Showing posts with label શાહબુદ્દીન રાઠોડ. Show all posts
Showing posts with label શાહબુદ્દીન રાઠોડ. Show all posts

Saturday, June 20, 2015

અનુરાગ ડાળે વળગ્યો --- શાહબુદ્દીન રાઠોડ

અનુરાગે હાથ જોડ્યા અને અમારા પગમાં પડ્યો. સગપણની વાત નીકળતાં ગમે તેવા ઉદ્દંડ યુવાનો પણ કેવા વિનમ્ર બની જાય છે!.
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


પૈસા ખિસ્સામાં ભલે ન હોય છતાં મનમાં ઉમંગ હોય, બાવડાંમાં બળ હોય, હૈયામાં હામ હોય, પગમાં જોર હોય, હૃદયમાં પ્રેમ હોય, મન મોર બનીને થનગનાટ કરતું હોય- આનું નામ યુવાની છે.

જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,

પછાડું ઊડતાં પંખીને એવો હું શિકારી છું;

ખરેખર બાદશાહ બેતાજ છું આખીયે આલમનો,

છતાંયે આપની મીઠી નજર કાજે ભિખારી છું.

મારા મિત્ર મધુકરનો પુત્ર અનુરાગ યુવાન વયે કવિ થઈ ગયો. ‘જેવી પ્રભુની મરજી’ આમ વિચારી પરિવારે આ આઘાત સહન કરી લીધો. આમ તો અનુરાગનો સ્વભાવ રમૂજી. મિત્રોમાં રમૂજી પ્રસંગો કહી સૌને હસાવતો. એમાં પણ યુવતીઓની હાજરી હોય ત્યારે તો એ ઓર ખીલી ઊઠતો. તેના બદલે અનુરાગ ગંભીર થઈ ગયો. મિત્રોએ પૂછ્યું પણ ખરું, ‘અનુરાગ, તું હસતો કેમ નથી?’ અનુરાગે કાવ્યમાં પ્રત્યુત્તર આપ્યો:

દારુણ દુ:ખ ભર્યંુ છે દિલમાં મનમાં છે મુઝારો,

અજબ વ્યથાથી અંતર ભરિયું હવે કેમ હસું હું યારો?

આટલી નાની વયે ક્યાં દારુણ દુ:ખો તેના પર તૂટી પડ્યાં, કઈ વ્યથા એના અંતરને કોરી ખાતી હશે એ કોઈને સમજાણું નહીં.

મેં મિત્રોને કહ્યું, ‘આવું જોડકણાં લખતાં લખતાં અનુરાગ સાચે ને જ કવિ થઈ જાય તો એમાં ખોટું શું છે?’

મારી વાતના સમર્થનમાં મેં એક પ્રસંગ વર્ણવ્યો. એક વર્ગશિક્ષકે તેના વિદ્યાર્થીની ફરિયાદ તેના પિતાને કરતાં કહ્યું, ‘તમારો પુત્ર અભ્યાસમાં ધ્યાન આપતો નથી. નથી લેસન કરતો. ગમે તે પિરિયડમાં બસ કવિતા જ લખ્યા કરે છે. અત્યારથી ધ્યાન નહીં આપો તો કદાચ એ કવિ થઈ જશે.’

પિતા ગુસ્સે થયા, પુત્રને શિક્ષા કરવા સોટી ઉપાડી અને કહ્યું, ‘નિશાળમાં ભણવા જાય છે કે કવિતા લખવા?’ પિતાનું રૌદ્રસ્વરૂપ નિહાળી પુત્ર ભાગ્યો. પિતા સોટી લઈ પાછળ દોડ્યા. ભાગતાં ભાગતાં પિતાને પુત્રે વિનંતી કરી:

ઋફવિંયિ રફવિંયિ ળયભિુ ફિંસય

ટયતિયત ઈં ૂશહહ ક્ષયદયિ ળફસય

‘પિતા દયા કરો... કાવ્યપંક્તિઓ હું કદી નહીં રચું.’ કાવ્ય નહીં રચવાની વિનંતી કાવ્યમાં સાંભળીને સમજદાર પિતાના હાથમાંથી સોટી પડી ગઈ. એ પુત્રને પ્રેમથી ભેટી પડ્યા અને કહ્યું, ‘મારા વહાલા પુત્ર તારે હવે ભણવાની જરૂર નથી. તું કાવ્યો જ લખ્યા કર.’

પિતાનું પ્રેમભર્યંુ પ્રોત્સાહન મળતાં બાળકનું હૈયું નાચી ઊઠ્યું. એ ભણ્યો પણ ખરો, કાવ્યો પણ લખ્યાં અને ઍલેકઝાંડર પોપના નામે પ્રસિદ્ધ કવિ પણ થયો. અંગ્રેજી સાહિત્યમાં જે સ્થાન શેલી, કિટ્સ, બાયરન, રૅનિશન, રૉબર્ટ બ્રાઉનિંગનું છે તેવું જ સ્થાન ઍલેકઝાંડર પોપનું પણ છે.

પરંતુ અહીં અનુરાગની કાવ્યપ્રતિભાને પારખી શકે તેવું મધુકરના પરિવારમાં કોઈ નહોતું. ઊલટાનું મધુકરે તો અમને મિત્રો, સ્નેહીઓ, સ્વજનોને તેને ઘેર બોલાવ્યા અને પરિવાર માથે આવી પડેલી આ આપત્તિમાં સહભાગી થઈ ઉગારી લેવા આજીજી કરી. લાંબી ચર્ચા-વિચારણાને અંતે એવું નક્કી થયું કે વહેલી તકે અનુરાગને પરણાવી દેવો. લાખ દુ:ખો કી એક દવા છે લગ્ન. પત્નીરૂપી સાચું કાવ્ય સામે આવશે એટલે એ બધાં કાવ્યો ભૂલી જશે. આમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.

આવા કામના નવીનકાકા અનુભવી હોવાથી તેમને અનુરાગના સગપણનું કાર્ય સુપરત કરવામાં આવ્યું. મારે તેમને સહાય કરવી એવું નક્કી થયું.

અમે અનુરાગ લગ્ન-અભિયાનની શરૂઆત અનુરાગના મિલનથી કરી. અમે અનુરાગને તેના સગપણ બાબત વાત કરી. અનુરાગે હાથ જોડ્યા અને અમારા પગમાં પડ્યો. સગપણની વાત નીકળતાં ગમે તેવા ઉદ્દંડ યુવાનો પણ કેવા વિનમ્ર બની જાય છે!

મથુરને લઈને તેના માટે ક્ધયા જોવા માટે અમે જ્યારે સતાપર પ્રેમજીને ત્યાં ગયા ત્યારે ત્યાં બગીચામાં રંગબેરંગી પતંગિયાં ઊડતાં હોય એવી ત્રણેક ક્ધયાઓને જોઈને મથુર ભાવવિભોર બની ગયો.

અમારા માટે ઢોલિયો ઢાળવામાં આવ્યા. પ્રથમ નાસ્તાની ડિશો આવી. પછી મંજુ ચા લઈને આવી. પીતાંબર પટેલે સામેથી કહ્યું, ‘કોઈ ગરીબ મુરતિયો મળેને તો મારે મોટી દીકરી મંજુના હાથ પીળા કરી દેવા છે.’ આટલું સાંભળતાં મથુર ઢોલિયા પરથી ઊતરી નીચે કોથળા પર બેસી ગયો. પીતાંબર પ્રેમજીની અનુભવી આંખે આ દૃશ્ય નિહાળ્યું. મથુરના વર્તનમાં આવેલ પરિવર્તનની નોંધ લીધી અને એટલું જ કહ્યું, ‘તાજા ગરીબ સાથે નથી પરણાવવી.’

અનુરાગે સગપણ માટે અમને સહર્ષ સંમતિ આપી અને વિનંતી કરી, ‘આપ પ્રસ્થાન કરો તે પહેલાં મારી પણ થોડી અપેક્ષા જાણી લ્યો. મારા માટે એવું ક્ધયારત્ન શોધી લાવો જેની મોતી જેવી દંતપંક્તિઓ હોય, પરવાળાં જેવા હોઠ હોય, દીપશિખા જેવી નાસિકા હોય, કામદેવના ધનુષ જેવી જેની ભ્રમર હોય, નિર્દોષ હરિણી જેવી જેની આંખો હોય, મેઘ જેવો કેશકલાપ હોય, ચંદ્રમાં જેવું મુખારવિંદ હોય, સહેજ સ્મિત કરતાં જેને ગાલે ખંજન પડતાં હોય... બસ, આવી કોઈ નવયૌવના, કોઈ મુગ્ધા મળે તો જાણ કરજો.’

મેં કહ્યું: ‘તું બોલ્યો એ બધું એક કાગળમાં લખી દે તો સારું, મોઢે અમને યાદ નહીં રહે.’ પણ નવીનકાકાએ કહ્યું: ‘કંઈ જરૂર નથી.’ વળી અનુરાગે શરૂ કર્યંુ, ‘આવી કોઈ મયૂરાક્ષી મળે તો સાત સમુંદરને પાર કોઈ ખળખળ વહેતા ઝરણાને તીરે, કોઈ આમ્રકુંજમાં જ્યાં આમ્રવૃક્ષની ડાળો જળ સાથે ક્રીડા કરતી હોય, જ્યાં કોયલો ટહુકાર કરતી હોય, જ્યાં મત્ત મયૂરો નાચતા હોય, જ્યાં શ્ર્વેત રાજહંસો તરતા હોય...’ મેં કહ્યું, ‘તું ઘરે નહીં હો તો?’ નવીનકાકા કહે, ‘ક્યાંય નથી જાવાનો, તમે શું કામ ચિંતા કરો છો?’ છતાં હું બોલ્યા વગર ન રહી શક્યો. મેં કહ્યું, ‘ધારો કે એક જ ક્ધયામાં આ બધાં લક્ષણો ન મળે અને ત્રણચારમાં મળે તો અમારે શું કરવું?’ અનુરાગ કહે, ‘સર્વને લાવજો. હું જે શ્રેષ્ઠ હશે તેને જ તક આપીશ.’

પછી તો સગપણની વાટાઘાટ, પ્રવાસો, મુલાકાતો પસંદગી-નાપસંદગીમાં પાંચ વર્ષ વીતી ગયાં. સાતેક ક્ધયા અનુરાગે જોઈ, પણ મેળ ન પડ્યો. પરિસ્થિતિ અનુસાર અનુરાગ પસંદગીનું ધોરણ ઘટાડતો ગયો. અનુરાગે કહ્યું, ‘પૂરતી ઊંચાઈ અને નાકેચહેરે નમણી ક્ધયા હશે તો પણ ચાલશે.’ ચારેક વર્ષ પાછાં પસાર થઈ ગયાં. વળી ત્રણ ક્ધયાઓ જોઈ. છેવટે અનુરાગની તમામ અપેક્ષાઓ એક જ શબ્દમાં સમાઈ ગઈ- ‘યુવતી.’ મને કોઈ યુવતી સાથે પરણાવો. અનુરાગની વ્યથા તેના કાવ્યમાં વ્યક્ત થવા લાગી. તેણે લખ્યું:

દયાળુ દીકરીવાળા દયા વાંઢા પર લાવો,

દુ:ખી છે જિંદગી મારી કૃપાળુ કોઈ પરણાવો.

મધુ નામની ક્ધયા અનુરાગને પસંદ પડી, પણ મધુએ સ્પષ્ટ ના પાડી. અમે અનુરાગને વાત ન કરી પણ એમ કહ્યું કે મધુ તો ગ્રેજ્યુએટ મુરતિયા સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે.

અમારા આશ્ર્ચર્ય વચ્ચે અનુરાગે ફરી ભણવાનું શરૂ કર્યંુ. રાતદિવસ મહેનત કરી, પરીક્ષા આપી એ જ્યારે કંટાળતો- થાક્તો ત્યારે મધુની યાદ તેને પ્રેરણા આપતી. પરિણામ આવ્યું, અનુરાગ પાસ થયો. મધુનું સરનામું મેળવી તેને મળવા માર્કશીટ લઈ અનુરાગ મધુના બંગલે પહોંચ્યો, ડૉરબેલ વગાડી. મધુએ બારણું ખોલ્યું. અનુરાગને જોઈ તેને નવાઈ લાગી. અનુરાગે માર્કશીટ બતાવી હર્ષ વ્યક્ત કર્યો, ‘હું બી.એ. પાસ થઈ ગયો છું.’ મધુએ ચા-નાસ્તાનો આગ્રહ કર્યો અને પૂછ્યું, ‘તમે અત્યારે બી.એ. થયા?’ ત્યાં તો બે બાળકો ‘મમ્મી, મમ્મી’ કહી મધુને વીંટળાઈ વળ્યાં. નાના રાકેશે પૂછ્યું પણ ખરું, ‘મમ્મી આ અંકલ કોણ છે?’ મધુએ કહ્યું, ‘તારા ડૅડીના ફ્રેન્ડ છે.’ અનુરાગને પૂછ્યું, ‘તમે એમને મળવા આવ્યા હતા?’ ‘હા. ના... ના... આ તો અમસ્તો અહીંથી નીકળ્યો હતો તે થયું મળતો જાઉં.’ આવા ગોટા વાળી અનુરાગ ચાલતો થયો.

હવે તેને જીવતરની વાસ્તવિકતા સમજાવા લાગી. એ ચૂપચાપ બી.એડ. કૉલેજમાં દાખલ થયો અને બી.એ.બી.એડ્. થયા પછી ગામની હાઈસ્કૂલમાં શિક્ષકના સ્થાન પર નિયુક્ત થયો, બી.એડ્.માં સાથે અભ્યાસ કરનાર મીનાક્ષીબહેનને પણ તે જ હાઈસ્કૂલમાં સર્વિસ મળી. પરિચય તો હતો જ. સહકાર્યથી તે વધુ ગાઢ થયો. મીનાક્ષીબહેનને કોઈ પુરુષના રક્ષણની જરૂર હતી અને અનુરાગને વાંઢા-મહેણું ભાંગવું હતું. બંને પરસ્પર સંમત થયાં. અમને ખબર પડી, અમે બંનેનાં લગ્નમાં સહાયરૂપ થયા. મેં નવીનકાકા અને મિત્રોને કહ્યું, ‘આખરે અનુરાગ ડાળે વળગ્યો. વર્ષો પહેલાં ક્ધયાનું અનુરાગે કરેલું વર્ણન મને યાદ છે. તમે કહો તો કરી દેખાડું.’ નવીનકાકાએ કહ્યું, ‘હવે દાઝયા માથે ડામ દેવાનો કંઈ અર્થ નથી.’

મેં અનુરાગને પૂછ્યું, ‘એલા કવિતાનો શોખ છે કે ભુલાઈ ગયો?’ અનુરાગ કહે, ‘હવે જ મારી કવિતામાં અનુભવનું ઊંડાણ ભળશે.’ આમ કહી એ ચાર પંક્તિઓ બોલ્યો:

દુ:ખના દરિયે સફર છે મારી

અને નાવ ફંસી છે ભંવરમાં,

કરુણાસાગર કર થામીને

હવે કરી દે ઉદ્ધાર મારો.

મેં કહ્યું, ‘કરુણાસાગર ઉદ્ધાર કરે કે ન કરે, પણ મીનાક્ષીબહેન જરૂર કરશે.’ આટલું સાંભળતાં સૌ ખડખડાટ હસી પડ્યા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=91133

મીઠું બોલવું કે સાચું બોલવું? --- શાહબુદ્દીન રાઠોડ

‘સત્ય પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી, માનવીના મનની સ્થિતિ પ્રમાણે તેને એ પ્રિય-અપ્રિય લાગે છે’. 
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


રાજકોટ ‘અનિલ’માં નવીનકાકાએ મને પૂછ્યું, ‘અધ્યાત્મ અને ધર્મમાં ફેર શો?’ પૂરો પરિવાર સાંભળવા માટે ઉત્સુક બની ગોઠવાઈ ગયો.

મેં કહ્યું, ‘આમ તો મારી સમજણ બહારનો પ્રશ્ર્ન છે છતાં હું ઉત્તર આપવા પ્રયાસ કરું.’

ધર્મ એટલે જે સંજોગોમાં, જે સ્થાને, જે સમયે માનવીએ જે ફરજ બજાવવાની હોય તેનું નામ ધર્મ કહી શકાય. યુદ્ધના મેદાન પર એક સૈનિકનો ધર્મ શત્રુની હિંસા કરવાનો હોય છે, સમાજમાં નહીં.

રણસંગ્રામ પર વધુ ને વધુ શત્રુને હણી નાખનારને આપણે વધુ ને વધુ માનસન્માન આપીએ છીએ- વીરચક્ર, પરમવીરચક્ર વગેરે, પરંતુ સમાજમાં કોઈનું ખૂન કરવામાં આવે તો ફાંસી સુધીની સજા કરવામાં આવે છે. અધ્યાત્મ તો આત્માની ઓળખ છે.

ભગવાન મહાવીર સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવતા.

