Friday, December 20, 2013

Baba Ramdev - जो जीता वही चंद्रगुप्त ना होकर...जो जीता वही सिकन्दर हो गया...क्यों ???

 
• जो जीता वही चंद्रगुप्त ना होकर...जो जीता वही सिकन्दर हो गया...क्यों ???
• क्यों महाराणा प्रताप महान ना हकर..अकबर महान हो गया?
• क्यों सवाई जय सिंह महान वास्तुप्रिय राजा ना होकर.. शाहजहाँ को यह उपाधि मिली ..क्यों ???
• क्यों जो स्थान वीर शिवाजी को मिलना चाहिये वो... क्रूर औरंगजेब को मिला..क्यों ???
• क्यों स्वामी विवेकानंद और आचार्य चाणक्य की जगह…गांधी को थोप दिया गया...क्यों ???
• कैसे तेजोमहालय - ताजमहल.. ...लालकोट- लाल किला,…हो गया...क्यों ???
• वन्दे मातरम की जगह- गुलामी का प्रतीक जन-गण-मन हो गया...क्यों ???
• यहाँ तक कि.... हमारे आराध्य भगवान राम की जन्मभूमि पावन अयोध्या .... भी कब और कैसे विवादित बना दी गयी। … हमें पता तक नहीं चला...

सबको अपदस्थ कर दिया गया....सिर्फ काँग्रेस की सेक्युलर योजना ने.....
इस कांग्रेस ने हमसे विश्वगुरु का अलंकार छीन लिया..और हमें पता तक नहीं चला....!!

Baba Ramdev
Show less
1

Devdutt Pattanaik - Management Mythos: Wealthy and Wise

 
Management Mythos: Wealthy and Wise  By: Devdutt Pattanaik

We have grown up being told Lakshmi (goddess of wealth) and Saraswati
(goddess of knowledge) always fight and avoid staying in the same
place. This is based on the observation that rich businessmen tend to
be uneducated and educated people tend to be poor. This is also based
on the assumption that Saraswati is the goddess of education, learning
and training.

This understanding of Saraswati is rather pedestrian, and lacks
insight. The word Saraswati stems from the Sanskrit root 'saras' which
means that which is fluid and can be either contained in a lake
(sarovar) and made to flow as in a river (sarita). It refers to
imagination, the one faculty that separates man from beasts.

Human imagination is what enables humans to envisage future problems,
hence innovate, invent, and pass on learning from one generation to
another, a trait not seen in any other animal. Every generation
thrives by taking advantage of knowledge gained in the past. So there
is continuous skill and knowledge upgradation in the human species.

One generation discovered how to control fire, another discovered the
wheel, another discovered electricity, another the microchip and these
have changed how we live. We may have the same genetic structure as
our ancestors a hundred thousand years ago, but we live very different
lifestyles, all thanks to imagination. Inherited wealth and lottery
are the only cases where Lakshmi comes without Saraswati.

In all other cases, we need Saraswati to get Lakshmi. Saraswati is all
kinds of knowledge and skills. The better knowledge you have, the
better skills you have, the more likelihood of you generating wealth.
The farmer grows food because he knows how to farm. A craftsman
creates valuable products because he has knowledge of a craft.

Saraswati is needed not just to generate but also to retain wealth.
Unless the farmer and the craftsman have business acumen, they lose
their generated wealth. They need to have knowledge of marketing and
sales, financial skills or partnerships with people with financial
skills. A trader, a banker, even a housewife needs Saraswati. We
narrow Saraswati to knowledge received in schools. But until the
British came to India we did not have schools in the modern sense of
the term. We used the apprentice model.

The potter passed on Saraswati of pottery to his sons, the mother
passed on Saraswati of cooking to her daughters. Saraswati has many
forms - knowledge and skills that we can pass on through schooling and
apprenticeship is the most prominent of them. But the one form of
Saraswati that cannot be passed on is wisdom. Wisdom cannot be
inherited or bequeathed.

It has to be generated through reflection or tapasya. Absence of
wisdom is evident when Lakshmi comes, and we don't value Saraswati as
much. We feel we have magically generated wealth and it will stay with
us magically. Someone who is truly a student of Saraswati will know
that fortunes are never permanent and we have to work towards
preparing for future crises.

