Wednesday, May 27, 2015

ફાઇવ સ્ટાર હૉસ્પિટલો શ્રીમંત દર્દીઓને લૂંટે છે --- સંજય વોરા

સ્પોટ લાઈટ - સંજય વોરા


ભારતનાં મોટાં શહેરોમાં છેલ્લા એક દાયકાથી જે ફાઇવ સ્ટાર હૉસ્પિટલોનો ટ્રેન્ડ શરૂ થયો છે તેનો એકમાત્ર હેતુ નફો રળવાનો હોય છે. આ ધંધામાં વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ પણ પડી છે. શ્રીમંત દર્દીઓ આવી ફાઇવ સ્ટાર હૉસ્પિટલોમાં સારવાર લેવાને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. શ્રીમંત દર્દીઓની આ મનોવૃત્તિનો લાભ લઇને આ હૉસ્પિટલો તેમને લૂંટે છે. આ હૉસ્પિટલોમાં બાહ્ય ઝાકઝમાળ ભારે હોય છે, પણ સલામતીની બાબતમાં તેમનો રેકોર્ડ કંગાળ હોય છે. વ્યાવસાયિક નીતિમતા બાબતમાં પણ તેઓ પછાત હોય છે. આ હૉસ્પિટલોમાં સેવા આપતા તબીબો હૃદય અને કિડનીના ઓપરેશનો માટે શ્રીમંત દર્દીઓ માટે બેનંબરમાં તગડી રકમો વસૂલ કરીને કરોડપતિ બને છે. કોલકાતાની જે અખછઈં હૉસ્પિટલની આગમાં ૮૯ દર્દીનાં મોત થયાં તે હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ દરમિયાન કુલ ૧૮૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૧૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

મુંબઇની ફાઇવ સ્ટાર હૉસ્પિટલો દવા કંપનીઓ પાસેથી ઇમ્પોર્ટેડ દવાઓ અને હાર્ટમાં મૂકવા માટેના સ્ટેન્ટ હોલસેલના ભાવે ખરીદે છે, પણ દર્દીઓ પાસેથી તેઓ છૂટક વેચાણ કિંમત જ વસૂલ કરે છે. મોતિયાના ઓપરેશન પછી દર્દીની આંખમાં ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ બેસાડવામાં આવે છે. આ લેન્સની ખરીદ કિંમત ૫૦૦ રૂપિયાથી લઇને ૪,૦૦૦ રૂપિયા સુધીની હોય છે, પણ હૉસ્પિટલો તેમના દર્દીઓ પાસેથી છથી આઠ હજાર રૂપિયા લેન્સની કિંમત પેટે વસૂલ કરે છે. હૉસ્પિટલોમાં હાર્ટના પેશન્ટોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે તેમાં નોન-મેડિકેટેડ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. બજારમાં આ સ્ટેન્ટ ૬૦થી ૭૦ હજાર રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી સવાથી દોઢ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય તેના લોહીને પાતળું કરવા માટે સ્ટ્રેપ્ટોકિનેસ અને યુરોકિનેસ નામની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓ બજારમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી તેના ૩,૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. ઘણી હૉસ્પિટલો દર્દીઓને જિનેરિક દવાઓ આપે છે, પણ કિંમત બ્રાન્ડેડ દવાની વસૂલ કરે છે, જે ૨૦૦થી ૫૦૦ ટકા જેટલી વધુ હોય છે.

મુંબઇનાં ઉપનગર બોરીવલીમાં ફાઇવ સ્ટાર ક્લિનિક ધરાવતા ડૉ. પ્રદીપ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. આ ડોક્ટર પાસે મીનાક્ષી મૂર્તિ નામની ૭૬ વર્ષની મહિલા હૃદયરોગની સારવાર કરાવવા આવી હતી. ડોક્ટરે આ મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને તેના હૃદયમાં બે સ્ટેન્ટ મૂકીને તેની ફી વસૂલ કરી હતી. થોડા સમય પછી આ મહિલાને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે તેને હૃદયરોગની સારવાર આપી પણ તે ન્યુમોનિયાથી મરી ગઇ હતી, જેનું ડોક્ટરે નિદાન જ કર્યું નહોતું. આ મહિલાનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે તેના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા વિના જે ડોક્ટરે પૈસા વસૂલ કર્યા હતા. આ મહિલાની પુત્રી હેમલત્તા ઠાકુરના પતિ ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટર પ્રદીપ વ્યાસની ધરપકડ કરી છે. અનીતિ આચરીને ઝટપટ શ્રીમંત બનવા માગતા ડોક્ટરો માટે હૃદયરોગ અને કિડનીના રોગો કમાઉ દીકરા જેવા બની ગયા છે.

ભારતના શ્રીમંત દર્દીઓને લૂંટવા માટે અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલોની ચેઇન ઊભી કરી છે. તેઓ તબીબી વ્યવસાયના ધારાધોરણોથી વિરુદ્ધ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. ફોર્ટીસ નામની મલ્ટિનેશનલ કંપનીએ ભારતમાં ૫૩ હૉસ્પિટલો ખોલી છે, જેમાં ૮,૦૦૦થી વધુ પથારીઓ છે. આ હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૩૪.૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ ત્રણ મહિનામાં ફોર્ટીસ હોસ્પિટલમાં હૃદયરોગના ૧૨,૦૦૦ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. ચેન્નાઇમાં મુખ્ય મથક ધરાવતી એપોલો હોસ્પિટલે જૂન-ઓગસ્ટના ત્રણ મહિનામાં ૬૪૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૫૧.૨૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો.આ હૉસ્પિટલો દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી હોલસેલના ભાવમાં દવાઓ ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેની પૂરી વેચાણ કિંમત વસૂલ કરે છે. હોસ્પિટલનો ઉદ્યોગ હવે દર્દીઓને લૂંટીને તગડો નફો કમાવા માટેનો ઉદ્યોગ બની ગયો છે.

દિલ્હીની એક આઇટી કંપનીમાં નોકરી કરતાં ૪૦ વર્ષના ગજાનંદ સિંહને જડબાનું કેન્સર હતું. ગજાનંદ સિંહ પાસે આઠ લાખ રૂપિયાની મેડિક્લેઇમની પોલિસી હતી. ગજાનંદ સિંહ કેન્સરની સારવાર કરાવવા માટે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ નામની સરકારી હૉસ્પિટલમાં ગયો, પણ ત્યાં એટલી બધી ગિર્દી હતી કે તે મજબૂરીથી મેક્સ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ નામની ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો. અહીંના ડોક્ટરે ગજાનંદના સ્વજનોને કહ્યું કે તેને કેમોથેરપી આપવી પડશે. ગજાનંદનું કેન્સર બહુ આગળ વધી ગયું હતું અને તેને કેમોથેરપીથી કાબૂમાં લઇ શકાય તેમ નહોતું તો પણ તેને ત્રણ દિવસ રેડિયેશન આપવામાં આવ્યું. ચોથા દિવસે ગજાનંદનું મોત થઇ ગયું. હૉસ્પિટલે ત્રણ દિવસની કેમોથેરપીનું બિલ ૭.૯૫ લાખ રૂપિયા પકડાવી દીધું. આ બિલ તેની મેડિક્લેઇમની મર્યાદા કરતાં પાંચ હજાર રૂપિયા જેટલું જ ઓછું હતું. ટૂંકમાં, વીમો ઉતારનારી કંપનીને ખાડામાં ઉતારીને પેલી હૉસ્પિટલે ૭.૯૫ લાખની કમાણી કરી

લીધી હતી. આ રીતે દર્દીઓને અને વીમા કંપનીઓને છેતરીને બેલેન્સશીટમાં વધુ પ્રોફિટ બતાડવાની બાબતમાં આ હોસ્પિટલો નિષ્ણાત થઇ ગઇ છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે દર્દીઓના હૃદયમાં આશરે બે લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જોન્સન એન્ડ જોન્સન અને એબ્બોટ નામની વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓ પણ સ્ટેન્ટ બનાવે છે. ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં સ્ટેન્ટની કિંમત ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા હોય છે, જ્યારે વિદેશી કંપનીઓના સ્ટેન્ટ સવા લાખ રૂપિયા આસપાસ વેચાય છે. હૉસ્પિટલો ભારતની કંપનીઓ પાસેથી હોલસેલમાં ૪૫,૦૦૦ રૂપિયાના ભાવે સ્ટેન્ટ ખરીદે છે અને તેના સવા લાખ રૂપિયા વસૂલ કરે છે. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને હૃદયરોગની સારવાર કરતી હૉસ્પિટલોમાં માર્કેટિંગ માટે મોકલે છે. તેઓ ડૉક્ટરોને કમિશનની લાલચ આપીને વધુ સ્ટેન્ટ ખરીદવાનું પ્રોત્સાહન આપે છે. ડૉક્ટરો પણ કમિશનની લાલચમાં દર્દીઓને જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવવાની સલાહ આપે છે.

કોલકાતાના દિપક સેનની પત્નીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો એટલે તેમણે એક ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પત્નીને સારવાર માટે દાખલ કરી. ડૉક્ટરોએ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી. દિપક સેને આ માટે સંમતિ આપી એટલે ડૉક્ટરે તેમની પત્નીના હૃદયમાં એક નહીં પણ પાંચ સ્ટેન્ટ મૂકી દીધા. હૉસ્પિટલે તેમના હાથમાં ૧૬ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. એન્જીયોપ્લાસ્ટીના એક અઠવાડિયા પછી સેનની પત્નીનું અવસાન થયું. તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટેન્ટની જરૂર નહોતી ત્યાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. દિપક સેને મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી, પણ તેનું કાંઇ પરિણામ આવ્યું નહીં. હવે તેમણે કોન્ઝ્યુમર કોર્ટમાં હૉસ્પિટલ પાસે ૫૦ લાખ રૂપિયાનું વળતર માંગતો દાવો કર્યો છે. આ પ્રકારના કેસોનો કોન્ઝ્યુમર કોર્ટોમાં ઢગલો થયો છે.

આજકાલ શ્રીમંત દર્દીઓમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવી એ પણ એક જાતનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઘણા લોકોએ આરોગ્યનો વીમો ઉતરાવ્યો હોય છે, જેને કારણે તેમને તબીબી ખર્ચની ચિંતા નથી હોતી. ઘણી વખત જરૂર ન હોય તો પણ તેઓ વીમાના પૈસા વસૂલ કરવા હૉસ્પિટલમાં ભરતી થઇ જાય છે. હૉસ્પિટલના સંચાલકોને ખ્યાલ આવે છે કે દર્દી પાસે મેડિક્લેઇમ છે ત્યારે તેઓ મોટું બિલ જ બનાવે છે. ઘણા લોકોનાં હૉસ્પિટલનાં બીલ તેમની કંપની ભરવાની હોય છે. આવા લોકોને પણ હૉસ્પિટલો આરામથી લૂંટે છે. ઘણા શ્રીમંતોને હૉસ્પિટલનો ગમે એટલો ખર્ચ આવે તો પણ કાંઇ ફરક પડતો નથી. આ બધાને ફાઇવ સ્ટાર હૉસ્પિટલો બકરા બનાવે છે.

ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં પ્રત્યેક તબક્કે દર્દીઓની લૂંટફાટ ચાલી રહી છે. કોઇ વિદ્યાર્થીને તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તગડું ડોનેશન આપવું પડે છે અને તગડી ફી ચૂકવવી પડે છે ત્યાંથી લૂંટફાટની શરૂઆત થાય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ માન્યતા મેળવવા માટે મેડિકલ કાઉન્સિલના સભ્યોને કરોડો રૂપિયાની લાંચ આપવી પડે છે. આ રૂપિયા તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરે છે. એક વિદ્યાર્થીએ ડોક્ટર બનવા માટે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આ ખર્ચો વસૂલ કરવા તેણે દર્દીઓને લૂંટવા પડે છે. દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાની દવા વેચવા માટે ડોક્ટરોનો ઉપયોગ એજન્ટ તરીકે કરે છે. ડોક્ટરો દર્દીઓને બિનજરૂરી દવાઓ લખી આપે છે. જનરલ પ્રેક્ટિશનર કોઇ ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પોતાના દર્દીને મોકલે તો તેમાં પણ કમિશન મળે છે. કેમિસ્ટો પણ ડૉક્ટરોને કમિશન આપે છે. આ બધો ખર્ચ છેવટે તો ગરીબ અથવા શ્રીમંત દર્દીઓ પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. હૉસ્પિટલો, ડૉક્ટરો અને દવા કંપનીઓ મળીને પ્રજાનું આરોગ્ય બચાવવાના બહાને તેમનાં ખિસ્સાં હળવાં કરી રહી છે. આ લૂંટફાટ સરકારે અટકાવવી જોઇએ.

03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161397

બ્રહ્માંડમાં એક નવી નિયમિતતા મળી આવી --- ડૉ. જે. જે. રાવલ

                           

         બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


૧૯૬૦ના દાયકામાં ખગોળવિદોને એક નવા જ પ્રકારના આકાશીપિંડનાં દર્શન થયાં. આ આકાશીપિંડના પ્રકાશમાં ફ્રોનહૉફર સલાકા રંગપટના લાલ ભાગ પર ઘણે દૂર સરકી ગઈ હતી. આનો અર્થ એમ થાય કે આ આકાશીપિંડની ગતિ ખૂબ જ છે અને તેનું અંતર પણ આપણાથી દૂર છે અથવા તો તે દૂર તો છે અને તેની ગતિ પણ વધારે છે, સાથે સાથે તેનું ગુરુત્વાકર્ષણ પણ ખૂબ જ બળવાન છે, પણ ધાર્યા કરતાં તે નજીક છે. જો તેનું ગુરુત્વાકર્ષણ વધારે ન હોય તો તે અબજો પ્રકાશવર્ષ દૂર હોય. આ આકાશીપિંડને તેઓએ ક્વેઝાર નામ આપ્યું. ક્વેઝાર એટલે કવાસી સ્ટેલર ઓબ્જેક્ટ. ક્વેઝાર વિષે આશ્ર્ચર્યની વાત એ હતી કે તે અબજો કિલોમીટર દૂર છે તો પણ તે દેદીપ્યમાન રીતે ઝળઝળતા પ્રકાશે છે.

વિજ્ઞાનીઓ પછી માનવા લાગ્યા કે ક્વેઝાર પૂરેપૂરી મંદાકિનીનું કેન્દ્ર છે. દૂર છે માટે ઝળઝળતું કેન્દ્ર (નાભિ) દેખાય છે પણ તેના બીજા ભાગો દેખાઈ શકતા નથી. તે મંદાકિનીના બધા જ તારાના પ્રકાશનો સરવાળો કરો તેનાથી પણ વધારે પ્રકાશિત છે.

રસપ્રદ વાત એ છે કે આ બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાન્તર છે. ક્વેઝાર્સ એકબીજાથી અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેમ છતાં બ્રહ્માંડમાં બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાંતર છે તે બ્રહ્માંડનું મોટું આશ્ર્ચર્ય છે. કુદરત આપણને દરરોજ પોતાનું નવું નવું સ્વરૂપ દર્શાવે છે.

ક્વેઝાર ખૂબ જ દૂરના આકાશીપિંડો છે. તે બ્રહ્માંડના છેવાડે વસતા આકાશીપિંડો છે. બેલ્જિયમની લાઇગ યુનિવર્સિટીના ખગોળવિદ્ ડેમીઅન હટસમીકર અને તેની ખગોળવિદ્ોની ટુકડીએ ૯૩ ક્વેઝારનો અભ્યાસ કર્યો. તે એકબીજાથી અબજો કિલોમીટર નહીં પણ અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેઓએ જોયું કે માત્ર આ ક્વેઝારની ધરીઓ સમાંતર નથી પણ બ્રહ્માંડની વિશાળ રચના સાથે પણ, આ રચનાની ધરી સાથે પણ તેમની ધરીઓ સમાંતર છે. આ બ્રહ્માંડનું એક અદ્ભુત ચિત્ર છે. બ્રહ્માંડના આકાશીપિંડો વચ્ચેનો આ સંબંધ ઘણો અદ્ભુત ગણાય. આ સંબંધ શું સૂચવે છે? તેમાંથી શું સંદેશ મળે છે?

બ્રહ્માંડમાંવિશાળ અંતરે મંદાકિનીઓ એક સરખી રીતે ફેલાયેલી નથી. તે ફિલામેન્ટ્સની એક કોસ્મિક વેબ રચે છે અને તેમની વચ્ચે વિશાળ ખાલી જગ્યાઓ છે. આ બ્રહ્માંડમાં પદાર્થની રહસ્યમય અને અતિસુંદર રચના છે. તેને બ્રહ્માંડનું લાર્જસ્કેલ સ્ટ્રકચર કહે છે, બ્રહ્માંડની વિશાળ સ્તરે રચના કહે છે. આ બધા ક્વેઝારની ધરીઓ આ લાર્જસ્કેલ સ્ટ્રકચરની ધરીને સમાંતર છે અને બધા ક્વેઝાર તેમાં જ આવેલાં છે. ક્વેઝાર વચ્ચે અને બ્રહ્માંડના લાર્જસ્કેલ સ્ટ્રકચર વચ્ચે આ સંબંધ કૃત્રિમ નથી, માત્ર અકસ્માત નથી. આના પરથી આપણું વિશ્ર્વ કેવી રીતે વિકાસ પામ્યું હશે તેનો અણસાર મળે છે. વિશાળ સ્તરે બ્રહ્માંડનું આ ચિત્ર વિજ્ઞાનીઓને પ્રથમવાર જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડના ગર્ભભાગમાં ભલે ઘમસામણ ચાલતું હોય, અરાજકતા પ્રવર્તતી હોય પણ તેની સપાટી પર તો નિયમિતતા પ્રવર્તે છે. આ જ બ્રહ્માંડનું મોટું રહસ્ય છે. થપ્પડ મારીને મોઢું લાલ રાખવાની વાત છે.

અઢારમી અને ઓગણીસમી સદીના વિખ્યાત ગણિતશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે ત્રણ આકાશીપિંડો વચ્ચેના ગુરુત્વાકર્ષણનાં સમીકરણોનો ઉકેલ શોધ્યો. એટલે કે, ઉદાહરણ સ્વરૂપ, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. હવે આ બે વચ્ચે એક ત્રીજો આકાશીપિંડ હોય તો તેની ગતિવિધિ કેવી હોય. આ સંશોધનમાં તેને જાણવા મળ્યું કે કોઈ પણ આકાશીપિંડ જો બીજા આકાશીપિંડની પરિક્રમા કરે તો તેની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ હોય જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય. આ પાંચ બિંદુઓને લાગ્રાંજના માનમાં લાગ્રાંજબિન્દુઓ કહે છે. જ્યારે લાગ્રાંજે આ બિન્દુઓ શોધ્યાં ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત માન્યમાં આવી ન હતી. તેઓ કહેતા કે સાગ્રાંજ મહાન ગણિતશાસ્ત્રી છે માટે આવું શોધી શકે, પણ આવું શક્ય નથી. પણ ૧૫૦ વર્ષ પછી ગુરુની કક્ષાને સંલગ્ન નાના નાના આકાશીપિંડો શોધાયા જેના પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તે હજારો-લાખો સાલથી ત્યાં જ છે. તેને ગુરુના ટ્રોજન એસ્ટેરાઈડ કહેવામાં આવે છે. આ શોધે લાગ્રાંજને સાચા સાબિત કર્યા અને આવાં બિન્દુઓ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે તેમ સાબિત થયું. હાલમાં પૃથ્વીની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુ પર એક એસ્ટેરોઈડ મળી આવ્યો છે. એટલે કે ચંદ્ર પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ નથી. તેને ભાઈ પણ છે. સૂર્યમંડળના ઉપગ્રહોની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુઓ પર પણ નાના આકાશીપિંડો મળી આવ્યાં છે. એટલે કે દરેકેદરેક આકાશીપિંડની કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ છે જ્યાં નાના નાના આકાશીપિંડો લગભગ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે. જો બહારના ગુરુત્વાકર્ષણ બળે તેમને તેમની જગ્યા છોડવા મજબૂર કર્યા ન હોય તો. સૂર્ય આપણી મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે. માટે સૂર્યની આ કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ અસ્તિત્વ ધરાવે છે જ્યાં તારાના ઝુંડ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોય. આમ પૂરા બ્રહ્માંડમાં લાગ્રાંજ બિન્દુઓ પથરાયેલાં છે જ્યાં આકાશીપિંડો કાયમી અસ્તિત્વ ધરાવતા હોય, કેમ કે ત્યાં બીજું કોઈ ગુરુત્વાકર્ષણનું બળ લાગતું નથી. એટલે કે બ્રહ્માંડના અંતરીક્ષરૂપી ચાદરમાં આવાં કાયમી ટપકાં છે, ચાંદરણા-ચાંદલા છે. બ્રહ્માંડની રચના આમ અદ્ભુત છે. બ્રહ્માંડના રહસ્યોને પામવાનું ઘણું દુષ્કર છે.
આપણે હીંચકે બેસીએ તો હીંચકો સામયિક ક્રિયા છે. તે જ્યારે છેડે (અંતિમ બિન્દુએ) આવે ત્યારે આપણે થોડી ઠેસી મારીએ છીએ. આમ હીંચકો ચાલ્યા કરે છે. આપણે જે ઠેસી મારીએ છીએ તે પણ સામયિક ક્રિયા છે. આ બંને ક્રિયા સામયિક છે અને તેના પરિણામથી જ હીંચકો ચાલે છે. જો આપણે હીંચકા ખાતા તેના છેવટના બિન્દુએ નહીં પણ વચ્ચે ગમે ત્યાં ઠેસી મારીએ તો હીંચકાની ગતિવિધિ છિન્ન-વિછિન્ન થઈ જાય છે. આ ક્રિયાને સ્પંદનની ક્રિયા કહે છે. સૂર્યમાળામાં ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. તેની કક્ષાને અંતર્ગત અને બહાર પણ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. આ બધી સામયિક ક્રિયાઓ છે. અહીં ગુરુત્વાકર્ષણીય સ્પંદનો થાય છે. સ્પંદનોની ક્રિયામાં ઊર્જાનું આદાન-પ્રદાન થાય છે. બ્રહ્માંડમાં બધે જ સ્પંદનોની ક્રિયા ચાલે છે. તેને અંગ્રેજીમાં રેઝોનન્સ કહે છે. માનવી-માનવી વચ્ચે પણ રેઝોનન્સની ક્રિયા ચાલે છે. માનવી-માનવી વચ્ચે સારા સંબંધો હોય તો તે બે માનવી રેઝોનન્સમાં છે તેમ કહેવાય છે. પૂરા બ્રહ્માંડમાં રેઝોનન્સની ક્રિયા ચાલે છે. સૂર્યમાળામાં ગ્રહો વચ્ચે જે રેઝોનન્સ ચાલે છે તે બે-તૃત્યાંશ (૨/૩) રેઝોનન્સ છે. સૂર્યમાળામાં આ એક નિયમિતતા છે. આમ બ્રહ્માંડમાં નિયમિતતા છે. જ્યારે આ નિયમિતતામાં ખલેલ પહોંચે છે ત્યારે સિસ્ટમ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બ્રહ્માંડમાં જે વિનાશની ક્રિયા ચાલે છે તે રેઝોનન્સમાં ખલેલ પહોંચે છે તેને લીધે થાય છે. સુનામી, આકાશમાંથી લધુગ્રહો-ઉલ્કા-ધૂમકેતુઓનું પૃથ્વી પર અથડાવું, ધરતીકંપ-જ્વાળામુખીનું ફાટવું, વાવાઝોડું, ચક્રવાત, વંટોળ વગેરે મોટી હોનારતો જે થાય છે તે રેઝોનન્સના તૂટવાથી થાય છે. પતિ-પત્ની વચ્ચેના સારા સંબંધો પણ રેઝોનન્સનું પરિણામ છે. બ્રહ્માંડમાં જે સમતુલન દેખાય છે તે રેઝોનન્સનું પરિણામ છે.