એક તુંબડા પર માટીમાં પાણી ભેળવી તેનો ગારો બનાવી તેનો એક સ્તર તેના પર ચડાવી સૂકવી નાખવામાં આવે. ગારો સાવ સુકાઈ જાય પછી એ જ રીતે બીજો સ્તર ચડાવવામાં આવે. ફરી ત્રીજો, ચોથો... આમ સ્તર ચડતા જાય સુકાતા જાય અને ત્યાર પછી એ તુંબડાને પાણીમાં નાખી દેવામાં આવે તો તેનું શું થાય ગૌતમ?

ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રણામ કરી કહ્યું, ‘પ્રભુ, એ તુંબડું પાણીમાં ડૂબી જાય.’ ભગવાન મહાવીરે ફરી પૂછ્યું, ‘પાણીમાં એ માટીના સ્તરો પલાળ્યા કરે, પલાળ્યા જ કરે પછી શું થાય?’

ગૌતમે પ્રત્યુત્તર આપ્યો, ‘જેમ જેમ સ્તર પલળતા જાય, તેમ તેમ એ તુંબડાથી અલગ પડતા જશે અને છેલ્લે તમામ સ્તરો પલળીને અલગ થઈ જશે ત્યારે તુંબડું ફરી જળ પર તરવા માંડશે.’

આ જ રીતે આત્માના તુંબડા પર કામ- ક્રોધ- લોભ- મોહ- મદ અને મત્સર જેવા દુર્ગુણોના સ્તર જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ આત્મા ડૂબતો જાય છે, પરંતુ સત્યના જળનો સંગ થતાં એ સ્તરો પલળીને દૂર થાય છે અને આત્મા ફરી તરવા માંડે છે. આત્માનો સ્વભાવ જ તરવાનો છે. અખો એમ કહેતો કે તુંબડું અંદરથી સુકાય તો તરે અને જે તરી શકે એ જ કોઈને તારી શકે.

મેં સમાપન કરતાં કહ્યું, ‘ભગવાન મહાવીરનું ઉદાહરણ મને ગમે છે એટલે તેનું હાર્દ સચવાઈ રહે તે રીતે મારા શબ્દોમાં રજૂ કરવા મેં પ્રયાસ કર્યો છે.’

જયૂએ પૂછ્યું, ‘તમે જે અધ્યાત્મ વિશે સમજાવ્યું તેની જીવનમાં શરૂઆત ક્યાંથી કરવી?’

મેં કહ્યું, ‘તમારા પોતાના જીવનથી. તમે જે રીતે જીવો છો તેનાથી સારી રીતે જીવી શકાય.’

નવીનકાકા કહે, ‘દાખલા તરીકે?’ મેં કહ્યું, ‘દાખલા તરીકે, આપણે જે ભાષા બોલીએ છીએ તેનાથી સારી ભાષા બોલી શકાય?’

અમુએ કહ્યું, ‘કોઈ પ્રસંગ વર્ણવો તો વધુ મજા આવે.’

મેં વાત શરૂ કરી.

‘ઠાકોરસાહેબ રત્નસિંહજી પોતાની હવેલીના પહેલા માળે આમથી તેમ ફરી રહ્યા હતા. તેમનું સ્થૂળ શરીર કંઈક મેળમાં આવે એ માટે ઠાકોરસાહેબે થોડો વ્યાયામ શરૂ કર્યો હતો. એમાં મથુરનો દીકરો દામોદર ત્યાંથી નીકળ્યો. તેણે ઠાકોરસાહેબની પ્રવૃત્તિનું પ્રથમ નિરીક્ષણ કર્યંુ અને ખડખડાટ હસી પડ્યો. હસીને હાલતો થઈ ગયો હોત તો પણ વાંધો નહોતો પણ આ તો ત્યાં ઊભો રહી હસતો જ રહ્યો.

ઠાકોરસાહેબનું ધ્યાન ગયું. તેમણે જેસિંહને બોલાવી હુકમ કર્યો. ‘પેલા છોકરાને પકડી અહીં લઈ આવો.’ જેસિંહે દામોદરને પકડ્યો અને ઠાકોરસાહેબ સમક્ષ રજૂ કર્યો. દામોદરને જોતાં જ પ્રશ્ર્નોની ઝડી વરસાવી- ‘શું નામ છે તારું? કોનો દીકરો છો? તને હસવું કેમ આવ્યું? બતાવ મને.’ દામોદર ગભરાઈ ગયો. તેણે પોતાનું નામ, પિતાનું નામ વગેરે કહ્યું, પણ હસવાનું કારણ ન જણાવ્યું. દામોદર એક જ વાત કહેતો રહ્યો: એ હું નહીં બતાવું. ઠાકોરસાહેબે તેને વચન આપ્યું, ‘હું તને કંઈ નહીં કહું. મારે માત્ર તારા હસવાનું કારણ જાણવું છે.’ દામોદર કંઈક હિંમતમાં આવ્યો અને તેણે કહ્યું, ‘માફ કરજો બાપુસાહેબ, ભૂલ થઈ ગઈ, પણ આપનું આવડું મોટું શરીર જોઈ મને વિચાર એ આવ્યો કે આપ પહેલા માળે ગુજરી જાવ તો ઉપરથી નીચે કઈ રીતે ઉતારવા?... અને પછી મારા જ વિચાર પર હું હસી પડ્યો.’ ઠાકોરસાહેબની ભ્રૂકુટિ તંગ થઈ ગઈ. તેમણે કહું, ‘આવો વિચાર કરે છે અને પાછો હસ્યા કરે છે? જેસિંહ, એના બાપને બોલાવી લાવ.’ મથુર ઠાકોરસાહેબ સમક્ષ હાજર થયો. ઠાકોરસાહેબે તમામ વિગત મથુરને જણાવી પૂછ્યું, ‘આવો અક્કલહીન છે તમારો પુત્ર? આવા સંસ્કારો આપો છો?’ મથુર કહે, ‘બાપુસાહેબ, માફ કરજો. છોકરું છે. એને શી ખબર પડે? પણ એ છે અક્કલમઠો, તેનામાં બુદ્ધિ નથી. બાપુસાહેબ એને એટલું ન સૂઝ્યું કે આપ ગુજરી જાવ તો આપના બે ભાગ કરી એક પછી એક ન ઉતારી લેવાય?’

ઠાકોરસાહેબે મથુરને એક અડબોથ વળગાડી. તે પડ્યો દામોદર માથે એને હુકમ કર્યો જેસિંહને કે મથુરના બાપને બોલાવો.

મથુરના બાપ પીતાંબર ડોસાને બાપુ સમક્ષ હાજર કરવામાં આવ્યા. દામોદર-મથુરના જવાબો જણાવવામાં આવ્યા અને ઠપકો આપવામાં આવ્યો કે આવા સંસ્કારો સંતાનોને આપ્યા છે? પીતાંબરબાપાએ પરિસ્થિતિનો કયાસ કાઢી વિચારીને કહ્યું, ‘બાપુસાહેબ, આ મારો વસ્તાર છે. આ બાપ-દીકરામાં બુદ્ધિનો છાંટો નથી એ હું સમજું છું. મૂરખાઓને એટલી સમજણ ન પડી કે આપના ગુજરી ગયા પછી આ હવેલી રાખીને શું કરવી છે? એમાં જ સીધી દીવાસળી ન મુકાય? ચિતાનાં લાકડાં ખડકવાની તો માથાકૂટ નહીં... પણ બાપુ, સમજણ વગર બધું નકામું છે.’

બાપુએ પીતાંબરબાપાની અવસ્થાનો ખ્યાલ કરી માત્ર ધક્કો જ માર્યો અને એ પડ્યા મથુર માથે. કોઈ શિક્ષા ન કરી પણ બે દિવસ સુધી ત્યાં ને ત્યાં ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા. ત્રણેએ નક્કી કર્યંુ કે જીવનમાં વિચારો ગમે તેવા આવે પણ કોઈની વિરુદ્ધના હોય તો આ રીતે પ્રગટ ન કરવા. એટલે જ ભગવાન બુદ્ધ કહેતા: સત્ય બોલવું પણ અપ્રિય સત્ય ન બોલવું.

ત્યાં રમાકાકીએ જણાવ્યું, ‘રસોઈ તૈયાર થઈ ગઈ છે, આવો જમવા.’ મેં કહ્યું, ‘બસ, આવું પ્રિય સાચું બોલવું.’ અને બધા ખડખડાટ હસી પડ્યા. જમતાં જમતાં અને જમ્યા પછી પણ થોડી વાર અમારી ચર્ચા ચાલુ રહી. વિષય હતો, ‘સત્ય પ્રિય છે કે અપ્રિય?’

મેં કહ્યું, ‘સત્ય પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી, માનવીના મનની સ્થિતિ પ્રમાણે તેને એ પ્રિય-અપ્રિય લાગે છે.’

બળાત્કારના કેસમાં મેજિસ્ટ્રેટ ગુનેગારને જનમટીપની સજા કરે તો ગુનેગાર અને તેના કુટુંબીજનોને અપ્રિય લાગશે એ જ ચુકાદો બળાત્કારનો ભોગ બનનાર યુવતીને કે તેના પરિવારજનોને પ્રિય પણ લાગે.

એક વાર એક કેસમાં એક વકીલે વિચિત્ર દલીલ કરી. તેણે કહ્યું, ‘મારા અસીલે ગુનો કર્યો જ નથી, જે ગુનો કર્યો છે તે તેના જમણા હાથે કર્યો છે. નામદાર કોર્ટ સજા કરવા ઈચ્છતી હોય તો તેના જમણા હાથને કરવી જોઈએ.’

મેજિસ્ટ્રેટસાહેબે વિચારીને ચુકાદો આપ્યો. તેમણે જણાવ્યું, ‘ગુનેગારના જમણા હાથને બે વર્ષની સજા ફરમાવવામાં આવે છે. ગુનેગારે જમણા હાથ સાથે ભોગવવી કે ન ભોગવવી એ એની મરજી પર છોડી દેવામાં આવે છે.’

ચુકાદો સાંભળી ગુનેગાર ખુશ થયો. તેણે સ્ક્રૂ ખોલી ખોટો જમણો હાથ ટેબલ પર મૂક્યો અને વિદાય થયો. ગુનેગાર અને તેના વકીલને ચુકાદો પ્રિય લાગ્યો. સાહેબને અપ્રિય લાગ્યો.

ધર્મ માને છે:

Action is judged by the intention.

કાયદો માને છે:

intention is judged by the action.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101054

Monday, June 1, 2015

મોટા માણસોની નાની વાતો --- શાહબુદ્દીન રાઠોડ

માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકનાં જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.

એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈ રહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી. 

મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’

શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરાં વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’

મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’

બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું-‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’

બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા. 

સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’

કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં. 

હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’

અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં. 

શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો. 

આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’

અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’

માર્ક ટ્વેઈન તપાસ કરવાનું માંડી વાળ્યું.

અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’

એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું.-જૉન ડી. રોકફેલર’.

લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો. 

પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં. 

સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’

અબ્રાહમ લિંકનનાં પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’ 

લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87816


Friday, February 13, 2015

નવા વર્ષના નિર્ણયો --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108202

 આપણે મૂર્ખ હોઈએ અને કોઈ મૂર્ખ કહે ત્યારે જ બહુ દુ:ખ લાગે છે

 મારી ઑફિસમાં હું કામ કરતો હતો ત્યાં મથુરના દીકરા દામોદરને લઈને શિક્ષક પટેલસાહેબે પ્રવેશ કર્યો. તેમણે કહ્યું: "સાહેબ, આ દામોદરને બોલવાનું ભાન નથી. જેમ આવે તેમ બોલે છે. તેને સમજાવજો, નહિતર કોક દી માર ખાશે મારા હાથનો. મેં દામોદરને રોકી પટેલસાહેબને જવા દીધા. તે ગયા પછી દામોદરને પૂછયું, "બોલ, શું તોફાન કર્યું છે? દામોદર કહે, "સાહેબે પૂછયું કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ આવે છે.’ મેં કહ્યું ‘દરેક મહિનામાં.’ એમાં સાહેબ ગુસ્સે થઈ ગયા. વળી પૂછયું ‘હું તમાકુ ખાઉં છું. આ વાક્યનો ભવિષ્યકાળ જણાવો.’ મેં કહ્યું, ‘મને કૅન્સર થશે.’ એમાં સાહેબે મને ગુસ્સે થઈને જણાવ્યું, ‘મૂર્ખ તારી ઉંમરે હું એટલો હોશિયાર હતો કે આખા વર્ગમાં પ્રથમ નંબરે આવતો.’ સાહેબે આમ કહ્યું એટલે મારાથી બોલી જવાયું ‘સાહેબ, આપને કોઈ હોશિયાર શિક્ષક ભણાવતા હશેને?’

પટેલસાહેબ વિદ્યાર્થી હતા ત્યારે હું ભણાવતો હોવાથી હું વિચારમાં પડી ગયો કે દામોદરની વાત નકારી શકાય તેમ નથી. મેં દામોદરને સમજાવ્યો, "જો, મશ્કરી સમાન વય હોય, દોસ્તી હોય, સામાવાળાને ખોટું ન લાગે એમ હોય તો જ કરવી. નહિતર નહિ, સમજ્યો?

મારા મિત્ર નવીનભાઈ મુંબઈથી થાન આવ્યા. કાંઈક વાતો અમે કરતા હતા. એમાં એમણે જણાવ્યું કે હું કાયમ પીઅર્સ સાબુથી સ્નાન કરું છું. તરત વનેચંદે કહ્યું, "ચામડીના દરદ માટે પીઅર્સ સાબુ સારો.

અહમદે મુંબઈના મહેમાનને જણાવ્યું, "મારે ચાર ઑઈલ મિલ છે. તરત મામદે કહ્યું, "ઑઈલ મિલ એટલે દેશી ઘાણી. અહમદે મામદને ઘઘલાવ્યો, "તારે ચોખવટ કરી ડાહ્યા થવાની શી જરૂર હતી?

અમેરિકાના વિશ્ર્વવિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઈન. ચર્ચમાં એક બિશપસાહેબનું પ્રવચન સાંભળી માર્ક ટ્વેઈન બિશપને મળ્યા અને કહ્યું, "આપનું પ્રવચન શ્રેષ્ઠ હતું તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ મારી પાસે એક પુસ્તક છે. તેમાં આપના પ્રવચનનો એકેએક શબ્દ છે. બિશપ ગુસ્સે થયા. તેમણે કહ્યું, "બને જ નહિ. છતાં તમે એ પુસ્તક મને મોકલી આપજો. માર્ક ટ્વેઈન ઑક્સફર્ડ ડિકશનરી મોકલી આપી.

ધોરણ દશમાં મેં પ્રવેશ કર્યો. એપ્રિલની પહેલી તારીખ હતી. મને હતું તો ખરું કે વિદ્યાર્થીઓ નાનીમોટી મજાક કરશે. મારે એક અંગ્રેજી ફકરો ભાષાંતર માટે લખાવવાનો હતો. ભાષાંતર પણ ધારીએ એટલું સહેલું નથી. એક વિદ્યાર્થીએ મને પૂછયું,

"સાહેબ, આ આઉટનું ગુજરાતી શું કરવું? મેં કહ્યું, "આઉટ. મને પણ નહોતું આવડતું અને પરાણે મારીમચડીને હું ભાષાંતર કરવા નહોતો ઈચ્છતો. ટાઈનું ‘ગલલંગોટ’ જેવું થાય. અંગ્રેજીના શબ્દો ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયા છે. તેમ ગુજરાતી શબ્દો પણ અંગ્રેજીમાં ક્યાં નથી વપરાતા? વિપશ્યના, આશ્રમ, સત્યાગ્રહી, ગુરુ, માર્ગ વગેરે. આ બૅટ મને નથી ફાવતું. આ વાક્યનું હિન્દી શું કરું? ‘ફાવવું,નું હિન્દી મને ન ફાવ્યું તે જ ન ફાવ્યું.

હું ફકરો લખું ત્યાં મીનાક્ષી ઊભી થઈ. મને નોટ આપી એમાં ત્રણ વાક્યો લખ્યાં હતાં, મીનાક્ષીએ કહ્યું, "સર, આ વાક્યોનાં ભાષાંતરમાં ખબર નથી પડતી. અમને સમજાવશો? મેં નોટમાં વાક્યો વાંચ્યાં. જે આ પ્રમાણે હતાં:

અઙછઈંકઋઘઘક. ૠઘ ઝઘ જઈઇંઘઘક. ઝઊકક ઢઘઞછ ઝઊઅઈઇંઊછ ઢઘઞ અછઊ અ ઋઘઘક.

મેં ગંભીર ચહેરો રાખી પૂછયું, બોર્ડ પર લખું?, "બધાં ભાઈબહેનોએ કહ્યું, "હા. મેં લખ્યું:

અઙછઈંકઋઘઘક. ૠઘ ઝઘ જઈઇંઘઘક. અજઊં ઢઘઞછ ઙઞઙઈંક અછઊ ઢઘઞ અ ઋઘઘક?