A famous software company was so busy harvesting wealth from the
market focussing on compliance that it did not bother to create a
talent pipeline and naturally faced a leadership crises when market
conditionschanged. A case of assuming there is a limit to Saraswati.

In fortune we don't trust home grown knowledge and believe knowledge
exists only in formal schools and colleges, a common problem seen in
small and mid-sized family businesses across India who are sending
their children to Europe and America to earn business degrees and find
that the children either do not want to return home, or look down upon
their family business (not fortune) as full of terrible practices.

There is a folk adage: in good times Lakshmi walks towards us and
Saraswati moves away from us while in bad times Saraswati walks
towards us and Lakshmi moves away from us. The trick is to focus on
Saraswati at both times. In boom times, she teaches us how to ensure
sustainable growth. In bust time, she teaches us how to reverse our
situation and make our way from misfortune towards fortune.

Lakshmi or no Lakshmi, we always need Saraswati if we wish to survive
or thrive. The Lakshmi-Saraswati battle is a myth Wealthy and Wise
Devdutt Pattanaik is the author.

Devdutt Pattanaik is the author of 'Business Sutra — a very Indian
approach to management'
Show less
1

સૌરભ શાહ - ધર્મ-સંપ્રદાયમાં ચાલતા કુરિવાજોનો બચાવ થઈ શકે?

 
ધર્મ-સંપ્રદાયમાં ચાલતા કુરિવાજોનો બચાવ થઈ શકે?
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ઈસ્લામમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે છતાં સાઉદી અરેબિયામાં સરકારી ટીવી ચૅનલ પર કાબા તથા નબ્વીની મસ્જિદમાં થતી નમાજનું દિવસમાં પાંચ વાર સીધું પ્રસારણ થાય છે. આ વાત ઈસ્લામની વિરુદ્ધ છે. ધર્મની વિરુદ્ધ જતા છતાં વ્યવહારુ ગણાતા આચરણને ઈસ્લામમાં ઈજ્તિહાદ (કુર્રાન અને હદીસમાં અપાયેલા આદેશો સ્પષ્ટ ન હોય ત્યારે વ્યવહારકુશળ બનીને યોગ્ય માર્ગ કાઢવો) કહે છે. ઉલેમાઓ આ ઈજ્તિહાદની સગવડને મનફાવે એમ વાપરતા હોય છે અને મુસ્લિમ સમાજને બંધિયાર રાખતા હોય છે એના સેંકડો પુરાવા તમને અરુણ શૌરીના ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ નામના પુસ્તકમાં મળશે. દરેક ધર્મના અનુયાયીઓએ બદલાતા સમય પ્રમાણે વહેવારુ થવું અનિવાર્ય છે. પરિવર્તનના સિદ્ધાંતનો સ્વીકાર જેઓ ન કરી શકે એમણે ગુફાજીવન અપનાવી પથ્થર વડે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ. પ્રૉબ્લેમ આ પરિવર્તનના સિદ્ધાંતને સગવડિયો ધર્મ બનાવી દેનારાઓનો છે.

શરિયતના કાયદામાં કે મુસ્લિમ પર્સનલ લૉમાં અસંખ્ય ગૂંચવણો અને અસ્પષ્ટતાઓ છે. મામલો કોર્ટે ચડે ત્યારે વકીલ કે ન્યાયાધીશે અનુવાદિત ધર્મગ્રંથોના આધારે ન્યાય મેળવવા દલીલો કરવાની હોય છે કે ન્યાય તોળવાનો હોય છે. ઉલેમાઓ ભારતીય ન્યાયતંત્રના અર્થઘટન સામે પડકાર ફેંકી કહેતા હોય છે કે અમારા ધાર્મિક ગ્રંથોને ઈન્ટરપ્રીટ કરવાનું કામ અમને સોંપો, પછી ચુકાદાઓ આપો.

