र ने कंधे पर बिठाया और सबने नदी पार की। छात्रों के दल में एक चुगलखोर किस्म का भी था। सभी छात्र ब्रह्मचारी थे इसलिए उन्हें किसी स्त्री को नहीं छूना चाहिए था। तो उसने गुरु को ये बात बताने कि सोची। कुछ दिन के सफ़र के बाद जैसे ही सब छात्र गुरुकुल पहुंचे तो चुगलखोर छात्र ने फ़ौरन गुरूजी को बताया कि इसने महिला को कंधे पर बिठा कर नदी पार करवाई थी ! ब्रह्मचर्य के व्रत का इसने पालन नहीं किया। गुरु ने छात्र से पुछा तो पता चला कि किसी महिला कि मदद कि तो थी। लेकिन मामूली सी मदद थी, इसलिए घटना को वो भूल भी गया था।
अब गुरूजी मुस्कुरा कर चुगली करने वाले छात्र से बोले, वत्स इसने तो थोड़ी देर के लिए ही महिला को कंधे पर बिठाया, तुमने तो कई दिनों से, घटना और महिला को मन में बिठा रखा है ! तुम्हारे व्रत का तो कहीं ज्यादा नुकसान हो गया है !
श्रीमद् भगवतगीता में जब भगवान् श्री कृष्ण एक बार कर्म की महत्ता बताते हैं और फिर ज्ञान कि तो अर्जुन फिर से कंफ्यूज हो जाता है। तो कृष्ण समझाते हैं कि संन्यास का मतलब दुनियां कि सब चीज़ों को छोड़ना नहीं होता, बल्कि उनमें आसक्ति को छोड़ना होता है। आत्मज्ञानी व्यक्ति उंच-नीच, बड़े-छोटे, स्त्री-पुरुष या अमीर-गरीब जैसे भेद करने के बदले हर जीवात्मा में परमात्मा को ही अनुभव करेगा। यही गीता के कर्मसन्यास योग नाम के पांचवे अध्याय का विषय है। ज्ञान और निस्वार्थ कर्म दोनों ही रास्ते जीवन में सुख और मृत्यु पर मुक्ति कि ओर ले जाते हैं। इस बार शिक्षा और यात्रा के एक किस्से के बहाने हमने आपको (धोखे से) गीता का पांचवा अध्याय पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 4

http://baklol.co/aarambh-4/

जिसे दर्शन शास्त्र कहा जाता है उसके हिसाब से हमारे धर्म को देखेंगे तो इसमें अद्वैत, द्वैत, विश्सिष्टाद्वैत, जैसे कई हिस्से होते हैं। भारत में छठी शताब्दी के लगभग जब बौद्ध मत प्रबल था उस समय आदि शंकराचार्य का जन्म हुआ और उन्होंने अद्वैत के माध्यम से फिर से हिंदुत्व को जागृत किया। उनके लिखे कई स्त्रोत आज भी पूजा में इस्तेमाल होते सुने जा सकते हैं। काफी कम आयु में ही शंकराचार्य सन्यासी हो गए थे। उनसे जुड़ी भी कई कथाएं हैं।
उन्होंने पैदल ही पूरे भारत कि यात्रा कर डाली थी। इस लिहाज से भी अपने समय के समाज का अनुभव काफी ज्यादा था। भारत के चारों कोनों पर एक एक मठ कि स्थापना करके उन्होंने फिर से वेदों और वेदांत जैसे विषयों के पठन पाठन को पुनर्जीवित करने में भी काफी योगदान दिया। अद्वैत दर्शन के हिसाब से उपनिषदों के कई भाष्य भी उन्होंने लिखे थे। लेकिन मानते हैं कि शुरू में उनकी अद्वैत में निष्ठा नहीं थी। वो उंच-नीच मानते थे।
तो एक दिन जैसे ही वो गंगा में नहाकर निकले और बनारस के घाट की सीढियाँ चढ़ते जा रहे थे कि उनके सामने एक कसाई आ गया। कसाई ने झुककर शंकराचार्य के पाँव छूने कि कोशिश की। इतना करना था कि शंकराचार्य कूद कर पीछे हटे। वो चीखे, नीच मुझे छू कर अपवित्र करने कि चेष्टा क्यों कर रहा है ? मुझे फिर से स्नान करना पड़ेगा ! कसाई मुस्कुराकर बोला, ना तो आपने मुझे छुआ है, ना मैंने आपको ! शरीर पंचतत्वों का बना होता है, शुद्ध आत्मा तो इनसे बनी नहीं हो सकती ! फिर स्पर्श हुआ कहाँ ?