"આ નથી, આ નથી, અમારાં વાક્યો તમે બદલી નાખ્યાં છે ના અવાજો ચારે તરફથી આવવા લાગ્યા. આખો વર્ગ આનંદમાં ઝૂમી ઊઠયો. મેં મીનાક્ષીનાં આપેલાં વાક્યો પણ લખ્યાં.

આપણે મૂર્ખ હોઈએ અને કોઈ મૂર્ખ કહે ત્યારે જ બહુ દુ:ખ લાગે છે. પહેરવા પૂરતાં કપડાં ન હોય અને કોઈનો કોટ માંગીને જાનમાં ગયા હોઈએ અને કોઈ પૂછે, "કોનો કોટ પહેર્યો? ત્યારે એ વેણ બહુ આકરા લાગે છે. દસ જોડી કપડાં ઘેર પડ્યાં હોય અને એક ઝભ્ભો ક્યાંક રસ્તામાં ફાટી જાય તો એ ફાટેલા કપડાનો સંકોચ નહિ થાય. માંદા માણસની કદીય મજાક ન કરવી. "હશે ભાઈ, કર્યાં ભોગવવાં છે ને? - આવું ન કહેવાય.

૧૯૯૬ની સાલમાં અંતિમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવા વર્ષમાં શું ન કરવું એ વિષય પર અમે મિત્રો ચર્ચા કરતા હતા. આમ તો દર વર્ષે અમે ઘણું નક્કી કરીએ છીએ. એમાંથી થોડુંઘણું જીવનમાં પરિવર્તન થાય છે. રેલવેનું ટાઈમ-ટેબલ છે તો ખબર પડે છે કે ટ્રેન કેટલી મોડી થઈ. કામની યાદી તૈયાર કરી હોય તો છેવટે એટલી તો ખબર પડે ને કે ક્યાં કામો કરવાનાં રહી ગયાં. ’૯૭થી અમે, મારો અભિગમ બદલી નાખવાનું નક્કી કર્યું છે. ક્રોધ ન કરવો એમ નહિ. ક્રોધની વાત જ ન આવવી જોઈએ, કારણ કે ક્રોધ પર કાબૂ મેળવવાની ચર્ચામાં ઘણી વાર બાઝવાનું થાય છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે, "ઊંચા સાદે કોઈ પણ સંજોગોમાં બોલવું નહિ. ધીમા અવાજે ધીરેથી જ બોલવું.

નવા વર્ષમાં વજન ઘટાડવું, આમ અમે નક્કી નથી કરતા પણ દર મહિને માત્ર એક કિલો વજન ઘટાડવું એમ નક્કી કર્યું છે.

મેં રજૂઆત કરી કે "નવા વર્ષમાં બારસો કિલોમીટર ચાલવું. સૌએ તરત વિરોધ કર્યો. મેં કહ્યું હું મારો પ્રસ્તાવ પાછો ખેંચી લઉં છું. પણ રોજના માત્ર સાડાત્રણ કિલોમીટર ચાલવું એવું તો સૌ સ્વીકારશો ને? થોભણ કહે, "હા, ઈ બરાબર છે. બધાએ સહમતિ આપી. એટલે પ્રવીણ ડગલીએ કહ્યું, "આ બારસો સાંઠ થયા એ સમજાણું? મેં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમજાવ્યું કે, વિનયથી વર્તવું એવું નક્કી ન કરશો, પણ મા-બાપને, ગુરુને અને પ્રભુને પ્રણામ કરવા, આટલું નક્કી કરો. કસરતના શોખીનો માટે અમે વ્યાયામ વર્ગ પહેલી જાન્યુઆરી સત્તાણુંથી શરૂ કરવાનું નક્કી કર્યું.

શ્રી ઠાકરસાહેબને વ્યાયામવીરોને એકત્રિત કરી નવા અભિયાન માટે શુભેચ્છા પાઠવવા જણાવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું, "વ્યસનો છોડી દ્યો તો કસરત જ છે. મને તેમની વાત સાચી લાગી. હું તો કહું જ છું કે, "કોઈને નડો નહીં તો સમાજસેવા જ છે, પાપ ન કરો તો પુણ્ય જ છે, જેના લીધા એના પાછા આપી દ્યો તો દાન જ છે.

જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ વિશુદ્ધ - આવું ઘણું ઘણું વિચાર્યું છે અને નક્કી કર્યું છે. હવે થાય તે ખરું. છેલ્લે ઉપસંહારમાં મેં ડાયરીમાં નોંધ કરી કે કાંઈ ન થાય તો ભલે પણ નિર્બળ વિચારો જીવનમાં કોઈ પણ સંજોગોમાં ન પ્રવેશે તેના માટે જાગ્રત રહેવું. સ્વામી વિવેકાનંદ કહેતા...

શક્તિ એ જીવન છે.

નિર્બળતા એ મૃત્યુ છે.

શારીરિક શક્તિ પણ બહારથી દેખાતા લોખંડી મજબૂત સ્નાયુઓમાં નથી હોતી, એ સ્નાયુની પાછળ રહેલા સાવ નાજુક જ્ઞાનતંતુમાં હોય છે. એ જ્ઞાનતંતુ પણ પાછા વિચારોથી પ્રભાવિત થાય છે. એક જ દૃઢ વિચાર, એક જ મજબૂત સંકલ્પશક્તિનો પ્રચંડ પ્રવાહ જ્ઞાનતંતુને પૂરો પાડે છે અને જ્ઞાનતંતુ દ્વારા એ શક્તિ સ્નાયુઓમાં પહોંચે છે. ‘યહ દિન ભી ચલા જાયેગા’ જેવા નાનકડા વાક્યમાં માનવીને જીવતરનું ભાથું મળી જાય છે. તેનો જીવનદીપ ઝંઝાવાતોના પ્રચંડ પ્રહારો સામે પણ જલતો રહે છે. પરિણામ?

વહ સર ફીરી હવા થી સંભલના પડા મુઝે,

મેં આખરી ચિરાગ થા જલના પડા મુઝે...  

Tuesday, September 23, 2014

રેલવેની રામાયણ -- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103199

આ ટાઈમટેબલ એટલે તમે જાણી શકો છો કઈ ટ્રેન કેટલી લેટ છે...’

મને પ્રવાસો કરવા ગમે છે. તેમાં પણ ટ્રેનનો પ્રવાસ હોય, બારી પાસે જગ્યા મળી હોય, સામે સફરમાં આનંદ આવે તેવા હમસફર હોય, એ હમસફર પાછા હમદર્દ હોય, અને પાસે ટિકિટ હોય તો યાત્રા યાદગાર બની જાય છે. ગતિ વિચારોને વેગ આપે છે. ટ્રેનમાં પ્રવાસ શરૂ થતાં જ હું બહાર દૃશ્યો જોવામાં મગ્ન થઈ જાઉં છું. એક જ લીલા રંગમાં કેટલી વિવિધતા જણાય છે. પહાડો, ઝરણાં, નદી, વૃક્ષો, વનરાઈઓ જોઈ મને એમ થાય છે કે ક્યારે હું જીવનની આ સુંદર ક્ષણોને ચિત્રોરૂપે અંકિત કરી દઉં?

વિમાનના પ્રવાસમાં પણ હું બારી પાસે બને ત્યાં સુધી સીટ મેળવવા પ્રયાસ કરું છું. ઉપરથી જ્યારે જ્યારે નીચે ધરતી દેખાય છે ત્યારે મને સાહિર લુધિયાનવીની પંક્તિઓ યાદ આવે છે:

કુદરતને તો બક્ષી થી કહીં એક હી ધરતી

હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા

ઍરલાઈન્સના નક્શા પણ મને જોવા બહુ ગમે છે, કારણ કે તેમાં ધરતી, પહાડો, નદીઓ અને સમુદ્ર હોય છે. રાજકીય રેખાઓ નથી હોતી.

વિમાનમાંથી દેખાતું ધરતીનું સૌંદર્ય રમણીય જરૂર હોય છે, પણ ભયમિશ્રિત હોય છે, જ્યારે ટ્રેનમાં એ નિરાંત હોય છે. મારા મોટા ભાઈ છોટુભાઈ, સી. એસ. રાઠોડ રેલવેમાં ટીટીઈ હતા અને મારા બનેવી ખાનસાહેબ આઈ. જે. પઠાણ રેલવેમાં પીએસઆઈ હતા. આટલી ઓળખાણ રેલવેમાં મફત મુસાફરી કરવા માટે ત્યારે પૂરતી ગણાતી. આ સિવાય પણ નવલભાઈ ગાર્ડ, જોરુભા હવાલદાર જેવાં ઘણાં સ્વજનો પણ રેલવેમાં હતાં. એટલે જ મેં રેલવે સ્ટાફની મજાક કરેલ છે.

એક જૂનો પ્રસંગ હું આ રીતે વર્ણવતો. એક વાર સ્ટેશનમાં વેઈટિંગ રૂમમાં રેલવે સ્ટાફ એકત્રિત થયો. એસએમ, એએસએમ, ટીટી, ટીસી, બુકિંગ ક્લાર્ક, હવાલદાર અને મારફતિયા. એમાં હવાલદારે કહ્યું, ‘હાલોને આજ કંઈક જલસો કરીએ.’ સ્ટેશન માસ્તરે કહ્યું, ‘મને પણ એમ થાય છે. વલ્લભદાસને ત્યાંથી ગરમાગરમ ભજિયાં મગાવીએ અને બાબુભાઈને ત્યાંથી ચા મગાવીએ.’ ત્યાં ટીસીએ કહ્યું, ‘એના કરતાં પાર્સલરૂમમાં જુઓને, કંઈક મળી આવશે.’ તરત બે-ત્રણ જણે સંમતિ આપી. લાભુને પાર્સલરૂમમાં તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. એક પાર્સલમાં મીઠાઈ હોવાના સમાચાર મળ્યા. સૌ આનંદથી ઝૂમી ઊઠ્યા. પાર્સલ વેઈટિંગ રૂમમાં લાવવામાં આવ્યું. ઉપરથી પટ્ટીઓ કાપવામાં આવી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે વિવિધ પ્રકારની મીઠાઈનો વિપુલ જથ્થો નીકળી પડ્યો. પાર્સલમાંથી મીઠાઈ કાઢી જૂનાં છાપાં પર પાથરવામાં આવી. મોહનથાળ, બુંદીના લાડવા, મેસૂબ, બરફી, હલવો, ગુલાબજાંબુ, જલેબી, રસગુલ્લાં, અડદિયા અનેક પ્રકારની મીઠાઈ જોઈ સૌનાં હૈયાં હરખાઈ ઊઠ્યાં. બુકિંગ ક્લાર્કે કહ્યું, ‘મીઠાઈ આખી નથી.’ પણ ત્યાં ટીસીએ કીધું કે આપણા મજૂરો સ્ટેશને કેવા પાર્સલ પછાડે છે એ જોયું નથી? એમાં રહેતી હશે મીઠાઈ આખી? સૌને ટીસીની વાત વાજબી લાગી. ત્યાં તો કૂકડા ઉકરડો ફંફોળે તેમ સૌ મંડ્યા મીઠાઈ ગોતવા અને ખાવા. ઉપરથી એક એક લોટો પાણી પી ગયા. ત્યાં બાબુભાઈની હોટેલથી ચા આવી. છગને ચાના કપ ભર્યા. સૌ ચા પીતા હતા ત્યાં એક ઘટના એવી બની કે સૌનાં જીવતર ઝેર થઈ ગયાં. ગામના સફાઈ કામદાર સોમલાએ સ્ટેશનમાં મંગલ પ્રવેશ કર્યો અને વેઈટિંગરૂમમાં આવી જણાવ્યું. ‘મારો ભાઈ જીવલો મુંબઈ છે. એણે લગનગાળાનો વધ્યોઘટ્યો માલ પાર્સલમાં પૅક કરી અહીં રવાના કર્યો છે.’ આ પ્રકારનું લખાણવાળું પોસ્ટકાર્ડ સોમલાએ બતાવ્યું અને વિનંતી કરી કે જો આવી ગયું હોય તો આપી દ્યો. સોમલાની વાત સાંભળતા જ સૌના હાથ થંભી ગયા. સૌના ચહેરા પર ઘેરા વિષાદની છાયા પ્રસરી ગઈ. સૂધબૂધ ખોઈ સૌ અવાચક થઈ ગયા, પણ હવાલદારે પરિસ્થિતિ સંભાળી લીધી. તેમણે સોમલાને કહી દીધું, ‘જા કલાકેક પછી આવજે. અત્યારે કોઈ નવરું નથી તારું પાર્સલ ગોતવા.’ સોમલો ‘ભલે ભાઈશાબ’ કહી ચાલતો થયો. પછી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘બરફી માથે દાળના ડાઘ હતા.’ બુકિંગ ક્લાર્કે કીધું, ‘હું તો કહેતો’ તો કે કોઈ મીઠાઈ આખી નથી.’ આ સાંભળી હવાલદાર ખિજાઈ ગયા. ‘આ બધું તમને અત્યારે યાદ આવે છે?’ ત્યાં એએસએમે કીધું, ‘હવે સો વાતની એક વાત. પ્રથમ તો સૌ પાંચ પાંચ રૂપિયા કાઢો અને આ પાર્સલમાં સમાય તેટલી મીઠાઈ ગામમાં જે મળે તે ખરીદીને પાછી પાર્સલમાં પૅક કરાવી દઈએ નહીંતર હમણાં સોમલો પાછો આવશે.’

સૌએ ગંભીર ચહેરે રકમ જમા કરાવી. નાણાભંડોળ એકત્રિત થયા પછી બે જણ બજારમાં મીઠાઈ ખરીદવા ગયા અને પાર્સલને પાછું હાથ કરવામાં આવ્યું. કોઈનું ધ્યાન ગયું અને જીવલાએ મુંબઈથી લખેલી યાદીમાં મીઠાઈઓનાં નામ હતા. એ પત્ર પાર્સલમાંથી મુદ્દામાલરૂપે મળી આવ્યો તેનો નાશ કરવામાં આવ્યો. ગામમાંથી ખરીદાયેલી મીઠાઈને પાર્સલમાં ગોઠવવામાં આવી. વધેલી જગ્યા વણેલા ગાંઠિયામાંથી ભરવામાં આવી. પાર્સલ પૅક થઈ ગયું. પટ્ટીને બદલે દોરથી બાંધવામાં આવ્યું અને પાછું પાર્સલ રૂમમાં પહોંચાડી આપવામાં આવ્યું. ત્યાં સોમલો ફરી આવ્યો અને બોલ્યો, ‘સાહેબ, મારું પાર્સલ લેવા આવ્યો છું.’ સ્ટેશન માસ્તરે લાભુને કહ્યું, ‘લાભુ, સોમલાનું પાર્સલ આવ્યું હોય તો ગોતીને આપી દે.’ જાતાં જાતાં સોમલો કહેતો ગયો, ‘સાહેબ, આજકાલ કોઈનો ભરોસો રાખવા જેવો નથી એટલે ઉતાવળ કરી છે.’

સોમલો પાર્સલ લઈને ગયો. વાસમાં સૌને જાણ કરી, ‘સૌ સૌની થાળીઓ લઈ લીંબડાના ઓટે પહોંચી જાવ.’ થોડીવારમાં સૌ આવી પહોંચ્યા. સોમલાએ મુંબઈથી જીવલાએ મોકલાવેલ મીઠાઈની વાત કરી. પાર્સલ ખોલ્યું અને સૌને ભાગે પડતી મીઠાઈ વહેંચી દીધી. કરસન બોલ્યો, ‘ઠેઠ મુંબઈથી મીઠાઈ આવી છે, પણ કેવી અકબંધ છે?’ રામજીએ કહ્યું, ‘ઈ રેલવેની એટલી સાચવણ સારી, નહીંતર આપણા સુધી પહોંચે ખરી?’

સૌએ મીઠાઈ ખાધી, જીવલાના વખાણ કર્યાં અને રાતના ભજનના કાર્યક્રમની તૈયારીમાં સૌ પડી ગયા.

ટ્રેન મોડી પડતાં ઉશ્કેરાયેલા એક પેસેન્જરે સ્ટેશન માસ્તરની ઓફિસમાં પ્રવેશી રેલવેનું ટાઈમટેબલ ટેબલ પર પછાડી પૂછ્યું, ‘આ બધી ટ્રેનો તો મોડી આવે છે. પછી આ ટાઈમટેબલનો અર્થ શો છે?’ અનુભવી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘આ ટાઈમટેબલ છે એટલે તમે જાણી શકો છો કે કઈ ટ્રેન કેટલી લેટ છે. ટાઈમટેબલ ન હોય તો કેમ જાણ શકત?’

