Friday, January 30, 2015

આધુનિક વિજ્ઞાનને પડકાર ભારતીય ગ્રંથોનો ---- (બૃહદસંહિતા) સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99004

બૃહદસંહિતા અને વિવેકવિલાસ જેવા પ્રાચીન ગ્રંથોમાં કુદરતી આફતોની સચોટ આગાહીનું વિજ્ઞાન વર્ણવવામાં આવ્યું છે




અતિવૃષ્ટિ, સુનામી, કેટરિના અને ભૂકંપ જેવી ઘટનાઓ હવે આપણી પૃથ્વી માટે નિયમિત ઘટમાળ બની ગઇ છે. કુદરતે જાણે કે માનવજાતને બરાબરનો પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો છે. ઉત્તરાખંડમાં આવેલો કુદરતનો પ્રકોપ તેનો પુરાવો છે. દર વખતે કુદરતી આફત આવે ત્યારે ખ્યાલ આવે છે કે આધુનિક વિજ્ઞાન આ પ્રકારની આપત્તિઓની આગાહી કરી જ શકતું નથી. તેથી વિરુદ્ધ ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કુદરતી આફતોની સચોટ આગાહી માટેનું વિજ્ઞાન જોવા મળે છે.

ભારતમાં ઇસુની છઠ્ઠી સદીમાં વરાહમિહિર નામના મહાન જ્યોતિષાચાર્ય થઇ ગયા. તેમણે લખેલા બૃહદ સંહિતા નામના ગ્રંથમાં ભૂકંપની આગાહી કેવી રીતે કરવી તેની સચોટ પદ્ધતિ આપવામાં આવી છે. અત્યારે કેલિફોર્નિયા ખાતે આવેલા અર્થક્વેક પ્રેડિકશન સેન્ટરમાં બૃહદ સંહિતાની આ પદ્ધતિ ઉપર સંશોધન થઇ રહ્યું છે. બૃહદ સંહિતાના ૩૨મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રદેશમાં ભૂકંપ થવાનો હોય ત્યાં એક સપ્તાહ અગાઉ વિચિત્ર પ્રકારનાં વાદળો અચૂક જોવા મળે છે. આ ઉપરાંત ભૂકંપ થવાનો હોય તે અગાઉ દરિયાનાં મોજાંઓમાં એક પ્રકારની અનિયમિતતા જોવા મળે છે. પ્રાણીઓ અને પક્ષીઓ વિચિત્ર રીતે વર્તે છે અને હવામાનમાં પણ ચોક્કસ પ્રકારનું પરિવર્તન આવે છે. બૃહદ સંહિતાનો અભ્યાસ કરી રહેલા પુણેના વૈદિક વિદ્વાન આ બધી જ બાબતોના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે હિમાયત કરી રહ્યા છે.

આપણે નોબલ પારિતોષિક પ્રાપ્ત કરનારા આધુનિક વિજ્ઞાનીઓની આરતી ઉતારીએ છીએ પણ આપણા જ દેશમાં થઇ ગયેલા મહાન ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાની વરાહમિહિર વિશે આપણા યુવાનો કેટલું જાણે છે? વરાહમિહિરનો જન્મ ઇ. સ. ૫૦૫ની આજુબાજુ ઉજ્જૈન નજીક આવેલા કપિત્થ ગામમાં થયો હતો. તેમના પિતા આદિત્યદાસ જ તેમના ગુરુ હતા. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારનાં નવ રત્નોમાં વરાહમિહિરને માનભર્યું સ્થાન મળ્યું હતું. આચાર્ય વરાહમિહિર એક બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે પ્રાચીન વિદ્યાઓના અભ્યાસ માટે ગ્રીસનો પણ પ્રવાસ કર્યો હતો. પારસ દેશના સમ્રાટના આદેશથી તેમણે પંચતંત્રની કથાઓનો પહેલવી ભાષામાં તરજુમો કર્યો હતો. વરાહમિહિરે રચેલા ‘પંચસિદ્ધાંતકા’ ગ્રંથમાં ખગોળશાસ્ત્રના નિયમોનુું વિસ્તૃત વર્ણન છે. બૃહદ સંહિતા ગ્રંથમાં તો સર્વ પ્રાચીન વિદ્યાઓનો ખજાનો જોવા મળે છે.

અમેરિકામાં રહેતો ઝોન્ગ હાઉ શોઉ નામનો સંશોધક આચાર્ય વરાહમિહિરના ગ્રંથના આધારે વાદળાંઓની કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મેળવવામાં આવેલી તસવીરોનો ઉપયોગ કરીને ભૂકંપની સચોટ આગાહી કરવાનું વિજ્ઞાન વિકસાવી રહ્યો છે. ચીનના આ સંશોધકે પોતાની વેબસાઇટ ઉપર એવો દાવો કર્યો છે કે પાકિસ્તાનનો ભૂકંપ થયો તેના ૨૪ કલાક અગાઉ તેણે વાદળાંના બંધારણને આધારે એવી આગાહી કરી હતી કે ચીનમાં અથવા તેની પડોશમાં આવેલા કોઇ દેશમાં ભીષણ ભૂકંપ થવાનો છે. આ સાથે વારાણસી ખાતે આવેલા એક વાદળાંઓના જાણકારે પણ એવો દાવો કર્યો છે કે તેણે પણ પાકિસ્તાનમાં આવનારા ભૂકંપની એક સપ્તાહ અગાઉ આગાહી કરી હતી અને પાંચ દિવસ અગાઉ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ડિઝાસ્ટર રિડક્શન સેક્રેટરીએટને તેની જાણ પણ કરી હતી.

પુણે ખાતે રહેતા અરુણ બાપટ પણ બૃહદસંહિતા ગ્રંથમાં વર્ણવવામાં આવેલા ભૂકંપ અગાઉ વાદળાંઓના બંધારણના સિદ્ધાંત ઉપર સંશોધન કરી રહ્યા છે. તેમના જણાવવા મુજબ જ્યારે ધરતીકંપ થવાનો હોય તેના થોડા દિવસ અગાઉ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય છે, જેની અસર આબોહવા અને વાદળાંઓના બંધારણ ઉપર થઇ શકે છે. વરાહમિહિરના પંચસિદ્ધાંતિકા ગ્રંથમાં પ્રાચીન ભારત ઉપરાંત ગ્રીસ, ઇજિપ્ત અને રોમના જ્ઞાનનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. બૃહદ સંહિતા ગ્રંથમાં એક સ્થળે લખવામાં આવ્યું છે કે, "બ્લુ લિલી, મધમાખી વગેરે આકારનાં મોટાં વાદળાં જોવા મળે છે. આ વાદળાંની કિનારી ઝળકતી હોય છે અને તેમાંથી ધોધમાર વરસાદ વરસે છે. આ વર્તુળમાં પેદા થતો ધરતીકંપ સમુદ્રના અને નદીઓના સહારે જીવતા લોકોને મારી નાખશે. વળી તેના કારણે ભારે વરસાદ પેદા થશે.

બૃહદ સંહિતામાં ધરતીકંપ પછી ભારે વરસાદ પડવાની જે વાત કરવામાં આવી છે તેનો અનુભવ લાતુરના ભૂકંપ વખતે થયો હતો અને પાકિસ્તાનના ભૂકંપ પછી પણ આ જ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. લાતુરના ભૂકંપ પછી દુકાળગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડામાં એટલો બધો વરસાદ પડ્યો હતો કે તેને કારણે રાહતસામગ્રી લઇને જતી ટ્રકો રસ્તામાં જ અટકી ગઇ હતી. તેવી જ રીતે પાકિસ્તાનમાં ભૂકંપ પછી બરફનો વરસાદ પડતાં બચાવકાર્યમાં વિઘ્નો આવ્યાં હતાં. આ રીતે ધરતીકંપ સાથે વાદળાંઓને અને વરસાદને ચોક્કસ સંબંધ હોવાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ભૂકંપની આગાહી કરતા આધુનિક હવામાનશાસ્ત્રમાં આ પરિબળોનો વિચાર જ કરવામાં આવ્યો નથી. આ કારણે જ તેઓ આજે પણ આવી આગાહી કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. 

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપ વિશે સંશોધન કરી રહેલો ઝોન્ગ શોઉ કહે છે કે, "જે વિસ્તારમાં ધરતીકંપનું કેન્દ્રબિંદુ હોય ત્યાં એટલી બધી ગરમી પેદા થાય છે કે પાણીનું રૂપાંતર વરાળમાં અને વાદળાંઓમાં થાય છે, જેને કારણે ભારે વરસાદ પડે છે. આ વરાળ પૃથ્વીના પોપડામાંથી જે રીતે બહાર આવે છે તે મુજબ વાદળાંઓ અજગરનો, દરિયાનાં મોજાંનો, ફાનસનો કે પીંછાનો આકાર ધારણ કરે છે. પુણેના એસ. એન. ભાવસારે વેદોમાં છુપાયેલા વિજ્ઞાન વિશે સંશોધન કરી ડોક્ટરેટ કર્યું છે. તેમણે પુણે યુનિવર્સિટીના સ્પેસ સાયન્સ વિભાગમાં પણ કાર્ય કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, "કુદરતની અનેક ગતિવિધિઓ જલદી ધ્યાન ન જાય તેવી પણ નિયમિત હોય છે. આ પ્રક્રિયાઓનો જો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે તો તેના વડે વિશ્ર્વનાં અનેક રહસ્યોનો તાગ મેળવી શકાય તેમ છે.

વરાહમિહિરના ગ્રંથ બૃહદ સંહિતાની જેમ જૈનાચાર્યશ્રી જિનદત્તસૂરિજી દ્વારા રચાયેલા શ્રી વિવેકવિલાસ ગ્રંથમાં પણ કુદરતી આફતોની સચોટ આગાહીઓ કેવી રીતે કરી શકાય તેની વિગતો આપવામાં આવી છે. વિક્રમના તેરમા સૈકામાં થયેલા આ જૈનાચાર્ય રાષ્ટ્ર ઉપર આપત્તિ આવવાની હોય, નગરનો નાશ થવાનો હોય, મહાસંગ્રામ થવાનો હોય અથવા દેશભંગ થવાનો હોય ત્યારે જે એંધાણીઓ જોવા મળે છે, તેની વિસ્તૃત યાદી રજૂ કરે છે. આ લક્ષણોની ટૂંકમાં રજૂઆત નીચે મુજબ કરી શકાય તેમ છે:

(૧) જળચર જીવો ભૂમિ ઉપર અને ભૂચર જીવો જળમાં ચાલતા જોવા મળે. (૨) મંદિરમાંની પ્રતિમાઓના સ્વરૂપમાં કોઇ ફેરફાર જોવા મળે. (૩) શિયાળનો ધ્વનિ દિવસે સંભળાય અને કાગડાઓ કોલાહલ કરી મૂકે.(૪) રાત્રિના સમયે આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે.(૫) વૃક્ષોને અકાળે ફૂલ કે ફળ આવે.(૬) જો ગધેડું ભૂંકતું હોય ત્યારે ગધેડાની સાથે જ બીજો કોઇ ચોપગો જીવ ભૂંકવા લાગે તો દુષ્કાળ પડી શકે છે. (૭) રાત્રિના સમયે ગાયો ભાંભરવા લાગે.(૮) સફેદ કાગડા, શ્ર્વાન અને ગીધાદિ પ્રાણીઓ આમતેમ ભમવા લાગે.(૯) હાથણીના ગંડસ્થળમાંથી મદ ઝરવા લાગે. (૧૦) તેતર પક્ષી રાત્રે બોલવા લાગે.

મહારાષ્ટ્રના લાતુરમાં, કચ્છમાં અને પાકિસ્તાનમાં ભૂકંપ થયો તે અગાઉ ઉપર જે લક્ષણો વર્ણવ્યાં છે તે પૈકી અનેક ઘટનાઓ જોવા મળી હતી પણ તેની યોગ્ય જાણકારીના અભાવે આ ઘટનાઓ ઉપરથી ભૂકંપની સચોટ આગાહી કરી શકાઇ નહોતી. ભૂકંપ, અતિવૃષ્ટિ, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ છે અને મનુષ્યમાં હજી એટલી તાકાત આવી નથી કે આ આફતોને આવતી અટકાવી શકે. તેમ છતાં પ્રાચીન સાહિત્યની મદદ લઇને આવી કુદરતી આપત્તિઓની જો સમયસર આગાહી કરી શકાતી હોય તો હજારો મનુષ્યોના જાન બચાવી શકાય છે. ભૂતકાળમાં વિશિષ્ટ જ્ઞાનીઓના વચન ઉપર વિશ્ર્વાસ મૂકી આ રીતે હજારો લોકોએ પોતાના જીવ બચાવ્યા હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે. બનાસકાંઠામાં આવેલા ભીલડી શહેરનો આગમાં વિનાશ થવાનો છે તેની જાણ ત્યાં બિરાજમાન જૈનાચાર્યને થઇ ગઇ હતી. તેમણે ભીલડીના નગરજનોને ચેતવણી આપી આખું નગર ખાલી કરાવ્યું હતું અને તેમણે રાધનપુર શહેર વસાવ્યું હતું. ભીલડી નગર પછી ખરેખર વિનાશક આગમાં તારાજ થઇ ગયું હતું. 

જૈન પરંપરાના ગ્રંથ શ્રી વિવેક વિલાસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, "જ્યારે દેશમાં દુષ્ટોનું જોર વધી પડે છે, અનીતિ અને અનાચારનું સામ્રાજ્ય વિસ્તૃત બને છે ત્યારે કુદરતી આફતો આવ્યા વિના રહેતી નથી. આજે આપણા દેશની અને વિશ્ર્વની હાલત પણ તેવી જ છે. મનુષ્ય આજે વિવેકહીન બની જે રીતે કુદરતી સમતુલાને તોડી રહ્યો છે તે જોતાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, સમુદ્રીય તોફાનો અને ભૂકંપ જેવી આફતો ન આવે તો જ નવાઇ લાગે તેમ છે. મનુષ્ય દ્વારા પર્યાવરણનો જે વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનો સીધો સંબંધ કુદરતી આફતો સાથે છે તે જ્ઞાન આપણને જેટલું વહેલું આવશે તેટલા આપણે વધુ બચી શકીશું.

બ્રહ્માંડમાં માયા ઉત્પન્ન કરતો પ્રકાશ --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=150945






પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે પ્રકાશ શું છે. સૂર્યોદય થાય ને બધે પ્રકાશ ફેલાઈ જાય. રાતે જેવો તેવો પણ ચંદ્ર પ્રકાશ ફેલાવે, તો બીજી બાજુ પ્રકાશબિંદુઓ જેવા તારા ટમ ટમે.