દરેક ઉલેમા પોતપોતાની સગવડ મુજબ કુર્રાનનું અર્થઘટન કરે ત્યારે મુસ્લિમ પ્રજાના મનમાં અનિશ્ર્ચિતતા ઊભી થાય છે કે કોનું સાંભળવું, કોને માન આપવું? પ્રજાએ નક્કી કરી લેવું જોઈએ કે પોતાને શું જોઈએ છે: ધર્મ પર આધારિત કાયદાની અસમાનતા અને અનિશ્ર્ચિતતા કે પછી સમાનતાના સિદ્ધાંત પર આધારિત યુનિફૉર્મ સિવિલ કોડની નિશ્ર્ચિતતા.

મુસ્લિમ પર્સનલ લૉની તરફેણ કરનારાઓની આંખ હવે ઊઘડે તો સારું. બની બેઠેલા મુસ્લિમ નેતાઓ અને ઉલેમાઓ કહે છે કે ત્યકતા નારીને ૧૨૫મી કલમ હેઠળ ભરણપોષણ આપતો ભારતનો કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર બિનઈસ્લામિક ગણાય. કોઈ પણ સ્વમાની મુસ્લિમ સ્ત્રીએ છૂટાછેડા પછી પોતાના ભૂતપૂર્વ પતિ પાસે હાથ લાંબો કરવો જોઈએ નહીં, જે પતિએ એને તરછોડી દીધી છે એ પતિ પાસે શા માટે એણે મદદ માગવી જોઈએ એવી ઉલેમાઓની દલીલ છે.

જે સમાજની સ્ત્રીઓ શોષિત અને પીડિત હોય તે આખો સમાજ ક્યારેય રૂઢિવાદની નાગચૂડમાંથી બહાર આવી શકવાનો નથી. મુસ્લિમોમાં મૃત પતિનું મોઢું જોવા માગતી વિધવાને આવું કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ડેનિયલ લતીફી નામના એક પ્રગતિશીલ મુસ્લિમના કાકા ગુજરી ગયા ત્યારે લતીફીનાં વિધવા કાકી મૃત પતિનાં અંતિમ દર્શન કરવા માગતાં હતાં. એક મુલ્લાએ કાકીને આવું કરતાં રોકયાં ત્યારે કાકીએ એક જૂતું ઉઠાવ્યું અને ઠોકી દીધું મુલ્લાને માથે.

આ ન્યૂઝ આયટમ ગઈ કાલે નેવું વર્ષનું આયુષ્ય પૂરું કરનાર પ્રતિષ્ઠિત દૈનિક ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના આર્કાઈવ્ઝમાંથી તમે શોધી શકશો. મુસ્લિમ પ્રજાએ ભારતના પ્રગતિશીલ વહેણમાં સાથે રહેવું હશે તો આવાં અનેક જૂતાં ઉઠાવીને રૂઢિવાદી મુલ્લાઓના તેમ જ જડતાવાદી ઉલેમાઓના માથે ઠોકવા પડશે.

અરુણ શૌરીએ દોઢ દાયકા અગાઉ ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ જેવું ક્રાંતિકારી પુસ્તક લખ્યું, ત્યારે કેટલાય લોકો માનવા જ તૈયાર નહોતા કે ફતવાઓમાં આવો ભયંકર, વિચિત્ર તથા કોઈની બુદ્ધિની સમજમાં પણ ન ઉતરે એવી વાતો લખેલી હોઈ શકે. શૌરીએ જ્યારે વિગતે સંદર્ભો ટાંકીને ફતવાઓ વંચાવ્યા ત્યારે એ લોકો કહેવા લાગ્યા: ‘પણ ફતવાઓ વળી કોણ વાંચતું હોય છે?’

શૌરીએ સમજાવ્યું કે એમ તો કોઈ એવું પણ પૂછી શકે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટ્સ કે લેબર લૉ જર્નલ કોણ વાંચતું હોય છે? જવાબ દેખીતો જ છે: ન્યાયાધીશો વાંચે છે, વકીલો વાંચે છે, ફરિયાદીઓ અને આરોપીઓ એની જાણકારી મેળવે છે. એ જ રીતે ઉલેમાઓ તેમ જ જેઓ શરિયતનો અમલ કરાવે છે તેઓ તથા જે કોમ એને અનુસરે છે તે ફતવાઓ વાંચે છે. અને કોઈક ન વાંચે તો પણ તે પોતાના જીવનના તમામ વ્યવહારો કરતી વખતે ફતવાઓમાં અપાયેલી સૂચનાનું પાલન કરતા હોય છે.

