નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે કોઈ સામ્યતા ખરી?
હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે, ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ છે કે બંને રાજકારણના અઠંગ ખેલાડી છે. બંને તેમના દુશ્મનોને માફ કરવામાં માનતા નથી, સાફ કરવામાં જ માને છે. નરેન્દ્ર મોદીએ તેમના પક્ષના અને પક્ષની બહારના વિરોધીઓને એકબાજુ ધકેલી દેવામાં સફળતા મેળવી અને મેળવી રહ્યા છે તો સુબ્રમણિયન સ્વામીએ અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન-હેરાન કરી મૂક્યા હતા. સુબ્રમણિયન જ્ઞાતિએ બ્રાહ્મણ છે અને ખરા અર્થમાં બ્રાહ્મણ છે. વિદ્વતા તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી છે. શિક્ષણવિદ્, વકીલ, લેખક અને રાજકારણી જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. અને એક બીજા બ્રાહ્મણ ચાણક્યના શબ્દશ: ગુણો ધરાવે છે. ચાણક્યને ધનાનંદ સાથે વેર થયું હતું તો તેઓ તેને સત્તામાંથી પદચ્યુત કરીને જ ઝંપ્યા હતા. સ્વામીનું પણ તેવું જ છે. આવા ધૂરંધર રાજકારણીઓ સામે પડનાર આ સુબ્રમણિયન સ્વામી છે કોણ? આમ તો, સ્વામી રાજકારણમાં જ ન હોત. તેઓ ખૂબ જ સારા શિક્ષણવિદ્ હતા અને છે. સ્વામીએ હાર્વર્ડ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવેલું છે. તેમણે ૨૪ વર્ષે જ હાર્વર્ડમાંથી પીએચ.ડી. કરી લીધેલું. ઇકોનોમિક સાયન્સમાં નોબલ મેળવનાર પહેલા અમેરિકન પોલ સેમ્યેલ્સન સાથે તેમણે ઇન્ડેક્સ નંબરની થિયરીનું પેપર લખેલું. ૧૯૭૫માં તેમણે ચીનના અર્થતંત્ર પર પુસ્તક લખેલું. તેઓ માત્ર ત્રણ મહિનામાં ચીની ભાષા શીખી ગયેલા! નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેનના આમંત્રણથી તેઓ દિલ્લી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયેલા. તો પછી કયા સંજોગો આવા શિક્ષણવિદ્ને અને સંશોધનકારને રાજકારણ તરફ ખેંચી લાવ્યા? પિતા સીતારામ સુબ્રમણિયનની જેમ સુબ્રમણિયન પણ ગણિતમાં ખૂબ જ વિદ્વાન. પિતા સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા. નોકરીના કારણે તેઓ ચેન્નાઈથી દિલ્લી આવી ગયેલા. સુબ્રમણિયન સ્વામી (સ્વામી વકીલ પણ હોવાથી વકીલની ભાષામાં એક ચોખવટ-હવે આપણે તેમના લાંબા આખા નામના બદલે સ્વામી જ લખીશું) ભણ્યા દિલ્લીમાં. તેમણે દિલ્લી યુનિવર્સિટી અંતર્ગત હિન્દુ કૉલેજમાંથી ગણિતમાં બી.એ. (ઑનરરી) ડિગ્રી મેળવી. તેઓ ત્રીજા ક્રમે આવ્યા હતા. અનુસ્નાતકનું ભણવા તેઓ કોલકાતા ગયેલા. સ્વામીને દુશ્મનોનો પનારો ત્યારથી જ પડેલો. એટલે જ કદાચ સ્વામીનો સ્વભાવ દુશ્મનોને માફ નહીં કરવાનો બની ગયો હશે. બન્યું એવું કે કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના વડા પી. સી. મહાલાનોબિસ હતા જે તેમના પિતા સીતારામના દુશ્મન હતા. પિતાની દુશ્મની તેમણે પુત્ર સામે કાઢી. સ્વામીને ઓછા માર્ક આવવા લાગ્યા. આ મહાલાનોબિસ આયોજન પંચ સ્થાપવા પાછળનું ભેજું કહેવાય છે. મહાલાનોબિસે ઓછા માર્ક આપ્યા હોય કે ગમે તેમ, સ્વામીએ ભણી લીધા પછી આઈઆઈટીમાં હતા ત્યારે તેમણે ડાબેરીઓ પી. એન. હક્સર, મોહન કુમારમંગલમ અને નુરુલ હસ્સન સામે બાથ ભીડેલી. અર્થકારણ માટે સ્વદેશી યોજના’ આપેલી. તેમણે આ પંચવર્ષીય યોજનાને બંધ કરી દેવા સૂચવેલું. કદાચ તેમનું તીર મહાલાનોબિસ તરફ હતું, પણ આ તીર લાગ્યું ઈન્દિરા ગાંધીને. ઈન્દિરા ગાંધીનો તે વખતે સૂર્ય મધ્યાહ્ને તપે. તેમની વિરુદ્ધ બોલવું એટલે જેલમાં જવું. તેમના જેવા દિગ્ગજ નેતાને ફરજ પડી કે તેમણે વર્ષ ૧૯૭૦માં બજેટ પરની ચર્ચામાં સ્વામીના વિચારો માટે સ્વામીને અવાસ્તવિક વિચારો સાથેના સાન્તા ક્લોઝ’ કહીને તેમની ઠેકડી ઉડાવી. એટલું જ નહીં ઈન્દિરા ગાંધીએ ડિસેમ્બર ૧૯૭૨માં આઈઆઈટીમાંથી સ્વામીને કઢાવી મૂક્યા. (સ્મૃતિ ઈરાની સામે થતા આક્ષેપો પરથી નવાઈ ન લાગવી જોઈએ. આગે સે ચલી આતી હૈ...) અહીંથી સ્વામીના દુશ્મન બની ગયાં ઈન્દિરા ગાંધી. ભાજપના પૂર્વાવતાર જેવા જનસંઘના નાનાજી દેશમુખની પારખુ નજરે સ્વામીને માપી લીધા. તેમને થયું આ છોકરો આપણા માટે કામનો છે ૧૯૭૪નો એ સમય. જનસંઘે નાનાજીના કહેવાથી સ્વામીને રાજ્યસભામાં મોકલ્યા. એ કટોકટી ગાળા વખતે સ્વામીએ ભજવેલી ભૂમિકાથી તેઓ સંઘ અને જનસંઘ બંનેના કાર્યકર્તાઓના હીરો બની ગયેલા. અહીં પણ નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે બીજી સામ્યતા રહેલી છે. કટોકટીના ગાળામાં ઈન્દિરા ગાંધીની પાળતું પોલીસથી બચવા બંને શીખનો વેશ ધારણ કરેલો. એમાંય સ્વામી તો અમેરિકા જઈને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને એ કટોકટી દરમિયાન જર્મનીના હિટલરની જેવા કરાતા અત્યાચારોની ગાથા વર્ણવતા. ઈન્દિરાના શાસનમાં, પેલા હિટલરની નકલ જેવા અસરાની ‘શોલે’માં કહે કે ‘પરિન્દા ભી પૈર નહીં માર સકતા’ તેવું હતું, પણ સ્વામી કોને કહે? તેઓ અમેરિકાથી ભારત આવ્યા. સુરક્ષાચક્ર તોડીને સંસદમાં ઘૂસ્યા. ૧૦ ઑગસ્ટ, ૧૯૭૬ના રોજ સંસદના સત્રમાં હાજરી આપી. ત્યાંથી પાછા ભાગી ગયા. એટલું જ નહીં, પણ ભાગીને ભારતથી પાછા અમેરિકા પહોંચી ગયા! સંસદમાં સ્વામીએ કોની સામે મુદ્દો ઉઠાવ્યો હતો? ઈન્દિરા ગાંધીનાં પુત્રવધૂ! જી હા, સોનિયા ગાંધી સામે. તેમણે અત્યારે જેમ રાજ્યસભામાં પુરાવા સહિત ઑગસ્ટા વેસ્ટલૅન્ડમાં સોનિયા-અહેમદ પટેલને ભીંસમાં લીધાં તેમ તે વખતે સંસદમાં દસ્તાવેજી પુરાવા સાથે આક્ષેપ કરેલો કે સોનિયા ઑરિયેન્ટલ ફાયર ઍન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બેનામી ઇન્સ્યોરન્સ એજન્ટ છે. અને તેમણે પોતાના ઑફિસના સરનામા તરીકે વડા પ્રધાન નિવાસનું સરનામું- ૧, સફદરગંજ રોડ આપેલું છે. આના પરિણામે ઈન્દિરા ગાંધીના આદેશથી સોનિયાને તેમની રોજગારી છોડવી પડેલી! ઈન્દિરા ગાંધીને સ્વામીની દુશ્મનાવટ મોંઘી પડી. ઈન્દિરાના અને તે રીતે નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનનો અંત લાવવામાં સ્વામી પણ અનેક પરિબળોમાંના એક મહત્ત્વના પરિબળ હતા. જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા સ્વામી. સ્વામી સહિત અનેકોના પ્રયાસોના કારણે ઈન્દિરાને ચૂંટણી આપવી પડી. એ ચૂંટણીમાં જનતા પક્ષની સરકાર બની. અહીંથી શરૂ થઈ સ્વામીની વાજપેયી સાથેની દુશ્મની. સ્વામી અર્થશાસ્ત્રમાં એટલા બધા નિષ્ણાત હતા કે તેઓ જ સ્વાભાવિક નાણાપ્રધાન તરીકેના અગ્રણી દાવેદાર હતા. એમ કહેવાય છે કે વાજપેયીએ એવી અફવા ફેલાવી કે સ્વામી સીઆઈએના એજન્ટ છે અને સ્વામીને નાણાં મંત્રાલય મળતું અટકાવેલું. સ્વામી કટોકટીના સમય દરમિયાન આરએસએસની અંદરનાં વર્તુળોમાં સ્થાન પામી ગયા હતા, પણ નાણાં મંત્રાલય ન મળવાના કારણે તેઓ વાજપેયી અને સંઘના વિરોધી બની ગયા. પછીથી તેમણે વાજપેયી અને તત્કાલીન સંઘ સરસંઘચાલક (પ્રમુખ) બાળાસાહેબ દેવરસ પર કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીને માફી પત્ર લખી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. વાજપેયી દારૂ પીતા હોવાનું પણ સ્વામીએ તેમની આત્મકથામાં લખેલું છે. તેમણે લખ્યું છે, મોરારજી અને ચરણસિંહ તેમની નૈતિકતા માટે જાણીતા હતા, પરંતુ જનતા પક્ષમાં રહેલા કેટલાક અનૈતિક તત્ત્વોએ તેમના અંગત ફાયદા માટે બંને વચ્ચે દુશ્મની કરાવી. દા.ત. જ્યારે મોરારજીએ વાજપેયીને દારૂ નહીં પીવા માટે કડક ચેતવણી આપી ત્યારે વાજપેયી ભોંઠા પડી ગયેલા. દિલ્લીમાં જાપાનના વિદેશ પ્રધાને એક પાર્ટી રાખી હતી. વાજપેયી વિદેશ પ્રધાન તરીકે તેમાં હાજર હતા. તેઓ પીધેલા હતા. મને પણ તેમાં ભોજન માટે આમંત્રણ હતું. મને એ જોઈને આઘાત લાગ્યો કે વિદેશ પ્રધાન (વાજપેયી) ફૂલ પીધેલી સ્થિતિમાં હતા... જ્યારે મોરારજીએ મને પૂછ્યું ત્યારે મેં તેમને બધું કહી દીધું... (બની શકે કે નાણાપ્રધાન ન બનાવવાના કારણે સ્વામીએ વાજપેયી વિરુદ્ધ આ બધી વાર્તા ઊભી કરી હોય...સત્ય તો રામ જાણે.) તે પછી મોરારજીએ મારી હાજરીમાં વાજપેયીને બોલાવ્યા અને તેમને જોરદાર ઠપકો આપ્યો, પરંતુ વાજપેયી કંઈ બોલ્યા નહીં. તેઓ એવી રીતે ઊભા હતા જેમ કોઈ વિદ્યાર્થી શિક્ષક દ્વારા ચોરી કરતાં રંગેહાથ ઝડપાયો હોય. આની સામે બદલો લેવા અને મોરારજીને મર્યાદામાં રાખવા, વાજપેયીએ મોરારજી વિરુદ્ધ ચરણસિંહના કાનમાં ઝેર રેડ્યું. એ વાજપેયી જ હતા જેમણે સૌ પ્રથમ ચરણસિંહના મનમાં વડા પ્રધાન બનવાની ઈચ્છા રોપી. તેઓ મોરારજી અને ચરણસિંહને અલગ-અલગ મળતા અને બંનેને એકબીજા વિરુદ્ધ ચડાવતા. સામાન્ય માન્યતા એવી છે કે ચરણસિંહે જનતા પક્ષની સરકાર તોડી, પણ હકીકતે વાજપેયીએ આ કામ કર્યું. સુબ્રમણિયન સ્વામી અતિ મહત્ત્વાકાંક્ષી છે. અલબત્ત, તેમની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થાય તે માટેની તેમનામાં લાયકાત છે પણ ખરી. લાયકાત વગર જો કોઈના મનમાં મહત્ત્વાકાંક્ષા હોય તો તે વ્યક્તિ પરત્વે આદર ન થાય, પણ સ્વામી માટે એવું નથી. ૧૯૯૮માં જયલલિતાની કૃપાથી સ્વામી મદુરાઈ બેઠક પરથી જીતી ગયા હતા. તે વખતે પણ સ્વામીને હતું કે જનતા સરકાર વખતે ન મેળ પડ્યો તો કંઈ નહીં, આ વખતે તો મેળ પડશે. જયલલિતા પણ તેમના ક્વોટામાંથી સ્વામીને નાણાપ્રધાન બનાવવા માગતા હતા, પણ વાજપેયી સ્વામીની દુશ્મની ભૂલી શકે તેમ નહોતા. સામાન્ય રીતે અજાતશત્રુ કહેવાતા વાજપેયીએ સ્વામીને મંત્રી ન બનાવ્યા. એમાં સ્વામીની વાજપેયી પ્રત્યેની કડવાશ વધી ગઈ. વાજપેયી સ્વામીને જનતા સરકાર વખતથી અલગ રાખતા હોય તેમાં કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ પક્ષની અંદર પોતાના હરીફ ઊભા થવા દેવા માગતા ન હોય. પરિણામ એ આવ્યું કે તે વખતે સ્વામીએ સોનિયા ગાંધી અને જયલલિતા વચ્ચે ટી પાર્ટી રખાવીને સરકાર ઉથલાવી દીધી, પણ કારગિલ યુદ્ધ થયું અને ૧૯૯૯માં ફરીથી વાજપેયી વડા પ્રધાન બન્યા. સ્વામીની ઈચ્છા પૂરી ન થઈ. વી. પી. સિંહ બોફોર્સ કૌભાંડ સામે ઝુંબેશ ચલાવીને વડા પ્રધાન બન્યા હતા, પણ સ્વામીએ પુરાવા સાથે તેમનું નામ પણ તેમાં જોડી દીધું હતું! સ્વામીએ ભાજપે ટેકો પાછો ખેંચી લીધા પછી વી. પી. સિંહના જનતા દળને તોડવામાં પણ ભાગ ભજવ્યો હતો તેમ કહેવાય છે. અજિતસિંહના જૂથના જનતા દળના ૨૦ સાંસદો તૂટીને ચંદ્રશેખર તરફ આવી ગયેલા તેનો યશ (!) સ્વામીને જાય છે. સ્વામીએ એક પત્રકારને હસતા હસતા કહેલું, તમારી પત્રકારોની કોઈ સંસ્થાને તોડવી હોય તો મને કહેજો! જયલલિતાના એક સમયના મિત્ર સ્વામીએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ કરીને તેમને જેલ ભેગા કર્યાં હતાં. જોકે, સ્વામીનું કહેવું હતું કે જયલલિતાના કહેવાથી પોલીસે તેમને હેરાન કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ એક બાબતમાં નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી જુદા પડે છે. મોદીને જયલલિતા સાથે સારું બને છે (અને આથી ભાજપને પણ!) પરંતુ ભાજપમાં માત્ર સ્વામી જ જયલલિતાના વિરોધી છે. બાકી, ઉદારવાદી આર્થિક નીતિમાં મોદી અને સ્વામી બંને સરખા મતના છે. અલબત્ત, એમ કહેવું જોઈએ કે ઉદારવાદી નીતિ લાવવાનો યશ મનમોહનસિંહને (મીડિયાના પ્રતાપે) જાય છે, પરંતુ હકીકતે ચંદ્રશેખર સરકાર વખતે તેનો પાયો સ્વામીએ નાખ્યો હતો. અને સ્વામી ઉદારવાદી આર્થિક નીતિની તરફેણ તેઓ આઈઆઈટીમાં ભણાવતા ત્યારથી કરતા હતા. આ બધી સામ્યતાઓ અને સ્વામીની અનેક નિપુણતાઓ તેમ જ સરકાર ઉથલાવવાની ક્ષમતાના લીધે જ કદાચ મોદીએ સ્વામીને રાજ્યસભામાં લાવીને સાચવી લીધા છે. સામાન્ય રીતે કૌભાંડોની પાછળ પડતા સ્વામીએ બોફોર્સ કૌભાંડને હાથ પણ નહોતો લગાડ્યો? કેમ? તેમનો જવાબ એવો હતો કે બીજા અનેક લોકો આ કામ કરી રહ્યા છે, મારે શું કામ કરવું? પણ હકીકત એ હતી કે તેમની રાજીવ ગાંધી સાથે ગાઢ મિત્રતા હતી. સ્વામી ઘણી વાર કહે છે કે, રાજીવને હું રાતના બે કે ત્રણ વાગે પણ મળી શકતો. એકદમ સમજી શકાય તેવી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેમ અંડરવર્લ્ડમાં પૈસા લઈને (અથવા કોઈ બીજા કારણોસર) હત્યા કરનારા ભાડૂતી/કોન્ટ્રાક્ટ કિલર હોય છે, રાજકારણમાં સ્વામીનું નામ તેવું જ છે. સ્વામીના હિટલિસ્ટમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન અને મિસ્ટર ક્લીનની છબી ધરાવનારા રામકૃષ્ણ હેગડે, એમ. કરુણાનીધિ, એ. રાજા., પી. ચિદમ્બરમ સહિત અનેક નામો હતાં/ છે. અને અત્યારે તેમણે સોનિયા-રાહુલ અને આરબીઆઈના રાજ્યપાલ રઘુરામ રાજનની સોપારી લીધી હોય તેમ લાગે છે. |
Showing posts with label જયવંત પંડ્યા. Show all posts
Showing posts with label જયવંત પંડ્યા. Show all posts
Monday, June 12, 2017
સુબ્રમણિયન સ્વામી અને નરેન્દ્ર મોદીને કેમ બને છે --- જયવંત પંડ્યા
Thursday, January 28, 2016
‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો! -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા -- 5 -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા
8-11-2015
‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો!
જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. રાજ્યપાલ જગમોહન કેન્દ્ર સરકારને મામલાની ગંભીરતા તેમના રિપોર્ટ દ્વારા આપી રહ્યા હતા, પરંતુ રાજીવ ગાંધી સરકાર અને રાજ્યમાં ફારુક સાથે સત્તા ભોગવતી કોંગ્રેસ ચૂપ હતાં. ઝિયાના મૃત્યુ પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે પછી પાકિસ્તાનમાં જાણે કોઈ બાળક ઘરેથી નીકળે ને મેદાનમાં રમીને પાછો આવે એટલી સરળતાથી કાશ્મીરના યુવાનો જવા લાગ્યા. તેમનો હેતુ પ્રવાસ કે પર્યટનનો નહોતો. તેમને ત્યાં કાયદેસર શસ્ત્ર તાલીમ અપાઈ રહી હતી.
રાજ્યપાલ જગમોહને ઑગસ્ટ ૧૯૮૮ની તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ૫૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી પ્રવૃત્તિ માટેની તાલીમ લઈને પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમાંના કેટલાક પાસે ચીનના આક્રમક હથિયારો હતાં. અહીં આપણે નોંધવું જોઈએ કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી હિલચાલ થાય છે કે કોઈ દેશ પર હુમલો કરવાની નોબત આવે છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો એક થઈને હુમલો કરે છે. એ પણ જાણીતી વાત છે કે આ દેશોમાં મુખ્યત્વે ખ્રિસ્તીઓની બોલબાલા છે. આ દેશોમાં ઇસ્લામી ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી લેવાતી નથી. બીજી તરફ, પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન સહિતના ઇસ્લામિક દેશોનો ટેકો મળતો રહે છે. ચીન બૌદ્ધ ધર્મી છે. ક્યારેક લોકશાહી દેશની નબળાઈ બની જતી હોય છે. એક જ પક્ષનું શાસન હોવાના કારણે ચીન પોતે જ શક્તિશાળી છે. ચીનની પડખે મહદંશે રશિયા ઊભું રહે છે.
ભારતની વાત કરીએ ત્યારે ભારતને કયા દેશનો ટેકો મળે છે? ભારત હિન્દુ બહુલ દેશ છે. પણ પહેલાં મહાત્મા ગાંધી-પં.નહેરુ-સરદારે અઘોષિત રીતે અને પછી ઈન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે ભારતને સેક્યુલર દેશ બનાવી દીધો. આ વિશ્ર્વમાં એકમાત્ર નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ ચીનની નીતિઓના કારણે આપણા શાસકો ઊંઘતા રહ્યા ને નેપાળ ચીનના ખોળામાં સરી પડ્યું. ત્યાં માઓવાદીઓ વર્ષ ૨૦૦૮માં શાસનમાં આવ્યા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં માઓવાદીઓ ત્રીજી સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવ્યા છે. હમણાં ડીઝલ-પેટ્રોલનું જે થયું તે નેપાળનું ભારતને બ્લેકમેઇલિંગ જ હતું. નેપાળના તાજા બંધારણમાં પણ તેને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરાયું નથી. જોકે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે પણ અને આજે નથી રહ્યું ત્યારે પણ ખાસ શક્તિશાળી નથી રહ્યું. તે ભારત પર જ મહદંશે આધારિત રહ્યું છે અને એક રીતે ભારતના એક અઘોષિત રાજ્ય જેવું જ રહ્યું છે.
ક્યાંક ને ક્યાંક હિન્દુઓની એ નબળાઈ રહી કે ધર્મના નામે રીતિરિવાજો-કર્મકાંડોને જેટલું પ્રાધાન્ય આપ્યું તેટલું સત્તાને નહીં. ખોટા કર્મકાંડો, ખોટી પ્રતિજ્ઞાઓ ને ખોટા લાગણીવેડાના કારણે સત્તાથી હંમેશાં દૂર રહ્યા. ત્યાગને વધારે પડતું પ્રાધાન્ય આપી દેવાયું. દેશમાં અન્ય પંથ-ધર્મોને આવવા દેવાયા. તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર રહ્યા. તેમના પર પહેલેથી કોઈ નિયંત્રણ ન રાખ્યું. પરિણામે પરધર્મીઓની જનસંખ્યા વધતી ગઈ. અને તેમાંના અનેક લોકોનો પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોએ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. ૧૯૮૭માં શાહબાનો કેસથી જે રાજીવ ગાંધીએ મુસ્લિમોનું તુષ્ટિકરણ શરૂ કર્યું તે આજે એટલી હદે વધી ગયું છે કે જો આજની સ્થિતિએ કોઈ પણ સંસ્થાનાં મૂળ વિચારને કડીબદ્ધ કરવાનો હોય તો તે સંસ્કૃતમાં સંભવ જ ન બને. એલઆઈસીનો મૂળ વિચાર છે- યોગ ક્ષેમં વહામ્યહમ્, ન્યાયાલયનો મૂળ વિચાર છે - યતો ધર્મસ્તતો જય:, આકાશવાણીનો મૂળ વિચાર છે- બહુજન હિતાય, બહુજન સુખાય. દૂરદર્શનનો મૂળ વિચાર છે-સત્યમ્ શિવમ્ સુંદરમ્ આ લોગોને દૂર કરી દેવાયો હતો. જોકે તેને પાછો લવાયો. સારું છે કે મૂળ આ સૂત્રો કોંગ્રેસના સમયમાં આવ્યાં. આ બધાં સૂત્રો હવે જો મોદી સરકાર લાવે તો ભગવાકરણના આરોપો લગાવી દેવામાં આવે!
ટૂંકમાં, ભારતની પડખે મજબૂતાઈથી ઊભાં રહે તેવાં રાષ્ટ્રો કોઈ નથી! આપણે રશિયાને વર્ષોથી સાચું ટેકેદાર માનતા આવ્યા છીએ, પણ તાશ્કંદ સમજૂતી વખતે પોતાને મહાસત્તા સાબિત કરવા રશિયાએ (તત્કાલીન સોવિયેત સંઘ) આપણને દગો દઈ દીધો હતો. આપણી આર્થિક શક્તિ ઘણી બધી રહી છે. આજે પણ છે. સાંસ્કૃતિક રીતે પણ આપણે હંમેશાં મહાન રહ્યા છીએ. પણ રાજકીય રીતે?
તો, આપણા મજબૂત અને મક્કમ સાથીદારો ન હોવાના કારણે આપણને વર્ષોથી તકલીફ પડતી રહી છે. પેલા સાપની વાર્તા જેવું થતું આવ્યું છે. સાપ અહિંસક હોવાથી તેને બધા પથ્થર મારતા. ઋષિએ તેને કહ્યું કે તને કરડવાની ના પાડી છે, ફૂંફાડો મારવાની નહીં. આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો ન કર્યો, પરંતુ તેનો અર્થ એવો થોડો છે કે આપણી પર કોઈ હુમલો ન કરે? તેના કારણે યુનાનીઓ, શક, હુણ, એલેક્ઝાન્ડર, તુર્કો, મોગલો એમ અનેક લોકોએ હુમલાઓ કર્યા. આ બધા હુમલામાં ક્યારેય આખું ભારત દાસ (ગુલામ) ન બન્યું, પરંતુ બ્રિટિશરો વખતે બની ગયું. અને બ્રિટિશરો આપણા ઇતિહાસ અને શિક્ષણમાં એવા ચેડાં કરતા ગયા કે આપણામાંના મોટા ભાગના માનસિક રીતે એમના ગુલામ થઈ ગયા.
આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ભૂલી ગયા પણ હવે મધર્સ ડે, ફાધર્સ ડે યાદ કરવા લાગ્યા. ભાદરવામાં શ્રાદ્ધ ભૂલતા ગયા પણ હવે હેલોવીનને ઘુસાડાઈ રહ્યું છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા:’ ભૂલી ગયા ને વીમેન્સ ડે યાદ રાખવા માંડ્યા. વસંતપંચમી ભૂલી ગયા ને વેલેન્ટાઇન્સ ડેએ તેનું સ્થાન લઈ લીધું. ચૈત્ર સુદ એકમ કે કારતક સુદ એકમનું બેસતું વર્ષ ભૂલી ૩૧ ડિસેમ્બર ઉજવવા લાગ્યા.
ટૂંકમાં ૨૦૦ વર્ષમાં માનસિક રીતે પાંગળા બનાવવા તમામ પ્રયાસો અંગ્રેજોએ કર્યા ને તેમાં તેઓ સફળ રહ્યા. તેમને જેવા જોઈતા હતા તેવાના હાથમાં શાસન સોંપીને તેઓ ગયા. કેટલાક કાયદાઓ એવા ને એવા રાખ્યા. જેમ કે લંડનના સમાચારપત્ર ડેઇલી મેઇલના એક અહેવાલ પ્રમાણે, ૨૦૦ વર્ષથી ચાલ્યો આવતો કાયદો છે કે બ્રિટનના રાણી કે રાજા ભારતના કોઈ પણ ન્યાયાલયના નિર્ણયોની સમીક્ષા ધારે તો કરી શકે! નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી આ જરીપુરાણા કાયદાઓને કાઢવાનું હાથમાં તો લીધું હતું પરંતુ જે રીતે છેલ્લા અનેક મહિનાઓથી કામકાજ ઠપ કરાયું છે તે જોતાં તે કેટલું આગળ વધ્યું હશે તે કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રકુળ (કોમનવેલ્થ)માં હજુ પણ આપણે સભ્ય તરીકે ચાલુ છીએ. આ રાષ્ટ્રકુળ એવા દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટનના દાસ હતા. પંડિત નહેરુએ તેમાં સભ્ય બનવાનું નક્કી કર્યું ત્યારે જબરદસ્ત ઊહાપોહ થયો હતો. કોમનવેલ્થ નામ જ દાસત્વ (ગુલામી)નું સૂચક છે. બ્રિટિશની સામાન્ય સંપત્તિ એવો સામાન્ય અર્થ થાય. સ્વતંત્ર ભારતમાં બજેટ પણ અંગ્રેજોને અનુકૂળ સમયે રજૂ કરાતું!
સ્વતંત્ર ભારતમાં પણ કેન્દ્રીય અંદાજપત્ર સાંજે પાંચ વાગે શરૂ થતું. કેમ? તો કે, બ્રિટિશકાળથી પરંપરા ચાલી આવતી હતી. બ્રિટિશરોએ આ પરંપરા એટલે પાડી કે ભારતના બજેટ વિશે તે ત્યાં બેઠા તેના સમય પ્રમાણે જાણી શકે. આપણે ત્યાં પાંચ વાગ્યા હોય એટલે ત્યાં બ્રિટનમાં સવારના ૧૧.૩૦ આસપાસ સમય થયો હોય. આ પરંપરા છેક વર્ષ ૨૦૦૦ સુધી એટલે કે અટલ બિહારી વાજપેયીની બિનકોંગ્રેસી સરકારના શાસન સુધી ચાલુ રહી. આ સરકારને પણ આ પરંપરા બદલતાં ત્રણ વર્ષ થયાં! હજુ વકીલોના કાળા કોટ ને શિક્ષણ પછી પદવીદાન સમારંભમાં કાળા ગાઉનની પરંપરા જેવી ઘણી બુડથલ બ્રિટિશ પરંપરાઓ ચાલુ જ રહી છે.
આમ, આપણી પડખે મજબૂત રીતે ઊભો રહે તેવો કોઈ દેશ નથી. અને અંગ્રેજો આપણને સતત હેરાન કરતું રહે તેવું પાકિસ્તાન મૂકતા ગયા છે જેને અંગ્રેજો નબળા પડ્યા પછી અમેરિકા અને હવે ચીન પાળતું-પોષતું આવ્યું છે. તો બીજી તરફ, ચીન, બાંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશો પણ આપણા મિત્રો નથી. ઈઝરાયેલની જેમ આપણે ચોતરફ શત્રુ નહીં તોય વિરોધીઓથી તો ઘેરાયેલા છીએ જ અને કરુણતા એ છે કે ઇઝરાયેલની જેમ આપણી સરેરાશ પ્રજાની માનસિકતા લડાયક નથી. (આમ પાછી અંદરોઅંદર લડવામાં બહાદુર ખરી.)