शंकराचार्य के ज्ञान को झटका लगा, अब उन्हें कसाई में भगवान शंकर नजर आये। इस तरह उन्हें समझ में आया की दूसरा तो कुछ होता ही नहीं सब एक ही आत्मा है, और अद्वैत में उनकी निष्ठा हुई।
शंकराचार्य ने ज्ञान का मार्ग चुना था। निस्वार्थ सेवा और आत्म-ज्ञान दोनों ही कर्म बंधन से मुक्त करते हैं। समय समय पर भगवान् भी धरती पर आते हैं, वो अपने उपासकों कि मदद भी करते हैं। जैसे शंकराचार्य के लिए शंकर आये और अर्जुन के लिए कृष्ण। बिलकुल वैसे ही जैसे आप विश्वविद्यालयों में जाने के लिए प्रयास करते हैं, तैयारी करते हैं प्रभु से भी ज्ञान पाने के लिए पहले खुद को तैयार करना पड़ता है। ज्ञान से पिछले कर्म फल भी नष्ट हो जाते हैं। जैसे अपने रिज्यूम पर CV पर शुरू में आप अपने एजुकेशनल क्वालिफिकेशन लिखते हैं, लेकिन धीरे धीरे उनकी जगह आपका वर्क एक्सपीरियंस लेता जाता है।
शंकराचार्य को ही भगवत गीता को महाभारत से निकाल कर एक अलग ग्रन्थ बनाने का श्रेय भी दिया जाता है। श्रीमद् भगवद्गीता का ज्ञान-संन्यास मार्ग नाम का चौथा अध्याय ज्ञान और संन्यास के जरिये भगवान् को जानने के बारे में ही है। शंकराचार्य के इस किस्से के बहाने हमने आपको (धोखे से) गीता का चौथा अध्याय पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 3

http://baklol.co/aarambh-3/
स्कॉटलैंड नाम का एक देश हुआ करता था जो बाद में यूनाइटेड किंगडम का हिस्सा हो गया। अगर अंग्रेजी फिल्मों के शौक़ीन हैं तो आपको पता होगा कि लन्दन के पुलिस मुख्यालय को भी स्कॉटलैंड यार्ड कहा जाता है। शर्लाक होल्म्स से परिचित लोग भी इस नाम से वाकिफ होंगे। तो ये किस्सा उसी स्कॉटलैंड नाम कि जगह का है। वहां एक गरीब किसान रहता था जिसके पास आय के स्रोत बहुत अच्छे नहीं थे। एक दिन वो अपने झोपड़े में था कि अचानक उसे चीखने की आवाज़ सुनाई दी। किसान भाग के आवाज़ लगाने वाले के पास पहुंचा तो देखा कि एक बच्चा दलदल नुमा जमीन में फंस गया है। वो लगभग कमर तक फंस गया था और बचने के लिए छटपटा रहा था।
किसान ने फ़ौरन उसकी मदद कि, जैसे तैसे दलदल से लड़के को खींच कर निकाला और उसकी जान बचाई। लड़का थोड़ी देर में सँभालने पर अपने घर गया और किसान भी लौट आया। अगली ही सुबह किसान के दरवाजे पर एक आलिशान घोड़ा गाड़ी आ के रुकी और उस से उतर कर लार्ड रैंडल्फ़ चर्चिल किसान से मिलने आये। उन्होंने बताया कि किसान ने जिसे बचाया वो उनका बेटा है, इसलिए वो किसान को ईनाम देने आये हैं। लेकिन किसान बोला उसे तो अपने काम के बदले, कुछ चाहिये ही नहीं ! उसने तो निस्वार्थ भाव से एक लड़के को बचाया था, इनाम का कोई लालच नहीं था।