અમારા ગામના મોહનલાલ તરંગી હતા. તેમને ક્યારે શું ધૂન ચડે એ નક્કી નહીં. એક વાર હાથમાં થેલી લઈ મોહનલાલ રેલવેના પાટે પાટે રવાના થયા. રેલવે પોલીસ પરબતસિંહને શંકા થઈ. તેમણે મોહનલાલનો પીછો પકડ્યો. મોહનલાલને ઊભા રાખી પોલીસમૅને પૂછ્યું, ‘એય ક્યાં જવું છે?’ મોહનલાલે સીધો જવાબ આપ્યો. ‘આત્મહત્યા કરવા. બસ મારે નથી જીવવું.’ પરબતસિંહ કહે, ‘આત્મહત્યા કરવી છે? આત્મહત્યા કરવી એ ગુનોે છે એ તો ખબર છે ને? અને આ સાથે શું લીધું છે?’ મોહનલાલે ભોળાભાવે કહ્યું, ‘સાહેબ, અત્યારે ગાડીઓનો શો ભરોસો? એટલે મેં સાથે ભાતાનો ડબ્બો રાખ્યો છે. ટ્રેન મોડી હોય તો ખાઈ તો લેવાય!’ ત્યાં મોહનલાલને ગોતવા નીકળેલાં સ્વજનો આવી પહોંચ્યાં અને મોહનલાલને સમજાવી ઘેર લઈ ગયા.

અતિશય ઉતાવળ કરી સમયસર સ્ટેશન પર પહોંચીએ અને જાહેર કરવામાં આવે કે ટ્રેન બે કલાક લેટ છે ત્યારે મનમાં જે વ્યાકુળતા વ્યાપે છે તેને કઈ રીતે દૂર કરવી એ સમસ્યા થઈ પડે છે, પરંતુ મહાપ્રયાસે સમયસર સ્ટેશન પહોંચો અને આખી ટ્રેન જ કૅન્સલ થાય ત્યારે શું કરવું?

તા. ૧૧-૭-૦૬ની રાત્રે હું મારા મિત્ર પરેશ ઠક્કર સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો અને જાણ્યું કે અન્ય ટ્રેનો સાથે સૌરાષ્ટ્ર મેલ પણ કૅન્સલ થયો છે ત્યારે મારી સ્થિતિ કફોડી થઈ. ઝરમર વરસતા વરસાદમાં એક લકઝરીની ૧૨ તારીખની ટિકિટ લઈ અમે ઘેર ગયા. ટીવી ચાલુ કર્યું. મુંબઈ બૉમ્બબ્લાસ્ટનાં કરુણ દૃશ્યો જોયાં. સ્વજનોનાં આક્રંદ, આંસુ અને યાતના જોયાં. માનવસર્જિત હિંસાના હુતાશનમાં અણમોલ જિંદગીના અરમાનોને ખાક થતાં જોયાં. આંખમાંથી અશ્રુની ધારા વહી અને તરત જ હું મારી વ્યથા વીસરી ગયો. મને થયું, હું તો ૧૨ને બદલે ૧૩ જુલાઈના રોજ ઘેર પહોંચીશ, પરંતુ આ ૧૧ જુલાઈ, ૨૦૦૬ના અમંગળ મંગળવારે જે ઘેરથી નીકળ્યા અને સાંજે ઘેર પહોંચી જ નથી શક્યા, તેમના પરિવારનું શું?

આજ સુધી ઉત્સાહથી જીવન જીવતાં, ચેતનાથી ધબકતા, કુટુંબ સાથે કલ્લોલ કરતાં અનેક સ્વજનો સ્મૃતિની ફ્રેમમાં ફોટારૂપે અચાનક મઢાઈને સ્થિર થઈ ગયાં. ફોટા પર પહેરાવેલ હાર, પાસે પ્રગટાવેલા દીપકની જ્યોત, હૈયા જેમ સળગતી અગરબત્તીના અંતરમાંથી ઊઠતી ધૂમ્રસેરો, આપ્તજનોનાં આંસુ, આક્રંદ અને ઝરણાંની જેમ હંમેશ માટે વિદાય થયેલાં, વિખૂટાં પડેલાં સ્વજનોને અલવિદા.

Wednesday, September 17, 2014

અચલ રહા જો અપને પથ પર -- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112524

સલામતીના કોચલાની બહાર નીકળીએ તો અસલામતી ઊભી થાયને?

નિર્બળ, નિરર્થક, નિર્માલ્ય વિચારો જ જીવનનું નિકંદન કાઢી નાખે છે. જીવનને નષ્ટ કરી નાખે છે.

ઉત્તમમાં ઉત્તમ જીવન જીવવાની જે જે સંભાવના હોય છે એ સંભાવનાના છોડને મૂળમાંથી કાતરી ખાનાર નબળા વિચારના ઝેરી જંતુઓ હોય છે.

સ્ટેજ પર પ્રથમ વાર બોલવા ઊભા થનારના પગ ધ્રૂજે છે. અવાજ લથડે છે. માથું ભમે છે. વિચારોનું સંકલન તૂટી જાય છે. પણ સંભવ છે તેનામાં જ કોઈ સમર્થ વક્તા થવાની સંભાવના છુપાયેલી હશે! ટેસ્ટ મૅચમાં હાથમાં બેટ લઈ પ્રથમ વાર જ રમનાર ખેલાડીના હૃદયના ધબકારા વધી જાય છે. પરસેવો વળી જાય છે. બેટ પરની પકડ ઢીલી થઈ જાય છે. આત્મવિશ્ર્વાસ ડગી જાય છે, પરંતુ એ જ ખેલાડી ભવિષ્યનો મહાન ક્રિકેટર પણ બની શકે છે. શૂટિંગની તૈયારીઓ થઈ રહી હોય અને મેકઅપ કરી તૈયાર ઊભેલા પ્રથમ વાર કેમેરા સામે આવતા અદાકારની આ જ હાલત હોય છે. પ્રેમીનો રોલ ભજવવાનો હોય છે. હૃદયમાં ડર સિવાય કાંઈ હોતું નથી. જે ઊર્મિઓ ચહેરા પર હિરોઈન સમક્ષ પ્રદર્શિત કરવાની હોય છે તેનો ચહેરાના ભાવ અને સંવાદો સાથે ક્યાંય મેળ ખાતો નથી.

મારા મિત્ર ચમનને અમે શેઠ પ્રવીણચંદ્રનું પાત્ર આપેલું. એનો સંવાદ હતો, "હું હજી જમ્યો નથી. આટલું બોલવાનું હતું પણ ચમન બોલ્યો, "હું હજી જન્મ્યો નથી. ખલાસ. નાટકની મજા મારી ગઈ. મારા મિત્ર વિનુભાઈ મહેતા બોલવામાં બીજાનો વારો આવવા નથી દેતા, પણ માઈક સામું મૂકો એટલે તરત બોલતા બંધ થઈ જાય છે. ઓટલે બેસીને ચર્ચા કરતી બહેનો પાસે ટેપ રેકોર્ડર મૂકી અને ચાલુ કરી જણાવી દ્યો કે તરત વાતો બંધ થઈ જશે.

અરે, ઑડિયન્સ સામે બોલવાની ક્યાં વાત કરવી? પરિચિત યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકવામાં ધરતી આખી ચકરાવે ચડી હોય એવું લાગે છે. યુદ્ધ પહેલાં અર્જુનની દશા થઈ હતી એવી હાલત થઈ જાય છે. શા માટે આમ થાય છે? કોર્ટમાં પ્રથમ વાર દલીલ કરવા ઊભા થતા વકીલ, મેદાન પર ઊતરતા ખેલાડી, કેમેરા સમક્ષ અભિનય કરતા કલાકાર, જાહેરમાં બોલવા ઊભા થતા વક્તા વગેરેની આવી તકલીફ કેમ થાય છે? એક જ ડર છે મનમાં - નિષ્ફળતાનો. ફજેતો થશે તો? લોકો હાંસી ઉડાવશે તો?

નિષ્ફળતાનો વિકરાળ પંજો જાણે ગળા ફરતો ફરી વળતો હોય એવું લાગે છે. શ્ર્વાસ રૂંધાવા માંડે છે. તો પછી આવી વિકટ પરિસ્થિતિ સર્જવા શા માટે દેવી? શી જરૂર છે મેદાનમાં રમવા જવાની! શેરી શી ખોટી છે? શું જરૂર છે કેમેરા સામે ઊભા રહેવાની? આગળ વધવાની આકાંક્ષા જ નિર્મૂળ કરી નાખવાથી આ તમામ સમસ્યાઓ હલ થઈ જશે.

સલામતીના કોચલાની બહાર નીકળીએ તો અસલામતી ઊભી થાય ને? માનવીનું મન હંમેશાં સલામતીની ઝંખના કરે છે. અમે વિમાનમાં એન્ટવર્પ જતાં હતાં. મારી પાસે કરસનકાકા બેઠા હતા. રાત્રિના અઢી વાગ્યે સહાર એરપોર્ટથી વિમાન રવાના થયું. પછી તો ફ્લાઈટ એટલી સ્ટેડી હતી કે કરસનકાકાએ મને હલબલાવીને પૂછ્યું, "એ હેંડે છે કે ઊભું છે. મેં વળી ડાહ્યા થઈને ઉમેર્યું કાકા, એક કલાકના એક હજાર કિલોમીટરની ઝડપથી હેંડે છે. કરસનકાકા ગભરાઈ ગયા. એમને સ્પીડ ઘણી લાગી. એ ચિંતામાં પડી ગયા. મને ધીરે રહીને કહે, "તમે અંદર જઈને કો’ને ધીરે હલાવે, આપણે ક્યાં પહોંચવાની ઉતાવળ છે! કરસનકાકાના મનમાં અસલામતી ઊભી થઈ ગઈ. મને પસ્તાવો થયો. મેં કહ્યું, "એ તો હમણાં ધીમું પડી જશે. ચિંતા કરશો મા. આ સાંભળી એમને થોડી નિરાંત થઈ. વિઠ્ઠલને નાના આંતરડામાં અલ્સર હતું. તેનું ઑપરેશન કરવાનું હતું. અમે બધાં વિઠ્ઠલને મળવા ગયા. વિઠ્ઠલ સાવ મોળો પડી ગયો હતો. સગાસંબંધી હિંમત આપતાં હતાં, "વિઠ્ઠલ! જરાય મોળો પડીશ નહિ, મરદ કોઈ દી પાછા નો પડે. એમાં વળી મગનકાકા કહે, "જો ડૉક્ટર ટોપી સુંઘાડે તોય બેભાન થઈશ નહિ. નકર વેતરી નાખશે, કાકાએ ઠોંસો માર્યો, "તમને તે બોલવાનું ભાન છે કે નહિ? બીજાની સમજણ, બીજાની હિંમત, બીજાની શિખામણ આપણને કામ નથી આવતી. માનવી ગમે તે વાંચે, ગમે તેને સાંભળે, ગમે તેટલી શિખામણ યાદ રાખે પણ સરવાળે કરે છે પોતાની સમજણ પ્રમાણે જ.

જીવનમાં સફળતાની ઝંખના એને સલામતીના કિલ્લામાં રહેવા નથી દેતી અને અસલામતીમાં નિષ્ફળતાની શંકા એને સુખે સૂવા નથી દેતી. માનવીનું વ્યક્તિત્વ રહેંસાઈ જાય છે. દ્વિધા ઊભી થાય છે. કોન્ટ્રાડિક્શનમાં ઊર્જાનો વધુમાં વધુ વ્યય થાય છે. જીવનમાં જ્યાં પહોંચવું હોય તેની ઝંખના જ્યારે એટલી હદે તીવ્ર બની જશે ત્યારે રસ્તામાં આવતી કોઈ પણ મુશ્કેલીને ગણકારશે નહિ.

બાધાએં કબ બાંધ સકી હૈં,

આગે બઢને વાલોં કો,

વિપદાએં કબ રોક સકી હૈં

પથ પર ચલને વાલોં કો.

માનવીની ઝંખના જ તેના ધ્યેય સુધી પહોંચવાનો પંથ બની જાય છે.

અચલ રહા જો અપને પથ પર,

લાખ મુસીબત આને મેં,

મિલી સફલતા જગ મેં ઉસકો,

જીને મેં મર જાને મેં.

પહાડ પરથી નીકળેલી નદી સમુદ્રને મળવા માટે અનેક અંતરાયો ઓળંગી જાય છે. અનેક અવરોધો વટાવી જાય છે. "દરેક આપત્તિને તેનો અંત હોય છે. આ વાત નદી પોતાની મેળે જ શીખી લે છે. પોતાના વિષય વિષે પૂરતું જ્ઞાન મેળવનાર વક્તા ગભરાતા નથી. પૂરતી પ્રેક્ટિસ કરીને મેદાનમાં ઊતરતો ક્રિકેટર ડરતો નથી, સંગીતની રાત-દિવસ રિયાઝ કરનાર કલાકારને ક્ષોભ થતો નથી. અનેક વાર નિષ્ફળ ચિત્રો દોરી ચૂકેલો ચિત્રકાર સરળતાથી સફળ ચિત્રો બનાવે છે. સંવાદો આત્મસાત્ કરનાર અભિનેતા મૂંઝાયા વગર પોતાના અભિનયમાં ઓતપ્રોત થઈ શકે. સ્થળને, સમયને અને સ્વયંને વીસરી જનાર જ કાંઈક અનોખું સર્જન કરી શકે છે.

અમે નાટક ભજવતાં હતાં - ‘રખેવાળ’. એમાં ગ્રામ રક્ષક દળના બહાદુર જવાનો બહારવટિયાઓનો સામનો કરે છે. બહારવટિયા ગામ ભાંગવા આવે છે તેને જુવાનો લલકારે છે. ગામને ખાતર જાનફેસાની કરનાર અમે જુવાનો બન્યા હતા. અમારામાંના એક જુવાન ખેમરાજે કહ્યું: "ખબરદાર આગળ વધ્યો છો તો! જ્યાં સુધી અમારા દેહમાં લોહીનું એક ટીપું બાકી છે ત્યાં સુધી મજાલ નથી કોઈના બાપની કે આ ગામમાં પગ મૂકી શકે. બહારવટિયો બીજલ કહે: "જુવાનો, તમારાં માબાપને પૂછીને આવ્યા છો? હટી જાવ અમારા રસ્તામાંથી. નહિતર હમણાં બંદૂકની એક એક ગોળી સાથે તમારા જીવતરનાં અરમાન પૂરાં થઈ જશે. બહારવટિયાનો પડકાર ઝીલી અમારા જુવાનોમાંથી નટવરલાલને શૂરાતન ચડ્યું અને પોતાના પાત્રમાં ન હોય એવું નટુ બોલવા માંડ્યો.

"બીજલ, તને નામર્દો ભેટ્યા હશે પણ મર્દ ભેટ્યા નથી; તને નિર્માલ્યો ભેટ્યા હશે પણ નરવીર કદી ભેટ્યા નથી, આ બે જ સંવાદ નટુ બોલ્યો ત્યાં ઑડિયન્સમાંથી તાલીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. નટુ જોશમાં આવી ગયો અને છપ્પો બોલ્યો:

‘સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં,

હાંક મારી સાંભળી સિંહ થરથરે મેદાનમાં.

Friday, August 22, 2014

અમારો વિમાન પ્રવાસ ---- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

તા ૪ નવેમ્બર, ૧૯૮૮ના રોજ ડૉ. સી. ટી. ચુડગરસાહેબના નિવાસથાન ‘સોરાબ હાઉસ’માંથી મેં ડૉક્ટરસાહેબની ભાવભીની વિદાય લીધી. આંખમાં હર્ષનાં આંસુ સાથે મને ભેટીને લોકસાહિત્યના એ ચાહક સ્વજને પ્રવાસની શુભેચ્છા પાઠવી. હું સહાર એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પરની જરૂરી વિધિ પૂરી કરી, વિમાનમાં ગોઠવાયો. ચારસોની કેપેસિટીનું, જમ્બોેજેટ વિમાન ‘હિમાલય’માં અમે માત્ર પંચોતેર જ પેસેન્જર હતા. મુંબઈ-લંડનની શરૂ થયેલી ફ્લાઈટની આ પ્રથમ ફ્લાઈટ હતી, જ્યાં જુઓ ત્યાં જગ્યા હતી. ઘરધણીએ વધુ રાંધ્યું હોય અને મહેમાન જાનમાં ઓછા આવે ત્યારે વેવાઈ જેમ આગ્રહ કરી કરીને ખવરાવે તેમ એરહોસ્ટેસો આગ્રહ કરતી હતી.

મારા મિત્ર મથુરના મોટા ભાઈ ચતુરનાં લગ્નમાં પણ આમ જ થયેલું. જાનમાં માત્ર દસ જણ જ ગયેલા. મથુરના પિતા પીતામ્બર બાપા અતિ લોભી પ્રકૃતિના. કોઈને કીધું જ નહીં. માત્ર ઘરના જ માણસો ગયેલા. વેવાઈ વ્રજલાલનું ખોરડું ગામમાં ખાનદાન ગણાતું. તેમને થયું બીજા કદાચ સ્પેશ્યલ બસમાં આવવાના હશે. વ્રજલાલે પીતામ્બર બાપાને પૂછ્યું, ‘બીજા જાનૈયાઓ ક્યાં છે?’ પીતામ્બર બાપા કહે, ‘જે ગણો ઈ આ દસ છે. ગામમાં રોગચાળાની જેમ લગનગાળો ફાટી નીકળ્યો છે. તે આટલા તો માંડ જડ્યા. આ વરરાજાને પરાણે સમજાવીને લાવ્યા છીએ. નહીંતર એ પણ એના ભાઈબંધનાં લગ્નમાં જાવાનો હતો.’