એટલે કાશ્મીરમાં જે યુવાનો પાછા ફરેલા તેને પાકિસ્તાન, અમેરિકા અને ચીન એ ત્રણેયની મદદ મળતી હતી તે સાબિત થયું. કેમ કે તેમની પાસેથી ચીનનાં શસ્ત્રો મળ્યાં હતાં. તેમની તાલીમ પાકિસ્તાનમાં થઈ હતી અને અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું હતું. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની મદદથી બ્રિટનથી પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન આવેલો જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો નેતા અમાનુલ્લા ખાન કાશ્મીરના યુવાનોને ત્રાસવાદીઓ બનાવવાનું કામ કરી રહ્યો હતો. અને કાશ્મીરમાં રહેલા જમાત-એ-ઇસ્લામી જેવાં સંગઠનો, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી જેવાં પાકિસ્તાન તરફી તત્ત્વો કાશ્મીરના યુવાનોને ભારત વિરુદ્ધ સતત ભડકાવી રહ્યા હતા. કાશ્મીરની ફારુક અબ્દુલ્લાની કોંગ્રેસના સમર્થનવાળી સરકાર પણ ભ્રષ્ટ અને કોમવાદી હતી.
આવી પરિસ્થિતિમાં ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૮ની મોડી સાંજે શ્રીનગરના રાણીબાગ મંદિર પર કેટલીક અજાણી વ્યક્તિઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ૧૭ સપ્ટેમ્બરની મધરાતે કાશ્મીર રેન્જના ડીઆઈજી અલી મોહમ્મદ વતાલી અને તેમના પરિવારજનો પર અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ચાર યુવાનોએ જીવલેણ હુમલો કર્યો. એક ત્રાસવાદી વળતા ગોળીબારમાં માર્યો ગયો. તેની પાસેથી રશિયાની બનાવટની ગન મળી આવી. આ સભ્યો જેકેએલએફ સંગઠનના હોવાનું મનાતું હતું અને તેમને પાકિસ્તાનમાં તાલીમ મળી હતી. ૨૨ સપ્ટેમ્બરે મકબૂલ બટને ફાંસીની સજા સંભળાવનાર નિવૃત્ત સેશન્સ જજ એન.કે. ગંજૂ પર ગોળીબાર થયો. ૨૩ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગે કાશ્મીરના ડીઆઈજી અને સીઆઈડીના આઈજી પર અંધાધૂંધ ગોળીબાર થયો. ૨૪ સપ્ટેમ્બરે શ્રીનગરના મ્યુઝિયમના સુરક્ષાકર્મી પર મોટરસાઇકલ પર આવેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો.
અત્યારે કોંગ્રેસના ઈશારે સાહિત્યકારો, ફિલ્મકારો, ઇતિહાસકારો ને વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે કે દેશમાં અસહિષ્ણુતા છે, પણ જ્યારે કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા સાથે કોંગ્રેસનું શાસન અને કેન્દ્રમાં પણ રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે કાશ્મીરમાં કેવી અસહિષ્ણુતા હતી તેનો એક આ અજબ નમૂનો છે. ૨ ઑક્ટોબર, ૧૯૮૮ના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિન હતો. શ્રીનગરમાં નવા બનેલા હાઇ કોર્ટના સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ગણ્યાગાંઠ્યા મુસ્લિમ વકીલોએ તેનો વિરોધ કર્યો. તેમણે ધમકી આપી કે તેઓ ઉદ્ઘાટન સમારંભમાં તોફાન કરશે.
ફારુક અબ્દુલ્લા જેઓ પણ અત્યારે નરેન્દ્ર મોદી સામે ચાલતી અસહિષ્ણુતાની ઝુંબેશમાં કૂદી પડ્યા છે, તેમણે તે વખતે એ સમારંભ જ રદ્દ કરી નાખેલો! અત્રે બરાબર નોંધવા જેવું છે કે જે પ્રતિમા સ્થાપિત કરાવાની હતી તે કોઈ હિન્દુ દેવી-દેવતા ભગવાન રામ, કૃષ્ણ કે ભારત માતાની નહોતી, જેની સામે મુસ્લિમોને વાંધો હોય. તે તો મહાન સેક્યુલર મહાત્મા ગાંધીની પ્રતિમા હતી! જેઓ મહદંશે મુસ્લિમોના પક્ષે જ રહ્યા હતા, ચાહે તે ખિલાફત મૂવમેન્ટ હોય કે પછી ઝીણાને વડા પ્રધાન બનાવવાની ઓફર હોય કે પછી પાકિસ્તાનને તેના ભાગના ૫૫ કરોડ તેણે પચાવી પાડેલું કાશ્મીર પાછું લીધા વગર આપી દેવા માટે ઉપવાસ આદરવાની વાત હોય. અને તો પણ કાશ્મીરના મુસ્લિમ વકીલોએ વિરોધ કર્યો ને ફારુક માની ગયા. ખરી અસહિષ્ણુતા કોની?
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178221
15-11-2015
ધાર્મિક સંસ્થાઓના દુરુપયોગનો કાયદો કાશ્મીરમાં લાગુ ન કરાયો!
કાશ્મીરમાં ધાર્મિક અસહિષ્ણુતા અને અલગાવવાદ સતત વધી રહ્યો હતો. જગમોહને કેન્દ્ર સરકારને પહેલાં જ ચેતવણીના સંકેતો આપી દીધા હતા જે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધા નહોતા. પણ જગમોહન પાસે હવે પ્રત્યક્ષ રજૂઆત કરવાનો સમય આવ્યો હતો. ૧૯૮૮ના ઑક્ટોબરની ૧૦ અને ૧૧ તારીખે નવી દિલ્હીમાં રાજ્યપાલોની પરિષદ હતી. તેમાં સ્વાભાવિક જ અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ જ હોય. જોકે આ પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. જગમોહને અહીં પણ પોતાની વાત રજૂ કરી, પરંતુ છતાં કોઈ પગલાં લેવાયાં નહીં.
દરમિયાનમાં વઝીર કમિશને જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લો રચવા ભલામણ કરી હતી. પરંતુ તે માટે ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસની સરકારે કોઈ પગલાં લીધાં નહીં. આથી સપ્ટેમ્બરથી આ જિલ્લાની રચના માટે આંદોલન શરૂ થયું હતું. જમ્મુથી માત્ર ૬૪ કિમી દૂર અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારના વિકાસ માટે સરકારને કોઈ પડી જ નહોતી. અને આંદોલન શરૂ થયું એના પહેલા દસ દિવસ સુધી પણ સરકારે આંખ આડા કાન કર્યા. આથી આંદોલનકારીઓએ પોતે જ રિયાસીને જિલ્લો જાહેર કરી દીધો અને તેમની રીતે ડેપ્યુટી કમિશનર પણ નીમી દીધા. પરિણામે આંદોલનના નેતાઓની ધરપકડ કરાઈ. બે મહિના ચાલેલા આંદોલનમાં હડતાળ, ધરણા અને સરઘસ જેવાં ગાંધીચીંધ્યા માર્ગોનો સહારો લેવાયો હતો. છેવટે સરકારે બાંયધરી આપી એટલે આંદોલન અટકાવી દેવાયું હતું.
૨૭ ઑક્ટોબર, ૧૯૮૮. જમ્મુ-કાશ્મીર માટે આ દિવસ ખરેખર તો શુભ દિવસ હોવો જોઈએ કેમ કે આ દિવસે ભારતીય સેના પાકિસ્તાનના આક્રમણને ખાળવા શ્રીનગરના હવાઈ મથકે ઉતરી હતી અને જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું, પરંતુ કાશ્મીર ખીણમાં તેને શુભ દિવસ મનાતો નથી!
પંડિત જવાહરલાલ નહેરુ, શેખ અબ્દુલ્લા અને તેમના સંતાનો- ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ફારુક અબ્દુલ્લા-આ પાંચ જણા મારી દૃષ્ટિએ જમ્મુ-કાશ્મીરની દુર્દશા માટે સૌથી જવાબદાર છે. નહેરુ કલમ ૩૭૦ લાવ્યા. ઇન્દિરા ગાંધીએ કાશ્મીરના રાજકારણમાંથી સાવ ફેંકાઈ ગયેલા શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને તેમના પક્ષનો એક પણ ધારાસભ્ય ન હોવા છતાં તેમને મુખ્યપ્રધાન બનાવ્યા. રાજીવ ગાંધીએ પણ ફારુક અબ્દુલ્લાને પહેલાં રાષ્ટ્રવિરોધી કહ્યા અને પછી તેમની સાથે સમજૂતી કરી તેમની સાથે ભાગીદારીમાં સરકાર બનાવી. અને તે પછી આટલી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ વિશે ગવર્નર જગમોહને ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લીધાં નહીં.
હવે આ કલમ ૩૭૦ કેટલી નડી ગઈ તે જુઓ. ૧, સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ કેન્દ્ર સરકાર એક સારો કાયદો લાવી હતી અને આ કાયદો મુખ્યત્વે શીખ અંતિમવાદી જર્નૈલસિંહ ભીંદરાનવાલે અમૃતસરના સુવર્ણમંદિરમાં છુપાઈ ગયો હતો તેને ધ્યાનમાં લઈને બનાવાયો હતો. આ કાયદાનું નામ હતું ધાર્મિક સ્થળોનો દુરૂપયોગ અટકાવવો. (રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્રિવેન્શન ઑફ મિસયુઝ ઍક્ટ, ૧૯૮૮). આ કાયદો ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ કરાયો પરંતુ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન કરાયો. કેમ? કારણ કે કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ પડતી હતી અને આ કલમ મુજબ, જો ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકાર ઈચ્છે તો જ આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડી શકે. આ કાયદાની સૌથી વધુ જરૂર અહીં હતી કેમ કે અહીં મસ્જિદ-મદરેસાઓનો સૌથી વધુ દુરૂપયોગ થતો હતો અને રાજકીય રીતે ઉશ્કેરણીઓ કરાતી હતી, પરંતુ ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકારે તેને મંજૂરી ન આપી અને તે માટે કારણ શું આપ્યું? જમ્મુ-કાશ્મીર અલગ છે. તેનું વ્યક્તિત્વ, તેની ઓળખ જુદાં છે. કેટલું વાહિયાત કારણ! જ્યારે રોમ ભડકે બળતું હતું અને નીરો ફીડલ વગાડતા હતા તેમ કાશ્મીર ભડકે બળવા લાગ્યું હતું અને દિલ્હીમાં રાજીવ ગાંધી પોતાની આસપાસની ચમચા ચોકડીના ચડાવેલા નશામાં હતા. તેમને, સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કે ફારુક અબ્દુલ્લાને ખબર નહોતી કે ઉપરોક્ત કાયદો જમ્મુ-કાશ્મીરમાં ન લાગુ થવાથી નજીકના ભવિષ્યમાં જ કેવી ભયંકર વિષમ પરિસ્થિતિ સર્જાવાની છે.
નવેમ્બર ૧૯૮૮માં ફારુક અબ્દુલ્લા અને રાજીવ ગાંધીની સમજૂતીની બીજી વાર્ષિક તિથિ હતી પરંતુ રાજ્યની રાજધાનીમાં તેની કોઈ ઉજવણી થઈ નહીં. ખીણમાં હિંસા વધી રહી હતી. તો આ તરફ હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેય ઝઘડા શરૂ થઈ ગયા હતા. વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂ. ૧૧ અબજની સહાય (પેકેજ) આપવાની જાહેરાત કરી હતી પણ તે આપ્યું તો નહોતું. આથી ફારુક અબ્દુલ્લા હવે આ સહાય ન આપવા માટે રાજીવ ગાંધીની ટીકા કરવા લાગ્યા. તેમણે કહ્યું, મારી સહનશક્તિની કસોટીની કોઈ મર્યાદા તો હોય કે
નહીં? (ઇન્ડિયા ટુડે, તા.૧૫ જાન્યુઆરી ૧૯૮૯).
૬ નવેમ્બરના દિવસને પણ કાશ્મીરીઓ ઇતિહાસમાં કાળા દિવસ તરીકે મનાવે છે. પાકિસ્તાન તરફી કટ્ટર મુસ્લિમોનું માનવું છે કે આ દિવસે વર્ષ ૧૯૪૭માં ભારતીય સેનાએ કાશ્મીરમાં મુસ્લિમોની મોટા પાયે હત્યા કરી હતી. કેવું જૂઠાણું! જે સેના કાશ્મીર અને કાશ્મીરીઓને પાકિસ્તાનથી બચાવવા ગઈ હતી તેના વિશે આવી વાતો ફેલાવવાની?
આ તરફ પાકિસ્તાનમાં લશ્કરી પ્રમુખ ઝિયા ઉલ હકના કમૃત્યુ પછી શું સ્થિતિ હતી? ૧૭ ઑગસ્ટ ૧૯૮૮એ ઝિયાના મૃત્યુ પછી સેનેટના પૂર્વ અધ્યક્ષ ગુલામ ઈશાક ખાને વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી હતી. તેમણે નવેમ્બર ૧૯૮૮માં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનમાં એક પ્રકારના ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. જેમ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને ઝિયા ઉલ હક આવ્યા અને ઝુલ્ફીકારને ફાંસી અપાઈ. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પુત્રી બેનઝીર દેશબહાર ચાલ્યાં ગયાં. ઝિયા ઉલ હકે જ્યારે ૧૯૮૬માં લશ્કરી કાયદો (માર્શલ લો) ઉઠાવી લીધો ત્યારે તેઓ ફરી પાકિસ્તાનમાં આવ્યાં હતાં. તે પછી તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ત્યારે તેમણે વર્ષ ૧૯૯૯માં ફરી પાકિસ્તાન છોડવું પડ્યું હતું. આ જ વર્ષમાં લશ્કરી વડા જન. પરવેઝ મુશર્રફે બળવો કરી સત્તા કબજે કરી અને પછી નવાઝ શરીફને દસ વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો.
તો, નવેમ્બર ૧૯૮૮માં પાકિસ્તાનમાં જે ચૂંટણી યોજાઈ તેમાં સ્વાભાવિક જ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે થયેલા વર્તન અને તેમને અપાયેલી ફાંસીની સહાનુભૂતિ બેનઝીર ભુટ્ટોને મળી અને માત્ર ૩૫ વર્ષની વયે તેઓ પાકિસ્તાનનાં પહેલાં વડાં પ્રધાન બન્યાં. હવે બંને દેશોમાં યુવાન વડા પ્રધાન હતા. બંને દેશોમાં એ વ્યક્તિઓ વડા પ્રધાન હતા જેમના માતાપિતાએ સીમલા સમજૂતી કરી શાંતિ માટે પાયો નાખવાની (એ વખતના દાવા મુજબ) ઐતિહાસિક પહેલ કરી હતી. આથી અપેક્ષા તો સ્વાભાવિક જ એવી થાય કે હવે ભારત-પાકિસ્તાનના સંબંધો કાયમી ધોરણે સુધરી જશે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે.
બેનઝીરે સત્તાગ્રહણ કર્યાની શરૂઆતમાં તો ભારત-પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને સુધારવા પ્રયાસો કરવા ખાતરી આપી. એક વાત નોંધવી જોઈએ કે ભારતીય માધ્યમોના એક મોટા વર્ગમાં પાકિસ્તાનના શાસકો પ્રત્યે ખબર નહીં કેમ કૂણો ભાવ અને આદરનો ભાવ હંમેશાં દેખાઈ આવે છે. દા.ત. પાકિસ્તાનના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફ સ્વીકારી ચુક્યા છે કે તેમણે જ કારગિલ યુદ્ધ છેડ્યું હતું. તો પણ એનડીટીવીની બરખા દત્ત હોય કે રાજદીપ સરદેસાઈ (અત્યારે ઇન્ડિયા ટુડે ચેનલ, પહેલાં સીએનએન-આઈબીએન) કે રજત શર્મા યા અન્ય કોઈ ઇલે. મિડિયાના મોટાં માથાં ગણાતા પત્રકાર, મુશર્રફને સંબોધતી વખતે મુશર્રફ સાહબ જ કહેશે. જ્યારે ભારતના વડા પ્રધાનને મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદી કહીને જ સંબોધશે. મનમોહનસિંહજી કે મોદીજી પણ નહીં કહે. તેમાંય બેનઝીર ભુટ્ટોના રૂપના કામણથી અનેક પત્રકારો પ્રભાવિત હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે. માત્ર બેનઝીર જ શું કામ, થોડા સમય પહેલાં પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન હીના રબ્બાની ખાર માટેય આવો જ મામલો હતો.
આમ પણ અમેરિકાના પ્રમુખ કે બ્રિટનના રાજા કે રાણી કે તેમનાં સંતાનો આવે છે તો પણ આપણા માધ્યમો, તેઓ કેટલા વાગ્યે ઊઠ્યા, કેટલા વાગે પ્રાત:ક્રિયા કરીથી માંડીને કેટલી વાર છીંક ખાધી જેવી ક્ષુલ્લક વાતો અને તસવીરોથી પાનાં અને ટીવી પર સ્લોટ ભરી દેતા હોય છે. આ આપણી માનસિક ગુલામી સિવાય બીજું કંઈ દર્શાવતું નથી. આપણા વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં જાય છે ત્યારે તેમની ખપ પૂરતી અને ઘણી વાર તો નેગેટિવ નોંધ વધુ લેવાતી હોય છે. આ તો ઠીક, હજુ પણ આપણાં માધ્યમો પૂર્વ રાજવીઓના વંશજોને પણ મહારાજા અને મહારાણી તરીકે સંબોધે છે- છાપે છે. શું તે લોકશાહીનું અપમાન નથી? શું તે આપણી માનસિક ગુલામીનું પ્રતીક નથી? પત્રકારોએ કોઈ પણ વ્યક્તિને આદર આપવો જોઈએ પરંતુ અહોભાવ કે મુગ્ધપણાથી મુક્ત રહેવું જોઈએ- ખાસ કરીને જ્યારે કેમેરા સામે તમે ઇન્ટરવ્યૂ કરતા હો.
આવું જ અત્યારના રાજકારણીઓ બાબતનું છે. વ્યક્તિઓ ચાહે તે નરેન્દ્ર મોદી હોય કે લાલુપ્રસાદ, શાહરુખ ખાન હોય કે સન્ની લિયોનને એટલા બધા ગ્લોરિફાય કરવામાં આવે છે, કે વાત ન પૂછો. અને અમુક ચેનલો પર તો વારંવાર કોઈ ને કોઈ બહાને દાઉદ ઇબ્રાહિમના ગુણગાન આડકતરી રીતે ગાવામાં આવતા હોય છે. આ બધું તો જવા દો, પટેલો માટે અનામત આંદોલન છેડનાર અને જેણે નક્સલી અને આતંકવાદી ભાષા બોલીને પોલીસોને મારી નાખવાની ઉશ્કેરણી કરી હતી, જેણે અનેક વર્ષો પછી ગામડેગામડે પહોંચેલા વીજળીના થાંભલાને ઉખાડી નાખવાની ઉશ્કેરણી કરી હતી તે હાર્દિક પટેલ જેવા હજુ ઉગતા અને નેતા બનવા મથતા વ્યક્તિ સાથે ફોટા પડાવીને કેટલાક પત્રકારો પોરસાતા હોય તેને કેવી વિટંબણા કહેવી! હાર્દિક પટેલના ઇન્ટરવ્યૂમાં પણ ઇન્ટરવ્યૂ લેતો મોટો પત્રકાર ચેનલનો હેડ હોય તે અત્યંત પ્રભાવિત દેખાતો હોય તો પછી ચોથી જાગીરના નામે ફાંકા મારવાનો આવા પત્રકારોને કોઈ હક નથી.
તો, પાકિસ્તાનમાં બેનઝીરના સત્તામાં આવ્યા પછી શું થયું? કાશ્મીર મુદ્દે સંબંધો સુધર્યા? ના. ઝિયાએ જે અપકૃત્યો શરૂ કર્યા હતાં અને કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ કરાવ્યો હતો તે વધુ ને વધુ આગળ વધવાનો હતો!
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178734
22-11-2015
ન ઉદાસ દેખાજે, ન ખુશ: ઝુલ્ફીકારે બેનઝિરને સલાહ આપેલી
તો, ૧૯૮૮માં પાકિસ્તાનમાં બેનઝિર ભુટ્ટો સત્તામાં આવ્યાં હતાં. ત્રણ રીતે આ વાત ભારત માટે મહત્ત્વની હતી. સર્વ પ્રથમ તો પાકિસ્તાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર લગભગ એક દાયકા પછી આવી હતી. બીજું, પાકિસ્તાનમાં સર્વ પ્રથમ વાર મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. ત્રીજું, તેઓ રાજકીય વારસો (લિગેસી) લઈને આવ્યાં હતાં. કયો રાજકીય વારસો? તેમના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો રાજકીય વારસો, જેમાં તેમણે ૧૯૭૧નું ભારત સામેનું યુદ્ધ હાર્યા પછી ભારત સાથે સીમલા સમજૂતી કરી હતી.
આ સીમલા સમજૂતી જ્યારે થઈ ત્યારે પિતા સાથે બેનઝિર પણ ભારત આવ્યાં હતાં. આ મુલાકાત વખતની કેટલીક રસપ્રદ વાતો કરીએ જેથી તેઓ પોતે સત્તામાં આવ્યા તે પછી વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે ૧૯૮૮માં સમજૂતી કરી તેને આપણે સારી રીતે સમજી શકીએ.
બેનઝિર ભુટ્ટોએ પોતાની આત્મકથા ડોટર ઑફ ઇસ્ટ’માં પોતાની સીમલા મુલાકાતનું રસપ્રદ વર્ણન કરેલું છે. તે ઉપરાંત સીમલા સમજૂતી અંગે અન્ય અહેવાલોમાંથી પણ બેનઝીર વિશે માહિતી મળે છે. પહેલાં બેનઝીરનું વર્ઝન જોઈએ. તેમણે લખ્યું છે:
૨૮ જૂન, ૧૯૭૨. મારા પિતા અને ઈન્દિરા ગાંધી વચ્ચે શિખર પરિષદ થવાની હતી. આ સમગ્ર ઉપખંડનું ભાવિ તેના પરિણામ પર નિર્ભર હતું. મારા પિતા મને પણ સાથે લઈ જવા ઈચ્છતા હતા. હું જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના જુનિયર વર્ષમાંથી ઉનાળાના વેકેશન માટે પાછી ફરી તેના એક અઠવાડિયા પછી તેમણે (ઝુલ્ફીકાર) મને કહ્યું હતું, જે કંઈ પરિણામ આવે તે, આ બેઠક પાકિસ્તાનના ઇતિહાસમાં વળાંક સાબિત થશે. હું તને તેમાં હાજર રાખવા માગું છું. તે વખતે મારા પિતા ખાલી હાથે જઈ રહ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી પાસે સોદાબાજી માટેના હુકમનાં તમામ પત્તાં હતાં.
મારા પિતાએ મને વિમાનમાં જ સલાહ આપી દીધી, મુલાકાત કઈ રીતે પ્રગતિ કરે છે તેના સંકેતો પર બધાની નજર હશે, તેથી જરા વધુ ધ્યાન રાખજે. તારે હસવું નહીં અને એવી છાપ પણ ન ઊભી થવા દેવી કે આપણા સૈનિકો ભારતના કેદીઓ બન્યા છે ત્યારે તું મજા કરી રહી છે. તારે ઉદાસ પણ ન દેખાવું કારણકે લોકો તેનું અર્થઘટન નિરાશાના સંકેત તરીકે કરશે. તેમની પાસે એ કહેવાનું કારણ ન હોવું જોઈએ કે તેના ચહેરાને જુઓ. મંત્રણા નિષ્ફળ જ ગઈ છે. પાકિસ્તાનીઓ હારી
ગયા છે.
તો પછી મારે કેવા દેખાવું? બેનઝિરે પૂછ્યું.
મેં તને પહેલાં જ કહી દીધું. ન તો ઉદાસ દેખાજે કે ન તો ખુશ.
એ તો બહુ મુશ્કેલ છે.
જરા પણ નહીં.
તેઓ ખોટા હતા. જ્યારે અમે ચંડીગઢ ખાતે પ્રેસિડેન્શિયલ પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ગયાં જે અમને બ્રિટિશ રાજ વખતની ઉનાળાની રાજધાનીમાં લઈ જવાનું હતું ત્યાં આવો તટસ્થ દેખાવ રાખવો મુશ્કેલ હતો. એમાંય જ્યારે અમે ફૂટબોલ પિચ પર, ટેલિવિઝન કેમેરાઓની ચાંપતી નજર હેઠળ હેલિકોપ્ટરમાંથી ઊતર્યા ત્યારે શ્રીમતી ગાંધીએ પોતે અમને આવકાર્યાં ત્યારે આ (ન હસવું કે ન ઉદાસ રહેવું) ખૂબ જ મુશ્કેલ હતું. મેં તેમને કહ્યું, સલામ અલૈકુમ. જે મુસ્લિમોની અભિવાદન કરવાની રીત હતી. તેના જવાબમાં શ્રીમતી ગાંધીએ નમસ્તે કર્યા.
થોડી બ્રેક મારીને એક વાત કરી લઈએ. ઈન્દિરા ગાંધી વખત સુધી કોગ્રેસનું તુષ્ટીકરણ સાવ નીચી હદ સુધી ગયું નહોતું, જે રાજીવ ગાંધીના આવ્યા પછી જવા લાગ્યું, ખાસ કરીને શાહબાનો કેસ પછી. યાદ હોય તો જ્યારે પાકિસ્તાનના લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ ૨૦૦૧માં કારગિલના યુદ્ધ પછી ૧૪ જુલાઈ, ૨૦૦૧એ ભારત આવ્યા ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સુષમા સ્વરાજે આદાબ કે કુર્નિશ જે કહેવાય તે કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ શું યોગ્ય કહેવાય? આના કારણે પાકિસ્તાની મીડિયામાં આનંદ છવાઈ ગયો હતો. હિન્દુવાદી ગણાતા પક્ષ ભાજપનાં એક નેતા આ રીતે કુર્નિશ કરે અને તે પણ કારગિલ યુદ્ધ છેડનાર સામે!
ફરી સીમલા સમજૂતીની વાત પર પાછા ફરીએ. બેનઝિર આગળ લખે છે:
જ્યારે એક તરફ સમજૂતી અંગે સઘન વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે બીજી તરફ, હું જ્યારે પણ હિમાચલ ભવન, જે પંજાબના બ્રિટિશ ગર્વનરોનું પૂર્વ નિવાસસ્થાન હતું, તેની બહાર જતી ત્યારે લોકો લાઇન લગાવીને ઊભા રહેતા જોવા મળતા. તેઓ મને તાક્યા કરતા. ચિચિયારી કરતાં ટોળાં મારી પાછળ પાછળ આવતાં. ભારતમાં આવવા માટે મને આવકારતા પત્રો અને તાર (ટેલિગ્રામ)નો ઢગલો થઈ ગયો. એકમાં તો સૂચન પણ કરાયું હતું કે મને મારા પિતાએ ભારતમાં દૂત તરીકે નિમવી જોઈએ! પત્રકારો અને લેખો લખનારાઓએ મારો ઇન્ટરવ્યૂ લેવા ધસારો કર્યો.
બેનઝિર લખે છે: મારાં કપડાં રાષ્ટ્રીય ફેશન થઈ ગઈ, પણ મારા માટે એ શરમજનક વાત હતી કેમ કે એ બધાં કપડાં મારી બહેનપણી સામિયાની બહેનના હતાં જે મેં પહેરવા માગ્યાં હતાં! મારા પોતાના કપડાંના કબાટમાં તો જીન્સ, સ્વીટશર્ટ, ઇન્ફોર્મલ ખમીઝ હતા. મને એમ હતું કે મને યુદ્ધ અને શાંતિ વિશે પ્રશ્ર્નો પુછાશે પરંતુ મને તો મારાં કપડાં અંગે પ્રશ્નો પુછાતા રહ્યા. છેવટે મેં જવાબ આપ્યો, ફેશન તો મધ્યમ વર્ગનો પાસ્ટાઇમ છે.
મારા પિતા અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના અન્ય લોકો સમજી ન શક્યા કે મને શા માટે આટલું મહત્ત્વ મળી રહ્યું છે. ગંભીર મુદ્દાથી વાતને ફંટાવવા માટે તને મહત્ત્વ અપાઈ રહ્યું લાગે છે. મારા પિતાએ સમાચારપત્રમાં ટોળા સામે હાથ હલાવીને અભિવાદન કરતી પહેલા પૃષ્ઠ પર છપાયેલી મારી તસવીર જોઈને કહ્યું, સાવધ રહેજે. તેમણે મને
ચિડવી, તું મુસોલિની જેવી લાગે છે.
તેમની વાત સાચી હતી. મંત્રણાઓ સંપૂર્ણ ગુપ્ત રખાતી હતી. આના કારણે જે આંતરરાષ્ટ્રીય પત્રકારો ભેગા થયા હતા તેમને મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પરંતુ મને લાગે છે કે મને જે અભૂતપૂર્વ સત્કાર મળતો હતો તેનું બીજું પણ કારણ હતું.
હું નવી પેઢીનું પ્રતીક હતી. હું ક્યારેય ભારતીય નહોતી. હું સ્વતંત્ર પાકિસ્તાનમાં જ જન્મી હતી. હું જટિલતાઓ અને પૂર્વગ્રહથી મુક્ત હતી. આ પૂર્વગ્રહોના કારણે તો વિભાજન વખતે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે લોહિયાળ રમખાણો થયાં હતાં. કદાચ લોકોને આશા હતી કે જે દુશ્મનીના કારણે ત્રણ-ત્રણ યુદ્ધો ભારત-પાકિસ્તાન વચ્ચે થયાં છે તે આ નવી પેઢી અવગણી શકશે. માતાપિતા અને દાદા-દાદીનો કડવો ભૂતકાળ આ પેઢી ભૂલી જશે. મને લાગ્યું કે આ તદ્દન શક્ય છે. શું આપણે નફરતની દીવાલોથી વિભાજિત જ રહેવાનું છે કે પછી લડીને બાદમાં એક થયેલા યુરોપની જેમ આપણે એક થઈ શકીએ છીએ?
બેનઝિર ઈન્દિરા ગાંધી વિશે પોતાનો અનુભવ લખે છે:
૩૦ જૂને તેમણે યોજેલા ભોજન સમારંભમાં તેઓ સતત મને જોતાં રહ્યાં, જેના કારણે મને ચિંતા થઈ ગઈ. ઈન્દિરા ગાંધીની હું પ્રશંસક હતી...તેમના વિશે હું માહિતી જાણતી હતી...તેમને શરૂઆતમાં કોંગ્રેસીઓ ગૂંગી ગુડિયા સમજતા હતા, પરંતુ તેમણે બધાને પછાડી દીધા હતા. મેં તેમની સાથે વાત કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ખૂબ જ મિતભાષી હતાં. તેઓ અંતર્મુખી હતા. એક સતત તણાવ રહેતો જે તેઓ હસે ત્યાર જ દૂર થતો.
