Tuesday, February 10, 2015

How to use a consultant --- Devdutt Pattanaik

http://devdutt.com/articles/indian-mythology/how-to-use-a-consultant.html

http://articles.economictimes.indiatimes.com/2014-11-14/news/56092866_1_rishi-consultants-forest

When we read the Puranas, one little detail catches your attention. There are sages in the forest known as rishis who continuously visit kings or rajas, or there are rajas continuously visiting the hermitages of rishis. One can see the relationship between the rishi and the rajas as one between a consultant and a CEO of an organisation. The stories reveal how the relationship can benefit both rishi and raja.
The rishi and the raja belong to two different worlds. The rishi lives in the forest and travels from kingdom to kingdom, never staying in a human settlement for more than a day, except during the four months of the rainy season. His travel across kingdoms exposes him to different ways of governance. His stay in the forest forces him to realize the gap between nature and culture, the ways of the jungle and the rules of the kings. Kings stay trapped in their kingdom, with little or no exposure to the modes of governance other than their own. They can stay complacent with their own knowledge or learn better skills and take advise from the rishis.
In modern society, consultants play a key role in corporations. Reasons vary. One CEO of a pharmaceutical company revealed that he saw consultants as wild wolves of the forest, while employees as domesticated dogs of the village. When the latter gets too complacent, he gets the wolves in to shake up the system. It kept the dogs on alert. Another CEO of an FMCG company saw consultants as auditors: external eyes that told him what his own people would not tell. They provided him with a fresh perspective of his own organisation, his market and his own strategy. In a software company, consultants were used for projects for which the organisation did not want to hire employees; they provided skilled labour, nothing else. Of course, most CEOs agree that consultants are a powerful fig leaf to take tough decisions; they fire guns using the capable branded shoulders of esteemed consultants and get away with ruthless decisions that would otherwise not meet approval of the board and make them infamous in the company.
There is a famous joke that a consultant tells you what you already know and charges you for it. It is a joke cracked by people who do not know how to use a consultant. People often see the consultant for a doctor who solves problems. He is expected to deliver a cure for a sickness: give the magic potion that will give children to the childless king. In the Mahabharata, when Drupada seeks a solution for his problem from the rishi called Upayaja, the rishi tells the king to go his brother Yaja who will do the needful for ‘he seeks earthly pleasures and so will give you what you seek’. Thus the problem-solving rishi is seen as a separate, even inferior quality, of rishi. A more genuine rishi only offers the kings clarity, better frameworks for decision-making, possibilities, points of views, and draws attention to consequences of various approaches. He leaves the decision to the king. When a CEO seeks solutions, he is essentially giving up his responsibility as the decision-maker. He ends up outsourcing decision-making and de-risking himself from failure by creating a fall guy or scapegoat in the consultant. The rishi, source of knowledge, but not of solutions, does not care either way for he is steadfast in mind and body, indifferent to success and failure. In indulging this fear of failure, a king stops beings a king and the sage stops being a sage.
The idea of consultants being equated with rishis may be to the liking of many people. For the rishis are visualised as being other worldly and non-materialistic while consultants are very much part of profit-making consulting firms: one is always wondering whose organisation does a consultant’s advise benefit, the client’s or the consulting firm’s. In stories, rishis are not as non-materialistic as we are given to believe. The rishis are practical. They need material support from kings in order to survive in the jungle: cows, wives, maybe soldiers to protect them from hostile demons of the forest. But it is not quite a consultant fees which is payment for services rendered.
In a rishi-raja relationship the gift to the rishi is not dependent on the quality or quantity of advise given as in the consultant-corporation relationship: a raja is obliged and duty-bound by tradition to take care of the rishis and the rishi is obliged and duty-bound not to ask for anything beyond basic survival needs. In the modern world of consultancy, unfortunately, the advisor has a meter ticking. Every minute is charged. He wants to increase billing hours while the CEO wants to keep costs low. The result is that somewhere in the relationship the conversation becomes fake as money takes its toll.

અતીતની કસોટીઓ અનિવાર્ય હતી --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146417

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને જે નાચ્યો હોવાનું કહેવાય છે તે જર્મન મહાકવિ ગટે લખે છે: ‘કુદરતની એક ખૂબ મોટી કૃપા એ છે કે જિંદગીમાં ખાલી પડતી જગ્યાઓ હંમેશાં પુરાઈ જતી હોય છે.’

અવકાશો વારંવાર સર્જાતા રહે છે જીવનમાં. કોઈકના જવાથી, કશુંક ન મળવાથી કે અણધારી ઘટનાઓ બનવાથી સર્જાતા શૂન્યાવકાશો કાયમી નથી હોતા. એ કાયમી નથી હોતા એ જ મોટું આશ્ર્વાસન છે. પણ આવું સાંત્વન શૂન્યાવકાશની ઘડી સર્જાઈ રહી હોય ત્યારે કોઈકના તરફથી મળતું હોય તો તે પોકળ ભાસે, કારણ કે નિરાશાની એ ઘડીએ લાગે છે કે ફરી ક્યારેય આ ખાઈમાંથી બહાર આવી નહીં શકાય. મન થાકેલું હોય, ભવિષ્યમાં કાળાં વાદળાં સિવાય બીજું કશું જોઈ શકાતું ન હોય અને હૃદયમાં વીતેલા સમયે આપેલા જખમો રૂઝાયા ન હોય ત્યારે આ ભારેખમ દિવસો અનંત લાગે. બસ, હવે વધારે સમય દર્દ સહન નહીં થાય એવું મન કહેતું રહે છે, છતાં એક પછી એક ગાંસડીઓ એના પર ખડકાતી જાય છે. મન મજબૂત છે. ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવું મનની બાબતમાં નથી હોતું. આવી જાઓ, જેણે જેટલું પજવવું હોય એટલું પજવી લો - મન મનમાં ને મનમાં બોલતું હોય છે. દિવસો વીતતા જાય છે અને અઠવાડિયાઓ પણ. કમાલ છે, હજુ આપણે મુરઝાયા નથી. અત્યારે ખીલી શકતા નથી એ વાત અલગ છે પણ કરમાઈ ગયા નથી એ ભગવાનની કેટલી મોટી કૃપા. ઝૂકી જવું પડ્યું અને વળી જવું પણ પડ્યું, પણ બટકી ગયા નથી કે તરડાઈ ગયા નથી એ કેટલી મોટી વાત. આવા દિવસો વીતાવ્યા પછી પણ અંદરની જાતને અકબંધ જોઈએ છીએ ત્યારે આ આશ્ર્વાસન કામ લાગે છે: આ દિવસો પણ જશે.

હૃદયને જખ્મી કરનારી ઘટના વખતે સર્જાતા દર્દ કરતાં એ દર્દનો લાંબા સમય સુધી સંભળાયા કરતો ઘેરો રણકાર વધુ પીડાદાયી હોય છે. આવી લિન્ગરિંગ ફીલિંગમાંથી રાતોરાત બહાર આવવું અશક્ય, કદાચ બિનજરૂરી પણ ખરું. બિનજરૂરી એટલા માટે કે એ રણકારનો છેવટનો સૂર શમી ન જાય કે એની અસર જડમૂળમાંથી નાશ ન પામે તો શક્ય છે કે ફરી એકવાર એ બીજમાંથી વેદનાની કૂંપળ ફૂટે. એના કરતાં ભલે થોડીવાર લાગે પણ દર્દની સહેજ પણ કસર બાકી ન રહે તે સારું.

જે જાય છે કે જે પૂરું થઈ જાય છે તે નકામું જ હતું એવું માનવું જરૂરી નથી. ભગવાન તમને જ્યાં સુધી લઈ જવા માગે છે ત્યાં સુધી પહોંચવા માટે અતીતની આ તમામ કસોટીઓમાંથી પસાર થવું અનિવાર્ય હતું. કશું પણ પૂરું થઈ જવાથી ભવિષ્ય પર ચોકડી મુકાઈ જતી નથી. વર્ષોથી જેની દહેશત હોય એ ઘટના છેવટે બની રહી હોય તે વખતે બધું જ એકાએક થઈ રહ્યું હોવાની

લાગણી જન્મે છે. પણ ફરી વિચારતાં લાગે છે કે કશુંય એકાએક થતું નથી. કાળનું સર્જન ધીમી પણ નિશ્ર્ચિત ગતિએ સતત થતું રહે છે. આપણું ધ્યાન એ તરફ હોય કે ન હોય, એકાએક બનતી લાગતી ઘટનાઓનું પિંડ વર્ષોથી ઘડાતું આવતું હોય છે.

વિષાદમાં ડૂબી જવાતું હોય, દિશાહીન થઈ ગયા હોવાનું લાગતું હોય ત્યારે સૌથી પહેલો પ્રયત્ન દિશા શોધવાનો ન કરવાનો હોય, ડૂબવામાંથી જાતને ઉગારી લેવાનો કરવાનો હોય. એક વખત માથું પાણીની બહાર રાખી શકીએ તો દિશા કઈ તરફની છે તે વાત ગૌણ બની જાય. ડૂબવામાંથી ઉગરવું કે ચોક્કસ દિશા શોધવાનો પ્રયત્ન કરવો - આ બે જ વિકલ્પ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રથમ વિકલ્પને પ્રાધાન્ય હોય, બીજા વિકલ્પનો સમગ્ર આધાર પ્રથમ વિકલ્પમાંના પ્રયત્નોની સફળતા પર છે.

જોખમ હવે પછી આવનારા બેઉ વિકલ્પોમાં છે પણ આગળ વધવાની શક્યતા બીજા વિકલ્પમાં છે. દસ ફૂટ પહોળાઈનો ખાડો આવે ત્યારે પાછા ફરી જવાનો વિકલ્પ તમારી પાસે છે. એવું કરવાથી ફરી જ્યાં હતા ત્યાં જ આવીને બેસી રહેવું પડશે. બીજો વિકલ્પ એને પાર કરવાનો છે. એને ઓળંગવા જતાં તમારો કૂદકો ઓછો પડે ને તમે વચ્ચે જ પટકાઈ જાઓ એવું બને. બની શકે. પણ એ ખાડો પાર કરી શકો તો આગળ એક વિશાળ ખૂબસૂરત મહામાર્ગ તમારા માટે તૈયાર છે એની તમને ખબર છે.

