Thursday, April 30, 2020

ધમનીના અવરોધ દૂર કરવાથી હાર્ટએટેકથી થતા મૃત્યુના દરમાં ઘટાડો થયો નથી --- ડૉ. મનુ કોઠારી- ડૉ. લોપા મહેતા

આધુનિક હૃદયરોગ શાસ્ત્ર

આધુનિક હૃદયરોગ શાસ્ત્રનો પૂર્વાગ્રહ છે કે અ - આર્ટરી-ધમની, ઓછું બ બ્લડ, લોહી, ક- કોર્ડિયમ, હૃદયને પહોંચાડે છે. માટે હૃદય પાસે ઓછું કામ કરાવવું જોઇએ. એવી આશા રાખવામાં આવે છે કે આમ કરવાથી હૃદયને મળતું લોહી પૂરું પડશે. આ માટે હૃદય સ્નાયુઓના કાર્યને મંદ કરનાર ઘણી દવાઓ છે એન્ટી-બ્લોકર વિવિધ છે અને આ બધાને તબીબી ભાષામાં શક્ષિિંજ્ઞાયત કહેવામાં આવે છે.

હૃદયના કાર્યને નબળું પાડનાર આવી દવાઓ પણ બેધારી તલવાર છે અને તે દવાઓ હૃદયના કાર્યને નિષ્ફળ કરી શકે છે, (ઇંયફિિં ઋફશહીયિ) ઓચિંતું હૃદય બંધ કરે છે. (ઈફમિશફભ અિયિતિ)ં અને મૃત્યુ પણ નીપજાવી શકે છે

આવી હૃદયની કાર્યક્ષમતાને ઘટાડવા માટે વપરાતી દવા પછવાડેના તર્ક પણ વિચિત્ર છે. હૃદય જેટલું લોહી શરીરમાં મોકલે એના પ્રમાણસર હૃદયને પોતાને લોહી મળે છે. હૃદય એનામાં જેટલું જોશ હોય એ પ્રમાણે શરીરમાં લોહી મોકલી શકે.

એટલે જેમ તમે હૃદયની શક્તિ ઘટાડો એમ હૃદય લોહી શરીરમાં દરેક ધબકારે ઓછું મોકલે અને એટલે હૃદયધમનીને એ પ્રમાણે ઓછું લોહી મળે ? આ કેવો તર્ક! આ તો વિયેતનામની લડાઇ જેવું થયું જેમાં પોતાના જ ક્ષેત્રમાં આખા ને આખા ગામડાંઓનો નાશ કરવામાં આવતો હતો. શું કામ? તો તેઓને દુશ્મનોથી બચાવવા માટે.

આમ આખો આ નઅપનબપનકપ નો હૃદયરોગ શાસ્ત્ર, પ્રેક્ટિસ અને નિષ્ણાતોનો અભિગમ જેની પાસે પૈસા છે તેમને માટે એક રુચિ આપતો શબ્દપ્રયોગ છે, નિષ્ણાતોનો એક તરંગ છે અને બુદ્ધિ માટે છેતરપિંડી છે.

આધુનિક તબીબી ક્ષેત્રમાં કૅન્સર ક્ષેત્રના ઉપચારમાં જોવા મળતી આ જ પ્રમાણે બનાવટ સાથે સરખામણી કરીને આ પ્રકરણનો અંત કરીએ છીએ.

બાયરે કહ્યું છે કે કૅન્સર પર ઘણું લખવામાં આવ્યું છે, પરંતુ એમાંથી શું નિષ્કર્ષ નીકળે એ કહેવું હોય તો એક વિઝિટિંગ કાર્ડ પર મૂકી શકાય. વૈજ્ઞાનિકોએ કૅન્સરને પણ વટાવી દીધું છે. જેટલા લોકો કૅન્સરને કારણે મરે છે એના કરતાં વધુ લોકો કૅન્સર પર જીવે છે. અને છતાં આજે આધુનિક તબીબીશાસ્ત્ર પાસે કૅન્સરના ઉપાય તરીકે વાપરવાનું કંઇ છે નહીં. ગ્લેમઝરે આખી દુનિયામાં ફરીને ખફક્ષ ફલફશક્ષતિં ઈફક્ષભયિ નામનાં પુસ્તકમાં સરવૈયું કાઢ્યું છે કે શસ્ત્રક્રિયા કોઇ પણ ભોગે કરાવવી ન જોઇએ. કેમોથેરાપી તો પુરાણી થઇ ગઇ છે અને રેડિયોથેરાપી એક મોટું ફારસ છે.

મનુ કોઠારી અને લોપા મહેતા

ઝવય ગફિીંયિ જ્ઞર ઈફક્ષભયિ

ઉપરની ટિપ્પણીમાં જો કૅન્સરની જગ્યાએ હૃદયરોગ શબ્દને મૂકવામાં આવે તો હૃદયરોગો માટે પણ ૧૭૬૮ સાલથી આજ સુધી ઉપચાર માટે ફારસ, પુરાણા કે ન કરવા જેવા શબ્દપ્રયોગ ઉચિત ઠરે.

હૃદયરોગનાં કારણ, કાર્ય અને ઉપચારમાં સ્પષ્ટતા ન હોવાને કારણે એક પણ ઉચિત દવા કે પ્રણાલી છે નહીં. આથી હૃદય નિષ્ણાતો એક યા બીજા પગલાંઓ હૃદયરોગને અટકાવવા કે ઉપચાર માટે લીધાં કરે છે. ઉપચારની યાદી તો અંજાવી નાખે એવી રહે છે એમાં યોગ, ધ્યાન, આહાર, સંભોગ, માનસિક વલણ, પ્રેમ સર્વ પ્રત્યે લાગણી વગેરે સલાહ પણ ઉમેરવામાં આવે છે. ડીનઓર્નિશનો જ્યારે સિતારો ચમકતો હતો એવા દિવસોની યાદ અપાવે છે.

બધાં પગલાંઓ ઉપયોગી છે. પણ એક પણ પગલું વિશિષ્ટ નથી. એ એક ધાબળા સમાન છે જે બધું ઢાંકી દે છે. અંગ્રેજી પુસ્તકમાં અમે કહ્યું છે કે ઊઈૠમાં ઙચછજઝ એમ આલેખના પાંચ વર્ણ તરીકે જોવામાં આવે છે. અમે એને માટે કહ્યું છે. ઙફભિંવૂજ્ઞસિ ચીશિં છયૂફમિશક્ષલ જુળાજ્ઞિંળફશિંભ ઝવયફિાુ (તત્પુરતી તકલીફને દબાવી દેનાર ઉપચારરૂપી ધાબળાની હૂંફ) એટલે હિંમત ધરો. ઇંફદય ઇંયફિિં ખયફક્ષશક્ષલ ઇંયફિિં ઊતતયક્ષશિંફહહુ અહહજ્ઞૂત છયહશયદશક્ષલ ઝવયફિાયીશિંભત હૃદય તકલીફને દબાવી દેનાર ઉપચારોને સ્વીકારે છે.

હૃદયરોગ પરના આંકડાઓનો અભ્યાસ કરતાં દેખાય છે કે તેઓ હૃદયનિષ્ણાતના હૃદયરોગને અટકાવવાના અને એમાંથી બચી જવાની દવાને સમર્થન આપતા નથી. કદાચ એનાથી વિરુદ્ધ સાચું ઠરે. એટલે જ હૃદય શાસ્ત્ર કૅન્સરશાસ્ત્રની જેમ એક મહાપ્રયોગ છે. જેમાં સાગર સમાન ઊપજ છે પણ ઉપયોગિતા શૂન્ય છે. (૦૦૦- ઘભયફક્ષ ઘીિાંીળિં,જ્ઞ (ણયજ્ઞિ) ઘીભિંજ્ઞળય)

પરિણામે મૃત્યુનો દર બદલાયો નથી. એ ઋિીશરિંીહ - ઋીક્ષયફિહ છફયિંત ઞક્ષભવફક્ષલયમ ઈંક્ષતાશયિં જ્ઞર ઝવયફિાયીશિંભ ઋફક્ષભશયત/ઋફમત/ૠજ્ઞભિયત/ઋજ્ઞળિત ીક્ષહશળશયિંમ નીવડ્યું નથી.

હૃદય રોગની પાયાની સમજ

કોઈ પણ સાધારણ માણસ હૃદયરોગ પર ધ્યાન આપે છે, ભય સેવે છે, કોઈ વાર એકદમ ગભરાટ છૂટે છે એ સમજી શકાય એમ છે. હૃદયનો પ્રશ્ર્ન છે. બધાને ખબર છે જો હૃદય બંધ પડે તો જીવન પૂરું થઈ જાય. એટલે જ તો હૃદયના નિષ્ણાતોની ફીનો આંકડો મોટો હોય છે. મોટી આશા બાંધવામાં આવે છે. પોતાની જિંદગીભરની મૂડી ખર્ચી નાખવી પડે તો તેને માટે પણ માણસ તૈયાર થઈ જાય છે.

છતાં બધા જ તબીબી પ્રેક્ટિસના પ્રયત્નો અને વ્યક્તિનો ખર્ચો કરવા છતાં તેને લીધે સફળતા મળતી નથી. આજે ર૦૧૭માં પણ આધુનિક તબીબીશાસ્ત્ર કૅન્સરના કારણ, ક્રમ, ઉપચારને જાણતું નથી. હૃદયરોગનો ચિતાર કંઈ જુદો નથી. પક્ષઘાતમાં પણ તબીબીશાસ્ત્ર પછવાડે જ છે.

કૅન્સર, ડાયાબિટીસ, સંધિવા, કોરોનરી આર્ટરીના રોગોના સમૂહને એન્જિના, હૃદય ધબકારાની અનિયમિતતા, હૃદયનું નબળું પડવું, હૃદયરોગનો હુમલો આવવો કે મૃત્યુ-અમે આખા પુસ્તકમાં હૃદયરોગ તરીકે લીધું છે. એની કોઈ સંતોષજનક વ્યાખ્યા નથી. હૃદયરોગ તો આધેડ અને પુખ્તવયનો પ્રોબ્લેમ છે એટલે એ ઉંમરસહજ ઘસારો છે. જેવી રીતે વાળ સફેદ થાય છે એ રીતે ડાબી અને જમણી હૃદયધમનીઓ અને તેની શાખાઓમાં પણ ઉંમરસહજ ઘસારાના ફેરફારો જોવા મળે છે. ફેરફારોમાં ધમની જાડી થાય છે, એનું પોલાણ સંકોચાય છે, એમાં થોડો કે પૂરેપૂરો અવરોધ/બ્લોક પેદા થાય છે. આધુનિક તબીબી પ્રેક્ટિસ હૃદયધમનીને હૃદયરોગની કાળજીનું કેન્દ્ર બનાવે છે. એને તંદુરસ્ત રાખવી, અવરોધ જોવા મળે તો તેમને દૂર કરીને લોહી ભ્રમણ ચાલુ રાખવું, આવો સરળ સમજી શકાય એવો તર્કસંગત વિચાર અને ઉપાય એક આમ આદમી પણ સ્વીકારી શકે છે. ભણેલા ગણેલા અને ડૉ. આર્નિશ સ્વીકારે એમાં આવે કે એની છાતીનો દુ:ખાવો-એન્જિના નહીં થાય અને એ જ પ્રમાણે હૃદયધમનીમાં વિકાર જોવા મળે તો એનો અર્થ એમ નથી થતો કે વ્યક્તિને છાતીનો દુ:ખાવો-એન્જિનાનો હુમલો આવશે કે હૃદયરોગનો હુમલો આવશે. હૃદયધમનીમાં જોવા મળતા અવરોધોને હૃદયરોગ માટે ગુનેગાર ઠેરવીને એ અવરોધ/બ્લોકને યેનકેન પ્રકારે દૂર કરવાથી મૃત્યુના દરમાં કોઈ ઘટાડો થયો નથી. કોઈ દવા કે ખોરાક હૃદયધમનીમાં થતાં સમય સહજ ફેરફારોને દૂર કરી શકે નહીં. એટલે જ એન્જિયોગ્રાફી રુટિન તરીકે હૃદયધમની કેવી છે એ જાણવા માટે કરવામાં આવે છે. ઘણું ખરું એન્જિયોગ્રાફી પછીનું પગલું રહે છે બલુન એન્જિયોપ્લાસ્ટી સાથે સાથે સ્ટેન્ટ મૂકવામાં આવે કે ન આવે. નહીં તો પછી બાયપાસ કરવામાં આવે છે. ચાલીસ વર્ષો વીતી ગયા પછી પણ આધુનિક તબીબીશાસ્ત્રને કંઈ વધુ સમજ પ્રાપ્ત થઈ નથી.

હવે તો પાછલા દસકામાં સમજાયું છે કે એન્જિયોગ્રાફી ભરોસાપાત્ર નથી. એટલે જ એમાં કોરોનરીની અંદરથી અલ્ટ્રાસોનોગ્રાફી (ઈંક્ષિિંફભજ્ઞજ્ઞિક્ષફિુ ઞહિિંફતજ્ઞક્ષજ્ઞલફિળ), હૃદય કેટલું થેલિયમ લે છે ઝવફહહશીળ (ીાફિંસય) અભ્યાસ અને કોરોનરીને અંદરથી સીધેસીધું દૂરબીનથી જોવું-એન્જિયોસ્કોપી જેવી તપાસોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ઉપર જણાવેલ ચારેય તપાસોને વડે હૃદયધમનીની હાલત શું છે એવી સીધી તપાસ કરવાના કારણે હૃદયધમનીના ઉપચારો અને તેમની અસરકારકતામાં કોઈ આલેખનીય ફરક પડ્યો નથી. એન્જિયોપ્લાસ્ટીમાં તો ધમનીને પરાણે ચીરી નાખવાની રહે તે, વળી આમ ખોટા કામ કરેલ ઓછું હોય એમ એક ટેકો સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આવી બહારની વસ્તુ (ઋજ્ઞયિશલક્ષ ઇજ્ઞમુ) હૃદયના ધમનીના પોલાણમાં મૂકવામાં આવે છે જેથી હૃદય ધમનીની દીવાલ ઢીલી પડીને પોલાણને એકદમ બંધ ન કરી નાખે. આવા સ્ટેન્ટના ટેકાથી હૃદયધમની જે અન્ય ધમનીની જેમ સંકોચાઈને વિકસવાનું કાર્ય અનુક્રમે કરતી હોય છે-આપણે જેને નાડીના ધબકારાને હાથ પર અનુભવી શકીએ છે-તે ધમનીનું મુખ સંકોચાઈ જાય છે એને લીધે જે અવરોધ/બ્લોક કરતાં પણ વધુ ઉગ્ર અવરોધ પેદા કરે છે અને

ઉપચાર કોઈ રીતે અસરકારક થઈ શકતો નથી.

અવારનવાર દરેકના મનમાં કોઈ નુસખો આવે છે. આપણને જે વિચાર આવ્યો હોય તે એટલો બધો આપણને ગમી જાય કે આપણા વિચાર સાથે ભલે કોઈ સહમત ન થાય કે આપણને વહેમી કહેતા હોય તો પણ આપણે એ વિચારને છોડી શકતા નથી. આપણી માન્યતા આપણને એટલી રાહત આપે છે. એ અમલમાં મૂકી શકાશે એવી રીતે ખયાલ રાખીને આપણે આપણી માન્યતા, વિચારોનો એકદમ બચાવ કરીએ છીએ. આ તો માણસનો સ્વભાવ છે. ડૉક્ટરો પણ માણસ છે. કોઈક વાર આપણી માન્યતા સાચી પણ પડે. જાણે કે આગમબુદ્ધિ હોય. ઘણી વાર એવું બનતું નથી. બહુ નજીકના ભૂતકાળમાં ટોન્સિલ જો સોેજેલા હોય કે ગર્ભાશયમાં ગાંઠ હોય તો તે અવયવોને કાઢી નાખવામાં આવતા હતા. આપણે સ્ટેન્ટ માટે ભૂલ કરી છે. કેવી રીતે તે મને કહેવા દ્યો.

આજથી પચાસ વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો એક અભિશાપ ગણાતો હતો. દરેકને ખબર હતી કે કોઈ પણ વ્યક્તિ એની ક્રિયા કરવા શક્તિમાન હોય એવી વયે અચાનક હૃદયરોગના હુમલાને કારણે ઢળી પડે છે. આધુનિક તબીબીશાસ્ત્ર નિરૂપાય બની ગયું. ત્યાર પછી સમજ પડી કે હૃદયના સ્નાયુઓને જે ધમનીઓ-ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંશિયત લોહી પૂરું પાડે છે તેઓએ પ્રગતિ કરી હતી. તેઓ હૃદયના વાલ્વ પર શસ્ત્રક્રિયા કરીને ઠેકાણે લાવી શકતા હતા. એટલે અગ્રગામી હૃદયશસ્ત્રક્રિયા નિષ્ણાતો માટે હૃદયધમનીને ઠેકાણે લાવવું કેવી રીતે મુશ્કેલ હોય? એ અવરોધ કાઢી નાખવા મુશ્કેલી ભરી શસ્ત્રક્રિયા નહોતી એટલે તેમણે અવરોધ હોય તેને વળોટી જવા બાયપાસ શસ્ત્રક્રિયાનું નિર્માણ કર્યું. આમ ઈઅઇૠ-ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંિુ ઇુાફતત ૠફિરિં કોરોનરી આર્ટરી બાયપાસ ડ્રાફ્ટ શસ્ત્રક્રિયાનો ઉદ્ભવ થયો. એ બહુ દૃઢ રીતે માનવામાં આવતું હતું કે એકવાર અવરોધને પાર કરી ગયા એટલે નક્કી પેશન્ટ જીવી ગયો.

ગજ્ઞિશિંક્ષ ખ. ઇંફમહયિ

ઠજ્ઞિશિયમ જશભસ: અ ઙયિતભશિાશિંજ્ઞક્ષ

ઋજ્ઞિ ઇંયફવિં શક્ષ ફક્ષ ઘદયિિિંયફયિંમ અળયશિભફ

સરળ ભાષામાં કહીએ તો સિદ્ધાંતરૂપે, તબીબી દૃષ્ટિએ બાયપાસ લોહીને અવરોધ વટાવી જઈને આગળ જવા દે છે આમ હૃદયને જે લોહી મળવામાં રુકાવટ આવી હતી એને બાયપાસ કરવામાં આવતા પહેલાં જેટલું લોહી પાછું મળવા લાગે છે. એટલે કાગળ પર આ કેટલું સાદું અને સરળ લાગે છે, પરંતુ વાસ્તવિકતા વિપરિત છે. આજ સુધી હૃદયનિષ્ણાતોને ખબર નથી કે બાયપાસ કેવી રીતે કામ કરે છે અને નીચે જણાવેલ કારણોને આધારે તેઓ અસરકારક બને છે એમ સૂચવવામાં આવ્યું છે.

ક) ઙહફભયબજ્ઞ ઊરરયભિ:ં પ્લેસેબો અસર-દવા લીધી છે એવી માનસિક રાહતને કારણે રોગીને સારું લાગે છે. આટલો બધો ખર્ચો થયો હોય, આટલી તણાવભરી શસ્ત્રક્રિયા કરવાનો ખેલ ખેલાયો હોય એટલે દર્દી અને એના સર્વિસ કરાવ્યાને લીધે તાજુંમાજું થઈ બરાબર કામ કરી રહ્યું છે. આ આખો ચિતાર ડૉક્ટર અને દર્દી અને તેના સંબંધીઓના વિશ્ર્વાસે ઊભો થાય છે.

ખ) હૃદયના જ્ઞાનતંતુઓ જે દુ:ખાવાનો સંદેશ મોકલવામાં જવાબદાર હોય તે જ્ઞાનતંતુઓ શસ્ત્રક્રિયા-બાયપાસ કરતી વખતે કપાઈ જાય છે એટલે હૃદયના હાલ તો જે હતા તેમ જ રહે છે, પરંતુ દર્દીને લાગે છે કે હવે મારો રોગ મટી ગયો છે.

ગ) હૃદયનો જે ભાગ બૂમો મારતો હોય.,જ્યાંથી દુ:ખાવાના સંદેશા મોકલાતા હોય તે ભાગને જ મારી નાખવાથી, ત્યાંના જ્ઞાનતંતુઓ પણ મરી જવાથી દુ:ખાવો ઉપડવાની શક્યતા રહેતી નથી. તરત જ રોગીને રાહત મળે છે. આ માહિતી તબીબીશાસ્ત્રના ગ્રંથમાંથી કહેવામાં આવી છે.

આ ત્રણેય ઉપચાર (એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, દવાઓ)ની સફળતાના અભ્યાસ માટે એક જ પાસું લક્ષ્યમાં રાખવામાં આવ્યું હતું, કે આવા રોગીનું મૃત્યુ થયું, હૃદયરોગનો હુમલો આવ્યો કે બાયપાસ કરાવવું પડ્યું. આ બધા અભ્યાસ પરથી એક જ તારવણી નીકળી કે ગમે તે ઉપાય કરવામાં આવે મૃત્યુના દરમાં કોઈ ફરક પડતો નથી.

ગજ્ઞિશિંક્ષ ખ ઇંફમહયિ

ઠજ્ઞિયિમ જશભસ: અ ઙયિતભશિાશિંજ્ઞક્ષ

રજ્ઞિ ઇંયફહવિં શક્ષ ફક્ષ ઘદયિિિંયફયિંમ અળયશિભફ

એ સમજવું જરૂરી છે કે એન્જિયોપ્લાસ્ટી કે/અને બાયપાસ આયુષ્યમાં વધારો કરી શકતા નથી. તેઓ હૃદયરોગને કારણે થતા દુ:ખાવામાં જ્યારે દવા પણ રાહત આપી શકતી નથી ત્યારે દુ:ખાવો ઘટાડવામાં કે મટાડી દેવામાં મદદરૂપ થાય છે. એટલા માટે જ તો સર્વેક્ષણ જણાવે છે કે જે વ્યક્તિને હૃદયરોગને પણ દુ:ખાવો ન હોય તો એમ ન સમજી લેવું કે હૃદયધમનીઓમાં કંઈ જ ફેરફાર થયા નથી, બધું બરાબર છે. ઘણા હૃદયરોગના હુમલા ખુજ્ઞભફમિશફહ ઈંક્ષરફભિશિંજ્ઞક્ષ-હૃદયના સ્નાયુઓનું મરી જવું-જ્યારે આવે છે ત્યારે વ્યક્તિને જરાપણ દુ:ખાવો થતો નથી. એ શાંતપણે પોતાનું નુકસાન પહોંચાડે છે.

એ જ પ્રમાણે દુખાવો થતો હોય એનો અર્થ એમ જ નથી કે હૃદય અને કોરોનરી ધમનીઓમાં કંઈ વાંધો છે.

હૃદયરોગના હુમલા પહેલાં આવી ગયા હોય તો એનો અર્થ એમ નથી કે મૃત્યુ નજીક છે અને હૃદયરોગનો હુમલો ક્યારેય ન આવ્યો હોય તો એમ ન માની લેવું કે દીર્ઘાયુ થશો. ઘણા બધા હૃદયરોગના પ્રથમ હુમલાઓ જ ત્રણ સેક્ધડથી ત્રણ કલાકની વચ્ચે રામ બોલાવી દે છે. એટલે જ જો તમને ક્યારેય હૃદયરોગનો હુમલો ન આવ્યો હોય તો એનું અભિમાન ન કરવું અને જો પહેલાં હૃદયરોગના હુમલા આવી ગયા હોય તો નિરાશ થઈ ન જવું.

જો હજી તમે માનવા તૈયાર ન હો કે જેને એન્જિના હોય એણે આયુષ્ય લંબાવવા બાયપાસ કરાવવાની જરૂર નથી તેમણે ઞજ ટયયિંફિક્ષત અમળશક્ષશતિિંફશિંજ્ઞક્ષ ખીહશિંભયક્ષયિંમિાં કરાવવામાં આવેલ નિયંત્રિત ટ્રાયલનો અભ્યાસ કરવાની જરૂર છે. જેણે જરા પણ શ્રમ ન કર્યો હોય તો પણ દુખાવો ઊપડે એવી વ્યક્તિ પર અભ્યાસ કર્યો.

પારંપારિક દૃષ્ટિથી એમ માનવામાં આવ્યું હતું કે જેઓમાં બાયપાસ કરવામાં નહોતું આવ્યું તેઓમાં હૃદયરોગના હુમલાઓ અને મૃત્યુનાં પ્રમાણ વધુ રહેશે. પરંતુ ૧૫ વર્ષ પહેલાં જ કરેલી આ ટ્રાયલે એ માન્યતાને ખોટી ઠરાવી. મરણદર પહેલાં ર મહિનામાં

પ્રાચીન ઋષિઓનું જ્ઞાન અર્વાચીન વિજ્ઞાનને પણ પાણી પીવડાવે એવું હતું --- ડૉ. જે. જે. રાવલ

એક જાતકકથામાં રાજા તેના પ્રધાનને કહે છે કે આપણી પાસે હજાર હાથીઓ છે તેમાં સૌથી મોટો હાથી કયો છે તે મને બતાવો. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે આ બાબતે કરવું શું? અડધો ડઝન હાથી તો કદાવર છે અને લગભગ એકસરખા જ લાગે છે. બીજા તો આપણા થોડા નાના હાથી છે જેનો વિચાર કરવો જરૂરી નથી. પ્રધાન તો બિચારો રાત-દિવસ વિચાર કરવા લાગ્યો કે સૌથી મોટો હાથી કેવી રીતે શોધી કાઢવો? જો એમ નહીં થાય તો રાજા મને દંડ દેશે અને પ્રધાન તરીકે પાણીચું મળશે તે જુદું. વિચાર કરતાં કરતાં તેને રસ્તો મળી ગયો. કોઈ પણ મુસીબતનો ઉકેલ હોય જ છે, માત્ર વિચાર કરવો પડે. તેણે પાણી ભરેલો એક કુંડ તૈયાર કર્યો અને ઢાળ વાટે તેણે એક પછી એક હાથીને પાણી ભરેલા કુંડમાં ઉતાર્યાં. સૌથી મોટા હાથીએ કુંડમાં પાણીની સપાટીને સૌથી ઊંચી કરી. આવી રીતે તેણે સૌથી મોટો હાથી શોધી કાઢ્યો. તેની પાછળ જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તે એ છે કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાવવામાં આવે છે, ત્યારે તે તેના ઘનફળ (volume) જેટલું પાણી સ્થળાંતર કરે છે. જોવાનું એ છે કે અઢી હજાર વર્ષ પૂર્વે આપણા લોકો પોતાની સૂઝ-બૂઝથી વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરતા હતા. પછી આર્કિમિડીઝે શોધ્યું કે જ્યારે વસ્તુને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે અને વધારે કે એ પાણીનું વજન વસ્તુના વજન જેટલું હોય છે. આ આર્કિમિડીઝનો તરતા પદાર્થનો નિયમ છે. જો વસ્તુએ સ્થળાંતર કરેલા પાણીનું વજન વધારે હોય તો તે તરે છે, ઓછું હોય તો ડૂબી જાય છે. રાજ્યના પ્રધાને આ નિયમના પ્રથમ ભાગનો ઉપયોગ કરેલો કે હાથી જ્યારે પાણીમાં ડૂબે છે ત્યારે તે તેના ઘનફળ જેટલું પાણી સ્થળાંતર કરે છે. ભારતીય ઋષિ-મુનિઓ ઘણી બાબતોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરતા હતા. નિરીક્ષણો અને પ્રયોગોરૂપે તે સાચા હતા પણ કોઈ વાર તેની પાછળના વિજ્ઞાનના સિદ્ધાંતને નહોતા જાણતા અથવા તેઓ તે બાબતનો વિચાર કરવાની તસ્દી નહોતા લેતા. આવું બીજું ઉદાહરણ ચંદ્ર અને તિથિઓ વિષે છે. ચંદ્ર જ્યારે તેની પૃથ્વી ફરતેની કક્ષામાં સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે સૂર્યોદય સમયે તિથિ બદલાય. જો ચંદ્ર સૂર્યોદય સમય પહેલાં ૧૩ અંશે ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થાય અને જો તે ન ચાલી ગયો હોય તો તિથિ બેવડાય. આ કેપ્લરનો નિયમ છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી નજીક હોય ત્યારે તેને તેની પૃથ્વી ફરતેથી કક્ષામાં ઉતાવળથી ચાલવું જ પડે. માટે સૂર્યોદય સમયે તે ૧૩ અંશ ચાલી જાય માટે તિથિનો ક્ષય થાય. પણ જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય ત્યારે તે તેની પૃથ્વીની કક્ષામાં ધીમે ધીમે ચાલે તેથી તે સૂર્યોદય સમયે સૂર્યથી ૧૩ અંશ દૂર ન ગયો હોય તેથી તિથિ બેવડાય. આમ આપણા પૂર્વજોને કેપ્લરના નિયમોની ખબર ન હતી પણ વ્યવહારમાં (પ્રેક્ટિકલી) તેઓ આ તથ્ય જાણતા હતા અને તેથી તિથિમાં વધઘટ કરતા હતા.