 http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=159656                                  

Sunday, May 24, 2015

બ્રહ્માંડમાં વિવિધ ક્ષેત્રે સમાનતા પ્રવર્તે છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160293


                             

નદીને વહેતી જોઇને માનવીને પ્રવાહનો ખ્યાલ આવ્યો. નદી વહે છે તે જોઇને માનવીને થયું કે સમય પણ વહે છે. હકીકતમાં સમય દેખાતો નથી. સમય વહે છે તો જિંદગી પણ વહે છે. નદી મહાસાગરમાં જઇને મળે છે. ત્યાં તેનો અંત આવે છે. સમયનો અંત છે કે નહીં તે આપણે કહી શકીએ નહીં, પણ સમયને વાંકો વાળી શકાય, તેને કદાચ ઊલટી દિશામાં પણ વાળી શકાય. તે ગુરુત્વાકર્ષણ કરી શકે. સમયના પ્રવાહને પાછો વાળી શકાય. નદીના પ્રવાહને પાછો વાળી શકાય નહીં. વહેણ કરીને તેને બીજી દિશામાં વાળી શકીએ, કદાચ વહેણને પાછું પણ કરી શકાય, પણ મૂળ દિશામાં તો પ્રવાહ રહે, અથવા સૂકી નદી રહે. પવનનો પણ પ્રવાહ છે જેને પાછો વાળી શકાય નહીં. ગરમીના પ્રવાહને પણ પાછો વાળી શકાય નહીં. આમ બ્રહ્માંડમાં ઘણી જાતના પ્રવાહો છે. પણ મૂળભૂત રીતે તે પ્રવાહ છે. આ બધા પ્રવાહોને જાણીને માનવીએ વિદ્યુતને પણ પ્રવાહિત થતી જોઇ. માણસના શરીરમાં લોહીનો પણ પ્રવાહ છે. માણસોનો પોતાનો પ્રવાહ છે. ચર્ચગેટ સ્ટેશનમાંથી નીકળતાં માણસો પણ એક પ્રવાહ જ બનાવે છે. ગાયોનું કે ઘેટાં બકરાનું ધણ નીકળે તે પણ એક પ્રવાહ જ છે. કેટલાક પ્રવાહો પાછા વાળી શકાય છે, કેટલાક નહીં, પણ આ બધા પ્રવાહો જ છે. બ્રહ્માંડમાં છેવટે ઠેર ઠેર પ્રવાહો છે. નળમાંથી નીકળતા પાણીનો પણ પ્રવાહ જ છે. દરિયામાં પણ ગરમ અને ઠંડા પાણીના પ્રવાહો ચાલે છે. તેલનો પ્રવાહ, પેટ્રોલનો પ્રવાહ. આમ પ્રવાહ બધે જ છે. જીવનરેખા પણ એક પ્રવાહ જ છે અને બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પણ એક પ્રવાહ છે. પ્રવાહો અલગ અલગ પ્રકારનાં છે, પણ મૂળભૂત રીતે તે એક જ છે.

તો થાય કે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થતો હશે? પ્રવાહ વહેતી વસ્તુના અતિશય પ્રમાણમાંથી ઉત્પન્ન થાય છે. કોઇ ધનિક માનવીનું ધન વધી જાય તો ત્યાંથી ધનનો પ્રવાહ ઉત્પન્ન થાય. દાનનો પ્રવાહ ઉત્પન્ન થાય. જ્યાં સતત રીતે વસ્તુ ઉત્પન્ન થતી રહે તેનો પ્રવાહ ઉત્પન્ન થાય. વૈજ્ઞાનિક શબ્દોમાં કહીએ તો દબાણ (Pressure) પ્રવાહ ઉત્પન્ન કરે. એટલે કે વાયુનું દબાણ હોય, પાણીનું દબાણ હોય, લોહીનું દબાણ હોય. વિદ્યુતનું દબાણ હોય. બીજી ઘણી જાતનાં દબાણ હોય છે. કોઇ અધિકારી હોય તો તેને ઉપરી અધિકારી દબાણ કરે તો નીચેના અધિકારીઓ પણ દબાણ કરે. રાજકારણીઓ દબાણ કરે તેને પોલિટિકલ પ્રેશર કહેવાય. પોલિટિકલ પ્રેશર ઘણી જગ્યાએ દેખાય છે. પોલિટિકલ પ્રેશર સારા માટે પણ હોય છે અને ખરાબ માટે પણ હોય છે. જો આગલા ક્રિકેટરોએ સારા રન કર્યા ન હોય તો પાછળના ક્રિકેટર પ્રેશરમાં આવી જાય છે. અમુક જણાને કોઇ પણ પ્રેશર લાગતું નથી. તે પ્રેશર પ્રૂફ હોય છે. છેવટે પ્રેશરજ પ્રવાહનેે ઉત્પન્ન કરે છે.

પ્રેશર (દબાણ) જાતજાતના હોય છે અને દબાણ જ બધાને ચલાવે છે. દબાણ સારા માટે હોય છે. પણ કોઇક વાર તેનું પરિણામ ખરાબ પણ હોય છે. જોવાનું એ છે કે દરેકેદરેક બાબતને સારી અને ખરાબ બાજું હોય છે.

બ્રહ્માંડમાં આવી સરખી ક્રિયાઓ છે અને એક ક્રિયાનો અભ્યાસ કરીને આપણે બીજી ક્રિયાને સમજી શકીએ છીએ અને તેને લાગુ કરી શકીએ છીએ. તેને એનોલોજી (Anology) કહે છે. બ્રહ્માડમાં એનોલોજીની કામગીરી ઘણી મોટી છે અને ખૂબ જ ઉપયોગી છે. તેને એક જાતની નકલ પણ કહી શકાય. નકલ કુદરતમાં પણ છે. કુદરત પણ નકલ કરે છે. એનોલોજી આપણા જ્ઞાનમાં વધારો કરે છે. એનેલોજીથી ઘણું શીખી શકાય છે.

એક વધારે એનોલોજી ઘનતાની છે. આપણી પાસે પાણીની ઘનતા છે, આપણી પાસે ધાતુની ઘનતા છે, આપણી પાસે મંદાકિનીમાં તારાની ઘનતા છે. વાયુની ઘનતા છે, શહેરમાં માનવીઓની ઘનતા છે. ઘનતા એટલે (Crowedeness) ટોળે વળવું, કેટલું ટોળે વળવું. પાંખી ઘનતા એટલે છુટ્ટું-છવાયું. ઘનતા એટલે ગીચતા. મુંબઇ, ટોકયો, ન્યૂ યોર્કમાં માણસોની ગીચતા છે. ત્યારે દૂર દૂરના ગામડામાં માણસોની ગીચતા નથી હોતી. માનવીઓની ગીચતામાં દુષણો હોય છે પણ સાથે સાથે તે સલામતી પણ આપે છે રાતે એકલ-દોકલ માણસ લૂંટાઇ જાય છે. ગીચતાના પોતાના ફાયદા-ગેરફાયદા છે.

જે. જે. થોમ્સને શોધ્યું છે કે એટમમાં ઇલેકટ્રોન્સ છે. જો એટમમાં ઈલેકટ્રોન્સ હોય તો તે ન્યુટ્રલ છે. તેમાં ઘનવિદ્યુતભાર પણ હોવો જોઇએ. તો પ્રશ્ર્ન થયો કે એટમમાં ઘનવિદ્યુતભાર કેવી રીતે પથરાયેલો હશે.? તો કહે તડબૂચનાં કાળા બી અથવા દૂધપાકમાં દ્રાક્ષ, કાજુ, બદામ, પિસ્તા છે તેમ ઘનવિદ્યુતભારના ગોળારૂપી એટમમાં ઋણ વિદ્યુતભાર વહન કરતાં ઇલેકટ્રોન્સ રહે છે. પણ રુધરફોર્ડના પ્રયોગે દર્શાવ્યું કે એટમમાં ઘનવિદ્યુતભાર તો તેના તદ્દન નાના કેન્દ્રમાં જ હોય છે. તે સૂર્યમાળાની એનેલોજીએ દર્શાવ્યું કે ઇલેકટ્રોન્સ સૂર્યમાળામાં જેમ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તેમ પરિક્રમા કરતા હોવા જોઇએ. જો ગ્રહો સૂર્યમાળામાં સૂર્યની પરિક્રમા કરે છે અને તેમના અંતર માટે નિયમ છે જેને ગ્રહ-અંતરનો નિયમ કહે છે, તો ઈલેકટ્રોન્સ પણ તેની ઘનવિદ્યુતભારવાહી નાભિની ફરતે પરિક્રમા કરતાં હોય તો ઇલેકટ્રોન્સ પણ કોઇ અંતરના નિયમને અનુસરતાં હોવા જોઇએ. આમ ઇલેકટ્રોન્સ અંતર નિયમની શોધ થઇ. આમ એનેલોજી નવી નવી શોધોનેે શક્ય બનાવે છે.

વૃક્ષમાં જો પાણી કેશાકર્ષણથી ઊંચે ચઢતું હોય તો સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં પણ કેશાકર્ષણથી લોહી ઊંચે ચઢતું હોવું જોઇએ. સૂર્ય-ચંદ્ર ગોળ છે. માટે ગ્રહો, પૃથ્વી, તારા પણ ગોળ હોવા જોઇએ.

જો ગ્રહોની કક્ષા વચ્ચે એક ગુણોત્તર હોય એટલે કે તે ૧, ૨,૩,ની જેમ ડિસ્ક્રિટ હોય તો ઇલેકટ્રોનની કક્ષાએ વચ્ચે પણ એક ગુર્ણોત્તર હોય અને તે ડિસ્ક્રિટ હોય. તેમાંથી ક્વોન્ટમ પિકેનિકસનો જન્મ થયો જેને બોહરની કવોન્ટમ કન્ડિશન કહે છે. વાયુ કે પાણી ઉપર ઉપરથી ડિસ્ક્રિટ નથી લાગતું પણ છેવટે તે ડિસ્ક્રિટ છે. વિજ્ઞાનીઓ કહે છે કે અંતરીક્ષ પણ કન્ટિન્યુઅસ નથી. તે પણ ડિસ્ક્રિટ છે. પ્રથમ ડિસ્ક્રિટનેસનું મુખ્ય ઉદાહરણ ૧, ૨,૩, સંખ્યા છે. પાણીમાં પથ્થર નાખતાં તેમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. તે જોઇને અવાજના તરંગો છે પ્રકાશના તરંગો તેવું જોઇ શકાય. અવાજના પડઘા પડે છે. એટલે કે તેનું પરાવર્તન થાય છે. તો પ્રકાશનું પણ પરાવર્તન થાય છે.

રેલવે ટ્રેન દૂરથી આપણી તરફ આવતી હોય અને તે વ્હીસલ વગાડે તો તે વ્હીસલનો અવાજ તીણો હોય છે, કારણ કે અવાજના તરંગો સાંકડા થતા જાય છે. એ જ ગાડી વ્હીસલ મારતી દૂર જાય તો તેનો અવાજ ઘોઘરો થતો જાય છે, કારણ કે અવાજના તરંગો વિસ્તૃત થતાં જાય છે. આ ક્રિયા ડોપ્લર નામના વિજ્ઞાનીએ અવાજના તરંગો માટે શોધી કાઢેલી છે. તેને અવાજના તરંગોમાં થતી ડોપ્લર ઈફેક્ટ કહે છે. તેની સામાન્યતા લઇને પ્રકાશના તરંગોમાં પણ ડોપ્લર ઇફેકટ થાય છે. અને પ્રકાશનો રંગ પટ લાલ રંગ તરફ ખસે છે. આમ સામાન્યતા (એનેલોજી) એ આપણને બ્રહ્માંડના ઘણાં રહસ્યો બતાવ્યાં છે. બ્રહ્માંડમાં ભૌતિક ક્રિયાઓ અલગ અલગ હોય છે. પણ તમાં પૂર્ણ સામાન્યતા દેખાય છે. બ્રહ્માંડમાં સામન્યતાએ આપણને ઘણું શીખડાવ્યું છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો સૂર્ય જેવા તારાને પણ ગ્રહમાળા હોય તેમ આ સામાન્યતાનો સિદ્ધાંત કહે છે. પૃથ્વી ઉપરના જીવનને જોઇને આપણને થાય કે બીજા ગ્રહ પર જીવન હોય તો કદાચ તે પણ પૃથ્વી પરના જીવન જેવું હોય. આ સામાન્યતા કહેવાય છે પણ આવું ન પણ હોય. ઘણી વાર એવું બને કે બે ક્રિયાઓ પ્રથમ પગલાંમાં સામાન્યતા દેખાડે પણ આગળ જતાં તે અલગ પડે. બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અષાકર્ષણનો નિયમ તેમની વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં છે. એ પદાર્થ વચ્ચેનો ગુરૂત્વાકર્ષણનો નિયમ પણ એ પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં હોય છે. પણ પછી આગળ જતાં તે થોડા અલગ પડે છે. વિદ્યુતભાર વચ્ચેનો નિયમ સિનિયર છે, જ્યારે ગુરુત્વાકર્ષણ નોન-સિનિયર છે.

કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો --- (1) જયવંત પંડ્યા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160291

19-04-2015




કાશ્મીરી પંડિત શબ્દ સાંભળતાં કેટલાક લોકો નાકનું ટીચકું ચડાવે છે, પરંતુ ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોની વાત આવે કે ૨૦૧૩ના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં રમખાણોની વાત આવે ત્યારે તેઓ છાપરા પર ચડીને માઇક પરથી બોલવા લાગે છે કે મુસ્લિમોને અન્યાય થયો છે. રમખાણો અંગે પણ આપણા સેક્યુલર એક્ટિવિસ્ટો અને મિડિયા બેવડું વલણ ધરાવે છે. મિડિયાનો એક વર્ગ દબાયેલા સૂરે ક્યારેક ક્યારેક હિન્દુ તરફી વાત કરી લે છે, પરંતુ આસપાસ પેલા ઠગ જેવા મિડિયા હોવાથી આ વર્ગને ડર લાગે છે કે ક્યાંક તેની છાપ હિન્દુતરફી ન થઈ જાય. 

ભલા માણસ, આ દેશના બંધારણમાં ૪૨મો સુધારો કરીને ૧૯૭૬માં ખાસ સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તે પછી તો તમારે હિન્દુ, મુસ્લિમ બંને નહીં, બધા પક્ષોની વાત સમાન ધોરણે રજૂ કરવી જોઈએ. એક સમય એવો હતો કે આરએસએસના સમાચાર છાપવાના હોય તો અંદરના પાને ફકરામાં છપાતા. ૧૯૯૧ બાદ અનેક રાજ્યોમાં ભાજપની સરકાર આવી અને ૧૯૯૮માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો તે પછી થોડું વલણ બદલાયું, પણ હજુ પેલાં બેવડાં કાટલાં બદલાયાં નહોતાં. હવે આરએસએસવાળા જે કહે તેનો વિવાદ કરીને ત્રણ કોલમમાં સમાચાર છાપવા લાગ્યા. 

ચાલો, આપણે આ બાબતમાં નથી પડવું. આપણે વાત કરતા હતા કાશ્મીરી પંડિતોની. ભારત દેશમાં કાશ્મીરી પંડિતો નામે ઓળખાતા હિન્દુઓ (ખરેખર તો કાશ્મીરી હિન્દુઓ અને શીખો તરીકે તેમને ઓળખવા જોઈએ)ની જે દશા છે તેવી જો મુસ્લિમોની હોત તો તેના પડઘા અનેક રાજ્યોમાં પડતા હોત. કેટલાંય રમખાણો અને તેના નામે ત્રાસવાદી સંગઠનો દ્વારા બોમ્બધડાકા થયા હોત. 

કાશ્મીરી પંડિતો પર અત્યારના કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ જ્યારે કેન્દ્રમાં ગૃહપ્રધાન હતા અને કેન્દ્રમાં ભાજપ સમર્થિત વી. પી. સિંહની સેક્યુલર સરકાર હતી ત્યારે કેવા અત્યાચારો થયા હતા તે વાંચો તો કંપારી છૂટશે. ખાવાનું નહીં ભાવે. અંદરથી હચમચી ઊઠશો, પરંતુ તે વાત કરતાં પહેલાં, કાશ્મીરી પંડિતો પર સદીઓથી કેવા અત્યાચારો થતા રહ્યા તેની વાત કરીએ. 

કાશ્મીરી પંડિત એટલે કાશ્મીરનો બ્રાહ્મણ સમાજ. પહેલા વડા પ્રધાન પંડિત નેહરુ, જાણીતા અભિનેતા અનુપમ ખેર જેવાં કેટલાંક નામો કાશ્મીરી પંડિત હતા અથવા છે. કાશ્મીર એકદમ ઉત્તરે આવેલો પ્રદેશ હોવાથી વિદેશી આક્રમણખોરોના આક્રમણનું પહેલું નિશાન તે રહેતો. આઠમી સદી પછીથી તુર્કો અને આરબોએ તેના પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. તુર્ક અથવા મોંગલ ઝુલજુ નામના આક્રમણખોરે ઈ. સ. ૧૩૨૦માં ભારે તબાહી મચાવી દીધી હતી. રાજા સહદેવ આક્રમણખોરોના હાથમાં જનતાને સોંપીને નાસી ગયો. ઝુલજુએ હિંસાનો આદેશ આપ્યો અને તેના સૈનિકોએ હજારો લોકોની કત્લેઆમ કરી, ગામોનાં ગામો બાળી નાખ્યાં, ઊભા પાકનો નાશ કર્યો. આઠ મહિના વિનાશ કર્યા પછી ઝુલજુ પચાસ હજાર બ્રાહ્મણોને પોતાની સાથે ગુલામ તરીકે લઈ ગયો. જોકે તે દેવદાર પાસ પાસે ભારે હિમવર્ષામાં માર્યો ગયો. તેણે જે વિનાશ કર્યો હતો તેનું વર્ણન કાશ્મીરી ઇતિહાસકાર અને સંસ્કૃત કવિ જોનરાજના પુસ્તક ‘દ્વિતીય રાજતરંગિણી’માં મળે છે. (કાશ્મીર એન્ડ ઇટ્સ પીપલ: સ્ટડીઝ ઇન ધ ઇવોલ્યુશન ઑફ કાશ્મીરી સોસાયટી, એમ. કે. કાવ)

એ પછી કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં જવા લાગ્યું. કઈ રીતે? આવો જાણીએ. ઝુલજુના આક્રમણ પછી અરાજકતાનો લાભ લઈ તેનો મંત્રી રામચંદ્ર રાજા બની ગયો હતો. બહરિસ્તાન-એ-શાહી અનુસાર, લદ્દાખના લા-ચેન-રગયાલ્બુ રિન્ચને તેના માણસોને વેપારીઓના રૂપમાં હથિયાર સાથે કિલ્લામાં ઘુસાડી દીધા. કિલ્લામાં રામચંદ્રએ પોતાની જાતને બંધ કરી દીધી હતી. રામચંદ્ર અને તેના માણસોની નૃશંસ હત્યાઓ કરવામાં આવી. રામચંદ્રના કુટુંબને કેદ કરી દેવામાં આવ્યું હતું. બાળકોને પણ બક્ષવામાં નહોતાં આવ્યાં. ગર્ભવતી મહિલાઓના ગર્ભને નિર્દયી રીતે કાપી નાખવામાં આવ્યા. રિન્ચને રામચંદ્રના દીકરા રાવનચંદ્રને મુક્ત કરી દીધો અને તેની દીકરી કોટા રાણીને પરણી ગયો.

