Monday, May 25, 2020

વિજ્ઞાનની દુનિયામાં ભારતનું મહાન અને પાયાનું પ્રદાન ‘શૂન્ય’ --- ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડને સમજવાના પાયામાં ભારતીય મનીષીઓનું યોગદાન ખૂબ જ ઉત્કૃષ્ટ છે. ભારતીય મનીષીઓએ જે શૂન્ય ૧,૨,૩....૯,૧૦ ના આંકડા, સંખ્યા પદ્ધતિ, દશાંશ પદ્ધતિ શોધી છે તે બેનમૂન છે, બેજોડ છે. જો ભારતીયોએ આ સંખ્યા પદ્ધતિ શોધી ન હોત તો કોઇ પણ વિજ્ઞાન આગળ વધી શક્યું જ ન હોત. ભારતીય આંકડા પદ્ધતિ વિષે આઇન્સ્ટાઇન શું કહે છે તે જાણો : "આખું જગત ભારતીયોનું ઋણી છે જેમણે શૂન્ય, આંકડા અને દશાંશ પદ્ધતિ શોધી આપણને ગણતરી કરતાં શીખવ્યું છે, નહીં તો વિજ્ઞાન આગળ વધ્યું જ ન હોત. ભારતીયોએ ૧૦/૫૭ એટલે કે એક પછી ૫૭ શૂન્ય ધરાવતી બધી સંખ્યાનાં નામો પણ આપ્યાં છે. જૈન ગ્રંથોમાં ૧૦/૧૪૨ સુધીની સંખ્યાનો ઉલ્લેખ છે.

જો ભારતીયોએ શૂન્ય દશાંશ પદ્ધતિ અને આંકડા ન શોધ્યાં હોત તો આપણે આ વિશાળ બ્રહ્માંડને કેવી રીતે સમજી શક્યા હોત. દૃશ્યવિશ્ર્વ ૧૪ અબજ પ્રકાશવર્ષની ત્રિજ્યા ધરાવે છે. એક પ્રકાશવર્ષ એટલે લગભગ દસ હજાર અબજ કિલોમીટર એટલે કે દૃશ્યબ્રહ્માંડની ત્રિજયા એક લાખ ચાલીસ હજાર અબજ અબજ કિલોમીટરની થાય. વિજ્ઞાનની ભાષામાં તે ૧૪ડ૧૦૨૨ કિલોમીટર લખાય. એટલે કે ૧૪ ઉપર ૨૨ શૂન્ય. તે જ પ્રમાણે સૂક્ષ્મ જગત પણ ૧૦-૧૩, ૧૦-૩૪ મીટર જેટલું સૂક્ષ્મ છે. ૧૦-૩૪ એટલે એકના છેદમાં એક ઉપર ૩૪ શૂન્ય થાય. પ્લાંક લંબાઇ ૧૦-૩૪ મીટર છે, અને પ્લાંક સમય ૧૦-૪૪ સેક્ધડ છે. ભારતીય આ આંકડા અને દશાંશ પદ્ધતિ પૂરું જગત રોજેરોજ વાપરે છે. શું દુનિયાના વિજ્ઞાનને ભારતનું આ મહાન અને પાયાનું પ્રદાન નથી? મશ્કરીમાં કહેવાય છે કે ભારતે આ આંકડા શોધ્યા ન હોત તો હજારો કરોડના સ્કેમ, પ્રોજેક્ટ અને બજેટ આપણને કેવી રીતે સમજાત? જેને દુનિયા પાયથાગોરસનો પ્રમેય કહે છે તે r2=x2 +y2
હકીકતમાં પાયથાગોરસે તે પ્રમેયની વાત કરી તે પહેલાં ૨૦૦ વર્ષ પહેલાં તેને ભારતીય ઋષિ બૌધાયને શોધ્યું હતું. પણ આપણને આપણી અસ્મિતાની જ જાણ નથી, તેમાં આપણે બીજા લોકોનો ક્યાં વાંક કાઢવાનો રહે? આ પાયથાગોરસ કે બૌધાયન પ્રમેય બ્રહ્માંડને માપવાની મેઝરિંગ ટેપ છે. તે ત્રિપરિમાણીય વિશ્ર્વમાં માપન કરે છે. આઇન્સ્ટાઇનની સ્પેશિયલ થીઅરીમાં સમય ચોથું પરિમાણ છે, પણ તેમાં પ્રવેગની વાત નથી અને તેથી તેનું વર્ણન કરવા ચાર પરિમાણવાળી યુક્લિડની ભૂમિતિ પૂરતી છે, જેમાં ચોથું પરિણામ સમય છે. પણ જ્યારે બ્રહ્માંડમાં પ્રવેગ હોય અને હકીકતમાં બ્રહ્માંડમાં થોડે અંશે બધે જ પ્રવેગ હોય જ છે, ત્યારે યુક્લિડીએતર ભૂમિતિ ((non-euclidean geometry) ની જરૂર પડે. આમ બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણને માપવા ચાર પરિમાણમાં યુક્લિડીએતર ભૂમિતિની પાર્શ્ર્વભૂમિમાં બૌધાયન પ્રમેય કાર્યરત છે. આટલું મોટું મહત્ત્વ ખગોળ-ભૌતિકશાસ્ત્રમાં બૌધાયન પ્રમેયે કે પાયથાગોરસ પ્રમેયનું છે. આ પ્રમેય જ અવાસ્તવિક સંખ્યાને જન્મ આપ્યો છે. આઇન્સ્ટાઇને જે ભૌતિકશાસ્ત્રમાં ક્રાંતિ આણી તેના પાયામાં બૌધાયન-પાયથાગોરસનો પ્રમેય છે. દુનિયાના વિજ્ઞાનમાં ભારતીય ઋષિનું આ મહત્ત્વનું યોગદાન છે.