૨૮૦૦ વર્ષ પૂર્વે દીર્ઘતમસ ઋષિ હતા. તેમણે ઋગ્વેદમાં અસ્યવામસ્ય સૂક્ત લખ્યું છે. આ સૂક્તની ઋચાઓનું ક, ટ, પ ત્રણ સૂત્રના આધારે અર્થઘટન કરીએ તો તે પૃથ્વીથી સૂર્યનું અંતર ગણી બતાવે છે. તે પ્રકાશવર્ષનું અંતર દર્શાવે છે. તે સૂર્યની નજીકનો તારો આલ્ફા સેન્ટૌરી (મિત્ર તારા)નું સૂર્યથી અંતર દર્શાવે છે. તે પૃથ્વીનો વ્યાસ ગણી બતાવે છે, પૃથ્વીની પરિભ્રમણની ગતિ ગણી બતાવે છે, પૃથ્વીનો ગુરુત્વાકર્ષણીય પ્રવેગ ગણી બતાવે છે અને પૃથ્વીમાં કેટલો પદાર્થ (mass) છે તે પણ ગણી બતાવે છે. આ મહાન આશ્ર્ચર્યની વાત છે કેમ કે ભૌતિકશાસ્ત્ર - ખગોળશાસ્ત્રની આ બધી ગણતરી તો અર્વાચીન વિજ્ઞાનની ઊપજ છે. આ માનવું અધરું પડે પણ આ તથ્ય છે, પણ એ શ્ર્લોકોનું અર્થઘટન ક, ટ, પ આદિ સૂત્રના આધારે કરવું પડે. જેમ રોમન આંકડા અક્ષર L એ ૫૦ માટે હોય છે, C એ ૧૦૦ માટે હોય છે, D એ ૫૦૦ માટે હોય છે અને M એ ૧૦૦૦ માટે હોય છે. રોમન આંકડામાં 376 = 300+70+6

= 3*100+5-+20+6

= 3*100+50+2*10+6

= CCCLXXV1

ઉપરોક્ત પ્રમાણે CCCLXXV1 લખાય છે. આમ જો આપણે ઋષિ દીર્ઘતમસના અસ્યવામસ્ય સૂત્રને ક, ટ, પ આદિ સૂત્રને આધારે અર્થઘટન કરીએ તો તે અર્વાચીન વિજ્ઞાને દર્શાવેલ કેટલીયે ભૌતિક રાશિઓનું મૂલ્ય દર્શાવે છે. ભૂતકાળમાં આમ ઘણી બાબતોને ઉચ્ચ પ્રકારના વિજ્ઞાનને લોકો જલદી સમજી ન શકે તેવી કોડવર્ડની ભાષામાં સૂત્રો લખવાની પ્રથા હતી, કારણ કે આંકડા વગેરે જાણીતા ન હતા.

ચાણક્ય ઈસુ પહેલાંની ચોથી સદીમાં થઈ ગયા. તે પ્રાચીન ભારતની તક્ષશિલા વિશ્ર્વવિદ્યાપીઠમાં ભણેલા અને ત્યાં જ રાજનીતિ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા હતા. મગધના પ્રધાનમંત્રી ચણકના તેઓ પુત્ર હતા, તેથી ચાણક્ય કહેવાય છે. તેમનું નામ વિષ્ણુગુપ્ત હતું. તેમણે રાજનીતિ માટે નીતિશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ ચાણક્યનીતિશાસ્ત્ર કહેવાય છે. ચાણક્યનું એક નામ કૌટિલ્ય પણ છે. ચાણક્યનાં નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આજે પણ એટલાં જ મહત્ત્વનાં ગણાય છે અને ઉચ્ચ અભ્યાસમાં ભણાવાય છે. ગીતાનું પણ એટલું જ મહત્ત્વ છે અને મેનેજમેન્ટ વગેરેમાં પણ ભણાવાય છે. તે ધર્મનું પુસ્તક નથી પણ જ્ઞાન-વિજ્ઞાનનું - મનોવિજ્ઞાનનું પણ પુસ્તક છે. ચાણક્ય જેવો મહાન અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હજુ સુધી થયો નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ગીતા જેવું પુસ્તક પણ આજ સુધી કોઈ લખી શક્યું નથી. મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન તેનાં સગાંઓ સાથે લડવા તૈયાર નથી અને શસ્ત્રોને નીચે મૂકે દે છે ત્યારે તેને સત્ય સમજાવવા ગીતા શ્રીકૃષ્ણના મુખેથી નીકળી હતી, જેને વ્યાસમુનિએ અક્ષરદેહ આપ્યો. ચાણક્યે નીતિશાસ્ત્રમાં ઘણી જ ઉમદા વાત કરી છે - તેમણે લખ્યું છે કે જે માતા-પિતા તેમનાં બાળકોને ભણાવતાં નથી તે તેમનાં શત્રુ છે. બધું સત્યમાં જ સ્થિર છે. ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. સંસારમાં ધર્મ જ શાશ્ર્વત છે. ક્રોધ સમ કોઈ અગ્નિ નથી, આત્મજ્ઞાન જેવું કોઈ સુખ નથી. તેમનો અર્થશાસ્ત્ર પરનો ગ્રંથ કૌટિલ્ય અર્થશાસ્ત્ર તરીકે પ્રખ્યાત છે. ઉપરોક્ત બન્ને ગ્રંથો જ્ઞાન - વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસમાં આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકોમાં ચાણક્યે એ સ્પષ્ટ કરેલું છે કે દેશની આર્થિક સદ્ધરતા ખેતી પર આધાર રાખે છે. માટે રાજાએ ખેતી પર બરાબર ધ્યાન આપવું જોઈએ અને દેશની કુદરતી સંપત્તિનું બરાબર રક્ષણ કરવું જોઈએ. રાજાએ વેપારને મુક્ત રાખવો જોઈએ અને સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. પ્રજાની આર્થિક સુખાકારી અને રાજ્યમાં ચાલતા ખાનગી વેપાર-ધંધાને ગાઢ સંબંધ છે - વિચિત્રતા એ છે કે ચાણક્ય આપણા જીવનનાં દરેકેદરેક પાસાંમા છે, રાષ્ટ્રનાં દરેકેદરેક પાસામાં છે, તેમ છતાં આપણે અને આપણી યુવા પેઢી તેના વિશે અને તેના કાર્ય વિશે જોઈએ તેટલું જાણતી નથી. ચાણક્યે એક બહુ મોટી વાત કહી છે કે જેવો રાજા, તેવી પ્રજા. માણસે સમય, પરિસ્થિતિ અને દેશ પ્રમાણે વર્તવું જોઈએ. રોગ અને શત્રુને ઊગતાં જ ડામી દેવા જોઈએ. નિષ્ણાત અર્થશાસ્ત્રી બનવું હોય તો માણસે ચાણક્યને પચાવવા જ પડે. ચાણક્યે બીજી એક સરસ વાત કરી છે તે એ છે કે શાસ્ત્રો ઘણાં છે, વિદ્યા પણ ઘણી જાતની છે. આ બધા માટે આપણું જીવન ઘણું ટૂંકું ગણાય. તેથી સારભૂત હોય તેને ગ્રહણ કરી લેવું, જેમ હંસ પાણીમાંથી દૂધ ગ્રહણ કરી લે છે.

૧૭૭૬માં એડમ સ્મિથે દેશની સંપત્તિ (Wealth of Nation) નામનું એક પુસ્તક લખ્યું. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના મહાન વિદ્વાનના જ્ઞાનને અને આ શાસ્ત્રોમાં તેમના મહાન યોગદાનને અને ભીષ્મકાર્યને ભૂલીને પરિશ્રમની અસર તળે આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે નવાજ્યા લાગ્યા. સ્મિથની સરખામણીમાં ચાણક્ય તો ક્યાંય આગળ છે, પણ આપણે ચાણક્યને ભૂલી ગયા.

ચાણક્ય ધન સિવાય ઘરવખરી, જમીન-જાગીર અને બીજી સંપત્તિનું મહત્ત્વ પણ ઘણું આંકતા. ૧૯૩૫માં લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રને માનવી સાથે જોડી વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે હેતુ અને સાધનોના સંદર્ભે માનવતા, માનવનું વર્તન અને તેની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. પણ ચાણક્યે આ બાબત ૨૪૦૦ વર્ષ પૂર્વે સ્પષ્ટ કરી છે, ચાણક્યે તેના ગ્રંથોમાં લખ્યું છે કે કરવેરા નાખવાનો રાજાને અધિકાર છે, પણ તે એવી રીતે નાખવા જોઈએ જેમ મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે પણ ફૂલને તેની ખબર પણ પડતી નથી અને ફૂલને તેની પીડા પણ થતી નથી અને તેને કોઈ નુકસાન પણ થતું નથી. માટે રાજાએ કરવેરા એવી રીતે નાખવા જોઈએ કે પ્રજાને પીડા ન કરે. ચાણક્યે મિલિયન રૂપિયાની બીજી એ મહાન વાત કરી કે સુખનું મૂળ ચારિત્ર્ય છે. દેશે સંશોધન પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે છેવટે સંવૃદ્ધિ સંશોધનને લીધે જ થાય છે. દેશે જમીન, જળાશયો, ડેમ, સિંચાઈ અને ખાણોમાં રોકાણ કરવું જોઈએ. વેપારમાં સાહસ કરવું જોઈએ. આ બધા પર દેશના વિકાસનો આધાર હોય છે. ચાણક્યે દ્રવ્યોપાર્જનને મહાન પવિત્ર વસ્તુ ગણાવી છે. ગૃહસ્થી માટે તે મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=493687

--------------------------------------------------------------------------------------------
વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર સઘળું પાણિનિના વ્યાકરણ પર આધારિત છે

કૉમ્પ્યુટરનું એક કાર્ય કોમ્પ્યુટેશનનું બંધારણ સ્થાપવાનું અને તેનો વિકાસ કરવાનું છે જેને આપણે સમજી શકીએ. તેનું બીજું કાર્ય નવા નવા અલ્ગોરિધમ (પ્રમેયો) ઉત્પન્ન કરવાનું છે જે કોમ્પ્યુટરને શક્તિશાળી બનાવે. અને ગણતરી તેમ જ કાર્યમાં વધારે ને વધારે ઝડપી બનાવે. આ કાર્યમાં જ્ઞાનની રજૂઆત કરવાની નવી નવી રીતો, તારણો મેળવવાની નવી નવી રીતો અને તેમાંથી નવા નવા ઉપયોગે સંશોધનો માટે રસ્તા શોધવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કોમ્પ્યુટરનું કામ જ્ઞાનનું પ્રોસેસિંગ કરવાનું છે.

પાણિનિનું વ્યાકરણ ઉપરોક્ત દર્શાવેલ કૉમ્પ્યુટર સાયન્સના કાર્ય પ્રમાણે જ કાર્ય કરે છે. જો કે, પાણિનિનું વ્યાકરણ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે. કોમ્પ્યુટર સાયન્સ પાણિનિના વ્યાકરણ પ્રમાણે વિકસ્યું છે. માટે કોમ્પ્યુટર સાયન્સને વધારે આગળ વધારવા પાણિનિનું વ્યાકરણ કેવી રીતે વિકસ્યું તે કેવી રીતે આગળ વધ્યું, તેણે સંસ્કૃત ભાષાને કેવી રીતે વિકસાવી, કોઈ પણ ભાષાને તે કેવી રીતે આગળ વધારે છે તેનો અભ્યાસ કોમ્પ્યુટર વિજ્ઞાનીઓને કરવો જરૂરી છે અને તે પ્રમાણે જો કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ આગળ વધે તો તે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગને વધારે સબળ બનાવી શકે. કૉમ્પ્યુટર વિજ્ઞાન આમ પાણિનિના વ્યાકરણને સમજી આગળ વધી શકે છે. વ્યાકરણમાં એક મૂળભૂત રૂપ હોય છે, જેને ધાતું કહે છે. તેનું વિવિધ રસ્તે વિસ્તરણ થાય છે અને શબ્દ બને છે તેને ઉપસર્ગ જોડી નવા શબ્દો બનાવાય છે, તેને સારી રીતે રજૂ કરવામાં આવે છે અને તેના અર્થો સમજાવવામાં આવે છે અને વાક્યો બનાવવામાં આવે છે અને આમ જ્ઞાનનું સંસ્કરણ અને સંવર્ધન કરવામાં આવે છે. આને જ્ઞાનનું પ્રોસેસિંગ કહે છે. કોમ્પ્યુટર આ જ કરે છે. વ્યાકરણનો મૂળ આધાર તર્ક છે. કૉમ્પ્યુટર સાયન્સનો પણ મૂળ આધાર તર્ક છે. વ્યાકરણ ગણિતશાસ્ર જ છે, ગણિતશાસ્રના સમીકરણો ભાષા જ છે અને તેનાં ચિહ્નો પણ થોડામાં વધારે કહેનારી ભાષા જ છે. સંશોધન પણ આ જ રસ્તે છે, બીજ-વિચારમાંથી વિસ્તૃત થઈ જેમ બીજ વૃક્ષ થાય તેથી વિચાર એક સઘન જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ બીજ-વિચાર વિસ્તૃત થઈ એક થિયરીમાં વિકાસ પામે છે, થિયરીનું રૂપ ધરે છે. માનવીના ઈન્ટયુશનથી, તેના પ્રાણમાંથી તદ્દન નવો વિચાર ઉત્પન્ન થાય છે. ઈન્ટયુશન પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે. કૉમ્પ્યુટરની ભાષા બાયનરી સિસ્ટમ ૦ અને ૧ છે. તે હકીકતમાં ૦૧૨...૯નું મોડ્યુલો-૯ સિસ્ટમનું નાનું રૂપ છે. દશાંશ પદ્ધતિમાં ૯ પછી ૧૦ આવે પછી તે ૧૯ સુધી ચાલે અને પછી ૨૦ આવે. બાયનરી સિસ્ટમ એ મોડ્યુલો એક સિસ્ટમ છે જે O અને J સુધી ચાલે ૨ માટે ૧૦ લખાય, ૩ માટે ૧૧ લખાય વગેરે. આ દશાંશ પદ્ધતિ તર્ક પર અને વ્યાકરણની રીત પર જ ચાલે છે. માટે જ ભારતીય મનીષીઓ નંબર સિસ્ટમ, દશાંશ પદ્ધતિનો આવિષ્કાર કરી શક્યા. વિજ્ઞાન અને ગણિતમાં ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે, જે મૂળમાં પાણિનિના વ્યાકરણના આધારે ચાલે છે. સંસ્કૃત ભાષાનું સર્જન પાણિનિના વ્યાકરણનું સર્જન છે. તર્કશાસ્રનો વિકાસ પણ પાણિનિના વ્યાકરણ પર છે.

પાણિનિના વ્યાકરણે જ્ઞાનનો વિકાસ કરવા આધાર પૂરો પાડ્યો, એક સૂત્રાત્મક રીતને દર્શાવી બીજમાંથી વૃક્ષ કેવી રીતે વિસ્તાર પામે તેની મૂળભૂત સમજણ આપી. આપણે જ્યારે નજ્ઞાનની ચર્ચાપ કે દલીલ કરીએ ત્યારે આપણને અદૃશ્ય સ્વરૂપે પાણિનિના વ્યાકરણનાં જ દર્શન થાય છે. સામી દલીલો એ પ્રમાણે જ ચાલે છે. વિજ્ઞાનીઓનું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ જ કાર્ય કરે છે.

કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ વિચારે છે કે પાણિનિના વ્યાકરણના કયા કયા નિયમો છે જેને તેઓ હજું સમજ્યા નથી અને સમજે તો તેના આધારે કૉમ્પ્યુટર સાયન્સનો વધારે વિકાસ થઈ શકે. બુલિયન એલ્જિબ્રા (એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા), સેટ થિયરી પણ પાણિનિના વ્યાકરણનો જ એક ભાગ છે. કોઈ વિજ્ઞાની પાણિનિના વ્યાકરણને ભણ્યો હોય કે ન ભણ્યો હોય પણ તેની શોધના પાયામાં પાણિનિના વ્યાકરણનું તર્ક જ કાર્ય કરતું હોય છે. કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને પ્રોસેસિંગ આ જ રસ્તે ચાલે છે.

વિચારોના સાચા ઈતિહાસની પાછળ પણ પાણિનિના વ્યાકરણનું તર્કવિજ્ઞાન કાર્યરત હોય છે. વિદ્યાર્થીઓને જેમ ગણિતશાસ્ર ગમતું નથી તેમ તેમને વ્યાકરણ પણ ગમતું નથી. આ બંનેનું સ્વરૂપ એક જ છે. વ્યાકરણ જેણે આત્મસાત્ કર્યું હોય તેને ગણિતશાસ્ર આસાનીથી આત્મસાત્ થાય છે. તેમ જ કૉમ્પ્યુટર સાયન્સ પણ આસાનીથી આત્મસાત્ થાય છે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાન ગણિતશાસ્ર પર આધાર રાખે છે અને મોટા ભાગે ગણિતશાસ્રીઓ જ આ કાર્યક્ષેત્ર ખેડે છે. બાયનરી સિસ્ટમ ગણિતશાસ્રની ઊપજ છે. કૉમ્પ્યુટર વિજ્ઞાનના અલ્ગોરિધમો ગણિતના જ્ઞાન વગર થઈ શકતા નથી. ગણિતશાસ્રમાં જ તેને બરાબર બનાવી શકે અથવા તો ગાણિતિક મગજવાળા, ભલે તે ગણિત ભણ્યા ન હોય તેઓ જ કોમ્પ્યુટરના અલ્ગોરિધમો સારી રીતે બનાવી શકે. ગણિતશાસ્ર વળી પાછું અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણને જ અનુસરે છે. જેનું ગણિત સારું હોય તે વ્યાકરણને કે કોઈ પણ શાસ્રને આત્મસાત્ કરી શકે. આ વ્યાકરણ અને ગણિતનું દુનિયાના જ્ઞાનમાં મહત્ત્વ છે. ઉચ્ચ કોટીના વકીલો પણ વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્ર પર જ આધાર રાખે છે. તેમનું આ શાસ્રોનું જ્ઞાન સારું હોય છે. પ્રશ્ર્ન એ છે કે કયો વકીલ મહાન બને? જેનું અદૃશ્ય રીતે વ્યાકરણ, ગણિત અને તર્કશાસ્રોનું જ્ઞાન સારું હોય. વ્યાકરણશાસ્રી, તર્કશાસ્રી અને ગણિતશાસ્રી કે વિજ્ઞાનનો જાણકાર જો વકીલ બને તો તે સારો અને સફળ વકીલ બની શકે.

જ્ઞાનની કોઈ પણ શાખામાં તે પછી વિવિધ વિજ્ઞાનશાખા હોય, વકીલાત હોય, ભાષાશાસ્ર હોય, વેપાર-વાણિજય હોય, ટૅક્નોલોજી હોય, શિલ્પશાસ્ર કે પુરાતત્ત્વ વિજ્ઞાન હોય છેવટે વ્યાકરણના તત્ત્વજ્ઞાન પર જ આધાર રાખે છે, જ્યારે કોઈ પણ નવી શોધ થાય છે તે અદૃશ્ય રીતે પાણિનિના વ્યાકરણની તારણ મેળવવાની રીત પર જ આધાર રાખે છે. કોમ્પ્યુટર સાયન્સનો વિકાસ આ જ રીતે થયો છે, થાય છે અને થશે. માટે જ કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને પાણિનિના વ્યાકરણનો અને તેનું ડેમોન્સ્ટ્રેશન કરતી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો જરૂરી છે. હા, કોઈ અપવાદરૂપ હોઈ શકે જે કોમ્પ્યુટર સાયન્સમાં વ્યાકરણ અને સંસ્કૃત ભાષાના અભ્યાસ વગર આગળ વધેલો હોય, પણ બારીકાઈથી જોઈએ તો તેના મગજમાં આ વ્યાકરણ અને તર્ક કુદરતી રીતે આવીને બેઠેલાં હોય છે. એમ તો આપણી પાસે કેટલાય એવા દાખલા છે જ્યાં અભણ માણસો મહાન વિચક્ષણ હોય છે. તે તેમનામાં કુદરતની ભેટ છે. રામાનુજન ફેરાડે, એડિસન આવા દાખલા છે. આવા તો દુનિયામાં ઘણાં નાના મોટા ઉદ્યોગપતિઓના દાખલા છે. તેમાં પેઢી દર પેઢી જિન્સમાં ઊતરેલા વ્યાકરણનો જ પ્રભાવ હોય છે, જેથી જન્મજાત તેમની બુદ્ધિ વિચક્ષણ બનેલી હોય છે. આમ જુઓ તો જિન્સમાં જ વર્ણો પેદા થયેલા હોય છે. બારીકાઈથી જોઈએ તો શરીર રચના પણ વ્યાકરણના આધારે થયેલી છે. વ્યાકરણ બ્રહ્માંડનું કુદરતનું ગૂઢ રહસ્ય છે. તે પરમબ્રહ્મનો આવિષ્કાર છે. રૂપ છે. વ્યાકરણ માત્ર વ્યાકરણ જ નથી પણ બ્રહ્માંડની ફિલોસોફી છે. વ્યાકરણ એટલે રચનાની સિસ્ટમ. વ્યાકરણ કોઈ જ પણ મશીનની વિચારશક્તિ કરતાં વધારે શક્તિશાળી છે જે કૉમ્પ્યુટર મશીનને પણ આવરે છે. આપણું મગજ જે ચાલે છે તેની પાછળ વ્યાકરણના પાઠો છે. મગજ પોતે જ વ્યાકરણની માયાજાળ (નેટવર્ક) છે. મગજના માંસના લોચોના કણ કણમાં વ્યાકરણ છે. આપણા શરીરની રચના પર ઊંડો વિચાર કરીએ તો માલૂમ પડે કે તે વ્યાકરણની દેન છે. જે પાણિનિએ આપણા માટે તાદૃશ્ય કર્યું છે. માટે જ પાણિનિ મહાજ્ઞાની ગણાય છે અને તેની અષ્ટાધ્યાયી મહામૂલો ગ્રંથ ગણાય છે.

વેદ-ઉપનિષદોની હારનો તે ગ્રંથ છે. હકીકતમાં તે વેદો-ઉપનિષદોનું ફળ છે. અષ્ટાધ્યાયીનો ભાષ્યકાર પતંજલિ પણ માટે જ મહાન બની ગયો.

પાણિનિની અષ્ટાધ્યાયી માત્ર શબ્દોનું જ પૃથક્કરણ કરતી નથી, પણ વાક્યનું પૃથક્કરણ કરવાનું બંધારણ પૂરું પાડે છે, રીત પૂરી પાડે છે. આનો જ કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગ થાય છે અને વિજ્ઞાન અને ગણિતમાં પણ. આજ પાણિનિના વ્યાકરણનો ભૌતિકશાસ્રીય અર્થ છે. આ આઈન્સ્ટાઈનના ભૌતિકશાસ્રના ભૂમિતિકરણ જેવું છે. આઈન્સ્ટાઈનને કેવી રીતે ભૌતિકશાસ્ર અને ભૂમિતિમાં ઢાળી દીધું. બીજા અર્થમાં ભૂમિતિને ભૌતિકશાસ્ર બનાવી દીધી. તેની પાછળ અદૃશ્ય રીતે વ્યાકરણની માયા છે. આને જ મગજની જ્ઞાન પ્રોસેસિંગની ક્રિયા કહે છે.

અજાણતા પણ કૉમ્પ્યુટરનો જન્મ જ વ્યાકરણના આધારે થયો છે. વૉનનોયમને ગણિતના આધારે જ ડીએનએ (DNA) અને આરએનએ (RNA)ની રચના અને કાર્યને ઉજાગર કરેલું જેને સર ફ્રાન્સિસ ક્રીક અને જેમ્સ વાટ્સને ભૌતિક રીતે તાદૃશ્ય કર્યું અને ડેમોન્સ્ટ્રેશન કર્યું, જ્યાં સુધી તમારું મગજ પાણિનિના વ્યાકરણ મુજબ કાર્ય ન કરે ત્યાં સુધી તમે નવી શોધ કરી જ ન શકો.