આ પછી બીજી દલીલ થતી હોય છે કે: ‘આ બધા તો જૂનાપુરાણા ફતવાઓ છે.’

શૌરી કહે છે કે: ના, આ આખો અભ્યાસગ્રંથ વર્તમાન જમાનાના ફતવાઓ પર આધારિત છે. આ તમામ પુરાવાઓ સામે આંખ આડા કાન કરવાને બદલે, જો કોઈને શંકા જતી હોય તો એ વ્યક્તિ આજની તારીખેય દેવબંદની દર-અલ-ઉલૂમ જેવી માન્યતા-પ્રાપ્ત સત્તા પાસે જઈને પ્રશ્ર્નો પૂછી ફતવા કઢાવી શકે છે અને પોતાની જાતે ખાતરી કરી શકે છે કે એકેય ફતવો આ ગ્રંથમાં ટાંકવામાં આવેલા ફતવાઓ કરતાં વિરુદ્ધમાં સૂર કાઢે છે કે નહીં.

શૌરીને જ્યારે કહેવામાં આવ્યું કે ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ પ્રગટ કરીને તમે મુસ્લિમોને નીચા ચીતરો છો અને બે કોમ વચ્ચે તનાવ સર્જો છો ત્યારે એમનો જવાબ હતો: આ ફતવા કંઈ કોઈનાથી ખાનગી નથી. બધે જ ચલણમાં છે. મસ્જિદની આસપાસની પુસ્તકોની દુકાનોમાંથી એ મળે જ છે. કોમમાં આ ફતવાના ગ્રંથોની ગણના ઉચ્ચ સાહિત્યમાં થાય છે. જે ગ્રંથોનો આ પુસ્તક (‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’) લખવામાં સંદર્ભસાહિત્ય તરીકે ઉપયોગ થયો છે તે ગ્રંથો કંઈ કેટલાય લોકોએ ખરીદ્યા છે, વાંચ્યા છે અને એને કારણે એમનું મન એક નિશ્ર્ચિત દિશામાં દોડતું થઈ ગયું છે. આ પુસ્તકમાં તો માત્ર આ ફતવાઓ શું કહે છે તે સમજાવવામાં આવ્યું છે, એનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ પુસ્તકની અંગ્રેજી ભાષા કરતાં એ ફતવા-સંગ્રહોની ઉર્દૂ ભાષા કોમના લોકો વધારે સારી રીતે સમજી શકતા હોય છે.

અરુણ શૌરીને છેલ્લો સવાલ એ થતો કે: અરે ભાઈ, બટ વ્હાય ડોન્ટ યુ રાઈટ ઑન હિન્દુ ફતવાઝ?

મોટું માથું ગણાતા એક જાણીતા બુદ્ધિજીવીએ આવો સવાલ શૌરીને કર્યો હતો. શૌરી કહે છે કે હિંદુઓમાં ફતવા જેવું કશું હોતું જ નથી. પેલા ઈન્ટલેક્ચ્યુઅલને પણ ખબર જ હશે. પણ એ બુદ્ધિજીવીના કહેવા પાછળનો આશય એ કે ઈસ્લામ વિશે લખવાનું કામ હિંદુઓનું નહીં, તમતમારે હિન્દુ ધર્મ વિશે લખો ને. અને ભૂલેચૂકે જો કોઈ હિંદુ ઈસ્લામ વિશે લખે તો એણે ટિપિકલ એપ્રોચ લઈને કહેતાં રહેવું જોઈએ કે ઈસ્લામ તો ‘સમાનતા અને સહિષ્ણુતાનો ધર્મ’ છે. અને ભૂલેચૂકે જો એ ઈસ્લામની ટીકા કરવા માગતો હોય તો એણે લવિંગ કેરી લાકડી વાપરીને કીડીને પણ ઈજા ન થાય એવી સ્ત્રૈણ શૈલીમાં લખવું જોઈએ કે ‘એ બધી વાતો તો સદીઓ અગાઉની છે અને ત્યારના સંજોગો જુદા હતા, અત્યારના સંજોગો જુદા છે.’ એટલું જ નહીં એવી હળવી ટીકા પછી બૅલેન્સિંગ કરવા માટે એણે અનેક ધર્મ-જાતિ-પ્રજામાં જોવા મળતી પણ હિંદુ ધર્મના જ નામે ચડેલી જ્ઞાતિપ્રથા જેવા કુરિવાજોનો ઉલ્લેખ કરવો જોઈએ એટલું જ નહીં એકલદોકલ કિસ્સાને બઢાવી ચઢાવીને પ્રથામાં જે ખપી ગઈ તે તથાકથિત સતીના રિવાજને પણ ઝૂડી નાખવો જોઈએ.

કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં ચાલતી કુપ્રથાઓ કે એમાંના કુરિવાજોનો બચાવ હોઈ શકે જ નહીં. ચાહે એ ઈસ્લામ હો યા દુનિયાનો બીજો કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હો.
Show less
1

સૌરભ શાહ - ભારતીય સંસ્કૃતિને ભારતમાંથી ભૂંસી નાખવાનું ષડયંત્ર

 
ભારતીય સંસ્કૃતિને ભારતમાંથી ભૂંસી નાખવાનું ષડયંત્ર

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

જે પ્રજા પોતાનાં મૂળિયાં ભૂલી જાય છે તે પ્રજા પોતાનો ચહેરો, પોતાની ઓળખાણ અને પોતાનું આગવું અસ્તિત્વ પણ ગુમાવી બેસે છે. ભારતની પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી નથી ગઈ, એને જાણી જોઈને જુઠ્ઠો ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે. આ કારસ્તાન ક્યારે, કેવી રીતે ક્રમશ: રચાતું ગયું એનો વળી જુદો જ ઈતિહાસ છે. ભારતની પ્રજાએ પોતાના ઈતિહાસનો સંપૂર્ણ રેકૉર્ડ સાચવ્યો નથી અને જે સચવાયેલો હતો તે આક્રમણખોરો દ્વારા કાં તો વિકૃત કરવામાં આવ્યો, કાં ભૂંસી નાખવામાં આવ્યો.

ભારતનો ઈતિહાસ હિન્દુ સંસ્કૃતિનો ઈતિહાસ છે. આપણા માટે ઈજિપ્ત, ઈરાક, ઈરાન ઈત્યાદિ પશ્ર્ચિમ એશિયાના દેશો છે, પરંતુ અંગ્રેજો માટે ભારત પૂર્વનો દેશ અને આ બધા (ઈજિપ્ત વગેરે) મધ્યપૂર્વના દેશો. અંગ્રેજોની કેળવણીને કારણે આપણા બાપદાદા પાઠ્યપુસ્તકોમાં ભણતા રહ્યા કે ઈજિપ્ત ઈત્યાદિ મિડલ ઈસ્ટની ક્ધટ્રીઝ કહેવાય! આજની તારીખે ભારતના નાના બાળકમાં પણ એ સંસ્કાર ઘૂસી ગયા છે કે મિડલ ઈસ્ટના દેશો એટલે ઈજિપ્ત વગેરે વગેરે. એને કોણ સમજાવવા જશે કે દીકરા, એ મિડલ ઈસ્ટ અંગ્રેજો માટે, એમણે તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકો ભણનારી પ્રજા માટે છે; તારા માટે તો એ સઘળા પશ્ર્ચિમ એશિયાના દેશો ગણાય કારણ કે તે સઘળા ભારતની પશ્ર્ચિમે આવેલા છે.