આજનો વિચાર

જ્યાં ભયનો અંત આવે છે ત્યાંથી જિંદગીનો આરંભ થાય છે.

- ઓશો

એક મિનિટ!

હવાલદાર: જનાબ અમે શરાબથી ભરેલી ટ્રક પકડી લીધી છે.

ઈન્સ્પેક્ટર: શાબાશ.

હવાલદાર: હવે શું હુકમ છે, સર?

ઈન્સ્પેક્ટર: હવે એક ટ્રક સોડાની અને એક ટ્રક નમકીનની પણ પકડી લો.

સરળ રસ્તા અજમાવનારા શાસકો પ્રજાને સુખી કરી શકે --- સુખનો પાસવર્ડ - આશુ પટેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149131




સુખનો પાસવર્ડ - આશુ પટેલ


એક નગર બહુ વિકાસ પામ્યું અને એ નગરની સીમાનો વિસ્તાર પણ નગરની હદમાં આવી ગયો. એ નગર બહુ વ્યવસ્થિત રીતે વિકસિત થયું હતું, પણ સીમાનો પ્રદેશ નગરની હદમાં આવી ગયો અને એક તબક્કે એ વિસ્તાર નગરના હાર્દ સમો બની ગયો. પણ એ વિસ્તારના વિશાળ ચોકમાં એક મોટી શીલા પડી હતી. એ વિશાળ પથ્થર ચોકના રસ્તાની વચ્ચોવચ આવતો હતો અને બળદગાડા અને ઘોડાગાડીઓની અવરજવરમાં બહુ અવરોધ ઊભો કરતો હતો.

નગરના સત્તાધીશોએ મોટા મોટા એન્જિનિયર્સને બોલાવીને તેમની મદદ માગી અને એ વિશાળ પથ્થરને હટાવવા માટે કેટલો ખર્ચ થશે એનો અંદાજ માગ્યો.

એક એન્જિનિયરને કહ્યું, "આ પથ્થર એટલો મોટો છે કે એને હટાવવો તો બહુ મુશ્કેલ છે એટલે એને સુરંગ ફોડીને તોડવો પડશે પછી એના નાના નાના ટુકડા થઈ જશે. એના માટે બહુ મોટું બજેટ રાખવું પડશે.

બીજા એન્જિનિયરે કહ્યું, "આ પથ્થરની નીચે એક ભૂંગળું નાખીને એનાથી ધીમે ધીમે સરકાવીને એને ખસેડી શકાય. એ એન્જિનિયરે પણ બહુ મોટું બજેટ માગ્યું.

ત્રીજા એન્જિનિયરે વળી બીજા તુક્કાઓ અજમાવ્યા. પણ દરેક એન્જિનિયરની એક વાત કોમન હતી કે એ વિશાળ પથ્થર હટાવવા માટે બહુ મોટી રકમ ખર્ચવી પડશે.

એન્જિનિયર્સ પથ્થરને હટાવવા માટે પોતપોતાના ભવ્ય આઈડિયાઝ આપી રહ્યા હતા અને તોતિંગ બજેટ માગી રહ્યા હતા એ વખતે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા. બધા એ જાણવા માટે આતુર હતા કે આ પથ્થર કઈ રીતે અને કેટલો જલદી હટાવી શકાશે.

એન્જિનિયર્સના ઘુવડ જેવા ચહેરા અને પેલા વિશાળ પથ્થરથી પણ વધુ ભારેખમ આઈડિયાઝ અને એથીય વધુ ભારે રકમના બજેટ સાંભળીને લોકો નિરાશ થઈ ગયા કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે.

એ વખતે એક ખેડૂત આગળ આવ્યો. તેણે કહ્યું કે, "આ પથ્થર હટાવવા માટે આટલી મોટી રકમ ખર્ચવાની જરૂર નથી.

એન્જિનિયર્સે એ ખેડૂતની હાંસી ઉડાવી. તેમણે કહ્યું કે, "આવા કામમાં તારી બુદ્ધિ ના ચાલે. આ પથ્થર હટાવવાનું કામ અમારા માટે પણ બહુ ભગીરથ છે.

ખેડૂતે એ અભિમાની એન્જિનિયર્સના શબ્દોની પરવા કર્યા વિના કહ્યું કે, "આ પથ્થર હું હટાવી દઈશ. મને માત્ર સો રૂબલ આપજો.

એન્જિનિયર્સ કંઈક બોલવા જતા હતા, પણ પથ્થરના અવરોધથી કંટાળેલા લોકોએ ખેડૂતને કહ્યું કે, "અમે તને સો રૂબલ આપીશું, તું આ પથ્થર હટાવી દેતો હોય તો.

ખેડૂતે પેલા વિશાળ પથ્થરની બાજુમાં ખાડો ખોદવાનું ચાલુ કર્યું. એમાંથી નીકળતી ધૂળ તે સડક પર પાથરતો ગયો.

તે ખેડૂતે પેલા પથ્થરથી મોટી સાઈઝનો ખાડો ખોદયો એ પછી પથ્થરને સહેજ અમથો સેરવીને ખાડામાં નાખી દીધો.

એન્જિનિયર્સ ડાચા વકાસીને જોઈ રહ્યા હતા. ખેડૂતે સડક પર પાથરેલી માટી પેલા ખાડામાં પડેલા પથ્થર પર નાખી દીધી અને ત્યાં સમથળ રસ્તો બની ગયો!

ખેડૂતને સો રૂબલ મળી ગયા. પણ આટલી ચતુરાઈપૂર્વક આટલો સહજ રસ્તો શોધી કાઢવા માટે લોકોએ બીજા સો રૂબલ એકઠા કરીને તેને ઈનામરૂપે આપ્યા.

* * *

આ વાર્તા મહાન રશિયન લેખક લિયો તોલ્સતોયની છે. આ વાર્તાનો અંગ્રેજીમાંથી અક્ષરશ: અનુવાદ કરવાને બદલે થોડા શબ્દોના ફેરફાર સાથે અહીં મૂકી છે. લિયો તોલ્સતોયે આ વાર્તા થકી વેધક કટાક્ષ કર્યો છે. ઘણી સામાન્ય સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરળ રસ્તાઓ અજમાવવાને બદલે મોટાભાગના ચશ્મિસ્ટ બૌદ્ધિકો, સરકારી અધિકારીઓ અને સરકારો આંટીઘૂંટીભર્યા રસ્તાઓ અજમાવે છે અને અંતે તો પબ્લિકનાં ખિસ્સાં ખાલી કરે છે, એટલે કે દેશની તિજોરીને લૂંટે છે.

તોલ્સતોયની આ વાર્તામાં ખેડૂતને બહુ સહજતાથી સરળ ઉકેલ લાવતો દર્શાવાયો છે. આ ખેડૂત જેવા સહજ અને સરળ શાસકો હોય તો પ્રજા સુખી થઈ શકે.

બ્રહ્માંડમાં કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=144451





બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


આપણા સાહિત્યમાં કહેવત છે કે શેર માથે સવા શેર. એટલે કે શેર મોટો નથી. તેના પર સવાશેર છે. તેના પર દોઢ શેર છે. માટે માની નહીં લેવું કે દોઢ શેર સૌથી મોટો છે. આપણા સાહિત્યમાં બીજી પણ સરસ વાત છે કે નાનાને નાનું નહીં સમજવું. કીડી નાની છે તેમ છતાં તે કાળા નાગના પ્રાણ હરી શકે છે. કીડી કાળા નાગનો પ્રાણ જ લે આપેર. એક નાનું મચ્છર પણ જો હાથીના કાનમાં ઘૂસી જાય તો તે તેને ગાંડો કરી મૂકી શકે છે. તે માથા પછાડી પછાડી મરી જાય છે.

અણુની નાભિ મિલીમીટરનો દશ અબજમો ભાગ છે. મિલીમીટર આપણા માટે તદ્દન નાનું ગણાય, પણ અણુની નાભિ કરતાં તે દશ અબજગણું મોટું છે. અણુની નાભિ કરતાં અણુ પોતે એક લાખ ગણું મોટું છે. પણ અણુ મિલીમીટર કરતાં એક લાખ ગણું નાનું છે. એટલે કે અણુની નાભિ કરતાં અણું એક લાખ ગણું મોટું છે. માટે તેને માની લઈએ તો મિલિમીટર તેના કરતાં પણ એક લાખ ગણું મોટું છે. આમાં કોને મોટું સમજવું અને કોને નાનું સમજવું?

