Wednesday, November 4, 2015

વ્યાસજી, તમને સર્જક, પાલક અને વિસર્જન શક્તિનું જ્ઞાન હતું? -- અફસોસ ન મળ્યાનો - જવાહર બક્ષી

     
                                               
                                 

અફસોસ ન મળ્યાનો - જવાહર બક્ષી


બાળપણમાં જેમ સમજ વધતી ગઈ તેમ હું મારા શોખ વિશે સભાન થતો ગયો. હું બી.કોમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો ત્યાં સુધીમાં મને અમુક અમુક વ્યક્તિને મળવાનું મન થયું.

સહુથી પહેલાં તો જૂનાગઢમાં જેની છત્ર છાયામાં ઉછર્યો હતો તે અંબાજી અથવા માતાજીને મળવાનું મન થયું. જેમ જેમ વૈદિક સાહિત્ય વાંચતો ગયો તેમ કોઈ ઋષિ અને યોગીને મળવાનું મન થયું. કોઈ અકળ રીતે તંત્ર વિદ્યાનું આકર્ષણ થયું અને તંત્ર વિશે ભયાનક વાતો સાંભળી ત્યારે કોઈ સાત્ત્વિક તાંત્રિકને મળવાનું મન થયું. શ્રી કૃષ્ણને પણ મળવાનું મન થયું.

બાળપણથી જ સાહિત્યના પરિચય અને સર્જનને કારણે કોઈ મોટા લેખક કે સર્જકને મળવાનું મન થયું.

ભાગ્યના કોઈ અદૃશ્ય બળે હું પરદેશ ગયો અને લંડનમાં મહર્ષિ મહેશ યોગીને મળ્યો. તેમણે મને સપત્ની તેમની સાથે સ્વિટ્ઝર્લેન્ડ આવવા આગ્રહ કર્યો અને થોડા સમય પછી હું ત્યાં દસ વરસ તેમની સાથે રહ્યો ત્યારે એક મહર્ષિ અને યોગી બંનેને મળ્યાનો સંંપૂર્ણ સંતોષ થયો.

તેમના જ કામે દિલ્હીના ગ્રિનપાર્કમાં રહેતા સર્વતંત્ર સ્વતંત્ર અને ૧૯ર પુસ્તકોના લેખક શ્રી જ્ઞાનચંદ શાસ્ત્રીને મળ્યો અને તેમણે મને તંત્રવિદ્યાનું રહસ્ય બક્ષ્યું અને દીક્ષા આપી. મે ત્યારે જ નક્કી કર્યું કે મારે સામાન્ય માણસ જ રહેવું છે. ભીલાડના રામભાઈ અને ઝાલોદના કદીરભાઈએ તેમાં સાથ આપ્યો અને એમ કહી શકાય કે માતાજીને પણ મળ્યો. તેમાં જાણે શ્રી કૃષ્ણને પણ મળ્યો હોઉં તેવો સંતોષ થયો.

હવે રહ્યો સર્જક. વશિષ્ટ, પાતવલ્ક્ય, વ્યાસ વાલીમકિ, પંતજલિ, ભર્તુહરિ, અશ્ર્વત્થમા, મમ્મટ, અભિનવગુપ્ત, કાલિદાસ વગેરેને મળાય તો કેવું એ વિચાર પણ આવતો. હોમર પ્લેટો, એરિસ્ટોટલ શેક્સપિયર, સાત્રર્, બકેટ, એલિયર વગેરેને પણ મળવાનું મન થાય. એ સ્વાભાવિક છે. ગાંધીજી, સરદાર, ટાગોર, મેઘાણી એમ યાદી લાંબી થતી જાય અને તેઓના વિશે વાંચું ત્યારે મનોમન મળ્યાનો અને એ ન મળે તો અફસોસ ન થાય તેવી મન:સ્થિતિ થઈ.

પરંતુ આજે મુંબઈ સમાચાર પૂછે છે ત્યારે એમ થાય છે કે હું વેદવ્યાસને મળ્યો હોત તો સારું થતે. વૈદિક સાહિત્ય અને આધુનિક વિજ્ઞાને ઉપસ્થિત કરેલા કેટલાક મુદ્દા વિશે મારે તેમની પાસેથી જાણવું હતું. દુનિયાના સહુથી મોટા સર્જક વેદોના અન્વાકમાંથી મંડળના વિભાજિત કરનાર, વેદ વ્યાસ, સર્વ ઉપનિષદના તત્ત્વોને એક સૂત્રબદ્ધ પરોવનાર બાદ રાવણ, મહાભારતના સર્જક શ્રીમદ્ ભાગવતના અને અનેક પુરાણોના કહેવાતા લેખક વેદવ્યાસને મારે પહેલો પ્રશ્ર્ન તો એ પૂછવાનો કે તમે આ એક જ છો કે અનેક?