એક સાદીસીધી લાગતી આ વાત અહીં નથી અટકતી. ભારત પર હજાર વર્ષ સુધી રાજ કરનારા મોગલોએ અને અંગ્રેજોએ ભારતના ભૂતકાળ તરફ જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખવાની કોશિશ કરી છે. ભારતના ઈતિહાસની નાનામાં નાની વાતને વિકૃત કરીને તથા કોઈ પણ સંસ્કૃતિની હોઈ શકે એવી સામાન્ય નબળાઈઓને અતિશયોક્તિભરી રીતે રજૂ કરીને એવું ચિત્ર ઊપસાવ્યું છે કે આ ભારતમાં શું દાટ્યું છે? એના કરતાં અમેરિકા જાઓ અને અમેરિકનો તમને વિમાનમથકે નાગા કરીને પણ પ્રવેશ ન આપે તો ઑસ્ટ્રેલિયા કે ન્યુઝીલૅન્ડ જજો પણ ભારતમાં નહીં રહેતા.

થોડાક શુષ્ક, કંટાળાજનક પણ ભારે અગત્યના આંકડા આપીને વાત કરવી છે. એ આંકડા દ્વારા તમે જોઈ શકશો કે આધુનિક ભારતની સંસ્કૃતિને ભૂંસી નાખવાના કેટલા વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. આ આંકડા વીસમી સદીના આખા સૈકાને આવરી લેનારા છે. કલ્પના કરો કે આધુનિક યુગમાં પણ જો ભારતની સંસ્કૃતિ મિટાવવા આ હદે વિદેશી સંસ્કૃતિઓનું આક્રમણ થતું હોય તો પાછલા દસ સૈકા દરમિયાન, ગત સહસ્ત્ર વર્ષના ગાળામાં, ભારતની સંસ્કૃતિ પર શું શું વીત્યું હશે.

ચેન્નઈની સેન્ટર ફૉર પૉલિસી સ્ટડીઝ નામની દેશની નામાંકિત રિસર્ચ સંસ્થાએ વર્ષોની જહેમત બાદ અનેક વિદ્વાનોની મદદ પછી આ કામ કર્યું છે. ગુલામીનાં વર્ષો દરમિયાન ભારતની પ્રજામાં જે માનસિકતા કેળવવામાં આવી તેનું જ પુનરાવર્તન કમનસીબે આઝાદી પછીનાં વર્ષોમાં પણ આપણે સૌ કરી રહ્યા છીએ. પશ્ર્ચિમના દેશોની સંસ્કૃતિ આપણા માટે ધ્રુવનો તારો હોય એ રીતે આપણી સભ્યતાને આપણે દોરવા માગીએ છીએ. અંગ્રેજોએ જતી વેળાએ આપણી જાહેર સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ તેમ જ આપણાં વહીવટી તંત્રોની જે માનસિકતા બતાવેલી તે જ આપણી સરકારોએ ચાલુ રાખી છે. કોઈપણ પ્રજાની સંસ્કૃતિને વિખેરી નાખવાના બે ઉપાયો છે: એક, એ પ્રજાનો ઈતિહાસ ઊંધો-ચત્તો કરી નાખીને એને પોતાના અતીત બદલ ગૌરવ લેતાં અટકાવો અને બે, એ પ્રજાની અંદર ભળી જઈને એમનું વાતાવરણ હાઈબ્રીડ (સંકર) બનાવી દો. આ બીજો ઉપાય બે પ્રકારે થઈ શકે: એક, ધર્માંતરણ દ્વારા તથા બે, ધાકધમકી અને લાલચથી એમની સાથે રોટી બેટીનો વ્યવહાર વધારીને.

હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તેમ જ આદિવાસીઓના સંપ્રદાયો ભારતીય ધર્મના છે. એમાં આસ્થા ધરાવનારાઓ ઈન્ડિયન રિલિજિયનિસ્ટ ગણાય, ભારતીય ધર્મના અનુયાયીઓ.