હવે સહદેવ રાજાએ એક પર્શિયન સૂફી શાહ મીરને મંત્રી તરીકે નિયુક્ત કર્યો હતો. રિન્ચનને શાસન લીધા પછી થોડો અપરાધભાવ લાગતો હતો. લોકોને, તેમની સંસ્કૃતિને, ધર્મ અને પરંપરાને સમજવા તેણે પહેલાં શૈવ એટલે કે હિન્દુ થવાનું વિચાર્યું. આથી તેણે શૈવ હિન્દુઓના ગુરુ દેવસ્વામીનો સંપર્ક કર્યો. દેવસ્વામીએ રિન્ચનની હિન્દુ થવાની માગણી નકારી દીધી. જોકે વિદ્વાન પ્રા. એ. ક્યૂ. રફીકીના કહેવા પ્રમાણે, રિન્ચનની ખરેખર હિન્દુ થવાની દાનત હોત તો તેણે બીજા કોઈ બ્રાહ્મણનો સંપર્ક કર્યો હોત, કારણ કે બૌદ્ધમાંથી હિન્દુ થવું કે હિન્દુમાંથી બૌદ્ધ થવું એ ત્યારે નવી વાત નહોતી. આથી દેવસ્વામી પર આળ ચડાવી શકાય નહીં. (આમ છતાં, દેવસ્વામીએ હિન્દુ થવા માગતી વ્યક્તિને ના પાડી તે તેમનો વાંક તો ગણાય જ.) આથી પછી શાહ મીરના કહેવાથી રિન્ચને ઈસ્લામ અંગીકાર કર્યો. એક અન્ય કિંવદંતી એવી છે કે રિન્ચનને જાણવું હતું કે સત્ય શું છે, પરંતુ હિન્દુ કે મુસ્લિમ કોઈ વિદ્વાન તેને સંતોષકારક જવાબ ન આપી શક્યા. આથી પછી તેણે સવારમાં જે ધર્મની પહેલી વ્યક્તિ મળે તે ધર્મને અંગીકાર કરવાનું નક્કી કર્યું. અને સવારમાં તેને પહેલી વ્યક્તિ મળી તે સૂફી શરાફુદ-દિન-બુલબુલ મળ્યા. પ્રા. રફીકીના કહેવા પ્રમાણે, આ કિંવદંતી ઇસ્લામને ગૌરવાન્વિત કરવા ઘડી કઢાઈ હોવાનો સંભવ છે. બની શકે કે શાહ મીરે કાશ્મીરમાં મુસ્લિમ શાસન સ્થાપવા સૂફી બુલબુલ સાથે મળીને યોજના ઘડી હોય.

આમ, રિન્ચન કાશ્મીરનો પહેલો મુસ્લિમ શાસક બન્યો. જોકે તેનું ત્રણ વર્ષમાં જ મોત થયું અને કોટા રાણીએ સહદેવના ભાઈને એટલે કે પોતાના કાકા ઉદયનદેવને રાજા બનાવ્યા. આમ, હિન્દુ શાસન ફરી સ્થપાયું, પરંતુ તુર્ક અથવા મોંગલ આક્રમણખોર અચલાએ કાશ્મીર પર હુમલો કર્યો અને કાયર ઉદયનદેવ લદ્દાખ નાસી ગયો. જોકે કોટા રાણીએ ભારે હિંમત દાખવી અને બ્રાહ્મણ વિદ્વાન ભટ્ટ ભિક્ષણા તેમ જ શાહ મીર સાથે મળીને લડત આપી. આક્રમણખોર ભાગી ગયો, પરંતુ શાહ મીરની લોકપ્રિયતા વધી ગઈ. કોટા રાણી શાસક બની ગઈ હતી, પરંતુ તેને શાહ મીરની દાનત ખબર ન પડી. એક વાર તે બીમાર પડ્યો કે બીમારીનો ઢોંગ કર્યો ત્યારે ભટ્ટ ભિક્ષણાને તેની ખબર પૂછવા મોકલ્યા ત્યારે ભટ્ટની શાહ મીરે હત્યા કરી નાખી અને રાણીને ઊથલાવી તે શાસક બની ગયો. રિન્ચન અને શાહ મીરના સમયમાં શરૂ થયેલી ઈસ્લામીકરણની પ્રક્રિયા સૈયદ મીર એ. એચ. હમદાનીના સમયમાં વેગીલી બની. તેના સમયમાં હિન્દુઓ પર ભારે વીતી. હિંસાચાર, નરસંહાર માટેના હુમલા અને ગુલામી એ બધું જ થયું.

સિકંદર બુટ્શિકનને તો મૂર્તિભંજક તરીકે ઓળખવામાં આવે છે. તેના શાસનમાં હિન્દુઓ પર ત્રાસ ફેલાવવાને છૂટો દોર મળ્યો. તેના સમયમાં એવું હતું કે જો હિન્દુ મુસ્લિમ ન બને તો તેણે નગર છોડી દેવું પડે અથવા તેની હત્યા કરી દેવામાં આવે. પરિણામે, કેટલાક હિન્દુઓએ ઇસ્લામ સ્વીકાર્યો અને કેટલાક ભાગી ગયા. તો અનેક બ્રાહ્મણોએ મરી જવાનું પસંદ કર્યું. એમ કહેવાય છે કે સિકંદરે આ રીતે હિન્દુમાંથી ઈસ્લામ થયેલા કે મરેલાઓમાંથી ૨૪૦ કિલો જનોઈ ભેગી કરી હતી. હિન્દુઓનાં પવિત્ર પુસ્તકોને દાલ સરોવરમાં ફેંકી દેવામાં આવ્યાં. સિકંદરે હિન્દુઓ પર જઝિયા વેરો નાખ્યો. તેમને તિલક કરતા રોક્યા. નાચ-ગાન પર પ્રતિબંધ મૂકી દીધો. તેને હિન્દુ મંદિરો અને તેની મૂર્તિઓ તોડવામાંથી વિકૃત આનંદ મળતો.

એક મુસ્લિમ ઈતિહાસકાર હસને ‘તારીખ-એ-કાશ્મીર’માં નોંધ્યું છે કે રાજાઓના વખતમાં વિશ્ર્વની અજાયબી જેવાં મંદિરો હતાં. તેમનું કોતરણીકામ ખૂબ જ અદ્ભુત હતું. સિકંદરે તેમનો નાશ કરી નાખ્યો અને તેની સામગ્રી સાથે અનેક મસ્જિદો અને ખનકાહ બાંધ્યાં. રામદેવ કે લલિતાદિત્યએ બાંધેલું માર્તંડ મંદિર તેણે તોડવા એક વર્ષ પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. પછી તેણે પાયામાંથી પથ્થરો કાઢી લીધા અને તેને આગ લગાડી દીધી. તેમાં સોને મઢેલાં ચિત્રો નાશ પામ્યાં. તેના અવશેષો પણ આટલા અદ્ભુત છે તો મંદિર કેવું હશે! બિજબેહરામાં પ્રસિદ્ધ વિજયેશ્ર્વરના મંદિર સહિત ત્રણસો મંદિરોનો નાશ કરાયો. વિજયેશ્ર્વરની જગ્યાએ ખનકાહ બનાવાઈ અને તેને વિજયશ્ર્વર ખનકાહ નામથી ઓળખવામાં આવે છે. જોનરાજે લખ્યું છે, એકેય ગામ, એકેય નગર એવું નહોતું જ્યાં મંદિરો તોડાયાં ન હોય. ‘અ હિસ્ટ્રી ઑફ મુસ્લિમ રૂલ ઇન કાશ્મીર’ના લેખક આર. કે. પરમુ લખે છે, ભવન અને બિજબેહરામાં તેમણે (મુસ્લિમ શાસકે) બે મોટી મસ્જિદ બનાવી. તે મસ્જિદો નાશ કરાયેલાં મંદિરોની સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. શ્રીનગરમાં લોકેશ્ર્વરી મંદિરના વિશાળ પ્રાંગણને મઝાર-એ-સલતૈનમાં ફેરવી નાખવામાં આવ્યો. પ્રા. કે. એલ. ભાન લખે છે કે જાતિસંહાર (જીનોસાઇડ) કરવાના ઈરાદાથી કરાયેલા હુમલાઓના કારણે નિ:સહાય હિન્દુઓ પડોશી કશ્તવારમાં ભાગી ગયા. આ હિન્દુઓનું પહેલું સામૂહિક નિષ્ક્રમણ અથવા તો હિજરત હતી. 

ઈ. સ. ૧૪૧૩થી ૧૪૨૦ સુધી શાસન કરનાર સુલતાન એ. એચ. શાહના કાળમાં પણ ધર્માંતરણ અને હિંસાનો દોર બેલગામ ચાલુ રહ્યો. જોનરાજ તો હિન્દુઓ, ખાસ કરીને બ્રાહ્મણોની દશાને માછીમાર દ્વારા જાળમાં પકડાયેલી માછલી સાથે સરખાવે છે. હિન્દુઓનાં ધાર્મિક સમારંભો અને સરઘસો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેમના પર ભારે વેરો નખાયો હતો. તેમનાં પરંપરાગત ભથ્થાં બંધ કરી દેવાયાં હતાં, જેથી તેઓ ભિખારી બની જાય. અને થયું એવું જ. તેમને ઘરે ઘરે જઈ ભીખ માગવાનો વારો આવ્યો. કેટલાક તેમના પરિવારને ભૂખથી બચાવવા મુસ્લિમોના વેશમાં શેરીઓમાં ભટકતા. અત્યાચારોથી બચવા અને ધર્મ ટકાવી રાખવા અનેક લોકો ભાગવા ગયા, પરંતુ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો. આથી તેઓ બીજા સાઇડ રોડેથી નાસી ગયા. ક્યાંક પુત્ર પિતાને મૂકીને નાસી ગયો તો ક્યાંક પિતા પુત્રને મૂકીને. આવી મુશ્કેલીમાંથી પસાર થવાના કારણે કેટલાક સખત બીમારીના કારણે, તો કેટલાક ભૂખના કારણે મરી ગયા. જે રહી ગયા હતા તેમાંથી કેટલાકે આપઘાત કર્યા. અનેકને ક્રૂર રીતે મારી નખાયા તો અનેકને ઈસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવી. 

પોતાના સહધર્મીઓ દ્વારા અત્યાચારથી દુખી એવો ઝૈનુલ-અબિદિન જ્યારે સત્તા પર આવ્યો ત્યારે હિન્દુઓ પ્રત્યે પ્રમાણમાં ઉદાર મત અપનાવ્યો. જોકે, તેના દીકરા હૈદર શાહે એક કેશકર્તનકારની ચડામણીથી હિન્દુઓ પ્રત્યે અત્યાચાર આચર્યા. તેણે તેમના અવયવો, નાક, જીભ, વગેરે કપાવી નાખ્યાં અને શૂળી પર ચડાવી દીધા. મંદિરોને લૂટવાનું પણ ચાલુ રહ્યું. એટલું બધું દમન અને સામાજિક અન્યાય હતો કે અનેક હિન્દુઓ તેમનો પંથ છોડવા લાગ્યા. મુસ્લિમો જેવા પોશાક પહેરતા અને પોતે ભટ્ટ નથી તેવું જાહેર કરતા. આમાં, એક સુહા ભટ્ટ (ઘણા કાશ્મીરીઓમાં ભટ કે બટ અટક હોય છે તે મૂળ ભટ્ટમાંથી આવી હોઈ શકે) પણ હતો, જે મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતો, પરંતુ સિકંદરના શાસનકાળમાં તેણે ઈસ્લામ અંગીકાર કર્યો હતો અને સૈફ-ઉદ-દિન નામ ધારણ કર્યું હતું. તેણે વધુ કટ્ટર મુસ્લિમ દેખાવા પોતાના જ ભાઈઓ પર અત્યાચાર વર્તાવવામાં કોઈ કમી ન રાખી. 

અન્ય મુસ્લિમ શાસકોના પ્રમાણમાં ઉદારવાદી ઝૈનુલ-અબિદિને કાશ્મીરી બ્રાહ્મણોને પાછા બોલાવ્યા. ઇતિહાસકારોના મતે, તેને શાસન ચલાવવા બ્રાહ્મણોની જરૂરિયાત પણ હતી. તેણે મંદિરો પાછાં બાંધ્યાં. જોકે તેણે રાજભાષા તરીકે પર્શિયન જાહેર કરી. આથી જેમણે સરકારમાં નોકરી કરવી હોય તેમણે પર્શિયન શીખવી જરૂરી હતી. આથી હિન્દુઓમાં બે ભાગ પડી ગયા. આમ, ઝૈનુલે હિન્દુઓમાં ફૂટ પણ પડાવી. તે પછી શિયા અને ચાક શાસકોમાં હિન્દુઓ પર અત્યાચાર અને ધર્માંતરણનો આ ક્રમ ચાલુ રહ્યો. હા, અકબરે જઝિયાવેરો સંપૂર્ણ નાબૂદ કર્યો, પરંતુ મુસ્લિમ શાસકોના વખતમાં શરિયતના નિયમો લાગુ થયા હતા. તે મુજબ સજાઓ બહુ ક્રૂર હતી. ચોરી માટે હાથ અને પગ કાપી નાખવામાં આવતા, વ્યભિચાર માટે પથ્થર મારીને મારી નાખવામાં આવતા. મહિલાઓ માટે ‘તલાક’ એમ ત્રણ વાર બોલી દેવાથી છૂટાછેડા થઈ જતા. પુરુષ સાક્ષીની હાજરીમાં બળાત્કાર સાબિત કરવાનો ભાર પીડિતા પર હતો. ગુલામ રાખવાનું પણ ન્યાયી ગણાતું. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160873

27-04-2015

એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસપુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું. કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, સૌથી પહેલા ગોનંદ પ્રથમ તે કાશ્મીરના પ્રથમ રાજા હતા. મહાભારતમાં જે જરાસંઘનો ઉલ્લેખ છે તે જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધ વખતે ગોનંદ પ્રથમ જરાસંઘ તરફે લડ્યો હતો. શ્રીકૃષ્ણએ જરાસંઘનો અને બલરામે ગોનંદનો વધ કર્યો. 

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ કાશ્મીરનો જે ઇતિહાસ આપેલો છે તેમાં ઉપરોક્ત વાતોનો ઉલ્લેખ છે. ગોનંદના વધ બાદ તેના દીકરા દામોદરે શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું અને દામોદર પણ મરાયો. તે પછી શ્રીકૃષ્ણએ દામોદરની પત્ની યશોવતીને ગાદી પર બેસાડી. (વિશ્ર્વની પ્રથમ મહિલા શાસક?) યશોવતીએ ગોનંદ દ્વિતીયને જન્મ આપ્યો અને તે પછી ૩૫ ગોનંદ વંશજોએ કાશ્મીર પર શાસન કર્યું. તે પછી પાંડવોના ૨૩ વંશજોએ કાશ્મીર પર સત્તા ભોગવી. ભીમસેનના શાસન વખતે કાશ્મીરની સરહદ કનૌજ અને ગાંધાર (હાલનું કંદહાર, અફઘાનિસ્તાન) સુધી વિસ્તારી હતી. બાદમાં અશોક (મગધવાળો ચક્રવર્તી સમ્રાટ અશોક નહીં)એ શ્રીનગરી નામે નગર વસાવ્યું જે હાલનું શ્રીનગર છે. આમ, હિન્દુ શાસકોનું શાસન રિન્ચન સુધી રહ્યું. રિન્ચનથી અકબર સુધીનો ઇતિહાસ આપણે ગયા અઠવાડિયે જોઈ ગયા છીએ. 

આપણે એ જોઈ ગયા કે કાયર હિન્દુ શાસકોના લીધે કાશ્મીર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું અને પછી કઈ રીતે તેને પદ્ધતિસર મુસ્લિમ બહુમતીવાળું બનાવવા પ્રયાસ થયા. હવે પ્રશ્ર્ન એ થાય કે તો પછી કાશ્મીરમાં હિન્દુ રાજા કેવી રીતે પાછા આવ્યા? અત્યારે જે જમ્મુ-કાશ્મીર ભેગા છે તે ભેગા કેવી રીતે થયા? તેમાં લદ્દાખ કેવી રીતે ઉમેરાયું?

ઓસ્ટ્રિયન વિદ્વાન, સૈનિક અધિકારી, રાજદ્વારી, બોટનિસ્ટ અને શોધક ચાર્લ્સ વોન હ્યુજેલ કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા. તેમણે કાશ્મીર વિશે પુસ્તક લખ્યું છે જે મુજબ, મહારાજા રણજીતસિંહે પંજાબમાંથી અફઘાનોને ખદેડીને પાંચ નદીઓવાળા આ પ્રદેશને એક કરી દીધો હતો અને પછી ઉત્તર અને પશ્ર્ચિમ તરફ નજર દોડાવી હતી. મહારાજા રણજીતસિંહે ઈ.સ. ૧૮૧૨, ૧૮૧૪ અને ૧૮૧૫માં કાશ્મીરને અફઘાનો પાસેથી છીનવી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન ગયા. ચાર વર્ષ પછી અફઘાનોના અત્યાચારથી ત્રાસેલા એક કાશ્મીરી બ્રાહ્મણ (આજની ભાષામાં જેને કાશ્મીરી પંડિત કહે છે) બિરબલ ધાર ભાગીને લાહોર આવ્યો અને તેણે મહારાજા રણજીતસિંહને કાશ્મીરને અફઘાનોના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી. ઈ.સ. ૧૮૧૯માં બિરબલ ધાર અને જમ્મુના રાજા ગુલાબસિંહના માર્ગદર્શન હેઠળ મિસર દીવાનચંદના નેતૃત્વમાં શીખ દળોએ કાશ્મીર ઘાટી પર જોરદાર હુમલો કર્યો. અઝીમ ખાનના નેતૃત્વમાં અફઘાન દળોનો ઘોર પરાજય થયો. આમ કાશ્મીર શીખ શાસન હેઠળ આવ્યું. આ વિજય મહત્ત્વનો ગણાય છે, કારણ કે શીખ રાજ્યમાં મુલતાન પછી સૌથી ધનિક કોઈ પ્રાંત હોય તો તે કાશ્મીર હતું. (અને આજે જુઓ કાશ્મીરની કેવી દશા કરી છે આ અબ્દુલ્લા પરિવારે?) મહારાજા રણજીતસિંહના શાસનમાં હિન્દુઓ પર મુસ્લિમોના દમનચક્રનો અંત આવ્યો. મુસ્લિમ જાગીરદારો ભાગી ગયા. હિન્દુ સ્ત્રીઓ પણ સન્માનપૂર્વક હરીફરી શકતી હતી. મંદિરોમાં આરતી અને ઘંટારવ નિર્ભયપણે થવા લાગ્યાં. 

હવે જે ઉપરોક્ત ગુલાબસિંહની વાત કરી તે ડોગરા વંશના હતા. મહારાજા રણજીતસિંહે તેમની નિમણૂક કાશ્મીરના ગવર્નર તરીકે કરી અથવા કહો કે પોતાના તાબા હેઠળના રાજા. આ ગુલાબસિંહનું વ્યક્તિત્વ શંકાસ્પદ અથવા કહો કે બેવડાં કાટલાંવાળું રહ્યું છે. હિન્દીમાં જેને દોગલા કહે તેવું. બંને બાજુ ઢોલકી વગાડે તેવું. તેના પિતા જમ્મુના રાજાના ભાઈ હતા. મહારાજા રણજીતસિંહે જ્યારે જમ્મુ પર હુમલો કર્યો ત્યારે ગુલાબસિંહ તેમની સામે લડ્યા હતા. જોકે રણજીતસિંહે જમ્મુ જીતી લીધું હતું, પરંતુ મહારાજા રણજીતસિંહના સેનાપતિ ભાઈ હુકમાસિંહ ગુલાબસિંહની વીરતાથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે રણજીતસિંહને વાત કરી. આથી ઈ.સ.૧૮૦૯માં રણજીતસિંહે ગુલાબસિંહને પોતાના સૈન્યમાં જોડાવા વિનંતી કરી. (આજના સમયમાં જેમ જગદમ્બિકા પાલ જેવા લોકો કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવું થયું આ.) ગુલાબસિંહની સેવાથી ખુશ થઈને મહારાજા રણજીતસિંહે તેમને જમ્મુના રાજા બનાવી નાખ્યા. (આજના સમયમાં જેમ પક્ષપલટુઓને મંત્રી બનાવી નખાય છે તેમ). અને તે પછી કાશ્મીરના રાજા. 