આપણી પૃથ્વી આપણને કેટલી બધી મોટી લાગે છે. પૂરા જીવન દરમિયાન પણ આપણે તેને પૂરી જોઈ શકતાં નથી. ભલે આપણે મોટર કે વિમાન લઈને ઘૂમીએ. પણ જયારે આપણે સૂર્ય સામે જોઈએ તો માલૂમ પડે કે તે તો પૃથ્વી કરતાં ઘનફળમાં ૧૩ લાખ ગણો મોટો છે. એટલે કે સૂર્ય એટલો મોટો છે કે તેમાં ૧૩ લાખ પૃથ્વી સમાઈ જાય. તરત જ આપણું પૃથ્વીના મોટાપણા વિષે માન ઊતરી જાય છે અને ખબર પડે કે આવડી મોટી દેખાતી પૃથ્વી તો સૂર્ય પાસે કાંઈ જ નથી. આમ સૂર્ય ખરેખર મોટો છે પણ જયારે આપણે આપણી આકાશગંગા મંદાકિની સામે જોઈએ તો ખબર પડી કે આકાશગંગા મંદાકિની એટલી બધી મોટી છે કે તેમાં ૫૦૦ અબજ સૂર્યો છે અને બે સૂર્ય એકબીજાને અડીને નથી પણ બે સૂર્યો વચ્ચે સરાસરી અંતર ૪૫૦૦ અબજ કિલોમીટરનું છે. આપણી મંદાકિનીમાં સૂર્યની સ્થિતિ વિશાળ રેતીના રણમાં રેતીના એક કણ જેવી છે. તરત જ આપણને સૂર્યના મોટાપણા વિષે માન ઊતરી જાય છે અને ખબર પડે કે ભાઈ સૂર્ય તો કાંઈ જ નથી આપણી મંદાકિની ખૂબ મોટી છે. આપણે આપણી આકાશગંગાને મોટી માનવા લાગીએ. પણ આપણી આકાશગંગા મંદાકિનીની પડોશી મંદાકિની દેવયાની મંદાકિની આપણી મંદાકિનીથી એટલી બધી મોટી છે કે તેમાં ૨૦૦૦ અબજ સૂર્યો છે અને તેના કોઈ પણ બે સૂર્ય વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કિલોમીટર છે. ત્યારે થાય કે આપણી આકાશગંગા મંદાકિની, દેવયાની મંદાકિની પાસે કાંઈ જ વિસાતમાં નથી. તો થાય કે દેવયાની મંદાકિની મોટી પણ આપણા બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિની છે અને બે મંદાકિનીઓ વચ્ચે સરાસરી અંતર ૨૨,૦૦૦૦ લાખ અબજ કિલોમીટર છે ત્યારે થાય કે હકીકતમાં તો બ્રહ્માંડ સૌથી મોટું છે. પણ બ્રહ્માંડ પણ દર ક્ષણે પ્રતિ સેક્ધડના ૩ લાખ કિલોમીટરની ઝડપે દરેક દિશામાં વિસ્તૃત થાય છે. તેને માપવા જાવ અને સેક્ધડમાં દરેક દિશામાં ૩ લાખ કિલોમીટર વધી જાય.

બ્રહ્માંડમાં આવડી મોટી મંદાકિની માત્ર એક બિન્દુ જેવી છે. મંદાકિનીમાં આવડા મોટા સૂર્યો માત્ર એક બિન્દુ જેવાં છે. સૂર્યમાળામાં સૂર્યની ફરતે પરિક્રમા કરતાં ગ્રહો માત્ર બિન્દુરૂપ છે. ગ્રહો પર આપણે બિન્દુરૂપ છીએ. આપણે વળી મચ્છર, કીડી કે બેકટેરિયાને બિન્દુરૂપ માનીએ છીએ તો, સાચું બિન્દુરૂપ શું? મંદાકિની, સૂર્ય, પૃથ્વી, આપણે કે બેકટેરિયા? બધાં જ પોતપોતાના સ્તરે મોટા છે અને બધાં જ પોતપોતાના સ્તરે નાના છે. માટે નાનાને નાના નહીં માની લેવાનું અને મોટાને મોટા નહીં માની લેવા. માટે જ આપણા ઋષિ - મુનિઓએ કહ્યું છે કે પિંડે તે બ્રહ્માંડે. પિંડ અને બ્રહ્માંડ એકરૂપ છે. પૃથ્વીની સપાટી પૂરા આકાશને એકરૂપ છે. પૃથ્વીનો ગોળો ભલે બ્રહ્માંડ કરતાં અબજો અને અબજો ગણો નાનો હોય પણ તે પૂરા આકાશના ગોળાને એકરૂપ છે.

નાનું અને મોટું એક ભ્રમ છે. દુ:ખ પડે ત્યારે બાદશાહ પણ બાળકની જેમ રોતો હોય છે. આદિ શંકરાચાર્યે બહુ સરસ બોધ આપ્યો છે. તેમણે કહ્યું છે કે મા કુરુ ધન - જન - યૌવન ગર્વમ્, હરતિનિમેષાત્ કાલ: સર્વમ્ આ બ્રહ્માંડમાં કોઈને પણ શેનોય ગર્વ કરવા જેવું નથી. વામન ભગવાને બલિરાજાનું આખું રાજય આકાશ - પૃથ્વી - પાતાળ માત્ર ત્રણ જ પગલાંમાં માપી લીધું હતું. જયારે આપણે ઘમંડી માણસોને જોઈએ છીએ રાજકારણી - આઈએએસ ઓફિસર- ધનાઢય માનવી કે એવા બીજા ત્યારે આપણને તેમની પર દયા આવે છે. તેઓ ભૂલી જાય છે કે એક દિવસ પાંચ ફૂટની માટી તેમને ખૂંદવાની છે.

કાપડિયાને ત્યાં એક મીટર કાપડ લેવા જઈએ અને તે એક મિલીમીટર ઓછું આપે ત્યારે આપણે વાંધો લેતા નથી. પણ જયારે આપણે અણુના સ્તરે વાત કરીએ ત્યારે એક મિલીમીટર, અણુ કરતાં એક લાખ ગણો મોટો છે, તે અણુની નાભિ કરતાં દશ અબજ ગણો મોટો છે. માટે તે સ્તરે મિલીમીટરને નગણ્ય ન કરાય.

પ્લાન્કલેન્થ એક મિલીમીટરનો દશ હજાર અબજ, અબજ, અબજમો ભાગ છે. એટલે કે પ્લાન્કલેન્થ કરતાં એક મિલીમીટર દશ હજાર અબજ, અબજ, અબજ ગણો મોટો છે. આ સ્તરે મિલીમીટર કેટલો બધો વિરાટ ગણાય. પણ એક મીટર કે કે એક કિલોમીટરની સામે તેની કોઈ જ કિંમત કે વેલ્યૂ કે સ્તર ન ગણાય.

આ બધું સમજવા આંકડા તો ભારતીયોની જ શોધ છે. નહીં તો આપણે વિરાટ બ્રહ્માંડને અને તેનાથી વિરાટ સૂક્ષ્મ બ્રહ્માંડને સમજી શકયાં જ નહોત. આ આપણા ઋષિ - મુનિઓની વિશાળ અને સૂક્ષ્મ દૃષ્ટિ હતી.

વિશાળ દુનિયા અને સૂક્ષ્મ દુનિયા વાસ્તવમાં એકના એક જ છે, જયારે આપણે વિશાળ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેસીએ ત્યારે ઓટોમેટિક (આપોઆપ) જ આપણે સૂક્ષ્મ બ્રહ્માંડના અભ્યાસમાં સરી પડીએ છીએ અને જયારે આપણે સૂક્ષ્મ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેસીએ ત્યારે છેવટે ઓટોમેટિકલી આપણે વિશાળ બ્રહ્માંડના અભ્યાસમાં સરી પડીએ છીએ. આની પાછળનું કારણ એ છે કે વિશાળ દુનિયા જ સૂક્ષ્મ દુનિયા છે અને સૂક્ષ્મ દુનિયા જ વિશાળ દુનિયા છે તે બંને એકરૂપ છે. તેમાં હકીકતમાં ભેદ નથી. કારણ કે નાનું-મોટું તે ભ્રમ માત્ર છે. તેને કઈ દૃષ્ટિથી જોવાય છે તેના પર બધો આધાર છે. કોઈ જ વસ્તુ મોટી નથી અને કોઈ જ વસ્તુ નાની નથી. સોયનું જયાં કામ હોય ત્યાં કોષ કે કોદાળી ન વપરાય. બ્રહ્મપુત્રા, નર્મદા, ગંગા, સિન્ધુ જેવી નદીઓને કિનારે રહીને જોઈએ તો તે વિશાળ દેખાય. પણ તેમને વિમાનમાંથી જોઈએ તો તે માત્ર લકીર જેવી દેખાય. હિમાલય કેવડો મોટો છે. એરોપ્લેનમાંથી જોતાં તે નાની નાની ઢગલીઓ જેવો દેખાય. આપણો વાળ પણ આપણને માત્ર લકીર જેવો દેખાય છે. પણ બેકટેરિયાને તે જબ્બર બોગદું જેવડો મોટો દેખાય છે અને તેમાંથી હજારો બેકટેરિયા એકસાથે પસાર થઈ જાય.

આપણા નરસી મહેતાએ ૫૦૦ વર્ષ પહેલાં જબ્બર વાત કરી. તેમણે ગાયું કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ દર્શાવે છે કે બીજ કે વૃક્ષ એકરૂપ છે. બીજ વૃક્ષથી નાનું નથી અને વૃક્ષ બીજથી મોટું નથી. તેમના નાના અને મોટાપણામાં કોઈ ભેદ નથી. પૃથ્વી પરથી જોતાં ઉંચાં ઉંચાં ટાવરો આપણને ખૂબ જ ઉંચાં દેખાય છે, પણ વિમાનમાંથી જોતાં તે રમકડા જેવા નાનાં નાનાં દેખાય છે.

બે નાના મોટા સમકેન્દ્રીય વર્તુળો લઈએ તો લાગે કે બહારનું વર્તુળ મોટું છે. હકીકતમાં જેટલા બિન્દુઓ બહારના વર્તુળ પર છે તેટલાં જ બિન્દુઓ અંદરના વર્તુળ પર છે. એક પણ વધારે નહીં અને એક પણ ઓછું નહીં. તમે આ બંને વર્તુળોને એકના એક માની શકો કે નહીં? બહારનું વર્તુળ મોટું છે અને અંદરનું વર્તુળ નાનું છે તે માત્ર ભ્રમ છે. વાસ્તવિકતા છે તેમ છતાં ભ્રમ છે.

વૃક્ષ પર કેટલાય બી છે. દરેકે દરેક બીમાં પૂરેપૂરું વૃક્ષ સમાયેલું છે. માનવીના શરીરમાં અબજો અને અબજો જીન્સ છે. પણ દરેકે દરેક જીનમાં પૂરેપૂરો માનવી છે. સૂર્યમાંથી અબજો અને અબજો કિરણો છૂટે છે. દરેકે દરેક કિરણમાં પૂરેપૂરો સૂર્ય સમાયેલો હોય છે. માટે જ સૂર્યનો અભ્યાસ કરતાં ખગોળવિદ સૂર્યનું માત્ર એક જ કિરણ વેધશાળામાં લઈ પૂરેપૂરા સૂર્યને વેધશાળામાં જુએ છે. એટલે કે પાર્ટ ઈઝ ઈકવીવેલેન્ટ ટુ ધ હૉલ.