ક્યાં વેદનો સમય ક્યાં મહાભારતનો સમય અને ક્યાં ભાગવતનો સમય? જો તમે એક જ હો તો કેટલા હજાર વરસ જીવ્યા!

બીજો પ્રશ્ર્ન એ કરવો છે કે જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તમે ‘એકોહમ બહુસ્યામ’માં બ્રહ્મના સતચિત આનંદમાંથી ડિઝાઈન પૂર્વક રચના થઈ તેમ માનો છો કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં? ઇઈંૠ ઇઅગૠ ઝવયજ્ઞિુ વિશે તમારું શું માનવું છે? ઇઈંૠ ઇઅગૠ શું કામ થયો અને કોણે કર્યો? અને વળી ક્યારે થયાં?

ત્રીજો પ્રશ્ર્ન સંસ્કૃતિ ભાષા કેવી રીતે જન્મી તે વિશે કરવો છે. આદિ માનવ સંકેત ચિચિયારી ગુફાચિત્રોથી પિરામિડ વગેરેની ભાષાઓમાં વિકસતો ગયો કે સૃષ્ટિના સર્જન વખતે ભાષા સાથે જન્મ્યો હતો? આમ પણ ઈતિહાસકારો અને ભાષા વિજ્ઞાનીઓ બેબીલોન, મેસેપોટેમિયા, ઈજિપ્ત વગેરેની ભાષાનો માંડ ઈતિહાસ ગોઠવે ત્યાં આઠ વિભક્તિ, ત્રણ વચન અને ત્રણ પુરુષ તથા પરસ્મૈપદ અને આત્મનૈપદો વાળા ભાષા છેક ઋગ્વેદના પ્રાચિન સમયે ક્યાંથી અને કેવી રીતે આવી તેનો સગડ મેળવવા ફાંફા મારે છે. તોસ્સિતોરી, ગ્રીયર્સન જેવા તો વેદ પહેલાં કેવી ભાષા હશે તેની પૂર્વધારણા કરવા માંડી પડ્યા હતા. તો સંસ્કૃતમાંથી પ્રાકૃત આવી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત કે બંને સાથે આવી? ક્યારે? કેવી રીતે?

ચોથો પ્રશ્ર્ન આપણા બાપદાદાઓ અહીંયા જ હતા કે બહારથી આવ્યા તે વિશે કરવો છે. બાલગંગાધર ટિલક કહે છે તેમ આપણે વેદકાલમાં ઉત્તર ધ્રુવમાં હતા કે તેની નજીકમાં બ્રેન્ડેસ્ટાઈન કહે છે તેમ યુરલ માઉન્ટનમાં! અત્યારના બેટ્વિયાના પાટનગર રિગા (ઋગ) સાથે સંબંધ ખરો! તેની આસપાસ આવેલા સામ પ્રદેશ અને યાગોર (યજુર) સામવેદ અને ઋગ્વેદ સાથે સંબંધ ખરો? સાઈબિરિયાની સામયોદિક જાતિ જે ગીતો ગણગણે છે તેને સામવેદ સાથે સંબંધ ખરો? મહાભારતના યુદ્ધ વખતે આર્ય પ્રજા અહીં જ હતી અને રામાયણના સમયથી જ દક્ષિણની પ્રજા પીલઈ શ્રીલંકા સાથેના સંબંધો સ્વીકારાઈ ચૂક્યા છે તો આપણાં ભારતમાં ક્યારે આવ્યા?

જો મૌહેં જો દરો અને હડપ્પાની સંસ્કૃતિ સ્થાનિકોની હતી તો વૈદિક સંસ્કૃતિ ક્યારે પ્રવેશી? તમે ડેલહાઉસી-કુલુ-મનાલી પાસે આવેલા તમારા પિતા પરાશરના નામે મત્સ્યક્ધયાવાળા પરાશર તળાવ અને વ્યાસ ગામ પાસે રહેતા હતા કે બીજે?

છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર અંગીરસના શિષ્ય દેવકી કૃષ્ણને તમે ભગવાન બનાવ્યા કે તે હતા જ? બ્રહ્મા વિષ્ણુ મહેશના અલગ અસ્તિત્વને તમે ત્રિમૂર્તિ બનાવી મહાભારતમાં રજૂ કરી તે કયે કારણે? શું તમને પ્રત્યેક અણુમાં રહેલા સર્જક, પાલક અને વિસર્જક શક્તિ જેને આજનું ભૌતિક વિજ્ઞાન ઈયિફશિંક્ષલ જ્ઞાયફિયિંિ ાજ્ઞિાફલફજ્ઞિંિ અક્ષક્ષવશહફજ્ઞિંિ, કહે છે તેનું જ્ઞાન હતું?