પરંતુ એક વાત સ્વીકારવી પડે કે આ ગુલાબસિંહે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એકત્ર કરવામાં મોટી ભૂમિકા ભજવી. ઈ.સ. ૧૮૨૧માં તેમણે રાજૌરીને અઘાર ખાન પાસેથી જીતી લીધું. કિશ્તવારને રાજા તેગ મુહમ્મદ સિંહ પાસેથી જીત્યું. ઈ.સ. ૧૮૨૭માં ગુલાબસિંહે શીખ સેનાપતિ હરિસિંહ નલવા સાથે મળીને સઈદ અહેમદના નેતૃત્વમાં અફઘાન બળવાખોરોને હરાવી દીધા. ઈ.સ. ૧૮૩૭માં અફઘાનોએ શીખોના કબજા હેઠળના જામરુદ કિલ્લા (અત્યારે પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ) પર હુમલો કર્યો. મહારાજા રણજીતસિંહે ગુલાબસિંહને વળતી લડત આપવા મોકલ્યા હતા. ગુલાબસિંહે અફઘાન બળવાખોરોનો પરાજય અસલ તેમની જ સ્ટાઇલમાં કર્યો. તેમણે (અત્યારે પાકિસ્તાનના ભાગ એવા) નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સને લૂંટ્યું. તમામ ઘરોને આગ લગાડી દીધી. કઠુઆમાં ધામા નાખ્યા અને ફરી આવો બળવો ન થાય એ માટે મુસ્લિમ પશ્તુન આદિવાસીઓની શોધ આદરી. તેમણે દરેક યુસૂફઝાઈના માથા માટે એક રૂપિયો ઈનામ રાખ્યું. (એ વખતે એક રૂપિયો એટલે આજના હજારો રૂપિયા જેવી રકમ ગણાતી) જોકે તેમણે સ્ત્રીઓને મુક્ત કરી. કેટલીકને પત્ની બનાવી. આમ, હજારો પશ્તુનો આ લડાઈમાં માર્યા ગયા. ૧૮૩૫માં કિશ્તવારના રાજા (જે હતા રણજીતસિંહની હેઠળ) જોરાવરસિંહે સુરુ ખીણ અને કારગિલ જીતી લીધું. ૧૮૩૬માં લદ્દાખ જીત્યું અને ૧૮૪૦માં બાલ્ટિસ્તાન જીત્યું. જોકે ૧૮૩૯માં મહારાજા રણજીતસિંહના તેમના વંશજોમાં શાસન માટે સ્પર્ધા થવા લાગી હતી. ૧૮૪૧માં ૫,૦૦૦ જેટલા વીર ડોગરા સૈનિકોએ પૂર્વ તરફ કૂચ આદરી. તેમણે તિબેટિયનોને હરાવ્યા. પવિત્ર માનસરોવર નજીક તકલાકોટ પાસે થાણું ઊભું કર્યું. જોકે ભયંકર ઠંડીના કારણે તેઓ એક પછી એક મરવા લાગ્યા. છેવટે, ડિસેમ્બર, ૧૮૪૧માં તિબેટિયનોએ પાછો વિજય પ્રાપ્ત કરી લીધો. આમ, ગુલાબસિંહે નાનાં નાનાં રજવાડાં જીતીને તેને જમ્મુ-કાશ્મીર-લદ્દાખનું મોટું રાજ્ય બનાવી દીધું. ઈતિહાસકાર કે. એમ. પાણિકરે પણ જોરાવરસિંહની સૈન્ય સૂઝબુઝ અને યુદ્ધ લડવાની રણનીતિઓના વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે એ જોવું અદ્ભુત છે કે તેઓ પોતાના સૈનિકોને લદ્દાખ અને બાલ્ટિસ્તાન પર ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ લઈ ગયા જ્યાં ચોતરફ બરફ જ બરફ છે. 

આ દરમિયાન, મહારાજા રણજીતસિંહના જે વંશજો શાસનમાં આવ્યા હતા તેમની કાનભંભેરણી પણ થઈ હતી કે ગુલાબસિંહ તેમના માટે જોખમરૂપ અને પડકારરૂપ છે. આથી ૧૮૪૪માં લાહોરના દરબારમાં ગુલાબસિંહ પાસે એ વખતે રૂ. ૨૭ લાખ માગવામાં આવ્યા! બ્રિટિશ અને શીખો વચ્ચે જે યુદ્ધ થયું તે પછી બ્રિટિશરોને લાગ્યું કે આટલા મોટા પ્રદેશ પર તે રાજ નહીં કરી શકે અથવા બીજા કોઈ કારણસર, પણ તેણે કાશ્મીર પ્રદેશ ગુલાબસિંહને રૂ. ૭૫ લાખની રકમ માટે, એમ કહો કે, વેચી દીધો! આ સંધિને ‘અમૃતસર સંધિ’ કહેવાય છે. આના પરિણામે ગુલાબસિંહે ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશરોની મદદ કરી હતી. તેમણે કાશ્મીરી દળોને બ્રિટિશ વતી લડવા મોકલ્યા અને બ્રિટિશ મહિલા તથા બાળકોને કાશ્મીરમાં આશ્રય આપ્યો. આવા બહાદૂર ગુલાબસિંહનું નિધન ૩૦ જૂન, ૧૮૫૭ના રોજ થયું અને તેમના પછી મહારાજા રણબીરસિંહ શાસનમાં આવ્યા. 

રણબીરસિંહને આદર્શ હિન્દુ શાસક તરીકે જોવામાં આવે છે. તેમના સમયમાં ગિલગીટ, અસ્તોર, હુન્ઝા-નગર જેવા પ્રદેશો જિતાયા હતા. કાશ્મીર પર અનેક પુસ્તકો લખનાર નરેન્દ્ર સેહગલે વ્યથિત ‘જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં લખ્યું છે કે મહારાજા રણબીરસિંહ હિન્દુત્વ અને સંસ્કૃતમાં રુચિ રાખનારા હતા. સંસ્કૃતના શિક્ષણ માટે તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનેક કેન્દ્રો ખોલ્યાં. પુસ્તકાલયો બંધાવ્યાં. હિન્દુ જીવનમૂલ્યો જે મુસ્લિમ શાસકોના સમયમાં સાવ મૃતપ્રાય થઈ ગયા હતા તેનું ફરી સ્થાપન કરાવવા પ્રયાસ કર્યા. તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આમ, હિન્દુત્વની લહેર જોઈ રિન્ચનથી માંડીને અનેક મુસ્લિમ શાસકોના સમયમાં જેમણે ભય કે લાલચથી ધર્મપરિવર્તન કર્યું હતું તેમને પુન: હિન્દુ ધર્મ અપનાવવાની (આજની ભાષામાં કહીએ તો ‘ઘરવાપસી’ની) તીવ્ર ઈચ્છા થઈ. રાજૌરીના કેટલાક રાજપૂત મુસ્લિમો તેમજ કાશ્મીરના કેટલાક મુસ્લિમોએ મહારાજા રણબીરસિંહના દરબારમાં પ્રાર્થના કરી કે તેમને ફરી હિન્દુ ધર્મમાં સમાવવામાં આવે. 

ક્યારેક એવું લાગે છે કે કાશ્મીરી પંડિતો તેમની જ કરણીનું ફળ ભોગવે છે, કેમ કે આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે રિન્ચનને હિન્દુ ધર્મ અપનાવવો હતો, પરંતુ દેવસ્વામીએ તેની ના પાડી દીધી હતી. તો મહારાજા રણબીરસિંહના સમયમાં પણ હિન્દુત્વની લહેર જોઈ અનેક લોકો ફરી હિન્દુ ધર્મ અપનાવવા તૈયાર થયા, તેથી રણબીરસિંહે કાશ્મીરી પંડિતોને આ માટે પૂછ્યું તો આ અહંકારી અને આડંબરી પંડિતોએ સ્પષ્ટ ના પાડી દીધી. આમ, સંકુચિત મનોવૃત્તિના કારણે અનેક મુસ્લિમો જે મૂળ હિન્દુ જ હતા, તેઓ ફરી હિન્દુ ન બની શક્યા! મહારાજા રણબીરસિંહ ધારત તો આ મુસ્લિમોને હિન્દુ જાહેર કરી શકત, પરંતુ હિન્દુ શાસનમાં ધર્મ હંમેશાં સર્વોપરી રહ્યો છે. તેમની ઉપર જઈને કંઈ કરાતું નહોતું. મહારાજા રણબીરસિંહ પછી રાજા પ્રતાપસિંહ શાસનમાં આવ્યા, પરંતુ તેમની સામે નાના ભાઈ અમરસિંહે વિરોધ કર્યો. જોકે બ્રિટિશ સરકાર રાજા પ્રતાપસિંહની તરફેણમાં રહી. 

રાજા પ્રતાપસિંહ પછી રાજા હરિસિંહનું શાસન આવ્યું. સામાન્ય રીતે મનાય છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેમણે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરી હતી. આવું કેમ થયું? અન્ય રાજાઓ જેવા તેઓ કેમ નહોતા? તેઓ કેમ કાશ્મીરને સ્વતંત્ર રાખવાની તરફેણ કરતા હતા? હરિસિંહ ખરેખર તો દેશભક્ત હતા. તેઓ દેશને સ્વતંત્ર કરવાની તરફેણમાં હતા, પરંતુ તેમના શાસન દરમિયાન તેમને શંકા હતી કે શેખ અબ્દુલ્લાની આગેવાની હેઠળ કાશ્મીરને આઝાદ કરવાની જે મુસ્લિમોની ચળવળ ચાલતી હતી તેને કૉંગ્રેસના લોકો ટેકો આપે છે. વળી, તેઓ દ્વિરાષ્ટ્રની ઝીણાની થિયરી સાથે પણ સંમત નહોતા. હરિસિંહે પુણેમાં વસવાટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને લખેલા પત્રમાં આ વાત સ્પષ્ટ ઝળકે છે. 

જોકે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે તેમણે ભારત સાથે સંધિ કરી લીધી. આમ, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો તો બન્યું, પણ તેને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ ૩૭૦ દ્વારા મળ્યો. 

આઝાદી પછી ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કોઈ દેશ તરફ ઝુકાવ દેખીતો નહોતો રાખ્યો, પરંતુ અંદરખાને તેમનો ઝુકાવ સામ્યવાદના પ્રભાવ હેઠળ રશિયા તરફ હતો. તેમણે ‘નામ’ ચળવળ શરૂ કરી હતી જે આજે મૃતપ્રાય દશામાં છે અને તેને કોઈ સંભારતું પણ નથી. આ સારી વાત પણ હતી કેમ કે અમેરિકા કે રશિયા તરફ ઝૂકવા કરતાં તટસ્થ રહેવું સારું એવો નહેરુનો વિચાર હતો જે યોગ્ય પણ હતો. પરંતુ કાશ્મીર પ્રશ્ર્ને ૧૯૪૮માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો, આજનું યુએન)માં જઈને મોટી ભૂલ કરી લીધી અને આ પ્રશ્ર્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ર્ન બનાવી નાખ્યો. મહારાજા ગુલાબસિંહે જે પ્રદેશો જીત્યા હતા તે ગિલગીટ, બાલ્ટિસ્તાન અને કાશ્મીરનો એ હિસ્સો, જેને આજે પાકિસ્તાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે તે ૧૯૪૭માં પાકિસ્તાનના આક્રમણ બાદ આ યુનોમાં જવાના કારણે પાકિસ્તાન પાસે રહી ગયા અને કાયમનું શિરદર્દ ઊભું થઈ ગયું. જમ્મુ-કાશ્મીર જાણે અલગ દેશ હોય તેવું થઈ ગયું. તેનું બંધારણ અલગ. ભારતે માત્ર તેની રખેવાળી કરવાની.

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યું તે પછી મહેરચંદ મહાજન તેના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા, પરંતુ નહેરુ અને સરદાર પટેલે કોઈ અગમ્ય કારણસર શેખ અબ્દુલ્લાને સત્તા આપવા મહાજનને કહી દીધું. શેખ અબ્દુલ્લા , તેમના દીકરા ફારુક અબ્દુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું.
    
 03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161396


કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!


સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા


(ગયા અંકથી ચાલુ)

શેખ અબ્દુલ્લાનું પાત્ર પણ કાશ્મીરના ભાગ્યલલાટ પર લખાયેલું હતું. મહારાજા હરિસિંહ તો ભારતની સ્વતંત્રતાના પક્ષમાં હતા, પણ શેખ અબ્દુલ્લા નામનો આ માણસ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં કાશ્મીરમાં સ્વતંત્રતાની લડત ચલાવતો હતો અને પં. જવાહરલાલ નહેરુ જે શેખ અબ્દુલ્લાને પોતાના ભાઈ’ કહેતા તે શેખ અબ્દુલ્લાને ટેકો આપતા હતા. ગાંધીજી અને નહેરુ કહે તેમ કોંગ્રેસ ચાલતી હતી. તેથી હરિસિંહે જમ્મુ-કાશ્મીર ભારતમાં વિલીન કરવામાં વાર લગાડી હોવાનું એક કારણ માનવામાં આવે છે.

હરિસિંહે શેખ અબ્દુલ્લાને તેમની વિદ્રોહી પ્રવૃત્તિ માટે જેલમાં પૂરી દીધા હતા. જૂન, ૧૯૪૬માં શેખ અબ્દુલ્લાને મુક્ત કરાવવા માટે નહેરુએ કાશ્મીર જવાનું નક્કી કર્યું. હવે એક તરફ કાશ્મીરને ભારતમાં લાવવા માટે વિચારણા ચાલતી હોય એ વખતે તેના મહારાજા હરિસિંહની વિરુદ્ધ જવું કેટલું વાજબી ગણાય? પરંતુ નહેરુ જેમનું નામ. ફ્રેન્ચ લેખક અને ઇતિહાસકાર ક્લાઉડે અર્પીએ લખ્યું છે: નહેરુ માટે કાશ્મીર આખા દેશ કરતાં અગત્યનું હતું. તેમના પર જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો, પરંતુ તેઓ તેમ છતાં ત્યાં જવા માગતા હતા.

આપણે અગાઉ જોઈ ગયા છીએ કે જમ્મુ-કાશ્મીર રાજ્યને આટલું વિશાળ બનાવવાનું શ્રેય મહારાજા ગુલાબસિંહને અને પછી તેમના પુત્ર રણબીરસિંહને જાય છે. આ મામલો જૂનાગઢ કે હૈદરાબાદ જેવો નહોતો, તે નહેરુને સમજાયું નહીં. સરદાર પટેલ અને અન્ય સાથીઓએ નહેરુને કાશ્મીર ન જવા માટે સમજાવવા પ્રયાસ કર્યો કે બીજા તેના કરતાં પણ અગત્યના મામલા અહીં પડ્યા છે. તમે અહીં જ રહો.

કોંગ્રેસના નેતા દ્વારકાપ્રસાદ (ડી. પી.) મિશ્રાને પત્રમાં સરદાર પટેલે લખ્યું: તેમણે (નહેરુએ) તાજેતરમાં ઘણું બધું એવું કર્યું છે જેણે આપણને ભારે શરમમાં મૂક્યા છે. કાશ્મીરમાં તેમનાં પગલાં...લાગણીસભર પાગલપણાનાં છે. તે ઠીક કરવા આપણે ભારે પરિશ્રમ કરવો પડે છે...જોકે સ્વતંત્રતા માટે તેમના ઉત્સાહ અને જનૂન અભૂતપૂર્વ છે.

હરિસિંહ અને નહેરુ વચ્ચે જે અંટસ શેખ અબ્દુલ્લાને કારણે પડી ગઈ હતી એ અંટસ બાદમાં એટલી હદ સુધી આગળ વધી કે હરિસિંહને જમ્મુ-કાશ્મીરમાંથી નીકળવું પડ્યું હતું. જ્યારે આવો જ પ્રશ્ર્ન હૈદરાબાદનો હતો તો પણ હૈદરાબાદના નિઝામને ભારત સરકાર વર્ષે રૂ. એક કરોડ (આજે પણ એક કરોડની રકમ નાની નથી, તો એ વખતે તો કેટલી મોટી હશે?)નું સાલિયાણું અપાતું હતું! અહીં એ પણ નોંધવું જોઈએ કે શેખ અબ્દુલ્લા રઘુ રામ કૌલ નામના કાશ્મીરી પંડિતના વંશજ હતા. કૌલે ઈ.સ. ૧૭૨૨માં ઈસ્લામ અંગીકાર કરી લીધો હતો. આમ, એક રીતે જોઈએ તો ઈસ્લામ કે ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિના કારણે આપણને ઘણું નુકસાન ગયું છે. કાશ્મીર આપણા હાથમાંથી ચાલ્યું ગયું હોય તેમ વર્ષોથી આપણને લાગ્યા કરે છે. તેનું બીજું કારણ નહેરુની ભૂલભરેલી નીતિ પણ હતી. સપ્ટેમ્બર, ૧૯૪૭માં મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા તૈયાર હતા, પરંતુ નહેરુએ તેને નકારી દીધું, કારણ કે નહેરુ ઈચ્છતા હતા કે કાશ્મીરને ભારતમાં ભેળવવાનો યશ મહારાજા લઈ જાય તે ન ચાલે. તેનો યશ તેમને મળવો જોઈએ. કોઈ અગમ્ય કારણસર તેઓ શેખ અબ્દુલ્લાની તરફેણ કર્યા રાખતા હતા અને ઈચ્છતા હતા કે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. મહારાજા આ વાત સાથે સંમત નહોતા.

ઑક્ટોબર, ૧૯૪૭માં આદિવાસીઓને આગળ કરીને પાકિસ્તાને આક્રમણ કરી દીધું અને લૂંટફાટ, હત્યા અને બળાત્કારોનો ક્રૂર સિલસિલો ચાલ્યો. ૨૬ ઑક્ટોબરે તેઓ શ્રીનગરના સીમાડે પહોંચી ગયા. હરિસિંહ જમ્મુ-કાશ્મીરના રાજ્યને ભારતમાં ભેળવવા ફરી તૈયાર થઈ ગયા.

હવે આપણે ભૂલ એ પણ કરી હતી કે સ્વતંત્ર થયા પછી ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને (આપણે તેમને લોર્ડ કહેવાનું બંધ કરવું જોઈએ) રાખ્યા હતા. જ્યારે પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાએ આવું કંઈ કર્યું નહોતું. તેમણે બધું પોતાના હાથમાં જ રાખ્યું હતું.

પ્રેમશંકર ઝા નામના લેખકે કાશ્મીર ૧૯૪૭: રાઇવલ વર્ઝન્સ ઑફ હિસ્ટરી’ નામના પુસ્તકમાં કાશ્મીરના ઉકળતા પ્રશ્ર્ન અંગે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ઇન્ટરવ્યૂ ટાંક્યો છે. માણેકશાએ કહ્યું કે પાકિસ્તાને આદિવાસીઓને આગળ ધરીને આક્રમણ કરી દીધું હતું. તેઓ લૂંટફાટ અને બળાત્કારો કરતા હતા. તેમણે મારી જ રેન્કના કર્નલ ડાઇક્સની હત્યા કરી દીધી હતી. મહારાજાની સેનામાં ૫૦ ટકા મુસ્લિમો હતા અને ૫૦ ટકા ડોગરા હતા. આ ૫૦ ટકા મુસ્લિમો એ વખતે પાકિસ્તાન તરફે ભળી ગયા હતા. ભારતની સેના એરપોર્ટ પર તૈયાર હતી, માત્ર આદેશની જ વાર હતી.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે પાકિસ્તાનના આક્રમણે માત્ર હિન્દુઓને જ લક્ષ્ય બનાવ્યા નહોતા. સ્પેનની એક નન સિસ્ટર એમ. ટેરેસલિના જોઆક્વિના પણ બારામુલ્લામાં મારી ગઈ હતી.

આપણે ઘણી વાર કાશ્મીર પ્રશ્ર્નમાં મહારાજા હરિસિંહનો વાંક જોઈએ છીએ, પણ સામ માણેકશાએ પ્રેમશંકર ઝાને કહ્યું હતું તે જો વાંચીએ તો હરિસિંહ પર માન થાય. તેમણે પાકિસ્તાન સામે પોતે લડવાની તૈયારી બતાવી હતી. સામ માણેકશાની વાત આગળ વાંચો: મહારાજા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડાદોડી કરતા હતા...મેં મારી જિંદગીમાં આટલાં બધાં ઘરેણાં ક્યારેય જોયાં નહોતાં. મહારાજાએ કહ્યું: સારું...જો ભારત મને મદદ નહીં કરે તો હું જઈશ અને મારી સેના સાથે લડીશ. મેં કહ્યું: તેનાથી તમારી સેનાનું મનોબળ વધશે, સર. છેવટે મહારાજા હરિસિંહે વિલિનીકરણના કાગળો પર સહી કરી દીધી. આ કાગળો સાથે (આઈએએસ અધિકારી) વી. પી. મેનન અને હું દિલ્હી પાછા ફર્યા.