મને બીજી ચિંતા એ વાતની હતી કે મેં સિલ્કની સાડી પહેરી હતી જે મને મારી માતા (નૂસરત ભુટ્ટો)એ ઉછીની આપી હતી. જોકે તેમણે મને શીખવ્યું હતું કે શરીર ઢંકાઈ રહે તે રીતે તેને કેમ પહેરવી, પરંતુ મને ચિંતા હતી કે ક્યાંક સાડી ખૂલી ન જાય! મને મારી ફઈ મુમતાઝની વાત યાદ આવી ગઈ. તેઓ જર્મનીમાં હતાં ત્યારે એક સુપરમાર્કેટમાં એસ્કેલેટરમાં તેમની સાડીનો છેડો ફસાઈ ગયો હતો. સાડી ખૂલી ગઈ હતી. છેવટે એસ્કેલેટર બંધ કરાયું ત્યારે ફરી તે પહેરી શકાઈ. પણ આ યાદથી કોઈ મદદ ન મળી. શ્રીમતી ગાંધી (ઈન્દિરા) મારા સામું જોતાં જ રહ્યાં.
કદાચ તેઓ મને જોઈને ડિપ્લોમેટિક મિશનને યાદ કરતા હશે જ્યારે તેઓ પણ મારી જેમ તેમના પિતા સાથે ગયાં હતાં, તેમ મેં મારા મનમાં વિચાર્યું. શું તેમને મારામાં પોતાની જાત દેખાતી હશે? શું તેમને મારામાં અન્ય એક રાજનીતિજ્ઞની દીકરી દેખાતી હશે? શું તેઓ એક દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ યાદ કરતા હશે? તેઓ ખૂબ જ ઠીંગણા અને નાજુક હતાં. તો પછી પેલી જાણીતી સખ્તાઈ ક્યાંથી આવી હશે? તેમણે તેમના પિતા સામે બળવો કરીને એક પારસી રાજકારણી સાથે લગ્ન કર્યાં હતાં અને એ લગ્ન સફળ ન રહ્યાં અને બંને જણાં અલગ-અલગ રહેવા લાગ્યાં. હવે તેમના પિતા અને પતિ બંને મૃત્યુ પામ્યાં છે. શું તેઓ એકલતા અનુભવતાં હશે?
મને વિચાર આવ્યો કે કદાચ સિમલામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળથી કેટલીક ઐતિહાસિક સ્મૃતિઓ જીવંત બની હશે. આ એ જ શહેર હતું જ્યાં તેમના પિતા મોહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાનને હિન્દુ ઇન્ડિયા (યાદ રાખો આ શબ્દો બેનઝિરના છે.)માંથી મુસ્લિમ પાકિસ્તાનનો નવો દેશ બનાવવા ભેગા થયા હતા. અને હવે વડાં પ્રધાન તરીકે પોતે પણ અલગ મુસ્લિમ દેશ ટકી રહે તે સુનિશ્ર્ચિત કરી શકે છે. અથવા તેઓ તેનો નાશ કરવા પ્રયાસ કરી શકે છે. તેઓ કયા રસ્તે જશે? તેનો જવાબ ચાર દિવસ પછી આવ્યો...
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmSearch.aspx
29-11-2015
‘સહિષ્ણુ’ કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમાનો વિરોધ થયેલો!
જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. રાજ્યપાલ જગમોહન કેન્દ્ર સરકારને મામલાની ગંભીરતા તેમના રિપોર્ટ દ્વારા આપી રહ્યા હતા, પરંતુ રાજીવ ગાંધી સરકાર અને રાજ્યમાં ફારુક સાથે સત્તા ભોગવતી કોંગ્રેસ ચૂપ હતાં. ઝિયાના મૃત્યુ પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે પછી પાકિસ્તાનમાં જાણે કોઈ બાળક ઘરેથી નીકળે ને મેદાનમાં રમીને પાછો આવે એટલી સરળતાથી કાશ્મીરના યુવાનો જવા લાગ્યા. તેમનો હેતુ પ્રવાસ કે પર્યટનનો નહોતો. તેમને ત્યાં કાયદેસર શસ્ત્ર તાલીમ અપાઈ રહી હતી.
રાજ્યપાલ જગમોહને ઑગસ્ટ ૧૯૮૮ની તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ૫૦ કાશ્મીરી યુવાનો ત્રાસવાદી પ્રવૃત્તિ માટેની તાલીમ લઈને પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમાંના કેટલાક પાસે ચીનના આક્રમક હથિયારો હતાં. અહીં આપણે નોંધવું જોઈએ કે જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી હિલચાલ થાય છે કે કોઈ દેશ પર હુમલો કરવાની નોબત આવે છે ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો એક થઈને હુમલો કરે છે. એ પણ જાણીતી વાત છે કે આ દેશોમાં મુખ્યત્વે ખ્રિસ્તીઓની બોલબાલા છે. આ દેશોમાં ઇસ્લામી ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી લેવાતી નથી. બીજી તરફ, પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ઈરાક, ઈરાન સહિતના ઇસ્લામિક દેશોનો ટેકો મળતો રહે છે. ચીન બૌદ્ધ ધર્મી છે. ક્યારેક લોકશાહી દેશની નબળાઈ બની જતી હોય છે. એક જ પક્ષનું શાસન હોવાના કારણે ચીન પોતે જ શક્તિશાળી છે. ચીનની પડખે મહદંશે રશિયા ઊભું રહે છે.
ભારતની વાત કરીએ ત્યારે ભારતને કયા દેશનો ટેકો મળે છે? ભારત હિન્દુ બહુલ દેશ છે. પણ પહેલાં મહાત્મા ગાંધી-પં.નહેરુ-સરદારે અઘોષિત રીતે અને પછી ઈન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે ભારતને સેક્યુલર દેશ બનાવી દીધો. આ વિશ્ર્વમાં એકમાત્ર નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ ચીનની નીતિઓના કારણે આપણા શાસકો ઊંઘતા રહ્યા ને નેપાળ ચીનના ખોળામાં સરી પડ્યું. ત્યાં માઓવાદીઓ વર્ષ ૨૦૦૮માં શાસનમાં આવ્યા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં માઓવાદીઓ ત્રીજી સૌથી મોટી તાકાત બનીને ઉભરી આવ્યા છે. હમણાં ડીઝલ-પેટ્રોલનું જે થયું તે નેપાળનું ભારતને બ્લેકમેઇલિંગ જ હતું. નેપાળના તાજા બંધારણમાં પણ તેને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરાયું નથી. જોકે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું ત્યારે પણ અને આજે નથી રહ્યું ત્યારે પણ ખાસ શક્તિશાળી નથી રહ્યું. તે ભારત પર જ મહદંશે આધારિત રહ્યું છે અને એક રીતે ભારતના એક અઘોષિત રાજ્ય જેવું જ રહ્યું છે.
ક્યાંક ને ક્યાંક હિન્દુઓની એ નબળાઈ રહી કે ધર્મના નામે રીતિરિવાજો-કર્મકાંડોને જેટલું પ્રાધાન્ય આપ્યું તેટલું સત્તાને નહીં. ખોટા કર્મકાંડો, ખોટી પ્રતિજ્ઞાઓ ને ખોટા લાગણીવેડાના કારણે સત્તાથી હંમેશાં દૂર રહ્યા. ત્યાગને વધારે પડતું પ્રાધાન્ય આપી દેવાયું. દેશમાં અન્ય પંથ-ધર્મોને આવવા દેવાયા. તેમના પ્રત્યે વધુ પડતા ઉદાર રહ્યા. તેમના પર પહેલેથી કોઈ નિયંત્રણ ન રાખ્યું. પરિણામે પરધર્મીઓની જનસંખ્યા વધતી ગઈ. અને તેમાંના અનેક લોકોનો પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોએ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. ૧૯૮૭માં શાહબાનો કેસથી જે રાજીવ ગાંધીએ મુસ્લિમોનું તુષ્ટિકરણ શરૂ કર્યું તે આજે એટલી હદે વધી ગયું છે કે જો આજની સ્થિતિએ કોઈ પણ સંસ્થાનાં મૂળ વિચારને કડીબદ્ધ કરવાનો હોય તો તે સંસ્કૃતમાં સંભવ જ ન બને. એલઆઈસીનો મૂળ વિચાર છે- યોગ ક્ષેમં વહામ્યહમ્, ન્યાયાલયનો મૂળ વિચાર છે - યતો ધર્મસ્તતો જય:, આકાશવાણીનો મૂળ વિચાર છે- બહુજન હિતાય, બહુજન સુખાય. દૂરદર્શનનો મૂળ વિચાર છે-સત્યમ્ શિવમ્ સુંદરમ્ આ લોગોને દૂર કરી દેવાયો હતો. જોકે તેને પાછો લવાયો. સારું છે કે મૂળ આ સૂત્રો કોંગ્રેસના સમયમાં આવ્યાં. આ બધાં સૂત્રો હવે જો મોદી સરકાર લાવે તો ભગવાકરણના આરોપો લગાવી દેવામાં આવે!
ટૂંકમાં, ભારતની પડખે મજબૂતાઈથી ઊભાં રહે તેવાં રાષ્ટ્રો કોઈ નથી! આપણે રશિયાને વર્ષોથી સાચું ટેકેદાર માનતા આવ્યા છીએ, પણ તાશ્કંદ સમજૂતી વખતે પોતાને મહાસત્તા સાબિત કરવા રશિયાએ (તત્કાલીન સોવિયેત સંઘ) આપણને દગો દઈ દીધો હતો. આપણી આર્થિક શક્તિ ઘણી બધી રહી છે. આજે પણ છે. સાંસ્કૃતિક રીતે પણ આપણે હંમેશાં મહાન રહ્યા છીએ. પણ રાજકીય રીતે?
તો, આપણા મજબૂત અને મક્કમ સાથીદારો ન હોવાના કારણે આપણને વર્ષોથી તકલીફ પડતી રહી છે. પેલા સાપની વાર્તા જેવું થતું આવ્યું છે. સાપ અહિંસક હોવાથી તેને બધા પથ્થર મારતા. ઋષિએ તેને કહ્યું કે તને કરડવાની ના પાડી છે, ફૂંફાડો મારવાની નહીં. આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો ન કર્યો, પરંતુ તેનો અર્થ એવો થોડો છે કે આપણી પર કોઈ હુમલો ન કરે? તેના કારણે યુનાનીઓ, શક, હુણ, એલેક્ઝાન્ડર, તુર્કો, મોગલો એમ અનેક લોકોએ હુમલાઓ કર્યા. આ બધા હુમલામાં ક્યારેય આખું ભારત દાસ (ગુલામ) ન બન્યું, પરંતુ બ્રિટિશરો વખતે બની ગયું. અને બ્રિટિશરો આપણા ઇતિહાસ અને શિક્ષણમાં એવા ચેડાં કરતા ગયા કે આપણામાંના મોટા ભાગના માનસિક રીતે એમના ગુલામ થઈ ગયા.
આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ભૂલી ગયા પણ હવે મધર્સ ડે, ફાધર્સ ડે યાદ કરવા લાગ્યા. ભાદરવામાં શ્રાદ્ધ ભૂલતા ગયા પણ હવે હેલોવીનને ઘુસાડાઈ રહ્યું છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા:’ ભૂલી ગયા ને વીમેન્સ ડે યાદ રાખવા માંડ્યા. વસંતપંચમી ભૂલી ગયા ને વેલેન્ટાઇન્સ ડેએ તેનું સ્થાન લઈ લીધું. ચૈત્ર સુદ એકમ કે કારતક સુદ એકમનું બેસતું વર્ષ ભૂલી ૩૧ ડિસેમ્બર ઉજવવા લાગ્યા.
ટૂંકમાં ૨૦૦ વર્ષમાં માનસિક રીતે પાંગળા બનાવવા તમામ પ્રયાસો અંગ્રેજોએ કર્યા ને તેમાં તેઓ સફળ રહ્યા. તેમને જેવા જોઈતા હતા તેવાના હાથમાં શાસન સોંપીને તેઓ ગયા. કેટલાક કાયદાઓ એવા ને એવા રાખ્યા. જેમ કે લંડનના સમાચારપત્ર ડેઇલી મેઇલના એક અહેવાલ પ્રમાણે, ૨૦૦ વર્ષથી ચાલ્યો આવતો કાયદો છે કે બ્રિટનના રાણી કે રાજા ભારતના કોઈ પણ ન્યાયાલયના નિર્ણયોની સમીક્ષા ધારે તો કરી શકે! નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી આ જરીપુરાણા કાયદાઓને કાઢવાનું હાથમાં તો લીધું હતું પરંતુ જે રીતે છેલ્લા અનેક મહિનાઓથી કામકાજ ઠપ કરાયું છે તે જોતાં તે કેટલું આગળ વધ્યું હશે તે કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રકુળ (કોમનવેલ્થ)માં હજુ પણ આપણે સભ્ય તરીકે ચાલુ છીએ. આ રાષ્ટ્રકુળ એવા દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટનના દાસ હતા. પંડિત નહેરુએ તેમાં સભ્ય બનવાનું નક્કી કર્યું ત્યારે જબરદસ્ત ઊહાપોહ થયો હતો. કોમનવેલ્થ નામ જ દાસત્વ (ગુલામી)નું સૂચક છે. બ્રિટિશની સામાન્ય સંપત્તિ એવો સામાન્ય અર્થ થાય. સ્વતંત્ર ભારતમાં બજેટ પણ અંગ્રેજોને અનુકૂળ સમયે રજૂ કરાતું!
સ્વતંત્ર ભારતમાં પણ કેન્દ્રીય અંદાજપત્ર સાંજે પાંચ વાગે શરૂ થતું. કેમ? તો કે, બ્રિટિશકાળથી પરંપરા ચાલી આવતી હતી. બ્રિટિશરોએ આ પરંપરા એટલે પાડી કે ભારતના બજેટ વિશે તે ત્યાં બેઠા તેના સમય પ્રમાણે જાણી શકે. આપણે ત્યાં પાંચ વાગ્યા હોય એટલે ત્યાં બ્રિટનમાં સવારના ૧૧.૩૦ આસપાસ સમય થયો હોય. આ પરંપરા છેક વર્ષ ૨૦૦૦ સુધી એટલે કે અટલ બિહારી વાજપેયીની બિનકોંગ્રેસી સરકારના શાસન સુધી ચાલુ રહી. આ સરકારને પણ આ પરંપરા બદલતાં ત્રણ વર્ષ થયાં! હજુ વકીલોના કાળા કોટ ને શિક્ષણ પછી પદવીદાન સમારંભમાં કાળા ગાઉનની પરંપરા જેવી ઘણી બુડથલ બ્રિટિશ પરંપરાઓ ચાલુ જ રહી છે.
આમ, આપણી પડખે મજબૂત રીતે ઊભો રહે તેવો કોઈ દેશ નથી. અને અંગ્રેજો આપણને સતત હેરાન કરતું રહે તેવું પાકિસ્તાન મૂકતા ગયા છે જેને અંગ્રેજો નબળા પડ્યા પછી અમેરિકા અને હવે ચીન પાળતું-પોષતું આવ્યું છે. તો બીજી તરફ, ચીન, બાંગલાદેશ, શ્રીલંકા, મ્યાનમાર જેવા દેશો પણ આપણા મિત્રો નથી. ઈઝરાયેલની જેમ આપણે ચોતરફ શત્રુ નહીં તોય વિરોધીઓથી તો ઘેરાયેલા છીએ જ અને કરુણતા એ છે કે ઇઝરાયેલની જેમ આપણી સરેરાશ પ્રજાની માનસિકતા લડાયક નથી. (આમ પાછી અંદરોઅંદર લડવામાં બહાદુર ખરી.)
એટલે કાશ્મીરમાં જે યુવાનો પાછા ફરેલા તેને પાકિસ્તાન, અમેરિકા અને ચીન એ ત્રણેયની મદદ મળતી હતી તે સાબિત થયું. કેમ કે તેમની પાસેથી ચીનનાં શસ્ત્રો મળ્યાં હતાં. તેમની તાલીમ પાકિસ્તાનમાં થઈ હતી અને અમેરિકા પાકિસ્તાનને મદદ કરતું હતું. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની મદદથી બ્રિટનથી પ્રત્યર્પણ કરીને પાકિસ્તાન આવેલો જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો નેતા અમાનુલ્લા ખાન કાશ્મીરના યુવાનોને ત્રાસવાદીઓ બનાવવાનું કામ કરી રહ્યો હતો. અને કાશ્મીરમાં રહેલા જમાત-એ-ઇસ્લામી જેવાં સંગઠનો, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી જેવાં પાકિસ્તાન તરફી તત્ત્વો કાશ્મીરના યુવાનોને ભારત વિરુદ્ધ સતત ભડકાવી રહ્યા હતા. કાશ્મીરની ફારુક અબ્દુલ્લાની કોંગ્રેસના સમર્થનવાળી સરકાર પણ ભ્રષ્ટ અને કોમવાદી હતી.
આવી પરિસ્થિતિમાં ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૮ની મોડી સાંજે શ્રીનગરના રાણીબાગ મંદિર પર કેટલીક અજાણી વ્યક્તિઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ૧૭ સપ્ટેમ્બરની મધરાતે કાશ્મીર રેન્જના ડીઆઈજી અલી મોહમ્મદ વતાલી અને તેમના પરિવારજનો પર અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ચાર યુવાનોએ જીવલેણ હુમલો કર્યો. એક ત્રાસવાદી વળતા ગોળીબારમાં માર્યો ગયો. તેની પાસેથી રશિયાની બનાવટની ગન મળી આવી. આ સભ્યો જેકેએલએફ સંગઠનના હોવાનું મનાતું હતું અને તેમને પાકિસ્તાનમાં તાલીમ મળી હતી. ૨૨ સપ્ટેમ્બરે મકબૂલ બટને ફાંસીની સજા સંભળાવનાર નિવૃત્ત સેશન્સ જજ એન.કે. ગંજૂ પર ગોળીબાર થયો. ૨૩ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગે કાશ્મીરના ડીઆઈજી અને સીઆઈડીના આઈજી પર અંધાધૂંધ ગોળીબાર થયો. ૨૪ સપ્ટેમ્બરે શ્રીનગરના મ્યુઝિયમના સુરક્ષાકર્મી પર મોટરસાઇકલ પર આવેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો.
અત્યારે કોંગ્રેસના ઈશારે સાહિત્યકારો, ફિલ્મકારો, ઇતિહાસકારો ને વૈજ્ઞાનિકો મંડી પડ્યા છે કે દેશમાં અસહિષ્ણુતા છે, પણ જ્યારે કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા સાથે કોંગ્રેસનું શાસન અને કેન્દ્રમાં પણ રાજીવ ગાંધી સરકાર હતી ત્યારે કાશ્મીરમાં કેવી અસહિષ્ણુતા હતી તેનો એક આ અજબ નમૂનો છે. ૨ ઑક્ટોબર, ૧૯૮૮ના રોજ મહાત્મા ગાંધીનો જન્મદિન હતો. શ્રીનગરમાં નવા બનેલા હાઇ કોર્ટના સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ગણ્યાગાંઠ્યા મુસ્લિમ વકીલોએ તેનો વિરોધ કર્યો. તેમણે ધમકી આપી કે તેઓ ઉદ્ઘાટન સમારંભમાં તોફાન કરશે.
ફારુક અબ્દુલ્લા જેઓ પણ અત્યારે નરેન્દ્ર મોદી સામે ચાલતી અસહિષ્ણુતાની ઝુંબેશમાં કૂદી પડ્યા છે, તેમણે તે વખતે એ સમારંભ જ રદ્દ કરી નાખેલો! અત્રે બરાબર નોંધવા જેવું છે કે જે પ્રતિમા સ્થાપિત કરાવાની હતી તે કોઈ હિન્દુ દેવી-દેવતા ભગવાન રામ, કૃષ્ણ કે ભારત માતાની નહોતી, જેની સામે મુસ્લિમોને વાંધો હોય. તે તો મહાન સેક્યુલર મહાત્મા ગાંધીની પ્રતિમા હતી! જેઓ મહદંશે મુસ્લિમોના પક્ષે જ રહ્યા હતા, ચાહે તે ખિલાફત મૂવમેન્ટ હોય કે પછી ઝીણાને વડા પ્રધાન બનાવવાની ઓફર હોય કે પછી પાકિસ્તાનને તેના ભાગના ૫૫ કરોડ તેણે પચાવી પાડેલું કાશ્મીર પાછું લીધા વગર આપી દેવા માટે ઉપવાસ આદરવાની વાત હોય. અને તો પણ કાશ્મીરના મુસ્લિમ વકીલોએ વિરોધ કર્યો ને ફારુક માની ગયા. ખરી અસહિષ્ણુતા કોની?
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178221
15-11-2015
ધાર્મિક સંસ્થાઓના દુરુપયોગનો કાયદો કાશ્મીરમાં લાગુ ન કરાયો!
કાશ્મીરમાં ધાર્મિક અસહિષ્ણુતા અને અલગાવવાદ સતત વધી રહ્યો હતો. જગમોહને કેન્દ્ર સરકારને પહેલાં જ ચેતવણીના સંકેતો આપી દીધા હતા જે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધા નહોતા. પણ જગમોહન પાસે હવે પ્રત્યક્ષ રજૂઆત કરવાનો સમય આવ્યો હતો. ૧૯૮૮ના ઑક્ટોબરની ૧૦ અને ૧૧ તારીખે નવી દિલ્હીમાં રાજ્યપાલોની પરિષદ હતી. તેમાં સ્વાભાવિક જ અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ જ હોય. જોકે આ પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. જગમોહને અહીં પણ પોતાની વાત રજૂ કરી, પરંતુ છતાં કોઈ પગલાં લેવાયાં નહીં.
દરમિયાનમાં વઝીર કમિશને જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લો રચવા ભલામણ કરી હતી. પરંતુ તે માટે ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસની સરકારે કોઈ પગલાં લીધાં નહીં. આથી સપ્ટેમ્બરથી આ જિલ્લાની રચના માટે આંદોલન શરૂ થયું હતું. જમ્મુથી માત્ર ૬૪ કિમી દૂર અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારના વિકાસ માટે સરકારને કોઈ પડી જ નહોતી. અને આંદોલન શરૂ થયું એના પહેલા દસ દિવસ સુધી પણ સરકારે આંખ આડા કાન કર્યા. આથી આંદોલનકારીઓએ પોતે જ રિયાસીને જિલ્લો જાહેર કરી દીધો અને તેમની રીતે ડેપ્યુટી કમિશનર પણ નીમી દીધા. પરિણામે આંદોલનના નેતાઓની ધરપકડ કરાઈ. બે મહિના ચાલેલા આંદોલનમાં હડતાળ, ધરણા અને સરઘસ જેવાં ગાંધીચીંધ્યા માર્ગોનો સહારો લેવાયો હતો. છેવટે સરકારે બાંયધરી આપી એટલે આંદોલન અટકાવી દેવાયું હતું.
૨૭ ઑક્ટોબર, ૧૯૮૮. જમ્મુ-કાશ્મીર માટે આ દિવસ ખરેખર તો શુભ દિવસ હોવો જોઈએ કેમ કે આ દિવસે ભારતીય સેના પાકિસ્તાનના આક્રમણને ખાળવા શ્રીનગરના હવાઈ મથકે ઉતરી હતી અને જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું, પરંતુ કાશ્મીર ખીણમાં તેને શુભ દિવસ મનાતો નથી!
પંડિત જવાહરલાલ નહેરુ, શેખ અબ્દુલ્લા અને તેમના સંતાનો- ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ફારુક અબ્દુલ્લા-આ પાંચ જણા મારી દૃષ્ટિએ જમ્મુ-કાશ્મીરની દુર્દશા માટે સૌથી જવાબદાર છે. નહેરુ કલમ ૩૭૦ લાવ્યા. ઇન્દિરા ગાંધીએ કાશ્મીરના રાજકારણમાંથી સાવ ફેંકાઈ ગયેલા શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને તેમના પક્ષનો એક પણ ધારાસભ્ય ન હોવા છતાં તેમને મુખ્યપ્રધાન બનાવ્યા. રાજીવ ગાંધીએ પણ ફારુક અબ્દુલ્લાને પહેલાં રાષ્ટ્રવિરોધી કહ્યા અને પછી તેમની સાથે સમજૂતી કરી તેમની સાથે ભાગીદારીમાં સરકાર બનાવી. અને તે પછી આટલી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ વિશે ગવર્નર જગમોહને ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લીધાં નહીં.
હવે આ કલમ ૩૭૦ કેટલી નડી ગઈ તે જુઓ. ૧, સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ કેન્દ્ર સરકાર એક સારો કાયદો લાવી હતી અને આ કાયદો મુખ્યત્વે શીખ અંતિમવાદી જર્નૈલસિંહ ભીંદરાનવાલે અમૃતસરના સુવર્ણમંદિરમાં છુપાઈ ગયો હતો તેને ધ્યાનમાં લઈને બનાવાયો હતો. આ કાયદાનું નામ હતું ધાર્મિક સ્થળોનો દુરૂપયોગ અટકાવવો. (રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્રિવેન્શન ઑફ મિસયુઝ ઍક્ટ, ૧૯૮૮). આ કાયદો ભારતનાં તમામ રાજ્યોમાં લાગુ કરાયો પરંતુ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન કરાયો. કેમ? કારણ કે કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ પડતી હતી અને આ કલમ મુજબ, જો ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકાર ઈચ્છે તો જ આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડી શકે. આ કાયદાની સૌથી વધુ જરૂર અહીં હતી કેમ કે અહીં મસ્જિદ-મદરેસાઓનો સૌથી વધુ દુરૂપયોગ થતો હતો અને રાજકીય રીતે ઉશ્કેરણીઓ કરાતી હતી, પરંતુ ફારુક અબ્દુલ્લા-કોંગ્રેસ સરકારે તેને મંજૂરી ન આપી અને તે માટે કારણ શું આપ્યું? જમ્મુ-કાશ્મીર અલગ છે. તેનું વ્યક્તિત્વ, તેની ઓળખ જુદાં છે. કેટલું વાહિયાત કારણ! જ્યારે રોમ ભડકે બળતું હતું અને નીરો ફીડલ વગાડતા હતા તેમ કાશ્મીર ભડકે બળવા લાગ્યું હતું અને દિલ્હીમાં રાજીવ ગાંધી પોતાની આસપાસની ચમચા ચોકડીના ચડાવેલા નશામાં હતા. તેમને, સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કે ફારુક અબ્દુલ્લાને ખબર નહોતી કે ઉપરોક્ત કાયદો જમ્મુ-કાશ્મીરમાં ન લાગુ થવાથી નજીકના ભવિષ્યમાં જ કેવી ભયંકર વિષમ પરિસ્થિતિ સર્જાવાની છે.
નવેમ્બર ૧૯૮૮માં ફારુક અબ્દુલ્લા અને રાજીવ ગાંધીની સમજૂતીની બીજી વાર્ષિક તિથિ હતી પરંતુ રાજ્યની રાજધાનીમાં તેની કોઈ ઉજવણી થઈ નહીં. ખીણમાં હિંસા વધી રહી હતી. તો આ તરફ હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચેય ઝઘડા શરૂ થઈ ગયા હતા. વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂ. ૧૧ અબજની સહાય (પેકેજ) આપવાની જાહેરાત કરી હતી પણ તે આપ્યું તો નહોતું. આથી ફારુક અબ્દુલ્લા હવે આ સહાય ન આપવા માટે રાજીવ ગાંધીની ટીકા કરવા લાગ્યા. તેમણે કહ્યું, મારી સહનશક્તિની કસોટીની કોઈ મર્યાદા તો હોય કે
નહીં? (ઇન્ડિયા ટુડે, તા.૧૫ જાન્યુઆરી ૧૯૮૯).
૬ નવેમ્બરના દિવસને પણ કાશ્મીરીઓ ઇતિહાસમાં કાળા દિવસ તરીકે મનાવે છે. પાકિસ્તાન તરફી કટ્ટર મુસ્લિમોનું માનવું છે કે આ દિવસે વર્ષ ૧૯૪૭માં ભારતીય સેનાએ કાશ્મીરમાં મુસ્લિમોની મોટા પાયે હત્યા કરી હતી. કેવું જૂઠાણું! જે સેના કાશ્મીર અને કાશ્મીરીઓને પાકિસ્તાનથી બચાવવા ગઈ હતી તેના વિશે આવી વાતો ફેલાવવાની?
આ તરફ પાકિસ્તાનમાં લશ્કરી પ્રમુખ ઝિયા ઉલ હકના કમૃત્યુ પછી શું સ્થિતિ હતી? ૧૭ ઑગસ્ટ ૧૯૮૮એ ઝિયાના મૃત્યુ પછી સેનેટના પૂર્વ અધ્યક્ષ ગુલામ ઈશાક ખાને વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી હતી. તેમણે નવેમ્બર ૧૯૮૮માં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનમાં એક પ્રકારના ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. જેમ કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હટાવીને ઝિયા ઉલ હક આવ્યા અને ઝુલ્ફીકારને ફાંસી અપાઈ. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પુત્રી બેનઝીર દેશબહાર ચાલ્યાં ગયાં. ઝિયા ઉલ હકે જ્યારે ૧૯૮૬માં લશ્કરી કાયદો (માર્શલ લો) ઉઠાવી લીધો ત્યારે તેઓ ફરી પાકિસ્તાનમાં આવ્યાં હતાં. તે પછી તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ત્યારે તેમણે વર્ષ ૧૯૯૯માં ફરી પાકિસ્તાન છોડવું પડ્યું હતું. આ જ વર્ષમાં લશ્કરી વડા જન. પરવેઝ મુશર્રફે બળવો કરી સત્તા કબજે કરી અને પછી નવાઝ શરીફને દસ વર્ષ દેશવટો ભોગવવો પડ્યો હતો.
તો, નવેમ્બર ૧૯૮૮માં પાકિસ્તાનમાં જે ચૂંટણી યોજાઈ તેમાં સ્વાભાવિક જ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે થયેલા વર્તન અને તેમને અપાયેલી ફાંસીની સહાનુભૂતિ બેનઝીર ભુટ્ટોને મળી અને માત્ર ૩૫ વર્ષની વયે તેઓ પાકિસ્તાનનાં પહેલાં વડાં પ્રધાન બન્યાં. હવે બંને દેશોમાં યુવાન વડા પ્રધાન હતા. બંને દેશોમાં એ વ્યક્તિઓ વડા પ્રધાન હતા જેમના માતાપિતાએ સીમલા સમજૂતી કરી શાંતિ માટે પાયો નાખવાની (એ વખતના દાવા મુજબ) ઐતિહાસિક પહેલ કરી હતી. આથી અપેક્ષા તો સ્વાભાવિક જ એવી થાય કે હવે ભારત-પાકિસ્તાનના સંબંધો કાયમી ધોરણે સુધરી જશે અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે.