પાણિનિના વ્યાકરણની રચના બીજ ગાણિતિક છે જે પૃથક્કરણની રીતે, પૃથક્કરણની રચનાએ શબ્દો ઉત્પન્ન કરતાં અને એવા વાક્યો ઉત્પન્ન કરતાં અને અર્થ કરતાં કૉમ્પ્યુટરને જન્મ આપ્યો છે, શબ્દો એ વાક્ય ઉત્પન્ન કરતાં મશીનને જન્મ આપ્યો છે, પોતાની મેળે જ્ઞાનના પૃથક્કરણને કરતા મશીનને જન્મ આપ્યો છે. તેમ છતાં તે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજને પહોંચી શકશે નહીં, કારણ કે માનવીના મગજના માંસના લોચાના કણેકણમાં વ્યાકરણનું પૃથક્કરણ સમાયેલું છે. મશીન વિવિધ પાર્ટ્સનું બનેલું હોય તેની ક્ષમતા વધી વધીને કેટલી વધે? કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ કૉમ્પ્યુટરની આ ક્ષમતાને વધારવા માગે છે. માટે તે પાણિનિના વ્યાકરણને આત્મસાત્ કરવા માગે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=494313


Monday, April 6, 2020

શું બ્લેકહોલ શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે? --- ડૉ. જે. જે. રાવલ

ભારતીય ખગોળવિદ્ મુંજાલે આઠમી સદીમાં શોધી કાઢ્યું કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ ખસવાનું ચક્ર ૨૫૮૦ વર્ષનું છે તે પહેલાં સમયનો લાંબામાં લાંબો એકમ માત્ર એક

વર્ષ હતો.

પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ કરીએ તે વર્તુળને ખગોળીય વિષુવવૃત્ત કહે છે. કારણ કે પૃથ્વીની ધરી તેની કક્ષાની સમતલના લંબ સાથે ૨૩.૫ અંશનો ખૂણો કરે છે તેથી રવીમાર્ગ ખગોળીય વિષુવવૃત્ત સાથે તેટલો જ ખૂણો કરે છે. તેથી રવીમાર્ગનું વર્તુળ ખગોળીય વિષુવવૃત્તના વર્તુળ બે અને માત્ર બે બિન્દુમાં છેદે છે. સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાંથી જ્યારે ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે રવીમાર્ગ અને ખગોળીય વિષુવવૃત્તના જંકશન પર આવે છે. આ બિન્દુને વસંતસંપાત બિન્દુ કહે છે, કારણ કે આ દિવસથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર વસંતઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઊગે છે અને આ દિવસે રાત-દિવસ સરખા થાય છે, દરેક બાર-બાર કલાકનાં. વસંત સંપાતબિન્દુ જે રાશિમાં હોય છે તે રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ ગણાય છે. કેમ કે પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે માટે દર ૨૦૦૦ વર્ષે વસંતસંપાત બિન્દુ રાશિ બદલે છે તે પશ્ર્ચિમ તરફની રાશિમાં આગળ ધપે છે.

વસંતસંપાત પછી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ લાંબો લાંબો થતો જાય છે અને રાત ટૂંકી ટૂંકી થતી જાય છે. ત્રણ મહિના પછી સૂર્ય તેના માર્ગમાં સૌથી ઊંચા બિન્દુએ પહોંચે છે, જ્યારે દિવસ સૌથી લાંબો હોય છે અને રાત સૌથી ટૂંકી હોય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તે તેના માર્ગમાં નીચે અને નીચે ઊતરવાનું શરૂ કરે છે. તેથી આ દિવસ પછી દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકીમાંથી ધીરે ધીરે દિવસ ટૂંકો થતો જાય છે અને રાત ધીરે ધીરે વધતી જાય છે. આ દિવસને સૂર્યનું દક્ષિણાયન કહે છે. સૂર્ય હોય છે તો ખગોળીય ઉત્તર ગોળાર્ધમાં પણ તેની ગતિ હવે દક્ષિણ તરફ થાય છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં રહે છે તેથી પૃથ્વી પરના તેને સંલગ્ન અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. ત્રણ મહિના પછી સૂર્ય વળી પાછો તેના માર્ગમાં ખગોળીય વિષુવવૃત્ત પર આવે છે તેને શરદસંપાત કહે છે. કારણ કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર હવેથી શરદઋતુ શરૂ થાય છે, આ દિવસે વળી પાછા દિવસ અને રાત સરખા થાય છે, દરેક બાર-બાર કલાકના.

શરદસંપાતના દિવસ પછી સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી સૂર્ય ધીરે ધીરે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, એટલે કે તે ખગોળીય ઉત્તર ગોળાર્ધને સંદર્ભે નીચે અને નીચે ઊતરતો જાય છે. તેથી પૃથ્વીના ઉત્ત્ાર ગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે, પછી ત્યાં ઉનાળો બેસે છે. જ્યારે સૂર્ય ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં વિચરતો હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસ ટૂંકો અને ટૂંકો થતો જાય છે અને રાત લાંબી અને લાંબી થતી જાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર ઊલટું થાય છે. જ્યારે સૂર્ય તેના માર્ગમાં ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ઊંચા બિન્દુએ હોય છે ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર લાંબામાં લાંબી રાત થાય છે અને ટૂંકામાં ટૂંકો દિવસ થાય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર આનાથી ઊલટું થાય છે. આ દિવસ પછી સૂર્ય હોય છે તો ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહાર કરવાનું શરૂ કરે છે. તેને ઉત્તરાયણ કહે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં રહે છે તેની તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંસને મકરવૃત્ત કહે છે. દર વર્ષે ૨૦ કે ૨૧ માર્ચે વસંતસંપાત થાય છે, ૨૧ કે ૨૨ જૂને દક્ષિણાયન થાય છે. ૨૨ કે ૨૩ સપ્ટેમ્બરે શરદસંપાત થાય છે અને ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ થાય છે. ૨૦૦૦ વર્ષ પહેલાં જ્યારે ઉત્તરાયણ થતી ત્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરતો તેથી ઉત્તરાયણનું નામ મકરસંક્રાંત પડી ગયું અને મકરસંક્રાંતનું નામ ઉત્તરાયણ પડી ગયું, પણ પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં સરકે છે તેથી મકરસંક્રાંત ધીરે ધીરે પશ્ર્ચિમ તરફ સરકે છે. ૨૦૦૦ વર્ષ પહેલાં તે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે ઉત્તરાયણ વખતે થતી હવે તે ખસીને ૨૧ જાન્યુઆરીએ થાય છે. ધીરે ધીરે તે ૨૨ જાન્યુઆરી, ૨૩ જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરેમાં થશે. આ ચક્ર ૨૫,૮૦૦ વર્ષનું છે. ૨૩,૮૦૦ વર્ષ પછી તે ફરી પાછી ૨૧ કે ૨૨ ડિસેમ્બરે થશે. આ બધું ખગોળ વિજ્ઞાનનું મૂળભૂત જ્ઞાન આપણા પ્રાચીન મનિષીઓને હતું.

ભારતમાં ઋષિઓને ઋતુઓનું સ્પષ્ટ જ્ઞાન હતું. ભારતમાં છ ઋતુઓ છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. દુનિયામાં ઋતુઓ વિષે આટલું સ્પષ્ટ જ્ઞાન કોઈ દેશના લોકોને ન હતું. પ્રાચીન સમયમાં ભારતીયો કુદરતની ખૂબ જ નજીક રહેતાં.

ગ્રીક વિદ્વાનો જ્યારે માનતાં કે બ્રહ્માંડ ચાર ભૌતિક પદાર્થ: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિનું બનેલું છે ત્યારે ભારતીય મનિષીઓ માનતાં કે બ્રહ્માંડ પાંચ ભૌતિક રાશિઓનું બનેલું છે અને તેમની પાંચમી ભૌતિક રાશિ આકાશ (અંતરીક્ષ) હતી. ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે કે બધી જ વસ્તુ અંતરીક્ષમાંથી ઉદ્ભવ પામે છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધી વસ્તુનું પ્રારંભસ્થાન છે અને અંતિમસ્થાન છે. આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પ્રમાણે બ્રહ્માંડ એક અદૃશ્ય ઉર્જાની પછેડી છે, જ્યારે તેમાં ઉર્જાનું ગઠન થાય છે ત્યારે તે પદાર્થ (ખફતત) બને છે. આ પદાર્થ બ્રહ્માંડની પછેડીમાં ઝોલો પાડે છે. આ ઝોલાનો ઢાળ એટલે જ ગુરુત્વાકર્ષણ. આ ઝોલાના ઢાળ પર રાખેલો લખોટા ઝોલામાં પડે તે જ ગુરુત્વાકર્ષણ, પણ જો તે ગોળ ગોળ ફરે તો તે તેને બચાવી શકે છે, તે જ ગ્રહની સૂર્ય ફરતે કે નાના આકાશીપિંડથી મોટા આકાશીપિંડ ફરતેની પરિક્રમા. જો ગ્રહ નજીક હોય તો તેને પોતાને સૂર્યમાં પડતા બચાવવા માટે વધારે ઝડપથી સૂર્યની પરિક્રમા કરવી પડે. આ જ તે કેપ્લરના નિયમો.

પ્રાચીન ભારતીય મનિષીઓ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને દેવતા માનતાં. તેમની પૂજા કરતાં, જળને દેવતા માનતાં તેથી નદી, તળાવ, સરોવર, મહાસાગરને પૂજતાં, પૃથ્વીને માતા માનતાં, નદીઓને માતા માનતાં, વાયુને દેવતા માનતાં, અગ્નિને દેવતા માનતાં, સૂર્યને દેવતા માનતાં અને માનતાં કે સૂર્ય જ આ જગતનો આત્મા છે.

સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ર / તેમને સૂર્યની અગત્ય અને શક્તિની સુપેરે જાણ હતી. તેઓ વૃક્ષોની પૂજા કરતા. જરૂરિયાત સિવાય દરેકેદરેક કુદરતી સ્રોતનો ઉપયોગ કરતાં નહીં. તેનો તેમના ઉપભોગ માટે ઉપયોગ કરતાં નહીં. વનસ્પતિ જગત અને પ્રાણી જગતને તેમના પરિવારરૂપે જ જાણતા. પ્રાચીન ભારતીય મનિષીઓ માનતાં કે પૂરી વસુધા એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ્, યત્ર સર્વત્ર વિશ્ર્વં એક નીડમ્ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે તેમની આ સજાગતા હતી. તેઓ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગના સિદ્ધાંતમાં માનતાં એટલે ઓછી જરૂરિયાત અને સુંદર, સાદગીભર્યું, જ્ઞાનભર્યું જીવન. આજે આપણે મુશીબતમાં એટલા માટે છીએ કે આપણે હવે સિમ્પલ થીંકિંગ એન્ડ હાઈ લીવિંગમાં માનતા થઈ ગયા છીએ.

ઋગવેદનો પ્રારંભ અગ્નિની પ્રાર્થના સાથે થાય છે. અગ્નિમીવે પુરોહિતમ્ અગ્નસ્યદેવ મૃત્વિજ્ઞમ્ હોતારમ્ રત્નધાતરમ્॥ તેઓ અગ્નિનું મહત્ત્વ સમજતાં હતાં અને તેથી તેઓ તેમના દરેક કાર્યનો યજ્ઞથી પ્રારંભ કરતાં અને અગ્નિની સાક્ષીએ કાર્ય કરતાં. તેમને ખબર હતી કે અગ્નિ જ બધા બળોનો ચાલક છે, ઊર્જા છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે અહં વૈશ્ર્વાનરોભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત: પ્રાણાપાન સમાયુક્ત પચામ્યાનિ ચતુર્વિધમ॥ અર્થાત્ હું જ વૈશ્ર્વાનર (અગ્નિ) છું અને દરેક પ્રાણીના દેહમાં રહ્યો છું. શ્ર્વાસોચ્છવાસની ક્રિયા સામે દરેક જાતના અન્નને, ખોરાકને પચાવું છું - આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અગ્નિ શું છે અને તેનું કાર્ય કેટલું મોટું છે તે મહાન રહસ્ય જાણતા હતા. આ ભારતીયોનું વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાનનું જ્ઞાન હતું. ગીતામાં જ્ઞાન-વિજ્ઞાન યોગ પણ છે. જ્ઞાન સાથે જ વિજ્ઞાન હોય છે. સંસ્કૃતભાષા કેટલી બધી વિજ્ઞાની છે?

પ્રાચીન ભારતીય મનિષીઓએ શૂન્ય અને એકની શોધ કરી જે બાયનરી સિસ્ટમ બની બધાં જ કોમ્પ્યુટરને ચલાવે છે જેણે દુનિયામાં વિજ્ઞાન અને જ્ઞાનક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.

પ્રાચીન મનિષીઓ અનંતતાને અને સૂક્ષ્મતાને બરાબર પામી ગયા હતા. અણુ-પરમાણુના રહસ્યને પણ પામી ગયા હતાં. બ્રહ્માંડ જેવો શબ્દ તેમણે આપેલ છે. પિંડે તે બ્રહ્માંડે જેવું ગહન રહસ્ય તેઓ જાણતા હતાં.

આજે સાબિત થયું છે કે આ બ્રહ્માંડ બીજું કાંઈ જ નથી, પણ અગ્નિનો ગોળો છે, ઊર્જાનો ગોળો છે, અગ્નિ અને ઊર્જા જ આ બ્રહ્માંડમાં સર્વસ્વ છે. માટે તો ભારતીયો શક્તિની પૂજા કરે છે. તેઓ જાણતા હતા કે આ બ્રહ્માંડરૂપી ગરબો શક્તિના માથે છે. ગરબામાં જે છિદ્રો છે અને વચ્ચે દીવો છે તે પ્રકાશિત મંદાકિનીઓને અને ઊર્જાને પ્રદર્શિત કરે છે, તેમણે એ પણ ગાયું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, શાંતિરૂપેણ સંસ્થિતા વગેરે. આ બ્રહ્માંડ શક્તિથી જ ચાલે છે, શક્તિ જ તેની આરાધ્ય દેવી છે.

ગીતામાં અર્જુન, શ્રીકૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, આપનું નિવાસસ્થાન ક્યાં છે, ત્યારે શ્રીકૃષ્ણ બહુ રસપ્રદ જવાબ આપે છે. શ્રીકૃષ્ણ કહે છે:

ન તદ્ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક:

યદ્ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ્॥

અર્થાત્, જ્યાં સૂર્ય પ્રકાશતો નથી, જ્યાં ચંદ્ર પ્રકાશતો નથી, જ્યાં અગ્નિ પ્રકાશતો નથી, જેમાં જઈને કોઈ વસ્તુ પાછી આવતી નથી, તે મારું નિવાસસ્થાન છે. આ શ્ર્લોક હકીકતમાં બ્લેકહોલના વર્ણનમાં બરાબર ફીટ થાય છે. તો આપણને લાગે કે શું બ્લેકહોલ ભયંકર ગુરુત્વાકર્ષણની સીટ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન છે. તેનો અર્થ શું સમજવો?

કણાદ ઋષિ આ પૃથ્વી પરના પ્રથમ ઋષિ હતા. જેમણે દુનિયાને સૂક્ષ્મકણો વિષે માહિતગાર કર્યા હતા. તેમણે આપણને સમજાવ્યું હતું કે, આ દુનિયાનું બંધારણ છેવટે સૂક્ષ્મકણ છે, અણુ-પરમાણુ છે. તેમનું નામ તો કશ્યપ હતું પણ તેઓ બાળક હતા ત્યારે તેમના પિતાજી સાથે કાશી ગયા હતા, તેમણે જોયું કે રસ્તામાં ચોખાના દાણા ઢોળાયેલ છે. તેમણે એક એક ચોખાનો દાણો ભેગો કર્યો. એક સંતે તેમને પૂછ્યું શા માટે તું ત્યજાયેલાં ચોખાના દાણાને ધૂળમાંથી ભેગા કરે છે. ત્યારે કશ્યપે જવાબ આપ્યો કે એક શેર ચોખાના દાણા એક માનવીનું એક દિવસનું ભોજન બની શકે છે. છેવટે તો બધું કણોનું જ બનેલું છે. કણ કણ નથી પણ બંધારણનું બીજ છે. આ જવાબ સાંભળી સંત ખુશ થઈ ગયા અને કશ્યપનું નામ કણાદ પાડ્યું. કણાદ ઋષિએ જીવનભર પદાર્થ, તત્ત્વ અને અણુ-પરમાણુનો અભ્યાસ કર્યો અને તેના અગત્ય વિષે દુનિયાને જણાવ્યું. આમ અણુવિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત પ્રથમ છે.

  http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=470898

ધમની અને શિરા વચ્ચેનું જંકશન હૃદય --- ડૉ. મનુ કોઠારી , ડૉ. લોપા મહેતા

મનુષ્યદેહ કુદરતનું એક અજોડ સર્જન છે. એના એક એક અવયવ, માંસપેશી, કોશ દરેકનું કાર્ય તમને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દે છે. આવા અદ્ભૂત દેહનું ગર્ભથી મૃત્યુ સુધી એક એક કોષને પૂરતું પોષણ પહોંચાડવાનું કાર્ય લોહી કરે છે. આ લોહીનું આખા શરીરમાં ભ્રમણ કરાવવા લગભગ 60,000 માઈલની રક્તવાહિનીઓ એકબીજા સાથે જોડાયેલ પાઈપલાઈન્સ છે. એમાં સૌથી મોટી ધમની - અજ્ઞિફિં- અને શિરા - ટયક્ષફ ઈફદફ આપણા અંગૂઠા જેટલી પહોળી હોય છે. જ્યારે સૌથી ઝીણી ઈફાશહહફિુ - રુધિરકેશિકાની પહોળાઈ આપણા વાળથી પણ અડધી હોય છે. ધમની અને શિરા વચ્ચેનું જંકશન હૃદય છે. શિરા હૃદયમાં લોહી લાવે છે અને ધમની હૃદયમાંથી લોહી લઈ જાય છે. હૃદય પણ એક રક્તવાહિની છે, પણ એણે પોતાની દીવાલમાં સ્નાયુનું એક મજબૂત પડળ બનાવ્યું છે અને પોતાનું કદ પણ વિસ્તૃત કર્યું છે જેને કારણે એ એક પમ્પનું કામ કરે છે, જે આખા શરીરમાંથી લોહી શોષે છે અને ફેંફસામાં શુદ્ધ કરાવીને આખા શરીરમાં પાછું મોકલે છે.

આ પ્રકારની સમસ્ત રક્તાભિસરણની રચનાને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. જમણી ફુપ્ફુસ - ઙીહળજ્ઞક્ષફિુ નાની બાજુ અને ડાબી, મહાધમની - અજ્ઞિશિંભ - અને મોટી બાજુ.

આખા શરીરમાંથી કોષેકોષથી કચરો ભેગો કરીને લોહી શિરા વાટે બે જીાયશિયિ ફક્ષમ ઈંક્ષયિંશિયિ ઉપલી અને (શરીરના ઉપરના ભાગની) અને નીચલી (શરીરના નીચેના ભાગની) વેના કાવા - ટયક્ષફ ઈફદફ - મારફત શરીરના સ્વીકારનાર પાત્ર જમણાં કર્ણક - ફિિંશીળમાં ઠાલવે છે. ત્યાંથી તે જમણી બાજુના પાવર હાઉસ જમણા ક્ષેપક - દયક્ષિિંશભહયમાં મોકલે છે. જમણું ક્ષેપક એની દીવાલમાં રહેલ સ્નાયુઓને સંકોચી બળપૂર્વક લોહી ફુપ્ફુસ ધમની વાટે બંને ફેફસામાં મોકલે છે. ફેફસામાં શ્ર્વાસ દ્વારા નિત્ય હવાની અવરજવર થતી રહે છે અને એટલે લોહી ઑક્સિજન લે છે અને કાર્બનડાયોક્સાઈડ ફેફસામાં ઠાલવે છે જે ઉચ્છવાસની હવા સાથે બહાર ફેંકાઈ જાય છે. ફેફસામાં ઑક્સિજન અને કાર્બનડાયોકસાઈડની આપ-લેને કારણે શુદ્ધ થયેલું લોહી ફેફસામાંથી ફુપ્ફુસ શિરાઓ દ્વારા ડાબી બાજુના સ્વીકાર પાત્ર - કયરિં ફિિંશીળમાં ઠાલવે છે. ફેફસાં અને હૃદય નજીક હોવાથી આ ભ્રમણ માર્ગ ટૂંકો બને છે અને એટલે જ એને નાની બાજુ કહેવામાં આવે છે. તે લોહી ત્યાંથી ડાબા ક્ષેપક - ટયક્ષિિંશભહયમાં પહોંચે છે. ડાબું ક્ષેપક તો હૃદયનું હૃદય છે. તેની સ્નાયુની દીવાલ ઘણી જાડી હોય છે અને તે સંકોચાઈને ખૂબ બળ પેદા કરે છે. આમ ડાબું ક્ષેપક જોર સાથે લોહીને મુખ્ય ધમની - અજ્ઞિફિંમાં ધકેલે છે. બંને ક્ષેપકો સાથે જ સંકોચાય છે. છાતી પર હાથ મૂકવાથી જે હૃદયના ધબકારાનો અનુભવ થાય છે એ આ બંને ક્ષેપકોનું સંકોચન છે. જેને આપણે જુતજ્ઞિંહય કહીએ છીએ. પછી બંને ક્ષેપકો નિરાંત કરે છે જેને આપણે ડાયસ્ટોલ - ઉશફતજ્ઞિંહય કહીએ છીએ.

જ્યારે ક્ષેપક સંકોચાય છે ત્યારે જે બળ-ફોર્સ-પ્રેશરથી લોહી મહાધમનીમાં ધકેલાય છે અને આપણે જ્યારે બ્લડપ્રેશર માપીએ છીએ ત્યારે રક્તદબાણના ઉપરના આંકડા તરીકે નોંધીએ છીએ. જેમ બિલ્ડિંગમાં પાણીનો પમ્પ કામ કરીને બળથી આખા બિલ્ડિંગમાં ઉપરથી નીચે પાણી પહોંચાડે છે એમ શરીરમાં હૃદય પમ્પ - ખાસ તો ડાબી બાજુનો - આખા શરીરમાં ઉપર નીચે લોહી ધકેલે છે. એ ફેફસામાં પણ શુદ્ધ થયેલું લોહી પહોંચાડે છે.

હૃદય પોતાને માટે સૌથી પહેલો ભાગ પડાવે છે. મહાધમનીમાંથી સૌપ્રથમ બે હૃદય ધમનીઓ નીકળે છે. એક જમણી અને બીજી ડાબી. એ બંને હૃદય ધમનીઓને ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંશિયત - કોરોનરી આર્ટરીસ કહેવામાં આવે છે. એની શાખાઓ આખા હૃદયને લોહી પૂરું પાડે છે. જમણી આર્ટરી મુખ્યત્વે જમણી બાજુના હૃદયને અને ડાબી બાજુની આર્ટરી મુખ્યત્વે ડાબી બાજુના હૃદયને લોહી પૂરું પાડે છે. બંને આર્ટરી પાછી છેવટે એકબીજા સાથે જોડાઈ જાય છે. આ રીતે બંને આર્ટરી હૃદયે જાણે મુકુટ ઈજ્ઞિૂક્ષ પહેર્યો હોય એમ તેની આસપાસ જોવા મળે છે. એટલે તેમને ઈજ્ઞિૂક્ષ પરથી કોરોનરી કહેવામાં આવે છે.



હૃદયરોગનું શાસ્ત્ર મુખ્યત્વે કોરોનરી હૃદયધમનીનું શાસ્ત્ર છે. આ હૃદયધમનીઓ હૃદયનિષ્ણાતોના કબજામાં આવતી નથી. તેમની દવાઓની ઈચ્છનીય અસર થતી નથી. તેઓ બાયપાસ સર્જનને તો ગૂંચવાડામાં જ મૂકી દે છે. સર્જને આટલી બધી કાળજીથી લોહીને વહેવા માટે બીજો માર્ગ તૈયાર કર્યો હોય અને હૃદયધમનીઓ તેનો સ્વીકાર કરતી નથી. તેઓ એન્જ્યોપ્લાસ્ટી કરનાર નિષ્ણાતો ધમનીના માર્ગને પહોળા કરવા નવા અને સ્ટેન્ટ મૂકીને કાયમ માટે પહોળી રાખવાના ઈલાજો સામે તો વેર વાળતી હોય એમ વધુ સાંકડી થઈ જાય છે.

રક્તભિસરણની વાહિનીઓ હૃદય સહિતનો આખો માર્ગ એક જ છે એટલે ડૉક્ટરો એના લાભ લે છે. તેઓ એક નાની ધમનીમાં કેથેટર-નળીથી પ્રવેશ કરીને હૃદયની અંદર સુધી પહોંચી જાય છે. આને ભફમિશફભ ભફવિંયયિંશિુફશિંશજ્ઞક્ષ કહેવામાં આવે છે. હાથની એક શિરામાં નળી નાખીને એ એટલે મોટી શિરા સુધી પહોંચી જાય છે ત્યાંથી જમણા કર્ણક - છશલવિં અિિંશીળ વાટે ફેફસામાં જાય છે. આ જ પ્રમાણે હાથ કે પગની ધમનીઓ કેથેટર નાખીએ તો એ નાનીમાંથી મોટી ધમની ત્યાંથી મહાધમનીમાં અને ત્યાંથી હૃદયમાં હૃદય ધમની - ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંશિયત જેની તપાસ કરવાની હોય તો ત્યાં સુધી કેથેટરને લઈ જઈ શકાય છે. આ દ્વારા જે કંઈ તપાસ કરવી હોય કે ઉપચાર કરવો હોય તે કરી શકાય છે. ધમની કે શિરામાં કેથેટરને અંદર નાખવું પડે છે એટલે એને ઈંક્ષદફતશદય - આક્રમક, છેદન કરવાવાળી, વીંધતી ટેક્નિક કહેવાય છે.

ડૉક્ટરો અને માનવજાતે પોતાના સ્વકેન્દ્રિત દૃષ્ટિકોણને કારણે, માનવકેન્દ્રિત વિચારધારાને કારણે, પોતાને ફાયદો કેવી રીતે એ જ લક્ષ્ય રાખવાને કારણે હૃદયની કાર્યક્ષમતાને ત્રુટિને માટે કોરોનરી ધમનીઓને જવાબદાર ગણાવે છે. હૃદયરોગને માણસના મૃત્યુ માટે મુખ્ય પ્રાણઘાતકનો થાપો મારે છે. હૃદય તો આખીય રક્તાભિસરણ રચનાનું કુદરતે રચેલ એક અદ્ભુત અવયવ છે. માણસે તો પોતાના હૃદયને કૃતજ્ઞતાની અમી નજરે જોવું જોઈએ. હૃદયની રચના અને કાર્ય માટેની માહિતી નીચે આપી છે એના આધારે ખ્યાલ આવશે કે શા માટે હૃદયનો હંમેશાં આભાર માનવો ઘટે. (આ માહિતી નેલ્સનના પુસ્તક ’ઇયવજ્ઞહમ ખફક્ષ - માણસને નિહાળો’માં લેવામાં આવી છે.)