મુસ્લિમ વિજ્ઞાનીઓથી માંડી ન્યુટન સુધીના બધા વિજ્ઞાનીઓએ પ્રકાશને સમજવા પ્રયત્નો કરેલાં. રસ્તા પર તેલ ઢોળાય ત્યારે આપણને તેમાં રંગો દેખાય. આકાશમાં મેઘધનુષ દેખાય, લિઓેનાર્ડા - દ - વીંચી રાજાપતિ હતો. તેણે અવાજના પડઘા સાંભળેલાં. અવાજનાં પરાવર્તનનો અનુભવ કરેલો. પ્રકાશ પણ આવી રીતે પરાવર્તન કરે છે તેમ તેણે અનુભવ કરેલો. ન્યુટને પછી તેની પ્રયોગશાળામાં પ્રકાશનું મેઘધનુષ જોયું. તેણે સપ્તરંગી ચકરડીને ફેરવીને જોયું તો માત્ર સફેદ રંગ જ દેખાતો. તેથી તેણેે જાહેર કર્યું કે સફેદ પ્રકાશ સાત રંગનો બનેલો છે. ન્યુટને પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરેલો અને તેના ગુણધર્મો જાહેર કર્યા. પાણીના પ્યાલામાં ચમચો વાંકો વળેલો દેખાય છે અને પાણીના પ્યાલામાં કે સ્વચ્છ પાણી ભરેલા તળાવમાં તેનું તળિયું હોય એના કરતાં ઊંધું આવેલું દેખાય છે. આ બધી ક્રિયાઓને ન્યુટને પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંતો સમજવા ભણી દોરી ગયાં. આમ તેણે પ્રકાશના વક્રીભવનના નિયમો શોધી કાઢ્યાં. પ્રકાશ વિશે આ બધી કુદરતી ક્રિયાઓનાં અભ્યાસથી ન્યુટનને લાગ્યું કે પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે. તેથી જ તે સીધી રેખામાં પ્રવાસ કરે છે. તેને પછી પ્રકાશ સૂક્ષ્મકણોનો બનેલો છે તેવી જાહેરાત કરી, તેને ન્યુટનની પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે તેની થિયરી કહે છે. તેમ છતાં ન્યુટનને ખબર ન હતી કે પ્રકાશની ઝડપ કેટલી છે. બારી ખોલો અને આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય તે જોતાં બધા માનતાં કે પ્રકાશની ગતિ અસીમિત (શક્ષરશક્ષશયિં) છે. સૂર્ય, ચંદ્ર, તારાને જોતાં લોકો અને વિજ્ઞાનીઓ સુધ્ધાં માનતાં કે તેઓ આ બધા આકાશપિંડોની તત્ક્ષણની સ્થિતિ જુએ છે.

ન્યુટન જે દિવસે જન્મ્યો તે દિવસે ગેલિલિયોનું મૃત્યુ થયું હતું. ગેલિલિયોએ પહેલી શંકા કરી કે પ્રકાશની ગતિ અસીમિત નહીં પણ સીમિત હોવી જોઈએ. ગેલિલિયો તો વિજ્ઞાની માત્ર એમ માનીને બેસી ન રહે કે પ્રકાશની ગતિ સીમિત હોવી જોઈએ. તેથી પ્રકાશની ગતિ માપવા તેણે પ્રયોગ આદર્યો. આ પ્રયોગમાં તેણે પાંચ કિલોમીટર દૂર એક ટેકરી પર રાતે તેના મદદનીશને લાલટેન - ફાનસ (કફક્ષયિંક્ષિ) લઈને મોકલ્યો અને પોતે એક ટેકરી પર ઊભો રહ્યો. સમજૂતી એવી હતી કે ગેલિલિયો તેના ફાનસનું સટર ખોલે એટલે પ્રકાશ તેમાંથી નીકળે. આ પ્રકાશ તેના મદદનીશ પાસે જાય અને તેને તે દેખાય. એટલે તે તેના ફાનસનું સટર ખોલી નાખે. એ પ્રકાશ પછી ગેલિલિયો પાસે પહોંચે. ગેલિલિયો આ ક્રિયામાં કેટલો સમય પસાર થયો તે નોંધે. ગેલિલિયો અને તેના મદદનીશ વચ્ચેની ટેકરીઓ વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર એટલે પ્રકાશને આવવા -જવાનું અંતર ૧૦ કિલોમીટર થાય અને તેણે તે દરમિયાન નોંધેલા સમયથી ભાગીએ એટલે પ્રકાશની ઝડપ (ગતિ) આવે. આવો પ્રયોગ ગેલિલિયોએ પ્રકાશની ઝડપ માપવા કરેલો.

પ્રયોગની રીત તો સારી હતી. પ્રતિ પ્રકાશની ઝડપ એક સેક્ધડના ૩ લાખ કિલોમીટરની છે તેની ગેલિલિયો બિચારાને ખબર ન હતી. જો પ્રકાશ એક સેક્ધડમાં ૩ લાખ કિલોમીટર જાય તો ૧૦ કિલોમીટરનું અંતર કાપતા તેને એક સેક્ધડનો ત્રીસ હજારમો ભાગ લાગે. પ્રકાશ એક સેક્ધડમાં પૃથ્વીની સાડા સાતવાર પરિક્રમા કરે છે. તે વખતે સેક્ધડનાં ત્રીસ હજારમો ભાગ માપે તેવા ઘડિયાળો કયાં હતાં? ત્યારે સૌથી સચોટ રીતે સમય માપનાર ઘડિયાળ જલધરિકા યંત્ર હતી. બિચારી ટપક ટપક ટપક જળબિન્દુ નળમાંથી પડે તેના દ્વારા સમય માપે. જળબિન્દુ એક બે કે ત્રણ સેક્ધડે નળમાંથી બહાર પડે. તેમાં સેક્ધડની ત્રણ લાખ કિલોમીટરની પ્રકાશની ઝડપ કેવી રીતે મપાય? બે કે ત્રણ સેક્ધડની ભૂલ તો ત્યાં થાય. તેમાં વળી હ્યુમન એરર આવે. ફાનસનું સટર ખોલવામાં એકાદ બે સેક્ધડ લાગે. વળી પાછું ફાનસનું સટર બે વાર ખોલવાનું થાય એટલે સમય માપનમાં બમણી ભૂલ થાય. આમ ૧૦ સેક્ધડની ભૂલ થઈ જાય અને ઝડપ માપન દસ ગણું ઓછું આવે ત્યારે હાલના જેવા અટેમિક ક્લૉક નહોતાં જે સેક્ધડનો એક અબજમો ભાગ કે દશમો અબજ ભાગ માપી શકે. અરે, પેન્ડયુલમ કર્લાક (લોલકવાળા ઘડિયાળો) પણ ન હતાં.

ગેલિલિયોએ પ્રકાશની ગતિ જેટલી વાર માપી તો દર વખતે જવાબ અલગ અલગ મળે. તેથી ગેલિલિયોને લાગ્યું કે પ્રકાશ વારંવાર તેની ઝડપ બદલતો હોય તેમ લાગે છે. આમ ગેલિલિયો પ્રકાશની ઝડપ માપવામાં નિષ્ફળ ગયો પણ તેણે વિજ્ઞાનીઓનાં મગજમાં એક વિચાર મૂકી દીધો કે પ્રકાશની ગતિ સીમિત જ છે. જોકે તે માપવી અઘરી છે ખરી માપી શકાય ખરી. ગેલિલિયો પ્રકાશની ગતિ માપવામાં નિષ્ફળ ગયેલો તેમાં તેનો વાંક નહોતો. તેની રીત સાચી હતી પણ તે વખતના ઘડિયાળો એવા હતાં કે પ્રકાશની એક સેક્ધડની ૩ લાખ કિલોમીટરની ઝડપ માપી ન શકે.

બીજા વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિ ચોક્કસપણે માપી. તેણે આપણને આપણું વિશ્ર્વ જોવાની નજર જ બદલાવી નાખી કારણ કે આપણે પ્રકાશની મદદથી જ બ્રહ્માંડ જોઈએ છીએ અને તે આપણે જે કાંઈ વસ્તુ જોઈએ છીએ. તેમાંથી આવતા કે થોડો સમય લે જ એટલે કે આપણે વસ્તુની તત્ક્ષણની સ્થિતિ જોતાં નથી પણ તેની ભૂતકાળની સ્થિતિ જ જોઈએ છીએ. જેટલી વસ્તુ દૂર તેમના ઊંડા તેના ભૂતકાળને આપણે જોઈએ છીએ. સૂર્યની સ્થિતિ આપણે તત્ક્ષણની જોતાં જ નથી પણ સાડા આઠ મિનિટ ભૂતકાળની સ્થિતિ જોઈએ છીએ. ચંદ્રની સવા સેક્ધડની ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ અને આપણી નજીકના તારા મિત્ર અને મિત્રકની સાડા ચાર.

વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ તો દેવયાની મંદાકિની (અક્ષમજ્ઞિળયમફ ૠફહફડ્ઢુ) ની સાડા બાવીસ લાખ વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ. આપણે જ્યારે આપણા દૃશ્ય વિશ્ર્વની કિનારી જોઈએ છીએ ત્યારે તેની સ્થિતિ ૧૪ અબજ વર્ષ પહેલાંની જોઈએ છીએ જ્યારે આપણું વિશ્ર્વ અસ્તિત્વમાં આવ્યું.

આ જ રીતે દૂર દૂરના ગ્રહો પર લોકો રહેતાં હોય તો તે આપણી પૃથ્વીનો ભૂતકાળ જોવે. જો તેઓ પાંચ હજાર પ્રકાશ વર્ષ દૂર રહેતા હોય તો તે હાલમાં આપણો પાંચ હજાર વર્ષ પહેલાંનો ભૂતકાળ જોવે, એટલે કે તે આપણને ન જુએ પણ મહાભારતના યુદ્ધને ચાલતું જોવે. જો તે લોકો ૧૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર હોય તો તે આજે પૃથ્વીનો દશ હજાર વર્ષ જૂનો ભૂતકાળ જોવે. આ દશ હજાર પ્રકાશ વર્ષના અંતરે રહેલાં લોકો હવે પછીના પાંચ હજાર વર્ષ પછીના ભૂતકાળને એટલે કે મહાભારતના યુદ્ધને જોશે. આજે આપણે કુરુક્ષેત્રમાં ફરતાં હોઈએ તો તેઓ આજે આપણને ન જુએ પણ પાંચ હજાર વર્ષ પછી તે આપણને કુરુક્ષેત્રમાં ફરતાં જોશે. આમ જ્યારે એક પ્રસંગ આપણા માટે ભૂતકાળ છે તે બીજે ક્યાંક વર્તમાનકાળ હશે અને તેનાથી દૂરના સ્થળે તે ભવિષ્યમાં દેખાશે. માટે બ્રહ્માંડમાં કે પૃથ્વી પર બનેલો કોઈ પણ પ્રસંગ કદી નષ્ટ પામતો નથી અને પામશે પણ નહીં કારણ કે આપણું બ્રહ્માંડ વિસ્તરતું જાય છે.

પ્રકાશ બહુ દિવ્ય છે. તે ઊર્જા છે. પ્રકાશે બ્રહ્માંડમાં ઘણી માયા સર્જી છે.

ન્યુટનના જ સમકાલીન વિજ્ઞાની ક્રિશ્ર્ચન હોમગન્સે જોયું કે પાણીમાં પથ્થર નાખીએ તો તેમાં ગોળ ગોળ તરંગો ઉત્પન્ન થાય છે. અવાજ તરંગોનો બનેલો છે. માટે તેને થયું કે પ્રકાશ પણ અવાજની જેમ તરંગોનો જ બનેલો હોવો જોઈએ. પ્રકાશ અવાજના તરંગો માફક પરાવર્તિત થાય છે અને તેનું વક્રીભમન ખૂબ થાય છે. આ આપણા પર હોમગન્સે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મો સાબિત કર્યા તેને હોમગન્સની પ્રકાશની તરંગોની થીયરી કહે છે.

ન્યુટનના મતે પ્રકાશ સુક્ષ્મકણોનો બનેલો છે અને હોમગન્સના મતે પ્રકાશ તરંગોનો બનેલો છે. આ બંને ગુણધર્મો અલગ અલગ ગણાય. એટલું જ નહીં પરસ્પર વિરોધી ગણાય એકબીજાને વિરોધી ગણાય. આ બાબતે વિજ્ઞાનીઓને મહાન અસમંજસમાં મૂકી દીધાં.

લંડનની રૉયલ સોસાયટીમાં ન્યુટને અને હોમગન્સ બંને જણાએ પોતપોતાની થિયરીઓ રજૂ કરી. ત્યારે જ રોયલ સોસાયટીના અધ્યક્ષ રોબર્ટ હૂક હતા. રોબર્ટ હૂક અને ન્યુટનને જામતું નહીં. હૂકને લાગ્યું હતું કે ન્યુટને તેની ગુરુત્વાકર્ષણની થીયરી હૂકના ગુરુત્વાકર્ષણના મૂળ વિચાર પર વિકસાવી હતી પણ હૂકને તે માટે ક્રેડિટ આપી ન હતી. હૂકે રૉયલ સોસાયટીના અધ્યક્ષ તરીકે હોમગન્સની થિયરી વધારે વજૂદવાળી લાગેલી તેથી હોમગન્સના તરફેણમાં મત આપ્યો. ન્યુટનને આ ગમ્યું નહીં.

તેણે હરહંમેશ માટે રૉયલ સોસાયટીમાંથી રાજીનામું આપી દીધું. પાછળથી હોયગન્સની થીયરીના આધારે પ્રકાશના બીજા બે ગુણધર્મો ઈન્ટરફીઅરન્સ અને ડિરેકશન સમજાવી શકાયા. તેથી ન્યુટનની થિયરી વિજ્ઞાનીઓનાં મગજમાંથી જ નીકળી ગઈ.

વીસમી સદીની શરૂઆતમાં વિખ્યાત જર્મન વિજ્ઞાની મેક્ષ પ્લાન્કે દર્શાવ્યું કે ફ્રકાશ નાના નાના (સૂક્ષ્મ) પેકેટમાં આવે છે. તેને તેણે ક્વોન્ટા કહ્યા. તેનો અર્થ એમ થાય કે પ્રકાશ પધાર્થકણ તરીકે પણ વર્તે છે. આથી પ્રકાશ ખરેખર શું છે, તેના રહસ્ય માટે વિજ્ઞાનીઓ મોટી ગૂંચવણમાં પડી ગયા.