બેનઝીરે સત્તાગ્રહણ કર્યાની શરૂઆતમાં તો ભારત-પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને સુધારવા પ્રયાસો કરવા ખાતરી આપી. એક વાત નોંધવી જોઈએ કે ભારતીય માધ્યમોના એક મોટા વર્ગમાં પાકિસ્તાનના શાસકો પ્રત્યે ખબર નહીં કેમ કૂણો ભાવ અને આદરનો ભાવ હંમેશાં દેખાઈ આવે છે. દા.ત. પાકિસ્તાનના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફ સ્વીકારી ચુક્યા છે કે તેમણે જ કારગિલ યુદ્ધ છેડ્યું હતું. તો પણ એનડીટીવીની બરખા દત્ત હોય કે રાજદીપ સરદેસાઈ (અત્યારે ઇન્ડિયા ટુડે ચેનલ, પહેલાં સીએનએન-આઈબીએન) કે રજત શર્મા યા અન્ય કોઈ ઇલે. મિડિયાના મોટાં માથાં ગણાતા પત્રકાર, મુશર્રફને સંબોધતી વખતે મુશર્રફ સાહબ જ કહેશે. જ્યારે ભારતના વડા પ્રધાનને મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદી કહીને જ સંબોધશે. મનમોહનસિંહજી કે મોદીજી પણ નહીં કહે. તેમાંય બેનઝીર ભુટ્ટોના રૂપના કામણથી અનેક પત્રકારો પ્રભાવિત હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે. માત્ર બેનઝીર જ શું કામ, થોડા સમય પહેલાં પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન હીના રબ્બાની ખાર માટેય આવો જ મામલો હતો.
આમ પણ અમેરિકાના પ્રમુખ કે બ્રિટનના રાજા કે રાણી કે તેમનાં સંતાનો આવે છે તો પણ આપણા માધ્યમો, તેઓ કેટલા વાગ્યે ઊઠ્યા, કેટલા વાગે પ્રાત:ક્રિયા કરીથી માંડીને કેટલી વાર છીંક ખાધી જેવી ક્ષુલ્લક વાતો અને તસવીરોથી પાનાં અને ટીવી પર સ્લોટ ભરી દેતા હોય છે. આ આપણી માનસિક ગુલામી સિવાય બીજું કંઈ દર્શાવતું નથી. આપણા વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં જાય છે ત્યારે તેમની ખપ પૂરતી અને ઘણી વાર તો નેગેટિવ નોંધ વધુ લેવાતી હોય છે. આ તો ઠીક, હજુ પણ આપણાં માધ્યમો પૂર્વ રાજવીઓના વંશજોને પણ મહારાજા અને મહારાણી તરીકે સંબોધે છે- છાપે છે. શું તે લોકશાહીનું અપમાન નથી? શું તે આપણી માનસિક ગુલામીનું પ્રતીક નથી? પત્રકારોએ કોઈ પણ વ્યક્તિને આદર આપવો જોઈએ પરંતુ અહોભાવ કે મુગ્ધપણાથી મુક્ત રહેવું જોઈએ- ખાસ કરીને જ્યારે કેમેરા સામે તમે ઇન્ટરવ્યૂ કરતા હો.
આવું જ અત્યારના રાજકારણીઓ બાબતનું છે. વ્યક્તિઓ ચાહે તે નરેન્દ્ર મોદી હોય કે લાલુપ્રસાદ, શાહરુખ ખાન હોય કે સન્ની લિયોનને એટલા બધા ગ્લોરિફાય કરવામાં આવે છે, કે વાત ન પૂછો. અને અમુક ચેનલો પર તો વારંવાર કોઈ ને કોઈ બહાને દાઉદ ઇબ્રાહિમના ગુણગાન આડકતરી રીતે ગાવામાં આવતા હોય છે. આ બધું તો જવા દો, પટેલો માટે અનામત આંદોલન છેડનાર અને જેણે નક્સલી અને આતંકવાદી ભાષા બોલીને પોલીસોને મારી નાખવાની ઉશ્કેરણી કરી હતી, જેણે અનેક વર્ષો પછી ગામડેગામડે પહોંચેલા વીજળીના થાંભલાને ઉખાડી નાખવાની ઉશ્કેરણી કરી હતી તે હાર્દિક પટેલ જેવા હજુ ઉગતા અને નેતા બનવા મથતા વ્યક્તિ સાથે ફોટા પડાવીને કેટલાક પત્રકારો પોરસાતા હોય તેને કેવી વિટંબણા કહેવી! હાર્દિક પટેલના ઇન્ટરવ્યૂમાં પણ ઇન્ટરવ્યૂ લેતો મોટો પત્રકાર ચેનલનો હેડ હોય તે અત્યંત પ્રભાવિત દેખાતો હોય તો પછી ચોથી જાગીરના નામે ફાંકા મારવાનો આવા પત્રકારોને કોઈ હક નથી.
તો, પાકિસ્તાનમાં બેનઝીરના સત્તામાં આવ્યા પછી શું થયું? કાશ્મીર મુદ્દે સંબંધો સુધર્યા? ના. ઝિયાએ જે અપકૃત્યો શરૂ કર્યા હતાં અને કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ કરાવ્યો હતો તે વધુ ને વધુ આગળ વધવાનો હતો!
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178734
22-11-2015
ન ઉદાસ દેખાજે, ન ખુશ: ઝુલ્ફીકારે બેનઝિરને સલાહ આપેલી
તો, ૧૯૮૮માં પાકિસ્તાનમાં બેનઝિર ભુટ્ટો સત્તામાં આવ્યાં હતાં. ત્રણ રીતે આ વાત ભારત માટે મહત્ત્વની હતી. સર્વ પ્રથમ તો પાકિસ્તાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર લગભગ એક દાયકા પછી આવી હતી. બીજું, પાકિસ્તાનમાં સર્વ પ્રથમ વાર મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં. ત્રીજું, તેઓ રાજકીય વારસો (લિગેસી) લઈને આવ્યાં હતાં. કયો રાજકીય વારસો? તેમના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો રાજકીય વારસો, જેમાં તેમણે ૧૯૭૧નું ભારત સામેનું યુદ્ધ હાર્યા પછી ભારત સાથે સીમલા સમજૂતી કરી હતી.
આ સીમલા સમજૂતી જ્યારે થઈ ત્યારે પિતા સાથે બેનઝિર પણ ભારત આવ્યાં હતાં. આ મુલાકાત વખતની કેટલીક રસપ્રદ વાતો કરીએ જેથી તેઓ પોતે સત્તામાં આવ્યા તે પછી વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે ૧૯૮૮માં સમજૂતી કરી તેને આપણે સારી રીતે સમજી શકીએ.
બેનઝિર ભુટ્ટોએ પોતાની આત્મકથા ડોટર ઑફ ઇસ્ટ’માં પોતાની સીમલા મુલાકાતનું રસપ્રદ વર્ણન કરેલું છે. તે ઉપરાંત સીમલા સમજૂતી અંગે અન્ય અહેવાલોમાંથી પણ બેનઝીર વિશે માહિતી મળે છે. પહેલાં બેનઝીરનું વર્ઝન જોઈએ. તેમણે લખ્યું છે:
૨૮ જૂન, ૧૯૭૨. મારા પિતા અને ઈન્દિરા ગાંધી વચ્ચે શિખર પરિષદ થવાની હતી. આ સમગ્ર ઉપખંડનું ભાવિ તેના પરિણામ પર નિર્ભર હતું. મારા પિતા મને પણ સાથે લઈ જવા ઈચ્છતા હતા. હું જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના જુનિયર વર્ષમાંથી ઉનાળાના વેકેશન માટે પાછી ફરી તેના એક અઠવાડિયા પછી તેમણે (ઝુલ્ફીકાર) મને કહ્યું હતું, જે કંઈ પરિણામ આવે તે, આ બેઠક પાકિસ્તાનના ઇતિહાસમાં વળાંક સાબિત થશે. હું તને તેમાં હાજર રાખવા માગું છું. તે વખતે મારા પિતા ખાલી હાથે જઈ રહ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી પાસે સોદાબાજી માટેના હુકમનાં તમામ પત્તાં હતાં.
મારા પિતાએ મને વિમાનમાં જ સલાહ આપી દીધી, મુલાકાત કઈ રીતે પ્રગતિ કરે છે તેના સંકેતો પર બધાની નજર હશે, તેથી જરા વધુ ધ્યાન રાખજે. તારે હસવું નહીં અને એવી છાપ પણ ન ઊભી થવા દેવી કે આપણા સૈનિકો ભારતના કેદીઓ બન્યા છે ત્યારે તું મજા કરી રહી છે. તારે ઉદાસ પણ ન દેખાવું કારણકે લોકો તેનું અર્થઘટન નિરાશાના સંકેત તરીકે કરશે. તેમની પાસે એ કહેવાનું કારણ ન હોવું જોઈએ કે તેના ચહેરાને જુઓ. મંત્રણા નિષ્ફળ જ ગઈ છે. પાકિસ્તાનીઓ હારી
ગયા છે.
તો પછી મારે કેવા દેખાવું? બેનઝિરે પૂછ્યું.
મેં તને પહેલાં જ કહી દીધું. ન તો ઉદાસ દેખાજે કે ન તો ખુશ.
એ તો બહુ મુશ્કેલ છે.
જરા પણ નહીં.
તેઓ ખોટા હતા. જ્યારે અમે ચંડીગઢ ખાતે પ્રેસિડેન્શિયલ પ્લેનમાંથી હેલિકોપ્ટરમાં ગયાં જે અમને બ્રિટિશ રાજ વખતની ઉનાળાની રાજધાનીમાં લઈ જવાનું હતું ત્યાં આવો તટસ્થ દેખાવ રાખવો મુશ્કેલ હતો. એમાંય જ્યારે અમે ફૂટબોલ પિચ પર, ટેલિવિઝન કેમેરાઓની ચાંપતી નજર હેઠળ હેલિકોપ્ટરમાંથી ઊતર્યા ત્યારે શ્રીમતી ગાંધીએ પોતે અમને આવકાર્યાં ત્યારે આ (ન હસવું કે ન ઉદાસ રહેવું) ખૂબ જ મુશ્કેલ હતું. મેં તેમને કહ્યું, સલામ અલૈકુમ. જે મુસ્લિમોની અભિવાદન કરવાની રીત હતી. તેના જવાબમાં શ્રીમતી ગાંધીએ નમસ્તે કર્યા.
થોડી બ્રેક મારીને એક વાત કરી લઈએ. ઈન્દિરા ગાંધી વખત સુધી કોગ્રેસનું તુષ્ટીકરણ સાવ નીચી હદ સુધી ગયું નહોતું, જે રાજીવ ગાંધીના આવ્યા પછી જવા લાગ્યું, ખાસ કરીને શાહબાનો કેસ પછી. યાદ હોય તો જ્યારે પાકિસ્તાનના લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ ૨૦૦૧માં કારગિલના યુદ્ધ પછી ૧૪ જુલાઈ, ૨૦૦૧એ ભારત આવ્યા ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી સુષમા સ્વરાજે આદાબ કે કુર્નિશ જે કહેવાય તે કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ શું યોગ્ય કહેવાય? આના કારણે પાકિસ્તાની મીડિયામાં આનંદ છવાઈ ગયો હતો. હિન્દુવાદી ગણાતા પક્ષ ભાજપનાં એક નેતા આ રીતે કુર્નિશ કરે અને તે પણ કારગિલ યુદ્ધ છેડનાર સામે!
ફરી સીમલા સમજૂતીની વાત પર પાછા ફરીએ. બેનઝિર આગળ લખે છે:
જ્યારે એક તરફ સમજૂતી અંગે સઘન વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે બીજી તરફ, હું જ્યારે પણ હિમાચલ ભવન, જે પંજાબના બ્રિટિશ ગર્વનરોનું પૂર્વ નિવાસસ્થાન હતું, તેની બહાર જતી ત્યારે લોકો લાઇન લગાવીને ઊભા રહેતા જોવા મળતા. તેઓ મને તાક્યા કરતા. ચિચિયારી કરતાં ટોળાં મારી પાછળ પાછળ આવતાં. ભારતમાં આવવા માટે મને આવકારતા પત્રો અને તાર (ટેલિગ્રામ)નો ઢગલો થઈ ગયો. એકમાં તો સૂચન પણ કરાયું હતું કે મને મારા પિતાએ ભારતમાં દૂત તરીકે નિમવી જોઈએ! પત્રકારો અને લેખો લખનારાઓએ મારો ઇન્ટરવ્યૂ લેવા ધસારો કર્યો.
બેનઝિર લખે છે: મારાં કપડાં રાષ્ટ્રીય ફેશન થઈ ગઈ, પણ મારા માટે એ શરમજનક વાત હતી કેમ કે એ બધાં કપડાં મારી બહેનપણી સામિયાની બહેનના હતાં જે મેં પહેરવા માગ્યાં હતાં! મારા પોતાના કપડાંના કબાટમાં તો જીન્સ, સ્વીટશર્ટ, ઇન્ફોર્મલ ખમીઝ હતા. મને એમ હતું કે મને યુદ્ધ અને શાંતિ વિશે પ્રશ્ર્નો પુછાશે પરંતુ મને તો મારાં કપડાં અંગે પ્રશ્નો પુછાતા રહ્યા. છેવટે મેં જવાબ આપ્યો, ફેશન તો મધ્યમ વર્ગનો પાસ્ટાઇમ છે.
મારા પિતા અને પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના અન્ય લોકો સમજી ન શક્યા કે મને શા માટે આટલું મહત્ત્વ મળી રહ્યું છે. ગંભીર મુદ્દાથી વાતને ફંટાવવા માટે તને મહત્ત્વ અપાઈ રહ્યું લાગે છે. મારા પિતાએ સમાચારપત્રમાં ટોળા સામે હાથ હલાવીને અભિવાદન કરતી પહેલા પૃષ્ઠ પર છપાયેલી મારી તસવીર જોઈને કહ્યું, સાવધ રહેજે. તેમણે મને
ચિડવી, તું મુસોલિની જેવી લાગે છે.
તેમની વાત સાચી હતી. મંત્રણાઓ સંપૂર્ણ ગુપ્ત રખાતી હતી. આના કારણે જે આંતરરાષ્ટ્રીય પત્રકારો ભેગા થયા હતા તેમને મારા પર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. પરંતુ મને લાગે છે કે મને જે અભૂતપૂર્વ સત્કાર મળતો હતો તેનું બીજું પણ કારણ હતું.
હું નવી પેઢીનું પ્રતીક હતી. હું ક્યારેય ભારતીય નહોતી. હું સ્વતંત્ર પાકિસ્તાનમાં જ જન્મી હતી. હું જટિલતાઓ અને પૂર્વગ્રહથી મુક્ત હતી. આ પૂર્વગ્રહોના કારણે તો વિભાજન વખતે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે લોહિયાળ રમખાણો થયાં હતાં. કદાચ લોકોને આશા હતી કે જે દુશ્મનીના કારણે ત્રણ-ત્રણ યુદ્ધો ભારત-પાકિસ્તાન વચ્ચે થયાં છે તે આ નવી પેઢી અવગણી શકશે. માતાપિતા અને દાદા-દાદીનો કડવો ભૂતકાળ આ પેઢી ભૂલી જશે. મને લાગ્યું કે આ તદ્દન શક્ય છે. શું આપણે નફરતની દીવાલોથી વિભાજિત જ રહેવાનું છે કે પછી લડીને બાદમાં એક થયેલા યુરોપની જેમ આપણે એક થઈ શકીએ છીએ?
બેનઝિર ઈન્દિરા ગાંધી વિશે પોતાનો અનુભવ લખે છે:
૩૦ જૂને તેમણે યોજેલા ભોજન સમારંભમાં તેઓ સતત મને જોતાં રહ્યાં, જેના કારણે મને ચિંતા થઈ ગઈ. ઈન્દિરા ગાંધીની હું પ્રશંસક હતી...તેમના વિશે હું માહિતી જાણતી હતી...તેમને શરૂઆતમાં કોંગ્રેસીઓ ગૂંગી ગુડિયા સમજતા હતા, પરંતુ તેમણે બધાને પછાડી દીધા હતા. મેં તેમની સાથે વાત કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ખૂબ જ મિતભાષી હતાં. તેઓ અંતર્મુખી હતા. એક સતત તણાવ રહેતો જે તેઓ હસે ત્યાર જ દૂર થતો.
મને બીજી ચિંતા એ વાતની હતી કે મેં સિલ્કની સાડી પહેરી હતી જે મને મારી માતા (નૂસરત ભુટ્ટો)એ ઉછીની આપી હતી. જોકે તેમણે મને શીખવ્યું હતું કે શરીર ઢંકાઈ રહે તે રીતે તેને કેમ પહેરવી, પરંતુ મને ચિંતા હતી કે ક્યાંક સાડી ખૂલી ન જાય! મને મારી ફઈ મુમતાઝની વાત યાદ આવી ગઈ. તેઓ જર્મનીમાં હતાં ત્યારે એક સુપરમાર્કેટમાં એસ્કેલેટરમાં તેમની સાડીનો છેડો ફસાઈ ગયો હતો. સાડી ખૂલી ગઈ હતી. છેવટે એસ્કેલેટર બંધ કરાયું ત્યારે ફરી તે પહેરી શકાઈ. પણ આ યાદથી કોઈ મદદ ન મળી. શ્રીમતી ગાંધી (ઈન્દિરા) મારા સામું જોતાં જ રહ્યાં.
કદાચ તેઓ મને જોઈને ડિપ્લોમેટિક મિશનને યાદ કરતા હશે જ્યારે તેઓ પણ મારી જેમ તેમના પિતા સાથે ગયાં હતાં, તેમ મેં મારા મનમાં વિચાર્યું. શું તેમને મારામાં પોતાની જાત દેખાતી હશે? શું તેમને મારામાં અન્ય એક રાજનીતિજ્ઞની દીકરી દેખાતી હશે? શું તેઓ એક દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ યાદ કરતા હશે? તેઓ ખૂબ જ ઠીંગણા અને નાજુક હતાં. તો પછી પેલી જાણીતી સખ્તાઈ ક્યાંથી આવી હશે? તેમણે તેમના પિતા સામે બળવો કરીને એક પારસી રાજકારણી સાથે લગ્ન કર્યાં હતાં અને એ લગ્ન સફળ ન રહ્યાં અને બંને જણાં અલગ-અલગ રહેવા લાગ્યાં. હવે તેમના પિતા અને પતિ બંને મૃત્યુ પામ્યાં છે. શું તેઓ એકલતા અનુભવતાં હશે?
મને વિચાર આવ્યો કે કદાચ સિમલામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળથી કેટલીક ઐતિહાસિક સ્મૃતિઓ જીવંત બની હશે. આ એ જ શહેર હતું જ્યાં તેમના પિતા મોહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાનને હિન્દુ ઇન્ડિયા (યાદ રાખો આ શબ્દો બેનઝિરના છે.)માંથી મુસ્લિમ પાકિસ્તાનનો નવો દેશ બનાવવા ભેગા થયા હતા. અને હવે વડાં પ્રધાન તરીકે પોતે પણ અલગ મુસ્લિમ દેશ ટકી રહે તે સુનિશ્ર્ચિત કરી શકે છે. અથવા તેઓ તેનો નાશ કરવા પ્રયાસ કરી શકે છે. તેઓ કયા રસ્તે જશે? તેનો જવાબ ચાર દિવસ પછી આવ્યો...
(ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmSearch.aspx
29-11-2015
શિવજીનું સ્વરૂપ --- 2 -- નાયક ખલનાયક - જયવંત પંડ્યા
શિવજી મહાન પર્યાવરણવાદી હતા
કોઈ વ્યક્તિને જો માનસિક રીતે નબળો-લઘુતાગ્રંથિવાળો બનાવી દેવો હોય તો તે જન્મે ત્યારથી તેના પર સતત શાબ્દિક પ્રહારો કરવા- તું તો ડોબો છો. તને કંઈ આવડતું નથી. તે કંઈક બોલવા જાય એટલે તેને ચૂપ કરાવી દેવો. તે વ્યક્તિ લઘુતાગ્રંથિવાળો બની જશે. તેને એમ લાગશે કે પોતે જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે. તેણે બીજા કરે તેમ જ કરવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિ વિશે આપણા મનમાં અંગ્રેજોએ આવું જ ભરાવી દીધું છે. અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિ અને અંગ્રેજોએ તૈયાર કરેલા માનસિક દાસત્વવાળા કાળા અંગ્રેજો વિવિધ માધ્યમો જેવા કે સમાચારપત્ર, ટીવી ચેનલો, ફિલ્મો, ટીવી સિરિયલો દ્વારા આપણા મનમસ્તિષ્ક પર સતત આવું જ આરોપ્ય રાખે છે.
એક મિનિટ. તમને થતું હશે કે સિક્કાની બીજી બાજુ જેવો વિષય ‘નાયક ખલનાયક’ કોલમમાં ક્યાંથી? ના.’ નાયક ખલનાયક’ કોલમમાં શિવજીના રૂપની જે આધ્યાત્મિક-વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવણી કરીએ છીએ તેના જ સંદર્ભમાં આ વિષય ઉખાળ્યો છે. આપણે આ કોલમમાં શિવજી પર એક પછી એક લેખમાળામાં જોઈએ છીએ કે હિન્દુ ધર્મ તબીબી વિજ્ઞાન-પર્યાવરણ વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાન-મનોવિજ્ઞાન આ બધાનો સંગમ છે. તેમાં જે કંઈ વાતો છે તે બહુ સમજી-વિચારીને મૂકવામાં આવી છે. રૂઢ કરાઈ છે. પરંતુ ઘણાં બધાં ક્ષેત્રોમાં જે ટોચ પર બેઠા છે તેઓ માને છે કે આ બધું હંબગ છે.
દા.ત. પઠાણકોટમાં ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક કાર્યક્રમના સંદર્ભમાં ટીકા કરી. ના તેમણે એમ નથી કહ્યું કે આ કાર્યક્રમ નહોતો થવો જોઈતો. તેમણે કહ્યું કે ત્રાસવાદી હુમલો થાય ત્યારે પણ કામકાજ નિયમિત રીતે ચાલ્યા કરે તે સારું જ છે, પરંતુ નરેન્દ્ર મોદી યોગ પર કેમ બોલ્યા? અરે ભાઈ! મોદી કર્ણાટકમાં યોગ સંશોધન પર યોજાયેલી પરિષદમાં બોલે તો યોગ પર જ બોલે ને. યોગનું મહત્ત્વ તો દુનિયાએ પણ સ્વીકાર્યું છે. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યો છે.
હમણાં યોજાયેલી ૧૦૩મી ભારતીય વિજ્ઞાનસભા (ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ)માં આવું જ થયું ને. ‘બોટનીના પ્રાધ્યાપક (ઋષિકેશ મુખર્જીની ‘ચૂપકે ચૂપકે’ની ભાષામાં કહીએ તો ઘાસ ફૂસ કા ડોક્ટર) અને મધ્યપ્રદેશના ખાનગી યુનિવર્સિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ અખિલેશ કે. પાંડે લોર્ડ શિવ: ‘ધ ગ્રેટેસ્ટ એન્વાયરન્મેન્ટલિસ્ટ ઇન ધ વર્લ્ડ’ પર એક પત્ર રજૂ કરવાના હતા. એમના પત્રમાં શું હતું તેની ઝાઝી વિગતો જાણવા મળતી નથી. આ પત્ર રજૂ થાય એ પહેલાં જ વૈજ્ઞાનિકોમાં અને ટવિટ્રવાસીઓમાં ઉહાપોહ થઈ ગયો. અખિલેશ પાંડેએ તેમને પગ પર કંઈક ઈજા થવાના કારણે આ પત્ર રજૂ કરવાનું જ માંડી વાળ્યું, પણ તેમના બદલે કાનપુરના રાજીવ શર્માએ શંખ વગાડવાના આરોગ્યલક્ષી ફાયદા પર વાત કરી. આ બંને મુદ્દે બુદ્ધિજીવીઓ અને ટ્વિટરવાસીઓ એવો આક્ષેપ કરે છે કે રાજકીય કારણોસર વિજ્ઞાનમાં ધર્મને ભેળવવાની વાત છે! તેઓ શિવજીની વાતને માયથોલોજીનું નામ આપે છે એટલે કે રૂપાળી કથા, જે સાંભળવામાં તો મજા આવે, પણ હોય તો તે નરી કલ્પના જ.
ચાલો એક ક્ષણ માની પણ લઈએ કે શિવજીની કથા માયથોલોજી અથવા દંતકથા છે. તો પણ તેમની સાથે જે કંઈ રૂપક જોડાયેલા છે તે નર્યું વિજ્ઞાન છે કે બીજું કંઈ? ગયા જ અઠવાડિયે આપણે ભસ્મનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચ્યું હતું. તે પહેલાંના અઠવાડિયે આપણે શિવજીના ગળામાં સાપનું પર્યાવરણની દૃષ્ટિએ અગત્ય સમજવા પ્રયાસ કર્યો હતો. તે પહેલાં શિવજીના માથા પર અર્ધચંદ્ર કેમ તેની પણ વિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરી હતી.
અખિલેશ પાંડે મુજબ, શિવજીએ ગંગાના ધસમસતા પ્રવાહને રોક્યો હતો (આપણે તેની વાત અગાઉ આ જ લેખનમાળામાં કરી ગયા છીએ). તેમણે તેમના માથા પર આ પ્રવાહ ઝીલ્યો અને એટલું જ પાણી આવવા દીધું જે પૃથ્વી માટે જરૂરી હતું. આ જળસંચયનો ક્ધસેપ્ટ છે.
અખિલેશ પાંડેએ વિભૂતિની વાત કરી. વિભૂતિ એ બીજું કંઈ નથી પણ અંગ્રેજીમાં જે નેનો પાર્ટિકલ્સ કહેવાય છે તે જ છે. તેમાં ઊર્જા રહેલી હોય છે. અત્યારે લોકો આ નેનો પાર્ટિકલ્સનું વિશ્ર્લેષણ કરે છે. શિવજીના પરિવારમાં પ્રાણીઓ પણ છે. તેમના ગળામાં સાપ છે. તેઓ નંદી નામના વૃષભ પર સવારી કરે છે. તેમનાં પત્ની પાર્વતી વાઘ પર સવારી કરે છે. તેમના પુત્ર કાર્તિકેય મયૂર પર અને બીજા પુત્ર ગણેશ મૂષક પર સવારી કરે છે. આ પ્રાણીઓ એકબીજાના દુશ્મન છે, પરંતુ તેઓ એકબીજા સાથે સુમેળથી રહેતા હતા. તેનો અર્થ છે પર્યાવરણ સંરક્ષણ. ફૂડ ચેઇન- ખાદ્ય ચક્ર જાળવવા દરેક પ્રાણી અગત્યનું છે.
તેમણે અમૃત મંથન વખતે વિષ ગ્રહણ કર્યું હતું. શિવજીને વૃક્ષ સાથે સરખાવાય છે. તેનો અર્થ છે કે પર્યાવરણ જાળવવા છોડ-વૃક્ષને જાળવવા જોઈએ.
આ બધી તો દંતકથા છે તેવા પ્રશ્ર્નના જવાબમાં બોટનીના આ પ્રોફેસર કહે છે કે ગાંધારીને ૧૦૦ બાળકો હતાં. આ વાત અત્યારે વિજ્ઞાનની રીતે આપણને સમજાય છે. સ્ટેમ સેલ રિસર્ચ અને જીન ક્લોનિંગથી આ શક્ય છે.
અખિલેશ પાંડેની વાતને અટકાવીએ અને આ ૧૦૦ બાળકોના સંદર્ભમાં બીજી વાત કરીએ. વર્ષ ૨૦૦૨માં આવી જ એક સભા થઈ હતી, સ્ટેમ સેલ રિસર્ચ પર. ઑલ ઇન્ડિયા બાયોટેક એસો.ના સાઉધર્ન ચેપ્ટર દ્વારા આયોજિત સ્ટેમ સેલ રિસર્ચ કોન્ફરન્સમાં નવી દિલ્લીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના સર્જન બી. જી. માતપુરકરે કહ્યું હતું કે ગાંધારીએ ક્લોનિંગની ટેક્નોલોજીથી ૧૦૦ બાળકોને જન્મ આપ્યો હતો.’ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં તેનો અહેવાલ છપાયો હતો. માતપુરકરે કહ્યું હતું કે કોઈ માતા ૧૦૦ બાળકોને જન્મ આપી શકે નહીં. તે પણ એકસરખી ઉંમરના. પરંતુ ગાંધારીના કિસ્સામાં આમ થયું. કેવી રીતે?
ગાંધારીએ મહર્ષિ વ્યાસ પાસેથી ૧૦૦ બાળકોનું વરદાન મેળવ્યું હતું. પરંતુ જ્યારે તેને પ્રસૂતિ થઈ ત્યારે તેને લાગ્યું કે તેને મૃત બાળક જન્મ્યું છે. તે આ ભ્રૂણનો નિકાલ કરવા જતી હતી ત્યાં વ્યાસ મુનિ આવ્યા અને તેમણે તેને કહ્યું કે આ ભ્રૂણના ૧૦૦ ટુકડા કરો. તેને ઘીથી ભરેલી સો બરણીઓમાં રાખો. ગાંધારીને દીકરી પણ જોઈતી હતી. આથી વ્યાસજીએ કહ્યું કે તો ૧૦૧ ટુકડા કરો. આ રીતે ટુકડાઓ બે વર્ષ સુધી રખાયા. બે વર્ષ પછી તેમાંથી બાળકો જન્મ્યા.
માતપુરકર કહે છે કે મહાભારતના સમયમાં માત્ર ટેસ્ટ ટ્યૂબ બેબી અને એક ભ્રૂણમાંથી અનેક બનાવવાની ટેક્નોલોજી જ વિકસી નહોતી, પરંતુ તેઓ મહિલાના શરીર બહાર કેવી રીતે માનવ ભ્રૂણનો વિકાસ કરવો તે ટેક્નોલોજી પણ જાણતા હતા. અરે ! વાસુદેવ-દેવકીના કિસ્સામાં તો દેવકીના શરીરમાં જે ગર્ભ હતો તેનું સ્થાપન રોહિણીના શરીરમાં કરાયું હતું અને રોહિણીના શરીરમાં રહેલા ગર્ભને દેવકીના શરીરમાં સ્થાપિત કરાયો હતો. કુંતીએ કોઈ જાતના શારીરિક સંબંધ વગર કર્ણને અને તે પછી પાંડવોને જન્મ આપ્યો. વર્ષો સુધી આ વાતની હાંસી ઉડાવાતી હતી, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે એકલી સ્ત્રી કોઈ જાતના શારીરિક સંબંધ વગર સ્પર્મ બેન્કના કારણે માતા બની શકે છે. હવે તો એ પણ સાબિત થઈ ગયું છે કે એક સ્ત્રીમાંથી પુરુષ બનેલી વ્યક્તિ પણ માતા બની શકે છે. બ્રિટનનો બોબ જેને દુનિયાનો પહેલો પુરુષ માતા કહેવાય છે, તેનો કિસ્સો જાણીતો છે! આવો જ કોઈ કિસ્સો વર્ષો પહેલાં જો આપણા કોઈ ગ્રંથમાં લખાયો હોત તો તેની આ સેક્યુલરો-રેશનાલિસ્ટો દ્વારા મજાક ઉડાવાતી હોત. પરંતુ માતપુરકર સામે ત્યારે આટલો ઉહાપોહ ન થયો. કેમ? કારણકે માતપુરકરે સૌ પ્રથમ ઑર્ગન રિજનરેશન’ની વ્યાખ્યા કરી. તેમણે ભારતમાં રહીને વિશ્ર્વમાં સૌ પ્રથમ વાર સસ્તન પ્રાણીઓમાં ઑર્ગન રિજનરેશનની ટેક્નિક પણ ડેવલપ કરી. અને ભારતીય હોય એટલે એક વાત તો આવે જ. અને તે એ કે આ ટેક્નિક પાછી સસ્તી હતી! (મંગળ યાનની જેમ જ!) આ માટે તેમને અમેરિકાએ પેટન્ટ પણ આપી! ‘જ્યારે કોઈ ફોરેન’ની વ્યક્તિ, ‘ફોરેન રિટર્ન્ડ’ વ્યક્તિ આપણી વાત પર અનુમતિનો થપ્પો મારે છે ત્યારે જ આપણે તેને સ્વીકારીએ છીએ. તો શિવજી મહાન પર્યાવરણવાદી હતા તેવો થપ્પો કોઈ પશ્ર્ચિમની મહાન વ્યક્તિ મારે ત્યાં સુધી રાહ જોવી? જેને જોવી હોય તે જુએ, આપણે તો નહીં જ જોઈએ! (ક્રમશ:)
રુદ્રાક્ષથી હૃદયરોગ સહિત અનેક બીમારીઓમાં રાહત મળે છે!