દુનિયાનો સૌથી પ્રથમ ગ્રંથ ઋગ્વેદ પ્રાચીન ભારતીય ઋષિઓએ લખ્યો હતો.

દુનિયાની પ્રથમ વિશ્ર્વવિદ્યાપીઠ તક્ષશીલા અને પછી વિક્રમશીલા અને નાલંદા ભારતમાં સ્થપાઇ. સુશ્રુત, જીવક, ચરક, ચાણક્ય ત્યાં વિદ્યાર્થીઓ હતા અને પછી ત્યાં આચાર્યો થયા. આર્યભટ્ટ નાલંદા વિશ્ર્વવિદ્યાપીઠના કુલગુરુ હતા. સુશ્રુત સંહિતા, ચરકસંહિતા આજે પણ વિદ્યમાન છે અને તબીબીવિદ્યા અને ઔષધવિદ્યામાં પ્રકાશ પાડે છે. સુશ્રુત જાતજાતના ઓપરેશનો કરતાં. તેમણે ઓપરેશન માટે જાતજાતનાં ઉપકરણો વિકસાવ્યાં હતાં. ઋષિ કણાદે અણુ-પરમાણુ વિષે વિસ્તૃત સંશોધન કર્યું હતું જે આધુનિક વિજ્ઞાનીઓએ ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીના પ્રારંભે કર્યું. સહજાનંદ સ્વામીએ અઢારમી સદીમાં કહ્યું હતું કે કોઇ પણ રજકણના કોટીને કોટી ભાગ કરો તેમાં પણ અંતરીક્ષ છે. એટલે કે અણુમાં ડોકિયું કરી શકાય છે, તે સઘન નથી. આ અણુવિભાજનની વાત છે. ઋષિ જીવકે એ સ્પષ્ટ કર્યું હતું કે કોઇ પણ વનસ્પતિ નકામી નથી. તેનો રોગ નિવારવામાં ઉપયોગ છે. જીવક બિંબિસાર અને કનિષ્કના ફેમિલી ડૉક્ટર હતા.

દિલ્હીમાં કુતુબમિનારની નજીક જે લોહસ્તંભ છે તે સદીઓથી કટાયો નથી. પ્રાચીન ભારતમાં લોહશાસ્ત્ર ((metallurgy) નો જબ્બર વિકાસ થયો હતો. ભારતમાં જાતજાતની ગળીઓ બનતી અને ધાતુમાંથી ઉત્કૃષ્ટ આયના બનતા. દશમી સદીમાં થઇ ગયેલા નાગાર્જુને ઇમિટેશન જ્વેલરીનો પાયો નાખ્યો હતો આજે તે ઇલેક્ટ્રોપ્લેટિંગની ક્રિયાથી જાણીતી છે.