મહાભારતની કથા કેટલી સાચી અને કેટલી કલ્પના?

ભગવદ્ ગીતા તમે લખી કે ખરેખર કૃષ્ણના મુખમાંથી નીકળી? શ્રદ્ધાળુઓને ન ગમે તેવા ઘણા પ્રશ્ર્નો હજી તો પૂછવાના બાકી રહી જાય છે.

જે સ્ત્રીઓને પ્રાચીન વૈદિક કાળમાં યજ્ઞોપવિત અપાતું (પારસીઓમાં આજે પણ અપાય છે) ગાર્ગી ધાત્રિ જેવી તેજસ્વી સાની વેદવાહિનીઓ હતી. પત્ની વિના શ્રૌત યજ્ઞ થઈ ન શકતા અને પ્રત્યેક સ્ત્રીને પોતાની મરજીનો પતિ ગોતવાની સ્વયંવરની પ્રથા હતી. તો સ્ત્રીઓનું માન કેમ અને ક્યારે ઘટ્યું? શું દ્રૌપદી ખરેખર પાંચ પતિઓને અપનાવી શકી હતી? તેના વસ્ત્રહરણને આર્ય સમાજનું મહાકલંક ગણાય છે તો ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગયા. તમે અને આપણે?

એકમ સત વિપ્રા બહુધા વદન્તિ (સત્ય એક જ છે જેને વિદ્વાનો જુદી જુદી રીતે વર્ણવે છે) તેવી વિશાળ ધાર્મિક ઉદારતાની જગાએ ધર્મસંકુચિતતા અને ધર્માંધતાને પહોંચી વળવા તમે કઈ કથા લખો કે પછી એની ટી.વી. સિરિયલ થાય કે ફિલમ ઊતરે? વસુધૈવ કુટુમ્બકમ કહેનારાના વારસદારો હિંદુત્વને શું સમજે છે અને જે સમજે છે તે કેટલું ઉચિત છે? આટલા વૈજ્ઞાનિક પુરાવા અને શાસ્ત્રોના આધાર પછી પૃથ્વી સપાટ છે તેવું કહેવાવાળાનું શું કરવું?

અફઘાનિસ્તાન-ઈરાક-પાકિસ્તાનથી લઈ આફ્રિકામાં રોજ ડઝનબંધ મુસલમાનોને મારતા મુસલમાનોને કેમ સમજાવવા? તમારે વખતે પણ શાસ્ત્રોના સોદા થતાં હશે પણ આ મોતના સોદાઓમાં શસ્ત્રોના વેપારીઓ મહાસત્તાઓને ખરીદી બેઠા છે તેને ક્યા બ્રહ્માસ્ત્રથી તોડ્યા?

તમે ત્રિકાળજ્ઞાનિ કહેવાવ છો અને મહાજ્ઞાનિ તો છો જ આવા અનેક પ્રશ્ર્નો છે જે તમને પૂછવાના ઓરતા છે. મિત્રો તો પ્રશ્ર્નો પણ સમજી શકતા નથી તો જવાબ તો ક્યાંથી મળે! વિદ્વાનો વાદ-વિવાદ કરે છે અને વિજ્ઞાનો બદલાયા કરે છે. આ બધાને ઠરીઠામ થતાં વાર લાગશે. એ પહેલાં તમે આવી જાવ તો મજા આવે. તમારાં સર્જનો ધ્યાનથી વાંચતાં મને મોટા ભાગના ઉત્તરો મળ્યા છે પણ તે સાચા છે કે ખોટા તે તમને પૂછવું છે. બીજું આ પ્રશ્ર્નોથી અનેક પ્રતિભાઓ જન્મે તો જલસો પડી જાય. અફસોસ તો જિંદગીમાં કોઈનો રાખ્યો નથી. મારો એક શેર સાંભળી લો,

તું અહીં હોત તો વધુ સારું

તારી ગેરહાજરી ખરાબ નથી

બીજી એક વાત મને વેદ, ઉપનિષદ અને ગીતામાં શ્રદ્ધા છે અને તે પ્રમાણે જીવ્યો છું. એટલે જ કહું છું મસ્તી વધી ગઈ તો વિરક્તિ, થઈ ગઈ ઘેરો થયો ગુલાબ તો ભગવો થઈ ગયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=177770