શંકર ભગવાન હાથમાં, ગળામાં વગેરે વિવિધ જગ્યાએ રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ શબ્દ બે શબ્દોની સંધિથી બન્યો છે- રુદ્ર + અક્ષ. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસું. શંકર ભગવાનની આંખમાંથી આંસુ ટપકવાથી જે બન્યું તે રુદ્રાક્ષ. આ અંગે વિવિધ દંતકથાઓ છે. એક દંતકથા મુજબ, જ્યારે ત્રિપુરાસુર દૈત્યનો ત્રાસ વધી ગયો હતો ત્યારે બધા દેવતાઓએ તેનો નાશ કરવા શંકર ભગવાનને પ્રાર્થના કરી હતી. આથી તેમણે અઘોર નામના શસ્ત્રનું ચિંતન કરવા ઘણા સમય સુધી નેત્રો બંધ રાખ્યાં હતાં. તેમનાં નેત્ર જ્યારે ખુલ્યાં ત્યારે તેમાંથી આંસું ટપક્યાં. તેમાંથી રુદ્રાક્ષ નામનાં વૃક્ષો ઉત્પન્ન થયાં.
બીજી દંતકથા એમ કહે છે કે શિવજીએ જોયું કે આ દુનિયા દુ:ખોથી ભરેલી છે. તેમણે બ્રહ્માને પૂછ્યું કે આ દુનિયા આપણે શા માટે ઉત્પન્ન કરીએ છીએ જેમાં માનવે સતત સહન કરવાનું આવે છે. તેનું સમાધાન શોધવા માટે તેમણે ધ્યાન કર્યું, પરંતુ સંવેદનાના કારણે તેમની આંખોમાંથી આંસું ટપકવાં લાગ્યાં. આ આંસુંમાંથી રુદ્રાક્ષ બન્યા.
રુદ્રાક્ષનું મહત્ત્વ આપણાં ધર્મગ્રંથો જેવા કે શિવપુરાણ, શ્રીમદ્ દેવી ભાગવત વગેરેમાં બતાવેલું છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં લખાયેલું છે:
્યત્ળષઢળફઞળડ્ર્રૂ હજ્ઞશ્રર્છૈ ણ રુઇંરુજ્ખડરુક્ષ રુમડ્ર્રૂટજ્ઞ
શિવપુરાણમાં વિદ્યેશ્વરસંહિતામાં અધ્યાય ૨૫મામાં રુદ્રાક્ષને ધારણ કરવાનો વિધિ અને તેના વિવિધ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ, શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, મેં સંયમ રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપ કર્યું. એક દિવસ અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. તે વખતે મેં મારાં બંને નેત્રો ખોલ્યાં. નેત્ર ખોલતાં જ તેમાંથી જળનાં કેટલાંક ટીપાં પડ્યાં. તેમાંથી રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું. મેં રુદ્રાક્ષને વિષ્ણુભક્તો અને ચારેય વર્ણોના લોકોમાં વહેંચી દીધા. મેં મને પ્રિય રુદ્રાક્ષને ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યાં. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યાગિરી, કાશી અને અન્ય દેશોમાં પણ તેનાં અંકુર ઉગાવ્યા.
શિવજી કહે છે, આમળાના ફળ બરાબર જે રુદ્રાક્ષ છે તે શ્રેષ્ઠ છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ છે તે મધ્યમ શ્રેણીનું છે, જે ચણા જેવડું છે તે નિમ્નકક્ષાનું છે.
રુદ્રાક્ષના કદ પ્રમાણે તેના ફળ પ્રાપ્તિની વાત કરતા રુદ્ર કહે છે, આમળાના ફળ જેવડું રુદ્રાક્ષ સમસ્ત અરિષ્ટોનો વિનાશ કરનારું હોય છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ આપનારું હોય છે અને જે ચણાના જેવડું છે તે બધાં મનોરથો પૂર્ણ કરનારું છે. રુદ્રાક્ષ જેટલું નાનું તેટલું અધિક ફળ આપનારું હોય છે. પાપોનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવું આવશ્યક છે.
રુદ્રાક્ષ કેવું સારું? શંભુ કહે છે, જે સમાન આકાર-પ્રકારવાળું હોય, ચીકણું, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત (ઊભરી આવેલા નાના દાણાવાળું) રુદ્રાક્ષ બધી અભિલાષાઓ પૂર્ણ કરનારું હોય છે, જેને કીડાઓએ દૂષિત કરી નાખ્યું છે, જે તૂટેલું હોય, જેમાં ઊભરેલા દાણા ન હોય, જે પૂરેપૂરું ગોળ ન હોય આવા રુદ્રાક્ષને ત્યાગી દેવું જોઈએ, જે રુદ્રાક્ષમાં માળા બનાવવા માટે પહેલેથી છિદ્ર હોય જ તે રુદ્રાક્ષ ઉત્તમ મનાયું છે, જેમાં મનુષ્યના પ્રયત્નથી છિદ્ર બનાવાયું છે તે મધ્યમ શ્રેણીનું મનાયું છે.
શંકર કહે છે, અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તેનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાય નહીં. ભક્તિભાવવાળો પુરુષ સાડા પાંચસો રુદ્રાક્ષ દાણાનો સુંદર મુકુટ બનાવી લે અને તેને માથા પર ધારણ કરે. ત્રણસો સાઈઠ દાણાને લાંબા સૂત્ર (દોરા)માં પરોવીને એક હાર બનાવી લે. આવા ત્રણ-ત્રણ હાર બનાવીને તેની યજ્ઞોપવિત તૈયાર કરવી જોઈએ અને તેને ધારણ કરવી જોઈએ.
શિવજી હવે કયા અંગમાં કયા મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો તેની વિધિ કહે છે, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી અને ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉદર પર વામદેવ મંત્રથી પંદર રુદ્રાક્ષ દ્વારા ગૂંથાયેલી માળા પહેરવી જોઈએ. અથવા અંગોસહિત પ્રણવ (ૐ) મંત્રનો પાંચ વાર જાપ કરીને રુદ્રાક્ષની ત્રણ, પાંચ કે સાત માળાઓ પહેરવી જોઈએ અથવા ૐ નમ: શિવાય એ મૂળમંત્રથી સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરવા જોઈએ
રુદ્રાક્ષને પહેર્યા પછી ખાણીપીણીના કેટલાક નિયમો પાળવાના હોય છે. આ અંગે શંકર ભગવાન કહે છે, રુદ્રાક્ષધારી પુરુષે પોતાની ખાણી પીણીમાં મદિરા (દારૂ), માંસ, લસણ, ડુંગળી, મૂળો, ગુંદા વગેરે છોડી દેવાં જોઈએ. શિવપુરાણમાં કહેવાયું છે કે સમસ્ત વર્ણો અને સ્ત્રીઓ પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. હા, સ્ત્રીઓએ માસિક ધર્મ સમયે રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ.
હવે રુદ્રાક્ષના પ્રકાર અને તે પ્રમાણે તેના ફળની વાત કરતા શિવજી કહે છે, એક મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળ આપે છે, જ્યાં રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. તે સ્થાનના બધાં ઉપદ્રવો નષ્ટ થાય છે. તથા ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે.
બે મુખવાળું રુદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાય છે. તે પણ સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારું છે. ત્રણ મુખવાળા રુદ્રાક્ષથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થાય છે. ચાર મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્શથી તરત જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચમુખી રુદ્રાક્ષ મુક્તિ આપવાવાળું અને મનોવાંચ્છિત ફળ આપનારું છે.
છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ છે. તેને જો જમણા હાથમાં ધારણ કરવામાં આવે તો ધારણ કરનાર મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. સાત મુખવાળું રુદ્રાક્ષ અનંગસ્વરૂપ છે અને અનંગ નામથી જ પ્રસિદ્ધ છે. તેને ધારણ કરવાથી દરિદ્ર પણ ધનવાન બને છે. આઠમુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવસ્વરૂપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ બને છે. નવ મુખવાળું રુદ્રાક્ષને ભૈરવ અને કપિલ મુનિનું પ્રતીક મનાયું છે. દુર્ગા તેનાં અધિષ્ઠાત્રી દેવી છે, જે મનુષ્ય ભક્તિપરાયણ થઈને નવમુખ રુદ્રાક્ષને પોતાના ડાબા હાથમાં પહેરે છે તે મારા સમાન સર્વેશ્વર બની જાય છે.
દસમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. અગિયાર મુખવાળું રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. બાર મુખવાળા રુદ્રાક્ષને મનુષ્યએ માથા પર ધારણ કરવું જોઈએ. તેમ કરવાથી તેના માથા પર બારેય આદિત્ય બિરાજમાન થાય છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય બધા અભિષ્ટોને મેળવે છે અને સૌભાગ્ય તેમ જ મંગળ લાભ મેળવે છે. ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ શિવરૂપ છે. તેને ભક્તિપૂર્વક મસ્તક પર ધારણ કરવું જોઈએ. તેનાથી સમસ્ત પાપોનો નાશ થાય છે.
ચૌદ રુદ્રાક્ષને ધારણ કરવાના ચૌદ મંત્રો પણ ભગવાને બતાવ્યા. તે આ મુજબ છે. ૧. ૐ હ્રીં નમ: ૨. ૐ નમ: ૩. ૐ ક્લીં નમ: ૪. ૐ હ્રીં નમ: ૫. ૐ હ્રીં નમ: ૬. ૐ હ્રીં હું નમ: ૭. ૐ હું નમ: ૮. ૐ હું નમ: ૯. ૐ હ્રીં હું નમ: ૧૦. ૐ હ્રીં નમ: ૧૧. ૐ હ્રીં હું નમ: ૧૨. ૐ ક્રોં ક્ષોં રૌં નમ: ૧૩. ૐ હ્રીં નમ: ૧૪. ૐ નમ:
કહે છે કે પંચમુખી રુદ્રાક્ષ મોટા પ્રમાણમાં મળે છ,ે પરંતુ ચૌદ મુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે.
આ તો થયું રુદ્રાક્ષનું આધ્યાત્મિક મહત્ત્વ. હવે વિજ્ઞાન-તબીબીશાસ્ત્ર મુજબ મહત્ત્વ જોવું જોઈએ. જોન ગેરેટ અને કેર્બર ડ્રોરી નામના બે પશ્ર્ચિમી વિદ્વાનોએ રુદ્રાક્ષના અનેક તબીબી ફાયદાઓ ગણાવ્યા છે. વર્ષ ૧૮૬૪માં ડૉ. અબ્રાહમ જજુઆરે નોંધ્યું છે કે રુદ્રાક્ષનો ઉપયોગ માનસિક રોગોમાં અને તણાવને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. રુદ્રાક્ષ અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વ ભારતમાં, નેપાળ, ઇન્ડોનેશિયા અને જાવામાં ઊગે છે. (હવે સમજાય છે કે ચીનનો ડોળો અરુણાચલ પ્રદેશ પર કેમ છે? પૂર્વ ભારતમાં અને હિમાલયના વિસ્તારોમાં આવી ઘણી વનસ્પતિઓ ઊગે છે. અરુણાચલ પ્રદેશમાં તો શેલ ઑઇલ નીકળવાની પણ પૂરી સંભાવના છે. ૧૯૯૦ના દાયકામાં ઑઇલ ઇન્ડિયા લિ.ના વડા ચૂડામણિ રત્નમે વારંવાર દાવો કર્યો હતો કે અરુણાચલમાં શેલ ઑઇલ નીકળી શકે છે જેનાથી ભારત માટે તો પેટ્રોલ-ડીઝલ ભરપૂર મળી જ શકે, પણ ભારત તેની નિકાસ પણ કરી શકે, પરંતુ પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે આપણે ઑઇલ અને ગૅસમાં તરીએ છીએ (એટલે કે આપણા દેશમાં ભરપૂર ઑઇલ અને ગૅસ છે.), પણ ઑઇલ આયાત કરનારી લોબી દરેક પેટ્રોલિયમ પ્રધાનને ધમકી આપે છે. આપણા દેશને સ્વતંત્રતા પછી ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર બનવા જ નથી દેવાયો.)
રુદ્રાક્ષનું બોટોનીમાં નામ છે- એલિયોકાર્પસ જેનિટ્રસ (ઊહફયજ્ઞભફિાીત લફક્ષશિિંીત). એમ કહેવાય છે કે ઇન્ડોનેશિયામાંથી ચીનમાં રુદ્રાક્ષમાંથી બનાવાયેલા- ઇન્જેક્ટિબલ (શરીરમાં ઇંજેક્શન દ્વારા દાખલ કરી શકાય તેવા) ઑઇલની નિકાસ કરાય છે. આ તેલ અસાધ્ય રોગોને મટાડી દે છે તેમ
કહેવાય છે.
રુદ્રાક્ષથી હૃદયરોગ, બ્લડપ્રેશર, ગભરાટ, કોલેસ્ટેરોલ, નર્વસ સિસ્ટમ વગેરેમાં રાહત મળે છે. ઇન્ટરનેશલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ લીએ સંશોધન કરીને સાબિત કર્યું હતું કે રુદ્રાક્ષમાં વિદ્યુત ઊર્જા સંચિત હોય છે. તેને ડાય ઇલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવાય છે. તેમાં કોબાલ્ટ, નિકલ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, સિલિકા અને ગંધક તત્ત્વો રહેલાં હોય છે. તેના કારણે તેની ડેન્સિટી વધી જાય છે અને તે પાણીમાં ડૂબી જાય છે. આથી જ રુદ્રાક્ષની ઓળખની એક કસોટી એ પણ છે કે તેને પાણીમાં રાખવાથી જો તે ડૂબી જાય તો તે સાચું રુદ્રાક્ષ.
રુદ્રાક્ષ એક રીતે તમારી આસપાસ એક કવચ બનાવી દે છે. સતત મુસાફરી કરતા હોય તેમણે રુદ્રાક્ષ ખાસ પહેરવું જોઈએ. ઘણી વાર તમે કોઈ જગ્યાએ જાવ છો તો ત્યાં સરસ ઊંઘ આવી જાય છે, જ્યારે ઘણી જગ્યાએ થાકી ગયા હોવા છતાં ઊંઘ નથી આવતી. આનું કારણ એ જગ્યાની ઊર્જા હોય છે. આ બાબતમાં રુદ્રાક્ષ ઉપયોગી સાબિત થાય છે.
સાધુ-સન્યાસીઓ રુદ્રાક્ષ ખાસ પહેરે છે. તેનું કારણ ઉપર દર્શાવેલી બાબતો તો છે જ, પરંતુ જે તે જગ્યાનું પાણી દૂષિત કે ઝેરીલું હોઈ શકે છે અને તેની તપાસ રુદ્રાક્ષથી થઈ શકે છે. રુદ્રાક્ષને
પાણીની ઉપર પકડીને રાખવું. જો રુદ્રાક્ષ આપોઆપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો તે પાણી પીવા લાયક છે.
આમ, શિવજીના જે સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે તે ખરેખર જો કલ્પના હોય તો પણ તેમની સાથે સંકળાયેલી એક-એક ચીજ અનેક રીતે ઉપયોગી છે તેમાં શંકા નથી. (ક્રમશ:)
શિવજીનું ત્રિશૂલ અમેરિકાના નેવી સીલનું પ્રતીક છે!
શંકર ભગવાનની પાસે એક ત્રિશૂલ જોવા મળે છે. આ ત્રિશૂલ શું માત્ર એક શસ્ત્ર છે? શંકર ભગવાન જેવા મહાયોગી અને તપસ્વીએ શું શસ્ત્ર રાખવું જોઈએ? એમને વળી શસ્ત્રની શું જરૂર?આવો પ્રશ્ર્ન થાય. પહેલાં ત્રિશૂલના આધ્યાત્મિક અર્થ સમજવા જરૂરી છે.
ત્રિશૂલમાં ત્રણ દાંતા છે તે ત્રણ ગુણો-સત, રજ અને તમનું પ્રતીક છે. શૂલ એટલે દુ:ખ. આ દાંતા જો અડે તો સહેજ દુ:ખ થાય. પણ વધુ અડે તો વધુ દુ:ખ થાય. અને જોરથી મારવામાં આવે તો પ્રાણ નીકળી જાય તે હદે નુકસાન થાય. શિવજીનું કહેવું છે કે સત, રજ અને તમ ગુણોનું પણ એવું છે. આ ત્રણેય ગુણને મેં જેમ મારી પાસે એક અંતરથી ત્રિશૂલ રાખ્યું છે તેમ રાખવું. હું તેને પકડું છું તો નીચેના હાથેથી. એટલે આ ત્રણેય ગુણોમાં પડવું હોય તો એક અંતરથી પડવું. ત્રિશૂલને પકડવું હોય તો કોઈ ઉપરથી- જ્યાં તેના ત્રણ અણીદાર દાંતા છે તેનાથી પકડશે? નહીં. કોઈ વિચારે કે રજ અને તમ તો સમજ્યા, પણ સત ગુણથી પણ અંતર છેટું રાખવું? હા. સત્વ ગુણથી પણ નુકસાન છે. સારું કામ કરતા હોય તેને પણ અહંકાર આવવાની શક્યતા રહે છે. એ અહંકાર ક્રોધને જન્માવી શકે છે. અને ક્રોધ આવે એટલે તમ ગુણ આવી જાય. શિવજી જેમ આ ત્રિશૂલનું નિયંત્રણ ધરાવે છે તે જ રીતે ત્રણેય ગુણો- સત, રજ અને તમથી તેઓ પર છે. ગુણાતીત છે. ગુણોથી પર છે. ત્રિશૂલ પાસે છે, પરંતુ તેઓ તેનું ચિંતન કરતા નથી. તેમનું તપ અને ધ્યાન તો સદાશિવ છે- પરબ્રહ્મ પરમેશ્વર સદાશિવ છે જેમાંથી તેમણે પોતે શિવજીનું રૂપ લીધું છે.
જેમ સદાશિવે શિવજીનું રૂપ લીધું તો તેમને પણ પોતાના રક્ષણ માટે ત્રિશૂલની જરૂર પડે છે તેમ આપણે પણ સંસારમાં આવ્યા છીએ તો સત, રજ અને તમ સાથે પનારો તો પડવાનો. આપણામાં પણ આ ગુણો પ્રવેશવાના પરંતુ તેમાં ખૂંપી જવાનું નથી. ખૂંપી ગયા તો લોહી નીકળ્યા વગર નહીં રહે. વધુ ખૂંપી ગયા તો પ્રાણ પણ જઈ શકે. એટલે આ ગુણોને એક અંતરે રાખવાના છે. અને શિવજીની જેમ ધ્યાન તો પરબ્રહ્મ પરમેશ્ર્વરનું કરવાનું છે.
બીજો અર્થ એવો કઢાયો છે કે જે ભગવાન શિવની શરણમાં આવશે તેને સત, રજ કે તમ એમ ત્રણ પૈકી કોઈ શૂલ કે દુ:ખ હેરાન નહીં કરે.
ત્રીજો અર્થ એવો કઢાયો છે કે ત્રણેય દાંતા એક જ ડાંડા પર ટકેલા છે. એમ સત, રજ અને તમ, સર્જન, પાલન અને સંહાર આ ત્રણેય કૃત્યો કરનારા એક આધાર પર ટકેલા છે અને તે આધાર છે પરબ્રહ્મ પરમેશ્ર્વર. એટલે જો કોઈ વાદવિવાદ કરે કે વિષ્ણુ મોટા કે શિવ મોટા ત્યારે ત્રિશૂલનું ઉદાહરણ યાદ કરવું. સૌથી મોટા સદાશિવ- પરબ્રહ્મ પરમેશ્ર્વર છે. વિજ્ઞાનની રીતે કહીએ તો ઇલેક્ટ્રોન (સર્જન-બ્રહ્મા)-પ્રોટોન (પાલન-વિષ્ણુ) અને ન્યૂટ્રોન(સંહાર-શિવ) કરતાંય હિગ્ઝ બોઝોન કણ અથવા ગોડ્સ પાર્ટિકલ મૂળ રૂપ છે.
હવે ત્રિશૂલના યૌગિક-સાંસારિક-ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ. યોગની રીતે જોઈએ તો શરીરમાં ત્રણ નાડીઓ રહેલી છે. ઈડા, પીંગળા અને સુષુમણા. આ ત્રણ નાડીઓ આમ તો છ સ્થાનો પર મળે છે, પરંતુ તેમનું મુખ્ય સ્થાન મનાયું છે - આજ્ઞાચક્ર. શંકર ભગવાનની ત્રીજી આંખ. જે આપણા બધામાં પણ હોય છે. જરૂર તેને જાગૃત કરવાની છે. પરંતુ કહે છે કે સુષુમણા નાડી છેક ઉપર સહસ્રાધાર ચક્ર સુધી જાય છે. આ ચક્ર આપણા માથામાં શિખાની જગ્યાએ આવેલું છે. એટલે જ ત્રિશૂલમાં જે વચ્ચેનો દાંતો છે તે બીજા બે દાંતા કરતાં લાંબો હોય છે. ટૂંકમાં આપણી ઊર્જાને મૂળાધાર ચક્રથી જાગૃત કરીને ઉપર સહસ્ત્રાધાર ચક્ર સુધી લઈ જવાની છે.
શિવજી પાસે તે કેવી રીતે આવ્યું તે અંગે ત્રિશૂલની ઉત્પત્તિની કોઈ કથા મળતી નથી. પરંતુ શિવજીએ જરૂર પડ્યે તેનો ઉપયોગ કર્યાની અનેક વાતો છે. શિવજીએ પોતાના પુત્ર ગણેશનું માથું આ ત્રિશૂલથી કાપ્યું હતું. શંખચૂર નામના રાક્ષસનો વધ પણ તેમણે ત્રિશૂલથી કર્યો હતો. માત્ર શિવજી જ નહીં શિવા એટલે કે પાર્વતીજી અથવા મા દુર્ગા પણ ત્રિશૂલનો ઉપયોગ રાક્ષસોના સંહાર માટે કરે છે.
ત્રિશૂલનો ઉપયોગ રક્ષણ માટે પુરાતનકાળમાં થતો તેમજ માછીમારીમાં પણ થતો. આપણા કોઈ દેવીદેવતા અસ્ત્ર-શસ્ત્ર વગર નથી, પરંતુ કોણ જાણે અહિંસાનો મંત્ર એટલો પ્રચલિત થયો કે જે આપણને નિર્માલ્યતા સુધી લઈ ગયો. શંકર ભગવાન પણ ત્રિશૂલનો અતિ થાય ત્યારે જ ઉપયોગ કરતા, પરંતુ કરતા તો ખરા. અહિંસાના મંત્ર પછી હજારો વર્ષનો ગુલામી કાળ આવ્યો અને ધીમે ધીમે આપણે શાસ્ત્ર અને શસ્ત્ર બંને ભૂલતા ગયા.
ત્રિશૂલને અંગ્રેજીમાં ટ્રાઇડેન્ટ કહે છે. રોમન ગ્લેડિયેટર પણ ટ્રાઇડેન્ટ અથવા ત્રિશૂલનો ઉપયોગ રક્ષા માટે કરતા. ગ્રીકોના દેવતા પોઝેડોન પણ ત્રિશૂલ ધરાવે છે. પોઝેડૉન આપણા વિષ્ણુ ભગવાનને મળતા આવે છે. તેઓ દરિયામાં રહેતા. પોઝેડોન જળ સ્રોતો ઉત્પન્ન કરવા માટે ત્રિશૂલ અથવા ટ્રાઇડેન્ટનો ઉપયોગ કરે છે. જોકે શિવજીની જેમ પોઝેડોન સંહારનું કામ પણ કરે છે.. તેઓ ત્રિશૂલની મદદથી ભરતી, સુનામી અને દરિયાઈ તોફાનો, ભૂકંપ લાવવાનું કામ પણ કરે છે.
રોમ, જ્યાં અત્યારે ખ્રિસ્તીઓનું પ્રમુખ કેન્દ્ર છે, તેની દંતકથામાં નેપચ્યૂન ભગવાન ત્રિશૂલ વાપરતા અને તેઓ પોઝેડોનની જેમ ત્રિશૂલનો ઉપયોગ જળસ્રોતો ઉત્પન્ન કરવા કે ભૂંકપ લાવવા માટે કરે છે તેવું આવે છે. રોમનો બ્રિટાનીયા નામની દેવીને માનતા. આ બ્રિટાનીયા દેવીની પ્રતિમામાં પણ હાથમાં ત્રિશૂલ જોવા મળે છે. આ દેવીના નામ પરથી જ બ્રિટન દેશનું નામ પડ્યું હતું. ૩૪૩ વર્ષ પહેલાં બ્રિટનના સિક્કા પર આ બ્રિટાનીયા દેવીનું ચિત્ર જોવા મળતું. તેમના હાથમાં ત્રિશૂલ છે અને તેઓ સિંહની સવારી કરે છે! તેમના બીજા હાથમાં છોડ જેવું છે. આપણે ત્યાં મા દુર્ગા કે પાર્વતી પણ સિંહ પર આરૂઢ છે અને તેઓ પણ હાથમાં ત્રિશૂલ પકડેલા હોય છે. તેમના એક હાથમાં કમળ હોય છે. મહિષાસુરનો વધ માતાજીએ ત્રિશૂલથી જ કર્યો હતો.
રોમની દીવાલો પર ત્રિશૂલ દોરાયેલા જોવા મળે છે. ત્યાં તે લોકો તેને પિચફોર્ક કહે છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના વર્ષ ૨૦૧૪ના એક અહેવાલ પ્રમાણે, આધુનિક રોમના હૃદયસમા વિસ્તારમાં એક ખેતરમાં ખોદકામ કરાયું હતું, તેમાં પુરાતત્ત્વવાદીઓને લોખંડનું ત્રિશૂલ મળ્યું હતું. યહૂદીઓમાં પણ ત્રિદેવો છે અને તેઓ ત્રિશૂલને ત્રિદેવની નિશાની માને છે. હિબ્રૂ સેમ્યુઅલ ૨:૧૨માં ત્રિશૂલનો ઉલ્લેખ છે. ત્રિશૂલનો ઉપયોગ યજ્ઞમાં આહૂતિ આપવા કરાતો હતો તેમ મનાય છે. (એક આડવાત: ‘આપણે ત્યાં જેમ અગ્નિહોત્ર બ્રાહ્મણોમાં ઘરે સતત યજ્ઞાગ્નિ પ્રજ્વલિત રાખવાનો નિયમ છે, તેમ હિબ્રૂ બાઇબલ બુક ઑફ લેવિટિકસ’ માં પણ ઉલ્લેખ છે કે અલ્ટાર ફાયર સતત પ્રજ્વલિત હોવો જોઈએ. જેરુસાલેમમાં ઓમરની મસ્જિદ (મોસ્ક્યૂ ઑફ ઓમર) છે. તેની નીચે એક જૂનું મંદિર હોવાનું મનાય છે. તેમાં યજ્ઞની જેમ આહૂતિઓ અપાતી હતી.)
અમેરિકા ખંડમાં બાર્બાડોસ ટાપુ આવેલો છે. આ બાર્બાડોસના રાષ્ટ્રધ્વજમાં ત્રિશૂલ છે. ચીનના તાઓવાદમાં ત્રિશૂલ તાઓના ત્રિદેવને દર્શાવે છે. ત્યાં ત્રિશૂલ આકારવાળો ઘંટ દેવતાઓને અને આત્માઓને આહ્વાન કરવા માટે વપરાય છે. ચીનમાં ડોન્ગ્યુ (ઉજ્ઞક્ષલુીય) મંદિર જે તાઓવાદનું કેન્દ્ર મનાય છે તેમાં એક રાક્ષસના હાથમાં ત્રિશૂલ દર્શાવતી પ્રતિમા છે.
વિરોધાભાસ જુઓ, જે કોઈ ધર્મમાં માનતા નથી તેવા નેપાળના સામ્યવાદી પક્ષ-કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (યુનાઇટેડ માર્કસિસ્ટ)નું ચિહ્ન દાતરડું અને હથોડો જ છે, પરંતુ એ રીતે ગોઠવાયા છે કે ત્રિશૂલનો જ ભાસ થાય. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૫માં પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લાના ધારપાણીમાં આઠ હજાર કિલોના વજનનું અને ૪૨.૫ ફીટ ઊંચું એક ત્રિશૂલ સ્થાપિત કરાયું છે. તેના આયોજકોનો દાવો છે કે તે દુનિયાનું સૌથી ઊંચું ત્રિશૂલ છે. આ પહેલાં ઉત્તરાખંડ રાજ્યમાં પિથૌરાગઢ જિલ્લામાં ૨,૭૦૦ કિલોનું ત્રિશૂલ હતું. નેપાળનું આ ત્રિશૂલ લોખંડ, તાબું, સોના, ચાંદી અને કાંસા એમ પંચધાતુમાંથી બનાવાયેલું છે.
રશિયામાં સામ્યવાદીઓ વિરુદ્ધ એક સંગઠન બનેલું - નેશનલ એલાયન્સ ઑફ રશિયન સોલ્જરિસ્ટ્સ. તેના ધ્વજમાં પણ ત્રિશૂલનું પ્રતીક હતું! રશિયાના પૂર્વાવતાર સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા યુક્રેઇનમાં રજવાડાની જે નિશાની હતી તે ત્રિશૂલની હતી!
અમેરિકાના નેવી સીલ જેણે ખૂનખાર ત્રાસવાદી ઓસામા બિન લાદેનનો પાકિસ્તાનમાં જઈને ખાતમો કર્યો હતો તેના ચિહ્નમાં ત્રિશૂલ અંકિત છે! સ્વિડનના દરિયાઈ સૈનિકો- કોસ્ટલ રેન્જર્સ જેને ત્યાં કુસ્ટાગર્ના (ઊંીતફિંલફક્ષિફ) તરીકે ઓળખવામાં આવે છે તેના ચિહ્નમાં પણ ત્રિશૂલ છે.