વેવાઈ ડાહ્યા માણસ.ખાનગીમાં સૌને જણાવ્યું કે, ‘વાત બહાર જાય નહીં. પણ ત્યાં અમંગળ પ્રસંગ બની ગયો છે. એટલે બાકીના જાનૈયા નથી આવ્યા. લગ્નનું મૂરત સાચવી લેવા આટલા જ આવ્યા છે.’ તે દિવસે અમને રાતે વેવાઈએ પરાણે જમાડ્યા હતા. એ જ રીતે આજે એરહોસ્ટેસ બહેન આગ્રહ કરી રહી હતી. 

કરસનકાકા મારા હમસફર હતા. અસલ ચરોતરના ખેડૂત. સાવ દેશી માણસ માત્ર ધોતિયું અને ઝભ્ભો પહેરેલાં. સામાનમાં માત્ર બગલથેલો, મને ઊંડેઊંડે થોડો અહં ખરો કે હું એકલો લંડન જઈ રહ્યો છું. એમાં કરસનકાકાએ મને પૂછ્યું, ‘તમે ભણેલા છો?’ તેમના પ્રશ્ર્નથી મારી અહંની પ્રતિમા માથે એક આઘાત થયો. મેં કહ્યું ‘હા, ગ્રેજ્યુએટ છું.’ કરસનકાકા કહે, ‘લ્યો વાંચો ટિકિટ’.

મેં વાંચ્યું અને ઠરી ગયો. કરસનકાકા લોસ એન્જલસ જઈ રહ્યા હતા. જમવાની ડિશો આવી. અમે સારી રીતે જમ્યા. જમીને નિરાંતે વાર્તાએ વળગ્યા. કરસનકાકાને વાતો કરવાનો ભારે શોખ, પરંતુ વચ્ચેવચ્ચે બંને બાજુની બારીઓમાં જઈને બહાર જોવા પ્રયત્ન કરતા. મેં આનું કારણ પૂછ્યુું ત્યારે ફ્લાઈટ શરૂ થયા બાદ એક કલાક પછી તેમણે પૂછ્યું, ‘આ હેંડે છે કે ઊભું છે?’ ખરેખર વિમાન એવું સ્થિર અને એકધારી ગતિએ ઊડતું હતું કે બેસનારને ખબર જ ન પડે. કરસનકાકાને મેં જણાવ્યું કે ‘આ વિમાન એક કલાકથી ઊડે છે. અને એ પણ કલાકના એક હજાર કિલોમીટરની ઝડપે ઊડે છે.’ કરસનકાકા મૂંઝાઈ ગયા. તેમને ગતિ વધુ લાગી. તેમણે કહ્યું, ‘તે જરા કો’ને ધીમું હલાવે. આપણે ક્યાં ઉતાવળ છે.’ હજી એમને શંકા હતી કે વિમાન ઊભું છે. એટલે તેમણે પૂછ્યું. ‘તમે કહો છો તેમ હેંડ્યું હોય તો આમ ઊંચુંનીચું કેમ નથી થાતું?’ મે ંકહ્યું, ‘ઊંચુનીચું કરીને શું કરવું છે? એમ થાય તો નહીં સારું. આ હંડે છે એ જ બરાબર છે.’

વિઝા માટે આખો દિવસ રઝળપાટમાં રોકાયો હોવાથી, લાંબા પ્રવાસની છેલ્લી તૈયારીઓમાં આખો દિવસ અને રાત્રિના પણ કામ કરીકરીને હું થાકી ગયો હતો. વિમાનમાં જગ્યા તો પુષ્કળ હતી. ફળિયામાં ખાટલો ઢાળીને મે’માન સૂઈ જાય એમ અમે ચાર સીટના વચલા હાથા ઊંચા કરી એક સીટ બનાવી. હું અને કરસનકાકા અમારી જગ્યાએ સૂઈ ગયા. ઠંડી લાગતી હતી. અમારી મુશ્કેલી સમજીને ભલી એરહોસ્ટેસ બહેન મને અને કરસનકાકાને એક એક બ્લેન્કેટ ઓઢાડી ગઈ. કરસનકાકા મને કહે, ‘સવારના આ પાછું તો નહીં લઈ લેને?’ મેં કહ્યું, ‘સવારની વાત સવારે અત્યારે સૂઈ જાવ.’ આખા દિવસના થાકને લીધે મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે મારો પગ કોઈ પકડીને હલાવતું હોય તેમ લાગ્યું એટલે હું ઊઠી ગયો. જોયું તો એક બાળક મારો પગ પકડીને હલાવતું હતું. ઘણું તંદુરસ્ત અને નટખટ હતું. હું તેની સામું જોઈ હસ્યો. તરત જ એક સરદારજીએ આવી મને કહ્યું, ‘માફ, કરના, મુન્ના બડા શરારતી હૈ.’ મેં કહ્યું, ‘કોઈ બાત નહીં. બડા પ્યારા બચ્ચા હૈ.’ સરદારજી તેમના બાળકને લઈ ગયા પછી મેં કરસનકાકાનું બ્લેન્કેટ ખેંચ્યું. એ તરત ઊઠી ગયા. અને આંખો ચોળી ચારે તરફ જોવા લાગ્યા. મેં માન્યું કે હજી સપનું જોતા હોય એમ લાગે છે. મેં પૂછ્યું, ‘સપનું જોતા હતા?’ કરસનકાકા કહે, ‘હા, સપનું આવ્યું, તું?’ મને રસ પડ્યો. મેં પૂછ્યું, ‘શું જોયું સપનામાં?’ કરસનકાકા કહે, ‘ખીલેથી ભૂરી ભેંસ છૂટી ગઈ અને મારું ઓઢવાનું ગોદડું મંડી ચાવવા, એવું સપનું આવ્યું’તું. ચાદર ખેંચાણી ત્યાં આંખ ઊઘડી ગઈ.’ ત્યાં તો ‘આપણે લંડન આવી પહોંચ્યા છીએ. થોડી જ વારમાં આપણું વિમાન હિથરો એરપોર્ટ પર ઊતરશે, પટ્ટા બાંધી લેશો, જગ્યા પરથી ઊઠશો નહીં. બહારનું તાપમાન...’ વગેરે સૂચનાઓ જાહેર થવા લાગી. 

હું અને કરસનકાકા પણ તૈયાર થઈ ગયા. કરસનકાકાએ વસવસો રજૂ કર્યો, ‘ગુલાબ ચકરી ના આલી.’ એરહોસ્ટેસે એ સાંભળી લીધું અને જઈને પિપરમીન્ટ લઈ આવી. નાનાં બાળકો પાચીકાનું ગજવું ભરે તેમ કરસનકાકાએ ઝભ્ભાનું ખિસ્સું ભરી લીધું. એરહોસ્ટેસને આ જોઈ હસવું આવ્યું.

મેં અંગ્રેજીમાં એરહોસ્ટેસને પૂછ્યું, ‘તમને કેમ ખબર પડી કે કાકાને પિપરમીન્ટ જોઈએ છે?’ એ બહેને કહ્યું, ‘હું ગુજરાતી જાણું છું.’

હું, હાસ્યકાર કિરીટ વ્યાસ અને તબલા આર્ટિસ્ટ ડાહ્યાભાઈ વાગડિયા વિમાનમાં દુબઈ જઈ રહ્યા હતા. અમે અમારી સીટ પર ગોઠવાયા. પટ્ટા બાંધવાની સૂચના મળી. મેં ડાહ્યાભાઈને સૂચના સમજાવી. ડાહ્યાભાઈએ ગંભીર થઈને કહ્યું, ‘પણ મેં તો લેંઘો પહેર્યો છે.’ મેં કહ્યું, ‘પાટલૂનનો પટ્ટો નહીં, આ સીટના પટ્ટા બાંધવાનું કહે છે.’

મારે પણ પહેલી વાર ગોટાળો થયો હતો. પટ્ટા બાંધવાની સૂચના મળતાં મેં પટ્ટા ગોતવા પ્રયાસ કર્યો તો એક છેડો મારા ડાબા હાથ તરફનો હાથમાં આવ્યો. અને બીજો છેડો મારી પાસેની સીટ પર બેેઠેલા વૃદ્ધનો જમણી બાજુનો છેડો હાથમાં આવ્યો. મેં પટ્ટો બાંધવા આંચકો માર્યો એટલે એ મારા ઉપર પડ્યા. એ મારા પર ગુસ્સે થયા. મેં સોરી સોરી કહી એમને શાંત પાડ્યા. મને મારી મૂર્ખાઈ જોઈ દુ:ખ થયું. ત્યા એક મેડમ ઉપરનું ખાનું ખોલવા મથતાં હતાં, પણ તેમનાથી એ ખૂલ્યું નહીં. તેમણે મારા તરફ જોયું. મેં એમની આંખોમાં અસહાયતાના ભાવો વાંચ્યા. સ્ત્રી-સન્માનની મારી ઉમદા ભાવના જાગી ઊઠી. મને થયું હમસફર હમદર્દ હોવા જોઈએ. હું ઝડપથી ઊભો થયો. પણ ઉત્સાહના અતિરેકમાં એ ભૂલી ગયો કે પટ્ટો બાંધ્યો છે. જેવો ઊભો થયો તેવો જ પાછો પડ્યો. જેણે જોયું એ હસ્યા. એ મેડમ પણ હસ્યાં. અને મેં કોઈને પણ કાંઈ સહાય ન કરવાનું નક્કી કર્યું. ૮૦૦૦ કિ.મી.નું અંતર ૯ કલાક ૧૨ મિનિટમાં પૂરું થયું, અમે લંડન આવી પહોંચ્યા. જરૂરી સૂચનાઓનું પ્રસારણ થવા માંડ્યું. એરક્રૂઝની ચહલ-પહલ વધી ગઈ.

વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવતું જતું હતું. હવે લંડન શહેર પણ જોઈ શકાતું હતું. અમારું વિમાન હિથરો એરપોર્ટ પર ઊતર્યું. હું અને કરસનકાકા જુદા પડ્યા. મેેં એરપોર્ટ પરથી ડૉ દિલીપભાઈ ગઢવીને ફોન કર્યો. તેમણે કહ્યું, ‘વેઈટિંગ પોઈન્ટ પર રાહ જુઓ. જબ્બરભાઈ તમને તેડવા રવાના થાય છે.’ જબ્બરભાઈ આવ્યા અને મળ્યા. 

અને અમે હિથરોથી ઈલફર્ડ જવા રવાના થયા. હું ૧૯૮૦માં લંડન આવેલો. આજે ૧૯૮૮માં ફરી આઠ વર્ષે અહીં આવવાની તક મળી. પરિચિત સ્થાનો પાસેથી પસાર થતાં અમે ઈલફર્ડ આવ્યા. ડોક્ટરસાહેબના બંગલે પહોંચ્યા. ગેસ્ટરૂમમાં સામાન મૂક્યો. ઘેર કોઈ નહોતું. મને મૂકી જબ્બરભાઈ રવાના થયા. મેં પથારીમાં લંબાવ્યું અને પડ્યા પડ્યા પ્રવાસની નોંેધ પૂરી કરી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=114932

વગડાની વાતો --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકે, જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે

પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર સોળે કળાએ પ્રકાશી રહ્યો હતો. ગંગાનાં જળમાં પડતાં ચાંદનીનાં કિરણો ગંગાના તરંગોને રંગે રંગી રહ્યાં હતા. કિનારાનાં વૃક્ષોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબો અનેરાં દૃશ્યો સર્જતાં હતા. નજીક જણાતા કિનારા દૂર ક્ષિતિજમાં દેખાતા પહાડોમાં મળી જતા હતા. 

ગંગાના પ્રવાહમાંયે એક હોડી તરી રહી હતી. એ હોડીમાં વળી પર્ણકુટિ હતી. એ પર્ણકુટિમાં એક જાજરમાન વ્યક્તિ કોઈ અણમોલ ગં્રથનાં પાનાં ફેરવવામાં મશગૂલ હતી. સામે ટેબલ પર મીણબત્તીનો પ્રકાશ ગં્રથનાં પૃષ્ઠોને અજવાળતો હતો. વાંચનમાં મગ્ન બની ગયેલ વ્યક્તિની લાંબી દાઢી, વાંકા વાળ, અણીદાર નાક, વિશાળ ભાલ અને કાંઈક શોધવા મથતા કરુણાપૂર્વ-નેત્રો - વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ હોઈ રાજર્ષિ જેવું હતું. એ હતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. સૌંદર્ય એટલે શું? આ પ્રશ્ર્નનો ઉત્તર મેળવવા એ મીણબત્તીના પ્રકાશમાં કોઈ ગં્રથના પૃષ્ઠો ફેરવી રહ્યા હતા. ચહેરા પરની મૂંઝવણના ભાવો એમ ને એમ હતા. એ દર્શાવતા હતા કે સમસ્યાનો ઉકેલ પુસ્તકમાંથી મળતો નહોતો. અચાનક ગુરુદેવનું ધ્યાન પર્ણકુટિમાં પ્રવેશેલા ચંદ્રના પ્રકાશ તરફ ગયું. એમણે મીણબત્તી બુઝાવી નાખી અને બહાર નીકળ્યા. બહાર આવીને એમણે ચંદ્ર જોયો. પરમાત્માની વરસી રહેલી કરુણા જેવી ચાંદની જોઈ. સ્વપ્નલોક જેવા દૂર દેખાતા પહાડો જોયા અને સદાનાં સંગાથી વૃક્ષો જોયા. ગંગાના તરંગોમાં વેરાયેલો ચાંદનીનો અણમોલ ખજાનો જોઈ ગુરુદેવનું હૃદય આનંદમાં ઝૂમી ઊઠ્યું. તેમને થયું આ જ સૌંદર્ય! આ જ સર્જનહારનું સર્જન! એમણે વિચાર્યું અત્યાર સુધી અહમ્ની મીણબત્તીનો પ્રકાશ જ સૌંદર્યના દર્શનમાં અવરોધરૂપ હતો. માનવી અને પ્રભુ વચ્ચે અહમ્નો પરદો ન હોય તો કિરતારની કરુણા, સર્જનહારનું સૌંદર્ય અને પ્રભુની પ્રભુતા તેની સામે જ છે. 

એક સૂફી સંતને અવસ્થા આંબી ગઈ. દેહ ક્ષીણ થવા માંડ્યો, દરદથી ઘેરાઈ ગયો. અંતકાળ ધીરે ધીરે પાસે આવવા લાગ્યો. શિષ્યોના હૈયાં ભરાઈ આવ્યાં. ચાહકોની આંખમાં આંસુ આવ્યાં. સંતને જાણનારા સૌનાં મન વિષાદથી ભરાઈ ગયાં, પરંતુ સંતનું મન સ્વસ્થ હતું. જીવનની સાર્થકતાનો સંતોષ તેમના ચહેરા પર હતો. એમની આંખો જાણે કહી રહી હતી, ‘વર્તમાનમાં ભૂતકાળના કોઈ કર્મથી દુ:ખી હો તો કમસે કમ અત્યારે વર્તમાનમાં તો એ રીતે વર્તો જેથી ભવિષ્યમાં કોઈ દુ:ખ ન આવે.’

શિષ્યો પ્રસંગોપાત સંત સાથે થયેલી ચર્ચા યાદ કરતા સંત કહેતા કે ‘જિંદગીમાં તમે અનેક શાસ્ત્રો જાણી શકશો, અનેક ક્ષેત્રોની માહિતી મેળવી શકશો, પણ એ શાસ્ત્રોના જાણનારને જો જાણવો હશે તો જીવનની કિતાબ વાંચવી પડશે, અનુભવનાં પાનાં ફેરવવાં પડશે. સત્યની કેડી તમારે પોતે કંડારવી પડશે. શ્રદ્ધાના નાનકડા દીવાના અજવાળે આત્મવિશ્ર્વાસથી આગળ વધવું પડશે. આ પંથકનો કોઈ નકશો નથી. ખોટા પંથથી પાછા ફરીને તમારે સાચો પંથ શોધવો પડશે.’