દુનિયાનું સૌપ્રથમ કેલેન્ડર ભારતીય અદિતિ કેલેન્ડર હતું

જે ૮૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયું હતું. પછી કૃષ્ણ ભગવાનના નિર્વાણ પછી કલિ કૅલૅન્ડર શરૂ થયું. વર્ષમાં જે દિવસે, દિવસ-રાત સરખા થાય દરેક બરાબર બાર-બાર કલાકના અને જે દિવસે સૂર્ય બરાબર પૂર્વમાં ઊગે તે વસંતસંપાતનો દિવસ કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમમાં ખસે છે અને દર વર્ષે તે ખૂણાની પ૦ સેક્ધડ ખસે છે જે ૭૨ વર્ષ એક અંશે ખસે તેની સૂક્ષ્મ જાણ પ્રાચીન ભારતીય મનીષીઓને હતી. જોકે તેમને વસંતસંપાતનું ચક્ર ૨૫૮૦૦ વર્ષનું છે તે ખબર ન હતી પણ આઠમી સદીમાં ભારતીય ઋષિ મુંજાલે વસંતસંપાત બિન્દુનું સમયચક્ર ૨૫૮૦૦ વર્ષ છે તે શોધી કાઢ્યું હતું. ૭૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત મૃગનક્ષત્રમાં થયોહતો તે ઋગ્વેદમાં સ્પષ્ટ છે. મહાભારતના યુદ્ધ સમયે વસંતસંપાતબિન્દુ કૃત્તિકાનક્ષત્રમાં હતું તે વેદવ્યાસ મુનિએ સ્પષ્ટ કર્યું છે. આપણા પ્રાચીન મનીષીઓને કયા દરે વસંતસંપાત પશ્ર્ચિમમાં ખસે છે તેની જાણ હતી અને તેની જગ્યા મહાભારત યુદ્ધ વખતે કૃત્તિકામાં હતી, અને ૨૦૦૦ વર્ષ પહેલાં તે મેષ રાશિમાં હતું. આમ કૃત્તિકાથી મેષ રાશિના કોણીય અંતરની જાણને લીધે આપણે કહી શકીએ કે મહાભારતનું યુદ્ધ ૫૦૦૦ વર્ષ પૂર્વે થયું હતું. તેવી જ રીતે વેદો લખાયા તે સમયે વસંતસંપાત બિન્દુ મૃગનક્ષત્રમાં હતું, તેથી મૃગનક્ષત્રથી મેષરાશિ સુધીના કોણીય અંતરની જાણને લીધે આપણે કહી શકીએ કે વેદો ૭૦૦૦ વર્ષ પૂર્વે લખાયા હતાં.

૨૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત બિન્દુ મેષરાશિમાં હતું. હાલમાં તે મીનરાશિના પ્રારંભે છે. વસંતસંપાત બિન્દુ જે રાશિ કે નક્ષત્રમાં હોય તે રાશિચક્રની પ્રથમ રાશિ બને છે. આમ જ્યારે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ સરકે છે તેનો અર્થ થાય પૂરું રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે. અને લગભગ ૨૦૦૦ વર્ષે પ્રથમ રાશિનો ઇલ્કાબ તેની પશ્ર્ચિમે રહેલી રાશિને મળે છે.

આમ શા માટે થાય છે તે જાણવું રસપ્રદ છે. પૃથ્વીની ધરી ૨૩.૫ અંશે વાંકી છે, ઢળેલી છે. ઉપરાંત પૃથ્વી તેની ભૂમધ્યરેખા પર ફૂલેલી છે. તેથી સૂર્ય અને ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ બળો તેને સીધી કરવા મથે છે. પણ પૃથ્વી ખૂબ વજનદાર હોવાથી તેની ધરી સીધી થઇ શકતી નથી અને ઘૂમતા ભમરડાની માફક હાલક-ડોલક થાય છે અને આકાશમાં નાનું વર્તુળ બનાવે છે. પૃથ્વીની આ ગતિને પૃથ્વીની પરાંયન ગતિ કહે છે. જે તારો પૃથ્વીની ધરીની સીધી રેખામાં હોય છે તે પૃથ્વીનો ધ્રુવનો તારો બને છે. આમ પૃથ્વીની ધરી જે આકાશમાં નાનું વર્તુળ બનાવે છે, તે વર્તુળ પર જે તારો હોય તો તે જ્યારે પૃથ્વીની ધરી તેની દિશામાં આવે છે, ત્યારે તે તારો ધ્રુવનો તારો બને છે.