પરંતુ જો આપણે ત્યાં ભારતમાં ધ્વજના કે સેનાના પ્રતીકમાં ત્રિશૂલ રખાય તો? ભગવાકરણના આક્ષેપો થાય. કેટલાય ઍવૉર્ડ પાછા આવી જાય અને ચેનલો પર કેટલાય દિવસો ચર્ચા ચાલે!
(ક્રમશ:)
કોઈ વ્યક્તિને જો માનસિક રીતે નબળો-લઘુતાગ્રંથિવાળો બનાવી દેવો હોય તો તે જન્મે ત્યારથી તેના પર સતત શાબ્દિક પ્રહારો કરવા- તું તો ડોબો છો. તને કંઈ આવડતું નથી. તે કંઈક બોલવા જાય એટલે તેને ચૂપ કરાવી દેવો. તે વ્યક્તિ લઘુતાગ્રંથિવાળો બની જશે. તેને એમ લાગશે કે પોતે જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે. તેણે બીજા કરે તેમ જ કરવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિ વિશે આપણા મનમાં અંગ્રેજોએ આવું જ ભરાવી દીધું છે. અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિ અને અંગ્રેજોએ તૈયાર કરેલા માનસિક દાસત્વવાળા કાળા અંગ્રેજો વિવિધ માધ્યમો જેવા કે સમાચારપત્ર, ટીવી ચેનલો, ફિલ્મો, ટીવી સિરિયલો દ્વારા આપણા મનમસ્તિષ્ક પર સતત આવું જ આરોપ્ય રાખે છે.
એક મિનિટ. તમને થતું હશે કે સિક્કાની બીજી બાજુ જેવો વિષય ‘નાયક ખલનાયક’ કોલમમાં ક્યાંથી? ના.’ નાયક ખલનાયક’ કોલમમાં શિવજીના રૂપની જે આધ્યાત્મિક-વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવણી કરીએ છીએ તેના જ સંદર્ભમાં આ વિષય ઉખાળ્યો છે. આપણે આ કોલમમાં શિવજી પર એક પછી એક લેખમાળામાં જોઈએ છીએ કે હિન્દુ ધર્મ તબીબી વિજ્ઞાન-પર્યાવરણ વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાન-મનોવિજ્ઞાન આ બધાનો સંગમ છે. તેમાં જે કંઈ વાતો છે તે બહુ સમજી-વિચારીને મૂકવામાં આવી છે. રૂઢ કરાઈ છે. પરંતુ ઘણાં બધાં ક્ષેત્રોમાં જે ટોચ પર બેઠા છે તેઓ માને છે કે આ બધું હંબગ છે.
દા.ત. પઠાણકોટમાં ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક કાર્યક્રમના સંદર્ભમાં ટીકા કરી. ના તેમણે એમ નથી કહ્યું કે આ કાર્યક્રમ નહોતો થવો જોઈતો. તેમણે કહ્યું કે ત્રાસવાદી હુમલો થાય ત્યારે પણ કામકાજ નિયમિત રીતે ચાલ્યા કરે તે સારું જ છે, પરંતુ નરેન્દ્ર મોદી યોગ પર કેમ બોલ્યા? અરે ભાઈ! મોદી કર્ણાટકમાં યોગ સંશોધન પર યોજાયેલી પરિષદમાં બોલે તો યોગ પર જ બોલે ને. યોગનું મહત્ત્વ તો દુનિયાએ પણ સ્વીકાર્યું છે. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યો છે.
હમણાં યોજાયેલી ૧૦૩મી ભારતીય વિજ્ઞાનસભા (ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ)માં આવું જ થયું ને. ‘બોટનીના પ્રાધ્યાપક (ઋષિકેશ મુખર્જીની ‘ચૂપકે ચૂપકે’ની ભાષામાં કહીએ તો ઘાસ ફૂસ કા ડોક્ટર) અને મધ્યપ્રદેશના ખાનગી યુનિવર્સિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ અખિલેશ કે. પાંડે લોર્ડ શિવ: ‘ધ ગ્રેટેસ્ટ એન્વાયરન્મેન્ટલિસ્ટ ઇન ધ વર્લ્ડ’ પર એક પત્ર રજૂ કરવાના હતા. એમના પત્રમાં શું હતું તેની ઝાઝી વિગતો જાણવા મળતી નથી. આ પત્ર રજૂ થાય એ પહેલાં જ વૈજ્ઞાનિકોમાં અને ટવિટ્રવાસીઓમાં ઉહાપોહ થઈ ગયો. અખિલેશ પાંડેએ તેમને પગ પર કંઈક ઈજા થવાના કારણે આ પત્ર રજૂ કરવાનું જ માંડી વાળ્યું, પણ તેમના બદલે કાનપુરના રાજીવ શર્માએ શંખ વગાડવાના આરોગ્યલક્ષી ફાયદા પર વાત કરી. આ બંને મુદ્દે બુદ્ધિજીવીઓ અને ટ્વિટરવાસીઓ એવો આક્ષેપ કરે છે કે રાજકીય કારણોસર વિજ્ઞાનમાં ધર્મને ભેળવવાની વાત છે! તેઓ શિવજીની વાતને માયથોલોજીનું નામ આપે છે એટલે કે રૂપાળી કથા, જે સાંભળવામાં તો મજા આવે, પણ હોય તો તે નરી કલ્પના જ.
ચાલો એક ક્ષણ માની પણ લઈએ કે શિવજીની કથા માયથોલોજી અથવા દંતકથા છે. તો પણ તેમની સાથે જે કંઈ રૂપક જોડાયેલા છે તે નર્યું વિજ્ઞાન છે કે બીજું કંઈ? ગયા જ અઠવાડિયે આપણે ભસ્મનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચ્યું હતું. તે પહેલાંના અઠવાડિયે આપણે શિવજીના ગળામાં સાપનું પર્યાવરણની દૃષ્ટિએ અગત્ય સમજવા પ્રયાસ કર્યો હતો. તે પહેલાં શિવજીના માથા પર અર્ધચંદ્ર કેમ તેની પણ વિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરી હતી.
અખિલેશ પાંડે મુજબ, શિવજીએ ગંગાના ધસમસતા પ્રવાહને રોક્યો હતો (આપણે તેની વાત અગાઉ આ જ લેખનમાળામાં કરી ગયા છીએ). તેમણે તેમના માથા પર આ પ્રવાહ ઝીલ્યો અને એટલું જ પાણી આવવા દીધું જે પૃથ્વી માટે જરૂરી હતું. આ જળસંચયનો ક્ધસેપ્ટ છે.
અખિલેશ પાંડેએ વિભૂતિની વાત કરી. વિભૂતિ એ બીજું કંઈ નથી પણ અંગ્રેજીમાં જે નેનો પાર્ટિકલ્સ કહેવાય છે તે જ છે. તેમાં ઊર્જા રહેલી હોય છે. અત્યારે લોકો આ નેનો પાર્ટિકલ્સનું વિશ્ર્લેષણ કરે છે. શિવજીના પરિવારમાં પ્રાણીઓ પણ છે. તેમના ગળામાં સાપ છે. તેઓ નંદી નામના વૃષભ પર સવારી કરે છે. તેમનાં પત્ની પાર્વતી વાઘ પર સવારી કરે છે. તેમના પુત્ર કાર્તિકેય મયૂર પર અને બીજા પુત્ર ગણેશ મૂષક પર સવારી કરે છે. આ પ્રાણીઓ એકબીજાના દુશ્મન છે, પરંતુ તેઓ એકબીજા સાથે સુમેળથી રહેતા હતા. તેનો અર્થ છે પર્યાવરણ સંરક્ષણ. ફૂડ ચેઇન- ખાદ્ય ચક્ર જાળવવા દરેક પ્રાણી અગત્યનું છે.
તેમણે અમૃત મંથન વખતે વિષ ગ્રહણ કર્યું હતું. શિવજીને વૃક્ષ સાથે સરખાવાય છે. તેનો અર્થ છે કે પર્યાવરણ જાળવવા છોડ-વૃક્ષને જાળવવા જોઈએ.
આ બધી તો દંતકથા છે તેવા પ્રશ્ર્નના જવાબમાં બોટનીના આ પ્રોફેસર કહે છે કે ગાંધારીને ૧૦૦ બાળકો હતાં. આ વાત અત્યારે વિજ્ઞાનની રીતે આપણને સમજાય છે. સ્ટેમ સેલ રિસર્ચ અને જીન ક્લોનિંગથી આ શક્ય છે.
અખિલેશ પાંડેની વાતને અટકાવીએ અને આ ૧૦૦ બાળકોના સંદર્ભમાં બીજી વાત કરીએ. વર્ષ ૨૦૦૨માં આવી જ એક સભા થઈ હતી, સ્ટેમ સેલ રિસર્ચ પર. ઑલ ઇન્ડિયા બાયોટેક એસો.ના સાઉધર્ન ચેપ્ટર દ્વારા આયોજિત સ્ટેમ સેલ રિસર્ચ કોન્ફરન્સમાં નવી દિલ્લીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના સર્જન બી. જી. માતપુરકરે કહ્યું હતું કે ગાંધારીએ ક્લોનિંગની ટેક્નોલોજીથી ૧૦૦ બાળકોને જન્મ આપ્યો હતો.’ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં તેનો અહેવાલ છપાયો હતો. માતપુરકરે કહ્યું હતું કે કોઈ માતા ૧૦૦ બાળકોને જન્મ આપી શકે નહીં. તે પણ એકસરખી ઉંમરના. પરંતુ ગાંધારીના કિસ્સામાં આમ થયું. કેવી રીતે?
ગાંધારીએ મહર્ષિ વ્યાસ પાસેથી ૧૦૦ બાળકોનું વરદાન મેળવ્યું હતું. પરંતુ જ્યારે તેને પ્રસૂતિ થઈ ત્યારે તેને લાગ્યું કે તેને મૃત બાળક જન્મ્યું છે. તે આ ભ્રૂણનો નિકાલ કરવા જતી હતી ત્યાં વ્યાસ મુનિ આવ્યા અને તેમણે તેને કહ્યું કે આ ભ્રૂણના ૧૦૦ ટુકડા કરો. તેને ઘીથી ભરેલી સો બરણીઓમાં રાખો. ગાંધારીને દીકરી પણ જોઈતી હતી. આથી વ્યાસજીએ કહ્યું કે તો ૧૦૧ ટુકડા કરો. આ રીતે ટુકડાઓ બે વર્ષ સુધી રખાયા. બે વર્ષ પછી તેમાંથી બાળકો જન્મ્યા.
માતપુરકર કહે છે કે મહાભારતના સમયમાં માત્ર ટેસ્ટ ટ્યૂબ બેબી અને એક ભ્રૂણમાંથી અનેક બનાવવાની ટેક્નોલોજી જ વિકસી નહોતી, પરંતુ તેઓ મહિલાના શરીર બહાર કેવી રીતે માનવ ભ્રૂણનો વિકાસ કરવો તે ટેક્નોલોજી પણ જાણતા હતા. અરે ! વાસુદેવ-દેવકીના કિસ્સામાં તો દેવકીના શરીરમાં જે ગર્ભ હતો તેનું સ્થાપન રોહિણીના શરીરમાં કરાયું હતું અને રોહિણીના શરીરમાં રહેલા ગર્ભને દેવકીના શરીરમાં સ્થાપિત કરાયો હતો. કુંતીએ કોઈ જાતના શારીરિક સંબંધ વગર કર્ણને અને તે પછી પાંડવોને જન્મ આપ્યો. વર્ષો સુધી આ વાતની હાંસી ઉડાવાતી હતી, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે એકલી સ્ત્રી કોઈ જાતના શારીરિક સંબંધ વગર સ્પર્મ બેન્કના કારણે માતા બની શકે છે. હવે તો એ પણ સાબિત થઈ ગયું છે કે એક સ્ત્રીમાંથી પુરુષ બનેલી વ્યક્તિ પણ માતા બની શકે છે. બ્રિટનનો બોબ જેને દુનિયાનો પહેલો પુરુષ માતા કહેવાય છે, તેનો કિસ્સો જાણીતો છે! આવો જ કોઈ કિસ્સો વર્ષો પહેલાં જો આપણા કોઈ ગ્રંથમાં લખાયો હોત તો તેની આ સેક્યુલરો-રેશનાલિસ્ટો દ્વારા મજાક ઉડાવાતી હોત. પરંતુ માતપુરકર સામે ત્યારે આટલો ઉહાપોહ ન થયો. કેમ? કારણકે માતપુરકરે સૌ પ્રથમ ઑર્ગન રિજનરેશન’ની વ્યાખ્યા કરી. તેમણે ભારતમાં રહીને વિશ્ર્વમાં સૌ પ્રથમ વાર સસ્તન પ્રાણીઓમાં ઑર્ગન રિજનરેશનની ટેક્નિક પણ ડેવલપ કરી. અને ભારતીય હોય એટલે એક વાત તો આવે જ. અને તે એ કે આ ટેક્નિક પાછી સસ્તી હતી! (મંગળ યાનની જેમ જ!) આ માટે તેમને અમેરિકાએ પેટન્ટ પણ આપી! ‘જ્યારે કોઈ ફોરેન’ની વ્યક્તિ, ‘ફોરેન રિટર્ન્ડ’ વ્યક્તિ આપણી વાત પર અનુમતિનો થપ્પો મારે છે ત્યારે જ આપણે તેને સ્વીકારીએ છીએ. તો શિવજી મહાન પર્યાવરણવાદી હતા તેવો થપ્પો કોઈ પશ્ર્ચિમની મહાન વ્યક્તિ મારે ત્યાં સુધી રાહ જોવી? જેને જોવી હોય તે જુએ, આપણે તો નહીં જ જોઈએ! (ક્રમશ:)
રુદ્રાક્ષથી હૃદયરોગ સહિત અનેક બીમારીઓમાં રાહત મળે છે!
શંકર ભગવાન હાથમાં, ગળામાં વગેરે વિવિધ જગ્યાએ રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ શબ્દ બે શબ્દોની સંધિથી બન્યો છે- રુદ્ર + અક્ષ. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસું. શંકર ભગવાનની આંખમાંથી આંસુ ટપકવાથી જે બન્યું તે રુદ્રાક્ષ. આ અંગે વિવિધ દંતકથાઓ છે. એક દંતકથા મુજબ, જ્યારે ત્રિપુરાસુર દૈત્યનો ત્રાસ વધી ગયો હતો ત્યારે બધા દેવતાઓએ તેનો નાશ કરવા શંકર ભગવાનને પ્રાર્થના કરી હતી. આથી તેમણે અઘોર નામના શસ્ત્રનું ચિંતન કરવા ઘણા સમય સુધી નેત્રો બંધ રાખ્યાં હતાં. તેમનાં નેત્ર જ્યારે ખુલ્યાં ત્યારે તેમાંથી આંસું ટપક્યાં. તેમાંથી રુદ્રાક્ષ નામનાં વૃક્ષો ઉત્પન્ન થયાં.
બીજી દંતકથા એમ કહે છે કે શિવજીએ જોયું કે આ દુનિયા દુ:ખોથી ભરેલી છે. તેમણે બ્રહ્માને પૂછ્યું કે આ દુનિયા આપણે શા માટે ઉત્પન્ન કરીએ છીએ જેમાં માનવે સતત સહન કરવાનું આવે છે. તેનું સમાધાન શોધવા માટે તેમણે ધ્યાન કર્યું, પરંતુ સંવેદનાના કારણે તેમની આંખોમાંથી આંસું ટપકવાં લાગ્યાં. આ આંસુંમાંથી રુદ્રાક્ષ બન્યા.
રુદ્રાક્ષનું મહત્ત્વ આપણાં ધર્મગ્રંથો જેવા કે શિવપુરાણ, શ્રીમદ્ દેવી ભાગવત વગેરેમાં બતાવેલું છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં લખાયેલું છે:
્યત્ળષઢળફઞળડ્ર્રૂ હજ્ઞશ્રર્છૈ ણ રુઇંરુજ્ખડરુક્ષ રુમડ્ર્રૂટજ્ઞ
શિવપુરાણમાં વિદ્યેશ્વરસંહિતામાં અધ્યાય ૨૫મામાં રુદ્રાક્ષને ધારણ કરવાનો વિધિ અને તેના વિવિધ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ, શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, મેં સંયમ રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપ કર્યું. એક દિવસ અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. તે વખતે મેં મારાં બંને નેત્રો ખોલ્યાં. નેત્ર ખોલતાં જ તેમાંથી જળનાં કેટલાંક ટીપાં પડ્યાં. તેમાંથી રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું. મેં રુદ્રાક્ષને વિષ્ણુભક્તો અને ચારેય વર્ણોના લોકોમાં વહેંચી દીધા. મેં મને પ્રિય રુદ્રાક્ષને ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યાં. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યાગિરી, કાશી અને અન્ય દેશોમાં પણ તેનાં અંકુર ઉગાવ્યા.
શિવજી કહે છે, આમળાના ફળ બરાબર જે રુદ્રાક્ષ છે તે શ્રેષ્ઠ છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ છે તે મધ્યમ શ્રેણીનું છે, જે ચણા જેવડું છે તે નિમ્નકક્ષાનું છે.
રુદ્રાક્ષના કદ પ્રમાણે તેના ફળ પ્રાપ્તિની વાત કરતા રુદ્ર કહે છે, આમળાના ફળ જેવડું રુદ્રાક્ષ સમસ્ત અરિષ્ટોનો વિનાશ કરનારું હોય છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ આપનારું હોય છે અને જે ચણાના જેવડું છે તે બધાં મનોરથો પૂર્ણ કરનારું છે. રુદ્રાક્ષ જેટલું નાનું તેટલું અધિક ફળ આપનારું હોય છે. પાપોનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવું આવશ્યક છે.
રુદ્રાક્ષ કેવું સારું? શંભુ કહે છે, જે સમાન આકાર-પ્રકારવાળું હોય, ચીકણું, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત (ઊભરી આવેલા નાના દાણાવાળું) રુદ્રાક્ષ બધી અભિલાષાઓ પૂર્ણ કરનારું હોય છે, જેને કીડાઓએ દૂષિત કરી નાખ્યું છે, જે તૂટેલું હોય, જેમાં ઊભરેલા દાણા ન હોય, જે પૂરેપૂરું ગોળ ન હોય આવા રુદ્રાક્ષને ત્યાગી દેવું જોઈએ, જે રુદ્રાક્ષમાં માળા બનાવવા માટે પહેલેથી છિદ્ર હોય જ તે રુદ્રાક્ષ ઉત્તમ મનાયું છે, જેમાં મનુષ્યના પ્રયત્નથી છિદ્ર બનાવાયું છે તે મધ્યમ શ્રેણીનું મનાયું છે.
શંકર કહે છે, અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તેનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાય નહીં. ભક્તિભાવવાળો પુરુષ સાડા પાંચસો રુદ્રાક્ષ દાણાનો સુંદર મુકુટ બનાવી લે અને તેને માથા પર ધારણ કરે. ત્રણસો સાઈઠ દાણાને લાંબા સૂત્ર (દોરા)માં પરોવીને એક હાર બનાવી લે. આવા ત્રણ-ત્રણ હાર બનાવીને તેની યજ્ઞોપવિત તૈયાર કરવી જોઈએ અને તેને ધારણ કરવી જોઈએ.
શિવજી હવે કયા અંગમાં કયા મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો તેની વિધિ કહે છે, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી અને ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉદર પર વામદેવ મંત્રથી પંદર રુદ્રાક્ષ દ્વારા ગૂંથાયેલી માળા પહેરવી જોઈએ. અથવા અંગોસહિત પ્રણવ (ૐ) મંત્રનો પાંચ વાર જાપ કરીને રુદ્રાક્ષની ત્રણ, પાંચ કે સાત માળાઓ પહેરવી જોઈએ અથવા ૐ નમ: શિવાય એ મૂળમંત્રથી સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરવા જોઈએ
રુદ્રાક્ષને પહેર્યા પછી ખાણીપીણીના કેટલાક નિયમો પાળવાના હોય છે. આ અંગે શંકર ભગવાન કહે છે, રુદ્રાક્ષધારી પુરુષે પોતાની ખાણી પીણીમાં મદિરા (દારૂ), માંસ, લસણ, ડુંગળી, મૂળો, ગુંદા વગેરે છોડી દેવાં જોઈએ. શિવપુરાણમાં કહેવાયું છે કે સમસ્ત વર્ણો અને સ્ત્રીઓ પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. હા, સ્ત્રીઓએ માસિક ધર્મ સમયે રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ.
હવે રુદ્રાક્ષના પ્રકાર અને તે પ્રમાણે તેના ફળની વાત કરતા શિવજી કહે છે, એક મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળ આપે છે, જ્યાં રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. તે સ્થાનના બધાં ઉપદ્રવો નષ્ટ થાય છે. તથા ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે.
બે મુખવાળું રુદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાય છે. તે પણ સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારું છે. ત્રણ મુખવાળા રુદ્રાક્ષથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થાય છે. ચાર મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્શથી તરત જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચમુખી રુદ્રાક્ષ મુક્તિ આપવાવાળું અને મનોવાંચ્છિત ફળ આપનારું છે.
છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ છે. તેને જો જમણા હાથમાં ધારણ કરવામાં આવે તો ધારણ કરનાર મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. સાત મુખવાળું રુદ્રાક્ષ અનંગસ્વરૂપ છે અને અનંગ નામથી જ પ્રસિદ્ધ છે. તેને ધારણ કરવાથી દરિદ્ર પણ ધનવાન બને છે. આઠમુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવસ્વરૂપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ બને છે. નવ મુખવાળું રુદ્રાક્ષને ભૈરવ અને કપિલ મુનિનું પ્રતીક મનાયું છે. દુર્ગા તેનાં અધિષ્ઠાત્રી દેવી છે, જે મનુષ્ય ભક્તિપરાયણ થઈને નવમુખ રુદ્રાક્ષને પોતાના ડાબા હાથમાં પહેરે છે તે મારા સમાન સર્વેશ્વર બની જાય છે.
દસમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. અગિયાર મુખવાળું રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. બાર મુખવાળા રુદ્રાક્ષને મનુષ્યએ માથા પર ધારણ કરવું જોઈએ. તેમ કરવાથી તેના માથા પર બારેય આદિત્ય બિરાજમાન થાય છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય બધા અભિષ્ટોને મેળવે છે અને સૌભાગ્ય તેમ જ મંગળ લાભ મેળવે છે. ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ શિવરૂપ છે. તેને ભક્તિપૂર્વક મસ્તક પર ધારણ કરવું જોઈએ. તેનાથી સમસ્ત પાપોનો નાશ થાય છે.
ચૌદ રુદ્રાક્ષને ધારણ કરવાના ચૌદ મંત્રો પણ ભગવાને બતાવ્યા. તે આ મુજબ છે. ૧. ૐ હ્રીં નમ: ૨. ૐ નમ: ૩. ૐ ક્લીં નમ: ૪. ૐ હ્રીં નમ: ૫. ૐ હ્રીં નમ: ૬. ૐ હ્રીં હું નમ: ૭. ૐ હું નમ: ૮. ૐ હું નમ: ૯. ૐ હ્રીં હું નમ: ૧૦. ૐ હ્રીં નમ: ૧૧. ૐ હ્રીં હું નમ: ૧૨. ૐ ક્રોં ક્ષોં રૌં નમ: ૧૩. ૐ હ્રીં નમ: ૧૪. ૐ નમ:
કહે છે કે પંચમુખી રુદ્રાક્ષ મોટા પ્રમાણમાં મળે છ,ે પરંતુ ચૌદ મુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે.
આ તો થયું રુદ્રાક્ષનું આધ્યાત્મિક મહત્ત્વ. હવે વિજ્ઞાન-તબીબીશાસ્ત્ર મુજબ મહત્ત્વ જોવું જોઈએ. જોન ગેરેટ અને કેર્બર ડ્રોરી નામના બે પશ્ર્ચિમી વિદ્વાનોએ રુદ્રાક્ષના અનેક તબીબી ફાયદાઓ ગણાવ્યા છે. વર્ષ ૧૮૬૪માં ડૉ. અબ્રાહમ જજુઆરે નોંધ્યું છે કે રુદ્રાક્ષનો ઉપયોગ માનસિક રોગોમાં અને તણાવને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. રુદ્રાક્ષ અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વ ભારતમાં, નેપાળ, ઇન્ડોનેશિયા અને જાવામાં ઊગે છે. (હવે સમજાય છે કે ચીનનો ડોળો અરુણાચલ પ્રદેશ પર કેમ છે? પૂર્વ ભારતમાં અને હિમાલયના વિસ્તારોમાં આવી ઘણી વનસ્પતિઓ ઊગે છે. અરુણાચલ પ્રદેશમાં તો શેલ ઑઇલ નીકળવાની પણ પૂરી સંભાવના છે. ૧૯૯૦ના દાયકામાં ઑઇલ ઇન્ડિયા લિ.ના વડા ચૂડામણિ રત્નમે વારંવાર દાવો કર્યો હતો કે અરુણાચલમાં શેલ ઑઇલ નીકળી શકે છે જેનાથી ભારત માટે તો પેટ્રોલ-ડીઝલ ભરપૂર મળી જ શકે, પણ ભારત તેની નિકાસ પણ કરી શકે, પરંતુ પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે આપણે ઑઇલ અને ગૅસમાં તરીએ છીએ (એટલે કે આપણા દેશમાં ભરપૂર ઑઇલ અને ગૅસ છે.), પણ ઑઇલ આયાત કરનારી લોબી દરેક પેટ્રોલિયમ પ્રધાનને ધમકી આપે છે. આપણા દેશને સ્વતંત્રતા પછી ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર બનવા જ નથી દેવાયો.)
રુદ્રાક્ષનું બોટોનીમાં નામ છે- એલિયોકાર્પસ જેનિટ્રસ (ઊહફયજ્ઞભફિાીત લફક્ષશિિંીત). એમ કહેવાય છે કે ઇન્ડોનેશિયામાંથી ચીનમાં રુદ્રાક્ષમાંથી બનાવાયેલા- ઇન્જેક્ટિબલ (શરીરમાં ઇંજેક્શન દ્વારા દાખલ કરી શકાય તેવા) ઑઇલની નિકાસ કરાય છે. આ તેલ અસાધ્ય રોગોને મટાડી દે છે તેમ
કહેવાય છે.
રુદ્રાક્ષથી હૃદયરોગ, બ્લડપ્રેશર, ગભરાટ, કોલેસ્ટેરોલ, નર્વસ સિસ્ટમ વગેરેમાં રાહત મળે છે. ઇન્ટરનેશલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ લીએ સંશોધન કરીને સાબિત કર્યું હતું કે રુદ્રાક્ષમાં વિદ્યુત ઊર્જા સંચિત હોય છે. તેને ડાય ઇલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવાય છે. તેમાં કોબાલ્ટ, નિકલ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, સિલિકા અને ગંધક તત્ત્વો રહેલાં હોય છે. તેના કારણે તેની ડેન્સિટી વધી જાય છે અને તે પાણીમાં ડૂબી જાય છે. આથી જ રુદ્રાક્ષની ઓળખની એક કસોટી એ પણ છે કે તેને પાણીમાં રાખવાથી જો તે ડૂબી જાય તો તે સાચું રુદ્રાક્ષ.
રુદ્રાક્ષ એક રીતે તમારી આસપાસ એક કવચ બનાવી દે છે. સતત મુસાફરી કરતા હોય તેમણે રુદ્રાક્ષ ખાસ પહેરવું જોઈએ. ઘણી વાર તમે કોઈ જગ્યાએ જાવ છો તો ત્યાં સરસ ઊંઘ આવી જાય છે, જ્યારે ઘણી જગ્યાએ થાકી ગયા હોવા છતાં ઊંઘ નથી આવતી. આનું કારણ એ જગ્યાની ઊર્જા હોય છે. આ બાબતમાં રુદ્રાક્ષ ઉપયોગી સાબિત થાય છે.
સાધુ-સન્યાસીઓ રુદ્રાક્ષ ખાસ પહેરે છે. તેનું કારણ ઉપર દર્શાવેલી બાબતો તો છે જ, પરંતુ જે તે જગ્યાનું પાણી દૂષિત કે ઝેરીલું હોઈ શકે છે અને તેની તપાસ રુદ્રાક્ષથી થઈ શકે છે. રુદ્રાક્ષને
પાણીની ઉપર પકડીને રાખવું. જો રુદ્રાક્ષ આપોઆપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો તે પાણી પીવા લાયક છે.
આમ, શિવજીના જે સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે તે ખરેખર જો કલ્પના હોય તો પણ તેમની સાથે સંકળાયેલી એક-એક ચીજ અનેક રીતે ઉપયોગી છે તેમાં શંકા નથી. (ક્રમશ:)
શિવજીનું ત્રિશૂલ અમેરિકાના નેવી સીલનું પ્રતીક છે!
શંકર ભગવાનની પાસે એક ત્રિશૂલ જોવા મળે છે. આ ત્રિશૂલ શું માત્ર એક શસ્ત્ર છે? શંકર ભગવાન જેવા મહાયોગી અને તપસ્વીએ શું શસ્ત્ર રાખવું જોઈએ? એમને વળી શસ્ત્રની શું જરૂર?આવો પ્રશ્ર્ન થાય. પહેલાં ત્રિશૂલના આધ્યાત્મિક અર્થ સમજવા જરૂરી છે.
ત્રિશૂલમાં ત્રણ દાંતા છે તે ત્રણ ગુણો-સત, રજ અને તમનું પ્રતીક છે. શૂલ એટલે દુ:ખ. આ દાંતા જો અડે તો સહેજ દુ:ખ થાય. પણ વધુ અડે તો વધુ દુ:ખ થાય. અને જોરથી મારવામાં આવે તો પ્રાણ નીકળી જાય તે હદે નુકસાન થાય. શિવજીનું કહેવું છે કે સત, રજ અને તમ ગુણોનું પણ એવું છે. આ ત્રણેય ગુણને મેં જેમ મારી પાસે એક અંતરથી ત્રિશૂલ રાખ્યું છે તેમ રાખવું. હું તેને પકડું છું તો નીચેના હાથેથી. એટલે આ ત્રણેય ગુણોમાં પડવું હોય તો એક અંતરથી પડવું. ત્રિશૂલને પકડવું હોય તો કોઈ ઉપરથી- જ્યાં તેના ત્રણ અણીદાર દાંતા છે તેનાથી પકડશે? નહીં. કોઈ વિચારે કે રજ અને તમ તો સમજ્યા, પણ સત ગુણથી પણ અંતર છેટું રાખવું? હા. સત્વ ગુણથી પણ નુકસાન છે. સારું કામ કરતા હોય તેને પણ અહંકાર આવવાની શક્યતા રહે છે. એ અહંકાર ક્રોધને જન્માવી શકે છે. અને ક્રોધ આવે એટલે તમ ગુણ આવી જાય. શિવજી જેમ આ ત્રિશૂલનું નિયંત્રણ ધરાવે છે તે જ રીતે ત્રણેય ગુણો- સત, રજ અને તમથી તેઓ પર છે. ગુણાતીત છે. ગુણોથી પર છે. ત્રિશૂલ પાસે છે, પરંતુ તેઓ તેનું ચિંતન કરતા નથી. તેમનું તપ અને ધ્યાન તો સદાશિવ છે- પરબ્રહ્મ પરમેશ્વર સદાશિવ છે જેમાંથી તેમણે પોતે શિવજીનું રૂપ લીધું છે.