દિલ્હી પર આવતાવેંત સંદેશો મળ્યો કે દાઢી કરી નાખો, રાત્રે ૯ વાગે કેબિનેટ બેઠક છે. માઉન્ટબેટનની અધ્યક્ષતામાં બેઠક મળી રહી હતી. બેઠકમાં નહેરુ, ગૃહ પ્રધાન સરદાર પટેલ, સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ સહિત મંત્રીઓ હાજર હતા. માઉન્ટબેટને માણેકશા પાસે જમ્મુ-કાશ્મીરની સૈન્ય સ્થિતિ શું છે તેનો અહેવાલ પૂછ્યો, માણેકશાએ રિપોર્ટિંગ કર્યું અને કહ્યું કે જો સેના મોકલવામાં નહીં આવે તો આપણે શ્રીનગર ગુમાવી દઈશું.

હવે નહેરુની લુચ્ચાઈ કહો તો લુચ્ચાઈ, મૂર્ખતા કહો તો મૂર્ખતા કે પછી જે શબ્દોમાં તમારે આ કૃત્યને ફિટ બેસાડવું હોય તેમાં બેસાડી શકો, પણ તેઓ આવી ઇમર્જન્સી બેઠકમાં અને આવી સ્થિતિમાં પણ સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન વગેરે વિશે વાતો કરતા રહ્યા! છેવટે સરદાર પટેલે તેમનો પિત્તો ગુમાવ્યો. તેમણે કહ્યું, જવાહરલાલ, તમારે કાશ્મીર જોઈએ છે કે પછી તમે તેને જવા દેવા માગો છો? નહેરુએ કહ્યું: હા. મારે કાશ્મીર જોઈએ છે. તે પછી સરદાર પટેલે કહ્યું: તમારો આદેશ આપો. નહેરુ હજી કંઈ બોલે તે પહેલાં તો સરદારે સામ માણેકશા તરફ ફરીને કહી દીધું: તમને તમારા આદેશ મળી ગયા છે.

આ બનાવ બતાવે છે કે નહેરુ કટોકટીની સ્થિતિમાં કેટલા બોદા હતા. જો તેમને કાશ્મીર એટલું જ વહાલું હોત તો આ વખતે તેમણે આદેશ આપવામાં સહેજેય વાર ન લગાડી હોત કેમ કે સામ માણેકશા જ્યારે શ્રીનગરથી દિલ્હી આવવા રવાના થયા ત્યારે તેમને છોડવા માટે આવનાર અમુક લોકોમાં શેખ અબ્દુલ્લા પણ હતા. એટલે કે શેખ અબ્દુલ્લાને છોડાવવાનો પ્રશ્ર્ન રહ્યો નહોતો. નહેરુ શું એ નહોતા જાણતા કે લગ્ન હોય ત્યારે મરશિયાં ન ગવાય? કાશ્મીરનો સળગતો પ્રશ્ર્ન હોય, પાકિસ્તાને આક્રમણ કરી દીધું હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્રો, રશિયા, આફ્રિકા, ભગવાન...આ બધી બાબતોને તડકે મૂકવાની હોય.

કાશ્મીરનો પ્રશ્ર્ન સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ગેરમાર્ગે દોરતી અને બ્રિટન- અમેરિકાનાં હિતોને પોષતી સલાહ માઉન્ટબેટને જ નહેરુને આપી હતી. જે રીતે નહેરુ લાગણીથી શેખ અબ્દુલ્લા સાથે જોડાયેલા હતા તે જ રીતે તેઓ માઉન્ટબેટન સાથે પણ જોડાયેલા હતા. (ચર્ચાતી વાત મુજબ, તેમની પત્ની સાથે) ડિસેમ્બર, ૧૯૪૭માં માઉન્ટબેટને નહેરુને સંયુક્ત રાષ્ટ્રો માટે સમજાવી લીધા. એ વખતે સરદાર પટેલને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યા હતા. બધાં રજવાડાં તેમણે એક કરી દીધા હતા પણ કાશ્મીર પ્રશ્ર્ને તેમની અવગણના કરાઈ રહી હતી. તે જોઈને તેઓ રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ કોઈએ (મોટા ભાગે ગાંધીજીએ) તેમને રાજીનામું ન આપવા મનાવી લીધા. સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના હિતની અવગણના કરાઈ રહી હતી અને કાશ્મીરમાં લોકમત માટેનો પ્રસ્તાવ કરી દેવાયો.

હવે ફરી ભૂતકાળ તરફ જઈએ અને શેખ અબ્દુલ્લાને જાણવાનો પ્રયાસ કરીએ.

અગાઉ કહ્યું તેમ, મહારાજા હરિસિંહના શાસનકાળ સામે શેખ અબ્દુલ્લાએ વિદ્રોહ કર્યો હતો અને ૧૯૩૨માં કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સ નામનો પક્ષ રચી દીધો હતો. આમ, શેખ અબ્દુલ્લાનું ધ્યેય માત્ર કાશ્મીરના મુસ્લિમો માટે જ સ્વતંત્રતાનું હતું અને તેમની સ્પષ્ટ ઈચ્છા કાશ્મીરમાં સત્તા મેળવવાની હતી. પક્ષના આ નામમાંથી સાંપ્રદાયિકતાની દુર્ગંધ આવતી હોવાથી તે નહીં ચાલે તેમ નહેરુને લાગતા તેમના કહેવાથી શેખ અબ્દલ્લાએ પક્ષનું નામ ૧૯૩૮માં બદલીને નેશનલ કોન્ફરન્સ કરી નાખ્યું હતું અને કેટલાક હિન્દુઓને પણ પક્ષમાં જોડ્યા હતા. શેખ અબ્દુલ્લા ૧૯૩૭માં નહેરુને પહેલી વાર મળ્યા હતા.

ભારતમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ગોવા જેવાં અનેક રાજ્યો પાછળથી ભળ્યાં. સિક્કિમમાં

પણ અમુક અંશે કાશ્મીર જેવી જ પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં તેને યેનકેન પ્રકારેણ પહેલાં સંલગ્ન રાજ્ય’ તરીકે અને બાદમાં પૂર્ણ રાજ્ય તરીકે જોડવામાં આવ્યું. પરંતુ કાશ્મીર માટે અલગ જોગવાઈ કરતી કલમ ૩૭૦ આજ સુધી ચાલુ છે. એના મૂળમાં શેખ અબ્દુલ્લા હતા.

૨૭ ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ શેખ અબ્દુલ્લાએ જે ભાષણ આપ્યું તેમાં કાશ્મીરને ભારત કે પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવાની ગંધ આવતી હતી. તેમણે કહ્યું હતું: આપણે રાખમાંથી કાશ્મીરનો તાજ મેળવ્યો છે. આપણે ભારત સાથે રહીએ કે પાકિસ્તાન સાથે, તે અલગ વાત છે, આપણો મુખ્ય હેતુ સ્વતંત્રતા મેળવવાનો છે. આમ, શેખ અબ્દુલ્લાના શબ્દોમાં, તેમણે રાખમાંથી કાશ્મીરનો તાજ ઉઠાવ્યો અને કાશ્મીરને રાખમાં મેળવવા પ્રયાસ કરે રાખ્યા. જમ્મુ-કાશ્મીર’ પુસ્તકમાં નરેન્દ્ર સેહગલે લખ્યા મુજબ, જ્યારે ભારતીય સેના શ્રીનગર પાછું મેળવ્યા પછી, મીરપુર, કોટલી અને ભીમ્બાર તરફ આગે કૂચ કરતી હતી ત્યારે શેખ અબ્દુલ્લાએ તેને અટકાવી પરિણામ એ આવ્યું કે સેંકડો હિન્દુઓની ક્રૂર હત્યા થઈ. ભારતીય દળોના ચીફ કમાન્ડર જનરલ પરાંજપેએ આ બાબતે નહેરુનું ધ્યાન દોર્યું તો નહેરુએ જવાબ આપ્યો: શેખસાહેબ કહે તેમ કરો!

જ્યારે ભારતીય દળો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને છોડાવવા આગળ વધી રહ્યા હતા અને વિજયમાં કેટલાક કલાકોની જ વાર હતી ત્યારે નહેરુએ શેખ અબ્દુલ્લાના કહેવાથી એકતરફી રીતે યુદ્ધવિરામ ઘોષિત કરી દીધો! પરિણામે કાશ્મીરનો અમુક પ્રદેશ પાકિસ્તાનના કબજામાં જ રહી ગયો. જાણીતા લેખક ડો. ગૌરીનાથ રસ્તોગીએ લખ્યું છે કે શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીર-લદ્દાખની સુરક્ષાની ચિંતા નહોતી, તેમને તો માત્ર કાશ્મીરની જ પડી હતી.

એ વખતે શેખ અબ્દુલ્લાના હાડોહાડ મુસ્લિમ તરફી માનસથી ધૂંધવાયેલા મહારાજા હરિસિંહે ભારતના ગૃહ પ્રધાન સરદાર પટેલને પત્ર લખ્યો હતો: ભારતીય સેના હજુ પણ અમુક પ્રદેશો પાકિસ્તાનના કબજામાંથી છોડાવી શકી નથી...આ સંજોગોમાં મારી સ્થિતિ દયાજનક છે. મેં તો ભારતીય સંઘ (ભારત)ને પૂરેપૂરો સહયોગ આપ્યો છે... પણ જો આ પ્રદેશો પાકિસ્તાનને જ આપવાના હોય તો (જમ્મુ-કાશ્મીરના) ભારતમાં વિલિનીકરણનો કોઈ અર્થ રહેતો નથી. હું ભારતીય દળોનો કમાન્ડ મારા હાથમાં લેવા તૈયાર છું, કારણ કે તમારા જનરલો કદાચ આ દેશને (જમ્મુ-કાશ્મીરને) સારી રીતે નહીં જાણતા હોય, પરંતુ મારા માટે તો તે જાણીતો છે. જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્ય પ્રધાન ગણાતા મહેરચંદ મહાજને પણ સરદાર પટેલને પત્ર લખી મહારાજાના આક્રોશને વ્યક્ત કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે શેખ અબ્દલ્લા હવે મહારાજાની આજ્ઞા જરીકેય પાળતા નથી...તેમનો (શેખનો) અભિગમ કોમવાદી છે. પણ વિધિની વક્રતા એ હતી કે આખા ભારતને એક કરનાર, ૬૨૫ નાનાંમોટાં રજવાડાંને ભારતમાં લાવી શકનાર સરદાર પટેલ કાશ્મીર બાબતે સંપૂર્ણ નિ:સહાય હતા!

જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળ્યા પછી શેખ અબ્દુલ્લા રાજ્યના મુખ્ય પ્રધાન નહીં, વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) બની ગયા. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું નહોતું. રાજ્યનો ધ્વજ તીરંગો નહોતો, પરંતુ નેશનલ કોન્ફરન્સનો ધ્વજ હતો! (હમણાં મુફ્તી મોહમ્મદ સઈદ કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ બે ધ્વજ જોવામાં આવ્યા હશે. બોલો, બીજા કોઈ રાજ્યમાં આવું બની શકે?) સરદાર પોતે પણ આ સમસ્યા બાબતે કંઈ કરી શક્યા નહીં તો પછી તેમના મૃત્યુ પછી તો કોઈ સરદાર જેવું પાક્યું જ નથી. કાશ્મીરની સમસ્યાને કોણ ઉકેલશે?

(ક્રમશ:)
10-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161983


નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!
કલમ ૩૭૦ શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુની સંતલસથી ઘડાઈ હતી. નહેરુએ સરદાર પટેલને કાશ્મીર મામલે પહેલેથી દૂર જ રાખ્યા હતા. એ તો ગયા અંકે આપણે જોયું તેમ સરદાર પટેલે ભારતીય સેના મોકલવાના આદેશ નહેરુ પાસેથી લેવડાવ્યા (લેવડાવ્યા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે) નહીં તો શ્રીનગર આપણે ગુમાવી બેઠા હોત. નહેરુએ જોકે કહ્યું હતું કે કલમ ૩૭૦ એ કામચલાઉ જોગવાઈ છે, પરંતુ દલિતોને અનામતની જેમ કલમ ૩૭૦ની કામચલાઉ જોગવાઈ પણ કાયમી બની ગઈ.

બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર પણ કલમ ૩૭૦ની વિરુદ્ધ હતા. તેમણે શેખ અબ્દુલ્લાને કહેલું: તમે ઈચ્છો છો કે ભારત તમારી સરહદોની રક્ષા કરે, તમારા વિસ્તારમાં રસ્તાઓ બાંધે, તમને અનાજ પૂરું પાડે, અને કાશ્મીરને ભારતમાં સમાન દરજ્જો મળે. પરંતુ ભારતની સરકારને મર્યાદિત સત્તાઓ હશે અને ભારતના લોકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ અધિકાર નહીં હોય. આ (કલમની) દરખાસ્તને મંજૂરી આપવી એ ભારતનાં હિતો સામે વિશ્ર્વાસઘાત જેવું હશે અને કાયદા પ્રધાન તરીકે હું ક્યારેય તેમ નહીં કરું.

આથી નહેરુ ગોપાલસ્વામી અયંગરને લઈ આવ્યા. આ અયંગર થનજવુર બ્રાહ્મણ હતા, આઝાદી પછી પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન હતા! જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહના પૂર્વ દીવાન હતા. કલમ ૩૭૦નો મુસદ્દો ઘડવામાં અયંગરની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. સરદાર પટેલે જ્યારે આ અંગે વિરોધ કર્યો ત્યારે ૨૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ નહેરુનો જવાબ આવો હતો:

...અયંગરને કાશ્મીરની બાબતમાં મદદ કરવા વિશેષરૂપે કહેવાયું છે....મને ખરેખર ખબર નથી કે રાજ્યોનું મંત્રાલય (એટલે કે સરદાર પટેલનું મંત્રાલય) આમાં ક્યાં ચિત્રમાં આવે છે, સિવાય કે જે પગલાં લેવાય તેની તેને જાણ કરવાની હોય. આ બધું મારા કહેવાથી થાય છે અને હું જે બાબતમાં મારી જાતને જવાબદાર સમજતો હોઉં તે બાબત સ્વેચ્છાએ છોડવા હું દરખાસ્ત કરતો નથી. આનો અર્થ એ થયો કે કલમ ૩૭૦થી માંડીને કાશ્મીરમાં જે કંઈ થયું તે નહેરુએ પોતાની મનમરજીથી, શેખ અબ્દુલ્લા જેટલું પાણી પીવડાવે તેટલું પીને કર્યું હતું અને એટલે જ કાશ્મીરની જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ તે માટે એક માત્ર જવાબદાર હોય તો તે નિ:શંક ભારતના પ્રથમ વડા પ્રધાન અને કોંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુ જ ગણાય. જોકે, સરદાર પટેલના અવસાન બાદ નહેરુએ બદમાશી કરી આ જવાબદારી સરદારના નામે નાખવાની, સત્તાવાર વાયડાઈ કરી હતી.

એ વાત પણ સત્ય છે કે જ્યારે કલમ ૩૭૦ને મંજૂર કરાવવાની વાત આવી ત્યારે નહેરુ અમેરિકામાં સંસદ (કોંગ્રેસ)ને સંબોધી રહ્યા હતા. એટલે તેમણે કલમ મંજૂરીની ખો સરદાર પટેલને આપી દીધી! તેમણે નીચી મૂંડી કરીને સરદારને વિનંતી કરી કે આ કલમ મંજૂર કરાવી લો. સરદારે પણ શિસ્તબદ્ધ સિપાહીની જેમ આ કાર્ય કરી બતાવ્યું. જ્યારે અયંગરે કોંગ્રેસ સંસદીય પક્ષમાં કલમ ૩૭૦નો મુસદ્દો વાંચ્યો ત્યારે કોંગ્રેસીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો! સરદારે આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાશ્મીરની સ્થિતિનો હવાલો આપીને બંધારણ સભા અને કોંગ્રેસ કારોબારીના સભ્યોને મનાવી લીધા. જોકે ‘માય રેમિનિસન્સ’ પુસ્તક લખનાર વી. શંકર (તેઓ તે વખતે ગૃહ મંત્રાલયના ખાનગી સચિવ હતા)ને સરદાર પટેલે કહ્યું હતું : વો (જવાહરલાલ) રોયેગા. પરંતુ નહેરુ કેટલા લુચ્ચા હતા તે જુઓ. જે સરદારે તેમને કલમ ૩૭૦ મંજૂર કરાવી આપી તેમના નામે જ આ કૃત્ય પાછળથી ચડાવી દીધું! ભાજપના નેતા એલ. કે. અડવાણીએ સંસદના રેકોર્ડનો આધાર આપીને લખ્યું છે કે ૨૪ જુલાઈ, ૧૯૫૨ના રોજ, જ્યારે સરદાર હવે હયાત નહોતા ત્યારે લોકસભામાં કલમ ૩૭૦નો બચાવ કરતાં નહેરુએ જે વાતો કહી તેમાં અન્ય વાતો ઉપરાંત એક વાત આ હતી કે આ કલમ સરદાર પટેલનું યોગદાન છે! બોલો, આનાથી મોટું જૂઠાણું બીજું કયું હોઈ શકે?

હવે આ કલમ ૩૭૦મી કેવી છે? બંધારણના ભાગ ૨૧માં આ કલમ આપેલી છે. આ કલમને નાબૂદ કરવી હોય તો રાષ્ટ્રપતિ તેને નાબૂદ કરી શકે, પરંતુ તે માટે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજૂરી જોઈએ! તેમ તેનો ત્રીજો પેટા નિયમ (ક્લોઝ) કહે છે. ત્યાંની સરકાર જ અલગતાવાદીઓ તરફી ચૂંટાઈ આવે છે ત્યારે તે પોતાની સ્વાયત્તતા શા માટે ગુમાવવા તૈયાર થાય? જો કોંગ્રેસ કે ભાજપ જેવા પક્ષની સરકાર આવે તો જ આ શક્ય બને. કોંગ્રેસ શરૂઆતમાં કલમની વિરુદ્ધ હતી પણ સરદારે સમજાવી દીધા પછીથી તેણે વિરોધ છોડી દીધો! આથી કલમને દૂર કરવા માટે એકલા ભાજપની સરકાર ત્યાં બને તો જ આ થાય, જે હાલની પળે શક્ય લાગતું નથી.

કલમ ૩૭૦ મુજબ, ભારતીય સંસદ જે કાયદાઓ ઘડે તેને જો જમ્મુ-કાશ્મીરની સરકાર મંજૂરી ન આપે તો તે આ રાજ્યમાં લાગુ ન થઈ શકે. આનો સીધો સાદો અર્થ એ કે તે કેન્દ્ર સરકારને પણ ઉપરવટ જઈ શકે. આમ તો આપણે ત્યાં સમવાયી (ફેડરલ) બંધારણ છે, પરંતુ આપણા દેશમાં કેટલીક મહત્ત્વની બાબતમાં રાજ્ય કરતાં કેન્દ્ર જ સર્વોપરી મનાયું છે. અને એ જરૂરી પણ છે. પરંતુ કાશ્મીર બાબતે કમનસીબે આવું નથી. કલમ ૩૭૦ મુજબ, કાશ્મીરનું બંધારણ અલગ, તેનો ધ્વજ અલગ અને બેવડું નાગરિકત્વ છે. ભારતીય નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળેલા છે તે કરતાં જમ્મુ-કાશ્મીરના નાગરિકોના મૂળભૂત અધિકારો અલગ છે. માનો કે ભારત સામે યુદ્ધ છેડાય કે કાશ્મીરમાં ગંભીર કટોકટી સર્જાય તો પણ રાષ્ટ્રપતિ જેમ દેશનાં અન્ય રાજ્યોની સરકારને બરખાસ્ત કરી શકે તેમ કાશ્મીરની સરકારને બરખાસ્ત કરી શકતા નથી. જોકે એનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રાજ્યના બંધારણની કલમ ૯૨ મુજબ, રાજ્યપાલનું શાસન લાગુ કરી શકાય છે અને આ છટકબારી દ્વારા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે. આ ઉપરાંત, કેન્દ્રના કાયદાઓ, વેરા વગેરે કાશ્મીરમાં લાગુ પડતા નથી.