ભૂતકાળમાં ૨૦૦૦ વર્ષ પહેલાં શેષનાગ તારામંડળનો થુબન નામનો તારો આપણો ધ્રુવતારો હતો. હાલમાં નાના રીંછની પૂંછડીએ આવેલો તારો ધ્રુવતારો છે. ૧૧૦૦૦ વર્ષ પછી સ્વરમંડળનો અભિજિત તારો આપણો ધ્રુવતારો બનશે. આવું બધું ઉચ્ચજ્ઞાન આપણા પ્રાચીન મનીષીઓને હતું. ધ્રુવતારો બદલાતો રહે છે તેવું જ્ઞાન આપણા ઋષિઓને હતું.

સામાન્ય રીતે આપણે પૃથ્વીને દડા જેવી ગોળ લઇએ છીએ. તે પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે. પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી તેની સપાટી પરનું દરેકે દરેક બિન્દુ તેની સપાટીનું કેન્દ્ર ગણાય અને હકીકતમાં કોઇ પણ બિન્દુ તેનું નિરપેક્ષ કેન્દ્ર નથી.

ભારતીય મનીષીઓને ચંદ્રની કળાએ મહિનો આપ્યો. ભારતીય કેલેન્ડર પ્રમાણે સૂર્યોદય થાય ત્યારે દિવસનો પ્રારંભ થતો, તિથિનો પ્રારંભ થતો. ચંદ્ર જ્યારે સૂર્યથી ૧૩ અંશ દૂર જાય એટલે તિથિ બદલાતી. જો તે સૂર્યોદય વખતે ૧૩ અંશથી વધારે ચાલી ગયો હોય તો તિથિનો ક્ષય થતો અને જો તે હજુ ૧૩ અંશ ચાલી ન ગયો હોય તો તિથિ બેવડાતી. આ હકીકતમાં નિરીક્ષણાત્મક રીતે કેપ્લરના નિયમો છે, કારણ કે કેપ્લરના નિયમો પ્રમાણે પૃથ્વી ફરતે ચંદ્ર અને સૂર્ય ફરતે ગ્રહ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમા કરતા નથી, પણ દીર્ઘવર્તુળ (લંબવર્તુળ - ઊહહશાતય) કક્ષામાં પરિક્રમા કરે છે. માટે તે તેના પિતૃ આકાશીપિંડથી કોઇ વાર ઘણા નજીક હોય છે અને તેની અર્ધીકક્ષા પછી તે તેના પિતૃઆકાશીપિંડથી દૂર હોય છે. જ્યારે તે તેની પિતૃઆકાશીપિંડથી નજીકમાં હોય છે ત્યારે તેને પોતાને ટકાવી રાખવા જલદીથી ગતિ કરવી પડે છે અને જ્યારે તે તેના પિતૃઆકાશીપિંડથી દૂર હોય છે ત્યારે તે ધીરે ધીરે ગતિ કરે છે. માટે તેનો પિતૃઆકાશીપિંડના નજીકના બિન્દુએ આવતો હોય ત્યારે તિથિનો ક્ષય થાય છે,જ્યારે દૂરના બિન્દુએ હોય ત્યારે તિથિ બેવડાય છે. આ પૂર્ણ રીતે કેપ્લરના નિયમો છે, જે નિરીક્ષણાત્મક રીતે તેમને ખબર હતી.