આ વખતે આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પ્રકાશ ન્યુટન માનતો હતો તેમ પદાર્થકણ પણ છે અને હોમગન્સ માનતો હતો તેમ તરંગ પણ છે. પ્રકાશને બંને રૂપો છે. પ્રકાશ ગતિ કરે છે ત્યારે તરંગોની માફક ગતિ કરે છે અને તે જ્યારે પદાર્થ સાથે અથડાય છે ત્યારે પદાર્થકણ તરીકે વર્તે છે. આમ પ્રકાશના પરસ્પર વિરોધી બંને ગુણો ઊભરી આવ્યા. તેને પ્રકાશનની તરંગ અને પદાર્થકણ બંને સ્થિતિ કહે છે. ઠફદય - ઙફિશિંભહય ઉીફહશિું કહે છે. આમ પ્રકાશને દ્વિસ્વરૂપ છે. વિજ્ઞાનમાં પ્રથમ કાર આવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને બીજા પ્રયોગોએ તેને સારી રીતે સ્થાપ્યું. આ ખરેખર અદ્ભુત ગણાય. કુદરતમાં જ આવું સંભવી શકે. કુદરતની આ ક્રિયાએ ક્વોન્ટમ ફિઝિકસને ઉત્પન્ન કર્યું જે ભૌતિકશાસ્ત્રની આજની મહાન થિયરી ગણાય છે. આપણને તેથી પ્રશ્ર્ન થાય કે આપણા વેદશાસ્ત્રોમાં આ વાત સમજવા કોઈ ઉદાહરણ છે? છે તે શંકર ભગવાનનું અર્ધનારી સ્વરૂપ છે આ જાણી ખરેખર આશ્ર્ચર્ય થાય.

પ્રકાશનું તરંગ અને પદાર્થકણનું દ્વિસ્વરૂપ આપણને મહાદેવના અર્ધનારીશ્ર્વરના રૂપને બરાબર સમજાવે છે. કોઈ પણ સ્ત્રીમાં પુરુષના ગુણો પણ છે અને કોઈ પણ પુરુષમાં સ્ત્રીના પણ ગુણો છે. સ્ત્રી કોઈ એકલી સ્ત્રી નથી અને પુરુષ કોઈ એકલો પુરુષ નથી. સ્ત્રીમાં પુરુષ છે અને પુરુષમાં સ્ત્રી. આ ઘણી ગહન સમજણ છે.

હું સમય છું --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147846


હું સમય છું. યાદ આવ્યું? કાંડા ઘડિયાળમાંથી નીકળી હવે હું મોબાઈલના સ્ક્રીન લોકમાં જઈ વસ્યો છું. સદીઓથી દિવસના ચોવીસ કલાક લેખે હું સૌને સરખો જ મળું છું. કોક ઊંઘવામાં, કોક ખાવામાં, અને કોક નહાવામાં મને વાપરે છે. અભિનેત્રી રેખાના ડ્રેસિંગરૂમમાં હું ફુરસદપૂર્વક વપરાઉં છું. તો વર્તમાન પ્રધાનમંત્રી દ્વારા મારો સાવ કસ કાઢી નાખવામાં આવે છે! 

તત્ત્વચિંતકો મને અવધિ (વધી ન શકે તેવો - સીમિત) કહે છે, આશાવાદીઓ મને તાકડો (જોગ, લાગ, તક) કહે છે તો નિરાશાવાદીઓ મને સંકટો સાથે જોડી ભૂત, ભવિષ્ય કે વર્તમાન ’કાળ’ કહે છે. ફેશનફોફ્લાંઓ મને ટાઈમ કહે છે અને પોતાના મૂડ અનુસાર મને વાપરે, ખર્ચે, કાઢે કે "કિલ" કરે છે. અભિસારિકા માટે હું યુગ કરતાય મોટો અને પંચાતપિપાસુઓ માટે હું પળ કરતાંય પાતળો છું. મારા નામમાં "મય" જેવું મદ્ય હોવાં છતાં કેટલાક હતાશ ખચ્ચરો મને કે વખ જેવો કડવો/તપસ- વખત કહીને મોં બગાડે છે!

ક્યાંક હું ટૂંકો પડું છું અને ક્યાંક હું લાંબો. પરીક્ષામાં હોંશિયાર વિદ્યાર્થીને હું ઓછો પડું છું તો ડોબાને એક્ઝામ હોલમાં મને પાસ કરવો પડે છે, આમ છતાં એ પોતે પાસ નથી થતો. મરવાને વાંકે જીવતાં લોકોને હું દીર્ધ તો ખુશમિજાજ લોકોને હું અલ્પ લાગુ છું. જે લોકો મને પોતાની મરજી મુજબ વાપરી નથી શકતાં એમને કંટાળો આવે છે. જેને કોઈ ટેવ કે કુટેવ નથી, એ મને પસાર કરવામાં થાકે છે. કંટાળેલા લોકો પોતાનો કંટાળો બીજાને અર્પણ કરે છે. આવા લોકો પોતે બોરિંગ હોય છે. 

હું ફેસબુક, વોટ્સેપ અને ચેટિંગમાં વપરાઉં છું. પોસ્ટ પર કોની કોની લાઈક આવી અને કોની ન આવી એ હિસાબોમાં હું ખર્ચાઉં છું. વોટ્સેપમાં હું મેસેજ ફોરવર્ડ કરવામાં વ્યય થાઉં છું. ટ્વિટર પર એકસો ચાલીસ અક્ષરના ટૂંકા બકવાસ વાંચવામાં પણ હું વ્યતિત થાઉં છું. મોબાઈલ પર ગેમ્સનાં લેવલ પાર કરવામાં સડસડાટ વીતી જાઉં છું. ક્યાંક લખવામાં તો ક્યાંક ભૂસવામાં, ક્યાંક નવી ભૂલો કરવામાં તો ક્યાંક જૂની ભૂલો સુધારવામાં મારો ઉપયોગ થાય છે. બેંક કે મોબાઈલનાં બેલેન્સની જેમ મારું બેલેન્સ ચેક નથી થઈ શકતું એટલે કેટલો વપરાયો અને કેટલો બચ્યો છે એ મોટાભાગનાંને ખબર જ નથી પડતી. 

હું ક્યાંક વેડફાઈ છું તો ક્યાંક ખર્ચાઈ જાઉં છું. ઓફિસમાં ધીમીધારે અને પાર્ટીઓમાં નેવાધારે વહી જાઉં છું. ગરીબો મને લાઈનમાં ઊભા રહેવામાં વાપરે છે. દારૂડિયા ઘેનમાં મને ખર્ચે છે. વિદ્યાર્થીઓ કાપલીઓ બનાવવામાં અને કરોડો ગૃહિણીઓનાં કરોડો વર્ષો ઘરકામમાં ખર્ચાય છે. જેની પાસે કોઈ કામ નથી તે માખીઓ મારીને મને પસાર કરે છે. જોકે દેશમાં લાખો બેકાર ને નવરાં હોવાં છતાં માખીની સમસ્યા હલ નથી થતી. 

કેટલાંક ચર્ચા કરી મને વ્યતિત કરે છે. ફેસબુક પર ગ્રુપમાં નાણામંત્રીએ શું કરવું અને શું ન કરવું એ સલાહ આપવામાં મારો ઉપયોગ થાય છે. ધોની અને કોહલીએ શું કરવું જોઈએ એની ચર્ચાઓમાં હું કીટલી પર ખર્ચાઉં છું. પતિએ શું કરવું અને શું નહીં તે અંગે પત્ની દ્વારા અપાતી સલાહો અને પછી બે વચ્ચે થતી નિરંતર ને અનંત દલીલોમાં હું ઠેરઠેર ખર્ચાઉં છું. પપ્પા દ્વારા પુત્રને અને મમ્મી દ્વારા બેટીને અપાતી એકની એક શિખામણ, જેને લેક્ચર તરીકે ઓળખવામાં આવે છે એમાં હું ટૂંકો થાઉં છું. હું સમય છું, મારી કિંમત છે અને નથી. 

ક્યાંક નેતાઓની સભા અને અભિનેતાના કાર્યક્રમમાં રાહ જોતાં દર્શકો દ્વારા પસીનો લુછવામાં હું વપરાઉં છું તો ક્યાંક ઉચ્ચ અધિકારીના આવવાની રાહ જોતાં અન્ય અધિકારીઓ દ્વારા મીટિંગ રૂમમાં હું ખાલી થાઉં છું. ડોક્ટરોના વેઇટિંગ રૂમમાં આશાપૂર્વક ને મંદિરોની લાઈનમાં હું આસ્થાપૂર્વક ખર્ચાઉં છું. જોકે જેમને પોતાને રાહ જોવી ગમતી નથી એ બીજાને રાહ જોવડાવવામાં જરા પણ નાનમ નથી અનુભવતાં. 

લેટ પડેલી ટ્રેઈનનાં કારણે આવનાર સ્ટેશનોનાં હજારો પેસેન્જરોના કરોડો કલાક રૂપે હું વારંવાર ઘડિયાળ જોવામાં અને કંટાળેલા છોકરાઓને સમજાવવામાં વપરાઉં છું. વરસમાં પુરો કરવાના વાયદે શરુ થયેલા ફ્લાયઓવરનાં અણઘડ આયોજનોને કારણે થતાં ટ્રાફિકજામમાં હું ધીમી ગતિએ જતાં વાહનચાલકોનાં આયુષ્યમાં ખર્ચાઉં છું. સિગ્નલ પર મારી કિંમત વધી જાય છે. કલાકો ઈટિંગ, મીટિંગ અને ચેટિંગમાં ખર્ચનાર જયારે સિગ્નલ પર પહોંચે છે ત્યારે એને મારાં એક મિનિટ જેટલાં માપની રાહ જોવી પણ આકરી લાગે છે. 

ઘડિયાળની ટકટકમાં મને જતો કોઈ સાંભળતું નથી પણ રાત્રે સુઈ જાવ અને સવારે ઉઠો એ વચ્ચે પણ હું રોજ ખર્ચાઉં છું. સવારે એલાર્મને સ્નુઝ કરીને લાખો લોકો કરોડો વધુ કલાક સુવામાં મને વિતાવે છે. જોકે જે વહેલા ઉઠે છે એ ધાડ મારે છે એવું પણ નથી. 

મારો સદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે એનું કોઈ ચોક્કસ માપ નથી. દારૂ પીને પડ્યો રહું એનાં કરતાં તો આ સારું છે ને?’ જેવી દલીલો વડે મારા ઉપયોગને ઘણાં સદઉપયોગમાં ખપાવે છે. તો સેવા કાર્યમાં મને આપનાર ગામની ચિંતા છોડો’ એવું સાંભળવા પામે છે. અમુક કાર્યો અને ક્રિયાઓ જે કરનારને મારો સદઉપયોગ લાગે છે તે અન્યને દુરૂપયોગ લાગે છે. મારા ઉપયોગની દરેકની વ્યાખ્યા જુદી જુદી છે. 

લોકો મને સારા અને ખરાબ સમય તરીકે ઓળખે છે. પણ હું એક જ છું. કોઈ લખપતિમાંથી કરોડપતિ બને એટલે એનો સારો સમય કહેવાય છે. કોઈને સરકારી નોકરી મળે એમાં સારો સમય આવ્યો હોય એવું લાગે છે. આ જ સરકારી નોકરી છૂટી જાય કે છોડવી પડે તે ખરાબ સમય કહેવાય છે. જોકે સરકારી નોકરી છોડી ધંધો કરી કે પછી નેતા બની ઘણાના સારા સમય આવ્યા હોવાનું પણ કહેવાય છે. કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય તો એનાં સારા દિવસો આવ્યા ગણાય છે, પણ પ્રેગ્નન્ટ થતી બધી મહિલાઓ પ્રેગ્નન્સીનાં સમાચારથી પુલકિત નથી થતી. 

એટલું સારું છે મને ખરીદી શકાતો નથી નહીંતર કીડની અને કૂખની જેમ ગરીબ માણસો એમની જિંદગીના વર્ષો આજે અમીરોને વેચતાં હોત!

ક્ષિતિજ પૃથ્વીની જ નહીં, આપણા જ્ઞાનની પણ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147854




વિજ્ઞાન એક એવું જ્ઞાન છે જેનો પ્રભાવ આપણને આશ્ર્ચર્ય પમાડે. તે સત્યની જ આરાધના કરે છે. સત્ય સિવાય બીજું કાંઈ ત્યાં ટકતું નથી. એ તેની વિશિષ્ટતા છે અને તે જ તેને સન્માન અપાવે છે. ગણિતશાસ્ત્ર તેનો એક ભાગ છે. ગણિતશાસ્ત્ર જેવું સત્યનું આરાધક કોઈ જ નથી. તેમાં એક પણ ભૂલ ચાલતી નથી. તેથી લોકોને તે ગમતું નથી, સત્ય કહેનાર આપણને ગમતાં નથી. તેથી લોકો ગણિતશાસ્ત્રથી દૂર ભાગે છે. તમારો દાખલો સાચો હોય તો ૧૦૦ માર્કસ, ખોટો હોય તો શૂન્ય. તેમાં બીજો પર્યાય જ નથી. તેનો ન્યાય ૧૦૦ ટકા હોય છે. તેમાં જરા પણ ફળબશલીશિું ચાલતી નથી.

બીજું વિજ્ઞાન આપણી ચારેકોર જે કુદરતી ક્રિયા ચાલે છે તેને સ્પષ્ટ કરે છે. જેમ કે આપણે પ્રશ્ર્ન પૂછીએ કે પૂર્વ-પશ્ર્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશાઓ કોણ નક્કી કરે છે? તો ઘણા જવાબ આપે કે સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. તેથી સૂર્ય પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરે છે. બધાને આ સાચું પણ લાગે, પણ વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે સૂર્ય પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરતો જ નથી. પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરનાર આપણી પૃથ્વી છે. પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે. તેથી સૂર્યને પૂર્વમાં ઉદય પામવા સિવાય પર્યાય રહેતો જ નથી. માટે પૃથ્વી જ નક્કી કરે છે કે પૂર્વ દિશા કઈ?

આપણે બીજો પ્રશ્ર્ન પૂછીએ કે ઉત્તર-દક્ષિણ દિશા કોણ નક્કી કરે છે? તો માણસો જવાબ આપે કે ધ્રુવનો તારો ઉત્તર-ધ્રુવનો તારો (ઙજ્ઞહય જફિંિ) ઉત્તર દિશા નક્કી કરે છે. આ જવાબ સાચો નથી. ધ્રુવનો તારો ઉત્તર દિશા નક્કી કરતો જ નથી. તે તો પૃથ્વી છે જે પોતે જ નક્કી કરે છે કે ઉત્તર ધ્રુવનો તારો કયો? પૃથ્વીની ધરીની દિશામાં ધ્રુવનો તારો હોય. પૃથ્વી જ નક્કી કરે છે કે કઈ દિશામાં તેણીએ તેની ધરી રાખવી. તેણી તેની ધરીની દિશા બદલતી પણ જાય છે અને ધ્રુવનો તારો બદલાતો જાય છે. ઉત્તર-દિશા બદલાતી જાય છે.