જોકે, વિદ્વાન અને જમ્મુની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અમિતાભ મટ્ટુ અનુસાર, કલમ ૩૭૦ તેના મૂળ રૂપમાં રહી જ નથી. બંધારણ સભામાં જે સ્વાયત્તતાની કલ્પના કરવામાં આવી હતી તે નથી. એક લેખમાં તેમણે લખ્યું છે કે શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે ૩૭૦મી કલમ આમ તો ઘણા અંશે નાબૂદ થઈ ચૂકી છે. ૧૯૫૨ પછીના શ્રેણીબદ્ધ રાષ્ટ્રપતિ આદેશોના કારણે કેન્દ્રીય કાયદાઓ કાશ્મીરમાં પણ લાગુ થઈ શકે છે. જે તફાવત છે તે ત્યાંના કાયમી રહેવાસીઓ અને તેના અધિકાર, આંતરિક અશાંતિના આધારે ત્યાં રાજ્ય સરકારની મંજૂરી વગર કટોકટી લાગુ કરી શકાતી નથી, રાજ્ય વિધાનસભાની મંજૂરી વગર તેના નામ અને સરહદોમાં ફેરફાર કરી શકાતા નથી. ત્યાંની સ્ત્રીઓને સંપત્તિના અધિકાર નથી.

કલમ ૩૭૦ જેવી બીજી કલમો પણ કેટલાંક રાજ્યો માટે લાવવામાં આવી હતી (દા.ત. ૩૭૧-એ નાગાલેન્ડ માટેની વિશેષ જોગવાઈ છે), પરંતુ આ કલમ એટલા માટે અલગ પડે છે કે તે આજે પણ ચાલુ રહી છે જ્યારે ૩૭૧-એથી લઈને ૩૭૧-આઈ લગભગ નાબૂદ

જેવી છે.

હજુ કલમ ૩૭૦મી ઓછી પડતી હોય તેમ ઈ.સ. ૧૯૫૨માં નહેરુ અને શેખ અબ્દુલ્લાએ એક બીજી સમજૂતી કરી જેને ૧૯૫૨ની દિલ્હી સમજૂતી અથવા એગ્રીમેન્ટ તરીકે ઓળખાય છે. આ સમજૂતી કેવી હતી? ૧. તમામ રાજ્યો માટે કાયદો રચવાની વિશિષ્ટ સત્તાઓ કેન્દ્ર પાસે હોય, પણ કાશ્મીર બાબતમાં તેમ નહીં હોય. ૨. કાશ્મીરના લોકો ભારતના નાગરિક તો ગણાશે, પરંતુ તેમને વિશેષ અધિકારો અને વિશેષાધિકારો (પ્રિવિલેજ) આપવા તે રાજ્યનો વિષય ગણાશે. ૩. જમીન સુધારા માટે કાશ્મીરમાં મૂળભૂત અધિકારો લાગુ નહીં પડે. ૪. રાજ્યમાં બોર્ડ ઑફ જ્યુડિશિયલ ઍડ્વાઇઝર હતું તેથી સુપ્રીમ કોર્ટ પાસે માત્ર એપેલેટ જ્યુરિસ્ડિક્શન જ રહશે. ૫. અન્ય રાજ્યોની સરકારને બરતરફ કરવી હોય તો ૩૫૬મી કલમ લાગુ કરી શકાય, પણ કાશ્મીરમાં નહીં.

એ વખતે નહેરુ સર્વસત્તાધીશ જેવા હતા એટલે તેમની સામે કોઈ થાય તેમ નહોતું. જમ્મુ-કાશ્મીરમાં પણ શેખ અબ્દુલ્લાનો ડંકો વાગતો હતો. આવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ‘પ્રજા પરિષદ’ નામનો પક્ષ રચાયો અને તેણે કલમ ૩૭૦ તેમ જ શેખ અબ્દુલ્લાની હિન્દુ વિરોધી માનસિકતાનો વિરોધ શરૂ કર્યો. આ પક્ષે નવેમ્બર ૧૯૫૨થી સત્યાગ્રહ શરૂ કર્યો. આ તરફ ૧૯૫૦માં ભારત-પાકિસ્તાન વચ્ચેની દિલ્હી સંધિના વિરોધમાં નહેરુ સરકારમાં ઉદ્યોગ પ્રધાન અને હિન્દુવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ભારતીય જનસંઘ નામના હિન્દુવાદી પક્ષની સ્થાપના કરી હતી. હવે તેઓ પણ શેખ અબ્દુલ્લાના વિરોધમાં જોડાયા હતા. ૧૯૫૩માં અસહકારની ચળવળ શરૂ થઈ. એ વખતે સત્યાગ્રહીઓ પર તડાપીટ બોલાવવામાં અબ્દુલ્લા સરકારે કોઈ માનવતા રાખી નહોતી. પોલીસ ગોળીબારમાં અનેકોનાં મોત થયાં. સત્યાગ્રહીઓના ઘરે જઈ પોલીસ તેમને મારતી. જેલમાં પુરાયેલા સત્યાગ્રહીઓ પર અનેક પ્રકારના અત્યાચાર થતાં. આ અત્યાચારો સામે પ્રજા પરિષદના નેતાઓ દિલ્હીમાં તમામ રાજકીય પક્ષો, સાંસદો અને મીડિયાને મળ્યા અને તેમને કાશ્મીરની સ્થિતિની જાણ કરી. પરંતુ નહેરુએ તેમને મળવાની ના પાડી દીધી. જોકે જમ્મુની બે મહિલા નેતાઓ શક્તિ શર્મા અને સુશીલા માંગી, વિજયા લક્ષ્મી પંડિત, ઈન્દિરા ગાંધી, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને મળ્યાં અને પરિસ્થિતિથી તેમને અવગત કર્યાં. છેવટે સાંસદોની બેઠક મળી અને તેમના આગ્રહથી નહેરુ આ નેતાઓને મળવા તૈયાર થયા. જોકે તે પછી પણ તેમણે આ ક્રૂરતા અને અત્યાચાર અટકાવવા કોઈ પગલાં ન લીધાં.

હવે આ તરફ, શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં એવો કાયદો કે નિયમ, જે કહો તે, કર્યો હતો કે ભારતના (એટલે કે કાશ્મીર સિવાયના રાજ્યના) નાગરિકોએ જમ્મુ-કાશ્મીરમાં આવવું હોય તો પરમિટ લેવી પડે! એક રીતે, વિઝા જેવું! અરે! ભારતના રાષ્ટ્રપતિએ પણ કાશ્મીરમાં જવું હોય તો શેખ અબ્દુલ્લાની મંજૂરી વગર ન જઈ શકે! આ તરફ અબ્દુલ્લા વિરોધી આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું હતું. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ જવા રવાના થઈ રહ્યા હતા. તેમણે ઘોષણા કરી હતી કે હું રાષ્ટ્રની એકતા માટે મારા પ્રાણનો પણ ભોગ આપી દઈશ.

શ્યામાપ્રસાદ મુખરજીએ પરમિટ વગર જમ્મુ-કાશ્મીરમાં જવાનું નક્કી કર્યું અને તેમણે ઘોષણા કરી: એક દેશ મેં દો વિધાન (બંધારણ), દો પ્રધાન (વડા પ્રધાન) ઔર દો નિશાન (બે રાષ્ટ્રધ્વજ) નહીં ચલેંગે. મુખરજી સાથે જનારામાં એક હતા, ભારતના પૂર્વ વડા પ્રધાન અને હવે ભારતરત્ન અટલ બિહારી વાજપેયી... (ક્રમશ:)
17-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=162656

શ્યામાપ્રસાદનું રહસ્યમય મોત ને નેહરુનો શેખ પ્રત્યે આંધળો પ્રેમ

જ્યારે શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ પહોંચ્યા ત્યારે તેમને પરમિટ વગર જવા દેવાયા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીના કિનારે આવેલા લખનપુર પહોંચ્યા ત્યારે કાશ્મીર મિલિટ્રી પોલીસે તેમની ધરપકડ કરી. તે વખતે પત્રકાર તરીકે સાથે આવેલા અટલજીને મુખરજીએ કહ્યું કે તમે પાછા જાવ અને આખા દેશને કહો કે મારી ધરપકડ કરવામાં આવી છે.

અનેક સત્યાગ્રહીઓને પણ જેલમાં પુરવામાં આવ્યા હતા. એક કોટડીમાં ૫૦ જણાને રખાતા હતા. તેમને કપડાં ખોરાક કંઈ આપવામાં આવતું નહોતું. તેમના પર કોઈ અત્યાચાર કરવામાં બાકી રખાયો નહોતો.

ડો. મુખરજીને શ્રીનગરની જેલ (તેમના પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, એક બંગલા)માં રાખવામાં આવ્યા. તેમના હોદ્દા, તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને સેક્રેટરી, સહાયક કે અંગત ડોક્ટર જેવી કોઈ સુવિધા તેમને આપવામાં આવી નહીં. જેલની કાળ કોટડીમાં તેઓ એકલા રહી ગયા અને બીમાર પડી ગયા. તેમની બીમારીના સમાચાર પણ બહાર જવા દેવાયા નહીં. આ તરફ સમગ્ર દેશમાં રોષ હતો અને હજારો સત્યાગ્રહીઓ જમ્મુ-કાશ્મીરમાં પરમિટ વગર આવવા લાગ્યા હતા. નહેરુ અને શેખ અબ્દુલ્લાની સાંઠગાંઠની ભારે ટીકા થવા લાગી. ડો. શ્યામાપ્રસાદ મુખરજીનો જેલવાસ લાંબો ચાલતા તેની પણ ટીકા થઈ. આથી નહેરુએ પ્રજાપરિષદના નેતાઓ સાથે વાતચીત કરવા તૈયારી બતાવી. ત્યાં ૨૩ જૂન, ૧૯૫૩ની વહેલી સવારે ડો. મુખરજીના હૃદય બંધ પડી જવાના કારણે નિધન થયાના સમાચાર આવી ચડ્યા. સમગ્ર દેશમાં આઘાત પ્રસરી ગયો.

શ્યામાપ્રસાદ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ મુજબ, તેમને એક એવી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ઑક્સિજનની પણ સુવિધા નહોતી. આરએસએસના તે વખતના સરસંઘચાલક ગુરુજીને તો પહેલેથી જ અંદેશો આવી ગયેલો કે મુખરજીના જીવન પર ખતરો છે. (ગુરુજી આધ્યાત્મિક રીતે પણ ઘણા આગળ વધેલા હતા) તેમણે નાગપુરથી એક દૂત સાથે સંદેશો મોકલેલો કે મુખરજી જમ્મુ-કાશ્મીર ન જાય પરંતુ દૂત મોડો પડ્યો અને મુખરજી નીકળી ગયા હતા. તેઓ જમ્મુની સરહદે હતા. તેમણે તે દૂતને કહ્યું: હું હવે પીછેહટ કરી શકું એમ નથી.

ડો. મુખરજીનું અકાળે નિધન કેટલાક સવાલો પેદા કરતું ગયું. દેશમાં અનેક ડોક્ટરોએ મુખરજીના મૃત્યુના સમાચારો પર પ્રશ્ર્ન ઉઠાવ્યા. તેમને આગલી રાત્રે કઈ દવાઓ, કયાં ઇંજેક્શનો આપવામાં આવ્યાં હતાં? તેમને માત્ર ડો. અલી મોહમ્મદના હાથે જ કેમ સારવાર આપવામાં આવી? ડો. મુખરજીએ કહેલું કે તેમના ફેમિલી ફિઝિશિયને તેમને સ્ટ્રેપ્ટોમાયસીન લેવાની ના પાડી છે તેમ છતાં ડો. અલી મોહમ્મદે સ્ટ્રેપ્ટોમાયસીન આપેલી. સ્ટ્રેપ્ટોમાયસીનની આડઅસર ભારે ઝેરીલી હોય છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે.

બેરિસ્ટર યુ. એમ. ત્રિવેદી તેમને તે સાંજે મળેલા અને શ્રીનગરની સુપ્રીમ કોર્ટ (જી હા, શ્રીનગરની સુપ્રીમ કોર્ટ, કલમ ૩૭૦નો પ્રભાવ!)માં હબીયસ કોર્પ્સ દાખલ કરાયેલી જેના કારણે તેઓ બીજા દિવસે છૂટી જવાના હતા. શ્યામાપ્રસાદની તબિયત ખરાબ હતી પરંતુ યુ. એમ. ત્રિવેદીને તેઓ આનંદમાં જણાયા હતા. અચાનક તે રાત્રે જ તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે મૃત્યુના મુખમાં તેઓ કોળિયો બની ગયા?

૨૦૦૪માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખરજીનું નિધન એ નહેરુની કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરની શેખ અબ્દુલ્લા સરકાર વચ્ચેના ષડયંત્રનો હિસ્સો હતું. જ્યારે મુખરજીએ કાશ્મીરમાં પરમિટ વગર જવા નિર્ણય કર્યો ત્યારે અમને હતું કે પંજાબ સરકાર તેમની ધરપકડ કરશે અને આગળ જવા નહીં દે, પરંતુ તેમ ન થયું. પાછળથી અમને ખબર પડી હતી કે શેખ અબ્દુલ્લા સરકાર અને નહેરુ સરકારે ષડયંત્ર ઘડ્યું હતું જે મુજબ મુખરજીને કાશ્મીર આવવા તો દેવાના, પરંતુ કાશ્મીર છોડીને ન જઈ શકે તેવું કરવાનું. જો મુખરજીને કાશ્મીરમાં ઘૂસવા ન દે તો દેશભરમાં પ્રશ્ર્ન ઊઠે કે કાશ્મીર તો ભારતમાં ભળી ગયું છે તો ત્યાં પ્રવેશ કેમ નથી મળતો? શેખ અબ્દુલ્લા સરકારને કહેવામાં આવ્યું હતું કે મુખરજીને પાછા આવવા દેવાના નથી.

એમાં પણ કોઈ શંકા નથી કે જો મુખરજી જીવિત રહ્યા હોત તો નહેરુ માટે સમગ્ર દેશમાં મોટો પડકાર બની રહ્યા હોત. કદાચ, ભારતીય જનસંઘનાં મૂળિયાં પણ બંગાળ જેવા અત્યાર સુધી ભાજપ માટે દુર્ગમ કિલ્લા જેવા બની રહેલા રાજ્ય સહિત સમગ્ર ભારતમાં ઊંડે સુધી નખાઈ ગયા હોત.

જોકે મુખરજીનું અવસાન ભાજપ માટે પણ એક રાજકીય મુદ્દો જ બની રહ્યો લાગે છે, કારણકે તેની સરકાર છ વર્ષ (૧૯૯૮-૨૦૦૪) સુધી રહી પરંતુ તેણે મુખરજીના નિધનની તપાસ કેમ ન કરાવી? કારણ કે તે વખતે તેમના સાથી હતા શેખ અબ્દુલ્લાના પુત્ર ડો. ફારુક અબ્દુલ્લા! ૧૯૯૯માં અટલબિહારી વાજપેયીની સરકારમાં ફારુક અબ્દુલ્લાના પુત્ર અને શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લાને વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન બનાવાયા હતા! હવે અત્યારે કેન્દ્રમાં ભાજપને પૂર્ણ બહુમતી છે અને મોદી સરકાર છે. કાશ્મીરમાં પણ નેશનલ કોન્ફરન્સની સરકાર નથી. વળી, પીડીપી સાથે ભાજપ પણ સરકારમાં છે, ત્યારે જોવાનું રહે છે કે ભાજપ હવે શ્યામાપ્રસાદ મુખરજીના રહસ્યમય નિધનની તપાસ કરાવે છે કે નહીં.

તો, ડો. મુખરજીના અવસાનથી નહેરુ સરકાર હચમચી ગઈ. પં. નહેરુએ જનસંઘ અને પ્રજાપરિષદના નેતાઓ સાથે બેઠક યોજી. નહેરુએ તેમને આંદોલન પાછું ખેંચી લેવા અપીલ કરી. સામે પક્ષે કાશ્મીર નીતિમાં મહત્ત્વના ફેરફાર કરવાનું વચન આપ્યું. આના પરિણામે, ૭ જુલાઈ, ૧૯૫૩ના રોજ પ્રેમનાથ ડોગરાએ આંદોલન પાછું ખેંચી લીધું.

નહેરુનો શેખ અબ્દુલ્લા પ્રત્યે કેવો આંધળો પ્રેમ હતો? ભારતીય બંધારણ સભાના સભ્ય એમ. એલ. ચટ્ટોપાધ્યાય અને તેમના મિત્ર ડો. રઘુવીર કાશ્મીર ગયા હતા. ત્યાં તેમણે વિવિધ સામાજિક અને ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. તે મુજબ, કાશ્મીરની સ્થિતિ અંગે એક સઘન અહેવાલ તૈયાર કરાયો હતો. આ અહેવાલમાં શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માગતા હતા તેનો ઉલ્લેખ હતો. અધૂરામાં પૂરું, સંયુક્ત રાષ્ટ્રોમાં હાજરી આપીને આવેલા શેખ અબ્દુલ્લાએ બ્રિટિશ પત્રકારો માઇકલ ડેવિડસન અને વોર્ડ પ્રાઇસને ઇન્ટરવ્યૂમાં કાશ્મીરને આઝાદ કરાવવાની વિગતવાર યોજના આપી. જ્યારે આ મુલાકાત સમાચારપત્રોમાં છપાઈ ત્યારે સરદાર પટેલે શેખ અબ્દુલ્લાને ફોન કરીને ખખડાવી નાખ્યા. પરંતુ શેખ પર તેની કોઈ અસર ન થઈ. ઉલટાનું થયું એવું કે ઇન્ટેલિજન્સ બ્યુરોના જે અધિકારીએ ભારત સરકારને શેખ અબ્દુલ્લાના ઇન્ટરવ્યૂ વિશે માહિતી આપી હતી તેને કાશ્મીર છોડીને જવું પડ્યું!

પરંતુ ધીરે ધીરે નહેરુનો પણ શેખ અબ્દુલ્લા પ્રત્યેનો ભ્રમ ભાંગીને ભુક્કો થવા લાગ્યો અથવા તો સમગ્ર દેશમાં શેખ અબ્દુલ્લા સામે પરિસ્થિતિ સર્જાવા લાગી હતી તે કારણે નહેરુને લાગ્યું કે શેખ સામે કંઈક પગલાં તો ભરવાં જ પડશે. શેખ અબ્દુલ્લાની દાનત કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાની થઈ ગઈ હતી. તે પાકિસ્તાન સાથે ભળી જઈને પણ આ બાબતે ષડયંત્ર કરવા લાગ્યા હતા. નહેરુ જ્યારે ૧૯૫૩માં કાશ્મીરની પાંચ દિવસની મુલાકાતે ગયા ત્યારે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા નહેરુ સમક્ષ અબ્દુલ્લાની પાકિસ્તાન પ્રત્યેની નિકટતા અને તેમનાં જાહેર ભાષણોની ટેપ (એ વખતે ટીવી ન્યૂઝ ચેનલો હતી નહીં કે સીધું સાંભળવા મળી જાય), શેખ અબ્દુલ્લાના પત્રો...આ બધા પુરાવા રજૂ કરાયા અને નેહરુ ચોંકી ગયા. આટલું બધું થવા છતાં નહેરુએ શેખ અબ્દુલ્લાને કહ્યું: શેખસાહેબ, અત્યાર સુધી હું જવાહરલાલ નહેરુ તરીકે તમારી સાથે વર્તતો હતો, પણ હવે મારે તમારી સાથે ભારતના વડા પ્રધાન તરીકે વર્તવું પડશે. આનો અર્થ એ થયો કે અત્યાર સુધી નહેરુએ જે પગલાં ભર્યાં તે શેખના મિત્ર તરીકે ભર્યા હતા!

તે વખતે કાશ્મીરના સદર-એ-રિયાસત (કલમ ૩૭૦ના કારણે કાશ્મીર અલગ દેશ હોય તેમ જ ત્યાંનો વહીવટ ચાલતો હતો તેથી ત્યાંના રાજ્યપાલને રાષ્ટ્રપતિનો દરજ્જો હતો અને મુખ્યપ્રધાનને વડા પ્રધાનનો દરજ્જો હતો, તેથી ઉર્દૂમાં રાજ્યપાલને સદર-એ-રિયાસત અને મુખ્ય પ્રધાનને વઝીર-એ-આઝમ કહેવાતું) ડો. કરણસિંહ હતા, જે મહારાજા હરિસિંહના દીકરા હતા, તેમણે શેખ અબ્દુલ્લાને બરતરફ કરી નાખ્યા. કારણ એવું આપ્યું કે તેમણે તેમના મંત્રીમંડળનો વિશ્ર્વાસ ગુમાવી દીધો છે. શઠ પ્રતિ શાઠ્યમની ની નીતિ અપનાવતાં કરણસિંહે ગેરબંધારણીય પગલું પણ લીધું અને તે એ કે અબ્દુલ્લાને વિધાનસભામાં બહુમત પણ પુરવાર ન કરવા દેવાયો. શેખ અબ્દુલ્લાની જગ્યાએ બક્ષી ગુલામ મોહમ્મદને વઝીર-એ-આઝમ બનાવી દેવાયા. થોડા જ સમયમાં શેખ અબ્દુલ્લાની ધરપકડ કરાઈ. વરિષ્ઠ પત્રકાર ઇન્દર મલ્હોત્રાએ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ (તા.૫ માર્ચ, ૨૦૧૨)માં લખ્યું છે તેમ, નહેરુના ઈશારે તેમને ટૂંકા ગાળામાં જ છોડી પણ મૂકાયા. જોકે, શેખ અબ્દુલ્લાના સાથીએ જનમત મોરચો (પ્લેબિસાઇટ ફ્રન્ટ) શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાનો હતો. આ મોરચા સાથે શેખ અબ્દુલ્લા સંકળાયા તેથી તેમની ફરી ધરપકડ કરી દેવામાં આવી અને તેમની સામે પાકિસ્તાન સાથે મળીને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દઈ દેશદ્રોહ કરવાનો આરોપ લગાડી કાશ્મીર કોન્સ્પિરસી કેસ શરૂ કરાયો.