આપણા ઋષિ-મુનિએ ‘સાપેક્ષ’ શબ્દ આપીને કમાલ કરી નાખી છે. આ જ કમાલ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે કરી છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્માંડમાં બધું સાપેક્ષ છે. નાનું-મોટું, સુખ-દુ:ખ, ધનિક - ગરીબ, હોશિયાર-ઠોઠ, ડાબું-જમણું વગેરે બધું જ સાપેક્ષ છે.

નદીના પ્રવાહને જોઈએ તો અતૂટ લાગે, પણ જો તેને ઈલેકટ્રોન માઈક્રોસ્કોપથી જોઈએ તો પાણીના કણો અલગ અલગ દોડતા દેખાય. પીક ટાઈમે ચર્ચગેટમાંથી નીકળતો માણસોનો પ્રવાહ દૂર દૂરથી જોઈએ તો તદ્દન નદીના પાણીના પ્રવાહ જેવો જ દેખાય.

આકાશમાં આકાશગંગાના દૂધિયા દિવ્ય પટ્ટાને જોઈએ તો લાગે કે રાત્રિ આકાશમાં ગંગા નદી વહી રહી છે. માટે તો આપણી મંદાકિનીને આકાશગંગા કહી છે. હકીકતમાં તે લાખો મોટા મોટા સૂર્યોનો સમૂહ છે. પ્રાચીન ભારતીયો તેને આકાશમાં વહેતી ગંગા માનતાં. ગંગા આકાશમાંથી ઊતરી આવી છે તેમ માનતાં. ગંગા હિમાલયમાંથી નીકળે છે. તેની પહાડી શંકર ભગવાનની જટા છે. તેમાં ગંગા ગૂંચવાઈ જાય છે. હકીકતમાં દરેકે દરેક નદી આકાશમાંથી જ ઊતરી આવે છે. કારણ કે વરસાદ અને બરફ આકાશમાંથી જ થાય છે.

શનિ, ગુરુ, યુરેનસ, નેપ્ચ્યુન ફરતેનાં વલયો દૂરથી લીસ્સા પટ્ટા જેવાં લાગે છે. હકીકતમાં તે નાના મોટા ખડકોના મહાસાગરો છે. એમ તો કપડા પણ ચાળણી જેવા છે. પ્રકાશનું કિરણ પણ અતૂટ નથી. તે ફોટોન્સ નામના ઊર્જાના પેકેટનું બનેલું છે. હકીકતમાં બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ અખંડિત નથી. અંતરિક્ષ પણ અખંડિત નથી. આ બ્રહ્માંડનો સ્વભાવ જ કવોન્ટમ છે. પંદર કે વીસ લાખનો વ્યાસ ધરાવતા તારા દૂરથી બિન્દુ જેવા લાગે છે. પ્રાચીનોને તેની વાસ્તવિકતાની ખબર ન હતી. તેઓ તેને પ્રકાશના બિન્દુ માનતાં. જે સમયે તેઓ સાચા હતા.

બ્રહ્માંડના ગૂઢ રહસ્યને સમજવા માટે ગ્રહમાળા મહત્ત્વની છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149769




બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે ઊર્જા ઉત્પન્ન થઈ. એ ઊર્જામાંથી ઊ=ળભ૨ના આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, ગ્લુમોન્સ, ક્વાકેસ, હિગ્ઝ-ઓઝોન જેવા પદાર્થકણો ઉત્પન્ન થયાં અને ધૂલીકણો અને ધસમસતા જતાં વાયુનાં વાદળો બંધાયાં. આ ધસમસતા દૂર જતાં વિશાળ અતિવિશાળ વાદળો તૂટીને મંદાકિનીઓ (લફહફડ્ઢશયત)માં રૂપાંતર પામ્યા. આ વાદળો સંકોચાયાં ત્યારે પદાર્થકણો અથડાઈને વાદળોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. વાદળો ગોળ ગોળ ફરવાં લાગ્યાં કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો બન્યો હતો.

મંદાકિનીમાં જગ્યાએ જગ્યાએ પદાર્થનું ગઠન થવાથી ત્યાં ગુરુત્વાકર્ષણનાં કેન્દ્રો બન્યાં અને આ નાનાં નાનાં વાદળો સંકોચાયાં. આ વાદળો પણ ગોળ ગોળ ઘૂમતાં હતાં. તેમાં વચ્ચે તારા બન્યા અને આજુબાજુ ગ્રહો બંધાયા કે પદાર્થ પડી રહ્યો. મોટા તારા બળીને નાની વયે એટલે કે બે એક અબજની વયે મહાનવિસ્ફોટ સાથે નિર્વાણ પામ્યાં. સાધારણ પદાર્થના તારા, સૂર્ય જેવા, તારાએ તેની ફરતે સૂર્યમાળા રચી. આમ ઘણા ખરા તારાની ફરતે ગ્રહમાળા બંધાઈ.

તારાની જાત પર આધારિત ગ્રહો બંધાયા અને આ ગ્રહો પર જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો જીવન અસ્તિત્વમાં આવ્યું. જીવનની જાત પણ તેના માતૃગૃહ અને પિતૃ તારા પર આધારિત હોય છે. જેમ કે ગ્રહનું ગુરુત્વાકર્ષણ જો બળવાન હોય તો ત્યાં માનવજીવનની ઊંચાઈ ઓછી હોય. દા. ત. ગુરુગ્રહ. ગુરુગ્રહ પર માનવી જન્મે તો ત્યાં પુખ્તવયના માનવીની ઊંચાઈ માત્ર અઢી ફૂટ હોય. જ્યારે આપણી પૃથ્વી પર માનવીની સરાસરી ઊંચાઈ છ ફુટ હોય છે. આમાં કોઈ અપવાદ પણ હોય છે કે માનવીની ઊંચાઈ ૯ ફુટ પણ હોય અને ૩ ફુટ પણ હોય. એટલે કે અપવાદરૂપે પૃથ્વી પર લાંબા માણસો પણ છે અને ઠીંગુજી

પણ છે.

જો ગ્રહનું ગુરુત્વાકર્ષણ નબળું હોય તો ત્યાં માનવીની ઊંચાઈ ખૂબ હોય. દા. ત. ચંદ્ર કે મંગળ પર માનવી જન્મે તો ત્યાં પુખ્ત વયના માનવીની ઊંચાઈ ૧૮ ફુટ, ૨૦ ફુટ કે તેનાથી વધારે પણ હોઈ શકે.

જો ગ્રહ નાનો હોય તો ત્યાં વાયુમંડળ ન હોય કારણ કે તે વાયુઓને પોતાની ફરતે જકડી રાખી ન શકે. ત્યાં જો માનવી જન્મે તો તેના કાન મોટા હોય અને આંખો મોટી હોય, આવી આંખ દરેક પ્રકારનાં કિરણોને ગ્રહણ કરી શકે. તેના નાક પણ મોટા હોય અને હાઈટ તદ્દન ઓછી હોય અને જીવન શ્યામરંગનું હોય.

ગ્રહ જો પિતૃતારાની નજીક હોય અને પિતૃતારો ખૂબ જ ગરમ હોય તો ત્યાં તદ્દન નવા જ પ્રકારનું જીવન હોય. એવા પણ ગ્રહ હોઈ શકે જ્યાં કાર્બનડાયોક્સાઈડ જીવન વાયુ હોય અને ઓક્સિજન અંગારવાયુ હોય.

સાધારણ રીતે માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં જીવન કાર્બન અને હાઈડ્રોજનની દેન છે. પણ જીવન એવું પણ હોય જે કાર્બોહાઈડ્રેટ નહીં પણ સિલીકેટ પર પણ નિર્ભર હોય. ગ્રહ પર જીવનની વ્યાખ્યા કરવી અઘરી છે. હવે જો ગ્રહમાળા હોય તો ત્યાં જીવન હોય. કદાચ ગ્રહમાળાના એકાદ ગ્રહ પર તો જીવન હોય અને ન પણ હોય.

બ્રહ્માંડને સમજવામાં, બ્રહ્માંડમાં જીવન હોય તો જ તે શક્ય બને અને તે માત્ર કોઈ તારાની ગ્રહમાળાના એકાદ સાનુકૂળ ગ્રહ પર હોય. બ્રહ્માંડમાં જીવન હોય તે તેનો પ્રાણ છે અને પ્રાણ વગર શરીરનો કોઈ અર્થ નથી. બ્રહ્માંડમાં દરેકે દરેક ચીજ જીવંત છે માટે બ્રહ્માંડમાં જીવન હોય જ અને બ્રહ્માંડ પોતે જ જીવંત છે.

જો ગ્રહ ઠંડો હોય તો ત્યાં માનવોના શરીરે વાળના ધાબળા હોય કારણ કે તેને ઠંડી સામે ટકી રહેવાનું છે.

કુદરતનો બ્રહ્માંડ ઉત્પન્ન કરવા પાછળ હેતુ શું હશે? તે યક્ષ પ્રશ્ર્ન છે. બ્રહ્માંડ ઉત્પન્ન કરી મંદાકિનીઓ ઉત્પન્ન કરી, તારા ઉત્પન્ન કરી, ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો ઉત્પન્ન કરી તેના પર જીવન ઉત્પન્ન કરવાનાં?

આપણા સૂર્યને ગ્રહમાળા છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂનને ઉપગ્રહમાળાઓ છે તે ગ્રહમાળા જ કહેવાય. પ્લૂટોની ફરતે પણ ઉપગ્રહમાળા હોવાનું માલૂમ પડ્યું છે અને તેમાં હાલમાં બાર ઉપગ્રહો છે. સૂર્યમાળાની બહાર પણ કેટલાય ગ્રહો શોધાયાં છે. પણ તેની પૂર્ણ રચનાની આપણને હજુ સુધી ખબર નથી.

આશ્ર્ચર્યની વાત એ છે કે મહાવિસ્ફોટ પામેલા તારાની ફરતે પણ ગ્રહો પરિક્રમા કરતા મળી આવ્યા છે. તો પ્રશ્ર્ન થાય છે એ ગ્રહમાળા તારાનો વિસ્ફોટ થયો પહેલા રચાઈ હશે કે પછી? જો તેની ગ્રહમાળા પહેલી રચાઈ હોય તો તારામાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેની રચના બદલાઈ નહીં હોય?