જેમ સદાશિવે શિવજીનું રૂપ લીધું તો તેમને પણ પોતાના રક્ષણ માટે ત્રિશૂલની જરૂર પડે છે તેમ આપણે પણ સંસારમાં આવ્યા છીએ તો સત, રજ અને તમ સાથે પનારો તો પડવાનો. આપણામાં પણ આ ગુણો પ્રવેશવાના પરંતુ તેમાં ખૂંપી જવાનું નથી. ખૂંપી ગયા તો લોહી નીકળ્યા વગર નહીં રહે. વધુ ખૂંપી ગયા તો પ્રાણ પણ જઈ શકે. એટલે આ ગુણોને એક અંતરે રાખવાના છે. અને શિવજીની જેમ ધ્યાન તો પરબ્રહ્મ પરમેશ્ર્વરનું કરવાનું છે.
બીજો અર્થ એવો કઢાયો છે કે જે ભગવાન શિવની શરણમાં આવશે તેને સત, રજ કે તમ એમ ત્રણ પૈકી કોઈ શૂલ કે દુ:ખ હેરાન નહીં કરે.
ત્રીજો અર્થ એવો કઢાયો છે કે ત્રણેય દાંતા એક જ ડાંડા પર ટકેલા છે. એમ સત, રજ અને તમ, સર્જન, પાલન અને સંહાર આ ત્રણેય કૃત્યો કરનારા એક આધાર પર ટકેલા છે અને તે આધાર છે પરબ્રહ્મ પરમેશ્ર્વર. એટલે જો કોઈ વાદવિવાદ કરે કે વિષ્ણુ મોટા કે શિવ મોટા ત્યારે ત્રિશૂલનું ઉદાહરણ યાદ કરવું. સૌથી મોટા સદાશિવ- પરબ્રહ્મ પરમેશ્ર્વર છે. વિજ્ઞાનની રીતે કહીએ તો ઇલેક્ટ્રોન (સર્જન-બ્રહ્મા)-પ્રોટોન (પાલન-વિષ્ણુ) અને ન્યૂટ્રોન(સંહાર-શિવ) કરતાંય હિગ્ઝ બોઝોન કણ અથવા ગોડ્સ પાર્ટિકલ મૂળ રૂપ છે.
હવે ત્રિશૂલના યૌગિક-સાંસારિક-ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ. યોગની રીતે જોઈએ તો શરીરમાં ત્રણ નાડીઓ રહેલી છે. ઈડા, પીંગળા અને સુષુમણા. આ ત્રણ નાડીઓ આમ તો છ સ્થાનો પર મળે છે, પરંતુ તેમનું મુખ્ય સ્થાન મનાયું છે - આજ્ઞાચક્ર. શંકર ભગવાનની ત્રીજી આંખ. જે આપણા બધામાં પણ હોય છે. જરૂર તેને જાગૃત કરવાની છે. પરંતુ કહે છે કે સુષુમણા નાડી છેક ઉપર સહસ્રાધાર ચક્ર સુધી જાય છે. આ ચક્ર આપણા માથામાં શિખાની જગ્યાએ આવેલું છે. એટલે જ ત્રિશૂલમાં જે વચ્ચેનો દાંતો છે તે બીજા બે દાંતા કરતાં લાંબો હોય છે. ટૂંકમાં આપણી ઊર્જાને મૂળાધાર ચક્રથી જાગૃત કરીને ઉપર સહસ્ત્રાધાર ચક્ર સુધી લઈ જવાની છે.
શિવજી પાસે તે કેવી રીતે આવ્યું તે અંગે ત્રિશૂલની ઉત્પત્તિની કોઈ કથા મળતી નથી. પરંતુ શિવજીએ જરૂર પડ્યે તેનો ઉપયોગ કર્યાની અનેક વાતો છે. શિવજીએ પોતાના પુત્ર ગણેશનું માથું આ ત્રિશૂલથી કાપ્યું હતું. શંખચૂર નામના રાક્ષસનો વધ પણ તેમણે ત્રિશૂલથી કર્યો હતો. માત્ર શિવજી જ નહીં શિવા એટલે કે પાર્વતીજી અથવા મા દુર્ગા પણ ત્રિશૂલનો ઉપયોગ રાક્ષસોના સંહાર માટે કરે છે.
ત્રિશૂલનો ઉપયોગ રક્ષણ માટે પુરાતનકાળમાં થતો તેમજ માછીમારીમાં પણ થતો. આપણા કોઈ દેવીદેવતા અસ્ત્ર-શસ્ત્ર વગર નથી, પરંતુ કોણ જાણે અહિંસાનો મંત્ર એટલો પ્રચલિત થયો કે જે આપણને નિર્માલ્યતા સુધી લઈ ગયો. શંકર ભગવાન પણ ત્રિશૂલનો અતિ થાય ત્યારે જ ઉપયોગ કરતા, પરંતુ કરતા તો ખરા. અહિંસાના મંત્ર પછી હજારો વર્ષનો ગુલામી કાળ આવ્યો અને ધીમે ધીમે આપણે શાસ્ત્ર અને શસ્ત્ર બંને ભૂલતા ગયા.
ત્રિશૂલને અંગ્રેજીમાં ટ્રાઇડેન્ટ કહે છે. રોમન ગ્લેડિયેટર પણ ટ્રાઇડેન્ટ અથવા ત્રિશૂલનો ઉપયોગ રક્ષા માટે કરતા. ગ્રીકોના દેવતા પોઝેડોન પણ ત્રિશૂલ ધરાવે છે. પોઝેડૉન આપણા વિષ્ણુ ભગવાનને મળતા આવે છે. તેઓ દરિયામાં રહેતા. પોઝેડોન જળ સ્રોતો ઉત્પન્ન કરવા માટે ત્રિશૂલ અથવા ટ્રાઇડેન્ટનો ઉપયોગ કરે છે. જોકે શિવજીની જેમ પોઝેડોન સંહારનું કામ પણ કરે છે.. તેઓ ત્રિશૂલની મદદથી ભરતી, સુનામી અને દરિયાઈ તોફાનો, ભૂકંપ લાવવાનું કામ પણ કરે છે.
રોમ, જ્યાં અત્યારે ખ્રિસ્તીઓનું પ્રમુખ કેન્દ્ર છે, તેની દંતકથામાં નેપચ્યૂન ભગવાન ત્રિશૂલ વાપરતા અને તેઓ પોઝેડોનની જેમ ત્રિશૂલનો ઉપયોગ જળસ્રોતો ઉત્પન્ન કરવા કે ભૂંકપ લાવવા માટે કરે છે તેવું આવે છે. રોમનો બ્રિટાનીયા નામની દેવીને માનતા. આ બ્રિટાનીયા દેવીની પ્રતિમામાં પણ હાથમાં ત્રિશૂલ જોવા મળે છે. આ દેવીના નામ પરથી જ બ્રિટન દેશનું નામ પડ્યું હતું. ૩૪૩ વર્ષ પહેલાં બ્રિટનના સિક્કા પર આ બ્રિટાનીયા દેવીનું ચિત્ર જોવા મળતું. તેમના હાથમાં ત્રિશૂલ છે અને તેઓ સિંહની સવારી કરે છે! તેમના બીજા હાથમાં છોડ જેવું છે. આપણે ત્યાં મા દુર્ગા કે પાર્વતી પણ સિંહ પર આરૂઢ છે અને તેઓ પણ હાથમાં ત્રિશૂલ પકડેલા હોય છે. તેમના એક હાથમાં કમળ હોય છે. મહિષાસુરનો વધ માતાજીએ ત્રિશૂલથી જ કર્યો હતો.
રોમની દીવાલો પર ત્રિશૂલ દોરાયેલા જોવા મળે છે. ત્યાં તે લોકો તેને પિચફોર્ક કહે છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના વર્ષ ૨૦૧૪ના એક અહેવાલ પ્રમાણે, આધુનિક રોમના હૃદયસમા વિસ્તારમાં એક ખેતરમાં ખોદકામ કરાયું હતું, તેમાં પુરાતત્ત્વવાદીઓને લોખંડનું ત્રિશૂલ મળ્યું હતું. યહૂદીઓમાં પણ ત્રિદેવો છે અને તેઓ ત્રિશૂલને ત્રિદેવની નિશાની માને છે. હિબ્રૂ સેમ્યુઅલ ૨:૧૨માં ત્રિશૂલનો ઉલ્લેખ છે. ત્રિશૂલનો ઉપયોગ યજ્ઞમાં આહૂતિ આપવા કરાતો હતો તેમ મનાય છે. (એક આડવાત: ‘આપણે ત્યાં જેમ અગ્નિહોત્ર બ્રાહ્મણોમાં ઘરે સતત યજ્ઞાગ્નિ પ્રજ્વલિત રાખવાનો નિયમ છે, તેમ હિબ્રૂ બાઇબલ બુક ઑફ લેવિટિકસ’ માં પણ ઉલ્લેખ છે કે અલ્ટાર ફાયર સતત પ્રજ્વલિત હોવો જોઈએ. જેરુસાલેમમાં ઓમરની મસ્જિદ (મોસ્ક્યૂ ઑફ ઓમર) છે. તેની નીચે એક જૂનું મંદિર હોવાનું મનાય છે. તેમાં યજ્ઞની જેમ આહૂતિઓ અપાતી હતી.)
અમેરિકા ખંડમાં બાર્બાડોસ ટાપુ આવેલો છે. આ બાર્બાડોસના રાષ્ટ્રધ્વજમાં ત્રિશૂલ છે. ચીનના તાઓવાદમાં ત્રિશૂલ તાઓના ત્રિદેવને દર્શાવે છે. ત્યાં ત્રિશૂલ આકારવાળો ઘંટ દેવતાઓને અને આત્માઓને આહ્વાન કરવા માટે વપરાય છે. ચીનમાં ડોન્ગ્યુ (ઉજ્ઞક્ષલુીય) મંદિર જે તાઓવાદનું કેન્દ્ર મનાય છે તેમાં એક રાક્ષસના હાથમાં ત્રિશૂલ દર્શાવતી પ્રતિમા છે.
વિરોધાભાસ જુઓ, જે કોઈ ધર્મમાં માનતા નથી તેવા નેપાળના સામ્યવાદી પક્ષ-કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (યુનાઇટેડ માર્કસિસ્ટ)નું ચિહ્ન દાતરડું અને હથોડો જ છે, પરંતુ એ રીતે ગોઠવાયા છે કે ત્રિશૂલનો જ ભાસ થાય. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૫માં પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લાના ધારપાણીમાં આઠ હજાર કિલોના વજનનું અને ૪૨.૫ ફીટ ઊંચું એક ત્રિશૂલ સ્થાપિત કરાયું છે. તેના આયોજકોનો દાવો છે કે તે દુનિયાનું સૌથી ઊંચું ત્રિશૂલ છે. આ પહેલાં ઉત્તરાખંડ રાજ્યમાં પિથૌરાગઢ જિલ્લામાં ૨,૭૦૦ કિલોનું ત્રિશૂલ હતું. નેપાળનું આ ત્રિશૂલ લોખંડ, તાબું, સોના, ચાંદી અને કાંસા એમ પંચધાતુમાંથી બનાવાયેલું છે.
રશિયામાં સામ્યવાદીઓ વિરુદ્ધ એક સંગઠન બનેલું - નેશનલ એલાયન્સ ઑફ રશિયન સોલ્જરિસ્ટ્સ. તેના ધ્વજમાં પણ ત્રિશૂલનું પ્રતીક હતું! રશિયાના પૂર્વાવતાર સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા યુક્રેઇનમાં રજવાડાની જે નિશાની હતી તે ત્રિશૂલની હતી!
અમેરિકાના નેવી સીલ જેણે ખૂનખાર ત્રાસવાદી ઓસામા બિન લાદેનનો પાકિસ્તાનમાં જઈને ખાતમો કર્યો હતો તેના ચિહ્નમાં ત્રિશૂલ અંકિત છે! સ્વિડનના દરિયાઈ સૈનિકો- કોસ્ટલ રેન્જર્સ જેને ત્યાં કુસ્ટાગર્ના (ઊંીતફિંલફક્ષિફ) તરીકે ઓળખવામાં આવે છે તેના ચિહ્નમાં પણ ત્રિશૂલ છે.
પરંતુ જો આપણે ત્યાં ભારતમાં ધ્વજના કે સેનાના પ્રતીકમાં ત્રિશૂલ રખાય તો? ભગવાકરણના આક્ષેપો થાય. કેટલાય ઍવૉર્ડ પાછા આવી જાય અને ચેનલો પર કેટલાય દિવસો ચર્ચા ચાલે!
(ક્રમશ:)
Thursday, January 7, 2016
શિવજીનું સ્વરૂપ --- 1 નાયક ખલનાયક - જયવંત પંડ્યા
શિવજીની ઉત્પત્તિથી તેમના બે વિવાહ વચ્ચેની કથા આપણે ‘શિવપુરાણ’ના માધ્યમથી જાણી. તેનો તત્ત્વાર્થ જાણ્યો. શિવજીનું જે સ્વરૂપ છે તેનું ચિંતન પણ જરૂરી છે. શિવજી આજના જમાનાના કોઈ પણ યુવાનને રોકસ્ટાર લાગે. લાંબા વાળ, કપાળે ત્રિપુંડ, ગળામાં મફલરના બદલે સાપ (કદાચ આ જોઈને જ ‘જાની’ રાજકુમાર, જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા લોકોએ ગળામાં મફલરની ફેશન અપનાવી હશે?), સાથે ત્રિશૂળ, ડમરુ, વ્યાઘ્રચર્મનું આસન, પૌરુષત્વથી છલોછલ ચહેરો અને શરીર, માથા પર અર્ધચંદ્ર અને ગંગા, હાથમાં કોણીથી સહેજ ઉપર અને કાંડા પર રુદ્રાક્ષ, ધ્યાન કરતા હોય ત્યારે શાંત પણ કામદેવ જેવા કોઈએ છંછેડે કે સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ જાય ત્યારે નરેન્દ્ર મોદીના પેલા સૂત્રની જેમ અમે કોઈને છંછેડતા નથી, પણ કોઈ અમને છંછેડે તો તેને છોડતા નથી’.
પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા.
સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો - તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત!
જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. આ બહુ મોટી વાત છે. અત્યારે નાની નાની વાતમાં ઘરમાં પણ ક્લેશ થતા હોય છે. નાની નાની વાતમાં માઠું લાગી જાય છે. અને ત્યારે બોલવામાં આપણે ધ્યાન નથી રાખતા હોતા. મોઢામાંથી એવી વાણી નીકળી જાય છે જે ક્લેશને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે. તેને સામાન્ય ભાષામાં ઝેર ઓક્યું કહે છે. રાસાયણિક કે ખાદ્ય પદાર્થોમાંથી ઉત્પન્ન થતું ઝેર કરતાંય આ ઝેર વધુ ખતરનાક હોય છે. રાસાયણિક ઝેર તો શારીરિક રીતે માંદા પાડે છે જ્યારે શાબ્દિક ઝેર માનસિક રીતે બીમાર પાડે છે. જે સાંભળે છે તેને પણ માનસિક રીતે અસર થાય છે અને જે બોલે છે તેના મનને પણ આ બોલી લેવાથી શાંતિ મળતી નથી. તેને પણ પછીથી પસ્તાવો થાય છે કે આવું હું ક્યાં બોલ્યો અથવા બોલી?
અને રાજકારણ, ફિલ્મ, ક્રિકેટ, સાહિત્ય આ ક્ષેત્રે પણ વિષવમનની પ્રવૃત્તિ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભરપૂર ચાલી છે. અને તેને કેટલાંક માધ્યમો દ્વારા ભરપૂર પ્રસિદ્ધિ પણ મળે છે. કોઈએ માનો કે ઊલટી કરી હોય અને તે ઘરની લાદી (ટાઇલ્સ) પર પડી હોય તો તમે શું કરો? તેને તરત સાફ કરી નાખશો કે તેને ફેલાવીને આખા ઘરમાં રંગોળી કરશો? સ્વાભાવિક જ સાફ કરી નાખશો, પરંતુ કેટલાંક માધ્યમો, ખાસ કરીને સનસનાટીજીવી (સનસનાટી પર જીવતી) ચેનલો પર આવા વિષવમનને બતાવીને સનસનાટી પેદા કરાય છે. ઓવૈસી કંઈ બેફામ બોલે એટલે તેને આખો દિવસ ચલાવાય. અને સામે પક્ષે સાક્ષી મહારાજની પણ પ્રતિક્રિયા લઈ લેવાય. સાક્ષી મહારાજ પણ સામે આવી જ જલદ પ્રતિક્રિયા આપે. તેના પર વળી કૉંગ્રેસ-જનતા દળ (યુ) વગેરેના સાંસદો બોલે. આમ ચાલતું જ રહે. શું ઓવૈસી સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? શું સાક્ષી મહારાજ સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે - ના. જો આ ૨૪ કલાક ચાલતી સનસનાટીજીવી ચેનલો નક્કી કરે કે આવાં નિવેદનોને માત્ર ૨૦ સેક્ધડમાં ફટાફટ અપાતા ૧૦૦ સમાચારમાં જ સ્થાન આપી દઈશું તો? અને બીજું કે આવાં નિવેદનો પર કોઈની પણ પ્રતિક્રિયા લઈશું નહીં, તેને બતાવીશું નહીં તો? વિષવમનની રંગોળી થતી બચી જાય! સમાજમાં એકતા, અખંડિતતા અને સંવાદિતાનું વાતાવરણ આગળ વધે.
કોઈ પણ અઘરું કામ હોય તો તેના માટે પહેલાં નેતાએ, પ્રમુખે, અગ્રણીએ આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. તો જ તે સાચો નેતા કહેવાય. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. અત્યારે તો નેતાઓ સલાહો આપવામાં શૂરા છે. બીજાને ગેસની સબસીડી છોડવાની સલાહો આપે છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓ - પ્રધાનો, કાર્યકરો જ સબસીડી છોડતા નથી. કોઈ પણ કામનો જો પોતાનાથી પ્રારંભ કરે, અઘરા કામની પોતે જવાબદારી લે તો સમાજ તેને અપનાવી લેશે. શિવજીએ આ મોટી વાત સમજાવી છે. જે સમાજના વિવિધ ક્ષેત્ર- ચાહે તે રાજકારણ હોય, ઉદ્યોગ હોય, ફિલ્મ હોય કે રમતજગત-તેના અગ્રણીઓ જેવા જીવનનો દાખલો બેસાડે છે તેનું ઘણા અંશે અનુસરણ થતું હોય છે. ગાંધીજીના વખતમાં કેમ બધા સમાજ માટે કાર્ય કરવા તત્પર બનતા હતા? કેમ સારી સારી નોકરી છોડીને સમાજસેવામાં લાગી પડતા હતા? કારણ કે ગાંધીજી પોતે પણ એવું જીવન જીવતા હતા જે નમૂનારૂપ હતું.
આપણે ત્યાં અધ્યાત્મદર્શનમાં કોઈ પણ ક્રિયા કે રૂપના અધ્યાત્મિક અર્થો કાઢીને તેને સમજાવાય છે. આ પ્રમાણે, રોકસ્ટાર’ શિવજીનું જે રૂપ છે તેમાં વિવિધ બાજુઓના અધ્યાત્મમાં સુંદર અર્થો કઢાયા છે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વે તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે.
તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. સ્વામી વિવેકાનંદ- નરેન્દ્ર જ્યારે નાનપણમાં ખૂબ જ ચંચળ અને નટખટ હતા. તોફાન ખૂબ જ કરતા હતા. તેથી તેમની માતા તેમના માથા પર શિવ શિવ’ બોલી જળ રેડતા હતા. પરિણામે નરેન્દ્ર શાંત થઈ જતા. શિવજીના સ્વરૂપના અધ્યાત્મિક અર્થો વિશે વધુ આવતા અંકે. (ક્રમશ:)
દુનિયાને જોવા ત્રીજી આંખ વાપરવી!
શંભુના સ્વરૂપના આધ્યાત્મિક અર્થની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે.
એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કામસર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે.
આવો જ એક બીજો કિસ્સો છે. અમેરિકામાં એક સ્ત્રી એરપોર્ટ પર ફ્લાઇટની પ્રતીક્ષામાં બેઠી હતી. તે પોતાની થેલીમાંથી ચિપ્સ ખાતી હતી. તેણે જોયું કે તેની બાજુમાં બેઠેલો પુરુષ પણ તેની થેલીમાંથી ચિપ્સ ખાતો હતો. તેને આ ગમ્યું નહીં. (એરપોર્ટ પર આવું થાય. બસ, રેલવેમાં સામેથી સામેવાળા કે બાજુવાળા પ્રવાસીને નાસ્તો-જમવાનું પૂછે-આપે. ઘણી વાર તો વાત એટલી આગળ વધી જાય કે પોતપોતાના દીકરા-દીકરીના વિવાહનું પણ નક્કી કરી નાખે!) પણ આ સ્ત્રી કોઈ બખેડો કરવા માગતી નહોતી. એટલે કંઈ બોલી નહીં. છેવટે છેલ્લો એક ટુકડો વધ્યો. પેલા પુરુષે તે લીધો અને તેનો અડધો ટુકડો આ સ્ત્રીને આપ્યો. સ્ત્રી મનમાં ને મનમાં સમસમી ગઈ. તેની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. આથી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. પ્લેનમાં તે તેની બેગ ઉપર સામાન રાખવાની જગ્યાએ મૂકવા ગઈ અને જોયું તો તેની બેગના બહારના ખાનામાં તેની ચિપ્સની થેલી એમ ને એમ પડીકાબંધ હતી! એનો અર્થ એ કે ઉલટાનું તે પુરુષની થેલીની ચિપ્સ ખાઈ રહી હતી!
આપણે ટ્રેનમાં, બસમાં જતા હોઈએ છીએ ત્યારે બારીમાંથી બહાર જોઈએ તો લાગે કે ટ્રેન સ્થિર છે અને સામેથી બધું આવી રહ્યું છે. ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ તે બધાં એક-એક સ્થિર ચિત્ર જ છે, પરંતુ આવાં સંખ્યાબંધ સ્થિરચિત્રો ઝડપથી આંખ આગળથી પસાર થાય છે એટલે આપણને હાલતાચાલતા લાગે છે. આપણે નાનપણમાં એક રમત જરૂર રમ્યા હોઈશું. નોટબુકના પાનાના જમણા ખૂણે માણસના એક સરખાં ચિત્ર દોરવાનાં. તેમાં એક ચિત્રમાં માણસનો એક પગ અને એક હાથ
આગળ હોય તો બીજા ચિત્રમાં બીજો પગ અને હાથ આગળ હોય. પછી એ ખૂણેથી પાનું ઝડપથી ફેરવો તો એવું લાગે જાણે એ માણસ ચાલે છે!
અત્યારે કેટલાંક અખબારોમાં, ટીવીમાં, સોશિયલ મીડિયા પર ઘણું બધું એવું ફરે છે જે આપણને દૃષ્ટિથી ભ્રમિત કરી નાખે. એક જ સમાચારને તમે અલગ-અલગ ટીવી ચેનલ પર જુઓ તો અલગ રીતે બતાવાય છે. અખબારોમાં પણ આવું થાય છે. સોશિયલ મીડિયા પર તો ઘણું બધું એવું ફરે છે કે તેને સીધું સાચું માનવું મુશ્કેલ હોય છે. પરંતુ ફોટોશોપની કમાલ કે કોઈ ઘટનાઓને જોડીને એવા સંદેશાઓ બનાવાય કે તરત જ કેટલાક લોકો સાચું માની લે.
આથી જ તો અખબારો માટે શબ્દ આવ્યો- બિટવીન ધ લાઇન્સ’. કોઈ પણ ઘટનાની પાછળ શું છે તે વાંચવું. તે સમજવું. કોઈ કંઈ બોલે તો પણ સમજવું પડે કે તે શું કામ બોલ્યો કે બોલી?
આપણે થિયેટરોમાં કે ટીવીના પડદે કોઈ અભિનેતા કે અભિનેત્રીને જોઈને તેના રૂપથી મોહિત થઈ જઈએ, પરંતુ તેનો મેકઅપ વગર અસલી ચહેરો જોઈએ તો ખબર પડે કે અરર! આ તો ભૂંડાભૂખ છે. દેખાડીને છેતરવાની કળા આજકાલ માર્કેટિંગના નામે ઓળખાય છે. ટીવી પર વિજ્ઞાપનોમાં એટલું સુંદર રીતે દર્શાવે કે ભલભલા પોતાના ખિસ્સાં ખંખેરવા તૈયાર થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે.
આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યત: પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે.
ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.
વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી.
બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા.
આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે.
આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે.
શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે. (ક્રમશ:)
શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?
શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?
આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું.
વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે.
શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે.
માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્પ દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે.
સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશ: વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય.
ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે.
બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુ:ખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.
આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય.
અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?!
શિવજી-સાંઈબાબાએ ભસ્મ અથવા ઉદીનું મહત્ત્વ બતાવ્યું!
શિવજીના ભૌતિક રૂપના આધ્યાત્મિક અર્થ અને વૈજ્ઞાનિક અર્થને સમજવામાં આજે આપણે તેઓ વિભૂતિ અથવા ભસ્મ લગાડતા હતા તેની વાત કરીશું. આ વિભૂતિ અથવા ભસ્મ છે શું? યજ્ઞ કરો ત્યારે તેમાં સમિધ (યજ્ઞમાં વપરાતા લાકડાં), ઘી તેમજ અન્ય દ્રવ્યો બળે છે. તે પૂરો થાય પછી તેમાં જે બચે તેને ભસ્મ કહે છે. શંકર ભગવાન સ્મશાનમાં મૃતદેહને બાળવાથી જે ભસ્મ સર્જાય તેને શરીર પર લગાડતા હતા.
ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં પ્રાત: ચારથી છની વચ્ચે ભસ્મ આરતી થાય છે. તેમાં કહે છે કે સ્મશાનમાંથી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી અને તે પણ તાજી ચિતાની. અને આ ભસ્મ આરતી દુનિયાભરમાં આવેલા શિવનાં કોઈ મંદિરમાં નહીં પણ મહાકાલેશ્ર્વરમાં જ થાય છે. અગાઉથી મંદિરના પ્રશાસનને આવેદનપત્ર (અરજી) આપીને અનુમતિપત્ર મેળવવો પડે છે. તેમાં સાધારણ (કેઝ્યુઅલ) વસ્ત્રો પહેરીને જવાની અનુમતિ નથી. પુરુષોએ રેશ્મી ધોતી અને મહિલાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. મુખ્ય આરતીમાં માત્ર પુરુષો જ જઈ શકે છે. સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. અહીં જે શિવલિંગ અને આસપાસ જે શ્રૃંગાર થાય છે તે પણ અદ્ભુત હોય છે. આરતીમાં જાવ ત્યારે તે એકદમ સામેથી જોવા મળે તેવી જગ્યાએ બેઠક લઈ લેવી. આ આરતીના સાક્ષી બનવાનો અનુભવ જીવનમાં એક વાર લેવા જેવો છે. રૂંવાડા ઊભા થઈ જાય તેવો દિવ્ય અનુભવ છે. જેઓ વારંવાર લઈ શકે તે તો ખરેખર ધન્ય જ છે.
શિવજીને સંહારના દેવ મનાયા છે તો સાથે તેઓ મૃત્યુના મુખમાંથી પાછા પણ વાળી શકે છે. શિવજીના પુત્ર કાર્તિકેયે કાલ પર મહાકાલના વિજયની એક કથા કહી હતી. તે મુજબ, એક રાજા નામે શ્ર્વેતકેતુ હતો. તે સદાચારી, સત્યવાદી અને ધર્મના માર્ગ પર ચાલનારો, શૂરવીર અને પ્રજાપાલક હતો. તે મોટો શિવભક્ત પણ હતો. ભોલાનાથની કૃપાથી તેના રાજ્યમાં દરિદ્રતા, દુ:ખ, મહામારી નહોતા. દરેક ક્ષણે ધર્મ અને પ્રજાપાલનમાં ધ્યાન આપી તેણે જીવન વ્યતિત કર્યું. વૃદ્ધાવસ્થા આવી. તેનો જીવનકાળ સમાપ્ત થઈ ગયો હતો. ચિત્રગુપ્તે ધર્મરાજને કહ્યું હતું કે રાજા શ્ર્વેતકેતુનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે યમરાજાએ દૂતોને આજ્ઞા આપી કે જાવ, રાજા શ્ર્વેતકેતુના પ્રાણ હરી લાવો.
યમદૂતો રાજા શ્વેતકેતુ પાસે આવ્યા ત્યારે તે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત હતો. દૂતો બહાર ઊભા હતા. શ્ર્વેતકેતુ તો ભારે ધ્યાનમાં મગ્ન. ઘણો સમય નીકળી ગયો. ન શ્ર્વેતકેતુ હલ્યો ન યમદૂતો. છેવટે યમદૂતો ખાલી હાથે યમરાજ આગળ પાછા ફર્યા. આથી હવે યમરાજાએ પોતે જ આ કામ કરવાનું નક્કી કર્યું. હાથમાં લીધો કાળદંડ અને ઉપડ્યા શ્ર્વેતકેતુ પાસે. જોયું તો એ જ સ્થિતિ. શ્ર્વેતકેતુ શિવજીની ઉપાસનામાં લીન. આથી હવે કાળને સૂચના મળી. કાળ હાજર થયો. તેણે કહ્યું: ધર્મરાજ. આ બહુ જ અશોભનીય છે કે તમે તેના પ્રાણ લઈ શકતા નથી. ધર્મરાજે કહ્યું: તે અનન્ય શિવભક્ત છે. શિવપૂજામાં તલ્લીન છે. અમે તેનું ઉલ્લંઘન ન કરી શકીએ. ત્રિશૂલધારી ભગવાન શિવના ભયથી અમે અહીં મૂર્તિની જેમ ઊભા છીએ. આ જોઈને કાળને ચડ્યો ક્રોધ. કાઢી તલવાર અને કાળ મંદિરમાં ઘૂસ્યો. તેણે જોયું કે શ્ર્વેતકેતુ ભગવાન શંકરનું ધ્યાન કરી રહ્યો છે તેમ છતાં તે તલવાર સાથે તેનો વધ કરવા આગળ વધ્યો. જેવી તેણે તલવાર ઉગામી કે શિવજીએ શિવલિંગમાંથી ત્રીજું નેત્ર ખોલીને કાળ તરફ જોયું. કાળને ચિત્કાર કરવાનો સમય પણ ન મળ્યો. તે શ્ર્વેતકેતુ સામે જ બળીને ભસ્મ થઈ ગયો.