સંતની વિદાયની ઘડી આવી પહોંચી. શિષ્યો ભેગા થઈ ગયા તેમણે પૂછ્યું ‘ગુરુદેવ! આપના પછી અમને જીવનમાં વિકટ સમસ્યાઓનો સામનો કરવાનો આવે તો કોની પાસે માર્ગદર્શન માગીએ?’ સંતે જણાવ્યું. ‘હું તમને આ સત્તર ઊંટ સુપરત કરું છું એના બે ભાગ પાડજો અને સૌથી વૃદ્ધ જે શિષ્યો છે તેમને અર્ધા ઊંટ આપી દેજો. ત્યાર પછી ત્રણ ભાગ પાડજો અને જે પ્રૌઢ શિષ્યો છે તેને ત્રીજો ભાગ આપજો. છેલ્લે તમામ ઊંટના નવ ભાગ કરજો અને સૌથી જુવાન શિષ્યોને આપી દેજો.’ સંત આવી વધુ વિગત આપે તે પહેલાં તેમણે આંખ મીંચી દીધી. શિષ્યો ચોધાર આંસુએ રડ્યાં. 

થોડા દિવસ તો એમ ને એમ શોકમાં પસાર થયા, પણ પછી સંતે જણાવેલ વાત પર સૌ વિચાર કરવા લાગ્યા. સત્તર ઊંટના ન અર્ધા થાય. ન ત્રીજો ભાગ, ન નવમો ભાગ થાય. તેમનાથી તો સમસ્યા હલ ન થઈ. બધા શિષ્યો જુદા જુદા લોકોને મળ્યા. પણ કોઈ ઉકેલ લાવી શક્યું નહીં. આખરે સૌ એક સજ્જન પાસે આવ્યા જે દયાળુ હતા, અલ્લાહની ઈબાદતમાં જિંદગી ગુજારતા હતા. તેમનું જીવન સાદું અને સરળ હતું. તેઓ ન્યાયી હતા. આ સજ્જન પાસે શિષ્યો આવ્યા. સાથે સત્તર ઊંટ પણ લાવ્યા. તમામ વિગત જણાવી તેમની સમસ્યા હલ કરવા વિનંતી કરી. 

સજ્જને હસીને સૌને આવકાર આપ્યો. આગતાસ્વાગતા કરી. પછી સમસ્યા જાણી અને કહ્યું. ‘ઘણી સરળ વાત છે. આમાં મૂંઝવતો સવાલ નથી.’ સૌપ્રથમ તો સજ્જને એક નોકરને એક ઊંટ લઈ આવવા હુકમ કર્યો. નોકર ઊંટ લઈ આવ્યો એટલે તેમણે જણાવ્યું. આ સત્તર ઊંટ સાથે તેને પણ સામે ઊભો રાખી દે. ‘પછી તેમણે શિષ્યોને પૂછ્યું, હવે કેટલા ઊંટ થયા?’ શિષ્યો કહે, ‘અઢાર’ ‘તો પછી પાડો અઢારના બે ભાગ.’ બે ભાગ પાડ્યા, નવ અને નવ. ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને આપો. સજ્જને સૂચનાઓ આપવા માંડી. શિષ્યોએ એ પ્રમાણે કાર્ય કરવા માંડ્યું. ‘હવે અઢારના ત્રણ ભાગ પાડો. છ ઊંટ પ્રૌઢાને આપો. હવે અઢારના નવ ભાગ ભાગ પાડો. બે ઊંટ જુવાનોને આપો. કુલ કેટલા ઊંટ આપ્યા?’ શિષ્યો કહે, ‘પ્રથમ નવ, પછી છ અને છેલ્લે બે. નવ ને છ પંદર અને બે સત્તર.’ તરત તે સજ્જને જણાવ્યું, ‘હવે જે ઊંટ વધ્યો તે મને પાછો આપી દ્યો.’ શિષ્યોએ તેમ કર્યું. સમસ્યા હલ થઈ ગઈ. 

સમસ્યા હલ કરનાર સજ્જન હતા હજરત અલીસાહેબ. તમારા શિષ્યો તે દિવસથી તેમના અનુયાયી બની ગયા. 

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકી જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે. 

શાસ્ત્રો વિષે જાણવું હોય, વિવિધ ક્ષેત્રની માહિતી મેળવવી હોય, જુદા જુદા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તો અનેક પુસ્તકોનું વાંચન આવશ્યક છે. ઊંડા અનુભવો જરૂરી છે, પરંતુ પોતાના વિષે જાણવું હોય તો? જિવાતા જતા પોતાના જીવનનું તટસ્થ ભાવે નિરીક્ષણ કરવું જરૂરી છે. વાણી ભાવોને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ નથી. ચિત્ર દ્વારા, શિલ્પ દ્વારા, નૃત્ય દ્વારા, અરે રાગના બંધનમાં બંધાય નહીં કે ભાષાની મર્યાદામાં સમાવી ન શકાય એવા સંગીત દ્વારા ભાવોની અભિવ્યક્તિ થાય છે. 

એક મહાત્મા ધર્મ, કરુણા અને પ્રેમ ઉપર પ્રવચન કરવાના હતા. સામે સમજદાર પ્રેક્ષકોનો વર્ગ વ્યવસ્થિતપણે ગોઠવાઈ ગયો હતો. મહાત્માએ પોતાનું સ્થાન સંભાળ્યું. પ્રવચનની શરૂઆત કરવાની તૈયારી કરી ત્યાં ગમે ત્યાંથી એક રંગબેરંગી સુંદર પંખી આવી ચડ્યું. એ પોતાની મસ્તીમાં ઝૂમી ઊઠ્યું. આમથી તેમ ઉડ્યું. એક સ્થળે બેઠું અને એવી અદ્ભુત સુરાવલી છેડી એ પંખીએ અનોખું ગાન કર્યું કે મહાત્મા અહોભાવથી જોઈ જ રહ્યા. એકચિત્તે પંખીનું ગાન સાંભળી રહ્યાં. પ્રેક્ષકો પણ ગીત સાંભળવામાં તલ્લીન થઈ ગયા. પંખીએ મોજ હતી ત્યાં સુધી ગાન કર્યું અને જેવું આવ્યું તેવું ઊડી ગયું. મહાત્મા અને પ્રેક્ષકો ઘણીવાર સુધી આ ભાવસમાધિમાં રહ્યા. છેલ્લે મહાત્માના ધીરગંભીર શબ્દો સૌને કાને પડ્યા, ‘આજનું પ્રવચન અહીં પૂરું થાય છે.’

શિયાળાની કડકડતી ઠંડી હતી. અમે વગડામાં તાપણું કરીને તાપતા હતા. ખોટવાયેલી અમારી મોટર બાજુમાં પડી હતી. નવુભા સરા કાંઈક સરસામાન કે કોઈ જાણકારને તેડવા ગયા હતા. હું, ડૉ. ઘનશ્યામ રાણા, દલપતરામ જોષી અને દાજીબાપુ ચારે જણા તાપતા તાપતા વાતો કરતા હતા. અમારે સમય પસાર કરવાનો હતો અને એ પણ સારી રીતે પસાર થાય એટલા માટે સૌએ એક એક વાત કહેવાનું નક્કી કર્યું હતું. સૌપ્રથમ ધનુકાકાએ રવીન્દ્રનાથ ટાગોરનો પ્રસંગ કહ્યો. પછી હજરત અલી સાહેબની વાત દલપતરામ જોષીએ કરી. દાજીબાપુ બહુ ઓછું બોલતા છતાં અમારા આગ્રહને વશ થઈ તેમણે પંખીના ગીતની વાત કરી. નાની વાતમાં ઘણું સમજાવી દીધું. હવે મારે કાંઈક કહેવાનું હતું. જ્ઞાન કે વિદ્વત્તાની વાત કહેવાની મારી હેસિયત નહોતી એટલે મેં સાદી વાત રજૂ કરી. 

‘વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા ઊભા થયા. તેમણે જણાવ્યું, ‘માય લૉર્ડ! મારો અસીલ બેગુનાહ છે. જે બંગલામાં ચોરી કરવાનો આક્ષેપ તેના પર મૂકવામાં આવ્યો છે તેમાં ચોરી કરવાનો તેનો મુદ્દલ ઈરાદો નહોતો. ત્યાંથી પસાર થતાં કુતૂહલવશ તેણે બારીમાંથી જોયું. અંદર થોડી આકર્ષક વસ્તુઓ તેણે જોઈ એટલે પોતાના જમણા હાથે તેણે તે વસ્તુઓ આમથી તેમ ફેરવીને જોઈ. ત્યાં ફરજ પરના ચોકીદારે તેને પકડ્યો. ‘ચોર ચોર’ એવી બૂમો પાડી મારા સજ્જન અસીલને માનસિક ત્રાસ પહોંચાડ્યો. કોઈ વસ્તુ તેણે ચોરી નથી, ચોરી કરીને તે બહાર પણ નથી ગયો. જે કાંઈ ગુનો કર્યો હોય તો તેના જમણા હાથે એ વસ્તુઓને અડક્યો તેણે કર્યો છે. માત્ર જમણા હાથે ગુનો કર્યો છે એટલે સજા થાય તો પણ માત્ર જમણા હાથને થવી જોઈએ. આખા શરીરને નહીં.’ જજ સાહેબે વકીલની દલીલ સાંભળી કહ્યું, ‘વિદ્વાન મિત્રે પોતાના અસીલ બચાવમાં સુંદર રજૂઆત કરી છે. એ રજૂઆતને માન્ય રાખી હું આરોપીના માત્ર જમણા હાથને બે વર્ષ સુધી કેદની સજા ફરમાવું છું. હાથની સાથે શરીરના અન્ય ભાગને રાખવો કે ન રાખવો તેની પસંદગી હું આરોપી પર છોડી દઉં છું.’

જજ સાહેબના જજમેન્ટ પર કોર્ટમાં બેઠેલો માનવસમુદાય ખુશ થઈ ઊઠ્યો. જજ સાહેબના ચહેરા પર સ્મિત ફરક્યું, પરંતુ ત્યાં એક અજબ ઘટના બની. આરોપીએ ડાબા હાથે સ્ક્રૂ ખોલી જમણો હાથ અળગો કર્યો. કોર્ટને એ સુપરત કરી આરોપીએ કહ્યું, ‘આપ નામદારના ચુકાદા અનુસાર હું જમણો હાથ સજા માટે મૂકીને જાઉં છું.’ આરોપીનો જમણા હાથ નકલી હતો એ સૌને ત્યારે ખબર પડી. સૌ હસી પડ્યા ત્યાં નવુભા સરસામાન સાથે આવી પહોંચ્યા. મોટર ચાલુ થઈ અમે થાન આવવા રવાના થયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108749

Friday, August 15, 2014

મારો ગધેડો ક્યાંય દેેખાય છે? --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119663

મથુર તેની પત્ની સાથે જતો હતો ત્યાં રસ્તામાં ગધેડા સામા મળ્યા. મથુરને મશ્કરીની ફાવટ નહીં છતાં તેણે પ્રયાસ કર્યો. મથુરે પત્નીને કહ્યું, ‘જો સામેથી તારાં સગાં આવે.’ પત્નીએ કહ્યું, ‘સંગા સાચાં પણ આપણાં લગ્ન થયા પછીનાં’ મથુર શું બોલે?


હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


ઈસપની એક બોધકથા છે.

બાપદીકરો ગધેડું લઈ નીકળે છે. લોકો બંનેને જુએ છે. ગધેડાને નીરખે છે પછી વિચારે છે અને કહે છે. છે ને માળા મૂર્ખ બંને ચાલ્યા જાય છે. બેમાંથી એક ગધેડા પર બેસી જાય તો ન ચાલે? એટલી તો સફરમાં સરળતા રહે. પિતાએ પુત્રને કહ્યું, ‘બેટા તું બેસી જા. હું ચાલ્યો આવું છું.’ પુત્ર પિતાની આજ્ઞા અનુસાર ગર્દભારૂઢ થયો. પ્રવાસ આગળ ચાલ્યો. વળી લોકોના સમૂહની નજર ગઈ. કોઈ બોલ્યું જુવાનજોધ દીકરો ગધેડા માથે બેઠો છે અને વૃદ્ધ બાપ બિચારો ચાલ્યો આવે છે, નવી પેઢીમાં લાજશરમ જેવું કાંઈ રહ્યું જ નથી. દીકરાએ આ સાંભળ્યું અને તરત જ નીચે ઊતરી ગયો. તેણે પિતાને કહ્યું, ‘બાપુ તમે બેસી જાવ.’ બાપ ગધેડો ચડ્યો. પ્રવાસ આગળ ચાલ્યો. ત્યાં પાછું લોકોના સમૂહમાંથી કોઈ બોલ્યું, ‘જુવાન દીકરો બિચારો ચાલ્યો આવે છે અને ઘરડો બાપ ગધેડા માથે લહેરથી બેસી પંથ કાપે છે. ડોસાને લાજશરમ કાંઈ? સાંઈઠે નાઠી ઈ આનું નામ.’ વૃદ્ધ બાપ તરત નીચે ઊતરી ગયો. લોકોની ટીકામાંથી બચવા બંને ગધેડા માથે બેઠા. પ્રવાસ આગળ ચાલ્યો, લોકોએ આ દૃશ્ય જોયું અને કહ્યું, ‘છે બેમાંથી એકેમાં દયાનો છાંટો? મૂર્ખા બેય ગધેડા માથે બેઠા છે. એ અબોલ પશુના નિસાસા લેવા સારા નથી, એ જરાક તો પરભુનો ડર રાખો.’

તરત બાપદીકરો સમજીને નીચે ઊતરી ગયા, સરવાળે ગધેડાને નદીમાં નાખી બેય હાલતા થયા. બંનેએ વિચાર્યું આ ગધેડું છે ત્યાં સુધી લોકો આપણને નિરાંતે જીવવા નહીં દે.

ઈસપનો બોધ એટલો જ કે લોકોની ટીકા પ્રમાણે જીવી ન શકાય, ગમે તેટલું સારું કામ કરો ટીકા કરનારા ટીકા કરશે જ. લાખ રૂપિયા ખર્ચીને લાઈબ્રેરી બનાવો. લોકો તરક કહેશે જરૂર પ્રાથમિક શાળાની હતી અને લાઈબ્રેરીમાં પૈસા વેડફી નાખ્યા. પ્રાથમિક શાળા બનાવો તો કહેશે, ગામને જરૂર છે ટાઉનહૉલની અને નિશાળમાં નાણું નાખ્યું. આવી ટીકાઓથી કંટાળી નિપટ નિરંજન નામના મહાત્માએ વીસ જાજરૂ બનાવ્યા ત્યારે થોડાક એવું કહેનારા નીકળ્યા કે પાયાનું કામ કર્યું. માત્ર ટીકા જ કરનારાએ રાજા રામમોહન રાયની, મહાત્મા ટૉલ્સ્ટૉયની, અબ્રાહમ લિંકનની કે ઘોંડો કેશવ કર્વે જેવા મહાનુભાવોની ટીકા ક્યાં નથી કરી?

પણ મારે તો ગધેડાને કેન્દ્રમાં રાખી તેની આજુબાજુ રચાયેલા પ્રસંગો આલેખવાના છે એટલે હું ફરી ગધેડા તરફ પાછો ફર્યો.

મથુર તેની પત્ની સાથે જતો હતો ત્યાં રસ્તામાં ગધેડા સામા મળ્યા. મથુરને મશ્કરીની ફાવટ નહીં છતાં તેણે પ્રયાસ કર્યો. મથુરે પત્નીને કહ્યું, ‘જો સામેથી તારાં સગાં આવે.’ પત્નીએ કહ્યું, ‘સંગા સાચાં પણ આપણા લગ્ન થયા પછીનાં’ મથુર શું બોલે?

અમારા ગામમાં શામજીનો ગધેડો ખોવાઈ ગયો, વસ્તુ ખોવાઈ જાય ત્યારે તેની કિંમત સમજાય છે. યુવાની વીત્યા પછી, પૈસા વપરાઈ ગયા પછી, સમય વેડફી નાખ્યા પછી આ બધાની કિંમત સમજાય છે.

અમે આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું. મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી ગઈ.

શામજીને ગધેડાની કિંમત સમજાણી. એેણે વાડીએ, સીમમાં, વગડામાં ઘણી તપાસ કરી, ગધેડો ન મળવાથી નિરાશ થયેલા શામજીએ અદેપાળની પીપળ પર ચડીને જાડી ડાળ માથે આસન જમાવ્યું જેથી દૂર દૃષ્ટિ થઈ શકે. દૂર સુધી જોવું હોય તો ઊંચે ચડવું પડે, તળેટીમાં આથમી ગયેલો સૂર્ય પહાડ પરથી જોઈ શકાય છે. પિતાના ખભા પર બેઠેલ નાનો પુત્ર પિતાથી દૂર જોઈ શકે છે. માત્ર આંખો ખુલ્લી રાખે તો.

શામજી ગધેડાના વિચારોમાં ખોવાયેલો હતો. મધુકર શ્ર્વેતાના વિચારોમાં. મધુકર અને શ્ર્વેતા યુવાન પ્રેમી યુગલ ફરતું ફરતું અદેપાળની પીપળ નીચે આવી પહોંચ્યું.