ગ્રહમાળાની એક પેટર્ન છે, ડિઝાઈન છે. ઘણા ખરા ગ્રહો તારાની વિષુવવૃત્તની સમતલમાં ઉત્પન્ન થયા છે, તેઓ તારો જે દિવસમાં ધરી ભ્રમણ કરે છે તે જ દિશામાં ધરીભ્રમણ કરે અને તારા ફરતે પરિભ્રમણ કરે છે. તેમની તથા તેમના પિતૃતારાની વય લગભગ સરખી જ છે. તેઓ બધામાં મૂળભૂત પદાર્થ તો એક જ છે. આ દર્શાવે છે કે તે બધા એક જ સૌરવાદળ જન્મ્યાં છે. આપણે ધારીએ કે બીજી કોઈ પૂર્ણ ગ્રહમાળા મળે તો તેના ફિચર્સ પણ આવા હોવા જોઈએ કારણ કે કુદરતના નિયમો વૈશ્ર્વિક છે.

આપણી આકાશગંગા મંદાકિનીમાં ૫૦૦ અબજ તારા છે. તેમાંના ૫૦ ટકા તારા સૂર્ય જેવા છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો તેમને પણ હોવી જોઈએ. તેમાંથી માત્ર ૧૦ ટકા જ લઈએ તો આપણી આકાશગંગામાં જ લગભગ ૨૫ અબજ તારા હોય જેની ફરતે ગ્રહમાળા હોવી જોઈએ. પણ તકલીફ એ છે કે બે તારા વચ્ચે વિશાળ, અતિવિશાળ અંતરો છે. તારો તો સ્વયંપ્રકાશિત છે પણ તેની ફરતે પરિક્રમા કરી રહેલા ગ્રહો તારાની સરખામણીમાં તદ્દન નાના છે અને સ્વયંપ્રકાશિત નથી. તેથી તેને જોવા ખૂબ જ દુષ્કર છે. તેમ છતાં ગ્રહ અપારદર્શક હોવાથી જ્યારે તે તેના પિતૃતારાની આડેથી પસાર થાય છે ત્યારે તેના પિતૃતારામાંથી પૃથ્વી પર આવતા પ્રકાશમાં નહીવત્ ઘટ થાય છે. આ ઘટને સમજી ખગોળવિજ્ઞાનીઓ આવા તારાની ફરતે અસ્તિત્વ ધરાવતા ગ્રહોને શોધે છે. કામ ઘણું અઘરું છે પણ ખંતીલા વિજ્ઞાનીઓ તેને બરાબર પાર પાડે છે.

બ્રહ્માંડમાં મૂળ હેતુ મંદાકિનીઓ ઉત્પન્ન કરી તેમાં ગ્રહમાળાઓ ઉત્પન્ન કરી, ગ્રહો પર વિવિધ પ્રકારનું જીવન ઉત્પન્ન કરવાનો છે. પૃથ્વીવાસી વિજ્ઞાનીઓનો હેતુ આપણી મંદાકિનીમાં પૃથ્વી જેવા ગ્રહો કે જ્યાં જીવનની આપણી વ્યાખ્યા પ્રમાણે જીવન છે કે નહીં તે શોધવાનો છે. આપણી મંદાકિનીમાં જ જીવન શોધવું અઘરું છે તેથી બીજી મંદાકિનીઓમાં તારા ફરતેના ગ્રહો પર જીવન શોધવાની વાત બાજુએ મૂકીએ. પણ જો આપણી મંદાકિનીમાં જીવનવાળા ગ્રહો શોધાય તો કહી શકાય કે બીજી મંદાકિનીઓમાં પણ તારા ફરતેના ગ્રહો પર જીવન હશે જ. અંતરીક્ષ યુગનો અંતિમ (છેલ્લો) હેતુ શું છે? બ્રહ્માંડમાં તારાની ફરતે એવા ગ્રહો શોધવા જ્યાં જીવન હોય. તેથી જો આપણી પૃથ્વી જીવન જીવતા સદંતર ખરાબ બને ત્યારે કદાચ જો આપણી પાસે ટેકનોલોજી હોય અને આપણને એવા ગ્રહો વિષે ખબર હોય કે જ્યાં જીવન સંભવી શકે છે તો ત્યાં આપણે સ્થળાંતર કરી શકીએ. છેવટે તો રોટી, કપડા અને મકાનનો જ

સવાલ છે.

જો બીજી ગ્રહમાળા શોધાય તો આપણે તેને આપણી ગ્રહમાળા સાથે સરખાવી શકાય. આપણને એ પણ જાણ થાય કે આપણા જેવું કે કોઈ બીજી જાતનું જીવન બ્રહ્માંડમાં છે. આપણે બ્રહ્માંડમાં એકલા નથી અને જો આપણને જાણ થાય કે બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તો આપણે પૃથ્વી પરની માનવજાતને બચાવી રાખવી પડે, નહીં તો તે પૂરા બ્રહ્માંડમાંથી અદૃશ્ય થઈ જાય.

જો આપણે બ્રહ્માંડમાં એકલા છીએ તે ખરેખર સ્પષ્ટ થાય તો આપણને ખરેખર આશ્ર્ચર્ય થશે. જો કે બ્રહ્માંડમાં આપણે કે આપણા જેવી સંસ્કૃતિ એક જ છે અને બીજે ક્યાંય જીવન નથી અથવા બીજી જાતની સંસ્કૃતિઓ નથી તે ધારણાને તર્ક ટેકો આપતું નથી. તેમ છતાં આ પ્રશ્ર્નનો જવાબ મેળવવો જરૂરી છે. પૃથ્વી પર માનવીઓ જુદી જુદી જાતનાં છે, તેમની સંસ્કૃતિઓ જુદી છે. ભાષા, પહેરવેશ, ખાણી-પીણી જુદી છે પણ તે માનવીઓ છે. તે પ્રમાણે બ્રહ્માંડમાં અલગ અલગ સંસ્કૃતિ હોઈ શકે છે પણ પાયાના સ્વરૂપમાં તે એક હોવાની ધારણા છે. આ વિષયે અને શોધમાં આપણને ગ્રહમાળા કેવી રીતે જન્મે છે, જીવન શું છે તે કેવી રીતે વિકસે છે તેની પણ કદાચ જાણ થાય. બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તે માનવાને કારણ મળતું નથી. ગ્રહમાળાની શોધ આ પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકે છે.

બ્રહ્માંડ છે તો જીવનને ઉત્પન્ન થવા માટે જગ્યા મળી છે. માટે જીવનને બ્રહ્માંડની જરૂર છે. પણ કદાચ બ્રહ્માંડને જીવનની જરૂર ન પણ હોય. જીવન જન્મે તો ભલે અને ન જન્મે તો પણ ભલે. તેમ છતાં પૃથ્વી પર આપણી હયાતિ દર્શાવે છે કે બ્રહ્માંડમાં બીજે પણ જીવન હોવું જોઈએ.

જો આપણે બ્રહ્માંડમાં એકલા હોઈએ તો અપવાદ ગણાય. તો આટલા વિશાળ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે તેમાં એક એક મંદાકિનીમાં ૫૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ અબજ તારા છે તો આપણે શા માટે અપવાદ હોઈએ? બ્રહ્માંડમાં જ્યાં જુઓ ત્યાં વાયુનાં વિશાળ વાદળો છે અને કેટલાકમાં તો હાલ પણ તારા જન્મતા દેખાય છે. આ પ્રશ્ર્નનો ઉત્તર જાણવો જરૂરી છે. શું કુદરતે આટલું વિશાળ અદ્ભુત બ્રહ્માંડ અને આટલો બધો પદાર્થ શું આપણને ઉત્પન્ન કરવા માટે જ કર્યો હશે? શું કુદરતે આટલા બધા પદાર્થનો વેડફાટ આપણા એકલા માટે જ કર્યો હશે? આ માનવાને સદંતર કોઈ કારણ મળતું નથી.

ભાવનગર: કલ, આજ ઔર કલ --- જયવંત પંડ્યા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149767


સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા


કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓ છે:

ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું

ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લહેણું

બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી-

તાજેતરમાં એક સગાના લગ્નપ્રસંગે ભાવનગર જવાનું થયું. રાણાવાવ મારી જન્મભૂમિ, પણ ભાવનગર વિદ્યાભૂમિ અને કર્મભૂમિ. ૩૦ વર્ષ ભાવનગરમાં ગાળ્યા હોવાથી અમદાવાદ સ્થાયી થયા છતાં ભાવનગર સાથેનો નાતો ભુલાયો નથી, ભુલાશે પણ નહીં. મારી જેમ, અનેક મુંબઈવાસીઓ પણ ભાવનગર સાથેનો નાતો ધરાવતા હશે. એટલે થયું આજે ભાવનગરની વાત કરીએ.

ભાવનગર પ્રજાવત્સલ રાજવીઓનું રાજ્ય રજવાડાંઓના સમયમાં રહ્યું, સરદાર પટેલે રજવાડાંઓના એકત્રીકરણની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ ભારત સંઘમાં ભળનાર રાજ્ય ભાવનગર હતું. ભાવનગરની ઓળખ મજાકમાં લોકો ‘ગાય, ગાંડા અને ગાંઠિયા’ના શહેર તરીકે કરે છે, પરંતુ આ ઓળખ કેમ પડી હશે તેની પાછળનો મારો તર્ક એવો છે કે ભાવનગરમાં ગાયોની ઘણી સેવા થાય છે. (વળી રસ્તાઓ પર ગાયો છૂટી જોવા મળે એ વાત પણ ખરી.) વળી, ભાવનગર છેલ્લું સ્ટેશન એટલે જે ગાંડાઓને છોડી મુકાયા હોય તેમને ત્યાં ઉતારાય. ભાવનગરમાં ગાંડાઓને નહાવડાવવા- ધોવડાવવા સહિતની સેવાઓ સેવાભાવીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા થાય. ગાંઠિયા પણ ભાવનગરના વખણાય. આમ, તેની ઓળખ આ રીતે ગાય, ‘ગાંડા ને ગાંઠિયા’ના શહેર તરીકે પડી હશે.