હવે ત્રીજો પશ્ર્ન પૂછવાનો કે ઉપર અને નીચેની દિશા કોણ નક્કી કરે છે? લોકો સામાન્ય રીતે માને છે કે આકાશ હોય તે ઉપરની દિશા માટે આકાશ ઉપરની દિશા નક્કી કરે છે. આ સાચું નથી, પૃથ્વી પોતે જ નક્કી કરે છે કે ઉપરની દિશા કઈ? આકાશની દિશા કઈ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વસ્તુને પડવાની નીચેની દિશા નક્કી કરે છે. તેની વિરુદ્ધની દિશા તે ઉપરની દિશા. પૃથ્વીના ગોળા પર દરેકે દરેક બિન્દુએ ઉપરની દિશા જુદી જુદી છે. આકાશ તો આપણી ચારેકોર છે, માટે આકાશ ઉપરની દિશા નક્કી કરતું નથી. પણ પૃથ્વી પોતે જ તેના ગુરુત્વાકર્ષણથી નક્કી કરે છે કે નીચેની દિશા કઈ અને તેથી ઉપરની દિશા અસ્તિત્વમાં આવે છે. જ્યાં ચારે તરફ આકાશ છે. 

આમ વિજ્ઞાન આપણું અજ્ઞાન દૂર કરે છે. આપણા મગજમાં જે કુદરતની ઘટના વિશે ખોટી માહિતી છે. તેને વિજ્ઞાન સ્પષ્ટ કરે છે. આ બાબતમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે પૃથ્વીએ જ તમામ દિશા નક્કી કરવાની છે. આપણા માટે બીજું કોઈ દિશા નક્કી ન કરે. સૂર્ય કે ધ્રુવનો તારો કે આકાશ પૃથ્વીની દિશા નક્કી ન કરે. તે પૃથ્વીને જ નક્કી કરવાની હોય. કોઈ આપણને પ્રશ્ર્ન પૂછે કે ધ્રુવ પ્રદેશો પર શા માટે છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. તો આપણે કહીએ કે એ તો કુદરતની લીલા છે. પણ વિજ્ઞાન આને સમજાવે છે કે શા માટે ધ્રુવપ્રદેશો પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. અને આ ક્રમ વારાફરતી ઉત્તરધ્રુવ પ્રદેશ અને દક્ષિણધ્રુવ પ્રદેશ પર ચાલે છે. વિજ્ઞાન કહે છે કે આવું થાય છે કારણ કે પૃથ્વીની ધરી ઝૂકેલી છે. 

આમાંથી બીજો પ્રશ્ર્ન ઊભો થાય કે શું મુંબઈ પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય? હા, થાય. જો આપણે પૃથ્વીની ધરી જે ૨૩.પ અંશે ઝૂકેલી છે તેને ૭૦ અંશે ઝૂકેલી કરી શકીએ. આમ કુદરતે આપણને છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ માણવાની છૂટ પણ આપી છે. 

આપણે ગામની બહાર દૂર દૂર જઈને જોઈએ તો આપણી ફરતે ક્ષિતિજ (ઇંજ્ઞશિુજ્ઞક્ષ) દેખાય છે. આ ક્ષિતિજને પેલેપાર આપણને કાંઈ દેખાય નહીં. આ ક્ષિતિજ આપણી દૃષ્ટિમર્યાદાને બાંધે છે. તે આપણા દૃશ્યવિશ્ર્વને બાંધે છે, મર્યાદિત કરે છે. આપણો મિત્ર આપણાથી દૂર દૂર જાય અને આપણી ક્ષિતિજને ઓળંગે કે તરત જ આપણી આંખને ઓઝલ થઈ જાય. આપણાથી અદૃશ્ય થઈ જાય, પછી તે શું કરે છે તેની આપણને ખબર પડતી નથી. જાણે કે તે બીજી દુનિયામાં ચાલ્યો ગયો હોય, ટ્રેન આપણાથી દૂર દૂર જાય પછી તે દેખાતી બંધ થાય છે. કારણ કે તે આપણી ક્ષિતિજની પેલેપાર ચાલી ગઈ હોય છે. આવતી ટ્રેન આપણી ક્ષિતિજમાં પ્રવેશે ત્યારે તે આપણી નજરે ચઢે. આવું બધું ક્ષિતિજને લીધે આપણને થાય છે. બીજું કે કોઈ કહે કે આપણાથી ક્ષિતિજનું અંતર શું? તો તેનો જવાબ આપણી પાસે હોતો નથી. ક્ષિતિજના અંતરને આપણે માપવા જઈએ તો તે આપણી સાથે જ ચાલે છે. અને તેનું અંતર આપણાથી સરખું જ રહે છે. આમ આપણે આપણી ફરતેની ક્ષિતિજ માપવા અસમર્થ રહીએ છીએ. પણ ગણિતશાસ્ત્રની મદદથી આપણે તેનું અંતર માપી શકીએ છીએ. આ ગણિતશાસ્ત્રની શક્તિ છે. 

ક્ષિતિજના અંતરના સૂત્રમાં આપણે જે ગ્રહ પર હોઈએ તેનો વ્યાસ અને આપણી આંખની ઊંચાઈની કિંમત આવે છે આ કિંમત તેમાં મૂકીએ તો ગ્રહ પર ક્ષિતિજ આપણાથી કેટલી દૂર હશે તે ગણી શકાય છે. આ સૂત્ર કોઈ પણ આકાશીપિંડને લાગુ પડે છે. પૃથ્વી પર તે લગભગ પોણાપાંચ કિલોમીટર છે. અહીં બેઠાં બેઠાં આપણે કોઈ પણ આકાશીપિંડ પર ક્ષિતિજ આપણાથી કેટલે દૂર હશે તેની ગણતરી કરી શકીએ જો આપણને તે આકાશીપિંડના વ્યાસનું મૂલ્ય ખબર હોય. જમીનથી આપણી આંખની ઊંચાઈ તો આપણને ખબર જ હોય. 

પૃથ્વી પર જો આપણે કુતુબમિનાર જેવી ઊંચી ઈમારત પર કે ઊંચા પહાડ પર જઈએ તો આપણી આંખની ઊંચાઈ તેટલી વધે તેથી આપણી ક્ષિતિજ તેટલા પ્રમાણમાં વિશાળ થાય. આના પરથી એ સંદેશ મળે છે કે જેમ જેમ આપણે આપણા ક્ષેત્રમાં વધારે ને વધારે ઊંચાઈ સર કરીએ તેમ તેમ આપણી ક્ષિતિજ આપણા ક્ષેત્રમાં વિશાળ અને વિશાળ બનતી જાય છે. ક્ષિતિજ માત્ર પૃથ્વી પરની જ નથી હોતી. ક્ષિતિજ આપણા ક્ષેત્રની કે આપણા જ્ઞાનની પણ છે. આપણે દિન-પ્રતિદિન આપણી ક્ષિતિજને વિસ્તારતા રહેવું જોઈએ. ક્ષિતિજ આપણા ડાયમેન્શન (મશળયક્ષતશજ્ઞક્ષ)ને વિસ્તારે છે. મહાન માણસનાં ડાયમેન્સન એટલે કે ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી હોય છે. આપણે આપણા પ્રશ્ર્નો કરતાં આપણું ડાયમેન્શન વધારે મોટું રાખવું જોઈએ જેથી આપણા પ્રશ્ર્નો નાના દેખાય, નાના થઈ જાય. જો આપણે આપણું ડાયમેન્શન આપણા પ્રશ્ર્નો કરતાં નાનું રાખીએ તો આપણે હરેરી જઈએ અને આપણે આપણા પ્રશ્ર્નો કદી ઉકેલી શકીએ નહીં. આપણી ક્ષિતિજને વિસ્તારવી આપણા હાથમાં છે. 

પૃથ્વી આપણને સપાટ લાગે છે. કારણ કે આપણું ડાયમેન્સન પૃથ્વીના ડાયમેન્સનના સંદર્ભે નાનું છે. આપણી ઊંચાઈ ઓછી છે. તેથી આપણી ક્ષિતિજ પણ નાની છે. આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિકસતી જાય અને વિસ્તાર પામેલી ક્ષિતિજમાં આપણે તેના વક્રભાગને જોઈ શકીએ. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તેનો વધારે અને વધારે ભાગ વક્ર દેખાય. પછી તે પૂરી ગોળ દેખાય. જેમ જેમ દૂર જઈએ, ઊંચાઈમાં ઊંચે ચઢીએ તેમ તેમ પૃથ્વીનો ગોળો નાનો અને નાનો લાગે. હકીકતમાં પૃથ્વી નાની નથી બનતી પણ આપણી ક્ષિતિજ એટલી વધી છે કે તેના પરિપેક્ષ્યમાં તે નાની લાગે છે. સૂર્ય ૧૪ લાખ કિલોમીટરનો ગોળો છે પણ આપણને અડધા ફૂટની થાળી જેવો દેખાય છે. કારણ કે તે આપણાથી ૧૫ કરોડ કિલોમીટર દૂર છે. તારા મોટા મોટા સૂર્યો છે. પણ તે પ્રકાશબિન્દુ જેવા દેખાય છે. કારણ કે તે આપણાથી ચાલીસ હજાર અબજ કિલોમીટર કે તેનાથી વધારે દૂર છે. એટલે કે આપણી તારાથી ઊંચાઈ હજારો અબજ કિલોમીટરની છે તેથી આપણી અંતરીક્ષમાં ક્ષિતિજ એટલી બધી વિશાળ બને છે કે તેના પરિપેક્ષ્યમાં ૧૫ કે ર૦ લાખ કિલોમીટરનો વ્યાસ ધરાવતા તારા પ્રકાશબિન્દુ જેવા લાગે છે. 

આપણી પૃથ્વી તેના વિષુવવૃત્ત ઉપર ફૂલેલી છે. અને તેની ધરી ર૩.પ અંશે ઝૂકેલી છે. તેથી તેના પર સૂર્ય અને ચંદ્રના વિશિષ્ટ ગુરુત્વાકર્ષણના બળો લાગે છે. 

સૂર્ય અને ચંદ્ર ઈચ્છે છે કે પૃથ્વીનો વિષુવવૃત્ત પરનો ફૂલેલો ભાગ સૌર સમતલમાં આવી જાય અને પૃથ્વીની ધરી વાંકીને બદલે સીધી થઈ જાય. આ ગજગ્રાહમાં પૃથ્વીની ધરી ભમરડા માફક પરાંચનગતિ (ાયિભયતતશક્ષલ ળજ્ઞશિંજ્ઞક્ષ) કરે છે, હાલક-ડોલક (ૂજ્ઞબબહશક્ષલ) થાય છે. તેથી વસંતસંપાત અને શરદ-સંપાત બિન્દુઓ રાશિચક્રમાં ધીરે ધીરે પશ્ર્ચિમમાં ખસે છે. તેથી ઋતુઓ પાછી પડે છે. આ કુદરતી ક્રિયામાંથી સંદેશો એ મળે છે કે જો તમે કોઈ પ્રત્યે ઢળો, એટલે કે કોઈની ફેવર (રફદજ્ઞીિ) કરો તો તમે તટસ્થ રહી શકો નહીં. તમારા પર જાતજાતના બળો (ાયિતતીયિ) લાગે અને તમારે હાલક-ડોલક થવું જ પડે. ાફિશિંફહ થાય એટલે તમારા પર બહારના બળો લાગવાનાં.

વસંતસંપાત એ વર્ષના પ્રારંભનો દિવસ છે. જ્યારે ભૂતકાળમાં ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે. ભૂતકાળમાં ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં થતો હતો ત્યારે આપણું વર્ષ શરૂ થતું હતું ત્યારે આપણું પ્રથમ કેલેન્ડર શરૂ થયું. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતી છે. માટે સૂર્ય અદિતીનો પુત્ર ગણાય છે અને તેનું નામ આદિત્ય છે. આદિત્ય એટલે અદિતીનાં પુત્ર અદિતી બે મુખવાળી દેવી છે જે વર્ષના પ્રારંભમાં પણ નૈવેદ્ય ગ્રહણ કરે છે અને વર્ષના અંતે પણ તે નૈવેદ્ય ગ્રહણ કરે છે. એટલે કે બેસતા વર્ષે અને વર્ષના અંતના દિવસે.

જ્યારે વસંતસંપાત બિન્દુ ખસીને મૃગ નક્ષત્રમાં આવ્યું ત્યારે વેદો લખાયાં અને તેનો સમય ઓછામાં ઓછો ર૦૦૦ વર્ષ પહેલાનો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વસંતસંપાત કૃત્તિકા નક્ષત્રમાં હતું પછી ર૦૦૦ વર્ષ પહેલાં તે મેષ રાશિમાં આવ્યું. આ વખતે ઋતુઓ બરાબર કરવા વરાહમિહીરે મહિનાને ૧૫ દિવસ આગળ કુદાવ્યો. માટે જ ઉત્તર પ્રદેશમાં મહિનો આપણા કરતાં ૧૫ દિવસ વહેલો શરૂ થાય છે. તે પૂર્ણિમા પછી શરૂ થાય છે. આપણે ત્યાં અમાસ પછી શરૂ થાય છે. વસંતસંપાતની ખસવાની ક્રિયા આપીને કુદરતે આપણને ભૂતકાળમાં મોટા મોટા બનાવો ક્યારે બનેલાં તેની નોંધણી કરી આપી છે. જો ત્યારે વસંતસંપાત બિન્દુની જગ્યાની નોંધ થઈ હોય તો કુદરતની દરેક ક્રિયા જાણે માનવીની પ્રગતિ માટે હોય તેવું લાગે.

Thursday, January 29, 2015

Earthquake cloud and Guo and Wang

http://pinewooddesign.co.uk/2008/05/12/earthquake-cloud-prediction/

Earthquake cloud

From Wikipedia, the free encyclopedia
Earthquake cloudsIn chapter 32 of his work Brihat Samhita, Indian scholar Varahamihira (505 – 587) discussed a number of signs warning of earthquakes: Unusual animal behavior, astrological influences, underground movements of water, and extraordinary clouds occurring a week before the earthquake.
Since 1994, Zhonghao Shou, a retired Chinese chemist living in New York, has made dozens of earthquake predictions based on cloud patterns in satellite images, and claims to have a 70% accuracy. Stress and friction in the ground can vaporize water long before the earthquake happens, according to Shou, and clouds formed through these mechanisms are distinctly shaped. He has identified five different types of earthquake cloud, including “line-shaped”, “feather-shaped”, and “lantern shaped” clouds. He claims that an earthquake will take place within 103 days of the appearence of one of these clouds, and that the average time is 30 days. On December 252003, one day before the Bam earthquake, he predicted an earthquake of mag. 5.5+ within 60 days over a fault line in Iran.
Historical records have indicated a possible correlation between clouds and earthquakes in the ancient civillizations ofRomeIndia, and China.