જ્યારે શ્ર્વેતકેતુનું ધ્યાન તૂટ્યું ત્યારે તેણે ભગવાન શિવને પ્રણામ કરી પૂછ્યું કે આ કોણ છે? શિવજીએ વાત કહી. શ્ર્વેતકેતુએ પૂછ્યું: પણ કાળ તો તમારું જ રૂપ છે. તમારી આજ્ઞાથી જ તે બધાં કાર્ય કરે છે. તેને જીવિત કરી દ્યો. ભગવાન શિવે કાળને જીવિત કર્યો. કાળે પોતાના દૂતોને કહ્યું: જે લોકો સાચી શિવની આરાધનામાં મસ્ત રહે છે, માથા પર જટા અને ગળામાં રૂદ્રાક્ષ પહેરે છે, વિભૂતિનું ત્રિપુંડ લલાટમાં કરે છે અને ઓમ નમ: શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને ક્યારેય મારી નગરીમાં ન લાવવા. શિવના ભક્તો શિવની કૃપાથી કાળને પણ જીતી લે છે. કદાચ એ સંદેશો દેવા જ મહાકાળમાં તાજી ચિતાની ભસ્મ આરતી કરવામાં આવે છે.
કેટલાક ગાયના છાણાં પર ઘી રેડી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી તેમાંથી જે ભસ્મ બનાવે છે તે લગાડે છે. સામાન્ય ભાષામાં રાખ પણ કહે છે.
આજના જમાનામાં જ્યારે ઔષધીય વિજ્ઞાન આટલું આગળ વધી ગયું હોય ત્યારે પ્રશ્ર્ન થાય કે વિભૂતિ, ભસ્મ કે ઉદીથી રોગ મટે ખરા? હિન્દીમાં જેને કહે છે કે ‘ભસ્મ રમાના’ તેમ શરીર પર ભસ્મ શા માટે લગાડવી જોઈએ? બ્રાહ્મણો માટે ત્રિકાળ સંધ્યામાં પણ ભસ્મ લગાડવાનું મહત્ત્વ છે.
સંસ્કૃત ભસ્મનો શાબ્દિક અર્થ છે- ભ એટલે ભર્ત્સનમ. એટલે કે નાશ થવો. સ્મ એટલે સ્મરણમ એટલે સ્મરણ રહેવું. ભસ્મ લગાડવાનો આધ્યાત્મિક અર્થ છે કે આ શરીર નશ્ર્વર છે. તે મૃત્યુ પછી ભસ્મ અથવા રાખ થઈ જવાનું છે તે સતત યાદ રાખવું. ભસ્મ લગાડવાથી આ અનુભૂતિ હરેક પળે થવી જોઈએ. આના કારણે આસક્તિ, મોહ, માયા અને લાલચ આ બધા ષડરિપુઓને દૂર કરવાના છે. જેવી રીતે યજ્ઞમાં આહુતિ આપીને ભસ્મ બને છે તેમ માનવે પોતાની બિનજરૂરી ઈચ્છાઓ-ખોટી આકાંક્ષાઓ, અહંકાર દોષ અને અજ્ઞાનની આહુતિ આપવાની છે. ભસ્મ દ્વારા આપણે આપણી ખોટી ઓળખને બાળવાની છે. આ જન્મમાં આપણે છગન, મગન, રમા કે કોકિલા હોઈએ પણ આવતા જન્મમાં શું થવાના છીએ તે ક્યાં ખબર છે? આવતા જન્મમાં માનવ અવતાર મળશે જ એ પણ ક્યાં નક્કી છે? આપણી અસલી ઓળખ તો આત્મા થકી છે. જેમ રોજ આપણે જુદાં-જુદાં કપડાં પહેરીએ તો આપણી ઓળખ એ કપડાં થકી નથી થતી પણ આપણી ઓળખ એ જ રહે છે. તેમ શરીર રૂપી કપડાંથી આપણી ઓળખ નથી, આત્મા થકી છે.
સામાન્ય રીતે ભસ્મને કપાળ પર લગાડાય છે. એક ઉક્તિ છે- લલાટ શૂન્યમ સ્મશાન તુલ્યમ. એટલે હિન્દુ ધર્મમાં માત્ર સ્ત્રીએ જ ચાંદલો કરવાનો છે તેવું નથી. પુરુષે પણ તિલક કરવાનું છે. ચાહે ચંદનનું કરો કે ભસ્મનું. ભસ્મને કેટલાક હાથ, છાતી પર, પેટ પર પણ લગાડે છે. શિવજી તો આખા શરીર પર લગાડતા હતા. તેઓ ભસ્મથી કપાળ પર ત્રિપુંડ પણ કરે છે. આ ત્રણ રેખા ત્રણ ગુણ-સત, રજ અને તમના પ્રતીક મનાય છે. સંન્યાસીઓમાં કપાળે ભસ્મ લગાડવાના નિયમ હોય છે. જિજ્ઞાસુ સંન્યાસી માત્ર એક જ રેખા કરે છે તેનો અર્થ એ છે કે તે તમો ગુણને પાર જવા માગે છે. કર્મ સંન્યાસી બે રેખા કરે છે જે બતાવે છે કે તે રજો અને તમો ગુણને પાર જવા માગે છે. પૂર્ણ સંન્યાસી ત્રણ રેખા કરે છે. અર્થાત તે ત્રણેય ગુણને પાર જવા માગે છે. એક અર્થમાં ગુણાતીત.
ભસ્મનું આધુનિક વિજ્ઞાન પણ મહત્ત્વ દર્શાવે છે. પશ્ર્ચિમમાં ટાઢ બહુ પડે એટલે તેઓ ફાયર પ્લેસ રાખે, જ્યાં આગ જલતી હોય અને ગરમી મળ્યા રાખે. વિજ્ઞાનીઓ કહે છે કે આ આગની ભસ્મ એટલે કે લાકડાં બળવાથી જે ભસ્મ બને છે તેમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે. ખેતીમાં કે બગીચામાં તે જીવજંતુઓને આવતા પણ રોકે છે. જો જમીન એસિડિક હોય તો છોડને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટેશિયમ મળતા નથી. લાકડાની ભસ્મ એસિડિક જમીનને તટસ્થ કરે છે. લાકડાની રાખમાં પોટેશિયમ ભરપૂર હોય છે, તેમ અમેરિકાના જાણીતા સમાચારપત્ર ‘વોશિંગ્ટન પોસ્ટ’નું કહેવું છે. તમે જો પશુપક્ષી પાળતા હો તો તેઓ ચોખ્ખા થવા માટીમાં નહાતા હોય છે. તેનાથી તેમના શરીરમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. તેમને આ લાકડાની ભસ્મથી સ્નાન કરાવવું અતિ ઉત્તમ છે.
એમ કહેવાય છે કે ભસ્મ લગાડવાથી તે શરીર પરનાં રોમછિદ્રોને બંધ કરી દે છે. પરિણામે ગરમી કે ઠંડી લાગતી નથી. શિવજી કે સંન્યાસીઓ મોટા ભાગે ખુલ્લા ડીલે હોય છે. તેઓ આ કારણે પણ ભસ્મ લગાડતા હશે કે ઉનાળા કે શિયાળામાં ગરમી-ઠંડીથી બચી શકાય. આ ભસ્મ કીટાણુઓ(વાઇરસ)થી પણ બચાવે છે. મચ્છર-માંકડ વગેરેથી પણ રક્ષા કરે છે. (ભસ્મનું બીજું નામ રક્ષા-રાખ પણ છે.) (ક્રમશ:)
પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા.
સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો - તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત!
જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. આ બહુ મોટી વાત છે. અત્યારે નાની નાની વાતમાં ઘરમાં પણ ક્લેશ થતા હોય છે. નાની નાની વાતમાં માઠું લાગી જાય છે. અને ત્યારે બોલવામાં આપણે ધ્યાન નથી રાખતા હોતા. મોઢામાંથી એવી વાણી નીકળી જાય છે જે ક્લેશને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે. તેને સામાન્ય ભાષામાં ઝેર ઓક્યું કહે છે. રાસાયણિક કે ખાદ્ય પદાર્થોમાંથી ઉત્પન્ન થતું ઝેર કરતાંય આ ઝેર વધુ ખતરનાક હોય છે. રાસાયણિક ઝેર તો શારીરિક રીતે માંદા પાડે છે જ્યારે શાબ્દિક ઝેર માનસિક રીતે બીમાર પાડે છે. જે સાંભળે છે તેને પણ માનસિક રીતે અસર થાય છે અને જે બોલે છે તેના મનને પણ આ બોલી લેવાથી શાંતિ મળતી નથી. તેને પણ પછીથી પસ્તાવો થાય છે કે આવું હું ક્યાં બોલ્યો અથવા બોલી?
અને રાજકારણ, ફિલ્મ, ક્રિકેટ, સાહિત્ય આ ક્ષેત્રે પણ વિષવમનની પ્રવૃત્તિ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભરપૂર ચાલી છે. અને તેને કેટલાંક માધ્યમો દ્વારા ભરપૂર પ્રસિદ્ધિ પણ મળે છે. કોઈએ માનો કે ઊલટી કરી હોય અને તે ઘરની લાદી (ટાઇલ્સ) પર પડી હોય તો તમે શું કરો? તેને તરત સાફ કરી નાખશો કે તેને ફેલાવીને આખા ઘરમાં રંગોળી કરશો? સ્વાભાવિક જ સાફ કરી નાખશો, પરંતુ કેટલાંક માધ્યમો, ખાસ કરીને સનસનાટીજીવી (સનસનાટી પર જીવતી) ચેનલો પર આવા વિષવમનને બતાવીને સનસનાટી પેદા કરાય છે. ઓવૈસી કંઈ બેફામ બોલે એટલે તેને આખો દિવસ ચલાવાય. અને સામે પક્ષે સાક્ષી મહારાજની પણ પ્રતિક્રિયા લઈ લેવાય. સાક્ષી મહારાજ પણ સામે આવી જ જલદ પ્રતિક્રિયા આપે. તેના પર વળી કૉંગ્રેસ-જનતા દળ (યુ) વગેરેના સાંસદો બોલે. આમ ચાલતું જ રહે. શું ઓવૈસી સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? શું સાક્ષી મહારાજ સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે - ના. જો આ ૨૪ કલાક ચાલતી સનસનાટીજીવી ચેનલો નક્કી કરે કે આવાં નિવેદનોને માત્ર ૨૦ સેક્ધડમાં ફટાફટ અપાતા ૧૦૦ સમાચારમાં જ સ્થાન આપી દઈશું તો? અને બીજું કે આવાં નિવેદનો પર કોઈની પણ પ્રતિક્રિયા લઈશું નહીં, તેને બતાવીશું નહીં તો? વિષવમનની રંગોળી થતી બચી જાય! સમાજમાં એકતા, અખંડિતતા અને સંવાદિતાનું વાતાવરણ આગળ વધે.
કોઈ પણ અઘરું કામ હોય તો તેના માટે પહેલાં નેતાએ, પ્રમુખે, અગ્રણીએ આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. તો જ તે સાચો નેતા કહેવાય. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. અત્યારે તો નેતાઓ સલાહો આપવામાં શૂરા છે. બીજાને ગેસની સબસીડી છોડવાની સલાહો આપે છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓ - પ્રધાનો, કાર્યકરો જ સબસીડી છોડતા નથી. કોઈ પણ કામનો જો પોતાનાથી પ્રારંભ કરે, અઘરા કામની પોતે જવાબદારી લે તો સમાજ તેને અપનાવી લેશે. શિવજીએ આ મોટી વાત સમજાવી છે. જે સમાજના વિવિધ ક્ષેત્ર- ચાહે તે રાજકારણ હોય, ઉદ્યોગ હોય, ફિલ્મ હોય કે રમતજગત-તેના અગ્રણીઓ જેવા જીવનનો દાખલો બેસાડે છે તેનું ઘણા અંશે અનુસરણ થતું હોય છે. ગાંધીજીના વખતમાં કેમ બધા સમાજ માટે કાર્ય કરવા તત્પર બનતા હતા? કેમ સારી સારી નોકરી છોડીને સમાજસેવામાં લાગી પડતા હતા? કારણ કે ગાંધીજી પોતે પણ એવું જીવન જીવતા હતા જે નમૂનારૂપ હતું.
આપણે ત્યાં અધ્યાત્મદર્શનમાં કોઈ પણ ક્રિયા કે રૂપના અધ્યાત્મિક અર્થો કાઢીને તેને સમજાવાય છે. આ પ્રમાણે, રોકસ્ટાર’ શિવજીનું જે રૂપ છે તેમાં વિવિધ બાજુઓના અધ્યાત્મમાં સુંદર અર્થો કઢાયા છે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વે તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે.
તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. સ્વામી વિવેકાનંદ- નરેન્દ્ર જ્યારે નાનપણમાં ખૂબ જ ચંચળ અને નટખટ હતા. તોફાન ખૂબ જ કરતા હતા. તેથી તેમની માતા તેમના માથા પર શિવ શિવ’ બોલી જળ રેડતા હતા. પરિણામે નરેન્દ્ર શાંત થઈ જતા. શિવજીના સ્વરૂપના અધ્યાત્મિક અર્થો વિશે વધુ આવતા અંકે. (ક્રમશ:)
દુનિયાને જોવા ત્રીજી આંખ વાપરવી!
શંભુના સ્વરૂપના આધ્યાત્મિક અર્થની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે.
એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કામસર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે.
આવો જ એક બીજો કિસ્સો છે. અમેરિકામાં એક સ્ત્રી એરપોર્ટ પર ફ્લાઇટની પ્રતીક્ષામાં બેઠી હતી. તે પોતાની થેલીમાંથી ચિપ્સ ખાતી હતી. તેણે જોયું કે તેની બાજુમાં બેઠેલો પુરુષ પણ તેની થેલીમાંથી ચિપ્સ ખાતો હતો. તેને આ ગમ્યું નહીં. (એરપોર્ટ પર આવું થાય. બસ, રેલવેમાં સામેથી સામેવાળા કે બાજુવાળા પ્રવાસીને નાસ્તો-જમવાનું પૂછે-આપે. ઘણી વાર તો વાત એટલી આગળ વધી જાય કે પોતપોતાના દીકરા-દીકરીના વિવાહનું પણ નક્કી કરી નાખે!) પણ આ સ્ત્રી કોઈ બખેડો કરવા માગતી નહોતી. એટલે કંઈ બોલી નહીં. છેવટે છેલ્લો એક ટુકડો વધ્યો. પેલા પુરુષે તે લીધો અને તેનો અડધો ટુકડો આ સ્ત્રીને આપ્યો. સ્ત્રી મનમાં ને મનમાં સમસમી ગઈ. તેની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. આથી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. પ્લેનમાં તે તેની બેગ ઉપર સામાન રાખવાની જગ્યાએ મૂકવા ગઈ અને જોયું તો તેની બેગના બહારના ખાનામાં તેની ચિપ્સની થેલી એમ ને એમ પડીકાબંધ હતી! એનો અર્થ એ કે ઉલટાનું તે પુરુષની થેલીની ચિપ્સ ખાઈ રહી હતી!
આપણે ટ્રેનમાં, બસમાં જતા હોઈએ છીએ ત્યારે બારીમાંથી બહાર જોઈએ તો લાગે કે ટ્રેન સ્થિર છે અને સામેથી બધું આવી રહ્યું છે. ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ તે બધાં એક-એક સ્થિર ચિત્ર જ છે, પરંતુ આવાં સંખ્યાબંધ સ્થિરચિત્રો ઝડપથી આંખ આગળથી પસાર થાય છે એટલે આપણને હાલતાચાલતા લાગે છે. આપણે નાનપણમાં એક રમત જરૂર રમ્યા હોઈશું. નોટબુકના પાનાના જમણા ખૂણે માણસના એક સરખાં ચિત્ર દોરવાનાં. તેમાં એક ચિત્રમાં માણસનો એક પગ અને એક હાથ
આગળ હોય તો બીજા ચિત્રમાં બીજો પગ અને હાથ આગળ હોય. પછી એ ખૂણેથી પાનું ઝડપથી ફેરવો તો એવું લાગે જાણે એ માણસ ચાલે છે!
અત્યારે કેટલાંક અખબારોમાં, ટીવીમાં, સોશિયલ મીડિયા પર ઘણું બધું એવું ફરે છે જે આપણને દૃષ્ટિથી ભ્રમિત કરી નાખે. એક જ સમાચારને તમે અલગ-અલગ ટીવી ચેનલ પર જુઓ તો અલગ રીતે બતાવાય છે. અખબારોમાં પણ આવું થાય છે. સોશિયલ મીડિયા પર તો ઘણું બધું એવું ફરે છે કે તેને સીધું સાચું માનવું મુશ્કેલ હોય છે. પરંતુ ફોટોશોપની કમાલ કે કોઈ ઘટનાઓને જોડીને એવા સંદેશાઓ બનાવાય કે તરત જ કેટલાક લોકો સાચું માની લે.
આથી જ તો અખબારો માટે શબ્દ આવ્યો- બિટવીન ધ લાઇન્સ’. કોઈ પણ ઘટનાની પાછળ શું છે તે વાંચવું. તે સમજવું. કોઈ કંઈ બોલે તો પણ સમજવું પડે કે તે શું કામ બોલ્યો કે બોલી?
આપણે થિયેટરોમાં કે ટીવીના પડદે કોઈ અભિનેતા કે અભિનેત્રીને જોઈને તેના રૂપથી મોહિત થઈ જઈએ, પરંતુ તેનો મેકઅપ વગર અસલી ચહેરો જોઈએ તો ખબર પડે કે અરર! આ તો ભૂંડાભૂખ છે. દેખાડીને છેતરવાની કળા આજકાલ માર્કેટિંગના નામે ઓળખાય છે. ટીવી પર વિજ્ઞાપનોમાં એટલું સુંદર રીતે દર્શાવે કે ભલભલા પોતાના ખિસ્સાં ખંખેરવા તૈયાર થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે.
આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યત: પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે.
ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.
વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી.
બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા.
આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે.
આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે.
શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે. (ક્રમશ:)
શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?
શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?
આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું.
વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે.
શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે.
માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્પ દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે.
સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશ: વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય.
ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે.
બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુ:ખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.
આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય.
અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?!
શિવજી-સાંઈબાબાએ ભસ્મ અથવા ઉદીનું મહત્ત્વ બતાવ્યું!
શિવજીના ભૌતિક રૂપના આધ્યાત્મિક અર્થ અને વૈજ્ઞાનિક અર્થને સમજવામાં આજે આપણે તેઓ વિભૂતિ અથવા ભસ્મ લગાડતા હતા તેની વાત કરીશું. આ વિભૂતિ અથવા ભસ્મ છે શું? યજ્ઞ કરો ત્યારે તેમાં સમિધ (યજ્ઞમાં વપરાતા લાકડાં), ઘી તેમજ અન્ય દ્રવ્યો બળે છે. તે પૂરો થાય પછી તેમાં જે બચે તેને ભસ્મ કહે છે. શંકર ભગવાન સ્મશાનમાં મૃતદેહને બાળવાથી જે ભસ્મ સર્જાય તેને શરીર પર લગાડતા હતા.
ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં પ્રાત: ચારથી છની વચ્ચે ભસ્મ આરતી થાય છે. તેમાં કહે છે કે સ્મશાનમાંથી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી અને તે પણ તાજી ચિતાની. અને આ ભસ્મ આરતી દુનિયાભરમાં આવેલા શિવનાં કોઈ મંદિરમાં નહીં પણ મહાકાલેશ્ર્વરમાં જ થાય છે. અગાઉથી મંદિરના પ્રશાસનને આવેદનપત્ર (અરજી) આપીને અનુમતિપત્ર મેળવવો પડે છે. તેમાં સાધારણ (કેઝ્યુઅલ) વસ્ત્રો પહેરીને જવાની અનુમતિ નથી. પુરુષોએ રેશ્મી ધોતી અને મહિલાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. મુખ્ય આરતીમાં માત્ર પુરુષો જ જઈ શકે છે. સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. અહીં જે શિવલિંગ અને આસપાસ જે શ્રૃંગાર થાય છે તે પણ અદ્ભુત હોય છે. આરતીમાં જાવ ત્યારે તે એકદમ સામેથી જોવા મળે તેવી જગ્યાએ બેઠક લઈ લેવી. આ આરતીના સાક્ષી બનવાનો અનુભવ જીવનમાં એક વાર લેવા જેવો છે. રૂંવાડા ઊભા થઈ જાય તેવો દિવ્ય અનુભવ છે. જેઓ વારંવાર લઈ શકે તે તો ખરેખર ધન્ય જ છે.
શિવજીને સંહારના દેવ મનાયા છે તો સાથે તેઓ મૃત્યુના મુખમાંથી પાછા પણ વાળી શકે છે. શિવજીના પુત્ર કાર્તિકેયે કાલ પર મહાકાલના વિજયની એક કથા કહી હતી. તે મુજબ, એક રાજા નામે શ્ર્વેતકેતુ હતો. તે સદાચારી, સત્યવાદી અને ધર્મના માર્ગ પર ચાલનારો, શૂરવીર અને પ્રજાપાલક હતો. તે મોટો શિવભક્ત પણ હતો. ભોલાનાથની કૃપાથી તેના રાજ્યમાં દરિદ્રતા, દુ:ખ, મહામારી નહોતા. દરેક ક્ષણે ધર્મ અને પ્રજાપાલનમાં ધ્યાન આપી તેણે જીવન વ્યતિત કર્યું. વૃદ્ધાવસ્થા આવી. તેનો જીવનકાળ સમાપ્ત થઈ ગયો હતો. ચિત્રગુપ્તે ધર્મરાજને કહ્યું હતું કે રાજા શ્ર્વેતકેતુનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે યમરાજાએ દૂતોને આજ્ઞા આપી કે જાવ, રાજા શ્ર્વેતકેતુના પ્રાણ હરી લાવો.
યમદૂતો રાજા શ્વેતકેતુ પાસે આવ્યા ત્યારે તે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત હતો. દૂતો બહાર ઊભા હતા. શ્ર્વેતકેતુ તો ભારે ધ્યાનમાં મગ્ન. ઘણો સમય નીકળી ગયો. ન શ્ર્વેતકેતુ હલ્યો ન યમદૂતો. છેવટે યમદૂતો ખાલી હાથે યમરાજ આગળ પાછા ફર્યા. આથી હવે યમરાજાએ પોતે જ આ કામ કરવાનું નક્કી કર્યું. હાથમાં લીધો કાળદંડ અને ઉપડ્યા શ્ર્વેતકેતુ પાસે. જોયું તો એ જ સ્થિતિ. શ્ર્વેતકેતુ શિવજીની ઉપાસનામાં લીન. આથી હવે કાળને સૂચના મળી. કાળ હાજર થયો. તેણે કહ્યું: ધર્મરાજ. આ બહુ જ અશોભનીય છે કે તમે તેના પ્રાણ લઈ શકતા નથી. ધર્મરાજે કહ્યું: તે અનન્ય શિવભક્ત છે. શિવપૂજામાં તલ્લીન છે. અમે તેનું ઉલ્લંઘન ન કરી શકીએ. ત્રિશૂલધારી ભગવાન શિવના ભયથી અમે અહીં મૂર્તિની જેમ ઊભા છીએ. આ જોઈને કાળને ચડ્યો ક્રોધ. કાઢી તલવાર અને કાળ મંદિરમાં ઘૂસ્યો. તેણે જોયું કે શ્ર્વેતકેતુ ભગવાન શંકરનું ધ્યાન કરી રહ્યો છે તેમ છતાં તે તલવાર સાથે તેનો વધ કરવા આગળ વધ્યો. જેવી તેણે તલવાર ઉગામી કે શિવજીએ શિવલિંગમાંથી ત્રીજું નેત્ર ખોલીને કાળ તરફ જોયું. કાળને ચિત્કાર કરવાનો સમય પણ ન મળ્યો. તે શ્ર્વેતકેતુ સામે જ બળીને ભસ્મ થઈ ગયો.
જ્યારે શ્ર્વેતકેતુનું ધ્યાન તૂટ્યું ત્યારે તેણે ભગવાન શિવને પ્રણામ કરી પૂછ્યું કે આ કોણ છે? શિવજીએ વાત કહી. શ્ર્વેતકેતુએ પૂછ્યું: પણ કાળ તો તમારું જ રૂપ છે. તમારી આજ્ઞાથી જ તે બધાં કાર્ય કરે છે. તેને જીવિત કરી દ્યો. ભગવાન શિવે કાળને જીવિત કર્યો. કાળે પોતાના દૂતોને કહ્યું: જે લોકો સાચી શિવની આરાધનામાં મસ્ત રહે છે, માથા પર જટા અને ગળામાં રૂદ્રાક્ષ પહેરે છે, વિભૂતિનું ત્રિપુંડ લલાટમાં કરે છે અને ઓમ નમ: શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને ક્યારેય મારી નગરીમાં ન લાવવા. શિવના ભક્તો શિવની કૃપાથી કાળને પણ જીતી લે છે. કદાચ એ સંદેશો દેવા જ મહાકાળમાં તાજી ચિતાની ભસ્મ આરતી કરવામાં આવે છે.
કેટલાક ગાયના છાણાં પર ઘી રેડી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી તેમાંથી જે ભસ્મ બનાવે છે તે લગાડે છે. સામાન્ય ભાષામાં રાખ પણ કહે છે.
આજના જમાનામાં જ્યારે ઔષધીય વિજ્ઞાન આટલું આગળ વધી ગયું હોય ત્યારે પ્રશ્ર્ન થાય કે વિભૂતિ, ભસ્મ કે ઉદીથી રોગ મટે ખરા? હિન્દીમાં જેને કહે છે કે ‘ભસ્મ રમાના’ તેમ શરીર પર ભસ્મ શા માટે લગાડવી જોઈએ? બ્રાહ્મણો માટે ત્રિકાળ સંધ્યામાં પણ ભસ્મ લગાડવાનું મહત્ત્વ છે.
સંસ્કૃત ભસ્મનો શાબ્દિક અર્થ છે- ભ એટલે ભર્ત્સનમ. એટલે કે નાશ થવો. સ્મ એટલે સ્મરણમ એટલે સ્મરણ રહેવું. ભસ્મ લગાડવાનો આધ્યાત્મિક અર્થ છે કે આ શરીર નશ્ર્વર છે. તે મૃત્યુ પછી ભસ્મ અથવા રાખ થઈ જવાનું છે તે સતત યાદ રાખવું. ભસ્મ લગાડવાથી આ અનુભૂતિ હરેક પળે થવી જોઈએ. આના કારણે આસક્તિ, મોહ, માયા અને લાલચ આ બધા ષડરિપુઓને દૂર કરવાના છે. જેવી રીતે યજ્ઞમાં આહુતિ આપીને ભસ્મ બને છે તેમ માનવે પોતાની બિનજરૂરી ઈચ્છાઓ-ખોટી આકાંક્ષાઓ, અહંકાર દોષ અને અજ્ઞાનની આહુતિ આપવાની છે. ભસ્મ દ્વારા આપણે આપણી ખોટી ઓળખને બાળવાની છે. આ જન્મમાં આપણે છગન, મગન, રમા કે કોકિલા હોઈએ પણ આવતા જન્મમાં શું થવાના છીએ તે ક્યાં ખબર છે? આવતા જન્મમાં માનવ અવતાર મળશે જ એ પણ ક્યાં નક્કી છે? આપણી અસલી ઓળખ તો આત્મા થકી છે. જેમ રોજ આપણે જુદાં-જુદાં કપડાં પહેરીએ તો આપણી ઓળખ એ કપડાં થકી નથી થતી પણ આપણી ઓળખ એ જ રહે છે. તેમ શરીર રૂપી કપડાંથી આપણી ઓળખ નથી, આત્મા થકી છે.
સામાન્ય રીતે ભસ્મને કપાળ પર લગાડાય છે. એક ઉક્તિ છે- લલાટ શૂન્યમ સ્મશાન તુલ્યમ. એટલે હિન્દુ ધર્મમાં માત્ર સ્ત્રીએ જ ચાંદલો કરવાનો છે તેવું નથી. પુરુષે પણ તિલક કરવાનું છે. ચાહે ચંદનનું કરો કે ભસ્મનું. ભસ્મને કેટલાક હાથ, છાતી પર, પેટ પર પણ લગાડે છે. શિવજી તો આખા શરીર પર લગાડતા હતા. તેઓ ભસ્મથી કપાળ પર ત્રિપુંડ પણ કરે છે. આ ત્રણ રેખા ત્રણ ગુણ-સત, રજ અને તમના પ્રતીક મનાય છે. સંન્યાસીઓમાં કપાળે ભસ્મ લગાડવાના નિયમ હોય છે. જિજ્ઞાસુ સંન્યાસી માત્ર એક જ રેખા કરે છે તેનો અર્થ એ છે કે તે તમો ગુણને પાર જવા માગે છે. કર્મ સંન્યાસી બે રેખા કરે છે જે બતાવે છે કે તે રજો અને તમો ગુણને પાર જવા માગે છે. પૂર્ણ સંન્યાસી ત્રણ રેખા કરે છે. અર્થાત તે ત્રણેય ગુણને પાર જવા માગે છે. એક અર્થમાં ગુણાતીત.
ભસ્મનું આધુનિક વિજ્ઞાન પણ મહત્ત્વ દર્શાવે છે. પશ્ર્ચિમમાં ટાઢ બહુ પડે એટલે તેઓ ફાયર પ્લેસ રાખે, જ્યાં આગ જલતી હોય અને ગરમી મળ્યા રાખે. વિજ્ઞાનીઓ કહે છે કે આ આગની ભસ્મ એટલે કે લાકડાં બળવાથી જે ભસ્મ બને છે તેમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે. ખેતીમાં કે બગીચામાં તે જીવજંતુઓને આવતા પણ રોકે છે. જો જમીન એસિડિક હોય તો છોડને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટેશિયમ મળતા નથી. લાકડાની ભસ્મ એસિડિક જમીનને તટસ્થ કરે છે. લાકડાની રાખમાં પોટેશિયમ ભરપૂર હોય છે, તેમ અમેરિકાના જાણીતા સમાચારપત્ર ‘વોશિંગ્ટન પોસ્ટ’નું કહેવું છે. તમે જો પશુપક્ષી પાળતા હો તો તેઓ ચોખ્ખા થવા માટીમાં નહાતા હોય છે. તેનાથી તેમના શરીરમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. તેમને આ લાકડાની ભસ્મથી સ્નાન કરાવવું અતિ ઉત્તમ છે.
એમ કહેવાય છે કે ભસ્મ લગાડવાથી તે શરીર પરનાં રોમછિદ્રોને બંધ કરી દે છે. પરિણામે ગરમી કે ઠંડી લાગતી નથી. શિવજી કે સંન્યાસીઓ મોટા ભાગે ખુલ્લા ડીલે હોય છે. તેઓ આ કારણે પણ ભસ્મ લગાડતા હશે કે ઉનાળા કે શિયાળામાં ગરમી-ઠંડીથી બચી શકાય. આ ભસ્મ કીટાણુઓ(વાઇરસ)થી પણ બચાવે છે. મચ્છર-માંકડ વગેરેથી પણ રક્ષા કરે છે. (ભસ્મનું બીજું નામ રક્ષા-રાખ પણ છે.) (ક્રમશ:)
Subscribe to:
Posts (Atom)