ભાવનગરે ગૌરીશંકર ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, જેવા મુત્સદી વહીવટકારો, પૃથ્વીસિંહ આઝાદ, ઠક્કરબાપા જેવા ક્રાંતિકારી-સમાજસેવકો, તો ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, નાથાલાલ દવે, હરભાઈ ત્રિવેદી, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોળી ‘દર્શક’, ડોલર વસાવડા, જયેન્દ્ર ત્રિવેદી જેવા અનેક કેળવણીકારો-શિક્ષણવિદો જોયા છે તો હરકિશન મહેતા, કાંતિ ભટ્ટ, હરીન્દ્ર દવે, દિનકર જોષી, દિગંત ઓઝા જેવા અનેક પત્રકારો પણ તેણે આપ્યા છે. ગુજરાતમાં સૌથી પહેલી સ્થાનિક સમાચાર ચેનલ ‘શો ટાઇમ’ ભાવનગરમાં શરૂ થઈ હતી. (આજે તો ઘણી ચેનલો છે.) અને પત્રકારમાંથી સાત મુખ્યમંત્રીના પીએ તેમ જ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીએ બનેલા જગદીશ ઠક્કરે પણ કારકિર્દી ભાવનગરમાં જ શરૂ કરી હતી ને? ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, પ્રહલાદ પારેખ, ગોવર્ધનરામ ત્રિપાઠી, દુલા ભાયા કાગ, બરકત વિરાણી ‘બેફામ’, નાઝીર દેખૈયા, વિનોદ જોશી, હરદ્વાર ગોસ્વામી જેવા અનેક સાહિત્ય સર્જકો પણ ભાવનગર સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહ્યા (ભાવનગર વિશે એમ કહેવાય કે પથ્થર મારો ને જે ઘર પડે તે કવિનું ઘર હોય એટલે કે ઘરે ઘરે કવિઓ જોવા મળે). ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર ભાઈ મેઘાણી (અને તેમના દીકરા ગોપાલ મેઘાણી)ની લોકમિલાપ તેમ જ જયંત મેઘાણીની પ્રસાર દ્વારા પુસ્તકાલય અને પુસ્તકોના પ્રચાર-પ્રસાર-પ્રકાશનનું કામ પણ મોટા પાયે ચાલે છે. સ્વ. માનભાઈ ભટ્ટ અને તેમની શિશુવિહાર (જે હવે તેમનાં દીકરી ઇન્દાબહેન સંભાળે છે)નો તો જોટો જડે તેમ નથી. ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ કામ, અંગ્રેજી શિખવવા, પ્રાથમિક સહાય જેવા અનેક વર્ગો નહીંવત્ દરે ત્યાં ચાલે. દિવ્ય જીવન સંઘના નેજા હેઠળ પણ અનેક સેવા પ્રવૃત્તિ થાય છે. બિપીનભાઈ શાહ દ્વારા ચલાવાતા વિકાસ વર્તુળ ટ્રસ્ટની યુવા લક્ષી પ્રવૃત્તિઓ પણ સરાહનીય છે. પ્રસન્નવદન મહેતા, હરકાંત દેસાઈ દ્વારા સંચાલિત ગાંધી સ્મૃતિ અને સરદાર સ્મૃતિની તો વાત જ નિરાળી છે. એમાંય પાછી ગાંધી સ્મૃતિની લાઈબ્રેરીનો તો બાળપણથી લાભ આ લેખકે લીધો છે. એ સિવાય બાર્ટન લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટીની લાઇબ્રેરી તો ખરી જ! શિશુવિહારમાં તો રમકડાંની લાઇબ્રેરી પણ ચાલે! નરસિંહ મહેતા, મોરારી બાપુ, બજરંગદાસ બાપા, મસ્તરામબાપા જેવા સંતો-ભક્તો ભાવનગર જિલ્લાની ધરતી પર પાક્યા છે અને ભાવનગરનું નામ પ્રસિદ્ધ કર્યું છે.

રાજકારણીની રીતે, ગુજરાતના બે મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને છબીલદાસ મહેતા ભાવનગર જિલ્લાએ આપ્યા. રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ પણ પ્રદેશ કૉંગ્રેસના નેતા છે. બળવંતરાયના વખતમાં જ જીઆઈડીસીની શરૂઆત સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો નખાયો હતો. વૈજ્ઞાનિકોમાં ડો. પંકજ જોષીનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત છે. ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો સફળ પ્રયોગ કરનાર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરિન કેમિકલ્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં છે. અભિનેત્રીમાં આશા પારેખ, અનેક નાટકો અને ફિલ્મ ‘ખટ્ટા મીઠા’માં અક્ષયકુમારની ભાભી બનેલી પૂજા મેહર ભટ્ટ ભાવનગર સાથે સંકળાયેલાં છે. શમ્મી કપૂર ભાવનગરના જમાઈ છે! મનહર ઉધાસ, મૂકેશના અવાજ તરીકે જાણીતા ડો. કમલેશ અવસ્થી,પ્રફુલ્લ દવે, પાર્થિવ ગોહિલ, ભારતી કુંચાલા, દીપ્તિ દેસાઈ જેવા ગાયકો તેમ જ સંગીતકાર-ગાયક-અભિનેતા-નિર્માતા હિમેશ રેશમિયાનું મૂળ પણ ભાવનગરમાં છે. રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, દેવ ગઢવી જેવા ચિત્રકારો, રસિકલાલ અંધારિયા, ધરમશીભાઈ શાહ, ડો. રાજેશ વૈષ્ણવ સંગીત-નૃત્ય કલાકારો-ગુરૂઓ પણ ભાવનગર સાથે નાતો ધરાવનારા હતા અથવા છે. ભાવનગરનું તખ્તેશ્ર્વર મંદિર, પાલિતાણા, ગોપનાથ, ખોડિયાર જેવાં યાત્રાધામો છે. ગુજરાતમાં બીજા ક્રમની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા વર્ષોથી ભાવનગરમાં નીકળે છે. તો શિહોરનાં વાસણ ને પેંડા, મહુવાનાં રમકડાં, અલંગનું ફર્નિચર, પાલિતાણાનાં હાર્મોનિયમ, ગુલકંદ વખણાય છે. પાલિતાણામાં તો ઘોડાગાડી હજુ પણ ચાલે છે. તો ભાવનગર- મહુવા વચ્ચે બાપુગાડી ચાલતી તે પણ ઘણા મોટી ઉંમરના લોકોને યાદ હશે.

રાજકીય ક્ષેત્રે ભાવનગરની તાસીર ક્રાંતિકારી રહી છે. જ્યારે કૉંગ્રેસનું મોજું હતું ત્યારે ભાવનગરમાંથી પ્રજા સમાજવાદી પક્ષના ધારાસભ્યો ચૂંટાતા. સામ્યવાદી પક્ષનું હજુય થોડું ઘણું નામોનિશાન અરુણ મહેતાએ ભાવનગરમાં બચાવ્યું છે. ૧૯૭૭માં જનસંઘ અને બીજા વિપક્ષો સાથે આવ્યા તેનાં મૂળ ભાવનગરમાં ૧૯૬૭ની ભાવનગર યુનિ. માટેની લડતમાં નખાયાં હતાં. તેના પરિણામે ૧૯૬૮માં જનસંઘ અને સામ્યવાદી સહિતના પક્ષો સંયુક્ત મોરચો બનાવીને નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. તો બોટાદમાં આખા ભારતમાં પ્રથમ વાર જનસંઘને નગરપાલિકામાં વિજય મળ્યો હતો. નરેન્દ્ર મોદીના મોજા સામે ડો. કનુભાઈ કલસરિયાએ નિરમાને જમીન મુદ્દે સફળ લડત આપી અને સદભાવના સમિતિના નેજા હેઠળ મહુવા તાલુકા પંચાયત પણ કબજે કરી. ભાવનગરમાંથી મહેન્દ્ર ત્રિવેદી ગૃહ રાજ્યમંત્રી, શક્તિસિંહ ગોહિલ આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી જેવા પદે રહ્યા તો ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના એક સમયના તંત્રી પ્રતાપ શાહ નાયબ નાણાં મંત્રી તરીકે ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે. જોકે ભાવનગરના કોઈ સાંસદને કેન્દ્ર સરકારમાં સ્થાન નથી મળ્યું.

ભાવનગરમાં નિરમા, એક્સેલ, રબર ફેક્ટરી, અલંગ શિપ બ્રેકિંગ, હીરા ઉદ્યોગ, કાયમ ચૂર્ણ જેવા ઉદ્યોગો છે. ગુજરાતની લગભગ પહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રી વેલો પણ ભાવનગરમાં સ્થપાઈ હતી તેમ પત્રકાર હિંમત ઠક્કરનું કહેવું છે. તાજેતરમાં ભાવનગર-સુરત વચ્ચે ફ્લાઇટ પણ ચાલુ થઈ છે. ભાવનગરના આટલા દિગ્ગજો છતાં ભાવનગરનો વિકાસ જોઈએ તેવો થયો નથી, બલકે દિવસે ને દિવસે સુવિધાઓ છિનવાતી ગઈ છે. કલ્પસર યોજનાનો ગોળ કેશુભાઈ પટેલથી માંડીને નરેન્દ્ર મોદીએ કોણીએ લગાડ્યો હતો. ભાવનગર-ભરૂચ વચ્ચે ફેરી સર્વિસનું પણ ઘણા સમયથી સંભળાય છે. વચ્ચે હોવર ક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી, પરંતુ તે બંધ થઈ ગઈ. આકાશવાણી- ટીવી કેન્દ્ર નથી. ભાવનગર યુનિ., મેડિકલ કોલેજ માટે જબરદસ્ત લડત આપી ત્યારે તે મળ્યાં.