Curious cloud formations linked to quakes

CAN unusual clouds signal the possibility of an impending earthquake? That’s the question being asked following the discovery of distinctive cloud formations above an active fault in Iran before each of two large earthquakes occurred.
Geophysicists Guangmeng Guo and Bin Wang of Nanyang Normal University in Henan, China, noticed a gap in the clouds in satellite images from December 2004 that precisely matched the location of the main fault in southern Iran. It stretched for hundreds of kilometres, was visible for several hours and remained in the same place, although the clouds around it were moving. At the same time, thermal images of the ground showed that the temperature was higher along the fault. Sixty-nine days later, on 22 February 2005, an earthquake of magnitude 6.4 hit the area, killing more than 600 people.
In December 2005, a similar formation again appeared in the clouds for a few hours. Sixty-four days later, an earthquake of magnitude 6 shook the region (International Journal of Remote Sensing, vol 29, p 1921).
Guo and Wang suggest that an eruption of hot gases from inside the fault could have caused water in the clouds to evaporate. Another idea is that ionisation may be involved: Friedemann Freund at the NASA Ames Research Center in Moffett Field, California, recently demonstrated that when rocks are squeezed, positively charged ions form in the air above. The trouble is that ions usually help to form clouds, not dissipate them.
The authors say that if recognisable cloud formations precede large quakes, they could be used for prediction, but other seismologists are sceptical. “There is no physical model that explains why something would suddenly occur two months before an earthquake, and then shut off and not occur again,” says Mike Blanpied of the US Geological Survey’s Earthquake Hazards Program.
From issue 2651 of New Scientist magazine, 11 April 2008, page 12
are clouds claimed to be signs of imminent earthquakes. The analyses of earthquake clouds as a form of earthquake prediction are generally not accepted by seismologists and other scientists.
More China earthquake News photo and video update please visit here:
written by Pinewood Design \\ tags: 

36 Pings to “Earthquake cloud, Chinese photographer catch prediction 2 days before earthquake occurred”




Tianshui city, Gansu province.
An Chinese photographer took this picture 2 hrs b4 12th May China earthquake.
Video:
May, 09,2008, 2 days b4 this chinese deadly earthquake, somebody took those photo in Linyi, Shandong province, east China, which you can see lot “line-shaped” cloud, and somebody spot it is Earthquake Cloud and predicted a 6+ earthquake will happen within 2 days, but they dont know where. Of course, nobody believe them that time. Then, 12, May, a 7.8 earthquake occurred in Wenchuan, Sichuan province, west China.
Here is those Earthquake cloud’s photo:
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud
China Earthquake cloud

Unusual animal behavior

9th,May, thousands frogs cross road near earthquake area.
More China earthquake News photo and video update please visit here:China: Up to 8,500 die in killer earthquake

બ્રહ્માંડમાં પલાયન થવું સહેલું છે, પણ જોડાવું અઘરું --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147203


કોઈપણ નાના મોટા આકાશીપિંડને ગુરુત્વાકર્ષણ હોય છે. બે રજકણો વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ હોય છે. બ્રહ્માંડની કોઈ પણ બે વસ્તુ વચ્ચે ગુરુત્વાકર્ષણ હોય છે. આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં છીએ, કહો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણરૂપી કૂવામાં છીએ. જેટલો આકાશીપિંડ મોટો એટલું તેનું ગુરુત્વાકર્ષણ વધારે એટલે કે તેનો ગુરુત્વાકર્ષણરૂપી કૂવો ખૂબ જ ઊંડો. આ ગુરુત્વાકર્ષણરૂપી કૂવામાંથી બહાર આવવું એટલું જ અઘરું. જેમ ખાડામાંથી દેડકો બહાર આવવા છલાંગ મારે તેમ આપણે પણ પૃથ્વીરૂપ ગુરુત્વાકર્ષણના કૂવામાંથી બહાર આવવા છલાંગ મારવી પડે. જો દેડકાની છલાંગ જોરદાર હોય તો જ ખાડામાં ફસાયેલ તે દેડકો ખાડામાંથી બહાર આવી શકે. જો ખાડો ઊંડો હોય તો આ છલાંગ ખૂબ જ જોરદાર હોય તો જ દેડકો ખાડામાંથી બહાર આવી શકે. આમ આપણે પણ પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણના કૂવામાંથી બહાર નીકળવા જોરદાર છલાંગ મારવી પડે. આ જ તે પલાયન ગતિ-છટકગતિ (ઊતભફાય ટયહજ્ઞભશિું). પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણનો કૂવો પૃથ્વીરૂપી તળિયાવાળો અને ગુરુત્વાકર્ષણરૂપી અદૃશ્ય દીવાલનો કૂવો જ છે. આ તળિયું વર્તુળાકાર ક્ષેત્ર નથી પણ ગોળ દડો છે, તાવયયિ છે. કૂવા ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય તેમ પૃથ્વીનો ગુરુત્વાકર્ષણરૂપી કૂવો દડો છે, તેનું તળિયું સપાટ નથી પણ દડો છે. દડો જેનું તળિયું છે અને ગુરુત્વાકર્ષણરૂપી અદૃશ્ય દીવાલવાળો ઓપન કૂવો. તેની ટોપૉલૉજીની કલ્પના કરો.

પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણના કૂવામાંથી આપણે છટકવું હોય તો ૧૧.૨ કિલોમીટર પ્રતિ સેક્ધડની ગતિથી આપણે છલાંગ મારવી પડે. આ ગતિ નાની સૂની નથી. પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટર છે એટલે કે એક કલાકની લગભગ ૪૦,૦૦૦ કિલોમીટર થઈ. શું આટલી પ્રચંડ ગતિથી આપણે માનવી છલાંગ મારી શકીએ? શું આટલી પ્રચંડ ગતિથી આપણે કોઈ વસ્તુને આકાશમાં ફેંકી શકીએ? આ શક્ય છે, તો પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણનાં કૂવામાંથી બહાર આવવા કરવું શું?

માનવીએ ફટાકડા બનાવેલાં. તે ફટાકડાના રોકેટોને કે હવાઈને આકાશમાં ઉડાડતો. તેમાં દારૂગોળો ભરીને તે ફટાકડાના રોકેટોને આકાશ ભણી મોકલતો. જ્યારે ઍરોપ્લેન બન્યાં ત્યારે પેટ્રોલની મદદથી તે આકાશમાં વિમાનને મોકલતો, પણ પેટ્રોલની મદદથી તો માત્ર કલાકની ૧૦૦૦ કિલોમીટરની જ ગતિ હાંસલ કરી શકાય, ૪૦,૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની નહીં. વિજ્ઞાનીઓએ પછી પ્રવાહી હાઈડ્રોજન અને પ્રવાહી ઓકિસજનને ઈંધણ તરીકે વાપરી ૧૧.૨ કિલોમીટર પ્રતિસેક્ધડ, ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હાંસલ કરી અને આકાશમાં રોકેટને છલાંગ મરાવી. રોકેટના પેલોડમાં કૃત્રિમ ઉપગ્રહ કે અંતરિક્ષયાન તો અંતરિક્ષયાનમાં માનવીઓ રાખી રોકેટને છલાંગ મરાવી તે પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણના ઊંડા કૂવામાંથી બહાર પડ્યો.

એકવાર માનવી કે વસ્તુ રોકેટ, અંતરિક્ષયાન વગેરે પૃથ્વીરૂપી ગુરુત્વાકર્ષણના કૂવામાંથી બહાર પડે પછી તેમાં મશીન કે બળ આપે એની કોઈ ડીવાઈસ ન હોય તો તે માનવી રોકેટ, વસ્તુ કે અંતરિક્ષયાન કદી પણ પાછું આવી ન શકે. માત્ર તેને અંતરિક્ષમાં જ રખડતા રહેવું પડે. આ ગુરુત્વાકર્ષણના કૂવાની વિશેષતા છે.

પૃથ્વી પરથી છટકવું અઘરું છે પણ પૃથ્વી પર પાછા આવવું તેનાથી પણ અઘરું છે, કારણ કે પૃથ્વી દર સેક્ધડની ૩૦ કિલોમીટર એટલે કે કલાકની ૧૦૮૦૦૦ (એક લાખ આઠ હજાર) ગતિથી સૂર્યની પરિક્રમા કરે છે. આવી ધસમસતી ગતિથી ચાલતી પૃથ્વી પર ઉતરવું તે ઘણું અઘરું ગણાય. આપણને કોઈ કલાકની ૧૩૦ (ફકત ૧૩૦) કિલોમીટરની ગતિથી ચાલતી રાજધાનીમાં સવાર થવાનું કહે તો શું થાય? શું આપણે તેના પર સવાર થઈ શકીએ? આવી ગાડીમાં બહાર પડવું તદ્દન સહેલું છે, પણ તેના પર બહારથી સવાર થવું તે ઘણું, ઘણું એટલે અતિઘણું અઘરું છે. રાજધાની ટ્રેનની ગતિ તો માત્ર કલાકની ૧૩૦ કિલોમીટર જ છે આમ જયારે પૃથ્વીની ગતિ તો કલાકની એક લાખ આઠ હજાર કિલોમીટરની અંતરિક્ષમાંથી પૃથ્વી પર સીધે સીધું ઊતરવું શક્ય નથી. આવી પૃથ્વી પર ઉતરવા લેન્ડિંગ કરવા પ્રથમ પૃથ્વી જેટલી ગતિ મેળવવી પડે. પછી તેના ગુરુત્વાકર્ષણમાં દાખલ થવું પડે અને પછી ધીરે ધીરે તેની નજીક જઈને તેના પર ઉતરાય. સીધે સીધું ન ઉતરાય - ચાલતી ગાડીમાં ચઢવું હોય તેની સાથે થોડીવાર દોડવું પડે પછી ગાડીમાં કૂદકો મરાય, નહીં તો આપણે ફેંકાઈ જઈએ. કારણ કે આપણી ફ્રેઈમની ગતિ અને ગાડીની ફ્રેઈમની ગતિ લગભગ સરખી થવી જોઈએ. જો ગાડી ખૂબ જ ગતિ પકડી લે પછી આપણે ટ્રેઈનને પકડી શકીએ નહીં. કારણ કે બંને ફ્રેઈમની ગતિ સરખી થઈ શકે નહીં. ચાલતી ગાડીમાંથી ઉતરવું હોય તો પણ ઉતર્યા પછી પણ આપણે થોડું દોડવું પડે અને પછી આપણે જમીન પર સ્થિર થઈ શકીએ, નહીં તો આપણે હેઠા પડીએ. કારણ કે પ્લેટફોર્મની ગતિ શૂન્ય હોય છે, અને આપણી ગતિ ગાડીની ગતિ હોય છે.

મંગળ પર આપણું માર્સ ઓરબીટર મિશન ઉતરવાનું હતું. તેની ગતિ એક સેક્ધડની ૨૫ કિલોમીટર હતી એટલે કે કલાકની ૯૦,૦૦૦ કિલોમીટરની હતી (રાજધાની ટ્રેઈનને આપણે ઝડપી માનીએ છીએ તે કલાકની માત્ર ૧૩૦ કિલોમીટરની ઝડપથી દોડે છે), જ્યારે મંગળની પોતાની સૂર્યની ફરતે પરિક્રમા કરવાની ગતિ સેક્ધડની પંદર કિલોમીટરની હતી એટલે કે કલાકની ૫૪૦૦૦ કિલોમીટરની હતી. મંગળ પર છટક ગતિ પ્રતિ સેક્ધડની પાંચ કિલોમીટર હોય છે એટલે કે કલાકની ૧૮૦૦ કિલોમીટર હોય છે, એટલે કે અહીં ઝડપી વસ્તુને ધીમી વસ્તુ પર ઉતરવાનું હતું, તેથી માર્સ ઓરબીટર મિશનને અહીં ગતિ ઓછી કરવાની હતી, જો એ એમ કરવામાં નિષ્ફળ જાય તો તે મંગળને મીસ (ળશતત) કરી જાય. જો આપણી ગતિ ટ્રેઈનને ગતિથી ખૂબ જ વધારે હોય તો આપણે ધીમી ટ્રેઈનને પકડી શકીએ નહીં. આપણે ધીમી ચાલતી ટ્રેઈનની પકડવા આપણી ગતિ ધીમી કરવી જ પડે, એકવાર આપણે ગતિને સરખી કરી ગ્રહન ગુરુત્વાકર્ષણમાં દાખલ થઈ પછી તેનો ભાગ બની જઈએ છીએ અને તેના પર યંત્રની મદદથી આસાનીથી ઉતરી શકીએ છીએ.

માટે કોઈ આકાશીપિંડ પરથી છટકવું સહેલું છે પણ તેના પર ઉતરવું વધારે અઘરું છે. ૬૭ઙ નામના ધૂમકેતુ પર રોઝેટા નામના યુરોપિયન સ્પેશ એજન્સીના અંતરિક્ષયાને ફીલી નામનું જે લેન્ડર ઉતાર્યું તે હકીકતમાં મહાન સિદ્ધિ છે, મિરેકલ છે. કારણ કે એ ધૂમકેતુ ૧,૩૦,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે અને તેના પર મૉડ્યુલને ઉતારવાનું હતું. માટે જ રોઝેટા યાને પ્રથમ ધૂમકેતુની બાજુ બાજુમાં ચાલી... ધૂમકેતુ જેટલી ગતિ હાંસલ કરીને તેના પર મૉડ્યુલ ઉતાર્યું, પણ જ્યારે મોડ્યુલ ઉતર્યું ત્યારે તેની ગતિ ધૂમકેતુ પરની છટકવાની ગતિ કરતા ઓછી કરી નાંખવામાં આવેલી. તેથી તે ત્યાં ઊતરી શક્યું. જો તેની ગતિ ધૂમકેતુ પરથી છટકગતિ કરતાં થોડી જ વધારે હોત તો તે અંતરિક્ષમાં કયાં ગાયબ થઈ જાત તે વિજ્ઞાનીઓને ખબર પણ ન પડત. અને જો તેની ગતિ ખૂબ જ ઓછી હોત તો ધૂમકેતુ તેને પછાડી તેના કટકે કટકા કરી નાખત. આમ આ બહુ જ સંવેદનશીલ ક્રિયા છે.

બ્રહ્માંડમાં બધી જ વસ્તુને ગુરુત્વાકર્ષણ છે અને બધી જ વસ્તુને ગતિ છે. તેથી બધી જ વસ્તુ પર પોતપોતાની છટકગતિ છે, આમ એક આકાશીપિંડ પરથી બીજા આકાશીપિંડ પર ચઢવું કે ઉતરવું તે ખાવાનો ખેલ નથી.

ગુરુ પર છટકગતિ પ્રતિ સેક્ધડની સાઠ કિલોમીટર છે, એટલે કે કલાકની ૨૧૬૦૦૦ કિલોમીટર છે. સૂર્ય પર છટકગતિ પ્રતિસેક્ધડ ૬૧૭.૫ કિલોમીટર છે એટલે કે કલાકની ૨૨,૨૩૦૦૦ કિલોમીટર છે. શ્ર્વેતવામન તારા પર છટકગતિ પ્રતિ સેક્ધડની ૬૪૫૧ કિલોમીટર છે એટલે કે પ્રતિ કલાકની ૨૩૨૨૩૬૦૦ કિલોમીટર છે. ન્યુટ્રોન સ્ટાર પર છટકગતિ પ્રતિ સેક્ધડની ૧૬૨૦૦૦ કિલોમીટર છે, એટલે કે કલાકની ૫૮૩૨૦૦૦૦૦ કિલોમીટર છે.