મધુકરે શ્ર્વેતાની આંખોથી આંખો મિલાવી કહ્યું, ‘શ્ર્વેતા મોતી જેવી તારી દંતપંક્તિઓ, ગુલાબની પાંદડી જેવા હોઠ, દીપશિખા જેવી નાસિકા, નિર્દોષ હરિણીની આંખો જેવી તારી સુંદર આંખો, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, મેઘ જેવો કેશકલાપ અને ચંદ્રમા જેવું મુખારવિંદ. પ્રિયે, તારા પ્રેમાળ હૃદયનો પ્રેમ પામ્યા પછી મારે કાંઈ મેળવવાનું રહેતું નથી. પ્રિયે, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. તરત જ ઉપરથી શામજીએ મોટા અવાજે પૂછ્યું, ‘મારો ગધેડો ક્યાંય દેખાય છે.’

‘અત્યારે તો ઉપર દેખાય છે’ એવું ધીમેથી બોલીને બંને ચાલતાં થયાં. પણ બદલુના પ્રસંગમાં તો બદલુનો ગધેડો માંદો પડી ગયો. બે દિવસ કામ ન કરી શક્યો. છેવટે બદલુ તેને છગનલાલ ઘોડા ડૉક્ટર પાસે લઈ ગયો, મણિરામ મા’રાજની રસોળીનું ઑપરેશન કર્યા બદલ કોર્ટે તેમને દંડ કરી સજા કરેલી એટલે છગનલાલને સરકારે નોકરીમાંથી છૂટા કરેલા, છગનલાલ ઘરબેઠા આવે એ દર્દીઓને સાચવી લેતા.

ઘોડા ડૉક્ટરે બદલુ અને ગધેડાને જોઈ પૂછ્યું, ‘કોને તપાસવાના છે?’ બદલુ કહે ‘ગધેડાને’ ડૉક્ટરે ગધેડું તપાસ્યું. આગળ પાછળની હિસ્ટ્રી જાણી, છગનલાલ હિસ્ટ્રી શબ્દ ખાસ વાપરતા. છગનલાલના દવાખાનામાં મોટો સાણસો પણ દીવાલ પર ટાંગેલો જોવા મળતો. ઘરમાં સર્પ નીકળ્યો હોય અને કોઈ જાણ કરે તો ડૉક્ટર પકડીને સીમમાં નાખી આવતા અને માત્ર પાંચ રૂપિયા ફી વસૂલ કરતા.

છગનલાલે ગધેડું તપાસીને કહ્યું, ‘અત્યારે શરદીના વાયરા છે. આ ગધેડાને પણ શરદી થઈ ગઈ છે.’ ડૉક્ટરે બે ગોળીઓ આપી અને એક કાચની નળી આપી બદલુને કહ્યું જુઓ આ નળીમાં બે ગોળી મુકો પછી નળીનો છેડો ગધેડાના મોઢામાં રાખો અને જોરથી ફૂંક મારો. બદલુએ નળીમાં ગોળી મૂકી છેડો ગધેડાના મોઢામાં રાખ્યો ત્યાં અજબ ઘટના બની... બદલુ પહેલાં ગધેડે ફૂંક મારી દીધી.

ગોળી બદલુ ગળી ગયો. એ મંડ્યો ખોખો કરી ઉધરસ ખાવા. બદલુ કહે, ‘સાહેબ ભારે થઈ. ગધેડે પહેલી ફૂંક મારી એટલે ગોળી તો હું ગળી ગયો. હવે શું થશે? ડૉક્ટર કહે ‘કાંઈ નહીં થાય. હું બીજી બે ગોળી આપું છું.’ ડૉક્ટરે ગોળીઓ આપી અને ફૂંક પણ મારી દીધી, ગધેડો સાજો થયો કે ન થયો પણ બદલુને શરીરે ખંજવાળ શરૂ થઈ.

સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના દીવાનસાહેબ, કોર્ટની મહત્ત્વની કાર્યવાહી કરવામાં રોકાયેલા હતા. આખો દિવસ ખૂબ જ કામ રહ્યું. સાહેબ થાકી ગયા, એમણે પટાવાળાને કહ્યું, ‘હવે બાકીના અરજદારોને કાલે આવવા જણાવી દે.’ પ્યુને આવીને કહ્યું, ‘હજૂર માત્ર બે જ અરજદાર બાકી છે.’ પટ્ટણી સાહેબે ક્લાર્કને પૂછ્યું, ‘કેસની વિગત શું છે?’ ક્લાર્ક કહે, ‘હજૂર બે ધોબીભાઈઓ વચ્ચે ભાગ પાડવાની બાબતે કાંઈક વાંધો પડ્યો છે.’ પટ્ટણીસાહેબ કહે, ‘આવવા દ્યો’, બંને ધોબીભાઈઓ આવ્યા, સલામ ભરી ઊભા રહ્યા. પટ્ટણીસાહેબે એટલું જ કહ્યું કે, ‘મલક આખાનો મેલ ધોયો અને તમારો પોતાનો જ અકબંધ રાખ્યો.’ બંને ભાઈઓએ કહ્યું, ‘હજૂર સમજી ગયા, હવે આ રીતે કોઈ દિવસ નહીં આવીએ,’ બંનેનું એક જ વાક્યમાં સમાધાન થઈ ગયું.

એક વાર કોર્ટમાં વકીલસાહેબે દલીલો શરૂ કરી એ જ વખતે કોર્ટના પાછળના કમ્પાઉન્ડમાં ચરતા ગધેડામાંથી એક ગધેડું ભૂંકવા મંડ્યું. રમૂજી સ્વભાવના મૅજિસ્ટ્રેટસાહેબે કહ્યું, ‘બંને સાથે બોલો મા’ વકીલસાહેબ બેસી ગયા, પણ સાહેબે જ્યારે જજમેન્ટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે પાછું ગઘેડું ભૂક્યું એ જ વખતે વકીલે ઊભા થઈ કહ્યું, ‘સાહેબ આપ બોલો છો તેના પડઘા પડે છે.’

Thursday, August 14, 2014

ઘણા માણસો માત્ર પ્રભુનું ભજન કરી સંતોષ માને છે, પ્રભુનું કાર્ય કરતા નથી --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

જ્યાં સુધી જ્ઞાન અને આચરણનો સમન્વય ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે એટલે તો સૉક્રેટિસે સદાચારીને જ જ્ઞાની ગણ્યા છે. બાકીના પાસે તો માત્ર માહિતી હોય છે

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

ઈસપની બોધકથા હોય, પંડિત વિષ્ણુ શર્માની પંચતંત્રની વાર્તા હોય, હાસ્યરસનો કોઈ પ્રસંગ હોય કે પછી ઉગ્ર બોલાચાલી થતી હોય ક્યાંક ને ક્યાંક ગધેડું અવશ્ય આવી જશે, ઓછી ઊંચાઈ, લાંબા કાન અને અવિરત પરિશ્રમ કર્યા કરતું ગધેડું મને ગમે છે. પરશુરામનગર બંધાતું ત્યારે રેતી સારતા ગધેડા પર અમે કૂદીને બેસી જતા અને રાજકુમારીને બચાવવા દોડતા, ઘોડેસવાર થતા રાજકુમાર જેવી ઉત્તેજના અનુભવતા. પોતાના પર આવી પડેલા અપ્રિય ભારથી મુક્ત થવા એ ઊછળતું ત્યારે અમે પડી જતા અને કલ્પનાવિહારથી વાસ્તવિકતાની ભૂમિ પર આવી પડતા. અમે ભણતા ત્યારે સંસ્કૃતમાં શિયાળ અને ગધેડાનો પ્રસંગ આવતો. પંચતંત્રે બંનેના સંબંધો મામા-ભાણેજના સ્થાપિત કરી આપ્યા છે. મામા ગર્દભને શેરડી આરોગવાનો શોખ, ભાણેજ શૃંગાલ-શિયાળ જાણે છે. પૂર્ણિમાની રાત છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે. મામો અને ભાણેજ એક શેરડીના વાડામાં દાખલ થાય છે. શેરડી આરોગ્યા પછી ગર્દભમામા ઉત્સાહના અતિરેકમાં કહે છે. ભો: ભગિનસુત પશ્ય પશ્ય, અતિવ નિર્મલા રજનિ તદ્અહમ્ ગીતમ્ કરિશ્યામી, કતપેણ રાગેણ કરોમિ? અરે, ભાણેજ જોજો અતિ નિર્મળ રાત્રિ છે. તેથી હું ગીત ગાઈશ, કયા રાગમાં ગાઉં? પ્રથમથી ચેતીને ચતુર ભાણેજ શિયાળે વાડના છીંડા પાસે પોતાનું સ્થાન સંભાળ્યું. મામાએ મન મૂકીને હોંચીહોંચીનો એવો આલાપ ખેંચ્યો કે ખેડૂત જાગી ગયો, લાકડી લઈને દોડ્યો. પોતાના શેરડીના વાડામાં એક ગધેડાનો હોંચીહોંચી કરતો જોઈ ખેડૂતે બે દંડા વળગાડ્યા. મામાની ભાવસમાધિ તૂટી, કલાની સાધના કઠિન છે એવું ભાન થયું. તાડનથી આ જગત મિથ્યા છે એમાં માત્ર થોડી સરવાણી સુખની વહે ત્યાં દુ:ખના પાષાણો અવરોધ બનીને ઊભા રહે છે એ સત્ય સમજાયું. આ બધું અગાઉથી સમજી ગયેલું શિયાળ ખેડૂતને જોઈ ક્યારનું રવાના થઈ ગયું હતું. એ વખતે બીજી સમજણ નહોતી પણ ગધેડો સંસ્કૃતમાં અલંકૃત ભાષામાં વાત કરતું જાણીને આનંદ થતો. 

અમારા ગામના પાદરે કિશન મહારાજ કથાકારે એવી જમાવટ કરી કે રોજ ને રોજ કથા સાંભળવા માનવમહેરામણ ઊમટી પડતો. એમાં એક દિવસ કથાકારે સુંદર રજૂઆત કરી. તેમણે દૃષ્ટાંત આપ્યું કે જે માલિકો ગધેડા પાસે ગજાબહારનું કામ કરાવે છે અને ફટકા મારીને ત્રાસ આપે છે તે માલિક પછીના અવતારમાં ગધેડો બને છે અને ગધેડો માલિક બને છે. મજૂરોને ‘અમારો માલિક ગધેડો છે’ આવું કહેતાં તમે સાંભળ્યા હશે. જાણ્યેઅજાણ્યે એ લોકો સાચું બોલે છે. આ સિવાય જીવનમાં સારાં કૃત્યો કરો તો કેવા સારા અવતાર આવે અને બૂરાં કર્મો કરો તો કેવા બદતર અવતાર આવે એનું એવું સચોટ વર્ણન કર્યું કે કાંતિલાલનું મન અજંપાથી ભરાઈ ગયું. એ મૂંઝાઈ ગયો. મહારાજશ્રી પાસે કથા પૂરી થયા પછી તરત પહોંચી ગયો અને ધીરેથી પૂછ્યું, ‘મહારાજ મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને?’ મહારાજશ્રીએ જતાં જતાં કહ્યું, ‘એકનો એક અવતાર વારંવાર ન આવે. જરા પણ ચિંતા કરશો નહીં. જાવ, પ્રભુનું ભજન કરો ને પ્રભુનું કાર્ય કરો.’

ઘણા માણસો માત્ર પ્રભુનું ભજન કરી સંતોષ માને છે, પ્રભુનું કાર્ય કરતા નથી. પ્રાચીન ભારતમાં ગુરુ પાસે બાર વર્ષ રહી વિદ્યાભ્યાસ કરનાર વિદ્યાર્થી વૃત્ત ન કરે તો તેને સ્નાતક ગણવામાં નહોતો આવતો. વૃત્ત એટલે આચરણ. જ્યાં સુધી જ્ઞાન અને આચરણનો સમન્વય ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે એટલે તો સૉક્રેટિસે સદાચારીને જ જ્ઞાની ગણ્યા છે. બાકીના પાસે તો માત્ર માહિતી હોય છે.

જેમ ‘હાસ્યરસ વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને વ્યર્થ છે.’ આવું ગાંધીજીએ કહ્યું છે તેમ ‘જ્ઞાન વગરનું આચરણ અને આચરણ વગરનું જ્ઞાન બંને વ્યર્થ છે.’ આવું ભગવાન મહાવીરે કહ્યું છે. તેમણે સુંદર ઉદાહરણ પણ આપ્યું છે. જંગલમાં આગ લાગી હોય. એ જંગલમાં એક અંધ હોય અને એક અપંગ હોય એવી બે વ્યક્તિઓ રહેતી હોય. અંધ આગની જાણ થતાં દોડે અને અપંગ પરવશ થઈને બેસી રહે. અંધ જ્ઞાન નહીં હોવાથી આગની દિશામાં જ દોડશે અને નાશ પામશે. જ્યારે અપંગ જ્ઞાન હોવા છતાં આચરણ નહીં કરી શકવાથી નાશ પામશે. 

એક જ સંભાવના બંનેની બચી જવાની છે. અંધનું જ્ઞાન અને અપંગનું આચરણ બંનેનો સમન્વય થાય તો બંને બચી જાય. અંધની કાંધે ચડીને અપંગ રસ્તો બતાવી શકે, અંધ ચાલી શકે અને સફળ થઈ શકે. 

ગધેડાની કમનસીબી એ છે કે જ્ઞાનપૂર્વકનું આચરણ કરે તો પણ ક્યારેક શિક્ષાને પાત્ર બને છે. એક કુંભારને ત્યાં ગધેડું હતું અને પાળેલો મોતી કૂતરો હતો. એક વાર મોતી મસ્તી કરતા પોતાની સામે પડેલ કુંભારના પુત્રને કરડ્યો. કુંભારે ખિજાઈને લાકડીથી મોતીને ખૂબ માર્યો અને બપોરે ખાવા ન દીધું. રાત્રે પણ ભૂખ્યો રાખ્યો. ઉદાસ ચહેરે અને ભારે હૈયે મોતી બેઠો હતો. બાજુમાં ગધેડો ગંગારામ મોતીને આશ્ર્વાસન આપતો હતો. 

એમાં ચોર આવ્યા. બંનેએ ચોરનું આગમન નિહાળ્યું પણ હંમેશ મુજબ આજ મોતી ભસ્યો નહીં. ગધેડાએ કૂતરાને કહ્યું, ‘તું ભસ ઘરમાં ચોર આવ્યા છે.’ મોતી કહે: ‘મને માર્યો છે મને ખાવા પણ દીધું નથી. હું શું કામ ભસું?’ ગધેડો કહે: ‘તારી ફરજ તું ચૂકી રહ્યો છે.’ કૂતરો કહે: ‘મારી ફરજની તું શા માટે ચિંતા કરે છે? મારે નથી ભસવું જા, ભલે ચોર લૂંટી જાય.’ ગધેડાએ કહ્યું: ‘તું તારી ફરજ ન બજાવે તો હું તારી ફરજ બજાવીશ.’ આટલું કહી ગધેડો જોરજોરથી ભૂંકવા લાગ્યો. તરત જ કુંભાર જાગી ગયો અને ઊંઘ બગાડવા બદલ ગધેડાને બે ભાઠા મારી સૂઈ ગયો. કૂતરાએ કહ્યું, ‘જોયું ને થયો ને અનુભવ? આપણને સોંપવામાં આવેલ કાર્ય જ આપણે કરવું જોઈએ, બીજાનું કામ કરવા જોઈએ તો આમ થાય.’

લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ગામના સંબંધીઓ અને નહોતા પરિચિત એવા પણ જૂની ઓળખાણો કાઢી લિંકનને મળવા આવનારમાં સામેલ થવા લાગ્યા. મુલાકાતીઓને લિંકને બેસાડ્યા. ચા-પાણી, નાસ્તો કરાવ્યાં. સૌની સાથે વાતો કરી. લિંકને એમ કે અભિનંદન આપી સૌ વિદાય થશે પણ ત્યાં તો અમુકે પ્રમુખ તરીકે લિંકનને શું શું કરવું એનાં સૂચનો માંડ્યાં કરવાં. સંરક્ષણ, અર્થતંત્ર, આંતરિક સલામતી વગેરેમાં શું કરવા જેવું છે એ વિશે ઘણા લિંકનને સમજાવવા માંડ્યા. અબ્રાહમ લિંકનમાં અજોડ હાસ્યવૃત્તિ હતી, ગમે તેવા વિકટ સંજોગોમાં એ હસી શકતા. આટલી મોટી જવાબદારી વહન કરવા છતાં તેઓ હળવાશથી જીવન જીવી શકતા. સૌની વાત સાંભળી લિંકને કહ્યું, પઈંિં ીળશક્ષમત ળય ફ તજ્ઞિંિુથ આવું કહી વાત રજૂ કરવાની લિંકનની ટેવ જાણીતી હતી. તેમણે સૌને કહ્યું એક રાજા પોતાના દરબારીઓ સાથે શિકાર કરવા જતો હતો. ગામને પાદર કુંભારવાડા પાસેથી પસાર થતાં એક કુંભારે પૂછ્યું, ‘નામદાર આપ ક્યાં પધારો છો?’ રાજાએ કહ્યું, ‘હું રસાલા સાથે શિકાર કરવા જાઉં છું.’ કુંભાર કહે, ‘નામદાર આપ જાઓ છો ખરા, પરંતુ આજે અનરાધાર વરસાદ વરસવાનો છે.’ રાજા કહે: ‘હું એવો મૂર્ખ નથી. મેં સવારમાં રાજના જોષીને બોલાવીને હવામાનની સ્થિતિ જાણીને પછી જ શિકારે જવાનું નક્કી કર્યું છે.’ કુંભાર કહે, ‘જેવી આપની મરજી.’ રાજાનો રસાલો રવાનો થયો. જંગલમાં પહોંચ્યો ત્યાં એવો મુશળધાર વરસાદ વરસ્યો કે સૌ હેરાન થઈ ગયા. મહામહેનતે પાછા ફર્યા. 