અત્યારે ભાવનગર કેવું છે? અમદાવાદના પગલે પગલે હવે ભાવનગર બદલાઈ રહ્યું છે. વિતેલા દાયકાથી અહીં અપરાધો વધ્યા છે. પાલિતાણામાં તો માંસ-મટન-મચ્છીનો વેપાર બંધ કરવા જૈનોએ ભારે આંદોલન કરવું પડ્યું હતું. ભાવનગરના રાજકીય પ્રતિનિધિઓ- નેતાનો અવાજ રાજ્ય કે કેન્દ્ર સ્તરે ઓછો સંભળાય છે. અહીં હવે ડેમોગ્રાફીની સાથે જ્યોગ્રોફી પણ બદલાઈ રહી છે. અલંગ શિપ બ્રેકિંગના ઉદ્યોગના પગલે ઘણા ઉત્તર ભારતીયો આ બાજુ રહેવા આવ્યા છે. તો મુસ્લિમોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. ભાવનગર શહેરમાં મુસ્લિમો મુખ્યત્વે નવાપરા અને ઘાંચીવાડ જેવા વિસ્તારોમાં હતા તે હવે દીવાનપરા, રાણિકા, ગીતાચોક, માણેકવાડી જેવા વિસ્તારો સુધી વિસ્તર્યા છે. ભાવનગરના રોડ પ્રમાણમાં સુધર્યા છે. પાણીની તકલીફ ઓછી થઈ છે. અહીં વીટકોસની બસ સેવા વખણાય છે જે પછી તો ગાંધીનગર અને વડોદરામાં પણ ચાલુ થઈ છે. ભાવનગરમાં વિરોધાભાસ જોવા મળે. એક તરફ લોકો સાઇકલ મોટા પાયે વાપરે અને હવે લગભગ લુપ્ત પ્રજાતિનું ગણાય તેવું વાહન લ્યુના પણ જોવા મળે છે, તો બીજી તરફ, ઔડી જેવી મોંઘીદાટ ગાડીઓ જોવા મળે છે.

ભાવનગરમાં હવે પ્લોટ સિસ્ટમ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ઠેર ઠેર ફ્લેટ બની રહ્યા છે. ડેલાવાળાં મકાનો હવે જૂજ સંખ્યામાં છે. અહીં પણ અમદાવાદના કે દેશભરના પ્રખ્યાત મોલ-રેસ્ટોરન્ટ જેવા કે હિમાલયા મોલ, ઇસ્કોન સિટી, સંકલ્પ રેસ્ટોરન્ટ, ડોમિનોઝ પીઝા આવી ગયાં છે, શિક્ષણની રીતે હવે દક્ષિણામૂર્તિ, ઘરશાળાનો પહેલાં જેવો પ્રભાવ રહ્યો નથી. હવે જ્ઞાનમંજરી સ્કૂલ-સ્વામિનારાયણ ગુરુકૂળની બોલબાલા છે. અહીં આવ્યા હો ને લચ્છુના પાંઉગાંઠિયા, બટેટા ભૂંગળા, પાંઉ પકોડા, ખારગેઇટનું સેવઉસળ, લક્ષ્મીના લસણની ચટણી સાથે સેવમમરા, અનુપમની સોડા, બરફ ગોળા, ન માણો તો ન ચાલે. અહીં લગભગ બધા જ પાનના ગલ્લે સમોસા, બ્રેડ પકોડા, ચટણી સેન્ડવિચનો પડીકાબંધ નાસ્તો મળે! અને હા, પાનના ગલ્લા પાછા ગલીએ ગલીએ જોવા મળે! અહીં દર ચાર રસ્તે બગીચા જોવા મળે અને તે પાછા વેલ મેઇન્ટેઇન્ડ!

અહીંના લોકો, ભાવનગરની જ ભાષામાં કહીએ તો બહુ ‘ટાઢા’. કોઈ ઉતાવળ નહીં. શાંતિથી કામ થાય. મોટી સંખ્યામાં લોકો માવા મોઢામાં ભર્યા જ હોય, એટલે તેમને કંઈ પૂછવું અઘરું પડે! કોઈક કામસર બહુ કષ્ટ પડ્યું હોય તો અહીંના લોકો કહેશે ‘તોડાવી નાખ્યો’. બહુ ચાલવું પડ્યું હોય તો ‘લારી થઈ ગઈ’ શબ્દ પ્રયોગ કરે. અને કોઈક અણગમતા કામ માટે ‘ગલકું આવી ગ્યું’ બોલાય. કોઈકને અણગમાથી જવાનું કહેવા માટે કહેવાય, ‘હાલતી પકડ’ અથવા ‘હાલતીનો થા’. કોઈ ખોટી મગજમારી કરતું હોય તો ‘તીખા લે છે’ તેમ કહેશે. જોકે, ભાવનગરની ગુજરાતી આખા ગુજરાતમાં સૌથી શુદ્ધ ગુજરાતી મનાય છે. પણ હવે ભાવનગરનાં બાળકો પણ અસંખ્ય સમાચાર ચેનલો, કાર્ટૂન ચેનલોની અસર તળે હવે ‘હિંગુજરાતી’ બોલવા લાગ્યા છે, ‘હું સોચું છું’, ‘મને દહેશત છે’. તમે બહારગામ રહેતા હો તો તમને અચૂક પ્રશ્ર્ન પુછાશે, ‘ભાવનગર ક્યારે આવો છો?’ ભાવનગરમાં આવ્યા હો ને તમારા ઓળખીતાના ઘરે ન જાવ તો તેમને માઠું (ભાવનગરની ભાષામાં, ‘ખોટું’) જરૂર લાગે.

ભાવનગરને પેન્શનર્સ પેરેડાઇઝ કહેવાય છે. ભાવનગરમાં સારા પૈસા મળતા નથી, પરિણામે અહીંનું ક્રીમ હવે મુખ્યત્વે અમદાવાદ ઢસડાઈ રહ્યું છે. પણ હા, રિટાયર્ડ થઈ જાવ પછી જો સુખેથી રહેવું હોય તો ભાવનગર જેવું એકેય શહેર નહીં.

Tuesday, February 3, 2015

સંજ્ઞા અને સ્વર: વ્યાકરણ વિનાની ભાષા --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=153126


એક ફર્જી ચિંતા મુંબઈના ગુજરાતી ભાઈઓને સીઝનમાં થતી રહે છે કે ગુજરાતી ભાષા જીવશે કે મરી જશે? છોકરાં કૉન્વેન્ટીયાં થઈ ગયાં છે માટે ભાષા મરી જશે. પુસ્તકવિક્રેતાઓને સરકારી ઓર્ડરો મળતા નથી માટે ભાષા મરી જશે. છાપાંના વેચાણ ઘટ્યાં છે માટે ભાષા મરી જશે. ગુજરાતી ભાષાને મારી નાંખવા માટે ગુજરાતીના પ્રોફેસરો, પાઠ્યપુસ્તકોની કમિટીવાળાઓ, પાર્ટ-ટાઈમ ચિંતા કરતા રહેતા ફૂલ-ટાઈમ નવરા ચિંતકો બધા જ મંડી પડ્યા છે. ભાષાઓ કેવી રીતે પ્રકટે છે, કેવી રીતે વૃદ્ધ થાય છે, કેવી રીતે સંવૃદ્ધ થાય છે, કેવી રીતે જર્જર થાય છે એ વિશે જેમને ભાન નથી એ બધા જ મેદાનમાં આવી ગયા છે. ચિંતા પણ કદાચ સર્જનનો એક પ્રકાર હશે...?

મનુષ્યમાં બે વિશેષતાઓ છે, જે એને પશુથી ભિન્ન કરે છે: મનુષ્ય ઉપકરણો ઓજારો વાપરે છે અને મનુષ્ય વાતો કરે છે. ભાષા આ વાતોમાંથી જન્મી છે, કારણ કે વાત એ સીધું કૉમ્યુનિકેશન છે, પ્રત્યાયન છે અને અહીં ભાષાની કેટલીક વિચિત્રતાઓ જન્મી છે. જે બોલાય છે એ લખાય છે. ગ્રીક ભાષા ઝડપથી વાંચવા માટે સર્જાય ન હતી કારણ કે પ્રાચીન ગ્રીક શબ્દોને છૂટા લખતા ન હતા! જ્યાં શબ્દો છૂટા નથી ત્યાં વાંચવાની ગતિ ધીમી પડી જાય છે!) ૧૬મી સદીમાં આલ્ડસ મૅન્યુશિઅસ નામના એક ટાઈપોગ્રાફરે શબ્દો છૂટા પાડ્યા અને વિરામચિહ્નો મૂક્યા અને લેખિત ભાષામાં એક શિસ્ત આવી અને સાથે સાથે વાચનની શિસ્ત જન્મી.

આરંભની લેખિત ભાષાઓને ઉચ્ચાર સાથે સંબંધ ન હતો કારણ કે શબ્દો બારખડીના અક્ષરોથી બન્યા ન હતા પણ ચિત્રો અને પ્રતીકોની એક ચિત્રલિપિથી બન્યા હતા. અર્થ ધ્વનિનો ન હતો, ચિત્રનો હતો. ચીનમાં એક તીરનું નિશાન અને ઉપર એક આડી લીટી એટલે વૃક્ષ બનતું હતું. જંગલ માટે બે વૃક્ષો ચીતરવામાં આવતાં અને રૂકાવટ માટે વૃક્ષ ઉપર એક લીટી દોરાતી. અર્થ સમજાતો, ચિત્ર ‘વંચાતું’ પણ ઉચ્ચારણની એકવાક્યતા ન હતા. આ ચિત્રભાષા અથવા વિચારભાષા હતી. ચીનમાં શિક્ષિત લોકો વાંચી શકતા હતા પણ ઉચ્ચારભેદને લીધે વાતચીત સીમિત બની જતી હતી.