પ્રાચીન ભારતીય મનીષીઓને એ પણ ખબર હતી કે ચંદ્ર જ્યારે આકાશમાં પૂનમથી પૂનમ કે અમાવસ્યાથી અમાવસ્યા સુધીમાં એક ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે અને ચંદ્ર જ્યારે આકાશમાં બાર ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય આકાશમાં એક ચક્ર લગાવી તેની પ્રારંભની રાશિમાં આવે છે. આને આપણે વર્ષ કહીએ છીએ. આમ વર્ષના ૧૨ મહિના થયા. મહિનાના બે ભાગ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ છે. શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ઘટે છે. શુક્લ પક્ષના પણ બે ભાગ થાય છે. પડવેથી અષ્ટમી સુધીનો અને અષ્ટમીથી પૂર્ણિમા સુધીનો. તેવી જ રીતે કૃષ્ણ પક્ષના પણ બે ભાગ થાય છે. પૂર્ણિમા પછીની પડવેથી અષ્ટમી અને અષ્ટમીથી અમાસ. આપણા પ્રાચીન મનીષીઓને અતિસૂક્ષ્મ સમયની ગણનાની પણ ખબર હતી. નિમિષમાત્ર એટલે એટલો સમય જે આંખના પલકારામાં પસાર થતો સમય. તેનાથી પણ સૂક્ષ્મ સમયગણના તેઓ કરી શકતા.

ચંદ્રને તારાના સંદર્ભે પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતાં ૨૭.૫ દિવસ લાગે છે, પણ પૂનમથી પૂનમના સંદર્ભે તેને ૨૯.૫ દિવસ લાગે છે, કારણ કે પૃથ્વી તે દરમિયાન ૩૦ અંશ ચાલી ગઇ હોય છે તેથી પૂનમથી પૂનમ સુધી પહોંચતા તેને ૨૯.૫ દિવસ લાગે છે. માટે ચાંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ ૩૬૫ દિવસનું હોય છે, ખરેખર તો ૩૬૫.૨૪૫ દિવસનું હોય છે. આમ દર વર્ષે ચાંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષમાં લગભગ ૧૧ દિવસનો ફરક પડે છે. આ બંને ગતિનો મેળ બેસાડવા પ્રાચીન ભારતીય મનીષીઓએ દર ત્રણ વર્ષે અધિક માસની સ્થાપના કરી. અધિકમાસનો ઉલ્લેખ છ હજાર વર્ષ પૂર્વે લખાયેલા ઋગ્વેદમાં છે. એટલે કે ભારતીયો ૬૦૦૦ વર્ષ પૂર્વે સૂર્ય, ચંદ્રની ગતિવિધિ વિષે બરાબર જાણતા હતા. આ ખરેખર મહાન વાત છે. એમાં દિવસના પણ સૂક્ષ્મ વધારાને દિવાળીના દિવસોમાં ધોકા તરીકે બેસાડી દીધો જેથી નામ વગરના દિવસ વિષે કોઇ વધારે પડાપૂછ કરે નહીં. અધિકમાસને તેમણે પુરુષોત્તમ (વિષ્ણુ)ના મહિના તરીકે ઓળખાવ્યો જેથી તેઓ ઇશ્ર્વરની ભક્તિ કરે અને કથાઓ અને પુરાણો સાંભળી ભારતીય સંસ્કૃતિને સ્વસ્થ રાખે.

ગે્રગોરિયન કેલેન્ડર એ ગમે તેમ બેસાડેલું કૅલૅન્ડર છે. તેમાં ૭ મહિના ૩૧ દિવસના અને ચાર મહિના ૩૦ દિવસના, ફેબ્રુઆરી ૨૮ દિવસ અને દર ચાર વર્ષે લીપ યર જેમાં ફેબ્રુઆરી ૨૯ દિવસનો હોય છે. જો સદીનું વર્ષ ૪૦૦એ ન ભગાય તો ૨૮ દિવસનો ફેબ્રુઆરી જો ૪૦૦થી ભગાય તો તે વર્ષ લીપ યર એટલે કે તે વર્ષમાં ફેબ્રુઆરી ૨૯ દિવસનો. આમ ગ્રેગોરિયન કૅલૅન્ડરમાં ૩૬૫.૨૪૫ દિવસ બેસાડી દીધો છે. જુલાઇ, ઑગસ્ટ પાસે પાસેના મહિના ૩૧ દિવસના. આમ તેમાં કોઇ તર્ક નથી. તેમ છતાં એ સારું કૅલૅન્ડર છે.

http://bombaysamachar.com/epaper/e24-2-2019/UTSAV-SUN-24-02-2019-Page-10.pdf

No comments:

Post a Comment