હૃદય એક અદ્ભુત પમ્પ

આપમેળે સુંવાળી રીતે ચાલતા એક બહુ શક્તિશાળી પમ્પ હૃદયને એક યાંત્રિક પમ્પની નજરે જોઈએ તો એના સ્પષ્ટીકરણો કે વિશેષતાઓ આ પ્રમાણે રહેશે.

પ્રકાર: રક્ત પમ્પ માણસના શરીર માટે

વર્ણન: હૃદયમાં બે પમ્પ ક્રમિક શ્રેણીમાં જોડાયેલ છે. એ આપમેળે સ્વયંસંચાલિત પોતાનું કાર્ય સુંવાળું રાખે છે. આ પ્રતિકૃતિ - ળજ્ઞમયહની ચકાસણી વર્ષોથી ઘણી વિપરીત પરિસ્થિતિમાં પણ કરવામાં આવી છે. બહારના વાતાવરણમાં ઠંડી કે ગરમીમાં કોઈ પણ ફેરફાર થાય એની અસર તેને થતી નથી. જ્યારે બધું વ્યવસ્થિત હોય ત્યારે 75થી 80 વર્ષ કે એનાથી વધુ સો વર્ષ, એકધારું કામ કરતું રહે છે.

રચના: દરેક પમ્પમાં બે ખાનાં છે. ફિિંશીળ - કર્ણક અને દયક્ષિિંશભહય - ક્ષેપક બંને ખાનાં વચ્ચે આંતરત્વચાના પાતળા વાલ્વ છે. એમાં એક ઈલેક્ટ્રિક ક્ધડકટિંગ તંત્રની રચનાની વ્યવસ્થા છે તે ઙફભયળફસયિ - પેસમેકર - ગતિપ્રેરક, ગતિનિર્ધારક અને ગતિકારક છે. જે જમણા કર્ણકમાં છે.

પ્રવાહ ડાયગ્રામ: લોહી પહેલાં બંને કર્ણકને ભરે છે અને ત્યાંથી બંને ક્ષેપકમાં જાય છે. પેસમેકરનું સિગ્નલ મળે એટલે ક્ષેપક સંકોચાય છે અને લોહી મહાધમની અને ફુપ્ફુસ ધમની - ઙીહળજ્ઞક્ષફિુ અિયિિું -માં પ્રવેશે છે. આ વખતે કર્ણક અને ક્ષેપક વચ્ચેના વાલ્વ આપોઆપ બંધ થઈ જાય છે અને ક્ષેપક અને બંને ધમનીઓ વચ્ચેના વાલ્વ ખૂલી જાય છે. શરીર આરામ કરતું હોય ત્યારે ઘણું કરીને એક મિનિટમાં 50થી 70 વખત એ કામ કરે છે, પરંતુ જો બહુ શ્રમ કરવાનો હોય તો 200 વાર પણ એક મિનિટમાં કામ કરી શકે છે.

કદ અને આકાર: શંકુ આકાર. પાયાની પહોળાઈ લગભગ 100 મીમી. ઊંચાઈ લગભગ 155 મીમી.

વજન: લગભગ 300 ગ્રામ.

હૃદયના કદ પ્રમાણે એની જે શક્તિ છે એ જોતાં એની સાથે અન્ય કોઈ યંત્ર સરખામણી કરી ન શકે. નીચે આપેલી માહિતી પરથી આ પુરવાર થશે.

જિિંજ્ઞસય ટજ્ઞહીળય: પ્રત્યેક ધબકારે હૃદયધમનીમાં લોહી ચઢાવે ત્યારે 80થી 100 સીસી કે 5-6 લિટર પ્રત્યેક મિનિટમાં ચઢાવે છે. એક દિવસનું કાર્ય 100,000 ધબકારા અને 8,000 લિટરનું લોહી શરીરમાં ચઢાવવું. આ કાર્યને જો શક્તિમાં રૂપાંતર કરીને ગણતરી કરીએ તો દિવસે હૃદય 154 રતલ - 70 કિલો વજનના માણસને ઊંચકીને 1000 ફીટ ઊંચે લઈ ચઢાવવા જેટલું કામ કરે છે.

સંપૂર્ણ કાર્યક્ષમતા: આખા જીવનમાં એક પણ વાર હૃદય બંધ પડ્યા વિના 2,500,000,000 ધબકારા કરે છે જે 240 મિલિયન લિટર ભરેલું પાત્ર ઊંચકવા સમાન છે.

બ્લેઝ પાસ્કલે કહ્યું છે કે હૃદયને પોતાનું કારણ હોય છે. જેના કારણ પોતાને ખબર નથી. આને બીજી રીતે બદલીને મૂકવું હોય તો કહી શકાય કે સાજા હોઈએ કે માંદા, માનવ હૃદયને પોતાના કારણ હોય છે જેની તબીબી માનસને ખબર નથી.

બ્લડપ્રેશર: એની ઉત્પત્તિ અને એના સ્વાભાવિક પરિણામ

જીવન માટે હૃદયનો ધબકારો અને શ્ર્વાસ જેટલું જરૂરી છે એટલું જ બ્લડપ્રેશર છે. બ્લડપ્રેશર શું છે, એ શું કાર્ય કરે છે અને એમાં શું વિકારો થાય છે (ઙવુતશજ્ઞહજ્ઞલુ ફક્ષમ ઙફવિંજ્ઞહજ્ઞલુ)એ સમજવા માટે અમે અંગ્રેજી પુસ્તકમાં નીચે પ્રમાણે કહ્યું છે.

ઇજ્ઞમુ’ત કજ્ઞલશભ જ્ઞર ઘબશહફજ્ઞિિું ઉશિદશક્ષલ ઙયિતતીયિ છયિીશશિક્ષલ ઊડ્ઢભયતતશદય (જહશલવહિું) જફક્ષલીશક્ષફ જજ્ઞષજ્ઞીશિક્ષલ ઞક્ષમયિ છયલીહફયિંમ ઊક્ષભહજ્ઞતીયિ - તર્કઉચિત ફરજિયાત ચલાવતું પ્રેશર-દબાણ જરૂરી માત્રામાં વધુ રક્તભ્રમણ નીચે નિયમન થયેલ વાડની અંદર.

સાદા શબ્દોમાં કહીએ તો આખા શરીરમાં રક્તવાહિનીઓ અને હૃદયમાં લોહીનો સતત પ્રવાહ ચાલુ રાખવા માટે જે જરૂરી દબાણ છે એને બ્લડપ્રેશર કહેવામાં આવે છે.

બ્લડપ્રેશર શું છે એ સમજવું હોય તો એક સાદું ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે આપણી લોહીભ્રમણની આખી રક્તવાહિનીએ અને હૃદયે મળીને એક 50 લિટરની ક્ષમતા ધરાવતી ઈલાસ્ટિક બંધ બેગ છે. જેમાંથી અસંખ્ય વિવિધ કદની ચોતરફ શાખાઓ ફૂટી નીકળે છે. હવે આ બેગ પોતાની અંદર માત્ર 5 લિટર લોહીને દબાણ નીચે રાખીને એકધારું બધી શાખાઓમાં સારી એવી ગતિથી ફરતું રાખવાનું છે. જેથી બહારના કોષોમાં અને પેશીઓમાં થોડું પ્રવાહી બહાર ફેંકાય અને પાછું તરત બેગ તરફ ખેંચાઈ પાછું આવે અને આ કાર્ય શરીર ગમે તે સ્થિતિમાં હોય ઊભેલ, બેસેલ, સૂતેલ અને ગમે તે કાર્ય કરતું હોય, મીઠી નિદ્રા માણતું મ્હાણતું હોય, 10,000 મીટરની ઑલિમ્પિક રેસમાં દોડતું હોય કે મેરેથોનમાં ભાગ લેતું હોય આ યંત્રએ તો લોહીનો પ્રવાહ ચાલુ જ રાખવાનો એટલે હૃદયે તો 5 લિટર/મિનિટથી માંડીને 75 લિટર/મિનિટનું ભ્રમણ આખી બેગમાં પૂરું પાડવાનું છે.

બીજી રીતે કહીએ તો બ્લડપ્રેશર એટલે 50 લિટરની બેગને પોતામાં રહેલ ઈલાસ્ટિકને કારણે દબાણથી સંકોચીને 4.85 લિટર જેટલી બનાવીને એમાં 5 લિટર લોહીને ભ્રમણ કરાવે છે જેથી બેગ લોહી પર દબાણ કરે. કહેવાની જરૂર નથી કે જે દબાણ આ ઈલાસ્ટિક બેગ લોહી પર કરે છે એટલું જ દબાણ લોહી બેગ પર સામું કરે છે. આમ બંને પરસ્પર એકબીજા પર દબાણ કરે છે.

જે દબાણ લોહી બેગ - ધમનીઓ પર કરે છે તે બ્લડપ્રેશર છે અને જે દબાણ બેગ - ધમનીઓ લોહી પર કરે છે તે ધમનીઓનો અને શિરાઓનો પોતાના ઈલાસ્ટિક અને સ્નાયુઓના સંકોચાવાને કારણે લોહી પર થતું દબાણ છે જેને ધમનીઓનો ઝજ્ઞક્ષય - તણાવ કહેવામાં આવે છે.

આ બંને પરિબળો - ભ્રમણ કરતાં રક્તનું પ્રમાણ અને ધમનીઓનું પોતાનો અંતર્ગત ટોન - સંકોચાવાનું દબાણનું પ્રમાણ વ્યક્તિગત રહેશે. આને કારણે એ પ્રમાણનો આંક બધામાં એકસરખો નહીં રહે પણ એક ટપ્પામાં જોવા મળશે. એટલે એના ગ્રાફ બનાવીએ તો એ ઘંટાકાર દેખાશે. (ગજ્ઞળિફહ ઉશતિિંશબીશિંજ્ઞક્ષ) બ્લડપ્રેશર પરના નિષ્ણાતે કહ્યું છે કે બ્લડપ્રેશરનો બહુ વધુ કે બહુ નીચો આંકડો આ ઘંટાકાર વહેંચણીનો જ અંશ છે.

કોઈ બ્લડપ્રેશર વધુ નથી કોઈ બ્લડપ્રેશર ઓછું નથી એ તો આપણું માનસ છે તે એને બનાવે છે.

માટે જ કેન્સરની જેમ જ બ્લડપ્રેશરની પણ દવા જેટલી તકલીફ હોય એ પ્રમાણે જ લેવી, બ્લડપ્રેશરના આંકડા પ્રમાણે નહીં. જેમ બળદ કાચની વસ્તુઓ વહેંચવાની દુકાનમાં ઘૂસીને બધું તોડી નાખે છે એમ દરેક બ્લડપ્રેશર માટેની દવા આખા શરીરમાં બધી જગ્યાએ આડેધડ નુકસાન કરે છે એટલે દવાની ખૂબ જ આડી અસરો થાય છે.

બ્લડપ્રેશર ધમનીઓનું અને સિરાઓનું પોતાનું જ સંકોચન દબાણ જ્ઞિંક્ષય છે. જો ઈલાસ્ટિક બેગનું ઈલાસ્ટિક ઢીલું પડી ગયું હોય તો તમે એમાં ગમે તેટલું પ્રવાહી ભરશો તો પણ બેગ ભરાશે નહીં. શરીરમાં એક જ પગમાં 5 લિટર લોહી સમાઈ શકે એટલી રક્તવાહિનીઓમાં જગ્યા છે. એટલે ધમનીઓ અને શિરાઓ પોતાનામાં જ સંકોચનનું બળ ન હોય તો બધું લોહી પોતાનામાં જ રાખશે તો બિચારું હૃદય ક્યાંથી લોહીને આખા શરીરમાં ફેરવશે?

એક બાબત બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. શરીરમાં ભ્રમણ કરતું લોહી 5 લિટર છે. ધમનીઓ અને શિરાનો લોહી સમાવવાનો વિસ્તાર 4.5 લિટરનો રાખવો જોઈએ. આમ લોહીનો ભ્રમણ કરતો પુરવઠો કરતાં શરીરની ધમનીઓ, શિરા અને હૃદય મળીને લોહીને સમાવવાની જગ્યા થોડી ઓછી હોવી જોઈએ જેથી લોહી દબાણને કારણે આખા શરીરમાં સુખરૂપ ભ્રમણ કરી શકે. આ તાલમેલને કારણે જે દબાણ થાય તે આંક સરખો ન રહે. જીવ જગતની વિશેષતા પ્રમાણે તેની વહેંચણી એક ટપ્પામાં થાય છે તે માટે દરેક વ્યક્તિમાં જોવા મળતા આંકડાને તેનું નોર્મલ બ્લડપ્રેશર કહી શકાય. બ્લડપ્રેશર ઉપરનું જુતજ્ઞિંહશભ અને નીચેનું ઉશફતજ્ઞિંહશભ. ઈલાસ્ટિક - સ્નાયુઓની રક્તાભિસરણ બેગની મધ્યમાં હૃદય છે જેના સ્નાયુનું પડળ બહુ મજબૂત છે. તેમાંથી ધમની અને શિરાઓ જાણે શાખા સમાન ફૂટે છે.

જ્યારે હૃદય સંકોચાય ત્યારે ધમનીઓમાં એ જોશ સાથે લોહી ધકેલે છે. એ આ જે જોશથી - દબાણપૂર્વક ધમનીમાં લોહી પ્રવેશે છે. નાડી પહોળી થાય છે એને કારણે આપણને નાડીના ધબકારા મળે છે. આ જે દબાણ - પૂર્વક લોહી ધમનીમાં પ્રવેશે છે એ દબાણને આપણે હાથમાં બ્લડપ્રેશરના ઉપરના આંકડા તરીકે માપીએ છીએ. ૠઊં જુતજ્ઞિંહય - ઈજ્ઞક્ષિિંફભશિંજ્ઞક્ષ હૃદયનું દબાવું/સંકોચાવું. પછી જેવું હૃદયના સ્નાયુઓ એનું સંકોચન છોડીને લાંબા થાય - હૃદય આરામ કરે ત્યારે ધમનીઓને દબાણ સાથે પ્રવેશેલા લોહીને સ્વીકારવા ખેંચાઈને પહોળી થઈ હતી તે હવે પોતે પોતાની મૂળ પરિસ્થિતિ પર (જેમ ઈલાસ્ટિકને ખેંચ્યું હોય પછી જેવું ખેંચાણ છોડી દઈએ એટલે મૂળ લંબાઈ/પહોળાઈમાં આવી જાય) આવી જાય છે અને લોહીનું ભ્રમણ ચાલુ રહે છે. ધમનીઓ આ રીતે પોતાના મૂળ કદ પર આવી જાય ત્યારે જે દબાણ ભ્રમણ કરતા લોહી પર આવે તે દબાણને (ૠઊં. ઉશફતજ્ઞિંહય - ઊડ્ઢાફક્ષતશજ્ઞક્ષ) નીચેનું દબાણ કહેવાય છે. આમ હૃદયનું સંકોચાવા સાથે (જુતજ્ઞિંહય) ધમનીઓ સાથે વિકસેલું છે અને હૃદયના વિકસવા સાથે ધમનીઓ સંકોચાય છે.

આખાય રક્તાભિસરણ માર્ગની વાહિનીઓમાં સ્નાયુ અને ઈલાસ્ટિક તાંતણાઓને કારણે પોતાનું અંતર્ગત દબાણ હોય છે. જેમ ઈલાસ્ટિક આપણે ખેંચીએ ત્યારે એને ખેંચવા માટે આપણે જે બળ વાપરવું પડે છે એ ઈલાસ્ટિક તાંતણાઓનું આંતર્ગત દબાણ સામે હોઈએ છીએ. એ આખા રક્તાભિસરણ તંત્ર કેટલું સક્ષમ છે એ જણાવે છે. હૃદય કેટલું સંકોચાઈ અને વિકસી શકે છે અને એ જ પ્રમાણે ધમનીઓ અને શિરા કેટલા સંકોચાઈ અને વિકસી શકે છે એની જાણ આપણને કરે છે. ડૉક્ટરી શીખતા વિદ્યાર્થીઓ, ડૉક્ટરો પોતે આમ આદમી સર્વે હૃદયના સંકોચાવાની સક્ષમતા પર ભાર મૂકે છે અને ભૂલી જાય છે કે હૃદય અને ધમનીઓનું વિકસવું/આરામ કરવો એ સંકોચાવાની ક્રિયા જેટલું જ અગત્યનું છે. બીજી મહત્ત્વની વાત છે બાવડામાં રહેલ ઇશભયાત - બાયસેપ્સ - સ્નાયુને તમે જેટલો વધુ (મર્યાદામાં રહીને) ખેંચી શકો - લંબાવી શકો એટલા વધુ જોશથી એ સંકોચાઈને કામ કરી શકે છે. આ હૃદય અને ધમનીમાં એટલું જ લાગુ પડે છે.

શિરાઓ હૃદયમાં લોહી પાછું લાવે છે. શિરા પાતળી દીવાલવાળા જમણા કર્ણકમાં લોહી ઠાલવે છે. લોહી પાછું લાવનાર અને જમણા કર્ણક વચ્ચે કોઈ વાલ્વ હોતો નથી. લોહી કર્ણકમાંથી ક્ષેપકમાં જાય છે. જે હૃદયનું ઙજ્ઞૂયિ ઇંજ્ઞીતય છે. માનવ હૃદયનું સ્વાસ્થ્ય અને માંદગી બંને બંનેનો આધાર હૃદયના ક્ષેપક પર છે. જો ડૉક્ટર કહે કે તમારું હૃદય ફેઈલ થઈ રહ્યું છે તો એ તમારા ક્ષેપક ટયક્ષિિંશભહયત જમણા, ડાબા કે બંનેની વાત કરે છે. જો એ ફક્ષલશક્ષફ - એન્જિના કે શક્ષરફભિશિંજ્ઞક્ષ ઈન્ફાર્કેશન કહેતા હોય તો તેઓ ડાબા / જમણા / બંને વચ્ચે રહેલ અને તયાિીંળ / ાફિશિંશિંજ્ઞક્ષ / પડદાની વાત કરી રહ્યા છે. ક્ષેપક અને કર્ણક વચ્ચે અને ક્ષેપક અને ધમની વચ્ચેના માર્ગ પર વાલ્વ સુરક્ષા કરે છે જેથી લોહી પાછું ન ફરે. જે લોહી હૃદયમાં ઠાલવવામાં આવે એને શિરા દ્વારા પાછું લાવેલ લોહી ટયક્ષીજ્ઞત-યિિીંક્ષિ-જ્ઞિં-વિંય વયફિિં કહેવામાં આવે છે. આમાં કર્ણક જાણે કે શિરામાંથી લોહી શોષે છે. ક્ષેપક ધમનીઓના પ્રતિકાર સામે દબાણ સાથે લોહી તેઓમાં ધકેલે છે. આને ઈફમિશફભ ઘીિાીિંં હૃદયમાંથી બહાર મોકલાતું લોહી - જે આશરે 70 સીસી પ્રત્યેક ધબકારા સાથે ધમનીમાં જાય છે. એક રસદાયક હકીકત છે કે કર્ણકમાંથી લોહી બહુ ઓછા દબાણથી ક્ષેપકમાં પ્રવેશે છે. પરંતુ ક્ષેપક એને સ્વીકારવા પોતાના સ્નાયુઓનું સંકોચનની તાણ ઘટાડીને અંદરની જગ્યા વધારતું જાય છે. જેમ ક્ષેપક વિકસે એટલું એ વધુ જોરપૂર્વક સંકોચન કરી શકે છે. માટે જેમ હૃદયમાં લોહીનો પુરવઠો શરીરમાંથી પાછો વધુ ફરે એટલું એ વિસ્તૃત થઈને તે એટલું જ સબળ સંકોચન કરે છે. આને સ્ટાર્લિંગ નિયમ ઙવુતશજ્ઞહજ્ઞલુ શરીરકાર્ય શાસ્ત્રમાં કહેવામાં આવે છે. એટલે એ યાદ રાખવું જરૂરી છે કે જો શિરા દ્વારા હૃદયમાં ઓછું લોહી ફરે તો હૃદયમાંથી બહાર પડતું લોહીનું પ્રમાણ અને પ્રેશર પણ એટલું ઘટે છે.

તબીબી શાસ્ત્રમાં એક ફોર્મ્યુલા છે.

ઇઙ=ઈફમિશફભ ઘીિાીિંં (ઈઘ)ડ્ઢઙયશિાવયિીહ યિતશતફિંક્ષભય (ઙછ)

ઉપર જોયું તેમ હૃદય ક્ષેપકમાંથી પ્રત્યેક ધબકારે ધમનીમાં ધકેલાતા રક્તના પ્રમાણને કાર્ડિઆક આઉટપુટ કહેવામાં આવે છે અને ધમનીઓમાં જ્યારે બળપૂર્વક લોહી મોકલવામાં આવે છે ત્યારે ધમનીઓ વિકસીને એ લોહીને સ્વીકારવા માટે પ્રતિકાર કરે એટલે કે એમાં આવતા લોહી પર દબાણ કરે એને ઙયશિાવયિીહ યિતશતફિંક્ષભય (ઙછ) કહેવામાં આવે છે.

હવે સમજી શકાશે કે હૃદય અને રક્તવાહિનીઓ વચ્ચે અરસપરસ વિરોધીનો સંબંધ છે. જ્યારે હૃદય સંકોચાય ત્યારે શરીરની ધમનીઓમાં લોહીનો પ્રવાહ આવે છે અને જ્યારે ધમનીઓ લંકોચાય ત્યારે હૃદય વિકસે છે. હૃદયધમનીઓ હૃદયને જરૂરી વાયુ અને પોષણ પૂરાં પાડે છે. એક પણ અંતરાય વિના આવું ઉચક-નીચકનું નૃત્ય આજીવન ચાલે છે. હૃદયનો ધબકારો એક બાજુ અને નાડીનો ધબકારો બીજી બાજુ ચાલતા રહે છે. આ બંનેને જોડનાર બ્લડપ્રેશર છે.

લોહીનું જરા પણ દબાવું નહીં અને હૃદય અને રક્તવાહિનીઓનું ખેંચાવું અને પાછું યથાવત્ કદમાં આવી જવું એવી ગતિશીલ ક્રિયા કુદરતની એક અદ્ભુત કરામત છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=469725

હૃદયના ધબકાર અને નાડીના ધબકારને જોડતો તંતુ છે બ્લડપ્રેશર

બીજી રીતે કહીએ તો બ્લડપ્રેશર એટલે ૫૦ લિટરની બેગને પોતામાં રહેલ ઈલાસ્ટિકને કારણે દબાણથી સંકોચીને ૪.૮૫ લિટર જેટલી બનાવીને એમાં ૫ લિટર લોહીને ભ્રમણ કરાવે છે જેથી બેગ લોહી પર દબાણ કરે. કહેવાની જરૂર નથી કે જે દબાણ આ ઈલાસ્ટિક બેગ લોહી પર કરે છે એટલું જ દબાણ લોહી બેગ પર સામું કરે છે. આમ બંને પરસ્પર એકબીજા પર દબાણ કરે છે.

જે દબાણ લોહી બેગ - ધમનીઓ પર કરે છે તે બ્લડપ્રેશર છે અને જે દબાણ બેગ - ધમનીઓ લોહી પર કરે છે તે ધમનીઓનો અને શિરાઓનો પોતાના ઈલાસ્ટિક અને સ્નાયુઓના સંકોચાવાને કારણે લોહી પર થતું દબાણ છે જેને ધમનીઓનો ઝજ્ઞક્ષય - તણાવ કહેવામાં આવે છે.

આ બંને પરિબળો - ભ્રમણ કરતાં રક્તનું પ્રમાણ અને ધમનીઓનું પોતાનો અંતર્ગત ટોન - સંકોચાવાનું દબાણનું પ્રમાણ વ્યક્તિગત રહેશે. આને કારણે એ પ્રમાણનો આંક બધામાં એકસરખો નહીં રહે પણ એક ટપ્પામાં જોવા મળશે. એટલે એના ગ્રાફ બનાવીએ તો એ ઘંટાકાર દેખાશે. (ગજ્ઞળિફહ ઉશતિિંશબીશિંજ્ઞક્ષ) બ્લડપ્રેશર પરના નિષ્ણાતે કહ્યું છે કે બ્લડપ્રેશરનો બહુ વધુ કે બહુ નીચો આંકડો આ ઘંટાકાર વહેંચણીનો જ અંશ છે.

કોઈ બ્લડપ્રેશર વધુ નથી કોઈ બ્લડપ્રેશર ઓછું નથી એ તો આપણું માનસ છે તે એને

બનાવે છે.

માટે જ કેન્સરની જેમ જ બ્લડપ્રેશરની પણ દવા જેટલી તકલીફ હોય એ પ્રમાણે જ લેવી, બ્લડપ્રેશરના આંકડા પ્રમાણે નહીં. જેમ બળદ કાચની વસ્તુઓ વહેંચવાની દુકાનમાં ઘૂસીને બધું તોડી નાખે છે એમ દરેક બ્લડપ્રેશર માટેની દવા આખા શરીરમાં બધી જગ્યાએ આડેધડ નુકસાન કરે છે એટલે દવાની ખૂબ જ આડી અસરો થાય છે.

બ્લડપ્રેશર ધમનીઓનું અને સિરાઓનું પોતાનું જ સંકોચન દબાણ જ્ઞિંક્ષય છે. જો ઈલાસ્ટિક બેગનું ઈલાસ્ટિક ઢીલું પડી ગયું હોય તો તમે એમાં ગમે તેટલું પ્રવાહી ભરશો તો પણ બેગ ભરાશે નહીં. શરીરમાં એક જ પગમાં ૫ લિટર લોહી સમાઈ શકે એટલી રક્તવાહિનીઓમાં જગ્યા છે. એટલે ધમનીઓ અને શિરાઓ પોતાનામાં જ સંકોચનનું બળ ન હોય તો બધું લોહી પોતાનામાં જ રાખશે તો બિચારું હૃદય ક્યાંથી લોહીને આખા શરીરમાં ફેરવશે?

એક બાબત બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. શરીરમાં ભ્રમણ કરતું લોહી ૫ લિટર છે. ધમનીઓ અને શિરાનો લોહી સમાવવાનો વિસ્તાર ૪.૫ લિટરનો રાખવો જોઈએ. આમ લોહીનો ભ્રમણ કરતો પુરવઠો કરતાં શરીરની ધમનીઓ, શિરા અને હૃદય મળીને લોહીને સમાવવાની જગ્યા થોડી ઓછી હોવી જોઈએ જેથી લોહી દબાણને કારણે આખા શરીરમાં સુખરૂપ ભ્રમણ કરી શકે. આ તાલમેલને કારણે જે દબાણ થાય તે આંક સરખો ન રહે. જીવ જગતની વિશેષતા પ્રમાણે તેની વહેંચણી એક ટપ્પામાં થાય છે તે માટે દરેક વ્યક્તિમાં જોવા મળતા આંકડાને તેનું નોર્મલ બ્લડપ્રેશર કહી શકાય. બ્લડપ્રેશર ઉપરનું જુતજ્ઞિંહશભ અને નીચેનું ઉશફતજ્ઞિંહશભ. ઈલાસ્ટિક - સ્નાયુઓની રક્તાભિસરણ બેગની મધ્યમાં હૃદય છે જેના સ્નાયુનું પડળ બહુ મજબૂત છે. તેમાંથી ધમની અને શિરાઓ જાણે શાખા સમાન ફૂટે છે.