આમ પલાયન ગતિમાયા બહુ મોટી છે, તેમ છતાં પલાયન થવું સહેલું છે. કોઈ પણ વસ્તુ ક્યારે પલાયન થાય કે તેને પકડી રાખવાવાળું કોઈ હોય નહીં. લોકો ઑફિસોમાંથી પલાયન થઈ શકે છે કારણ કે તેમની ઑફિસમાં કોઈ પકડવાવાળું હોતું નથી. પલાયનવૃત્તિ એક વિધાન છે. માણસથી લઈને બધી જ વસ્તુમાં આ પલાયનવૃત્તિ હોય છે. સંસારમાંથી કોઈ જ્ઞાન કે ધ્યેય વગર સાધુ થઈ જવું એ પણ એક પલાયનવૃત્તિ જ છે.

રોઝેટા અંતરિક્ષયાનમાંથી છુટ્ટું પડેલું ફીલી લેન્ડર જ્યારે અતિભયંકર ઝડપથી ગતિ કરતા ધૂમકેતુ ૬૭ ઙ પર ઉતર્યું ત્યારે તે બે વાર ઉછળ્યું હતું ત્યારે તે ધૂમકેતુમાંથી છટકી જાત, પણ યુરોપિયન સ્પેશ એજન્સીના વિજ્ઞાનીઓ તેને ધૂમકેતુ પર ઉતારી શક્યા એ ઘણી મોટી વાત કહેવાય. ધૂમકેતુ તદ્દન નાનો આકાશીપિંડ હોવાથી તેના પર છટકગતિ - પલાયનગતિ (ઊતભફાય ટયહજ્ઞભશિું) તદ્દન નજીવી હોય છે. માટે અંતરિક્ષયાનને ધૂમકેતુ, લઘુગ્રહ કે ઉપગ્રહ પર ઉતારવાનું કાર્ય ૯૯ ટકા નિષ્ફળતાને વરે છે, માટે જ ફિલી ધૂમકેતુ પર ઉતર્યું તે મોટી સિદ્ધિ ગણાય.

કેરળના ગામડાની પંચાયતે કોકા કોલાને પાઠ ભણાવ્યો --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147202




કેરળની સરકારે કોકા કોલા કંપનીને બરાબરનો પાઠ ભણાવ્યો છે. કેરળના પ્લાચિમડા નામના ગામની પંચાયતે અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીને હંફાવી દીધી છે. કોકા કોલા કંપની પોતાના બોટલિંગ પ્લાન્ટ માટે આ ગામની જમીનમાંથી કરોડો લિટર પાણી ખેંચી લેતી હતી. આ ઉપરાંત આ કંપની પોતાનો ઝેરી રાસાયણિક કચરો જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરતી હતી. પ્લાચિમડા-પેરુમુટ્ટી ગામની પંચાયતે આ કંપનીના જુલમ સામે ૧૦ વર્ષ લાંબી લડત ચલાવી હતી. આ લડતના પરિણામે કેરળની સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પોતાના હેવાલમાં ગ્રામ પંચાયતના તમામ આક્ષેપો સાચા ગણાવીને કોકા કોલા કંપનીને કુલ ૨૧૬ કરોડ રૂપિયાનો દંડ કરવાની હિમાયત કરી છે. આ હેવાલ ટૂંકમાં કેરળની સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોકા કોલા અને પેપ્સી જેવાં નકામાં ઠંડાં પીણાંઓમાં જે જીવલેણ જંતુનાશક દવાઓ આવે છે, તેની તરતપાસ કરવા માટે કેન્દ્ર સરકર દ્વારા નીમવામાં આવેલી સંસદિય સમિતિનો હેવાલ કોક અને પેપ્સીની વિરુદ્ધમાં આવ્યા પછી પણ આ મલ્ટિનેશનલ કંપનીઓ બિન્ધાસ્ત પોતાનો માલ ભારતીય બજારોમાં વેચી રહી છે. આટલી જાયન્ટ કંપનીઓ દ્વારા ભારતના અબુધ વપરાશકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ હોય ત્યારે જ્યાં સુધી તપાસમાં તેને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી તેના માલના વેચાણ ઉપર દેશભરમાં પ્રતિબંધ હોવો જોઇએ પણ આપણી પોપાબાઇ જેવી સરકારમાં આ પ્રકારનું દૈવત અને કૌવત રાખવાની આશા જ અસ્થાને છે. ભારતની કેન્દ્ર સરકારે જ્યારે આ જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ સામે પોતાનાં ઘૂંટણિયાં ટેકવી દીધાં છે ત્યારે કેરળની એક નાનકડી ગ્રામ પંચાયતે અમેરિકાની મલ્ટિનેશનલ કંપની સામે જે લડત આપી છે તે સૌ કોઇએ અને ખાસ કરીને તો કેન્દ્ર સરકારે પ્રેરણા લેવા જેવી છે.

કોકા કોલા, થમ્સ અપ, લિમકા, ફેન્ટા, સ્પ્રાઇટ, માઝા અને કિનલી સોડા જેવાં હળવાં ઠંડાં પીણાં બનાવતી હિન્દુસ્તાન કોકા કોલા બિવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ઇ.સ. ૧૯૯૯ની ૮ ઑક્ટોબરે કેરળની પ્લાચિમડા-પેરુમુટ્ટી ગ્રામ પંચાયતને અરજી કરી કે તેઓ પંચાયતના અધિકાર ક્ષેત્રમાં એક બોટલિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માગે છે. આ બોટલિંગ પ્લાન્ટમાં ઠંડાં પીણાંઓનું ઉત્પાદન કરવા માટે તેઓ પાતાળકૂવાઓ ખોદવા માગતા હતા અને એક ૨૬૦૦ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર બેસાડવા માગતા હતા. પેરુમુટ્ટીની ગ્રામ પંચાયતને આ મલ્ટિનેશનલ કંપનીની કામ કરવાની પદ્ધતિનો કોઇ અનુભવ નહોતો, એટલે તેમણે નિર્દોષભાવે ૨૭ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ આ માટે પરવાનગી આપી દીધી અને કંપનીએ જોતજોતામાં પોતાનું કારખાનું શરૂ કરી દીધું.

કોકા કોલા કંપનીએ પોતાનું કારખાનું શરૂ કર્યું તેનાં બે જ વર્ષમાં પેરુમુટ્ટી અને બાજુના પ્લાચિમડા ગામના લોકોને લાગ્યું કે તેમના કૂવાઓ ખાલી થઇ રહ્યા છે અને પાણીની ગુણવત્તા પણ કથળી રહી છે. કેરળ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપેલા આંકડાઓ મુજબ કોકા કોલા કંપની પોતાના પ્લાન્ટમાં ખોદવામાં આવેલા પાતાળકૂવાઓ મારફતે રોજનું આશરે ૧૫ લાખ લીટર પાણી જમીનમાંથી ખેંચી લેતી હતી. આ ઉપરાંત પોતાનાં કારખાનામાં જે કચરો નીકળે તે નજીકના નદીનાળામાં પધરાવી દેતી હતી, જે જમીનમાં ઊતરી પીવાના ભૂગર્ભજળને ઝેરી બનાવતો હતો. પેરુમુટ્ટીના રહેવાસીઓએ જોયું કે કૂવાના પાણીનો ઉપયોગ કરી તેઓ જે ચોખા રાંધે છે, તેમાંથી બે કલાકમાં તો દુર્ગંધ છૂટવા માંડે છે. વળી પાણીનો સ્વાદ પણ ખરાબ થઇ ગયો હતો. અને સૌથી મહત્ત્વની વાત તો એ કે કોકા કોલાના કારખાનાની આજુબાજુના ખેતરોમાં આવેલાં ૧૯ પૈકી ૧૧ કૂવાઓનાં તળિયાં દેખાવાં લાગ્યાં હતાં અને બાકીના કૂવાઓમાં પણ પાણી ઓછું થઇ ગયું હતું. આશ્ર્ચર્યની વાત એ બની કે ખેતરોમાં ડાંગરનું ઉત્પાદન પણ પ્રદૂષિત પાણીને કારણે ઓછું થઇ ગયું હતું. આ બધી વાતનો ખ્યાલ આવતા ગામડાંના ખેડૂતોનો ધૂંધવાટ વધી ગયો અને તેઓ આંદોલન કરવાનો વિચાર કરી રહ્યા હતા.

કોકા કોલાના બોટલિંગ પ્લાન્ટને કારણે પ્લાચિમડા ગ્રામ પંચાયતની આવકમાં ધરખમ વધારો થયો હતો પણ પ્રજાના કલ્યાણ અને સ્વાસ્થ્યના ભોગે તેમને પોતાની આવક વધારવામાં કોઇ રસ નહોતો. કોકા કોલા કંપની પાસેથી સ્થાનિક પંચાયતને બિલ્ડિંગ ટેક્સના રૂપમાં જ વર્ષે ૪.૬૫ લાખ રૂપિયા મળતા હતા. આ ઉપરાંત લાઇસન્સ ફીના રૂપમાં ૩૦,૦૦૦ રૂપિયા અને પ્રોફેશનલ ટેક્સના રૂપમાં ૧.૫ લાખ રૂપિયા મળતા હતા. આની સામે કોકા કોલા કંપની વર્ષે આશરે ૫૦ કરોડ લીટર પાણી જમીનમાંથી ખેંચી તેમાંથી ૫૦૦ કરોડ રૂપિયાનાં હળવાં ઠંડાં પીણાંઓ બનાવતી હશે. આ માટે તે ગ્રામ પંચાયતને કાણો પૈસો પણ પરખાવતી નહોતી.

કોકા કોલા કંપનીએ વેરેલા વિનાશનો ખ્યાલ આવતો ગયો તેમ ગ્રામવાસીઓ આંદોલન માટે સજ્જ થતા ગયા. ઇ.સ. ૨૦૦૨ના એપ્રિલની ૨૨ તારીખે તેમણે કારખાનાની બહાર ધરણા કરી એક લાંબા આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલનની આગેવાની સ્થાનિક ગ્રામ પંચાયતે લીધી. પેરુમુટ્ટીની પંચાયતે કોકા કોલા કંપનીને આપેલું લાઇસન્સ ઇ.સ.૨૦૦૩ની ૭ એપ્રિલે રદ્દ કરી નાખ્યું અને તે મતલબની નોટિસ પણ કંપનીને મોકલી આપી. આ રીતે એક લાંબા યુદ્ધનાં મંડણ થયા. એક બાજુ દેશના ગરીબ લોકોની નાનકડી ગ્રામ પંચાયત હતી તો બીજી બાજુ જબરદસ્ત આર્થિક તાકાત ધરાવતી એક જાયન્ટ કંપની હતી, જેના હાથ છેક કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચેલા હતા.

પેરુમુટ્ટી ગ્રામ પંચાયતે કોકા કોલા કંપનીના બોટલિંગ પ્લાન્ટનું લાઇસન્સ રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેને અમેરિકન કંપની નીચી મૂંડીએ સ્વીકારી લે તે શક્ય જ નહોતું, કારણકે તેના માટે કરોડો રૂપિયાના મૂડીરોકાણનો અને નફાનો આ સવાલ હતો. તેણે પંચાયતના આદેશ સામે કેરળની હાઈ કોર્ટમાં અપીલ કરી અને રાજ્ય સરકારના સ્થાનિક સ્વરાજ્યના ખાતાનો પણ સંપર્ક સાધ્યો. હાઈ કોર્ટમાં તો કોકા કોલાની દાળ ન ગળી પણ રાજ્ય સરકારને પલાળવામાં તેને જરૂર સફળતા મળી. ૧૩ ઑક્ટોબરે આ ખાતાંએ એક આદેશ પસાર કર્યો કે , ‘ગ્રામ પંચાયતે આવું લાઇસન્સ રદ્દ કરવાનું અંતિમ પગલું ભરતાં અગાઉ પાણીની ગુણવત્તા કથળી છે એ પુરવાર કરવા માટે કોઇ વૈજ્ઞાનિક પરીક્ષણો કર્યા નથી. માટે લાઇસન્સ રદ્દ કરવાના તેના નિર્ણય સામે સ્થગન આદેશ આપવામાં આવે છે.’બહુ સ્પષ્ટ હતું કે રાજ્ય સરકાર ઉપર પોતાનો પ્રભાવ પાથરવામાં કોકા કોલા કંપનીને સફળતા પ્રાપ્ત થઇ હતી. રાજ્ય સરકારની આ ચમચાગીરીથી જરાય વિચલિત થયા વિના ગ્રામ પંચાયતના સભ્યોએ સ્થાનિક સ્વરાજ ખાતાના આદેશ સામે હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી. 

આ વિવાદ ચાલુ હતો ત્યાં જ તેની વાતો દુનિયાભરમાં ફેલાઇ જતા બીબીસીનો એક પત્રકાર પેરુમુટ્ટી આવ્યો અને તેણે કોકા કોલા કંપની દ્વારા જે રગડો ખુલ્લી જમીનમાં ઠાલવવામાં આવે છે, તેનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું. બીબીસીના હેવાલ મુજબ આ રગડામાં કેડમિયમ નામની ઝેરી ધાતુનું ભારે પ્રમાણ હતું. કેરળ રાજ્યના ભૂગર્ભ જળ ખાતાએ જે સંશોધન કર્યું તેમાં પણ જણાયું છે કે બોટલિંગ પ્લાન્ટ નજીક આવેલા કૂવાઓમાં કચરાનું પ્રમાણ ૧૭૦૦ પીપીએમ જેટલું ઊંચું છે. આ પાણીમાં ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જેવા ઝેરી પદાર્થો પણ ભારે માત્રામાં જોવામાં આવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે કોકા કોલા કંપની જ્યારે મનુષ્યના વપરાશ માટે ઠંડાં પીણાંઓ બનાવતી હોય ત્યારે તેમાં કેડમિયમ, ક્લોરાઇડ અને ફ્લોરાઇડ જેવાં ઝેરી દ્રવ્યો ક્યાંથી આવે એ જ સમજાતું નથી. એક બાજુ કોકા કોલા કંપની અને સ્થાનિક ગ્રામ પંચાયત વચ્ચે કાનૂની લડાઇ ચાલી રહી છે તો બીજી બાજુ ખેડૂતો અને ગરીબ ગ્રામવાસીઓનું આંદોલન જોરશોરથી ચાલુ જ છે. આ આંદોલન ૧૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. 