મહેલમાં પાછા ફરીને રાજાએ પહેલો હુકમ કર્યો રાજના જોષીને બરતરફ કરવામાં આવે છે અને કુંભાર જેણે વરસાદની આગાહી કરી તેને રાજ્યના જોષી તરીકે નિમણૂક કરવામાં આવે છે. 

શાહી ફરમાન લઈ રાજાના અનુચરો પહોંચ્યા કુંભાર પાસે. કુંભાર ગભરાઈ ગયો. એ મૂંઝવણમાં રાજદરબારમાં આવ્યો તો ખરો પણ બે હાથ જોડી રજૂઆત કરી કે: ‘હજૂર હું જ્યોતિષ વિદ્યામાં કાંઈ પણ નથી જાણતો. આ તો અમારા ગધેડા પગેથી જ્યારે ખડતલવા માંડે છે, પગથી ભોમકા ખોદવા મંડે છે ત્યારે અમે સમજી જઈએ છીએ કે વરસાદ આવશે.’

રાજાએ કુંભારની વિગત જાણી બીજો હુકમ ભર્યો. કુંભારની જગ્યાએ રાજના જોષી તરીકે ગધેડાની નિમણૂક કરવામાં આવે છે. લિંકનની વાત સાંભળી સલાહ આપનારા એકબીજા તરફ જોઈ રહ્યા અને સલાહ આપવાનું બંધ કરી ઘરભેગા થઈ ગયા. 

આજે સવારે છાપામાં ગધેડાના કામના કલાકો, એમના આરામનો સમય, પાણી અને ઘાસચારા માટેની સુવિધા, રાતપાળી બંધ, સૂર્યોદય પહેલાં અને પછી કામ કરાવવાની મનાઈ વગેરે વાંચી મને આનંદ થયો. ગધેડા વિશેની મારી લાગણી હું વ્યક્ત કર્યા વગર ન રહી શક્યો. 

કદાચ એ બધા પણ ભેગા થઈ ખુશ થયા હશે. એમને પણ આશા બંધાણી હશે કે હવે ધીરે ધીરે દેશના અન્ય કર્મચારીઓ જેવી સવલતો ભવિષ્યમાં મળે તો ના નહીં.

Thursday, August 7, 2014

શેઠ અને શેઠાણી --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116016

‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતા અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?’

મારા મિત્ર વિઠ્ઠલે મને કહ્યું, ‘મારે મુંબઈ તારા કાર્યક્રમમાં આવવું છે’ મેં કહ્યું, ‘ભલે’. મુંબઇમાં બિરલા હૉલમાં મારો કાર્યક્રમ હતો, અને એ વખતે એ કાર્યક્રમમાં અભિનેત્રી નિરૂપા રૉય હાજરી આપવાના હતાં. વિઠ્ઠલના આનંદનો પાર ન રહ્યો. તેણે મુંબઇનો તેનો એવી રીતે પ્રવાસ ગોઠવ્યો કે મારો કાર્યક્રમ પણ માણી શકાય. નિરૂપા રૉયને પણ જોઇ શકાય અને સગાંને પણ મળી શકાય.

મેં વિઠ્ઠલની એક સીટ રખાવી હતી. પણ એ કહે, ‘હું સ્ટેજ પર તારી સાથે આવીશ.’ કાર્યક્રમ વચ્ચે એ સાડીના વિક્રેતાનું ફંકશન હતું જેમાં નિરૂપા રૉયની હાજરી રહેવાની હતી. અમારો ઈન્ટરવેલ પહેલાંનો કાર્યક્રમ પૂરો થયો. વચ્ચે સમારંભની જાહેરાત કરવામાં આવી, ‘આપણાં આદરણીય મહેમાન ખ્યાતનામ અભિનેત્રી નિરૂપા રૉયને સ્ટેજ પર પધારવા વિનંતી’. એવી જાહેરાત થઇ. એ આવ્યાં, અમને મળ્યાં, વિઠ્ઠલ મારી પાછળ જ હતો. અમારા ફોટા પાડવામાં આવ્યાં. લાખાભાઇ, પ્રાણભાઇ, દિવાળીબહેન અને હું ફોટામાં આવ્યાં. સાથે વિઠ્ઠલ પણ આવ્યો. વિઠ્ઠલની ઉત્તેજનાનો પાર નહોતો. કોઇ અદભુત ઘટના જીવનમાં ઘટી હોય, જે પોતાને હજી માનવામાં ન આવતી હોય એટલો એ વિહવળ હતો.

એ વખતે હું ૫૧, પોપટવાડી, કાલબાદેવી રોડ પર કેશુભાઇ કોઠારીની ઓફિસમાં સૂઇ રહેતો. વિઠ્ઠલને પણ ત્યાં જ સૂવા મેં આગ્રહ કર્યો.

અમે કાર્યક્રમ પછી રવાના થયા. વિઠ્ઠલ મને કહે, ‘આ કાર્યક્રમમાં નિરૂપા રૉય હતાં? ને. મેં કહ્યું, ‘હા’ હું તમારી હારે જ હતો ને? મેં કહ્યું, ‘હા’. વિઠ્ઠલ કહે, ‘આ વાત ગામના નહિ માને. જોજે તારે જોવું હોય તો’ ‘અરે પણ તું હતો એ હું જાણું છું ને? મેં કહ્યું છતાં વિઠ્ઠલનું મન માનતું નહોતું.

એ એક જ વાત કર્યા કરતો, ‘ગામના નહિ માને’. માનવીને ઊંચો દરજ્જો મળે. પૈસા મળે, પ્રસિદ્ધિ મળે... એ પાછી સગાંસબંધીઓ, મિત્રો અને વિરોધીઓને સ્વીકાર્ય બને ત્યારે તેમાં આનંદ સમાયેલો છે. જો સમાજને ખબર ન પડે તે શા કામનું? કોઈ સંબંધીની મોટરમાં બેસીને મુંબઇમાં ફરતાં એક જ વિચાર આવે છે કે અત્યારે ગામનો કોઇ અચાનક મળી જાય અને મને જુએ તો કેવું સારું? દુ:ખમાં માનવી એકલો રહેવાનું પસંદ કરે છે. સુખમાં માનવીને સમાજમાં રહેવું ગમે છે. ચીંથરેહાલ ગરીબ હાલતમાં કોઇ સંબંધી જોઇ ન જાય એ ચિંતા હોય છેે. સૂટ-બૂટ ટાઈમાં સજ્જ હોઇએ ત્યારે કોઇ જુએ તેવી ઇચ્છા હોય છે. જગતની મહાન વિભૂતિઓ પોતે જ્યારે મૂંઝવણમાં, દ્વિધામાં હતા ત્યારે તેમણે સમાજ છોડી દૂર જંગલમાં, પહાડ પર કે ગુફામાં એકાંતમાં રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ જયારે કાંઇક પ્રાપ્ત કર્યું ત્યારે એ પાછા સમાજમાં આવ્યા અને પોતાને થયેલી સત્યની પ્રતીતિ વિષે સમજાવ્યું. માનવી જીવનમાં હંમેશા સુખ વધારવા અને દુ:ખ ઘટાડવા પ્રયાસ કર્યા જ કરે છે. દુ:ખ જીવનમાં આવે છે ત્યારે તો ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે. પણ એ તબક્કો પસાર થઇ જાય છે પછી એ વાત કરતાં આનંદ આવે છે. ખાવાં ધાન ન હોય, પહેરવાં કપડાં ન હોય, સગાંસંબંધી ગામના સૌ જાકારો દેતાં હોય, જીવતર ઝેર થઇ પડયું હોય, ગરીબી ભરડો લઇ ગઇ હોય, પત્ની વાતવાતમાં બેકાર પતિને ધધલાવી નાખતી હોય, છોકરાઓ વગડાઉ મીંદડા જેમ ઘૂરકતા હોય, લેણિયાતોએ હારે ને હારે ઉપાડો લીધો હોય અને એ જ વખતે પાછું ઓછામાં પૂરું કોઇ દરદ માથું ઊંચું કરે ત્યારે માણસ મૂંઝાઇ જાય છે. આયખાને ટૂંકાવી નાખવું, એ એક જ માર્ગ સામે દેખાય છે. આ સમય જિંદગીનો આ સમય જાળવી લીધા જેવો હોય છે. આવા સમયે કામ આવે તેનું નામ સમજણ. આશાવાદી હંમેશાં એમ વિચારે છે કે ગમે તેવી મુશ્કેલીઓ જીવનમાં આવે પણ એ કાયમી નથી હોતી. માનવી ગમે તેટલો મોટો હોય પણ તેની સમસ્યા એનાથી મોટી રહેવાની જ. આશાવાદી સમસ્યાને સ્થાયી નથી ગણાવતા, જયારે નિરાશાવાદી સમસ્યાને સ્થાયી ગણે છે. આટલો જ બંનેમાં ફેર છે.

માણસ ગરીબ હોય અને અમીર બની જાય. દર્દી હોય અને તંદુરસ્ત બની જાય. રાજકારણમાંથી ફેંકાઇ ગયો હોય અને મંત્રી બની જાય ત્યારે પછી તેને દુ:ખની વાત કરવામાં સંકોચ નથી થતો. મને આ તમામ વિગત જશવંતલાલ શેઠે ઘાટકોપર હું તેમને ત્યાં રોકાણો ત્યારે કહી.

શેઠ ઘણા ઠરેલ, અનુભવી અને જીવતરનો કસ કાઢનાર પુરુષાર્થી. તેમની વાતો સાંભળી મને આનંદ થયો.

જશવંતલાલે કહ્યું, ‘મુંબઈ આવ્યો ત્યારે ખિસ્સામાં એક પૈસો નહોતો. પૂછો તમારાં કાકીને’ ત્યાં કાકીએ આવી મોરચો સંભાળ્યો. મને કહે, ‘તમારા કાકા મારા બાપુની દુકાનના પાટિયે સૂઇ રહેતાં. મારા બાપુ ઘણી વાર આમને ઉઠાડી દુકાન ખોલતા. ક્યારેક હાથમાં સાવરણી પકડાવી વળાવતા પણ ખરા.’ શેઠને થયું, ‘આ બેઠી ભોં મારા જેવા મહેમીનની હાજરીમાં કયાં ઉખાડી?’ પણ શેઠાણીને હવે રોકી શકાય એમ નહોતું. તેમણે બોલવાનું ચાલુ રાખ્યું. ‘પ્રથમ મુંબઇમાં આમને ઓટલો મળ્યો. પછી મારા બાપુએ દુકાનમાં નોકરીએ રાખ્યા. ખાવું-પીવું ને વીસ રૂપિયા વાપરવા આપતા. આમ રોટલો મળ્યો.’ ત્યાં શેઠે કહ્યું, ‘અને પછી મળ્યો આ ચોટલો.’

ઓટલો, રોટલો, અને ચોટલો... જાણ્યે-અજાણ્યે પ્રાસ મળી ગયાં. જશવંતલાલે કહ્યું, ‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતાં અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?

‘આના બાપાએ મને કામ કરાવી- કરાવી તોડી નાખ્યો. મારા સસરામાં કોઠા-બુદ્ધિ ભારે. જેમ હું નોકરી છોડવાની વાત કરું ત્યાં મને કહે, ‘જા, થેલી લઇને શાક લઇ ઘરે જશુમતીને આપી આવ’ મને એવો કોણીએ ગોળ ચોટાડતા કે હું નોકરી મૂકવાનું માંડી વાળતો.’ શેઠને વચ્ચેથી અટકાવી શેઠાણી મને કહે, ‘ભાઇ, એમની વાત માનશો મા હો! ઈ કાંઈ ને કાંઈ બહાનું કાઢી અહીં ઘરે આવતા અને મારી સામું જોઇ રહેતા, બળદ ખોળ સામું જોવે તેમ શેઠ કહે, ‘જુવાનીમાં બુદ્ધિ હોય છે? તમે જ કહો’ પણ મને બોલવાની બેમાંથી એકેયે તક આપી જ નહીં.

શેઠાણીનો ઉત્સાહ વધુ હતો. તેમણે કહ્યું, ‘દુકાનના પાટિયેથી દુકાનમાં પગપેસારો કર્યો. કાલાવાલા કરી મારા બાપાને રીઝવ્યા. ધરનાં કામ કરી કરીને મારી બાને મનાવી લીધાં. મનેય થયું કે ઘરના માણસ છે, કીધામાં તો રહેશે. ત્યારે તો મારો પડયો બોલ ઝીલવા ખડે પગે તૈયાર રહેતાં. ઘણી વાર હું રાતના કહેતી કે પાંઉભાજી લઇ આવો તો તે લઇ આવતા’ શેઠ કહે, ‘મારી સાથે બેસીને વાતો કરવા માટે તમારાં કાકી એ વખતે આવું બધું કરતાં. કાકી કહે, ‘હવે જાવ જાવ. નિશાળ છૂટવાના વખતે તમે નહોતા રાહ જોઇને ઉભા રહેતા? શેઠ કહે, ‘તમારા બાપુજી કામ ચીંધે પછી મારે ક્યાં જવું?’ શેઠાણી કહે, ‘તમને તો ઘર બાંધવાની હોંશ જ નહોતી. એમને? શેઠે ટૂંકું વાળતાં કહ્યું, ‘મૂળ હું સ્વભાવનો ભોળો અને આવડા આ બધા ઉસ્તાદ. મને જમાઈ બનાવ્યો પછી તો મનેય આ લાઇનનો અનુભવ થતો ગયો. મેં મારી દુકાન શરૂ કરી. અત્યારે ચારે દીકરાને ચાર દુકાનો, ચારેયના મકાન, દેશમાં રહ્યું તે મકાન, આવતાં જતાં રહેવા માટે બે મોટર, અને બચાવેલી થોડી મૂડી પણ ખરી. ઈશ્ર્વરની દયાથી જીવનના દુ:ખના દિવસો પસાર થઇ ગયા અને આજે ભગવાને સારા દિવસો દેખાડયા.’

વાત પૂરી કરવા માટે જશવંતલાલે આખરી આર્થિક સધ્ધરતાનું ચિત્ર મારી સમક્ષ દોરી પૂર્ણાહૂતિ કરી. છતાં શેઠાણીએ છેલ્લી વાત કહી, ‘એ તો પગ પૂજો મારી બાના. મારી બાએ એકવાર મારા બાપુજીને પૂછયું, ‘આપણી જશુ માટે કાંઇ વિચાર્યું?’ મારા બાપુજી કહે, હું સારા મુરતિયાની શોધમાં છું.’ મારી બા કહે, ‘હું જશુની ઉંમરની થઇ ત્યારે મારા બાપુજીએ સારા મુરતિયા ગોતવાનું પડતું મૂકી તમારી હારે ચાર ફેરા ફરાવી દીધા હતા. આ જશવંત બિચારો બળદની જેમ દુકાન અને ઘરકામનો ભાર વેઢારે છે. ઈ શું ખોટો છે? આખી જિંદગી ઉપકાર તો નહીં ભૂલે! શેઠાણીએ પોતાના પરિવારના ઉપકારનું છેલ્લું પ્રકરણ આલેખીને નામાસણ વાળ્યું, શેઠને આ ગમ્યું નહીં. તેમણે મને કહ્યું, ‘કિસ્મત અને મજબૂરી આનું નામ. ભાગ્ય પાસે માનવી કેવો લાચાર છે એનું આ ઉદાહરણ છે. શેઠાણી ખિજાયા એટલા માટે જ જોકે શેઠ આ બોલ્યા હતા.

પરંતુ મારે નીકળવાનું મોડું થતું હતું એટલે મેં કહ્યું, ‘મુસીબતોને જ સફળતાની સીડી બનાવી જે વ્યક્તિ સિદ્ધિ સુધી પહોંચવા પ્રયાસ કરે છે તે જ મજબૂરીને કિસ્મતમાં અને લાચારીને ભાગ્યમાં બદલી નાખે છે.’

બંનેને લાગ્યું કે આ વાક્ય પોતાના માટે બોલાયું છે, એટલે બંને ખુશ થયાં. હું પણ ખુશ થઈ રવાના થયો.