જ્યારે હૃદય સંકોચાય ત્યારે ધમનીઓમાં એ જોશ સાથે લોહી ધકેલે છે. એ આ જે જોશથી - દબાણપૂર્વક ધમનીમાં લોહી પ્રવેશે છે. નાડી પહોળી થાય છે એને કારણે આપણને નાડીના ધબકારા મળે છે. આ જે દબાણ - પૂર્વક લોહી ધમનીમાં પ્રવેશે છે એ દબાણને આપણે હાથમાં બ્લડપ્રેશરના ઉપરના આંકડા તરીકે માપીએ છીએ. ૠઊં જુતજ્ઞિંહય - ઈજ્ઞક્ષિિંફભશિંજ્ઞક્ષ હૃદયનું દબાવું/સંકોચાવું. પછી જેવું હૃદયના સ્નાયુઓ એનું સંકોચન છોડીને લાંબા થાય - હૃદય આરામ કરે ત્યારે ધમનીઓને દબાણ સાથે પ્રવેશેલા લોહીને સ્વીકારવા ખેંચાઈને પહોળી થઈ હતી તે હવે પોતે પોતાની મૂળ પરિસ્થિતિ પર (જેમ ઈલાસ્ટિકને ખેંચ્યું હોય પછી જેવું ખેંચાણ છોડી દઈએ એટલે મૂળ લંબાઈ/પહોળાઈમાં આવી જાય) આવી જાય છે અને લોહીનું ભ્રમણ ચાલુ રહે છે. ધમનીઓ આ રીતે પોતાના મૂળ કદ પર આવી જાય ત્યારે જે દબાણ ભ્રમણ કરતા લોહી પર આવે તે દબાણને (ૠઊં. ઉશફતજ્ઞિંહય - ઊડ્ઢાફક્ષતશજ્ઞક્ષ) નીચેનું દબાણ કહેવાય છે. આમ હૃદયનું સંકોચાવા સાથે (જુતજ્ઞિંહય) ધમનીઓ સાથે વિકસેલું છે અને હૃદયના વિકસવા સાથે ધમનીઓ

સંકોચાય છે.

આખાય રક્તાભિસરણ માર્ગની વાહિનીઓમાં સ્નાયુ અને ઈલાસ્ટિક તાંતણાઓને કારણે પોતાનું અંતર્ગત દબાણ હોય છે. જેમ ઈલાસ્ટિક આપણે ખેંચીએ ત્યારે એને ખેંચવા માટે આપણે જે બળ વાપરવું પડે છે એ ઈલાસ્ટિક તાંતણાઓનું આંતર્ગત દબાણ સામે હોઈએ છીએ. એ આખા રક્તાભિસરણ તંત્ર કેટલું સક્ષમ છે એ જણાવે છે. હૃદય કેટલું સંકોચાઈ અને વિકસી શકે છે અને એ જ પ્રમાણે ધમનીઓ અને શિરા કેટલા સંકોચાઈ અને વિકસી શકે છે એની જાણ આપણને કરે છે. ડૉક્ટરી શીખતા વિદ્યાર્થીઓ, ડૉક્ટરો પોતે આમ આદમી સર્વે હૃદયના સંકોચાવાની સક્ષમતા પર ભાર મૂકે છે અને ભૂલી જાય છે કે હૃદય અને ધમનીઓનું વિકસવું/આરામ કરવો એ સંકોચાવાની ક્રિયા જેટલું જ અગત્યનું છે. બીજી મહત્ત્વની વાત છે બાવડામાં રહેલ ઇશભયાત - બાયસેપ્સ - સ્નાયુને તમે જેટલો વધુ (મર્યાદામાં રહીને) ખેંચી શકો - લંબાવી શકો એટલા વધુ જોશથી એ સંકોચાઈને કામ કરી શકે છે. આ હૃદય અને ધમનીમાં એટલું જ લાગુ પડે છે.

શિરાઓ હૃદયમાં લોહી પાછું લાવે છે. શિરા પાતળી દીવાલવાળા જમણા કર્ણકમાં લોહી ઠાલવે છે. લોહી પાછું લાવનાર અને જમણા કર્ણક વચ્ચે કોઈ વાલ્વ હોતો નથી. લોહી કર્ણકમાંથી ક્ષેપકમાં જાય છે. જે હૃદયનું ઙજ્ઞૂયિ ઇંજ્ઞીતય છે. માનવ હૃદયનું સ્વાસ્થ્ય અને માંદગી બંને બંનેનો આધાર હૃદયના ક્ષેપક પર છે. જો ડૉક્ટર કહે કે તમારું હૃદય ફેઈલ થઈ રહ્યું છે તો એ તમારા ક્ષેપક ટયક્ષિિંશભહયત જમણા, ડાબા કે બંનેની વાત કરે છે. જો એ ફક્ષલશક્ષફ - એન્જિના કે શક્ષરફભિશિંજ્ઞક્ષ ઈન્ફાર્કેશન કહેતા હોય તો તેઓ ડાબા / જમણા / બંને વચ્ચે રહેલ અને તયાિીંળ / ાફિશિંશિંજ્ઞક્ષ / પડદાની વાત કરી રહ્યા છે.

ક્ષેપક અને કર્ણક વચ્ચે અને ક્ષેપક અને ધમની વચ્ચેના માર્ગ પર વાલ્વ સુરક્ષા કરે છે જેથી લોહી પાછું ન ફરે. જે લોહી હૃદયમાં ઠાલવવામાં આવે એને શિરા દ્વારા પાછું લાવેલ લોહી ટયક્ષીજ્ઞત-યિિીંક્ષિ-જ્ઞિં-વિંય વયફિિં કહેવામાં આવે છે. આમાં કર્ણક જાણે કે શિરામાંથી લોહી શોષે છે. ક્ષેપક ધમનીઓના પ્રતિકાર સામે દબાણ સાથે લોહી તેઓમાં ધકેલે છે. આને ઈફમિશફભ ઘીિાંીિં હૃદયમાંથી બહાર મોકલાતું લોહી - જે આશરે ૭૦ સીસી પ્રત્યેક ધબકારા સાથે ધમનીમાં જાય છે. એક રસદાયક હકીકત છે કે કર્ણકમાંથી લોહી બહુ ઓછા દબાણથી ક્ષેપકમાં પ્રવેશે છે. પરંતુ ક્ષેપક એને સ્વીકારવા પોતાના સ્નાયુઓનું સંકોચનની તાણ ઘટાડીને અંદરની જગ્યા વધારતું જાય છે. જેમ ક્ષેપક વિકસે એટલું એ વધુ જોરપૂર્વક સંકોચન કરી શકે છે. માટે જેમ હૃદયમાં લોહીનો પુરવઠો શરીરમાંથી પાછો વધુ ફરે એટલું એ વિસ્તૃત થઈને તે એટલું જ સબળ સંકોચન કરે છે. આને સ્ટાર્લિંગ નિયમ ઙવુતશજ્ઞહજ્ઞલુ શરીરકાર્ય શાસ્ત્રમાં કહેવામાં આવે છે. એટલે એ યાદ રાખવું જરૂરી છે કે જો શિરા દ્વારા હૃદયમાં ઓછું લોહી ફરે તો હૃદયમાંથી બહાર પડતું લોહીનું પ્રમાણ અને પ્રેશર પણ એટલું ઘટે છે.

તબીબી શાસ્ત્રમાં એક ફોર્મ્યુલા છે.

ઇઙ=ઈફમિશફભ ઘીિાંીિં (ઈઘ)ડ્ઢઙયશિાવયિીહ યિતશતફિંક્ષભય (ઙછ)

ઉપર જોયું તેમ હૃદય ક્ષેપકમાંથી પ્રત્યેક ધબકારે ધમનીમાં ધકેલાતા રક્તના પ્રમાણને કાર્ડિઆક આઉટપુટ કહેવામાં આવે છે અને ધમનીઓમાં જ્યારે બળપૂર્વક લોહી મોકલવામાં આવે છે ત્યારે ધમનીઓ વિકસીને એ લોહીને સ્વીકારવા માટે પ્રતિકાર કરે એટલે કે એમાં આવતા લોહી પર દબાણ કરે એને ઙયશિાવયિીહ યિતશતફિંક્ષભય (ઙછ) કહેવામાં આવે છે.

હવે સમજી શકાશે કે હૃદય અને રક્તવાહિનીઓ વચ્ચે અરસપરસ વિરોધીનો સંબંધ છે. જ્યારે હૃદય સંકોચાય ત્યારે શરીરની ધમનીઓમાં લોહીનો પ્રવાહ આવે છે અને જ્યારે ધમનીઓ લંકોચાય ત્યારે હૃદય વિકસે છે. હૃદયધમનીઓ હૃદયને જરૂરી વાયુ અને પોષણ પૂરાં પાડે છે. એક પણ અંતરાય વિના આવું ઉચક-નીચકનું નૃત્ય આજીવન ચાલે છે. હૃદયનો ધબકારો એક બાજુ અને નાડીનો ધબકારો બીજી બાજુ ચાલતા રહે છે. આ બંનેને જોડનાર બ્લડપ્રેશર છે.

લોહીનું જરા પણ દબાવું નહીં અને હૃદય અને રક્તવાહિનીઓનું ખેંચાવું અને પાછું યથાવત્ કદમાં આવી જવું એવી ગતિશીલ ક્રિયા કુદરતની એક અદ્ભુત કરામત છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=470278

આધુનિક તબીબીશાસ્ત્ર પાસે હૃદયરોગના શાંત હુમલાની કોઈ સમજણ નથી

હૃદયરોગમાં વપરાતી સામાન્ય પરિભાષા

હૃદયરોગનો હુમલો ખરેખર શું છે?

ડૉક્ટરો જ્યારે રોગનું નામ પાડે છે ત્યારે એમ

માની લે છે કે અમે દર્દી માટે ઘણું કામ કર્યું.

ઇમ્યુઅલ કાન્ટ

ડૉક્ટર તમારા રોગનું નામ આપી શકે એનો અર્થ

એમ નથી થતો કે એ ખરેખર શું છે એ જાણે છે.

ખીિાવુ’ત કફૂ

હૃદયધમનીના રોગમાં હૃદયધમનીનું આંતરિક પોલાણ ચરબી અને અન્ય પદાર્થોનું આંતરત્વચા પર જામી જવાને કારણે (અવિંયજ્ઞિળફજ્ઞિંીત ઙહફિીય, અવિંયજ્ઞિળફ) સંકોચાઇ જાય છે. હૃદયરોગના વિવિધ ચહેરા જોવા મળે છે, જેમ કે છાતીમાં અવારનવાર શ્રમ કરતા દુખાવો થવો (ઉર:શૂળ ફક્ષલશક્ષફ), હૃદયને ઓછું લોહી મળવું હોવા છતાં શાંત રહે (તશહયક્ષિં શતભવયળશફ), છાતીમાં દુખાવો વધુ-ઓછો રહે (અસ્થાયી ઉર:શૂળ ીક્ષતફિંબહય ફક્ષલશક્ષફ), હૃદયરોગનો હુમલો (વયફિિં ફિિંંફભસ, ળુજ્ઞભફમિશફહ શક્ષરયભશિંજ્ઞક્ષ), હૃદયના ધબકારાની અનિયમિતતા (ફિવિુવિંળશફત), હૃદયનું કામ નબળું પડી જવું (વયફિિં રફશહીયિ) અને અચાનક મૃત્યુ (તીમમયક્ષ મયફવિં), આ બધા માટે હૃદયરોગને જવાબદાર ગણવામાં આવે છે. હૃદયધમનીના પોલાણમાં અવરોધ-બ્લોક થતાં જ્યારે હૃદયના સ્નાયુકોષોનું એકદમ નુકસાન થાય છે ત્યારે એને માટે બહુ જ પ્રચલિત શબ્દ હૃદયરોગનો હુમલો (વયફિિં ફિિંંફભસ) વાપરવામાં આવે છે. હૃદયના સ્નાયુકોષોનું જે નુકસાન થાય છે એને ળુજ્ઞભફમિશફહ શક્ષરફભિશિંજ્ઞક્ષ(ખઈં) કહેવામાં આવે છે. ળુજ્ઞભફમિશીળ હૃદયના સ્નાયુકોષને કહેવામાં આવે છે અને શક્ષરશિંજ્ઞક્ષ એટલે તેને કારણે તેમનો નાશ થવો. હૃદયધમનીઓને અંગ્રેજીમાં ભજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંશિયત કહેવામાં આવે છે. હૃદયધમનીઓને જે રીતે ગોઠવાઇ છે એ સ્થાનના આધારે જાણે કે હૃદયે પોતાના પર ધમનીઓનો સરતાજ પહેર્યો છે.

એમ મનાય છે કે હૃદયધમનીમાં ઊપજેલ આંતરિક અવરોધ (બ્લોક)ને કારણે હૃદયને પૂરતું લોહી પહોંચતું નથી એટલા માટે એને શતભવયળશભ વયફિિં મશતયફતય- અપૂરતા લોહીનો હૃદયરોગ કહેવાય છે અથવા ભજ્ઞજ્ઞિક્ષફિુ ફિયિંિુ મશતયફતય - હૃદયધમનીનો રોગ કહેવામાં આવે છે. આવા અપૂરતા લોહીના પુરાવાને કારણે શ્રમ કરતાં છાતીમાં જે દુખાવો થાય છે એને અંગ્રેજીમાં અક્ષલશક્ષફ ઙયભજ્ઞિંશિત (ફક્ષલશક્ષફ = દુખાવો ાયભજ્ઞિંશિત છાતીનો આગળનો ભાગ) કહેવામાં આવે છે. છાતી સિવાય અન્ય જગ્યાએ પણ દુખાવો થાય, જ્યારે આ દુખાવો અચાનક અને અસહ્ય ઊપડે છે ત્યારે જાણે કોઇએ હૃદય પર હુમલો કર્યો હોય એવું લાગે છે માટે અંગ્રેજીમાં ઇંયફિિં અિિંંફભસ અને ગુજરાતીમાં હૃદયરોગનો હુમલો કહેવામાં આવે છે. હવે તો મગજમાં પણ જ્યારે લોહીના પ્રવાહના અટકી જવાથી પક્ષઘાત થાય છે ત્યારે અત્યાર સુધી વપરાતા શબ્દ જિિંજ્ઞસય સાથે ઇફિશક્ષ અિિંંફભસ મગજ હુમલો એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે.

હૃદયરોગના હુમલાના શબ્દપ્રયોગમાં એક ક્ષતિ છે. ઘણીવાર છાતીમાં ખૂબ દુખાવો થાય પણ હૃદયના સ્નાયુકોષોને જરા પણ નુકસાન થયું ન હોય અને ઘણીવાર છાતીમાં જરા પણ દુખાવો ન ઊપડ્યો હોય પણ હૃદયના સ્નાયુકોષોને સારું એવું નુકસાન પહોંચ્યું હોય એવું પણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો રોગ હોવા છતાં વ્યક્તિને કોઇ જ તકલીફ થતી નથી. તબીબીશાસ્ત્રમાં આવી તકલીફ ન આપનાર રોગને તશહયક્ષિં - શાંત રોગ કહેવામાં આવે છે. સાધારણ રીતે પીડાના દુખાવાના કારણ માટે બધાને એમ સમજાવવામાં આવે છે કે હૃદયને ઓછું લોહી મળતાં એ દુખાવો કરીને પોતાની ફરિયાદ રજૂ કરે છે. હવે આ દુખાવો જ્યાં થાય છે- છાતી, ડાબો હાથ, ડાબી બાજુનું ગળું, ડાબું જડબું, પીઠ અથવા પેટના ઉપરના ભાગમાં-ત્યાં ખરેખર હૃદય નથી એટલે આવા દુખાવાને છયરયિયિમ ઙફશક્ષ- (હૃદય) સંબંધિત દુખાવો કહેવામાં આવે છે. આધુનિક તબીબીશાસ્ત્ર પાસે ૨૫ થી ૪૦ ટકા હૃદયરોગના હુમલા જે શાંત, તકલીફ આપ્યા વગરના થાય છે, એની કોઇ સમજણ નથી. આવા શાંત હુમલા એકથી વધુ વાર પણ આવી શક્યા હોય પણ વ્યક્તિ તો શાંતિથી અને સુખેથી પોતાનું જીવન જીવી શકે છે. ક્યારેક આવો ચુપકીથી આવેલ હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક બને છે. આવા હુમલા વખતે કોઇક વાર વ્યક્તિ હૃદયના અત્યંત દુખાવા, તવજ્ઞભસ કે હૃદય કે મગજને લોહી ન મળવાથી શુદ્ધિ ખોઇ બેસે છે.

જે વ્યક્તિને હૃદયરોગના હુમલામાં દુખાવો ઊપડે એને એક ફાયદો થાય છે કે એ દુખાવા તરફ વ્યક્તિનું ધ્યાન દોરાય છે, બીજા આસપાસના લોકોનું ધ્યાન દોરાય છે અને કટોકટીનું વાતાવરણ સર્જાય છે અને રાહતના પગલાંઓ તાત્કાલિક લેવાય છે. ડૉક્ટરો દોડીને આવે છે અને તરત જ દુખાવામાં રાહત અપાય છે. નાડી, બ્લડપ્રેશર, હૃદયના ધબકારાની નિયમિતતા વગેરે જીવનધારક જરૂરી માપદંડો પર સતત ધ્યાન આપવામાં આવે છે અને હૃદયધમનીમાં થયેલ અવરોધ/બ્લોકને દૂર કરવા માટે જરૂરી દવા અને અન્ય શરીરછેદક ઇલાજ કરવામાં આવે છે. આ જાતની સક્રિયતા ખરેખર રોગીની જીવી જવાની શક્યતા વધારે છે અને મૃત્યુને અટકાવી શકે છે કે નહીં એ તો માત્ર સ્ટેટીસ્ટીક્સના આંકડાઓ જ નક્કી કરે છે. વ્યક્તિગત એની ઉપયોગિતાનો પ્રશ્ર્નાર્થ ચિહ્ન જ રહે છે.

હૃદયરોગ અને દુખાવો

૧) અહીં બે મહત્ત્વના શબ્દો છે- દર્દી અને રોગ. અંગ્રેજીમાં દર્દી માટે વપરાતો શબ્દ-ઙફશિંયક્ષિં સંસ્કૃત શબ્દ પાપમ અને લેટીન શબ્દ પતિ અને ગ્રીક પેટોસ એ ત્રણેય પરથી આવ્યો છે અને ત્રણેયનો અર્થ દુખાવો અને સહન કરવું એમ થાય છે. રોગ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ઉશતયફતય ફ્રેંચ શબ્દ ઉયત = ક્ષજ્ઞિં , નહીં ફશતય= યફતય, સુખ પરથી આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો સુખ નથી એટલે શારીરિક અસુખ હોવું ઉશત-યફતય રોગ. આના પરથી પાઠ એમ ભણવાનો કે જો તમને દુખાવો ન હોય, બીજી કોઇ તકલીફ ન હોય, બેચેન ન હોય તો તમે ઙફશિંયક્ષિં - દર્દી નથી. સંજોગવશાત્ કાર્ડિયોગ્રામમાં કંઇ ફેરફાર દેખાય, બ્લડપ્રેશર વધી ગયું હોય, કોરોનરી એન્જિયોગ્રામમાં ખરાબ રિપોર્ટ આવ્યો હોય કે પછી કોઇ પણ રિપોર્ટ બરાબર ન હોય પણ તમે પોતે સ્વસ્થ હોય, તમને કોઇ તકલીફ ન હોય તો રોગનું નિદાન કે ઉપચાર કરવાથી કોઇ અર્થ સરતો નથી. હોરર્સ કાયદો છે જે કહે છે કે જે વ્યક્તિને કોઇ તકલીફ ન હોય, ચેનથી જીવતો હોય એને કોઇપણ રીતે ચેન પહોંચાડવું અશક્ય છે. રોગનું નિદાન કરીને અને અથવા ઉપચાર કરીને તમે એ વ્યક્તિને બેચેન જ કરી શકો. સબક: તમારા શરીરમાં ઘણા જુદા જુદા રોગોનું નિદાન કરી શકાય એવા ફેરફાર તમારા શરીરમાં થયા હોય પણ તમે આરામથી જીવતા હો તો તમે તમારા ડૉક્ટરથી વધુ લાંબું જીવી શકો.

૨) એન્જાઇના (અક્ષલશક્ષફ)દુખાવો અને પેક્ટોરિસ (ઙયભજ્ઞિંશિત) = છાતી માટે એન્જાઇના પેક્ટોરિસનો અર્થ થાય છે છાતીમાં દુખાવો. હવે જ્યારે જ્યારે એન્જાઇના શબ્દ વાપરવામાં આવે છે ત્યારે માની લેવામાં આવે છે કે એને એન્જાઇના પેક્ટોરિસ સમજવું. છાતીમાં દુખાવો નજીવો હોય કે ખૂબ, એ એક ડરામણું લક્ષણ છે અને એને હૃદયરોગ સાથે જ જોડાયેલ છે એમ માની લેવામાં આવે છે. માટે જ તો દુનિયાભરમાં છાતીના દુખાવા સાથે જ ખેલ, ઉચાટ અને તણાવ જોવા મળે છે. છાતીના દુખાવાને હૃદય રોગ સાથે જોડતાં પહેલાં ચેતવણી આપવી જરૂરી છે જે હવે પછીનો ત્રીજો મુદ્દો સ્પષ્ટ કરશે.

૩) (ક) જે વ્યક્તિમાં કોરોનરી એન્જિયોગ્રામ બરાબર હોય, કોઇ બ્લોક દેખાતા ન હોય તો પણ તેને એન્જાઇના કે હૃદય રોગનો હુમલો હોઇ શકે.

(ખ) લગભગ ૪૦ % હૃદયરોગના હુમલા ઇંયફિિં અિિંંફભસ - ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંિિં ઉશતયફતય પ્રાણઘાતક નીવડે છે. સાથે એન્જાઇના હોય કે ન હોય અપૂરતા લોહીના

પુરવઠાને કારણે આને જશહયક્ષિં ઘતભવયળશફ કહેવામાં આવે છે. ૧૩ ઑગસ્ટ, ૨૦૧૧ના ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં રિપોર્ટ આપવામાં આવ્યો છે કે છાતીનો દુખાવો થવો અને હૃદયરોગનો હુમલો એકબીજાના પર્યાય શબ્દો નથી. પેન્સિલવિલિયા યુનિવર્સિટીનાં સંશોધકોએ જણાવ્યું છે કે ૩૦૦૦થી વધુ દર્દીઓના અભ્યાસ પરથી એટલું સમજાણું છે કે છાતીનો ખૂબ દુખાવો હોય તો એ હૃદયના સ્નાયુકોષોનો વિનાશ થયો છે -ખુજ્ઞભફમિશફહ શક્ષરફિભશિંજ્ઞક્ષ એટલે કે ઇંયફિિં અિિંંફભસ હૃદયરોગનો હુમલો આવ્યો છે કે નહીં એને કોને આગલા મહિનામાં હૃદયરોગનો હુમલો આવશે એવું જાણી શકાતું નથી. એનાથી ઊલટું પણ એટલું જ સત્ય છે છાતીનો દુખાવો સખત ન ઊપડ્યો હોય તો એનો અર્થ હૃદયરોગનો હુમલો નથી એવું નથી.

(ગ) છાતીમાં જે કંઇ દુખાવો ઊપડે (અક્ષલશક્ષફ) એમાં મોટા ભાગની વ્યક્તિઓમાં એને હૃદય સાથે કંઇ સંબંધ હોતો નથી. છાતીની અંદર બીજા ઘણા અવયવો છે અને તેઓ પણ છાતીનો દુખાવો કરી શકે છે. એન્જાઇના (અક્ષલશક્ષફ)= દુખાવો શરીરમાં પછી એ ભલે કોઇ પણ જગ્યાએ થાય. તબીબીક્ષેત્રના શબ્દકોશમાં ૫૦ પ્રકારના એન્જાઇનાની યાદી બનાવવામાં આવી છે. અક્ષલશક્ષફ ઙયભજ્ઞિંશિત અર્થ થાય છાતીમાં દુખાવો. સાધારણ રીતે એ છાતીના ડાબા ભાગ તરફ વધુ થાય અને પછી ઉપર ડાબા ખભા પર અને ડાબા હાથ પર અને ડાબી બાજુ જડબાં પર ફેલાય છે. આમ જનતા માટે એન્જાઇના પેક્ટોરીસને ટૂંકાવીને માત્ર એન્જાઇના શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.

(એન્જાઇનાના પ્રકાર નીચે પ્રમાણે છે.)

૧) સ્થાયી ઉર:શૂળ (જફિંબહય ફક્ષલશક્ષફ) : આ પ્રકારનું દર્દ જ્યારે વ્યક્તિ શારીરિક પરિશ્રમ કરે છે ત્યારે થાય છે અને સોર્બીટ્રેટની ગોળી મોઢામાં જીભ નીચે મૂકતાં તરત જ આરામ મળે છે.

૨) અસ્થાયી ઉર:શૂળ (ઞક્ષતફિંબહય ફક્ષલશક્ષફ) : આ પ્રકારનો છાતીનો દુખાવો કેટલી માત્રામાં થશે અને ક્યારે થશે એ બહુ બદલાતું રહે છે. એ તો વ્યક્તિ આરામના પાઠમાં હોય ત્યારે પણ થાય છે. એને આવનારા હૃદયરોગના હુમલાની ચેતવણીનો ઘંટ માનવામાં આવે છે.

૩) શાંત ઉર:શૂળ (જશહયક્ષિં ફક્ષલશક્ષફ) : આ શબ્દ પ્રયોગ ખોટો છે. શબ્દનો અર્થ થાય કે ઉર:શૂળ કરતું નથી. આ પ્રકારનું ઉર:સ્થૂળ અને દુખાવા વગરનો હૃદયરોગનો હુમલો બંને થાય છે અને એ વ્યક્તિનું જરા પણ ધ્યાન દોરતી નથી. શાંત ઉર:શૂળને શાંત અપૂરતો લોહીનો પુરવઠો (જશહયક્ષિં શતભવયળશફ) કહેવું વધુ ઉચિત ઠરશે.