કેરળ હાઈ કોર્ટમાં કેસ ચાલુ હતો એ દરમિયાન ગ્રામ પંચાયતે કોકા કોલા કંપનીને બીજી નોટિસ ફટકારી અને તેની ઉપર કરવામાં આવેલા આક્ષેપોના ખુલાસાઓ માગ્યા. કોકા કોલા કંપનીએ ખુલાસા કરવાને હાઈ કોર્ટમાં બીજી અરજી કરી અને આ રીતે ખુલાસા માગવાના પંચાયતના અધિકારને પડકાર્યો. પંચાયતે કોર્ટમાં એવી રજૂઆત કરી કે ૧૯૯૪ના કેરળ પંચાયતી રાજ કાનૂનની ૨૩૨મી કલમ અન્વયે જો કોઇ વ્યક્તિ કે કંપની માનવ જીવન અને સ્વાસ્થ્ય માટે કોઇ હાનિકારક પ્રવૃત્તિ કરતી હોય તો પંચાયતને તેની સામે કામ ચલાવવાનો અધિકાર છે. કેરળના પંચાયતી રાજ કાનૂન મુજબ જે ૧૫૯ ધંધાવ્યવસાયને ખતરનાક ગણાવવામાં આવ્યા છે, તેમાં ઠંડાં પીણાંની બનાવટના ઉદ્યોગનો પણ સમાવેશ થઇ જાય છે. પંચાયતના આ પાવરને માન્ય કરતા હાઈ કોર્ટે કોકા કોલાની અરજી ઉડાવી દીધી અને તેના અધિકારીઓને આદેશ કર્યો કે તેમણે પંચાયતની કારોબારી સમક્ષ રૂબરૂ હાજર થઇને તેમના તમામ સવાલોના જવાબ આપવા પડશે. આ આદેશને માન આપી અમેરિકન કંપનીના અધિકારીઓએ પંચાયત સમક્ષ હાજર થવું પડ્યું હતું અને ખુલાસાઓ પણ આપવા પડ્યા હતા.

કોકા કોલા કંપની સામે પ્લાચિમડા ગ્રામ પંચાયતના આંદોલનના પગલે કેરળ સરકાર દ્વારા ગયાં વર્ષના એપ્રિલ મહિનામાં ૧૪ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં સરકારી અધિકારીઓ ઉપરાંત કૃષિ, પર્યાવરણ અને આરોગ્યના નિષ્ણાતોનો પણ સમાવેશ થતો હતો. આ સમિતિ એવા નિષ્કર્ષ ઉપર આવી હતી કે ઇ.સ. ૧૯૯૯થી ૨૦૦૪ વચ્ચે કોકા કોલા કંપનીના બોટલિંગ પ્લાન્ટને કારણે પ્લાચિમડા ગામની ખેતીવાડીને ૮૪ કરોડ રૂપિયાનું, જળસ્રોતોને ૮૨ કરોડ રૂપિયાનું, આરોગ્યને ૩૦ કરોડ રૂપિયાનું અને રોજગારીને ૨૦ કરોડ રૂપિયાનું એમ કુલ ૨૧૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ રકમ કોકા કોલા કંપની પાસેથી વસૂલ કરીને ગામના અસરગ્રસ્તો વચ્ચે વહેંચી દેવી જોઇએ, એવી ભલામણ પણ આ સમિતિએ કરી છે. આ સમિતિએ એવી ભલામણ પણ કરી છે કે જાયન્ટ કોકા કોલા કંપની સામે લડવાની તાકાત ગામડાંના ગરીબ રહેવાસીઓમાં ન હોવાથી નુકસાનીના દાવાઓની પતાવટ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે. જો કેરળની સરકાર આ ભલામણો સ્વીકારી લેશે તો કોકા કોલા કંપનીની ભારે નામોશી થશે.ભારતમાં ઉદ્યોગો દ્વારા પર્યાવરણને અને પ્રજાના આરોગ્યને થતાં નુકસાનો સામે કેવી રીતે લડવું જોઇએ તેની પ્રેરણા ભારતનાં તમામ ગામડાંઓની ગ્રામ પંચાયતોએ પ્લાચિમડા ગ્રામ પંચાયત પાસેથી લેવા જેવી છે.

કોમ્પ્યુટર જ્ઞાતિના લોકો --- અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147195

આપણે ત્યાં વર્ણ ને જાતિ આધારિત કામની પ્રથા ભૂંસાઈ રહી છે. બ્રાહ્મણો કર્મકાંડ કરે. વણિકો વેપાર કરે. સુથાર લાકડાંકામ, લુહાર લોખંડકામ, કુંભાર માટીકામ કરે એવી પરંપરા હતી. હવે તો મી. ગોર કોમ્પ્યુટર એક્સપર્ટ પણ હોય ને ડૉ. દરજી ઓપરેશન કરતાં હોય એવું બને. જ્ઞાતિનાં આધાર પર લોકો નોકરી-ધંધો કરે એવો આગ્રહ હવે રાખી શકાય નહીં. એવો આગ્રહ રાખીએ તો કોમ્પ્યુટર સંબંધિત કાર્યો માટે આપણે વિદેશી એન્જિનિયરો લાવવા પડે. કારણ કે આપણે ત્યાં કોમ્પ્યુટર નામની કોઈ જ્ઞાતિ નથી. આમ જૂની વર્ણ અને જ્ઞાતિપ્રથા હવે અપ્રસ્તુત છે. તો એનાં બદલે શું હોવું જોઈએ એ પણ વિચારકોએ ફુરસદ મળ્યે વિચાર કરવો ઘટે. 

આમ જુઓ તો આજકાલ જ્ઞાતિપ્રથાને બદલે નોકરી-ધંધા પ્રમાણે લગ્ન થવા લાગ્યાં છે. જેમ કે ડૉક્ટર ડૉક્ટરની નાડી ઝાલે છે. સીએ સીએને પરણી બેલેન્સશીટ મજબૂત કરે છે. એક્ટર સાચા અગ્નિની સાક્ષીએ એક્ટ્રેસ સાથે ફેરા ફરે છે. આવા લગ્ન થતાં હોય ત્યારે કોઈ યે શાદી નહી હો સકતી’ કરી રંગમાં ભંગ પડાવવા નથી આવી જતું. સરકારી કર્મચારી પોતાની છોકરી કોઈ પેન્શનેબલ સરકારી કર્મચારીને પરણે તેવું કરે છે. ફોજી બાપ પોતાની છોકરી કોઈ સર્વિસમેન સાથે પરણે એવા આગ્રહ રાખે છે. એન્જિનિયર એન્જિનિયરને પરણે છે, એમાંય સોફ્ટવેર એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયરને જ પોતાનાં જીવનમાં ઇન્સ્ટોલ કરે છે. 

અમારા મત મુજબ હવે નવેસરથી જ્ઞાતિ પ્રથા શરૂ થવી જોઈએ. લોકોને એમનાં કામ પ્રમાણે જુદીજુદી જ્ઞાતિમાં વહેંચી દેવામાં આવે તો? કદાચ એમની વચ્ચે મનમેળ વધારે રહે. રાજકારણી જ્ઞાતિ, ડૉક્ટર જ્ઞાતિ, સરકારી કર્મચારી જ્ઞાતિ, બિલ્ડર જ્ઞાતિ, કોન્ટ્રાક્ટર જ્ઞાતિ, લશ્કર જ્ઞાતિ, ટેલિકોમ જ્ઞાતિ, માર્કેટિંગ જ્ઞાતિ, અને એક કોમ્પ્યુટર જ્ઞાતિ હોય જેની બે પેટા જ્ઞાતિ હાર્ડવેર અને સોફ્ટવેર હોય. 

કોમ્યુટર જ્ઞાતિમાં બાળક જન્મે કે ડાઉનલોડ થાય એટલે એને યુનિક આઈપી એડ્રેસ આપવામાં આવે જેથી જયારે જરૂર પડે ત્યારે આ બાળક વિષે માહિતી મળી રહે. કોમ્પ્યુટર જ્ઞાતિના લોકો બાળકોને નાનપણથી એ ફોર એપ્સ, બી ફોર બગ્સ, સી ફોર ચીપ્સ, ડી ફોર ડિસ્ક એવી એબીસીડી શીખવાડે. બાળક ત્રણ વર્ષનું થાય એટલે એની ગેમ સંસ્કાર વિધિ કરવામાં આવે. વખત જતાં આ જ્ઞાતિના કિડ્ઝ મોમના ટેબ ઉપર જ ગેમ્સ રમતા થાય અને એ ટેબથી જ નેબર્સનાં કોમ્પ્યુટર અને વાઈફાઈ હેક કરવા જેવી તોફાન મસ્તી કરતાં થાય.

આ જ્ઞાતિના લોકો સામાન્ય રીતે સેઈન્ટ સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સના ફોલોઅર હોય. સવારે ઉઠીને આ જ્ઞાતિના લોકો પ્રભાતે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ દર્શન કરતાં હોય. ઓફિસે જઈ ડેસ્કટોપ આગળ એલઇડી કરે અને બેસતા વર્ષના દિવસે ગુગલેરેશ્ર્વર દેવનાં દર્શને જાય. દશેરાના દિવસે આ જ્ઞાતિના લોકો કી-બોર્ડ અને માઉસની પૂજા કરતાં જોવા મળે. વર્ષે બે વર્ષે તેઓ સાઇબરાબાદની તીર્થયાત્રા કરી પાછાં આવી પેનડ્રાઈવનાં પ્રસાદ પડોશીઓમાં વહેંચે. ભારતમાં ઇન્ફોસીસ અને અમેરિકામાં રહેતા આ જ્ઞાતિના લોકો માઈક્રોસોફ્ટ અને એપલના હેડક્વાર્ટર્સનાં પગપાળા સંઘ કાઢતા જોવા મળે. 

કોમ્પ્યુટર જ્ઞાતિના વડીલો પણ બીજી અન્ય જ્ઞાતિના વડીલોની જેમ ઉંમર પકાઉ જોવા મળે. જેમ કે એક દાદા પોતાનાં જમાનાના ૪૮૬ કોમ્પ્યુટર અને ફ્લોપી ડ્રાઈવની વાતો કરી બાળકોને રંજાડતા હોય. બા પોતે કોમ્પ્યુટરનો કોર્સ કર્યા છતાં હજુ ફેસબુકમાં કેપિટલમાં કોમેન્ટ પોસ્ટ કરી ત્રાસ મચાવતાં હોય. મામાઓ ડોટ-મેટ્રીક્સ પ્રિન્ટરની રીબન રીફ્લ કરવાની કોમેડી સ્ટોરીઓ કહેતાં હોય. ક્યાંક માસીઓ કોમ્પ્યુટરના બ્લેક એન્ડ વ્હાઈટ મોનીટરની ને કાકાઓ પોતાનાં જમાનામાં ૪૦ એમબીની હાર્ડ ડિસ્ક હતી એની વાતો કરી બાળકોને અચરજમાં ડુબાડી દેતાં જોવા મળે. 

કોમ્પ્યુટર જ્ઞાતિની યુવાપેઢી જનરલી ફાસ્ટ હોય. એ લોકો ઓકે ને બદલે કે, ટોક ટુ યુ લેટરને બદલે ટીટીવાયએલ, એવા ટૂંકાક્ષરીમાં વાત કે ચેટ કરતાં જોવા મળે. એકંદરે આમ કરવાથી બચેલા સમયમાં એ લોકો ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર ડીલ્સની શોધમાં વ્યતિત કરતાં હોય. આ જ્ઞાતિના લોકોના ખાસ કરીને યુવા વર્ગના કી-બોર્ડની ડીલિટ અને બેકસ્પેસની કી ઘસાઈ ગયેલી જોવા મળે. જનરેશન એક્સનો મોટાભાગનો સમય મોબાઈલનાં સ્ક્રીનનું લોક ખોલવામાં જતો હોય. ગામનાં લોકો ભલે એમને કયો મોબાઈલ કે કોમ્પ્યુટર ખરીદાય એવું પૂછતાં હોય, પણ તેઓ પોતે કોઈ ભંગાર બ્રાન્ડના મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ભરાયેલા જોવા મળે!

આ જ્ઞાતિનાં મેળાવડા તો ઓનલાઈન જ થાય ને? કારણ કે મા-બાપ, ફોઈ-કાકા, અને મામા-માસીઓ સૌ ટેક સેવિ હોય અને દરેકના ઘરમાં કોમ્પ્યુટરના મૂળભૂત સાધનો અને જાણકારી તો બ્લડમાં હોય. એરેન્જડ મેરેજમાં પરણવા લાયક સંતાનોનાં માબાપ એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં અમુક અક્કડ છોકરાના મા-બાપ સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો જ વાત આગળ વધારે. પછી છોકરા-છોકરી એકબીજાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે. એમાં મુરતિયો કે ક્ધયા વિદેશ હોય તો એની કુટુંબ સાથે ૩-ડી મુલાકાત ગોઠવાય. ઓનલાઈનમાં જો આગળ વધવા જેવું લાગે તો પછી ઓફલાઈન મળવાનું ગોઠવાય. રૂબરૂ મુલાકાતમાં પણ કેટલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ છે, કદી હેકિંગ કર્યું છે કે નહીં?, વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ જવું પડે?, કંપની શેર આપે છે કે નહી?, સોફ્ટવેર ઓરીજીનલ વાપરે છે કે પાઈરેટેડ? અને વિન્ડોઝ કે મેક જેવા સવાલો સ્ટેટ્સ નક્કી કરવા પુછાતાં હોય. 

એક વાર લગ્ન નક્કી થાય એટલે ઈ-કંકોત્રીઓ વહેંચાય. ખમતીધર લોકો ચાંદીની પેનડ્રાઈવમાં ઈ-કંકોત્રી મોકલે. ચાંદલા પણ આરટીજીએસથી પપ્પાના એકાઉન્ટમાં જમા કરવાના હોય. ગિફ્ટ્સ પણ બધી ઓનલાઈન શોપિંગમાંથી ઘેર ડીલીવર થાય એમ હોઈ, કવરમાં કુરિયરનો ટ્રેકિંગ નંબર જ ચાંદલા કાઉન્ટર પર જમા કરાવવામાં આવે. આ સમાજમાં લગ્નવિધિ પણ હાઈટેક હોય. લગ્નના લાઈવ ફીડ ટેલિકાસ્ટ થતાં હોય. મઝા તો એ આવે કે હસ્તમેળાપ, ફેરા જેવી દરેક વિધિ પછી ક્ધયા અને વરરાજાએ રીસ્ટાર્ટ થવા પોતપોતાનાં રૂમમાં જઈને પાછું આવવું પડે એવો રિવાજ હોય ! 

જોકે આવી જ્ઞાતિ પ્રથા હોય અને જેમ આપણે ત્યાં બને છે એમ ખેડૂતના છોકરાને ખેડૂત બનાવામાં શરમ આવે તો? પછી તો કોમ્પ્યુટર જ્ઞાતિવાળો જો ડૉક્ટર બને. સંસ્કાર અને જીન્સ કોમ્પ્યુટરના હોય અને કામ ડૉક્ટરનું. ઓપરેશન પહેલાં પ્રોગ્રામ લખે. ને પાઈરેટેડ એન્ટીવાઈરસ પેશન્ટને આપી દે તો પેશન્ટના રામ રમી જાય. આવા તો કેટલાય ક્ધફ્યુઝન થાય! એનાં કરતાં જેમ છે એમ ચાલવા દો!