સામાન્ય રીતે ભાષાનો વ્યાપ વ્યાકરણથી શબ્દકોશ સુધીનો હોય છે, પણ ચીનની ભાષા હજી સુધી ચિત્રલિપિ પ્રકારની રહી છે માટે અભ્યાસની દૃષ્ટિએ એ વધારે અર્થપૂર્ણ છે. ઉચ્ચારણ ગૌણ છે અને દરેક પ્રતીકનો એક અર્થ છે. ગણિતની સંજ્ઞાઓ કે સંગીતની સ્વરલિપિની નિકટ આ પ્રયોગ આવે છે. શબ્દો નથી એટલે કે વ્યાકરણની જરૂરિયાત ઓછામાં ઓછી રહે છે. ખગોળ અને સંગીત અને ગણિત અને ભૂગોળમાં હવે સંજ્ઞાઓ કે સિમ્બલ વિશ્ર્વભરમાં સ્વીકૃત થઈ ચૂક્યાં છે. એક ચર્ચા થોડાં વર્ષો પર વાંચી હતી: ગણિત એ ભાષા છે કે વિજ્ઞાન છે? ગણિતનું કોઈ વ્યાકરણ હોય છે? ભાષાને માત્ર શબ્દોથી જ કામ લેવાનું છે? લિપિબદ્ધ ભાષામાં ‘વિદ્યુત’ શબ્દ હોય તો પ્રથમ મહત્ત્વ અક્ષરોનું છે, એ અક્ષરોથી નિષ્પન્ન થતા ભાવ પર આધારિત છે. અહીં વ્યાકરણ આવે છે, અને સાથે સાથે ધ્વનિશાસ્ત્રી કે ફોનેટિક્સ પણ જન્મે છે. ચીની ભાષામાં વિદ્યુત બતાવવા માટેની બે સંજ્ઞાઓ છે: પ્રકાશ અને હવા. ગૅસ માટેની સંજ્ઞાઓ છે: હવા અને કોલસો. આ પ્રકારની સંજ્ઞાભાષાને લીધે ચીનમાં વિદ્યાર્થીને શિક્ષિત થવું હોય તો ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલી સંજ્ઞાઓથી પરિચિત થવું પડે છે અને ઘણી વાર અર્થઘટનમાં મતાંતર થઈ જાય છે. તુર્કસ્તાનમાં કમાલ આતાતુર્કે આ માટે જ અરબી લિપિ કાઢી નાંખીને અંગ્રેજી (એટલે રોમન) આલ્ફાબેટ્સ કે અક્ષરો અપનાવી લીધા. જોકે હવે ચીને પણ ભાષાને સરળ બનાવી દીધી છે. જાપાનીઝ ભાષામાં નવા શબ્દો માટે ચીની મુળસંજ્ઞાઓનો આધાર લેવાય છે, પણ પ્રજા વ્યવહારિક છે એટલે અંગ્રેજી શબ્દોને સીધા જ જાપાનીઝમાં ઉતારીને એનું જાપાનીઝકરણ કરી નાંખે છે. કેટલાક જાપાનીઝ શબ્દો: ગાઝુ (ગૅસ), પેજ (પેજ-પાનું), બાસુ (બસ), પોન્ડો (પાઉન્ડ), ડોરેસુ (ડ્રેસ), ગુરાન્ડો (ગ્રાઉન્ડ), કુરિમુ (ક્રીમ), ટુપારાઈટા (ટાઈપ રાઈટર)! એવો યાંત્રિક બદલાવ અથવા પછી ઈલેકટ્રોનિક અને ડિજિટલ દુનિયાના એટલા બધા શબ્દોનું આક્રમણ થઈ ચૂક્યું છે કે નવા શબ્દો જાપાનની જેમ સાથે સાથે ઉત્પન્ન કરતા જવું પડશે. વ્યાકરણની પવિત્રતા અને ભાષાની શુદ્ધિનો આગ્રહ પણ ધીરે ધીરે ઓછો થતો જશે. જ્યાં વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓનું મિશ્રણ ઐતિહાસિક કારણોસર થઈ ગયું છે ત્યાં એક વિચિત્ર ભાષા પ્રકટી છે જેને વ્યાકરણ સાથે ઓછો સંબંધ છે અને વ્યવહાર સાથે વધુ સંબંધ છે. પશ્ર્ચિમ પૅસિફિક મહાસાગરની પ્રજાઓમાં બીચ-લા-માર ચાલે છે, ચીનનાં બંદરોમાંથી ‘પિડગિન’ ઈંગ્લીશ જન્મી છે. પશ્ર્ચિમ આફ્રિકા, મોરીશિઅસ, મડાગાસ્કરમાં સ્થાનિક બોલી અને ફ્રેંચ ભાષાના સંસર્ગથી નવી આદાનપ્રદાન ભાષા જન્મી છે. આ ભાષાઓમાં નર અને નારીનો સૂક્ષ્મ ભેદ રહ્યો નથી અને ક્રમશ: ક્રિયાપદોનો લોપ થતો જાય છે. જે કહેવું છે એટલા જ શબ્દો વપરાય છે! દાખલા તરીકે મોરીશિઅસની ક્રેઓલ ભાષામાં ‘હું બીમાર છું’ કહેવા માટે માત્ર ‘મો માલાદે’ (હું બીમાર) એટલું જ કહેવાય છે. હિન્દુસ્તાનમાં બમ્બૈય્યા હિન્દી આ રીતે જ વિવિધ પ્રજાઓના સમન્વયવે લીધે જન્મી છે. પણ અમદાવાદ નગરીમાં એક વિચિત્ર ‘પિડગીન ગુજ્જુ’ પણ જન્મી ચૂકી છે! અન્યત્ર ટેલિફોન પર આ પ્રકારનો સંવાદ થાય છે: ‘આપ કોણ બોલો છો?’... ‘હું જયેશ બોલું છું’ પણ આ જ સંવાદ અમદાવાદની ‘પિડગીન ગુજરાતીમાં’ આ પ્રમાણે સંભળાય છે: ‘કોણ બોલો?’ ‘જયેશ બોલું!’ કારણ? ને આમાં કારણ ભાષાકીય કરતાં આર્થિક લાગે છે! બોલવામાં પણ આ પ્રદેશના ગુજરાતીઓ વટાવ, કટાવ, કમિશન, દસ્તુરી જેવી કોઈ વસ્તુનો ખયાલ રાખતા હશે...

સંસ્કૃત ભાષામાં ગણિતની ચોકસાઈ છે અને કૉમ્પ્યુટરોમાં વાપરવા માટે એ આદર્શ છે એવું એક વિધાન છે. જ્યાં અક્ષરો તાલવ્ય અને મૂર્ધન્ય અને દંત્ય અને ઔષ્ઠ્ય જેવા વૈજ્ઞાનિક ધ્વનિઓ પર પ્રમાણિત છે, ત્યાંથી જ ધ્વનિશાસ્ત્રી કે ફોનેટિક્સ જન્મી શકે છે. ‘સંસ્કૃત’નો અર્થ પણ સ્વચ્છ કરેલી, સુધારેલી, વ્યવસ્થિત ગોઠવેલી એ પ્રકારનો છે, એ કોઈ જાતિ કે પ્રજાના નામ પરથી આવી નથી. (ગ્રીક, ચાઈનીઝ, અરબ, હિબ્રુની જેમ) પ્રાકૃત આનાથી વિરુદ્ધ અર્થ છે, એ પ્રકૃતિ પરથી આવે છે. સંસ્કૃતની કેટલીક વિશેષતાઓ છે, સંધિ, સમાસ, દ્વિવચન, આઠ વિભક્તિઓ, વિશેષણોની વિપુલતા, ઉપસર્ગ-વિસર્ગના ઉપયોગો આદિ. સંસ્કૃત ભાષામાં કાનની શ્રવણશક્તિની શિસ્ત, ઉચ્ચારણ અને દીર્ઘ-હૃસ્વ અત્યંત મહત્વનાં છે. ભારતમાં આજથી ૨૩૦૦ વર્ષો પહેલાં પાણિનિએ વ્યાકરણ રચ્યું ત્યારે એ તત્કાલીન ઍટિક (ઍથેન્સની બોલી,) ગ્રીસના ભાષાપ્રયોગોથી અનેકગણું આગળ હતું. વ્યાકરણનો શબ્દાર્થ પણ સૂચક છે, વ્યાકરણ એટલે જુદું કરવું, પૃથક કરવું, ઍનેલિસિસ કરવી...! બ્રાહ્મણોને આજના રાજનીતિક સંદર્ભમાં અર્ધશિક્ષિત નેતાઓ હિન્દુસ્તાનમાં ચાબુકો ફટકારી શકે છે, પણ ભારતવર્ષના એ પ્રાચીન બ્રાહ્મણોએ સંસ્કૃતના ‘ચૅન્ટિંગ’ (મંત્રોચ્ચાર) દ્વારા વિશ્ર્વને ફોનેટિક્સ કે ધ્વનિશાસ્ત્ર આપ્યું છે એ જગતના ભાષાશાસ્ત્રીઓ સાદર સ્વીકારે છે અને અત્યાધુનિક થઈ રહેલા જગતમાં ભાષિકોને વિસ્મય એ વાતનું છે કે આજે પણ ધર્મની ભાષા સર્વત્ર એ માતૃભાષાઓ જ છે: બૌદ્ધો માટે પાલી, હિન્દુઓ માટે સંસ્કૃત, ખ્રિસ્તીઓ માટે લૅટિન, યહૂદીઓ માટે હિબ્રુ, ઈસ્લામીઓ અરબી, જૈનો માટે અર્ધમાગધી, ફારસીઓ માટે અવસ્તી...! ભાષાને જીવંત રાખવા માટે કદાચ સૌથી પ્રેરક અને ચાલકબળ છે: ધર્મ.

શબ્દોની દુનિયાનો રોમાંચ અનંત હોય છે. પોર્ટુગીઝમાં ચાવી અને દીવાની જ્યોત માટેના શબ્દો છે: શાવી અને શમા! ચીનાઓ હાસ્ય માટે શું શબ્દ વાપરે છે? હા-હા! અને ભાઈ માટે? કો-કો! માણસ એટલે જેન, અને માણસો એટલે જેન-જેન! અને રોજ રોજ એટલે ટિયેન-ટિયેન...! જાપાનમાં એક લિપિનું નામ છે ‘કાના’... અને આપણે ગુજરાતીમાં પણ કાનોમાત્ર વાપરીએ છીએ. ઉત્તર યુરોપની લિથુઆનિઅન ભાષામાં એસ્મિ છે જે સંસ્કૃત અસ્મિ છે, એસિ છે જે અસિ છે અને જે આપણું અસ્તિ છે!