૪) પ્રીન્ઝમેટલનું ઉર:શૂળ અથવા અનોખું ઉર:સ્થૂળ (ઙશિક્ષળયફિંહ’ત ફક્ષલશક્ષફ જ્ઞિ ટફશિફક્ષિં ફક્ષલશક્ષફ) : અહીં આરામ કરતી વખતે છાતીમાં દુખાવો થાય છે, જ્યારે છાતીમાં દુખતું ન હોય ત્યારે સ્ટ્રેસ ટેસ્ટ (જિિંયતત ઝયતિ)ંમાં ક્યાંય બગાડ દેખાતો નથી. આ હૃદયધમનીના રોગને કારણે નહીં, પણ હૃદયધમનીમાં તાણ આવવાથી થાય છે, એમ માનવામાં આવે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=470888

ઈસીજી મશીને માનવજાત માટે એટમબોમ્બ કરતાં વધુ નુકસાન કર્યું છે

તપાસ

બહુ ઓછા ડૉક્ટરોને અને ઘણા ખરા રોગીઓને ખબર નથી હોતી કે અંગ્રેજીમાં તપાસ માટે વપરાતો શબ્દ શક્ષદયતશિંલફશિંજ્ઞક્ષ શબ્દ ટયતશિંલય પરથી આવ્યો છે અને ક્ષ શબ્દનો અર્થ થાય નિશાની-રોગના થોડા રહી ગયેલ પગનાં નિશાન. કેનેડાના ડૉક્ટર રેન્ગે કહ્યું છે કે આ બધી તપાસો એક તબીબીક્ષેત્રના અડપલાં છે પણ એનામાં એક સાજીસમી વ્યક્તિનું રોગીમાં રૂપાંતર કરવાની શક્તિ છે, એટલે જ જ્યારે ચેકઅપ ક્લિનિકને વ્યંગમાં કહેવામાં આવે છે કે એ એવી વિશિષ્ટ જગ્યા છે જ્યાં વ્યક્તિ પ્રવેશે છે અને રોગી બહાર પડે છે. હૃદયરોગ સંબંધી બધી જ તપાસો જાણવા માગે છે કે હૃદયધમની, લોહી અને હૃદયના શું હાલ છે, છાશવારે નવી તપાસ માર્કેટમાં આવે છે અને એની વધતી જતી યાદીનો કોઇ અંત આવતો નથી, છતાં એવી એક પણ તપાસ નથી કે જે કહી શકે કે હૃદયરોગનો હુમલો આવશે કે નહીં અને હૃદયરોગનો હુમલો સાચો આવ્યા પછી વ્યક્તિ જીવશે કે નહીં.

આધુનિક તપાસો સૌ વિજ્ઞાનને આધારે છે એમ દેખાતું હોવા છતાં તે તપાસો અને વિજ્ઞાન વ્યક્તિને દર્દીને કે હૃદયરોગ શાસ્ત્રને મદદ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. ન્યુ સાયન્ટિસ્ટ એના ૨૭મી ઑગસ્ટ ૨૦૧૬ના અંકમાં લખે છે કે આવી એક પણ તપાસથી દર્દીને કોઇ જ ફાયદો થતો નથી. એ તપાસ ભવિષ્યમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટાડી શકતું નથી અને મૃત્યુ અટકાવી શકતું નથી, તેમનાથી નુકસાન થવાની શક્યતા વધુ છે. બધી તપાસોને જીવરસાયણશાસ્ત્રની (ઇશજ્ઞભવયળશભફહ) પ્રતિકારશક્તિ સંબંધિત (છફમશજ્ઞ શળફલશક્ષલ), ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક (ઊહયભિિંજ્ઞભફમિશજ્ઞલફિાવશભ) અને ક્ષકિરણોથી છબી લેવી (ઈંળળીક્ષજ્ઞહજ્ઞલશભફહ) તરીકે જુદા જુદા ગ્રુપમાં વહેંચી શકાય.

ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઊઈૠ)

આ એક નિરંતર ચાલનાર પ્રક્રિયાનો સ્થગિત રિપોર્ટ છે. એ જે ક્ષણે નોંધવામાં આવ્યો હોય તે ક્ષણે જ શું સ્થિતિ હતી એ કહી શકે છે પણ એનાથી વિશેષ એ ભરોસાપાત્ર નથી. સવારે જ ૯.૩૦ વાગ્યે કાઢેલો કાર્ડિયોગ્રામ સવારે ૯.૪૦ વાગ્યે હૃદય કેવી રીતે કાર્ય કરે છે એ જાણવા માટે ઉપયોગી થતો નથી. એટલે જ ઘણી વાર કાર્ડિયોગ્રામ એકદમ બરાબર છે એમ હાશ સાથે રૂમની બહાર પડતાં માણસને હૃદયરોગનો ઉગ્ર હુમલો આવે છે અને કોઇ વાર અચાનક ઢળી પડે છે. કાર્ડિયોગ્રામ કરવાની પદ્ધતિ-ટેક્નિકને ઊહયભિિંજ્ઞભફમિશજ્ઞલફિળ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે અને એના મશીનને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહેવામાં આવે છે. હોલ્ટર ટેક્નિકથી ૨૪ કલાક સતત કાર્ડિયોગ્રામ લેવામાં આવે છે જેથી વ્યક્તિ જે કંઇ કામ કરે કે આરામ કરે છે એનો ખયાલ આવે. પણ એના પર પણ આવતી ક્ષણે હૃદય કેવી રીતે કામ કરશે એ જાણવા માટે આધાર રાખી શકાય નહીં.

મુંબઇના બહુ જ પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાતે કહ્યું છે કે ઊઈૠ મશીને માનવજાત માટે એટમબોમ્બ કરતાં વધુ નુકસાન કર્યું છે. ક્રીસ્ટીઆન બાર્નાર્ડ, દુનિયાભરમાં માણસમાં સૌપ્રથમ હૃદયનું પ્રત્યારોપણ (વયફિિં ફિંતાફહયક્ષિ)ં કરનાર દક્ષિણ આફ્રિકાના સર્જને ઇસીજી મશીન માટે કહ્યું છે "ઇસીજીમાં દેખાતી વાંકીચૂંકી લીટી તો એક હસતા રમતા આનંદથી જીવતા માણસના હોશકોશ ઉડાવી દે છે અને એનું જીવન ભયભીત, દુ:ખી અને નિરાશાભર્યું બની જાય છે. હેરીસન, તબીબીક્ષેત્રના મહાગ્રંથના મુખ્ય લેખક અને તંત્રીએ એમના જીવનના અંતમાં એમ નિચોડ કાઢ્યો કે ડૉક્ટરો ઊઈૠશશિંતથી પીડાય છે અને એના દર્દીઓને ભગવાન એનાથી બચાવે.

ઇકોકાર્ડિયોગ્રાફી (ઊભજ્ઞભફમિશજ્ઞલફિાવુ) (૨-ઉ ઊભવજ્ઞ,ઉજ્ઞાાહયિ)

આ એક સાદી તપાસ છે અને એ ઉપયોગી પણ છે. આ તપાસ હૃદયના સ્નાયુઓની કાર્યક્ષમતાનો અંદાજ આપે છે, એ જ પ્રમાણે હૃદયના વાલ્વ અને લોહીનું ભ્રમણ હૃદયમાં કેવી રીતે ચાલી રહ્યું છે એનો ખયાલ આપે છે. સૌથી ઉપયોગી પરિણામ છે ઊઋ-ઊષયભશિંજ્ઞક્ષ - કટઊઋ - કયરિં ટયક્ષિિંશભીહફિ ઊષયભશિંજ્ઞક્ષ ઋફિભશિંજ્ઞક્ષ ઇજેક્શન ફ્રેક્શન જણાવે છે કે ડાબું ક્ષેપક કેટલું બળવાન છે એ કેટલા જોરથી લોહીને મહાધમનીમાં મોકલી શકે છે. ધ્વનિના મોજાના પડઘા પરથી જેમ આખા શરીરમાં અલ્ટ્રાસોનોગ્રાફી કે સોનોગ્રાફી કરવામાં આવે છે એના જ આધારે વધુ વિકસિત તપાસ ઇકોકાર્ડિયોગ્રાફી, ૨ - ઉ ઇકો છે. તે હૃદયના વાલ્વ કેવું કામ કરે છે તે કહી શકે છે હૃદયનો એકાદ ભાગ જો નબળો પડી ગયો હોય તો તે પણ નોંધે છે. રિપોર્ટમાં અને છઠખઅ - છયલશ૨જ્ઞક્ષફહ ઠફહહ ખજ્ઞશિંજ્ઞક્ષ અબક્ષજ્ઞળિફહશશિંયત એટલે કે આ જગ્યાએ હૃદયસ્નાયુઓ કામ બરાબર કરતા નથી એમ દેખાડવામાં આવે છે.

સ્ટ્રેસ ટેસ્ટ કે ટ્રેડમીલ ટેસ્ટ (જિિંયતત ઝયતિં જ્ઞિ ઝફિમયળશહહ ઝયતિ)ં

એક વિચિત્રતા અહીં જણાય છે. સાધારણ રીતે હૃદયરોગ નિષ્ણાત દર્દીને હૃદયની સંભાળ લેતા શ્રમ કરવાની ના પાડે છે પણ આ નિષ્ણાતો બરાબર એનાથી ઊંધું કરાવે છે. વ્યક્તિને કહે છે કે તું ત્યાં સુધી બસ ટ્રેડમીલ મશીન પર ચાલ્યા જ કર જ્યાં સુધી અમને તારા કાર્ડિયોગ્રામમાં ફેરફાર જોવા ન મળે! અને આ તપાસથી સાજા કે નબળા હૃદયનું શું થશે એ જાણી શકાતું નથી.

એન્જિયોગ્રાફી (અક્ષલશજ્ઞલફિાવુ)

હૃદયધમની પરની આ તપાસને અંગ્રેજીમાં ઈજ્ઞજ્ઞિક્ષફિુ અક્ષલશજ્ઞ ૠફિાવુ અથવા = ઈઅૠ - ઈજ્ઞજ્ઞિક્ષફિુ અક્ષલશજ્ઞ ૠફિાવુ એમ કહેવામાં આવે છે. આમાં હાથ કે પગ, પણ મોટે ભાગે જાંઘની મોટી ધમનીમાં એક કેથેટર (નળી) નાખવામાં આવે છે ત્યાં ધમનીને જરૂર નુકસાન થાય છે અને બીજાં વિપરીત પરિણામો પણ જોવા મળે છે. આ કેથેટર ૨ થી ૪ ફૂટનો ધમનીઓમાં પ્રવાસ કરીને હૃદયધમનીમાં પ્રવેશે છે. તેના આ ધમનીઓના પ્રવાસમાં તે ધમનીઓને પણ નુકસાન પહોંચે છે. આ કેથેટરમાં ડ-છફુ દ્વારા જોઇ શકાય એવી દવા (મુય) મોકલવામાં આવે છે. આથી કોરોનરી આર્ટરીસ-હૃદયધમનીઓમાંથી બહાર પડતી શાખાઓની છાયા જોવા મળે છે. આ શાખાઓ તો હૃદય સ્નાયુઓથી બહાર હોય છે એટલે ખરેખર હૃદય સ્નાયુઓને કેટલું અને કેવી રીતે લોહી પહોંચે છે એની ખબર પડતી નથી. હૃદયધમનીઓ પાછી વર્તુળાકારમાં ફરે છે એટલે એની છાયા પણ ભરોસાપાત્ર છપી આપી શકતું નથી. એટલે એક જ છબીમાં જુદા જુદા ડૉક્ટરને જુદા જુદા અવરોધો-બ્લોક્સ દેખાય છે. હૃદય નિષ્ણાતો વળી આવા છાયાચિત્રમાં વધુ બ્લોકને જોવા પ્રેરાય છે અને પોતે જ હૃદયધમનીઓને છેદીને ઉપાય કરે છે એને કારણે થતાં નુકસાન ઊપજતા બ્લોકની સામે આંખમીંચામણાં કરે છે.

આજ સુધી તો કોરોનરી એન્જિયોગ્રાફીની તપાસ અવિશ્ર્વસનીય અને ગેરમાર્ગે દોરનારી રહી છે.

ઉપચાર

આઇસીસીયુ (ઈંઈઈઞ-ઈંક્ષયિંક્ષતશદય ઈફમિશફભ ઈફયિ ઞક્ષશિ)ં

હૃદયરોગના ઉપચારમાં આ સૌથી વધુ પ્રભાવશાળી ભાગ ભજવવાનું કામ કરે છે. એના વગર તો હૃદયરોગના હુમલાની સંભાળ લઇ શકાય જ નહીં, એમ મનાય છે. તેમાં રાખવામાં આવતાં મશીનો બહુ જ વ્યવહારદક્ષ ગણાય છે અને તેમનું કાર્ય બહુ ચોકસાઇભર્યું હોય છે. આઇસીસીયુનું મુખ્ય કાર્ય છે કે જીવન ટકાવી રાખનાર શરીરનાં મુખ્ય કાર્યો, જેમ કે હૃદયના ધબકારા ચાલવા, શ્ર્વાસ ચાલવો, મૂત્ર વગેરે ઉત્સર્ગની ક્રિયા ચાલુ રાખવી, પોષણ લેવું ને જ્યાં સુધી શરીર પોતે પોતાની મેળે ટકી ન શકે ત્યાં સુધી તેને વ્યવસ્થિત આધાર આપવો. આવા આઇસીસીયુ જેનો ખર્ચો બહુ જ હોય છે એ ખરેખર કેટલાના જાન બચાવી શકે છે એ કહેવું મુશ્કેલ છે. અમેરિકામાં એને પ્રેશર કૂકર કહેવામાં આવે છે કારણ કે ત્યાં કામ કરતા ડૉક્ટરો, નર્સ અને અન્ય કાર્યકર્તાઓ અને ઉપચાર લેતા દર્દીઓના મગજમાં ખૂબ જ તણાવ પેદા કરે છે.

એન્જિયોપ્લાસ્ટી (અક્ષલશજ્ઞાહફતિું)

આ શબ્દનો અર્થ થાય છે હૃદયધમનીને સમારવી. પરંતુ હકીકતમાં હૃદયધમનીની આખી દીવાલને ચીરી ફાડે છે અને ખરેખર તો અક્ષલશજ્ઞહુતશત દીવાલને ફાડી નાખનાર કહેવું જોઇએ. આવી ફાડી ચીરેલી હૃદયધમનીમાં એક બાહ્ય વસ્તુ (ઋજ્ઞયિશલક્ષ ઇજ્ઞમુ) બેસાડવામાં આવે છે જેને સ્ટેન્ટ (જયિંક્ષિ)ં કહેવામાં આવે છે. એ મૂકવાનો ઇરાદો ધમનીના સાંકડા થઇ ગયેલ પોલાણને પહોળું કરવાનો હોય છે, પરંતુ આ બાહ્ય વસ્તુ ધમનીમાં મૂકવાથી એ હૃદયધમનીને છંછેડે છે, એટલે એ છેડાઇને એની આજુબાજુ લોહીની ગાંઠ બનાવે છે જેને અંગ્રેજીમાં ઝવજ્ઞિળબજ્ઞતશત = બહજ્ઞભસફલય બુ બહજ્ઞજ્ઞમ ભહજ્ઞિં કહેવામાં આવે છે, પછી તો એની ઉપર આગળ કોષોના લપેડા કરાય છે અને એથી થયેલ પૂરી ગાંઠને એન્ડોથેલિયોમા યક્ષમજ્ઞવિંયહશજ્ઞળફ કહેવામાં આવે છે. આ ખાસ તો જ્યાં સ્ટેન્ટનો છેડો હૃદયધમનીની આંતર્ત્વચાને કોતરતો હોય ત્યાં જોવા મળે છે. દવા લગાડેલા સ્ટેન્ડ (ળયમશભફયિંમ જયિંક્ષિ)ંમાં સ્ટેન્ડ પર એવી દવા લગાડવામાં આવે છે જે હૃદયધમનીના ઘાને રૂઝવવાની પ્રક્રિયા પર આડશ નાખે છે.

બાયપાસ (ઇુ ઙફતત)

આ શસ્ત્રક્રિયામાં હૃદયધમનીમાં જ્યાં અવરોધ/બ્લોક હોય એને વટાવી

જવા માટે શરીરની અન્ય જગ્યાએથી ધમની કે શિરાનો નાનો ટુકડો લઇને બ્લોકની પહેલાં અને પછી જોડવામાં આવે છે. ઘણું ખરું બે કે ત્રણ બાયપાસ કરવામાં આવે છે. જ્યાંથી શરીરના અન્ય ભાગમાંથી ટુકડો લો એના બે છેડા અને હૃદયધમનીમાં જ્યાં જોડો એ બંને છેડાઓ પર એમ ચાર જગ્યાએ દરેક બાયપાસ ધમનીમાં ઇજા પહોંચાડે છે. વળી એમાં પાછા ટાંકા લેવાય એટલે એનાથી વધુ ઇજા પહોંચે. જે અન્ય ધમનીનો ટુકડો લેવામાં આવ્યો હોય એને મૂળ જગ્યાએ જે રક્તવાહિનીઓ લોહી પોષણ પહોંચાડતી હતી એ ન રહેવાથી એ ટુકડાઓ જેને ગ્રાફ્ટ કહેવામાં આવે છે એટલે તે પણ શોષાઇને સંકોચાઇ જાય છે અને વહેલો મોડો બંધ પડી જાય છે.

એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ મૂકવાનું અને બાયપાસની શસ્ત્રક્રિયા આ બધા તપાસ અને ઉપચાર ગમે તેટલી સાવધાનીથી કરવામાં આવતા હોય તો પણ તેનાથી એટલી નાજુક હૃદયધમનીઓ પર બહુ જ જખમ પડે છે. હૃદયરોગ નિષ્ણાતો જે ઇચ્છનીય છે અને શીખવાડે છે એનાથી વિરુદ્ધ જ કાર્ય કરે છે, તેઓનું કહેવું છે કે હૃદયધમનીની આંતર્ત્વચા લોહીના ધસારાપૂર્વક થતા ભ્રમણને કારણે ઘણી જગ્યાએ છોલાઇ જાય છે એ આંતર્ત્વચાના કાણામાં લોહીની ગાંઠના પદાર્થો અને ચરબી વગેરે જમા થવાથી અવિંયજ્ઞિળફજ્ઞિંીત ઙહફિીયત, ચરબીના અવરોધો ઊભા થાય છે. એ જ હૃદયરોગનું કારણ છે, પણ હૃદયરોગના નિષ્ણાતો પોતે જ હૃદયધમનીના છેદન કરતી તપાસ અને સમારકામ કરતા ઉપચારોથી હૃદયધમનીની દીવાલને અને ખાસ તો આંતર્ત્વચાને કુદરત કદાચ કરતી હશે એનાથી વધુ નુકસાન પહોંચાડે છે.

હૃદયધમની છેદનની તપાસ અને ઉપચારની પ્રક્રિયા (ઈંક્ષદફતશદય મશફલક્ષજ્ઞતશત ફળમ િિંયફળિંયક્ષિ)ંનો આશય ઉત્તમ છે પરંતુ હાનિકારક પ્રક્રિયાથી સારું કરવાની આશા પાર ન પડે. આ જ માર્ગ કેન્સરના ઉપચાર માટે લેવામાં આવ્યો છે અને હજી સુધી એમાં સફળતા મળી નથી. આવા બધા શરીરનું છેદન કરતાં આક્રમક ઉપાયો પછી હૃદયરોગ હોય કે કેન્સર માત્ર રાહત આપવાનું કાર્ય કરી શકે છે પણ રોગોમાંથી મુક્તિ આપી શકતા નથી.

હૃદયરોગમાં પુનર્વસન (ઈફમિશફભ છયવફબશહશફિંશિંજ્ઞક્ષ)

આહાર, વિહાર, દવા, કસરત, યોગ, ધ્યાન વગેરેનો સુમેળ સાધવાથી હૃદય પરેશાન હોય, તકલીફ આપતું હોય, એને નુકસાન પહોંચ્યું હોય તો એને શક્ય હોય એટલા પ્રમાણમાં ઠેકાણે લાવી શકાય છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=471407

હૃદયરોગમાં ટૅક્નોલૉજીની પ્રગતિ મેડિકલ સિવાયનાં અન્ય ક્ષેત્રોને આભારી છે


હૃદયરોગનો આજનો ચિતાર

હૃદયરોગ નિષ્ણાત એની પ્રેક્ટિસમાં સૌથી વધુ હૃદયધમની - કોરોનરી આર્ટરીના દર્દીઓને જુએ છે. કોરોનરી આર્ટરી અને હાર્ટએટેકને સાથે જોડવામાં આવે છે. આમ કોરોનરી આર્ટરીનો રોગ અને હૃદયરોગના હુમલાને સાંકળી લેતી વિશેષ શાખા કોરોનરીયોલોજી બની ગઈ છે. કાર્ડિયોલોજીની એ પ્રમુખ શાખા છે. આ આખા પુસ્તકમાં અમે હૃદયરોગ શબ્દ વાપર્યો છે તે કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટએટેક ઈઅઉ-ક્ષ-ઇંઅને જ મુખ્યત્વે સંબોધે છે. કોરોનરી આર્ટરી ડિસીઝ માટે હૃદયધમની વિકાર અને હાર્ટએટેક માટે હૃદયરોગનો હુમલો એમ નામો વાપર્યાં છે.

હૃદયરોગમાં જે કંઈ ટૅક્નોલૉજીની પ્રગતિ જોવા મળી છે એ મેડિકલ સિવાયનાં અન્ય ક્ષેત્રોને આભારી છે. અન્ય ક્ષેત્રોએ હૃદય નિષ્ણાતોને એવી ટૅક્નિકલ સુવિધા કરી આપી છે જે ઝડપી છે, ચોક્કસ છે અને બધે સરળતાથી વાપરી શકાય છે.

હૃદયરોગના નિષ્ણાતોએ આવી આધુનિક ટૅક્નિકનો ઉપયોગ નિદાન, ઉપચાર અને રોગમાં આગળ શું થશે એમ જાણવા માટે કર્યો છે.

ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક પ્રગતિ

ઈસીજી મશીનની શોધ થઈ અને એ આજ સુધી હૃદયની ઈલેક્ટ્રિક વર્તણૂક એક ગ્રાફરૂપે જાણવા માટે વાપરવામાં આવે છે. ઈસીજીને ઈકેજી પણ કહેવામાં આવે છે. ઈસીજી મશીનની કાર્યદક્ષતામાં ઘણા વધારા કરવામાં આવ્યા છે જે બૌદ્ધિક જીવોને બહુ પસંદ પડ્યું છે. આવાં યંત્રો ટયભજ્ઞિંિ ઊઈૠ, જિિંયતત ઊઈૠ, ઇંજ્ઞહયિંિ ઊઈૠ (હરતાં ફરતાં ૨૪ કલાકમાં આખો વખત ઊઈૠનો રેકોર્ડ થતો રહેવો) અને આવા ઊઈૠ ગ્રાફને દુનિયાભરમાં આંખના પલકારામાં બીજે મોકલી શકાય. આધુનિક આઈસીસીયુ એનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં ઈસીજી અને અન્ય મોનિટર પર નોંધાતાં લક્ષણો - નાડી, બ્લડપ્રેશર, શ્ર્વાસોચ્છ્વાસ - બધાને એક જ જગ્યાએ આઈસીસીયુમાં ઈયક્ષિિંફહ ઈજ્ઞક્ષતજ્ઞહયમાં જોઈ શકાય છે. ડૉક્ટર અને નર્સે વારંવાર દર્દી સુધી જઈને જોવું પડતું નથી.

બીજી બે મોટી પ્રગતિ થઈ છે પેસમેકરની અને ડિફિબ્રીલેટરની. બંને જ્યારે હૃદયની ઈલેક્ટ્રિક વર્તણૂકમાં ગડબડ થઈ જાય છે ત્યારે લાંબા ગાળા સુધી કે તાત્કાલિકરૂપે, આ બંને ઉપાયો પ્રશંસાપાત્ર છે. પેસમેકરથી અત્યંત વિરુદ્ધ છફમશજ્ઞ ઋયિિીયક્ષભુ અબહફશિંજ્ઞક્ષ છઋઅ છે જે કર્ણકના ભાગમાંથી કર્ણક - ફિિંશીળ ઈલેક્ટ્રિક અનિયમિત ઊપજાવીને હૃદય ધબકારાનો દર વધારી નાખનાર છે. જીાફિદયક્ષિિંશભીહફિ ઝફભવુભફમિશફની અનિયમિતતા પ્રેરે છે એવા ભાગને બાળી નાખે છે.

પહોંચ

કોરનાલ્ડ અને ફોર્સમેનના પાયાના કામને નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. ફોર્સમેન દ્વારા કોરનાલ્ડની હાથની શિરામાં રબરની ટ્યૂબ પહેલી વાર નાખવામાં આવી. પછી તો બાકીનું જે કર્યું એ એક ઈતિહાસ બની ગયો છે.

આ પ્રમાણે રક્તવાહિનીઓ - ધમની અને શિરામાં કેથેટર મૂકી શકાવાને કારણે કોઈ પણ વ્યક્તિને હૃદયધમની - કોરોનરી આર્ટરીમાં ત્વચાના માર્ગે કેથેટર પહોંચાડી શકાય. ત્વચાનો માર્ગ સાથળ, હાથ કે ગળાથી શરૂ કરી શકાય.

હૃદયમાં કેથેટર મૂકવાની પ્રક્રિયા માટે ઈફમિશફભ ઈફવિંયયિંશિુફશિંજ્ઞક્ષ - કાર્ડિઆક કેથેટરાઈઝેશન એક સામાન્ય ટર્મ વપરાય છે. એ કેથેટર મૂક્યા પછી અનેક પ્રકારની પ્રક્રિયા કરી શકાય. કોરોનરી આર્ટરી, હૃદયના ચારેય ખાના, હૃદયના વાલ્વનું કાર્ય જોઈ શકાય.

તમે તમારી પોતાની ધમનીઓનું ધબકવાનું - ઙીહતય - અનુભવી શકો છો. સાથળમાં ઋયળજ્ઞફિહ - ફીમોરલ, કોણીમાં ઇફિભવશફહ બ્રાકીઅલ, કાંડા પર છફમશફહ - રેડિઅલ, ગળામાં ઈફજ્ઞિશિંમ કેરોટીડ, આ બધી ધમનીઓ ત્વચા નીચે ધબકતી રહે છે અને આંગળીના ટેરવા નીચે એને અનુભવી શકાય છે.