Monday, January 26, 2015

બ્રહ્માંડના ગૂઢ રહસ્યને સમજવા માટે ગ્રહમાળા મહત્ત્વની છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149769



બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે ઊર્જા ઉત્પન્ન થઈ. એ ઊર્જામાંથી ઊ=ળભ૨ના આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, ગ્લુમોન્સ, ક્વાકેસ, હિગ્ઝ-ઓઝોન જેવા પદાર્થકણો ઉત્પન્ન થયાં અને ધૂલીકણો અને ધસમસતા જતાં વાયુનાં વાદળો બંધાયાં. આ ધસમસતા દૂર જતાં વિશાળ અતિવિશાળ વાદળો તૂટીને મંદાકિનીઓ (લફહફડ્ઢશયત)માં રૂપાંતર પામ્યા. આ વાદળો સંકોચાયાં ત્યારે પદાર્થકણો અથડાઈને વાદળોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. વાદળો ગોળ ગોળ ફરવાં લાગ્યાં કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો બન્યો હતો.

મંદાકિનીમાં જગ્યાએ જગ્યાએ પદાર્થનું ગઠન થવાથી ત્યાં ગુરુત્વાકર્ષણનાં કેન્દ્રો બન્યાં અને આ નાનાં નાનાં વાદળો સંકોચાયાં. આ વાદળો પણ ગોળ ગોળ ઘૂમતાં હતાં. તેમાં વચ્ચે તારા બન્યા અને આજુબાજુ ગ્રહો બંધાયા કે પદાર્થ પડી રહ્યો. મોટા તારા બળીને નાની વયે એટલે કે બે એક અબજની વયે મહાનવિસ્ફોટ સાથે નિર્વાણ પામ્યાં. સાધારણ પદાર્થના તારા, સૂર્ય જેવા, તારાએ તેની ફરતે સૂર્યમાળા રચી. આમ ઘણા ખરા તારાની ફરતે ગ્રહમાળા બંધાઈ.

તારાની જાત પર આધારિત ગ્રહો બંધાયા અને આ ગ્રહો પર જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો જીવન અસ્તિત્વમાં આવ્યું. જીવનની જાત પણ તેના માતૃગૃહ અને પિતૃ તારા પર આધારિત હોય છે. જેમ કે ગ્રહનું ગુરુત્વાકર્ષણ જો બળવાન હોય તો ત્યાં માનવજીવનની ઊંચાઈ ઓછી હોય. દા. ત. ગુરુગ્રહ. ગુરુગ્રહ પર માનવી જન્મે તો ત્યાં પુખ્તવયના માનવીની ઊંચાઈ માત્ર અઢી ફૂટ હોય. જ્યારે આપણી પૃથ્વી પર માનવીની સરાસરી ઊંચાઈ છ ફુટ હોય છે. આમાં કોઈ અપવાદ પણ હોય છે કે માનવીની ઊંચાઈ ૯ ફુટ પણ હોય અને ૩ ફુટ પણ હોય. એટલે કે અપવાદરૂપે પૃથ્વી પર લાંબા માણસો પણ છે અને ઠીંગુજી 

પણ છે.

જો ગ્રહનું ગુરુત્વાકર્ષણ નબળું હોય તો ત્યાં માનવીની ઊંચાઈ ખૂબ હોય. દા. ત. ચંદ્ર કે મંગળ પર માનવી જન્મે તો ત્યાં પુખ્ત વયના માનવીની ઊંચાઈ ૧૮ ફુટ, ૨૦ ફુટ કે તેનાથી વધારે પણ હોઈ શકે.

જો ગ્રહ નાનો હોય તો ત્યાં વાયુમંડળ ન હોય કારણ કે તે વાયુઓને પોતાની ફરતે જકડી રાખી ન શકે. ત્યાં જો માનવી જન્મે તો તેના કાન મોટા હોય અને આંખો મોટી હોય, આવી આંખ દરેક પ્રકારનાં કિરણોને ગ્રહણ કરી શકે. તેના નાક પણ મોટા હોય અને હાઈટ તદ્દન ઓછી હોય અને જીવન શ્યામરંગનું હોય.

ગ્રહ જો પિતૃતારાની નજીક હોય અને પિતૃતારો ખૂબ જ ગરમ હોય તો ત્યાં તદ્દન નવા જ પ્રકારનું જીવન હોય. એવા પણ ગ્રહ હોઈ શકે જ્યાં કાર્બનડાયોક્સાઈડ જીવન વાયુ હોય અને ઓક્સિજન અંગારવાયુ હોય.

સાધારણ રીતે માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં જીવન કાર્બન અને હાઈડ્રોજનની દેન છે. પણ જીવન એવું પણ હોય જે કાર્બોહાઈડ્રેટ નહીં પણ સિલીકેટ પર પણ નિર્ભર હોય. ગ્રહ પર જીવનની વ્યાખ્યા કરવી અઘરી છે. હવે જો ગ્રહમાળા હોય તો ત્યાં જીવન હોય. કદાચ ગ્રહમાળાના એકાદ ગ્રહ પર તો જીવન હોય અને ન પણ હોય.

બ્રહ્માંડને સમજવામાં, બ્રહ્માંડમાં જીવન હોય તો જ તે શક્ય બને અને તે માત્ર કોઈ તારાની ગ્રહમાળાના એકાદ સાનુકૂળ ગ્રહ પર હોય. બ્રહ્માંડમાં જીવન હોય તે તેનો પ્રાણ છે અને પ્રાણ વગર શરીરનો કોઈ અર્થ નથી. બ્રહ્માંડમાં દરેકે દરેક ચીજ જીવંત છે માટે બ્રહ્માંડમાં જીવન હોય જ અને બ્રહ્માંડ પોતે જ જીવંત છે.

જો ગ્રહ ઠંડો હોય તો ત્યાં માનવોના શરીરે વાળના ધાબળા હોય કારણ કે તેને ઠંડી સામે ટકી રહેવાનું છે.

કુદરતનો બ્રહ્માંડ ઉત્પન્ન કરવા પાછળ હેતુ શું હશે? તે યક્ષ પ્રશ્ર્ન છે. બ્રહ્માંડ ઉત્પન્ન કરી મંદાકિનીઓ ઉત્પન્ન કરી, તારા ઉત્પન્ન કરી, ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો ઉત્પન્ન કરી તેના પર જીવન ઉત્પન્ન કરવાનાં?

આપણા સૂર્યને ગ્રહમાળા છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂનને ઉપગ્રહમાળાઓ છે તે ગ્રહમાળા જ કહેવાય. પ્લૂટોની ફરતે પણ ઉપગ્રહમાળા હોવાનું માલૂમ પડ્યું છે અને તેમાં હાલમાં બાર ઉપગ્રહો છે. સૂર્યમાળાની બહાર પણ કેટલાય ગ્રહો શોધાયાં છે. પણ તેની પૂર્ણ રચનાની આપણને હજુ સુધી ખબર નથી.

આશ્ર્ચર્યની વાત એ છે કે મહાવિસ્ફોટ પામેલા તારાની ફરતે પણ ગ્રહો પરિક્રમા કરતા મળી આવ્યા છે. તો પ્રશ્ર્ન થાય છે એ ગ્રહમાળા તારાનો વિસ્ફોટ થયો પહેલા રચાઈ હશે કે પછી? જો તેની ગ્રહમાળા પહેલી રચાઈ હોય તો તારામાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેની રચના બદલાઈ નહીં હોય?

ગ્રહમાળાની એક પેટર્ન છે, ડિઝાઈન છે. ઘણા ખરા ગ્રહો તારાની વિષુવવૃત્તની સમતલમાં ઉત્પન્ન થયા છે, તેઓ તારો જે દિવસમાં ધરી ભ્રમણ કરે છે તે જ દિશામાં ધરીભ્રમણ કરે અને તારા ફરતે પરિભ્રમણ કરે છે. તેમની તથા તેમના પિતૃતારાની વય લગભગ સરખી જ છે. તેઓ બધામાં મૂળભૂત પદાર્થ તો એક જ છે. આ દર્શાવે છે કે તે બધા એક જ સૌરવાદળ જન્મ્યાં છે. આપણે ધારીએ કે બીજી કોઈ પૂર્ણ ગ્રહમાળા મળે તો તેના ફિચર્સ પણ આવા હોવા જોઈએ કારણ કે કુદરતના નિયમો વૈશ્ર્વિક છે.

આપણી આકાશગંગા મંદાકિનીમાં ૫૦૦ અબજ તારા છે. તેમાંના ૫૦ ટકા તારા સૂર્ય જેવા છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો તેમને પણ હોવી જોઈએ. તેમાંથી માત્ર ૧૦ ટકા જ લઈએ તો આપણી આકાશગંગામાં જ લગભગ ૨૫ અબજ તારા હોય જેની ફરતે ગ્રહમાળા હોવી જોઈએ. પણ તકલીફ એ છે કે બે તારા વચ્ચે વિશાળ, અતિવિશાળ અંતરો છે. તારો તો સ્વયંપ્રકાશિત છે પણ તેની ફરતે પરિક્રમા કરી રહેલા ગ્રહો તારાની સરખામણીમાં તદ્દન નાના છે અને સ્વયંપ્રકાશિત નથી. તેથી તેને જોવા ખૂબ જ દુષ્કર છે. તેમ છતાં ગ્રહ અપારદર્શક હોવાથી જ્યારે તે તેના પિતૃતારાની આડેથી પસાર થાય છે ત્યારે તેના પિતૃતારામાંથી પૃથ્વી પર આવતા પ્રકાશમાં નહીવત્ ઘટ થાય છે. આ ઘટને સમજી ખગોળવિજ્ઞાનીઓ આવા તારાની ફરતે અસ્તિત્વ ધરાવતા ગ્રહોને શોધે છે. કામ ઘણું અઘરું છે પણ ખંતીલા વિજ્ઞાનીઓ તેને બરાબર પાર પાડે છે.

બ્રહ્માંડમાં મૂળ હેતુ મંદાકિનીઓ ઉત્પન્ન કરી તેમાં ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો પર વિવિધ પ્રકારનું જીવન ઉત્પન્ન કરવાનો છે. પૃથ્વીવાસી વિજ્ઞાનીઓનો હેતુ આપણી મંદાકિનીમાં પૃથ્વી જેવા ગ્રહો કે જ્યાં જીવનની આપણી વ્યાખ્યા પ્રમાણે જીવન છે કે નહીં તે શોધવાનો છે. આપણી મંદાકિનીમાં જ જીવન શોધવું અઘરું છે તેથી બીજી મંદાકિનીઓમાં તારા ફરતેના ગ્રહો પર જીવન શોધવાની વાત બાજુએ મૂકીએ. પણ જો આપણી મંદાકિનીમાં જીવનવાળા ગ્રહો શોધાય તો કહી શકાય કે બીજી મંદાકિનીઓમાં પણ તારા ફરતેના ગ્રહો પર જીવન હશે જ. અંતરીક્ષ યુગનો અંતિમ (છેલ્લો) હેતુ શું છે? બ્રહ્માંડમાં તારાની ફરતે એવા ગ્રહો શોધવા જ્યાં જીવન હોય. તેથી જો આપણી પૃથ્વી જીવન જીવતા સદંતર ખરાબ બને ત્યારે કદાચ જો આપણી પાસે ટેકનોલોજી હોય અને આપણને એવા ગ્રહો વિષે ખબર હોય કે જ્યાં જીવન સંભવી શકે છે તો ત્યાં આપણે સ્થળાંતર કરી શકીએ. છેવટે તો રોટી, કપડા અને મકાનનો જ 

સવાલ છે.

જો બીજી ગ્રહમાળા શોધાય તો આપણે તેને આપણી ગ્રહમાળા સાથે સરખાવી શકાય. આપણને એ પણ જાણ થાય કે આપણા જેવું કે કોઈ બીજી જાતનું જીવન બ્રહ્માંડમાં છે. આપણે બ્રહ્માંડમાં એકલા નથી અને જો આપણને જાણ થાય કે બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તો આપણે પૃથ્વી પરની માનવજાતને બચાવી રાખવી પડે, નહીં તો તે પૂરા બ્રહ્માંડમાંથી અદૃશ્ય થઈ જાય.

જો આપણે બ્રહ્માંડમાં એકલા છીએ તે ખરેખર સ્પષ્ટ થાય તો આપણને ખરેખર આશ્ર્ચર્ય થશે. જો કે બ્રહ્માંડમાં આપણે કે આપણા જેવી સંસ્કૃતિ એક જ છે અને બીજે ક્યાંય જીવન નથી અથવા બીજી જાતની સંસ્કૃતિઓ નથી તે ધારણાને તર્ક ટેકો આપતું નથી. તેમ છતાં આ પ્રશ્ર્નનો જવાબ મેળવવો જરૂરી છે. પૃથ્વી પર માનવીઓ જુદી જુદી જાતનાં છે, તેમની સંસ્કૃતિઓ જુદી છે. ભાષા, પહેરવેશ, ખાણી-પીણી જુદી છે પણ તે માનવીઓ છે. તે પ્રમાણે બ્રહ્માંડમાં અલગ અલગ સંસ્કૃતિ હોઈ શકે છે પણ પાયાના સ્વરૂપમાં તે એક હોવાની ધારણા છે. આ વિષયે અને શોધમાં આપણને ગ્રહમાળા કેવી રીતે જન્મે છે, જીવન શું છે તે કેવી રીતે વિકસે છે તેની પણ કદાચ જાણ થાય. બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તે માનવાને કારણ મળતું નથી. ગ્રહમાળાની શોધ આ પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકે છે.

બ્રહ્માંડ છે તો જીવનને ઉત્પન્ન થવા માટે જગ્યા મળી છે. માટે જીવનને બ્રહ્માંડની જરૂર છે. પણ કદાચ બ્રહ્માંડને જીવનની જરૂર ન પણ હોય. જીવન જન્મે તો ભલે અને ન જન્મે તો પણ ભલે. તેમ છતાં પૃથ્વી પર આપણી હયાતિ દર્શાવે છે કે બ્રહ્માંડમાં બીજે પણ જીવન હોવું જોઈએ.

જો આપણે બ્રહ્માંડમાં એકલા હોઈએ તો અપવાદ ગણાય. તો આટલા વિશાળ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે તેમાં એક એક મંદાકિનીમાં ૫૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ અબજ તારા છે તો આપણે શા માટે અપવાદ હોઈએ? બ્રહ્માંડમાં જ્યાં જુઓ ત્યાં વાયુનાં વિશાળ વાદળો છે અને કેટલાકમાં તો હાલ પણ તારા જન્મતા દેખાય છે. આ પ્રશ્ર્નનો ઉત્તર જાણવો જરૂરી છે. શું કુદરતે આટલું વિશાળ અદ્ભુત બ્રહ્માંડ અને આટલો બધો પદાર્થ શું આપણને ઉત્પન્ન કરવા માટે જ કર્યો હશે? શું કુદરતે આટલા બધા પદાર્થનો વેડફાટ આપણા એકલા માટે જ કર્યો હશે? આ માનવાને સદંતર કોઈ કારણ મળતું નથી.