लार्ड चर्चिल सोच ही रहे थे की किसान को कैसे पुरस्कार दें कि इतने में किसान का बेटा झोपड़ी के दरवाजे पर दिखा। लार्ड चर्चिल ने कहा, चलो तुम पैसे नहीं लेना चाहते तो ना सही, मैं तुम्हारे बेटे की पढाई का इंतजाम कर देता हूँ। किसान के बेटे को इस तरह अच्छी जगह पढ़ने का मौका मिला। किसान के बेटे ने तरक्की भी की और लन्दन के सेंट मैरी मेडिकल स्कूल का ख्याति प्राप्त विद्वान बनकर निकला।
किसी बच्चे के दलदल में फंसने कि घटना के कई साल बाद, एक बार जब विंस्टन चर्चिल बीमार हुए तो उन्हें एक ही दवाई से बचाया जा सकता था। उस ज़माने में हाल में ही ढूँढी गई पेनिसिलिन नाम कि दवाई से उन्हें बचाया गया। अनोखी बात ये है कि विंस्टन चर्चिल, लार्ड रैंडल्फ़ चर्चिल के वो सुपुत्र थे जिसे किसान ने कीचड़ से बचाया था। उन्हें पेनिसिलिन देने वाले पेनिसिलिन के आविष्कारक थे, सर एलेग्जेंडर फ्लेमिंग। सर फ्लेमिंग उस किसान के बेटे थे जिसने विंस्टन चर्चिल को बचाया था और जिसके पढ़ने का इंतजाम लार्ड रैंडल्फ़ चर्चिल ने किया था।
आप इसे अजीब सा संयोग मानकर टाल सकते हैं, लेकिन अगर आपने थोड़ी दुनियां देखी है तो आपको पता होगा कि आपका किया आपके पास अपने आप लौट आता है। इसे कर्मफल का सिद्धांत कहा जाता है। दरअसल किसी भी काम को तीन हिस्से में बांटा जाता है। मन, यानि जब आपने कुछ करने के लिए सोचा। वाणी, जब आपने उसे करने की बात कि और कर्म यानि जब आपने सचमुच उस काम को किया। यही कारण है की हिन्दुओं के लिए अहिंसा का मतलब सिर्फ किसी को ना मारना ही नहीं होता, किसी के बारे में बुरा बोलना या बुरा सोचना भी हिंसा हो जाता है। अगर आप कानून देखेंगे तो हत्या के लिए सिर्फ हत्या सिद्ध करना काफी नहीं होता, सजा दिलवाने के लिए intent to murder भी proove करना पड़ता है। किसान का बिना किसी फल कि आशा के अपना काम कर देना सबसे ऊँचे स्तर कि साधना माना जाता है। लार्ड चर्चिल का किसान के बेटे कि मदद याद दिलाता है कि कर्म का फल तो होगा ही होगा। चर्चिल के बेटे को किसान के बेटे कि मदद ये याद दिला देती है कि अगर काम फल के लालच के बिना किया जाए तो उसका असर काम करने वाले पर नहीं आता, किसी और पर कभी भविष्य में भी जा सकता है। इसलिए लार्ड चर्चिल और किसान के गुजरने के कई साल बाद किसान का बेटा सर फ्लेमिंग हो जाता है और चर्चिल की मदद के लिए दवाई बन जाती है।
जैसा कि अब आप समझ गए हैं, ये कर्म फल, कर्म के हिस्से या प्रकार, कर्म करने या ना करने सम्बंधित प्रश्न सब श्रीमद् भगवतगीता के कर्मयोग नाम के तीसरे अध्याय का विषय है। इस बार हमने आपको (धोखे से) गीता का तीसरा अध्याय पढ़ा दिया है।
बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?