ઉપર જણાવેલ કોઈ પણ એક ધમનીમાં એક જાડી સોયથી અંદર પ્રવેશ મેળવી અને એ દ્વારા કેથેટરને ધમનીમાં મોકલવામાં આવે છે. બધી ધમનીઓના પોલાણ જોડાયેલ રહે છે એટલે તમે એક ધમનીમાં પ્રવેશ કરો તો કોઈપણ ધમની સુધી પહોંચી શકો. એક્સ-રે માર્ગદર્શન દ્વારા લોહીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈને જમણી અને ડાબી હૃદયધમનીમાં કેથેટર પ્રવેશે છે. આ એટલી સરળ અને સાદી પ્રક્રિયા છે કે આ હવે બહુ રૂટિન થઈ ગઈ છે.

એક વાર કોરોનરીની અંદર પહોંચ્યા પછી નિષ્ણાત નિદાન માટે ટેસ્ટ કરી શકે અને ઉપચાર તરીકે ઘણી જુદા જુદા પ્રકારની પ્રક્રિયા કરે છે. આ બધું કરવામાં નિષ્ણાતને કુશળતાની જરૂર પડે છે. એક્સ-રેમાં જોઈ શકાય એટલે એવી ડાય (ઉુય) ઈન્જેક્ટ કરવામાં આવે છે અને જેમ ડાય ધમનીમાં આગળ વધતી જાય એમ એક્સ-રે મશીન એના ફોટા પાડતા જાય છે. આમ હૃદયનાં ચારેય ખાનાંના વાલ્વના અને મુખ્ય ધમનીઓના ફોટા લેવામાં આવે છે. આટલી પ્રક્રિયાને ઈજ્ઞજ્ઞિક્ષફિુ અક્ષલશજ્ઞલફિાવુ - કોરોનરી એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે. આ નિદાન કરવા માટેની તપાસ છે. નિષ્ણાત આ તપાસ દ્વારા બંને હૃદયધમનીઓ અને તેમની મુખ્ય શાખાઓ જોઈ શકે છે.

આ સિવાય નિદાન કરવા માટે હૃદયનાં ચારેય ખાનામાં દબાણ ઙયિતતીયિ કેટલું છે અને ખાસ કરીને બાળકોમાં મુખ્ય વાલ્વની બંને બાજુ દબાણમાં કેટલો ફરક છે એ જાણી શકાય છે. આવી બધી તપાસ જે બાળકોમાં જન્મગત હૃદયમાં ખોડ રહી ગઈ હોય એનું નિદાન કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તપાસ દ્વારા હૃદયમાંથી દરેક મિનિટે કેટલું લોહી બહાર જાય છે એની ગણતરી ઈફમિશફભ ઘીિાંીિં પણ કરી શકાય છે.

આ સિવાય વધારે આધુનિક તપાસ ધમનીની અંદર અલ્ટ્રાસાઉન્ડની તપાસ ઈંક્ષિિંફદફતભીહફિ ઞહિિંફતજ્ઞીક્ષમ કે પછી હૃદયમાં કેટલો રિઝર્વ પુરવઠો છે ઋફિભશિંજ્ઞક્ષફહ ઋહજ્ઞૂ છયતયદિય - ઋઋછ = ઋીક્ષભશિંજ્ઞક્ષફહ ઋહજ્ઞૂ છયતયદિય અને અન્ય તપાસ થઈ શકે છે. ઘણી વાર હૃદયની દીવાલનો અભ્યાસ પણ કરવામાં આવે છે. જોેકે આ બધી અત્યંત આધુનિક તપાસો તો ખાસ સ્પેશિયલ હૉસ્પિટલો - કેન્દ્રોમાં જ થઈ શકે છે.

ધમનીની અંદર અલ્ટ્રાસાઉન્ડની તપાસ કરવા કેથેટરના અંદરના છેડે એક ધ્વનિ સાઉન્ડ પ્રોબ (ઝફિક્ષતમીભયિ) મૂકવામાં આવે છે. આમાં જ્યારે સાઉન્ડ વેવ્સથી તપાસ કરીએ તો ધમનીઓની દીવાલની અંદરની બાજુનો અભ્યાસ વ્યવસ્થિત થઈ શકે છે. ક્યાં, કેટલો અને કેવો અવરોધ છે એનો ચોકસાઈભર્યો ખ્યાલ આપે છે.

ઋઋછ માટે એક ખાસ વાયરને ધમનીમાં પરોવવામાં આવે છે અને ધમનીનો પહોળી કરવા માટે દવા આપે છે. આ જાતની તપાસ ધમનીની દીવાલના નાના ટુકડામાં કેટલી તાકાત છે એનું માપ

કાઢે છે.

કાર્ડિયાક કેથેટરાઈઝેશન દ્વારા થતી ઉપચારની પ્રક્રિયામાં એન્જિયોપ્લાસ્ટી, ઙયભિીહફિંક્ષયજ્ઞીત ઈજ્ઞજ્ઞિક્ષફિુ ઈંક્ષયિંદિયક્ષશિંજ્ઞક્ષ (ઙઈઈં) ત્વચા માર્ગે થતો કોરોનરીમાં પ્રવેશ ઇફહહજ્ઞજ્ઞક્ષ જયાજ્ઞિંતજ્ઞિંળુ બલૂન સેપ્ટોસ્ટોમી - જેમાં બલૂન દ્વારા હૃદયના પાર્ટિશનમાં રહેલ કાણાં બંધ કરવામાં આવે છે. હૃદયમાં જોવા મળતા અનિયમિત ધબકારા જ્યાંથી ઊપજે તે પેશીઓની બાળી નાખવાનું કામ પણ કેથેટરાઈઝેશન દ્વારા થઈ શકે. ઙઈઈંથી સ્ટેન્ટ મૂકવાનું પણ થઈ શકે છે.

કાર્ડિયાક કેથેટરાઈઝેશન વિશેષ કેન્દ્રો અને મોટી હૉસ્પિટલોમાં જ થઈ શકે. એને માટે ખાસ નિષ્ણાત ડૉક્ટર અને ટૅક્નિશિયન જોઈએ. દર્દીને થોડા ઘેનમાં રાખવામાં આવે છે.

કાર્ડિયાક કેથેટરાઈઝેશન આમ તો લગભગ ૩૦ મિનિટ સમય લે, પરંતુ એની આગળ પાછળ જે વિધિ રહે રહે એ ઘણા કલાકો લે છે.

કાર્ડિયાક કેથેટરાઈઝેશન સાધારણ રીતે તો સલામત માની શકાય, પરંતુ એમાં પણ જોખમ તો રહે જ છે જે શરીરને હાનિ પહોંચાડે છે અને કોઈક વાર મૃત્યુ પણ થાય છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=471963

એન્જિયોપ્લાસ્ટીની વ્યથા બાયપાસ કરતાં ઓછી હોવા છતાં એ અસરકારક નથી

કાર્ડિયાક કેથેટરાઈઝેશનનાં ભયસ્થાનો

દવાઓ, ડાય વગેરેની એલર્જી

હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા

બ્લડપ્રેશર ઘટી જવું

ચેપ - ઈન્ફેક્શન

છાતીનો દુખાવો / ફક્ષલશક્ષફ ચાલુ રહેવો

જ્યાંથી કેથેટર શરીરમાં મોકલ્યું હોય ત્યાં રક્તસ્ત્રાવ થવો

એક્સ-રેને કારણે ત્વચા સૂર્યના તડકામાં જેમ ચામડી બળી જાય એમ ક્ષ-કિરણોથી ચામડી બળી જાય.

જ્યાંથી કાર્ડિયાક કેથેટરને શરીરમાં પ્રવેશ મળ્યો હોય ત્યાં દુખાવો થવો

હૃદયધમનીને ઈજા થવી

મૂત્રપિંડનું કાર્ય બંધ પડવું

હૃદયરોગનો હુમલો આવવો, લોહીના ગાંઠા થવા, પક્ષાઘાત થવો, હૃદયની આસપાસના પડળમાં લોહીનું જમા થવું અને મૃત્યુ

હૃદયધમનીનું અચાનક બંધ પડી જવું

તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડે

નિદાન માટે કરવામાં આવતા કાર્ડિયાક કેથેટરાઈઝેશનમાં ૦.૮ ટકાથી ૭.૫ ટકા દર્દીઓમાં મૃત્યુ થાય છે. હૃદયરોગના હુમલાનો દર ૦.૦૩ ટકાથી ૦.૦૬ ટકા રહે છે. હૃદયના ધબકારાની ગતિ વધી જવાની કે ઘટી જવાનું પ્રમાણ ૦.૫૬ ટકાથી માંડીને ૧.૩ ટકા જોવા મળે છે અને મગજને લગતા અણબનાવોનું પ્રમાણ ૦.૦૩ ટકાથી લઈને ૦.૦૨ ટકા રહે છે. પક્ષાઘાત કેથેટરાઈઝેશન કરતી વખતે કે થોડા કલાકોમાં થવાની સંભાવના રહે છે.

ઇફિીક્ષૂફહમ’ત ઇંયફિિં ઉશતયફતય

અ ઝયડ્ઢબિંજ્ઞજ્ઞસ જ્ઞર ઈફમિશજ્ઞદભફતભીહફિ ખયમશભશક્ષય,

ઝયક્ષવિં ઊમશશિંજ્ઞક્ષ, ૨૦૧૫

કેથેટરાઈઝેશનની પ્રક્રિયાના વિસ્તાર સ્વરૂપે એન્જિયોપ્લાસ્ટીનો ઉપચાર પ્રવેશ્યો. તે વખતે સ્વિત્ઝ્રલેન્ડમાંથી બીજો એક વિચાર સૂઝ્યો. તે પ્રમાણે હૃદયધમનીમાં રહેલ અવરોધ/બ્લોકને બાયપાસ કરવાને બદલે એ બ્લોકની વચ્ચે બલૂન મૂકવું. એ બલૂનને ફુગાવવાનું અને અવરોધને તોડી પાડવાનું જેથી કરીને ધમનીઓના પોલાણનો અવરોધ તૂટી જાય આને એન્જિયોપ્લાસ્ટી કહેવાય. એની વ્યથા બાયપાસ કરતાં ઓછી હોવા છતાં એ અસરકારક નથી.

વળી નોંધવામાં આવ્યું છે કે આવી એન્જિયોપ્લાસ્ટી કરેલ ધમનીઓ પાછી બંધ પડી જાય છે.

ગજ્ઞિશિંક્ષ ખ. ઇંફમહયિ

ઠજ્ઞિશિયમ જશભસ : અ ાયિતભશિાશિંજ્ઞક્ષ રજ્ઞિ ઇંયફહવિં શક્ષ

ફક્ષ ઘદયિિિંયફયિંમ અળયશિભફ

એન્જિયોપ્લાસ્ટી બાયપાસ પછી ક્ષેત્રમાં પ્રવેશી છે, પરંતુ હવે એ એનાથી વધુ વાર કરવામાં આવશે એવો ભય સેવવામાં આવે છે. એન્જિયોપ્લાસ્ટી ગુનેગાર હૃદયધમનીની દીવાલને ચીરી નાખીને હૃદયધમનીનું પોલાણ મોટું થયું છે એવો ભ્રમ પેદા કરે છે. આવી પહોળી ધમનીને પાછી સંકોચાઈ ન જાય એનું ધ્યાન રાખવા - સ્ટેન્ટ - એક ટેકો ત્યાં મૂકવામાં આવે છે, જ્યાં એન્જિયોપ્લાસ્ટી દ્વારા ધમનીના પોલાણને પહોંળું કરવામાં આવ્યું હતું. વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો એન્જિયોપ્લાસ્ટી એટલે હૃદયધમનીને નબળી કરીને હૃદયધમનીના પોલાણને લોહી ભ્રમણ માર્ગ રિપેર કરવો.

એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ, ધમનીના પોલાણમાંથી બ્લોકને શસ્ત્રક્રિયાની મદદથી હૃદયધમનીના આંતર્મુખને પહોળું કરવા જેવા બધા કાર્ડિયાક કેથેટરાઈઝેશનના પ્રકાર છે.

શસ્ત્રક્રિયા દ્વારા પહોંચ

બાયપાસ શસ્ત્રક્રિયા કરનાર સર્જનોને એક ફાયદો છે. તેઓ તે બ્લોકને માટે યાંત્રિક ઉકેલ જે તર્કગમ્ય છે એ કરી દેખાડે છે. એ બ્લોકને વળોટવા એની આગળ અને પાછળને એક ગ્રાફ્ટ મૂકીને જોડી દઈને લોહીના ભ્રમણનો નવો માર્ગ બનાવે છે, હૃદયને બંધ પાડીને પણ કરી શકાય અથવા ચાલતા હૃદયે પણ આ શસ્રક્રિયા કરી શકાય. સાધારણ વ્યક્તિને કે ડૉક્ટરને, સૌને પણ આ પ્રમાણે અવરોધ પાર કરી જવાનો રસ્તો બહુ જ ઉચિત દેખાય છે.

છબિ પાડવાની પ્રક્રિયાની પ્રગતિ - ઈંળફલશક્ષલ અમદફક્ષભયત

એક્સ-રે, ડાય ઈન્જેક્ટ કરીને એન્જિયોગ્રાફી કરવી, એમઆરઆઈ (ખફલક્ષયશિંભ છયતજ્ઞક્ષફક્ષફક્ષભય ઈંળફલશક્ષલ) જે શરીરના વિવિધ અવયવો અને પેશીઓની રચના અને કાર્ય દેખાડે છે. ઙઊઝ જભફક્ષ (ઙજ્ઞતશિિંજ્ઞક્ષ ઊળશતતશજ્ઞક્ષ ઝજ્ઞળજ્ઞલફિાવુ જભફક્ષ) જે લોહીનું ભ્રમણ, ઑક્સિજનનો વપરાશ, ગ્લુકોઝનો વપરાશ અનેક શરીરની પ્રક્રિયાનો અભ્યાસ કરીને કોષ અને પેશીઓ સારા છે કે નહીં એ કહે છે.

છફમશજ્ઞફભવશદય ઞાફિંસય જિીંમશયત જેમાં રેડિયોએક્ટિવ પદાર્થ વાપરીને કોરોનરી આર્ટરીમાં કેટલું કેલ્શિયમ જમા થયું છે એની ગણતરી કરે છે. ઈકોકાર્ડિયોગ્રાફી, પ્રત્યક્ષ કે રેકોર્ડ પરથી પરોક્ષ રીતે જોતાં હૃદયધમનીને આંખ સામે પ્રત્યક્ષ રજૂ કરે છે અને એના સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. કમ્પ્યુટરને કારણે હવે જે કંઈ માહિતી જોઈએ કે ગણતરી કરવી હોય એ તરત જ મળી જાય છે. હૃદય નિષ્ણાત માટે તો આ બહુ જ ઉપયોગી છે, એમનું કામ સરળ કરી આપે છે અને આમાંનો હજી વધુ સુધારો થઈ રહ્યો છે.

૫. દવા અને સરંજામમાં પ્રગતિ - ઙવફળિફભજ્ઞહજ્ઞલશભફહ અમદફક્ષભયત

ઘણી એવી દવા છે જે હૃદય પાસે ઓછું કામ કરાવે છે અને ઓછું છંછેડાયેલ બનાવે છે. થોડી દવાઓ સંકોચાયેલ હૃદયધમનીઓને વધુ ખોલાવે છે અને થોડી દવાઓ હૃદયના ધબકારામાં જોશ વધારે છે. ઘણા બધા એન્ઝાયમ્સ - બીટા બ્લોકર્સ અને ઈનહિબિટર્સ - ઘણા બધા વપરાય છે અને એની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એને વાપરવા માટેનો સિદ્ધાંત છે કે હૃદયને હૃદયધમની પાસેથી મળતો લોહીનો પુરવઠો ઓછો પડે છે. તેને ઈંતભવયળશભફ લોહી ઓછું મળવું કહેવાય છે એટલે જો આપણે હૃદય પાસે ઓછું કામ કરાવીએ તો એને લોહીની જરૂરિયાત ઓછી પડે અને કોરોનરી ધમનીના મુખ ખુલ્લા કરવાથી પણ લોહીનો પુરવઠો વધુ મળે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાની અને લીપીડને એના ઈચ્છિત ક્રમાંક પર પહોંચાડી દેવાની ઘણી દવાઓ વપરાય છે. ડૉક્ટર અને દર્દી બંનેને સંતોષ રહે છે કે અમે ગુનેગાર કારણને પકડી લીધું છે અને મદદનીશ થતી લીપીડનું પ્રમાણ ઈચ્છિત માત્રામાં લઈ જઈ રહ્યા છે. આ તર્કને કોઈ પહોંચી ન શકે.

૬. જીવનશૈલી: - કશરય જિુંહય માં ફેરફાર હૃદયરોગના ૩૦૦ જેવાં કારણોને પકડવા કરતાં સરળ માર્ગ છે કે વ્યક્તિની જીવનશૈલી બદલો ને આદર્શ જીવન બનાવો. શ્ર્વાસ, ખાવાનું, ઊંઘ અને કસરત બરાબર કરવી. ખોટી આદતો ધૂમ્રપાન કે તંબાકુ ખાવાનું છોડી, શક્ય હોય એટલું એના મૂળ સ્વરૂપમાં ખાવાનું ખાવું, યોગ કરવા, પ્રાણાયામ કરવા વગેરે વગેરે.

આવી સલાહ જનતાએ માનભેર સ્વીકારી છે. એની કિંમત ચૂકવવી આકરી નથી અને કાગળ પર ફાયદા હંમેશાં આકર્ષે છે.

(ક) તપાસ કરાવો એટલે તમને વિશ્ર્વાસ બેસે કે મારી ગુનેગાર ધમનીને પકડી પાડવામાં આવી છે અને કોલેસ્ટરાલેની માત્રાને ઠેકાણે પાડી દીધી છે.

(ખ) કોલેસ્ટરોલની માત્રાનું અવારનવાર ધ્યાન આપતા સારું લાગે કે હવે આ ત્રાસ આપનાર હરામખોરને બોચીમાંથી પકડી લીધેલ છે અને કોલેસ્ટરોલ વિનાનો આહાર લેવો મદદરૂપ થાય છે.

(ગ) એન્જિયોગ્રામ, શસ્રક્રિયા કરાવ્યા પહેલાં અને પછીની સરખામણી કરીને ખાતરી થઈ જાય છે કે બાયપાસે લોહી ભ્રમણનો બીજો માર્ગ બનાવી દીધો છે.

(ઘ) જીવનશૈલીના ફેરફારો તમને ભૂતકાળ માટે પશ્ર્ચાત્તાપ કરાવે છે અને ભવિષ્ય ઉજ્જવળ દેખાડે છે.

(ચ) કસરત અને બીજા બધા પ્રયોગો તો તમે માંદા હો કે નહીં હંમેશાં મદદ કરે છે.

આમ આખું હૃદયધમની રોગનું ક્ષેત્ર તર્કસુસંગત અને વ્યવસ્થિત ચાલતું દેખાય છે માટે તો હૃદય નિષ્ણાતોની પ્રેક્ટિસ ધમધોકાર ચાલે છે. હવે નીચે જે સમસ્યાઓ

હૃદયરોગને પજવે છે એને જોઈએ.

સીધી - રેખા સમાન ઉપાયોનો હૃદયરોગમાં વપરાશ

૧. સમસ્યા: હૃદયધમની ઈજ્ઞજ્ઞિક્ષફિુભમાં અવરોધ ઇહજ્ઞભસ છે.

ઉકેલ: અવરોધને એન્જિયોપ્લાસ્ટીથી દૂર કરો. એમ કરવા માટે હૃદયધમનીની દીવાલનાં બધા આવરણને નુકસાન કરવું પડે તો કરો.

ચેતવણી: તર્કને કારણે ગમી જાય અને સ્વીકારવામાં આવે પણ એની અસરકારકતા પર મોટું પ્રશ્ર્નાર્થચિહ્ન છે.

૨. સમસ્યા: બ્લોકને દૂર કર્યા પછી હૃદયધમની ત્યાં સંકોચાઈ જાય છે ખુલ્લી રહેતી નથી.

ઉકેલ: એને પહોળી રાખવા માટે સ્ટેન્ટનો ટેકો આપો.

ચેતવણી: આવો સ્ટેન્ટનો ટેકો મૂકો એટલે હૃદયધમની જે ધબકારા પ્રમાણે વિકસે અને સંકોચાવાનું કાર્ય કરે છે એ કરી શકતી નથી. અને જડ બની જાય છે અને ધમનીમાં બહારની વસ્તુ મૂકો એટલે ધમની એનાથી સતત છંછેડાય છે અને એના કારણે એક પછી એક વિપરીત પરિણામોની શરૂઆત થાય છે.

સમસ્યા-૩: હૃદયધમનીનો અવરોધ કાઢી શકાય એમ નથી.

ઉકેલ: એ અવરોધને બાયપાસ કરો.

ચેતવણી: ઘણી ઈજા પહોંચાડનાર છે એ જેને સમારવાનું ઈચ્છે છે એને વધુ નુકસાન પહોંચાડે છે.

સમસ્યા-૪: હૃદયને પૂરતું લોહી મળતું નથી એમ દેખાય છે.

ઉકેલ: હૃદય પાસે ઓછું કામ કરાવો. એની પાસે પહોંચતા લોહીની માત્રા ઘટાડો, એની પાસેથી ઓછું લોહી બહાર મોકલો, એની પાસે ઓછા જોશથી કામ કરાવો.

ચેતવણી: આ બધા કારણે હૃદયધમનીને ઓછું લોહી મળશે એટલે હૃદયને અત્યારે મળે છે એનાથી વધુ ઓછું લોહી મળશે.

સમસ્યા-૫: લોહી કોલેસ્ટરોલને કારણે ઘટ્ટ બની ગયું છે.

ઉકેલ: લોહીમાં કોલેસ્ટરોલની માત્રા ઘટાડો. ખોરાકમાં ઓછું કોલેસ્ટરોલ લ્યો.

ચેતવણી: જેનાં લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઊંચું હોય એમનામાં હૃદયરોગનો પ્રોબ્લેમ જોવા મળતો નથી અને જેના લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ બરાબર હોય એમાં ઘણાં રોગો જોવા મળે છે એટલે આવી આશા રાખવી વ્યર્થ છે.

સમસ્યા-૬: પ્લેટલેટ્સ ચીટકી જાય એવા છે.

ઉકેલ: એસ્પિરિન આપો.

ચેતવણી: આ પ્લેટલેટ્સ જે લોહીની ગાંઠ માટે બહુ જ જરૂરી છે એને અક્ષમ કરી નાખવાથી લોહીના ગંઠનની ક્રિયા પર માઠી અસર પડે છે અને ઘણી વાર એને કારણે ઘાતક રક્તસ્રાવ મગજ કે અન્ય અવયવમાં થાય છે.

સમસ્યા: ૭: હૃદયધમની ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંિુ માં ફરી ફરી બ્લોક પેદા થાય છે.

ઉકેલ: જેટલી વાર અવરોધ થાય એટલી વાર બાયપાસ કરો કે એન્જિયોપ્લાસ્ટીથી અવરોધ દૂર કરો.

ચેતવણી: સ્ટેટિસ્ટિક્સ આને સમર્થન આપતા નથી.)

સમસ્યા-૮: સ્ટેન્ટને કારણે અશમત=અક્ષલશજ્ઞાહફતિું ઈંક્ષમીભયમ ઉયરશફક્ષિં જયિંક્ષજ્ઞતશત થાય છે. (હૃદયધમની સ્ટેન્ટ મૂકવાના કારણે ફરીથી એન્જિયોપ્લાસ્ટીને દાદ આપતી નથી.

ઉકેલ: સ્ટેન્ટને એવી દવા લગાડો કે જે કોષોને વધવા ન દે.

ચેતવણી: આ પ્રયોગના સ્તરે છે.

સમસ્યા-૯: અમને ખબર નથી કે નોર્મલ બીપી કેટલું હોવું જોઈએ?

ઉકેલ: બ્લડપ્રેશરને ઘટાડો.

ચેતવણી: દવાઓ તો આંકડા પર અસર કરે છે દર્દી પર નહીં.

સમસ્યા-૧૦: હૃદયનું કામ નબળું પડી રહ્યું છે. જોશ ઓછું થયું છે.

ઉકેલ: એને ઉશ્કેરવામાં ચાબુક મારે એવી દવા આપો.

ચેતવણી: તકલીફમાં થોડી રાહત મળે તો માની ન લેવું કે રોગીની જિંદગી લંબાશે, જેમ ચાબુક મારેલ ઘોડો ઓચિંતો પડી જાય એમ ફટકા પડેલ હૃદય ઓચિંતાનું ઢળી શકે છે.

સમસ્યા-૧૧: હૃદય બહુ ખરાબ રીતે નબળું પડી ગયું છે.

ઉકેલ: હૃદય બદલી નાખો.

ચેતવણી: જેને બીજાના હૃદયની ભેટ મળી હોય એ શરીર બીજાનું હૃદય સ્વીકારતું નથી.

સમસ્યા-૧૨: પર - હૃદયને શરીર ફેંકી દેવા માગે છે.

ઉકેલ: આ ન સ્વીકારનાર ઈમ્યુન સિસ્ટમને દવાનું ઝેર આપીને નબળી કરી નાખો.

ચેતવણી: ઈમ્યુન સિસ્ટમના કામ ન કરવાથી બકરું કાઢતા ઊંટમાં હૃદયમાં પ્રવેશે છે. બીજા અનેક રોગો શરીરમાં ઉત્પન્ન થાય છે.

આમ નિદાન અને ઉપચારમાં જોવા મળતાં બધાં પ્રગતિશીલ પગલાંઓ એકદમ તર્ક-સંગત લાગે છે. એ બધાના હેતુ પણ ઉમદા ોય છે. એ ડૉક્ટર અને દર્દીના પરસ્પર સંપર્કને હેતુ અને દિશા આપે છે. ખરું જોતાં ખ્યાલ આવે છે કે એન્જિયોગ્રાફી અને એના આધારે થતી એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ, બાયપાસ એક યા વધુ પ્રક્રિયા દર્દીને એનાં સગાં-સંબંધીઓને, એના જનરલ પ્રેક્ટિશનરને ખાતરી આપે છે કે ગુનેગાર અવરોધને બરાબર પકડી પાડીને જે કંઈ જરૂરી હતું એ બધું કરવામાં આવ્યું છે.

આ બધા પગલાં નોંધપાત્ર છે. તેઓ જ્યારે હાલતી-ચાલતી વ્યક્તિને એકદમ ઓચિંતો અને અસહ્ય દુ:ખાવો થાય, હૃદયરોગનો હુમલો આવે, હૃદયનું કાર્ય ઓચિંતું નબળું પડી જાય કે બંધ પડી જાય ત્યારે તાત્કાલિક રાહત આપે છે, પણ હકીકત રહે છે આ બધા આધુનિક પ્રગતિ તરીકે મનાતાં પગલાઓથી ઈંતભવયળશભ ઉશતયફતયમાં (હૃદયને લોહી ઓછું પડવાને કારણે થતાં રોગમાં) મૃત્યુના દર પર કોઈ ઈચ્છનીય પ્રભાવ પડ્યો નથી.