કેસમાં દલીલ કરાઈ હતી કે જ્યારે અબ્દુલ્લા જેલમાં હતા ત્યારે તેમનાં પત્ની અને અન્ય સાથીઓને આ હેતુ માટે પાકિસ્તાન તરફથી મોટી માત્રામાં નાણાં મળ્યાં હતાં. ઉપરાંત પૂલો, ફેક્ટરીઓ, સેનાની ઈમારતો, મસ્જિદો, મંદિરો અને ગુરુદ્વારાને ફૂંકી મારવા માટે વિસ્ફોટકો પણ પકડાયા હતા. આનો હેતુ સરકારને નિષ્ક્રિય કરી દેવાનો હતો. પાકિસ્તાનના લોકોને તાલીમ આપીને અહીં અરાજકતા ફેલાવવા મોકલાતા હતા. ૧૯૫૯થી ખટલો શરૂ થયો અને ઈ.સ. ૧૯૬૨ સુધી ચાલ્યો. સ્પેશિયલ મેજિસ્ટ્રેટે આ કેસને ઉપલી અદાલતમાં મોકલ્યો. તેમની સામે આઈપીસીની જે કલમો લગાડાઈ હતી તે અનુસાર શેખ અબ્દુલ્લાને કાં તો ફાંસીની સજા મળી હોત અથવા આજીવન કેદ. પરંતુ હજુ નહેરુનો શેખ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો. કદાચ ઉપર કહ્યાં એ પગલાં તેમણે ભારતના લોકોનો રોષ શાંત પાડવા લીધા હતા?

જોકે, શેખ અબ્દુલ્લા જેલમાં પુરાયા ત્યારે ત્રણ કામ સારાં થયા. પહેલું, કાશ્મીર વિધાનસભાએ ઠરાવ પસાર કરી કહી દીધું કે જમ્મુ-કાશ્મીર ભારતમાં ભળી ગયું છે. બીજું, પરમિટ પ્રથા બંધ કરાઈ. અને ત્રીજું, સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમનાં પદો નાબૂદ થયા. આથી હવે કાશ્મીરમાં જે સરકારનો વડો બને તે કાશ્મીરનો વડા પ્રધાન નહીં, પણ મુખ્ય પ્રધાન બનવાનો હતો. કાશ્મીરના રાજ્યપાલ જે બને તે હવે રાષ્ટ્રપતિ નહીં, રાજ્યપાલ તરીકે ઓળખાવાના હતા.

ડિસેમ્બર, ૧૯૬૩માં કાશ્મીર અશાંત બની ગયું (કે બનાવવામાં આવ્યું.) હઝરતબાલ દરગાહમાંથી મોહમ્મદ પયગંબરની દાઢીનો ગણાતો વાળ ચોરાઈ ગયો (કે ગૂમ કરી દેવામાં આવ્યો). આથી ફરી નહેરુના મગજમાં શેખના પ્રત્યે પ્રીતિ જાગી ઉઠી. તેમને લાગ્યું કે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એક જ જણ મદદ કરી શકે તેમ છે અને તે છે શેખ અબ્દુલ્લા! આ ઉપરાંત નહેરુ શેખ અબ્દુલ્લાના એ વિચારનું પણ સમર્થન કરતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી સમજૂતી નહીં થાય ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ કે સ્થિરતા નહીં સ્થપાય! આમ, કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડી દેવાનું પાપ પણ નહેરુ અને શેખ અબ્દુલ્લાના માથે છે. કાશ્મીર આપણો પ્રદેશ છે. તેમાં શાંતિ સ્થાપવા માટે પડોશી દેશની મદદ લેવી પડે?

ઇન્દર મલ્હોત્રા લખે છે, નહેરુના વફાદાર અને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા બી.એન. મલિક પણ શેખ અબ્દુલ્લા સામે કાશ્મીર કોન્સ્પિરસી કેસ પાછો ખેંચી લેવાની વિરુદ્ધ હતા. તેમણે વચન આપ્યું હતું કે થોડાં સપ્તાહોમાં જ તેઓ આરોપો સાબિત કરી બતાવશે.

પણ નહેરુના મગજમાં શેખ અબ્દુલ્લા બરાબર ઘૂસેલા હતા. ૧૯૬૪માં જ્યારે આખો દેશ આ કેસના પરિણામની (ખરેખર તો શેખને શું સજા થાય છે તેની) રાહ જોઈને બેઠો હતો ત્યારે અચાનક કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો (ઘરની ધોરાજી!) તેમને છોડી દેવામાં આવ્યા. બહાર નીકળ્યા ત્યારે નહેરુનું તેડું તેમની રાહ જોતું હતું!

(ક્રમશ:)
24-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163190

હજ પઢવાના નામે શેખ અબ્દુલ્લાનું ચીન અને મુસ્લિમ દેશો સાથે ષડ્યંત્ર
૮ એપ્રિલ, ૧૯૬૪ના રોજ જમ્મુની જેલમાંથી શેખ અબ્દુલ્લા છૂટ્યા ત્યારે નહેરુનું આમંત્રણ તેમની રાહ જોતું હતું. નહેરુએ તેમને વિનંતી કરી હતી કે તેઓ જેમ બને તેમ જલદી દિલ્હી આવી જાય. સામાન્ય રીતે કોઈ મુખ્ય પ્રધાન આવે તો તેને ઉતારો ક્યાં અપાય? કોઈ સર્કિટ હાઉસ કે એવા કોઈ ભવનમાં. પણ શેખ પ્રેમી નહેરુએ તો પોતે જ્યાં રહેતા હતા તે તીન મૂર્તિ હાઉસમાં રહેવા, જેમની સામે દેશદ્રોહનો આરોપ લગાડાયો હતો તેવી વ્યક્તિને કહ્યું. જેલની હવા ખાઈ ચુકેલા શેખેય ભાવ ખાધો. તેમણે દિલ્હી તરફ હડી મૂકવાના બદલે શાંતિથી મે મહિનામાં જવાનું પસંદ કર્યું. 

હઝરતબાલ દરગાહમાંથી હઝરતનો બાલ (મોહમ્મદ પયગંબરની દાઢીનો વાળ) ચોરાતાં કાશ્મીરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ વાળ પાછો મળી આવતાં તે તો શમી ગયાં હતાં. એટલે હવે નહેરુએ શેખ અબ્દુલ્લાને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાનું કામ સોંપ્યું! (બહાર રાખવાનું કારણ તો જોઈએ ને. નહીંતર વળી પાછા જેલભેગા કરવા પડે.) અને આ માટે શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન જવાનું હતું.

ઈન્દર મલ્હોત્રા લખે છે તેમ, મૂળ યોજના એવી હતી કે શેખ અબ્દુલ્લા ત્યારે યુદ્ધવિરામની રેખા જે અત્યારે અંકુશ રેખા તરીકે ઓળખાય છે, તેને ઓળંગીને ચાલતા ચાલતા જાય. નહેરુને તો આ વિચાર ગમી ગયો હતો, પરંતુ તેમાં જોખમ હતું તેનો તેમને ખ્યાલ નહોતો. 

અત્રે એ પણ નોંધવું જોઈએ કે અમદાવાદના સારાભાઈ કુટુંબનું ઘણું યોગદાન છે, પરંતુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન અને કૉંગ્રેસનાં મહામંત્રી મૃદુલા સારાભાઈ પણ શેખ અબ્દુલ્લાના ભારે તરફદાર હતાં. એ મૃદુલા સારાભાઈએ આ યોજનાનો વિરોધ કર્યો કે માનો કે, શેખ અબ્દુલ્લા આવતા હોય તેની ખબર ન હોય અને પાકિસ્તાનનાં દળો ભારતમાંથી કોઈ ઘૂસણખોર આવે છે તેમ માનીને ઠાર કરી દે તો? આ વિચારને તે વખતે પાકિસ્તાનમાં ઉચ્ચ આયુક્ત જી. પાર્થસારથીએ અનુમોદન આપ્યું અને પછી નહેરુને પણ ઠીક લાગ્યો. આથી શેખ અબ્દુલ્લાને વિમાનમાં રાવલપિંડી જવા કહેવાયું.

પાકિસ્તાન શરૂઆતમાં શેખ અબ્દુલ્લાનું વિરોધી હતું, પરંતુ ધીમે ધીમે તેણે (આપણે ગયા હપ્તે જોયું તેમ) શેખ અબ્દુલ્લાને પોતાની તરફ કરવા માંડ્યા હતા. આથી અબ્દુલ્લા ત્યાં ગયા એટલે તેમનું કોઈ નાયક કે હીરો આવે ત્યારે કરાય તેમ જબરદસ્ત સ્વાગત કરાયું.

શેખ અબ્દુલ્લાએ હવે નવો દાવ ખેલ્યો. તેણે ભારત અને પાકિસ્તાનની સરકાર સમક્ષ કોન્ફિડરેશન રચવાનો મમરો મૂક્યો. કોન્ફિડરેશન એટલે રાજકીય એકમોનો શંભુ મેળો જે એક સંધિથી સાથે જોડાય છે. તેમનાં બંધારણ એક જ હોય તેવું જરૂરી નથી. બેલ્જિયમ, યુરોપીય સંઘ વગેરે આવા કેટલાક કોન્ફિડરેશન છે. શેખ અબ્દુલ્લાનો વિચાર આમ તો સારો હતો. જો આવું થયું હોત તો...તો કદાચ કોઈ પણ રીતે ભારત એક રહ્યું હોત, પરંતુ...પાકિસ્તાનના પ્રમુખ અયૂબ ખાન અને ભારતના વડા પ્રધાન નહેરુ બંનેએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. 

વચ્ચે એક વાત એ પણ લઈ લઈએ કે શેખ અબ્દુલ્લાને જેલમાં પુરાયા પછી મુખ્ય પ્રધાન તરીકે બક્ષી ગુલામ મોહમ્મદ હતા. તેમણે નેશનલ કોન્ફરન્સને તોડીને પોતાનો અલગ પક્ષ રચ્યો હતો અને તે કૉંગ્રેસમાં ભળી ગયા હતા. હવે નહેરુ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે ચુંટાયા પછી પ્રજામાં રોષ હતો. એ વખતે તે વખતના મદ્રાસના મુખ્ય પ્રધાન કે. કામરાજે એક યોજના મૂકી કે કૉંગ્રેસના તમામ વરિષ્ઠ મંત્રીઓ રાજીનામાં આપી પક્ષના કામમાં લાગી જાય. આ વાતને ગુલામ મોહમ્મદ સાથે કોઈ લેવા દેવા નહોતી. છતાં તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું કે તેમણે (દોઢ)ડાહ્યા થઈને સામેથી રાજીનામું ધરી દીધું. 

‘માય ફ્રોઝન ટ્રિબ્યુલન્સ ઇન કાશ્મીર’ પુસ્તકમાં કાશ્મીરના રાજ્યપાલ રહી ચુકેલા જગમોહન મલ્હોત્રાએ લખ્યું છે કે બક્ષી ગુલામ મોહમ્મદમાં ત્રણ ખામી હતી. તેમણે શેખ અબ્દુલ્લાનું સ્થાન લીધું હોવાથી તેમને કાશ્મીરના લોકો સાથે દગો કરનાર તરીકે ચિતરવામાં આવ્યા હતા. પ્લેબિસાઇટ ફ્રન્ટે તેમની સામે ઝેરી પ્રચાર કર્યો હતો. બીજું, નેશનલ કોન્ફરન્સમાં જ તેમના ઘણા દુશ્મનો હતા. તેઓ નવી દિલ્હીમાં તેમની વિરુદ્ધ વાતો પહોંચાડતા હતા. અને ત્રીજું, બક્ષીએ પક્ષમાં વહાલાદવલાની નીતિ કરી હતી અને ભાઈભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ ભ્રષ્ટાચાર પણ ભારે કર્યો હતો. 

તેમના રાજીનામાને નહેરુએ સ્વીકારી લીધું, પરંતુ બક્ષી પછી બક્ષીના માનીતા ખ્વાજા શમશુદ્દીનને મુખ્ય પ્રધાન બનાવાયા. હવે હઝરતબાલ ચોરાયાની ઘટના પછી કાશ્મીરમાં અશાંતિ વ્યાપી ગઈ હતી અને બાલ મળ્યા પછી પણ તે થાળે નહોતી પડતી તે વખતે લાલબહાદુર શાસ્ત્રી કાશ્મીર ગયા અને તેમણે હઝરતબાલની મુલાકાત લીધી. લોકોમાં શમશુદ્દીનના શાસન સામે પણ રોષ હતો. (જેલમાં બેઠાં બેઠાં શેખ અબ્દુલ્લા ઉંબાડિયાં મૂકે રાખતા હતા.) તેથી જી. એમ. સાદિકને શમશુદ્દીનના સ્થાને મુખ્ય પ્રધાન બનાવાયા. સાદિકે જ નહેરુના કહેવાથી શેખ અબ્દુલ્લાને મુક્ત કર્યા અને તેમની સામે બધા આરોપો પાછા ખેંચી લીધા. આ તરફ પાકિસ્તાન તરફી તત્ત્વો પણ સંગઠન રચવા લાગ્યા હતા. મિરવાઇઝ (મિર એટલે વડા અને વાઇઝ એટલે પૂજારી) મૌલવી ફારુકે અવામી ઍક્શન કમિટી રચી હતી. 

ફરી શેખ અબ્દુલ્લાના પાકિસ્તાન પ્રવાસ પર આવી જાવ. અબ્દુલ્લા જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પાટનગર મુઝફ્ફરાબાદ હતા ત્યારે તેમને પં. નહેરુના નિધનના સમાચાર મળ્યા. પ્રવાસ ટૂંકાવી તેઓ દિલ્હી પાછા ફર્યા. નહેરુના અવસાન પછી શેખને લાગ્યું કે તેમને રોકનારું હવે કોઈ નથી. આથી તેઓ કાશ્મીરમાં ફરી ભારત વિરોધી પ્રવચનો કરવા લાગ્યા. ફેબ્રુઆરી, ૧૯૬૫માં શેખ અબ્દુલ્લા તેમનાં પત્ની સાથે હજ પઢવા જવા માગતા હતા. તેમને તે માટે મંજૂરી આપવામાં આવી, પરંતુ હજ પઢવા સીધા મક્કા જવાના બદલે તેઓ યુ.એ.આર. (એ વખતે ઇજિપ્ત અને સિરિયાએ યુનાઇટેડ આરબ રિપબ્લિક નામનો દેશ બનાવ્યો હતો જે હવે આજે નથી.) યુકે અને ફ્રાન્સ અને અન્ય કેટલાક દેશોની મુલાકાતે પહોંચી ગયા! (આ બધું ભારત સરકારની કેડ પર હતું.) 

એક ઉર્દૂ કવિએ એટલે જ લખ્યું:

સિધારે પીર કાબા કો, હમ ઇંગ્લિસ્તાન જાયેંગે

ખુદા કા નૂર વો દેખેં હમ ખુદા કી શાન દેખેંગે

(પૂજારીઓને ભલે મક્કા જવા દો, અમે તો ઇંગ્લેન્ડ જશું, તેમને ઈશ્ર્વરનો પ્રકાશ જોવા દો, અમે તો તેની જાહોજલાલી અને વૈભવ જોઈશું.)

અબ્દુલ્લા ઇંગ્લેન્ડથી ફ્રાન્સ ગયા. ત્યાંથી મક્કા ગયા. ત્યાં સાઉદી નેતાઓને મળ્યા બાદ ઈજિપ્ત ગયા. તેમણે તેના પ્રમુખ નાસીરનો કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માટે ટેકો માગ્યો પણ નાસીરે તેમને ડિંગો બતાવ્યો! બાદમાં તેઓ અલ્જેરિયા ગયા. ત્યાં તેમણે ભારતને શરમમાં મૂકવાનું કાર્ય કર્યું. ૨૮ માર્ચ, ૧૯૬૫ના રોજ તેઓ અલ્જેરિયન નેતાઓની હાજરીમાં ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઇને મળ્યા. ચીન તો ભારતનું દુશ્મન હતું જ. તેમણે શેખ અબ્દુલ્લાને તમામ સહાય આપવાની ખાતરી જાહેરમાં આપી. બાપના પૈસે ફરતા હોય તેમ શેખ અબ્દુલ્લા ફરી યુ.એ.આર. ગયા અને ત્યાંથી બીજી વાર હજ પઢવાના નામે તેઓ આંતરરાષ્ટ્રીય મુસ્લિમ પરિષદમાં ભાગ લેવા ગયા. ભારત સરકારે આ પરિષદમાં ભાગ લેવા પ્રતિનિધિઓ મોકલ્યા જ હતા, પણ શેખ અબ્દુલ્લા ક્યાં પોતાને ભારત સરકારના તાબામાં માનતા હતા. 

તેથી તેમનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો. તેઓ જ્યારે દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારે ૯ મે, ૧૯૬૫ના રોજ તેમની ધરપકડ કરી. વિદેશના અને ભારતના સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો તેમજ ગુપ્તચર સૂત્રો મુજબ, શેખ અબ્દુલ્લા અલ્જેરિયાની જેમ કાશ્મીરને સ્વતંત્ર કરવા માગતા હતા. 

શાસ્ત્રીજીના સમયગાળામાં એક કામ સારું એ પણ થયું કે ડિસેમ્બર, ૧૯૬૪માં બંધારણમાં છઠ્ઠો સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને ૩૫૬ કલમ લાગુ કરી દેવાઈ. આ કલમ હેઠળ હવે જો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી ન હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાતું હતું. આ સુધારા દ્વારા કાશ્મીરમાંથી સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમના હોદ્દાને બદલે અનુક્રમે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના હોદ્દા મૂકવામાં આવ્યા.

૧૯૬૫માં કાશ્મીરને પચાવી પાડવાના મનસૂબાથી પાકિસ્તાનનાં દળો કાશ્મીરમાં ઘૂસ્યા અને યુદ્ધ છેડાયું. તે વખતે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને સેનાના વડાએ સૂચવ્યું કે દુશ્મનને હટાવવો હોય તો બીજી સરહદે જવું પડે અને લાહોર આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પાર હતી, પરંતુ નિડર શાસ્ત્રીએ સેનાને કહી દીધું: તમતમારે બિન્દાસ્ત જાવ. ભારતીય દળો છેક લાહોર સુધી પહોંચી ગયા, 

પરંતુ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સંધિ માટે સોવિયેત સંઘ (આજનું રશિયા) જવું પડ્યું. (તેઓ દબાણમાં ન ઝુક્યા હોત તો...?) ભારતનો વિજય છતાં ભારત પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પાછું મેળવી શક્યું નહીં. અરે! આપણે એ યુદ્ધમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની બે ચોકીઓ હાજી પીર અને તિથવા જીતી લીધી હતી. તે વખતે વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ શાસ્ત્રીના તાશ્કંદ જવાનો વિરોધ કર્યો હતો.

સોવિયેત સંઘના તાશ્કંદમાં મંત્રણા માટે જતા પહેલાં અખબારોના તંત્રીઓ સાથે શાસ્ત્રીએ બેઠક કરી હતી. તેમાં તંત્રીઓએ આ બે ચોકીઓ પર ભારતનો કબજો જળવાઈ રહે તે માટે કહ્યું હતું. શાસ્ત્રીએ કહેલું: હા, હું પ્રયત્ન કરીશ. સોવિયેત સંઘના પ્રમુખ કોશીજીને શાસ્ત્રીજીને વિનંતી કરી કે તમારે આ બે ચોકીઓ જતી કરવી પડશે. શાસ્ત્રીજીએ કહ્યું: ...તો પછી તમે બીજા કોઈ વડા પ્રધાન સાથે વાત કરી લો. એટલે કોશીજીને ભય બતાવ્યો કે તો પછી વાત સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં જશે. શાસ્ત્રીજી ઝૂક્યા અને કહ્યું કે અમે આ બે ચોકીઓ (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની તો વાત જ નથી, ભારતે જીતેલી બે ચોકીઓ પણ પાછી આપી દેવાની વાત છે) પાછી આપી દઈએ પણ પાકિસ્તાને કહેવું પડશે કે જે કંઈ વિવાદ હોય તેનો ઉકેલ યુદ્ધ કે હિંસાના બદલે મંત્રણાઓ દ્વારા જ લવાશે. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર જે તે વખતે તાશ્કંદ ગયા હતા તેમના મુજબ, છેલ્લી જે બેઠક થઈ તેમાં સંધિમાં શાસ્ત્રીજીને હથિયારોનો ઉલ્લેખ ન જોવા મળ્યો (એટલે કે પાકિસ્તાન હથિયારોનો ઉપયોગ નહીં કરે). શાસ્ત્રીજીએ નારાજગી બતાવી. આથી અયૂબ ખાને પોતાના હાથે શબ્દો ઉમેર્યા, શસ્ત્રોના ઉપયોગ વગર. 