ઈંતભવયળશભ ઇંયફિિં ઉશતયફતય જો વ્યક્તિમાં સ્થાયી (જફિંબહય) હોય તો તેઓમાં જ્યારે હૃદય અચાનક બંધ પડી જાય ત્યારે તેને પુનર્જીવન આપવાના જે પગલાં લેવામાં આવે છે. (ઈફમિશજ્ઞાીહળજ્ઞક્ષફિુ) તેનાથી હૃદયરોગના હુમલાને કારણે થતાં મૃત્યુના દરમાં કે હૃદયરોગના હુમલાના દરમાં કંઈ ફરક પડ્યો નથી, જે દર્દીઓને એન્જિના હોય, તેઓ પર ઉપચાર કરવો બહુ જોખમી ન હોય તો તેમાં બાયપાસ કરો, એન્જિયોપ્લાસ્ટી કરો કે દવા આપો, આયુષ્યમાં કોઈ ફરક પડતો નથી.

ઇફિીક્ષૂફહમ’ત ઇંયફિિં ઉશતયફતય

અ ઝયડ્ઢબિંજ્ઞજ્ઞસ જ્ઞર ઈફમિશજ્ઞદફતભીહફિ ખયમશભશક્ષય,

૧૦વિં ઊમશશિંજ્ઞક્ષ ૨૦૧૫

હૃદયરોગ એક કોકડું છે, જ્યારે એ આખા કોયડાને જીવનજ્ઞાનની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે જ ઉકેલી શકાય. હૃદયરોગ કંઈ રોગ નથી, પણ સમયના ઘોડા પર થતો સવાર છે, એ ઉંમર સહજ રોગ છે, એ જરા છે, એ વ્યક્તિના જીવનક્રમનું એક પગથિયું છે.

આ જીવનક્રમને સન્માન સહિત સ્વીકારતા થઈએ તો જે વ્યક્તિને હૃદયરોગના ચિહ્ન હોય પણ કોઈ પણ જાતની તકલીફ ન હોય તો એને વ્યક્તિ તરીકે જ જીવવા દેવું ઘટે. હૃદયરોગના નિદાનનું લેબલ આપવું વ્યથાજનક બને છે. આ જ અનુભવ કૅન્સરક્ષેત્રે પણ થયો છે. જો વ્યક્તિને રોગની તકલીફ ન હોય તો એ રોગનો ઈલાજ કરવો ફાયદાજનક નથી. એ જીવજ્ઞાનની સમજ પ્રમાણે વ્યક્તિમાં દેખાતા રોગના ચિહ્ન પર ધ્યાન ન આપવાનું, અને રોગીનું ધ્યાન પણ ન દોરવાની પરવાનગી મળે છે, એનો ઉપચાર કરવાની જરૂર નથી, એને હોય તેમ જ રહેવા દેવામાં વધુ મજા છે. અનુભવ કહે છે કે ચિહ્ન પર હુમલો કરવાથી વ્યક્તિને તકલીફ હોય કે ન હોય કોઈ ફાયદો થતો નથી. ત્રીજો ઉપસિદ્ધાંત છે કે જે કંઈ અને જેટલી તકલીફ હોય એમાં રાહત આપવા બની શકે એટલા સઘળા પ્રયત્નો કરી છૂટવા પણ તેમાં રોગને મટાડી દેવાની કે મૃત્યુને અટકાવવાની ખોટી આશા પોતે પણ ન રાખવી અને રોગી અને એના પરિવારજનોને પણ ન આપવી.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=472523


હૃદયરોગના ઉપચારમાં આધુનિક તબીબીશાસ્ત્ર ખોટી જગ્યાએ ખાણ ખોદી રહ્યું છે?

કૅન્સરશાસ્ત્ર પછી હૃદયરોગનું શાસ્ત્ર આજે આધુનિક મેડિસિનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કમાણીની દૃષ્ટિએ એમાં ખૂબ પૈસા છે. દવા અને બધા સાધન બનાવનાર અને ડૉક્ટરો એમાંથી ખૂબ કમાય છે. આજની પંચ-તારક હૉસ્પિટલો તો આ કમાણી પર નભે છે. આજે મેડિકલ માર્કેટમાં જાણવા મળ્યું છે કે 5 થી 6 આંકડાની ફી ચાર્જ કરવાની શરૂઆત કાર્ડિયોલોજિસ્ટથી થઇ અને હવે બીજા બધા એને અનુસરે છે

જોવ્યક્તિમાં ઈંતભવયળશભ ઇંયફિિં ઉશતયફતય સ્થાયી (જફિંબહય) હોય તો તેઓમાં જ્યારે હૃદય અચાનક બંધ પડી જાય ત્યારે તેને પુનર્જીવન આપવાના જે પગલાં લેવામાં આવે છે. (ઈફમિશજ્ઞાીહળજ્ઞક્ષફિુ) તેનાથી હૃદયરોગના હુમલાને કારણે થતાં મૃત્યુના દરમાં કે હૃદયરોગના હુમલાના દરમાં કંઈ ફરક પડ્યો નથી, જે દર્દીઓને એન્જિના હોય, તેઓ પર ઉપચાર કરવો બહુ જોખમી ન હોય તો તેમાં બાયપાસ કરો, એન્જિયોપ્લાસ્ટી કરો કે દવા આપો, આયુષ્યમાં કોઈ ફરક પડતો નથી.

ઇફિીક્ષૂફહમ’ત ઇંયફિિં ઉશતયફતય

અ ઝયડ્ઢબિંજ્ઞજ્ઞસ જ્ઞર ઈફમિશજ્ઞદફતભીહફિ ખયમશભશક્ષય,

10વિં ઊમશશિંજ્ઞક્ષ 2015

હૃદયરોગ એક કોકડું છે, જ્યારે એ આખા કોયડાને જીવનજ્ઞાનની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે જ ઉકેલી શકાય. હૃદયરોગ કંઈ રોગ નથી, પણ સમયના ઘોડા પર થતો સવાર છે, એ ઉંમર સહજ રોગ છે, એ જરા છે, એ વ્યક્તિના જીવનક્રમનું એક પગથિયું છે.

આ જીવનક્રમને સન્માન સહિત સ્વીકારતા થઈએ તો જે વ્યક્તિને હૃદયરોગના ચિહ્ન હોય પણ કોઈ પણ જાતની તકલીફ ન હોય તો એને વ્યક્તિ તરીકે જ જીવવા દેવું ઘટે. હૃદયરોગના નિદાનનું લેબલ આપવું વ્યથાજનક બને છે. આ જ અનુભવ કૅન્સરક્ષેત્રે પણ થયો છે. જો વ્યક્તિને રોગની તકલીફ ન હોય તો એ રોગનો ઈલાજ કરવો ફાયદાજનક નથી. એ જીવજ્ઞાનની સમજ પ્રમાણે વ્યક્તિમાં દેખાતા રોગના ચિહ્ન પર ધ્યાન ન આપવાનું, અને રોગીનું ધ્યાન પણ ન દોરવાની પરવાનગી મળે છે, એનો ઉપચાર કરવાની જરૂર નથી, એને હોય તેમ જ રહેવા દેવામાં વધુ મજા છે. અનુભવ કહે છે કે ચિહ્ન પર હુમલો કરવાથી વ્યક્તિને તકલીફ હોય કે ન હોય કોઈ ફાયદો થતો નથી. ત્રીજો ઉપસિદ્ધાંત છે કે જે કંઈ અને જેટલી તકલીફ હોય એમાં રાહત આપવા બની શકે એટલા સઘળા પ્રયત્નો કરી છૂટવા પણ તેમાં રોગને મટાડી દેવાની કે મૃત્યુને અટકાવવાની ખોટી આશા પોતે પણ ન રાખવી અને રોગી અને એના પરિવારજનોને પણ ન આપવી.

હૃદયરોગના ‘અ’ ‘બ’ ‘ક’

આધુનિક મેડિસિન - મુખ્યત્વે ઍલોપથી, પ્રસાર માધ્યમો અને આમ આદમી બધા અત્યારે હૃદયધમની અને એના દ્વારા થતા નુકસાનથી ભ્રમિત થઇ ગયા છે. કોરોનરી આર્ટરીનો રોગ કહે ત્યારે સમજવાનું કે એમાં હૃદયના બધા રોગ - એન્જિના-હૃદયને ઓછું લોહી મળવાનો રોગ (ઈંતભવયળશભ ઇંયફિિં ઉશતયફતય) હૃદયરોગનો હુમલો વગેરે બધું આવી જાય.

આ આખા પુસ્તકમાં અમે હૃદયરોગ શબ્દપ્રયોગ કર્યો છે. જેમાં હૃદયધમની, હૃદયને મળતું લોહી, અને હૃદયને અરસપરસ સાંકળી લેતા બધા રોગોનો સમાવેશ થઇ જાય છે.

કૅન્સરશાસ્ત્ર પછી હૃદયરોગનું શાસ્ત્ર આજે આધુનિક મેડિસિનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જગતભરમાં આજે હૃદયરોગ બહુ છાપ પાડે છે. કમાણીની દૃષ્ટિએ એમાં ખૂબ પૈસા છે. દવા અને બધા સાધન બનાવનાર અને ડૉક્ટરો એમાંથી ખૂબ કમાય છે. આજની પંચ-તારક હૉસ્પિટલો તો આ કમાણી પર નભે છે. આજે મેડિકલ માર્કેટમાં જાણવા મળ્યું છે કે 5 થી 6 આંકડાની ફી ચાર્જ કરવાની શરૂઆત કાર્ડિયોલોજિસ્ટથી થઇ અને હવે બીજા બધા એને અનુસરે છે. કટકી આપવાની પદ્ધતિ રુશવત - એક ડૉક્ટર બીજા ડૉક્ટરને, સાધન બનાવનાર, દવા બનાવનાર ડૉક્ટરને કે હૉસ્પિટલને બધું ખુલ્લેઆમ ચોતરફ ફેલાયેલું જોવા મળે છે.

એક સાધારણ માણસ તો હૃદયરોગના ઉપચાર માટે ખૂબ ખર્ચો કરે છે કારણ કે એની માન્યતા છે કે હૃદયરોગનું શાસ્ત્ર ખૂબ જ વિજ્ઞાનને આધારે, સંશોધનથી પુરવાર થયેલું છે અને એમાં જે કંઇ કરવામાં આવે છે એ સાચું છે અને જરૂરી છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. આપણે એક-બે પાઠ કૅન્સરક્ષેત્રમાંથી ભણવા જોઇએ જે હૃદયરોગક્ષેત્રને પણ લાગુ પડે છે. આમ આદમીએ એ જાણવું જરૂરી છે કે શા માટે હૃદયરોગશાસ્ત્ર નિષ્ફળ નીવડ્યું છે એ સમજવા માટે સામાન્ય સમજણ - ઈજ્ઞળળજ્ઞક્ષ જયક્ષતય જરૂરી છે. એને માટે કોઇ વિશેષ જ્ઞાન કે મોટા થોથાં ઉથલાવવાની કે આંકડા ટાંકવાની જરૂર નથી. અમે અંગ્રેજી પુસ્તકમાં કહ્યું છે ઝફસય ઢજ્ઞીિ ભવફક્ષભય - ઈહફશિિું ઇંયયિ અક્ષમ ગજ્ઞૂ,ઈજ્ઞજ્ઞિક્ષફિુજ્ઞહજ્ઞલશભફહહુ ઊડ્ઢભયભિશતયમ. તમે અત્યારે અને અહીં જ સ્પષ્ટ રીતે હૃદયરોગને સમજવાની તક ઝડપી લો.

ઇંગ્લેન્ડના વિલિયમ હેબરડને સૌપ્રથમ 1768માં એન્જિના પેક્ટોરિસનું વર્ણન કર્યું. એની સાથે હૃદયધમની અને હૃદયને સાંકળી લેતા હૃદયરોગનું શાસ્ત્ર ઈજ્ઞજ્ઞિક્ષફિુજ્ઞહજ્ઞલશુનો જન્મ થયો. અત્યારે એમાં વધુ એક ઇં1નો ઉમેરો થયો છે. ઇંજ્ઞળજ્ઞભુતયિંશક્ષય એક જરૂરી અળશક્ષજ્ઞ અભશમ શરીરમાં હોય છે. એનું પ્રમાણ જો લોહીમાં - શરીરમાં વધી જાય તો એને હૃદયરોગ સાથે સંબંધ છે એમ માનવામાં આવે છે. 1768ના ઇંયબયમિયક્ષના વર્ણનથી માંડીને આજના ઇંજ્ઞળજ્ઞભુતયિંશક્ષય સુધી હૃદયરોગના શાસ્ત્રમાં પ્રગતિ શૂન્ય જ રહી છે. હેબરડનના સમયમાં પણ હૃદયરોગના પ્રથમ હુમલામાં 25 % લોકો 3 કલાકમાં મરી જતા હતા. આજે પણ એ આંકડામાં કોઇ ફેરફાર પડ્યો નથી.

હૃદયરોગશાસ્ત્ર આજે કોઇ નિશ્ર્ચિત માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યું નથી. તેની વ્યાખ્યા નથી. તેના કારણની ખબર નથી. એમાં રોગ કેવી રીતે વર્તશે એની ખબર નથી. રોગમાં શું થશે એની આગાહી કરી શકાતી નથી. રોગનો અસરકારક ઉપચાર નથી જે રોગને મટાડી શકે કે એવાં કોઇ પગલાં લઇ શકાતાં નથી જે રોગને થતો અટકાવી શકે. હજારો ક્લિનિકલ ટ્રાયલ દુનિયાભરમાં દવાઓ અને સાધનો પર કરવામાં આવી રહી છે, પણ એનાથી સમજમાં કોઇ ફરક પડ્યો નથી. માત્ર આ બધી ટ્રાયલના શીર્ષક રસપ્રદાન છે. દા.ત. ઇછઅટઘ, ઈઅકખ, ઉઊઋઈંઅગઝ, ઊઙઈંઈ, ૠછઊઅઝ, ઇંઊઅછઝખ, ઈંગજઈંૠઇંઝ, ઉંઞઙઈંઝઊછ, કઅઝઈંગ, ખઅૠઈંઈ, ગઈંઈઊ, ઙઊઅઈઊ, ચઞઈંઊઝ, છઊઅજઘગ, જઠઘછઉ, ઝઅછૠઊઝ, ઠઈંણઅછઉ. દરેક ટ્રાયલ જુદી જુદી દવાઓના પરમ્યુટેશન અને કોમ્બિનેશન રહે છે એમાં બહુ પ્રોમિસ આપવામાં આવે છે, પરંતુ પરિણામોમાં કંઇ ભલીવાર થતી નથી માત્ર વધુ ગૂંચવડો ઊભો કરે છે.

હૃદયરોગના ‘અ’ ‘બ’ ‘ક’

મને એક પૂર્વગ્રહ આપો અને હું

આખી દુનિયાને હલબલાવી નાખીશ.

ૠફબશિયહ ૠફશિભફ ખફિિીયુ

ઈવજ્ઞિક્ષશભહય જ્ઞર ઉયફવિં ઋજ્ઞયિજ્ઞિંહમ

હૃદયરોગ માટે એક બહુ જ સગવડિયો પૂર્વગ્રહ છે કે હૃદયધમનીઓ હૃદયના સ્નાયુઓને જરૂરી અને જેવું જોઇએ એવું લોહી પૂરું પાડતી નથી. હૃદયના સ્નાયુઓને પૂરતું પોષણ ન મળવાને કારણે સ્નાયુઓ ભૂખ્યા રહે છે અને જાણે તરફડિયા મારે છે. એટલે આનો સરળ ઉપાય શું કે કોઇ પણ રીતે હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી અને જે પ્રકારનું લોહી જોઇએ છે તેવું પૂરું પાડો અને માનો કે તમારા પૂરતા પ્રયત્નો પછી પણ જો હૃદયને હજી પણ લોહી જોઇએ તેટલું લોહી ન મળતું હોય તો પછી એની પાસે જે રીતે શક્ય હોય એ રીતે ઓછું કામ કરાવો.

ટૂંકાણમાં કહીએ તો હૃદયશાસ્ત્રનું એક જ ધ્યેય રહે છે. હૃદયધમની ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિિુંનો ‘અ’ લોહી ઇહજ્ઞજ્ઞમ નો‘બ’ અને હૃદય - ઇંયફિિં અથવા ઈજ્ઞમિશીળ નો ‘ક’ એ ત્રણેય વચ્ચે સુમેળ સાધવો.

કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયધમની રોગ) એક

સામાન્ય શબ્દપ્રયોગ છે જેનું બીજું નામ છે

ઈંતભવફળશભ ઇંયફિિં ઉશતયફતય(ઇસ્યેમિક હાર્ટ ડિસીઝ)

હૃદયને મળતા અપૂરતા લોહીના પૂરવઠાને કારણે

થતો રોગ) કોરોનરી આર્ટરી (હૃદયધમની)માં એથેરોસ્કેલેરોસીસ (અવિંયજ્ઞિતભયહયજ્ઞિતશત) થવાને કારણે હૃદયના જે કંઇ રોગ થાય છે એ બધાનો આમાં સમાવેશ થઇ જાય. એમાં ફક્ષલશક્ષફ ાયભજ્ઞિંશિત (છાતીનો દુખાવો) ઈજ્ઞજ્ઞિક્ષફિુ ઝવજ્ઞિળબજ્ઞતશત (હૃદયધમનીમાં લોહીનું ગંઠાઇ જવું) ટફશિજ્ઞીત અિવિુવિંળશફત (વિવિધ પ્રકારના અનિયમિત ધબકારા,ઇંયફિિં ઇહજ્ઞભસ (હૃદયના ધબકારાના ઇલેક્ટ્રિક પાથમાં અવરોધ) (હૃદયનું કામ ક્ષતિગ્રસ્ત થવું/ નબળું પડવું.) પશ્ર્ચિમના વિકસિત દેશોમાં મૃત્યુ અને શારીરિક અસહાયતાનું મુખ્ય કારણ હૃદયધમની રોગ છે.

ઝવય જ્ઞડ્ઢરજ્ઞમિ ઈજ્ઞળાફક્ષશજ્ઞક્ષ જ્ઞિં ળયમશભશક્ષય, 1986.

છાતીનો દુખાવો (અક્ષલશક્ષફ)નો ઉપચાર વિવિધ રીતે કરી શકાય. એના મુખ્ય બે સિદ્ધાંત છે. 1 હૃદયનું કાર્ય એના મળતા લોહીના પુરવઠાની મર્યાદા પૂરતું રાખવું. 2 કામ એટલું જ વધારવું જેટલું વ્યક્તિ સહન કરી શકે.

ઙયયિિં ઠશહક્ષલફિં

ઙયક્ષલફશક્ષ ખયમશભફહ ઊક્ષભુભહજ્ઞાયમશફ, 1989

શા માટે હૃદયના ‘અ’ ‘બ’ ‘ક’ એક પૂર્વગ્રહ છે?

શું આધુનિક તબીબીશાસ્ત્ર ખોટી જગ્યાએ ખાણ ખોદી રહ્યું છે?

ધી અનાલ્સ ઑફ ઇન્ટરનલ મેડિસિન (72 : 181)માં સંકેત કરવામાં આવ્યો છે કે હૃદયધમનીમાં જોવા મળતા અવરોધો/ઇહજ્ઞભસત હૃદયનું કાર્ય ઘટવાને કારણે છે. આ અવરોધો હૃદયરોગના કારણ નથી. ઉંફળફ જર્નલ ઑફ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં તેમના સો વર્ષની ઉજવણી વખતે પ્રકાશિત થયેલ "51 કફક્ષમળફસિ અિશિંભહયત શક્ષ ખયમશભશક્ષય) - 51 દિશાસૂચક/સીમાચિહ્ન લેખોમાં આને પૂર્તિ લેખ આપવામાં આવ્યો છે. જેમ્સ બ્રાયન હેરીકનો આ સંસ્મરણીય લેખ હૃદયધમનીમાં જોવા મળતા લોહીના ગંઠન ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિિું ઝવજ્ઞિળબજ્ઞતશતને કારણે થતા હૃદયધમનીમાં અવરોધ/ બ્લોક પર છે. આ લેખ પર આદરણીય ડૉ. વિલિયમ હર્સ્ટ જે ‘ઝવય ઇંયફિિં ’ના મુખ્ય તંત્રી છે એમની ટિપ્પણી છે, જે ઘણું

કહી જાય છે : "એ આજ સુધી ચર્ચાસ્પદ રહ્યું છે કે હૃદયધમનીમાં જોવા મળતું લોહીનું ગંઠન (ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિિું ઝવજ્ઞિળબજ્ઞતશત) કારણ છે કે કાર્ય/અસર? જ્યારે હૃદયરોગનો હુમલો આવ્યો હોય ત્યારે શું હંમેશાં હૃદયધમનીમાં શવવિચ્છેદન (ઙજ્ઞતળિંજ્ઞિયિંળ) વખતે જોવા મળતી હૃદયધમનીમાં લોહી ગંઠનની સંખ્યામાં સારો એવો તફાવત છે અને એ આજ સુધી નિશ્ર્ચિત થયું નથી.

એક ઘટના ચોક્કસ જોવા મળે છે અને તે છે છયાયરિીતશજ્ઞક્ષ શક્ષષીિુ. જ્યારે દવા આપીને હૃદયનો લોહીનો પુરવઠો યથાવત્ કરવામાં આવે છે ત્યારે હૃદયને જે ઇજા પહોંચે છે તે ઘટનાને છયાયરિીતશજ્ઞક્ષ શક્ષષીિુ કહેવામાં આવે છે. આવી જ ઘટના જ્યારે પક્ષાઘાતના હુમલામાં મગજની ધમની- ઈફજ્ઞિશિંમ અિયિિુંમાં દવા નાખીને લોહીનો પુરવઠો યથાવત્ કરવામાં આવે છે ત્યારે મગજમાં પણ જોવા મળે છે. હૃદયધમની અને મગજની ધમનીમાં જોવા મળતા અવરોધો લોહીના પુરવઠાના અભાવના કારણે નથી પણ હૃદયે કે મગજે પોતાની જરૂરિયાત ઘટાડી નાખી હોય ત્યારે તેમની ધમનીઓ આવા અવરોધ રચીને જરૂરી માત્રામાં લોહી પૂરું પાડે છે. માટે જ જે કંઇ ઉપચાર ફરી એક વાર હૃદયને કે મગજને પૂરતો લોહીનો પુરવઠો આપવા માટે કરવામાં આવે છે તે સર્વે અર્થહીન છે. ગમે તેટલા આધુનિક કુશળ ઉપાય કરો તો કંઇ જ ફાયદો નથી કારણ કે ઉપાય અસર પર હથોડો મારે છે અને કારણની એરણ પર નહીં. આખી હૃદયધમનીના રોગોની જાળમાં હૃદયધમનીઓને ડ્રાઇવર/સંચાલક તરીકે જોવામાં આવી રહ્યા છે. જ્યારે કે માલિક હૃદય આરામથી બેસીને એને હુકમ આપતો હોય છે.

હજી સુધી આ પ્રકરણમાં બુદ્ધિ કોઇ ચોક્કસ નિર્ણય પર આવી નથી અને બધા સલાહમશવરા કરી રહ્યા છે. કોરોનરી આર્ટરી ખરેખર હૃદયના રોગ માટે જવાબદાર છે કે નહીં. એમાં જોવા મળતા ફેરફારો હૃદયે પહોંચાડેલી હૃદયધમની પરની અસર છે એ નક્કી થયું નથી ત્યારે હૃદયરોગના નિષ્ણાતે આવી દ્વિધા પર આંખમીંચામણાં કરીને હૃદયધમનીને ગુનેગાર ઠરાવી છે અને આવો શબ્દપ્રયોગ ઈીહાશિિં અિયિિું તેમને માટે એન્જિયોગ્રાફી અને અનેક સ્થળે હૃદયરોગ પ્રેક્ટિસમાં વાપરવામાં આવે છે.

જો હેરિક સાચા હોય, અને એ સાચા હોવાની શક્યતા છે ત્યારે હૃદયધમની પર ઉપચાર કરવો એટલે આપણે અસર પર પ્રહાર કરીએ છીએ અને કારણ પર નહીં. એટલે જ આટલી બધી વિવિધ ઉપચારોની નિયંત્રિત ટ્રાયલ્સમાં હેબરડન(1768)થી આજસુધી કંઇ ભલીવાર જોવા મળ્યો નથી. આટલા બધા હૃદયને ફરી એક વાર પૂરતું લોહી પૂરું પાડવાના (છયદફતભીહફશિુફશિંજ્ઞક્ષ) ઉપચારો જે 1899 સાલથી કરવામાં આવ્યા છે એ આયુષ્ય વધારવામાં કે મૃત્યુનો દર ઘટાડવામાં સફળ રહ્યા નથી. શેક્સપિયરની ભાષામાં કહીએ તો હૃદયરોગને થતો અટકાવવાના અને હૃદયરોગના ઉપચારના જે બધા બણગા ફૂંકાય છે એ સર્વ ભવ્ય આડંબર છે. અંદર સર્વ પોલું છે. માનવજાતને એનાથી કોઇ ફાયદો થયો નથી. અને જે કંઇ ઉપચાર કરવામાં આવે છે એને હૃદયધમનીમાં જોવા મળતા વિકાર સાથે કોઇ જ સંબંધ નથી. સર્વ હૃદયનિષ્ણાતો હૃદયરોગને થતો અટકાવવાના અને મટાડવા માટે જે કંઇ કરે છે ત્યારે એ બીજા રોગની પણ શરીરને ભેટ આપે છે.

હૃદયના ‘અ’ ‘બ’ ‘ક’ પરના પ્રયત્નો

અ - આર્ટરી - અિયિિું - ધમની

હૃદયધમની પર બે રીતે ઉપચાર જોતરવામાં આવે છે. એક દવારૂપે અને બીજું સાધનોથી એમના પર સમારકામ કરવું - એન્જિયોપ્લાટી + સ્ટેન્ટ અને /અથવા બાયપાસ.

દવાઓ: હૃદયધમનીઓ બરાબર હોય કે તેમનામાં અવરોધ હોય તો પણ એ દવાને દાદ આપતી નથી. એનું પોલાણ વધારતી નથી કે જેથી કરીને હૃદયને વધુ લોહી મળે. ગશિિંજ્ઞલહુભયશિક્ષય (તજ્ઞબિશિિંફયિં) છાતીના દુ:ખાવામાં થોડી રાહત આપે છે ખરી. તેઓ પગની શિરાઓને પહોળી કરી તેમાં વધુ લોહી સમાવે છે. જેથી હૃદય તરફ લોહી ઓછું પાછું ફરે છે અને આમ હૃદયને ઓછું કામ કરવાનો સંદેશ મળે છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=473125