તે પછી તત્કાળ ત્યાં જ શાસ્ત્રીજી ભારતીય પત્રકારોને મળ્યા. પત્રકારોએ બે ચોકી અંગે રોષ વ્યક્ત કર્યો. એક પત્રકારે તો ત્યાં સુધી કહી દીધું: તમે દેશને વેચી નાખ્યો છે. શાસ્ત્રીજીએ ત્યાર બાદ દિલ્હી પોતાના કુટુંબને ફોન કર્યો. શાસ્ત્રીજીનાં પત્ની લલિતાજીએ તેમના પતિ સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો! કારણ? તેમના પતિએ બે ચોકીઓ જતી કરી હતી! દેશમાં પણ શાસ્ત્રીજીની સામે રોષ હતો. તાશ્કંદમાં જ શાસ્ત્રીનું નિધન થઈ ગયું. જોકે તેમના નિધન પાછળ ઘણા લોકો ષડયંત્ર જુએ છે. તેમનો દેહ ભૂરો પડી ગયો હતો, વળી, સત્તાવાર અહેવાલ પ્રમાણે, તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું. કદાચ, સોવિયેત સંઘ એ વખતે નહેરુની નોન એલાઇન મૂવમેન્ટ (નામ) એટલે કે તટસ્થ રહેવાની નીતિથી નાખુશ હતું. શાસ્ત્રીજીએ પણ આ નીતિ ચાલુ રાખી હતી. વળી, ચીને ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરી હતી. એને ધ્યાનમાં લઈ સોવિયેત સંઘ ચીન અને અમેરિકા બંને સામે એશિયામાં પોતાનો પ્રભાવ બતાવવા માગતું હતું.

૮ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડી દેવામાં આવ્યા. હવે કાશ્મીરની જનતા પણ શેખ અબ્દુલ્લાને બહુ ભાવ આપતી નહોતી. જોકે પ્લેબિસાઇટ ફ્રન્ટની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. 

હવે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદે ૧૯૪૮માં જનમત સંગ્રહનું ડિંડવાણું ચાલુ કર્યું હતું જેને તે વખતે નહેરુએ સ્વીકાર્યું હતું. પણ તેમાં શરત એ હતી કે પાકિસ્તાન તેની સેના પાછી ખેંચી લે અને ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવે, પરંતુ પાકિસ્તાને તેની શરત ન પાળી તો પછી ભારતે પણ શરત ન પાળી. આના પછી વર્ષોવર્ષ યુએનની મહાસભામાં પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું અને ભારત તેનો જવાબ દેતું રહ્યું છે. જોકે, ૨૦૦૧માં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ કૉફી અન્નાને જ આ સુરક્ષા પરિષદના ઠરાવનો કોઈ અર્થ ન રહ્યાનું સ્વીકારી લીધું છે. (ક્રમશ:)

31-05-2015
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163831

ઈન્દિરાની નિષ્ફળતા: યુદ્ધ જીત્યાં, પણ કાશ્મીર પાછું ન મેળવ્યું
૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી ભારતને રાજદ્વારી રીતે (મંત્રણાના ટેબલ પર) જબરદસ્ત નુકસાન થયું હતું. ભારત રણમેદાનમાં તો જીત્યું, પરંતુ તે ન તો પોતાનું ગુમાવેલું કાશ્મીર (જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે) પાછું મેળવી શક્યું કે ન તો જીતેલી બે ચોકી મેળવી શક્યું. પરંતુ એક સારી વાત એ બની કે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનો રસ પ્રમાણમાં ઓછો થયો (જોકે વર્ષોવર્ષ તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવાની વાતો તો કરતા જ રહ્યા).

બીજી તરફ, પાકિસ્તાને અમેરિકા સાથે સૈન્ય જોડાણ કરવાનું મંજૂર કરતાં ભારતના ગૃહ પ્રધાન જી. બી. પંતે ઇ. સ. ૧૯૫૫માં જ જઈને સ્પષ્ટ ઘોષણા કરી દીધી હતી કે ભારત હવે જનમત નહીં કરાવે! (ભારતની આ આડોડાઈ જ હતી કેમ કે તેણે સંયુક્ત રાષ્ટ્રોમાં આ વાત મંજૂર રાખી હતી પરંતુ પાકિસ્તાન અમેરિકા પડખે ચડી રહ્યું હતું અને ભારતમાં સૈન્ય કાર્યવાહી દ્વારા બચેલા કાશ્મીરને બચાવવા માગતું હતું તેની સામે ભારતે જે કર્યું તે બરાબર જ કર્યું.)

ગયા હપ્તે કહ્યું તેમ, ૮ ડિસેમ્બર ૧૯૬૭ના રોજ શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરાયા, પણ હવે તેમની ચાહના ઘટી હતી. ૧૯૬૭માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સને પછાડી ૬૧ બેઠક મેળવી વિજય મેળવ્યો હતો. પ્લેબિસાઇટ ફ્રન્ટની ભારત વિરોધી પ્રવૃત્તિ ચાલુ જ હતી. ૧૯૬૮માં શૈખ અબ્દુલ્લાએ પ્લેબિસાઇટ ફ્રન્ટના નેજા હેઠળ રાજ્યના લોકોની સભા યોજી અને એ બતાવવા પ્રયાસ કર્યો કે કાશ્મીર મુદ્દો જીવંત જ છે. 

૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ પ્લેબિસાઇટ ફ્રન્ટ પર કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂકી દીધો. તે વખતે જવાહરલાલ નહેરુનાં પુત્રી અને નહેરુ કરતાં અનેકગણા મજબૂત ગણાતાં ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બની ગયા હતાં. 

દરમિયાનમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૨ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ મુખ્ય પ્રધાન જી. એમ. સાદિકનું અવસાન થયું. તેમના સ્થાને સૈયદ મીર કાસીમ મુખ્યપ્રધાન બન્યા. તેઓ પણ શેખ અબ્દુલ્લાના કુળના જ હતા. (અરવિંદ કેજરીવાલને ઉપદ્રવી ગૌત્રના કહેવાયા ત્યારે જેમ ઊંધો અર્થ કઢાયો હતો તેમ અહીં ઊંધો અર્થ ન કાઢવો, કુળના એટલે વિચારધારાના) અબ્દુલ્લાએ મહારાજા હરિસિંહ સામે કાશ્મીર છોડો આંદોલન આદર્યું ત્યારે તેમાં કાસીમે ભાગ લીધો હતો અને તેઓ જેલમાં પણ જઈ આવ્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી કાશ્મીર માટે અલગ બંધારણ ઘડાયું ત્યારે તેને ઘડવામાં કાસીમની અગ્ર ભૂમિકા હતી. તેમણે રાજ્યમાં કોંગ્રેસને આગળ લાવી. 

સૈયદ મીર કાસીમે આત્મકથા જેવું પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખ્યું છે કે બંધારણના મુસદ્દાને અંતિમ ઓપ આપવામાં વિલંબકારી પરિબળોમાં કેટલાંક હતાં: શેખ અબ્દુલ્લા પાગલ જેવા હતા. તેમના કેન્દ્ર સાથે (એટલે કે નહેરુ સાથે) સંબંધો સતત બદલાતા રહેતા. અમારા પણ તેમની સાથે મતભેદો હતા. તેમની ધરપકડ થઈ. સૈયદ મીર કાસીમ મુજબ, શેખ અબ્દુલ્લાને બદનામ કરવાનું કાવતરું તેમના પછીના નાયબ વડા પ્રધાન (અગાઉ લખ્યા મુજબ, પહેલાં કાશ્મીરમાં વડા પ્રધાનનો હોદ્દો હતો) બક્ષી ગુલામ મોહમ્મદ કેન્દ્ર સરકાર સાથે મળીને ઘડી રહ્યા હતા. શેખની ધરપકડ થઈ પછી બક્ષીને જ કાશ્મીરના નવા વડા પ્રધાન (હકીકતે મુખ્ય પ્રધાન) બનાવવામાં આવ્યા હતા. કાસીમ લખે છે કે શેખ અબ્દુલ્લાની ધરપકડના કારણે કાશ્મીરની પ્રજામાં જબરદસ્ત રોષ હતો. બક્ષીનું ઘર પણ હુમલાખોરોના નિશાન પર આવી ગયું હતું.

કાસીમ એક બીજો ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ કરે છે કે શેખની ધરપકડ નહેરુના ઈશારે નહોતી થઈ, પરંતુ તત્કાલીન ખાદ્ય અને કૃષિ પ્રધાન રફી એહમદ કિડવાઈના ઈશારે થઈ હતી. જ્યારે રાજ્ય આખામાં શેખની ધરપકડ ઉચિત છે અને ધરપકડ પાછળ કયાં કારણો છે તે સમજાવવાનું કામ બક્ષી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક રાત્રે દિલ્હીથી ફોન આવ્યો અને તેમાં કહેવાયું કે શેખસાહેબ સાથે સમાધાન કરી લો. જોકે નહેરુની ઈચ્છા વગર ત્યારે પાંદડું પણ હલતું હોય તે કલ્પવું અઘરું લાગે છે.

કાસીમ લખે છે કે બક્ષીસાહેબ તો સ્તબ્ધ બની ગયા! પ્રજામાં શેખની ધરપકડ સામે રોષ પ્રવર્તતો હોય અને બક્ષી તેનાં કારણો પ્રજાને ગળે ઉતારવા પરસેવો પાડી રહ્યા હોય તેવા વખતે આદેશ મળે કે શેખ સાથે સમાધાન કરી લો તો માણસ આઘાત જ પામી જાય ને. (માનો કે કાસીમનો આ બચાવ સાચો હોય તો પણ એ વડા પ્રધાન કેવા કહેવાય કે તેમના મંત્રી તેમની સંમતિ વગર જ ધરપકડનો આદેશ આપી દે અને તે પણ વડા પ્રધાનને અત્યંત વહાલી એવી વ્યક્તિની ધરપકડ?)

શેખને નહેરુ કેવા વહાલા હતા તેનું ઉદાહરણ આપતા કાસીમ લખે છે કે બક્ષી ગુલામ મોહમ્મદે આર. સી. રૈનાને અંગત સચિવ તરીકે નિમ્યા હતા. નહેરુએ આ વ્યક્તિની નિમણૂકનો વિરોધ કરતો પત્ર લખ્યો હતો. તેમના મત મુજબ, આ રૈના સારી પ્રતિષ્ઠા ધરાવતા નહોતા અને સૌથી વધુ તો, તેઓ શૈખના દુશ્મન હતા! (અત્યારે અરવિંદ કેજરીવાલ વિ. લેફ્ટ. જંગ અને કેન્દ્રનો જંગ ચાલે છે ત્યારે આ બાબત પણ નોંધવા જેવી છે કે નહેરુ અંગત સચિવની નિમણૂકમાં પણ હસ્તક્ષેપ કરતા હતા)

જ્યારે શેખ સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે બક્ષીએ સાદિક (તેમના પછીના મુખ્ય પ્રધાન) અને કાસીમને સમજાવ્યું કે તમે જો એમ માનતા હો કે શેખ સુધરી જશે તો તમે ભૂલ કરો છો. એક પત્ર બતાવ્યો. તે શેખનો હતો. આ પત્ર પાકિસ્તાનના કોઈ ગુલામ રસૂલને મોકલવામાં આવ્યો હતો. તેમાં લખાયું હતું: અમે બે કાતર અને અન્ય સાધનો ઝાડ કાપવા માટે મોકલી રહ્યા છીએ. આ સાધનો સાથે બગીચામાં સારી કાટછાંટ કરજો. મતલબ કે, શેખ તેમના સાથીઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ જ પત્ર બાદમાં શેખ સામે જે કાશ્મીર કોન્સ્પિરસી કેસ (જેના વિશે આપણે ૧૭ મે ૨૦૧૫ના લેખમાં લખી ગયા)માં પુરાવો બન્યો. 

સૈયદ મીર કાસીમ લખે છે કે રેડિયો પાકિસ્તાન અને રેડિયો આઝાદ કાશ્મીર પણ કાશ્મીરના લોકોને ભડકાવવામાં ભાગ ભજવી રહ્યો હતો. હઝરતબાલમાંથી વાળ ચોરાઈ ગયો ત્યારે હિંસા ભડકાવવા તેમજ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગજવવા માટે આ બંને રેડિયો સ્ટેશનોએ મોટી ભૂમિકા ભજવી હતી. ભારતના હિન્દુ શાસકો સામે જેહાદ છેડવાનું આહ્વાન પણ કરાયું હતું. (પાકિસ્તાન સહિત) છ મુસ્લિમ દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્રોના હસ્તક્ષેપ માટે વિનંતી કરાઈ રહી હતી. સીબીઆઈ ડિરેક્ટરે કાસીમને વાળની ચોરી અંગે પૂછ્યું ત્યારે જે પાંચ સંકેતો તેમણે આપ્યા હતા તેમાંનો એક હતો કે શેખે જેલમાં બેઠા આ ચોરી કરાવી છે જેથી તેમને મુક્ત કરવામાં આવે.

શેખને જ્યારે કાશ્મીર કોન્સિપરસી કેસમાં જેલમાંથી છોડાયા ત્યારે સાદિક અને કાસીમ તેમના નેશનલ કોન્ફરન્સના સમર્થકો સાથે કોંગ્રેસમાં ભળી ગયા હતા, કારણકે બક્ષી ગુલામ મોહમ્મદ તેમના સમર્થકો દ્વારા સાદિક અને કાસીમને સતત ઊભડક જીવે રાખી રહ્યા હતા. પરંતુ શેખે કોંગ્રેસ માટે બહુ જ મુશ્કેલી પેદા કરી દીધી હતી, ત્યાં સુધી કે કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો કે તેમના સંબંધીઓનાં મોત થાય તો તેને કબરમાં દફનાવા પણ ન દેવાય. અરે! કાસીમનાં માસીનું મૃત્યુ થયું ત્યારે શેખના એક સાથી બેગના ભાઈ સાંત્વના આપવા આવ્યા તે પણ શેખને પસંદ નહોતું પડ્યું. કાસીમ લખે છે કે જો મારી આવી હાલત હોય તો સામાન્ય કાર્યકરોની શું હાલત હશે?

આમ છતાં, જમ્મુ-કાશ્મીરની અને ભારતની જનતાનું દુર્ભાગ્ય જુઓ, શેખની આટલી બદમાશી છતાં માત્ર નહેરુ જ નહીં, અગાઉના હપ્તામાં લખ્યું તેમ મૃદુલા સારાભાઈ, રામમનોહર લોહિયા, અરે! જયપ્રકાશ નારાયણ પણ ઈચ્છતા હતા કે શેખનું મહત્ત્વ જળવાઈ રહે. કાસીમે લખ્યું છે કે જેપી તરીકે ઓળખાતા જયપ્રકાશ નારાયણ પણ શૈખથી ભારે મોહિત હતા. 

ઉપર કહ્યું તેમ ૧૯૬૮માં શેખે શ્રીનગરમાં કાશ્મીરના લોકોની સભા બોલાવી હતી અને તેમાં જેપી સહિત બિનકોંગ્રેસી નેતાઓને બોલાવ્યા હતા. તેનો હેતુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણને નકારવાનો અને જનમતસંગ્રહ અભિયાનને આગળ વધારવાનો હતો! શેખ પોતે ફરી કાશ્મીરના મુખ્ય પ્રધાન બનવા માગતા હતા. જેપી તેમાં હાજર રહ્યા, પરંતુ કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ અને જનસંઘ તેનાથી વેગળા રહ્યા. પ્લેબિસાઇટની ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે શૈખ અબ્દુલ્લા, અફઝલ બેગ અને જી. એમ. શાહને ૮ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી તડીપાર કરાયા અને તે પછી પ્લેબિસાઇટ ફ્રન્ટ પર ૧૨ જાન્યુઆરીએ પ્રતિબંધ મૂકી દેવાયો.

૧૯૭૧ના ડિસેમ્બરમાં પાકિસ્તાનના પૂર્વ ભાગ (હાલના બાંગ્લાદેશ)માં ઊથલપાથલ શરૂ થઈ હતી અને તેના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ છેડાયું. આ યુદ્ધ બાદ પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભૂટ્ટો અને ભારતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે સિમલામાં મંત્રણા થઈ. યુદ્ધમાં આપણે સિંધ અને પાકિસ્તાનના પંજાબના દક્ષિણ સહિત ઘણો વિશાળ ભાગ (૧૨ હજાર ચોરસ કિમી) જીત્યો હતો. પાકિસ્તાનના ૯૩ હજાર કેદીઓ આપણા કબજામાં હતા. 

પરંતુ તાશ્કંદની જેમ ફરી એક વાર આપણે મંત્રણાના મેજ પર હારી ગયા! આપણા કાશ્મીરનો પાકિસ્તાને ૧૯૪૭માં પચાવી પાડેલો ભાગ પાછો આપવા, આપણા કેદીઓ છોડાવવાની વાત સહિતના મુદ્દે આપણે પાકિસ્તાનને મનાવી ન શક્યા. પી. એન. ધારે ઇન્દિરા ગાંધી: ધ ઇમરજન્સી એન્ડ ઇન્ડિયન ડેમોક્રસી’ પુસ્તકમાં લખ્યું છે કે મંત્રણામાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા ડી. પી. ધાર અચાનક માંદા પડી ગયા અને તેમના સ્થાને પી. એન. હસ્કરે આગેવાની લીધી. તેમણે કાશ્મીર મુદ્દો સંડોવવા આડકતરો પ્રયાસ કર્યો અને સીઝ ફાયરની લાઇન (યુદ્ધવિરામની રેખા)ને લાઇન ઑફ કંટ્રોલ (અંકુશ રેખા) ગણાવવાનો મુદ્દો સામેલ કર્યો જે માટે પાકિસ્તાન (પોતે હારી ગયું હોવા છતાં) તૈયાર નહોતું. ૨ જુલાઈ, ૧૯૭૨ના રોજ મંત્રણા લગભગ પડી ભાંગી જ હતી. પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ અગાઉ લાઇન ઑફ કંટ્રોલ ગણવા હા પાડી દીધી હતી જે તેના અધિકારી ફગાવી રહ્યા હતા. પત્રકારો પણ મંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કરવા લાગ્યા. ત્યાં ભૂટ્ટોએ દાવ ખેલ્યો. તેઓ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા ગયા. 

અંગત મુલાકાતમાં એવું તે શું જાદુ કર્યું કે ઈન્દિરા ગાંધી તેમની વાત સાથે સંમત થઈ ગયાં! ઈન્દિરાએ બહાર આવીને કહ્યું કે આ જ એક માત્ર શક્ય ઉકેલ છે! આપણા લશ્કરે પોતાના જવાનોને શહીદ કરીને જીતેલા પ્રદેશો બિનશરતી રીતે પાછા આપી દેવાયા!

આપણે સોવિયેત સંઘને આપણું હિતેચ્છુ માનતા રહ્યા અને (આપણાં માધ્યમો, આપણી ફિલ્મોમાં) અમેરિકાને બૂરું ચિતરતા રહ્યા, પરંતુ તાશ્કંદમાં સોવિયેતે લુચ્ચાઈ કરી અને ભૂટ્ટો- ઈન્દિરા ગાંધીની મંત્રણામાં પણ તેણે પ્રભાવ ઊભો કર્યો. પાકિસ્તાને સેન્ટો (સેન્ટ્રલ ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) અને સીએટો (સાઉથ ઇસ્ટ એશિયા ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) સાથે સંધિ કરી હતી. ભૂટ્ટો એપ્રિલ, ૧૯૭૨માં મોસ્કો જઈને સોવિયેત સંઘ સાથે સોદો કરતા આવ્યા કે પોતે આ સંધિમાંથી નીકળી જશે અને બદલામાં તેણે ભારતને જીતેલા પ્રદેશો પાછા આપી દેવા દબાણ કરવું. તેના પછી તરત ભારતે તેના પ્રતિનિધિઓને મે ૧૯૭૨માં સોવિયેત સંઘ મોકલ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધી સોવિયેત સંઘની વાત પ્રત્યે બેધ્યાન હોય તેવું દેખાવા માગતા નહોતા. જી. પાર્થસારથીએ ટ્રિબ્યુન ભારતના ધ ટ્રિબ્યુન’ દૈનિકમાં લખેલા લેખ મુજબ, ઈન્દિરા ગાંધી તાશ્કંદ મંત્રણાથી સુપેરે પરિચિત હતાં. તે મંત્રણા પછી સોવિયેત સંઘ અને પાકિસ્તાન નજીક આવ્યા હતા અને બંનેએ સૈન્ય સંબંધ શરૂ કર્યા હતા. ગમે તેમ, પણ શાસ્ત્રીની જેમ ઈન્દિરા ગાંધી પણ સોવિયેતના દબાણમાં આવી ગયા હતા. (ક્રમશ:)