એ જ રીતે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, યહૂદીઓ ઇત્યાદિ ભારતમાં અન્યધર્મીઓ ગણાય. સૌથી પહેલાં આપણે આંકડાઓ દ્વારા એ તપાસવું જોઈએ કે આ બેઉ પ્રકારની પ્રજા અર્થાત્ ભારતીય ધર્મોના અનુયાયીઓ તથા અન્યધર્મીઓ અથવા વિધર્મીઓની વસ્તી ભારતમાં કેટલી હતી. આ અભ્યાસમાં જે આંકડા અપાયા છે તે અંગ્રેજોના જમાનાથી શરૂ થયેલી અને ફેરફારો સહિત હજુ સુધી ચાલુ રહેલી દસ વાર્ષિક વસ્તી ગણતરીના સત્તાવાર તથા સરકારી આંકડાઓ છે. ભારતને લગતું વિશ્ર્વનું કોઈ પણ આંકડાકીય સંશોધન વસ્તીગણતરીની બાબતમાં આ આંકડાઓને વિશ્ર્વસનીય તથા આધારભૂત ગણે છે.

આ આંકડાઓ ધીરજપૂર્વક સમજયા પછી એનાં તારણો કાઢવાં પડશે અને એ તારણો પાછળનાં ઐતિહાસિક તથ્યો તપાસવાં પડશે. અંગ્રેજોએ ૧૮૮૧ની સાલથી ભારતમાં પદ્ધતિસરની વસ્તીગણતરી શરૂ કરી હતી એટલે ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકાના આંકડા પણ આપણી પાસે છે.

સૌથી પહેલાં આઝાદી પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ૧૮૮૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની ટકાવારી લગભગ ૭૯ ટકા જેટલી હતી. (અમારી પાસે ૭૮ પૉઈન્ટ ૯૫૮નો આંકડો છે, પરંતુ વાચકની સુગમતા ખાતર તથા પ્રૂફરીડિંગમાં સર્જાઈ શકે એવી ભૂલોને ટાળવા ખાતર બને ત્યાં સુધી અપૂર્ણાંકને નજીકના આંકડા સુધી ખેંચી લઈ જઈને એને પૂર્ણાંક બનાવવાની કોશિશ કરીશું.)

આની સામે વિધર્મીઓની ટકાવારી ૨૧ ટકા જેટલી હતી. આ આંકડા ૧૮૮૧ના છે. છ દાયકા પછી, ૧૯૪૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ૭૯ ટકામાંથી ઘટીને ૭૪ ટકા થઈ જાય છે અને વિધર્મીઓની ટકાવારી ૨૧માંથી વધીને ૨૬ ટકા જેટલી થઈ જાય છે. આ ૨૬ ટકાના સરવાળામાં ૨૪ ટકા મુસ્લિમો છે વત્તા એક પૉઈન્ટ નવ ટકા ખ્રિસ્તીઓ છે અને બાકીના પૉઈન્ટ શૂન્ય એક ટકા કરતાં ઓછા પારસીઓ તથા યહૂદીઓ છે.

વિધર્મીઓ ૨૧ ટકા હતા ત્યારે એ સરવાળામાં મુસલમાનોની વસ્તી ૨૦ ટકાની હતી તથા ખ્રિસ્તીઓની વસ્તી પોણો ટકાની હતી. આમ આઝાદી મળી તે પહેલાંના વર્ષોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ચાર ટકા જેટલી ઘટે છે અને લગભગ એટલી જ વસ્તી મુસલમાનોની વધે છે.

હવે આપણે આઝાદી પછીના અર્થાત ભારતના ભાગલા થયા તે ગાળા પછીના આંકડા જોઈએ. ભારતમાં ૧૯૫૧માં ૮૭ ટકા જેટલા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે ૧૯૯૧માં ઘટીને ૮૫ ટકા થઈ ગયા અને આની સામે મુસલમાનોની વસ્તી ૧૯૫૧માં સાડા દસ ટકા હતી જે ૧૯૯૧માં સાડા બાર ટકા જેટલી થઈ ગઈ. ખ્રિસ્તીઓની વસ્તીની ટકાવારી લગભગ એટલી જ અર્થાત્ સવા બે ટકા જેટલી રહી છે. પણ ટકાવારીને બદલે આંકડાઓ જોઈએ તો

૮૪,૨૬,૦૦૦ ખ્રિસ્તીઓ વધીને ૧,૯૬,૫૧,૦૦૦ થઈ ગયા છે અર્થાત્ ૮૫ લાખમાંથી લગભગ બે કરોડ જેટલા થઈ ગયા છે, સવા બે ગણાથી પણ વધારે.

આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટતી જાય છે. ભારતની વસ્તીના કુલ આંકડાઓમાં બે, ચાર કે છ ટકાના વધારા ઘટાડાથી ઝાઝા પ્રભાવિત નહીં થનારાઓને વિનંતી કે આ આંકડાઓમાંથી ઉદ્ભવતા કંટાળામાં ખેંચાયા વિના, જાગ્રત રહીને આ આંકડાઓ વાંચશો. તમારી આંખો ઊઘડી જશે, ઊંઘ હરામ થઈ જશે.

27-09-2013

ગુજરાતમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં છે. કચ્છ જિલ્લાની સાડા ઓગણીસ ટકા કરતાં વધુ વસ્તી મુસ્લિમોની છે. ભારતીય પરંપરાવાદી મુસ્લિમોનું એક મોટું કેન્દ્ર ભરૂચ જિલ્લો છે. ગુજરાતમાં ૧૯૯૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ નેવું ટકા કરતાં થોડાક વધારે ભારતીય ધર્મોના અનુયાયીઓ છે, પોણા નવ ટકા મુસ્લિમો છે અને અડધા ટકા કરતાં ઓછા ખ્રિસ્તીઓ છે. ગુજરાતમાં ખ્રિસ્તી વસ્તીનું સૌથી વધુ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે જ્યાં મિશનરીઓની વટાળપ્રવૃત્તિ પુરજોશમાં ચાલે છે. માંડ દોઢ લાખની કુલ વસ્તી ધરાવતા ગુજરાતના આ છેવાડાના જિલ્લામાં કુલ વસ્તીના સાડા પાંચ ટકા જેટલા લોકો ખ્રિસ્તી છે. ડાંગની નજીક આવેલા સુરત જિલ્લામાં એક ટકા જેટલી ખ્રિસ્તી વસ્તી છે અને ખેડા જિલ્લામાં દોઢ ટકો ખ્રિસ્તીઓ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ભરૂચમાં અડધાથી એક ટકા ખ્રિસ્તીઓ છે. બાકીના જિલ્લાઓમાં ખ્રિસ્તીઓની વસ્તી નગણ્ય છે. ગુજરાતના આંકડા જોઈને જો કોઈ એમ વિચારતું હોય કે ગુજરાતમાં વળી ક્યાં ભારતીય સંસ્કૃતિ ભૂંસાઈ જવાની છે તો એમણે ભારતનાં અન્ય રાજ્યોનો, વિશેષ કરીને ઈશાન રાજ્યોના આંકડા તપાસવા જોઈએ અને ભારતના ઈશાનમાં જે બની શકે તે વહેલું મોડું ભારતના પશ્ર્ચિમ કિનારે પણ બની શકે છે.

ઈશાનમાં શું બન્યું? પહેલો દાખલો નાગાલૅન્ડનો લઈએ. નાગાલૅન્ડ પૂર્વોત્તર ભારતનું એક ખૂબ અગત્યનું રાજ્ય છે. નાગાલૅન્ડમાં ૧૯૦૧ની સાલમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી નવ્વાણું ટકા કરતાં વધુ (૯૯.૨૭ ટકા) હતી અને ખ્રિસ્તીઓની વસ્તી માંડ અડધા ટકા જેટલી (.૫૯ ટકા) હતી. માત્ર નેવું જ વર્ષમાં નાગાલૅન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી અડધા ટકામાંથી ૮૭ ટકા (આઠડે સાતડે સત્યાશી, એઈટી સેવન) થઈ ગઈ, વિચાર કરો! અને ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી દસમાં ભાગની, ૧૧ ટકા કરતાંય ઓછી થઈ ગઈ. એક સૈકા કરતાંય ઓછા સમયમાં હિન્દુસ્તાનના એક આખા રાજ્યનું લગભગ સંપૂર્ણપણે ખ્રિસ્તીકરણ થઈ ગયું. યાદ રાખીએ કે ઇશાનનાં આ રાજ્યો આપણને, મુંબઈ-ગુજરાતના લોકોને, ભલે ઈન્સિગ્નિફિક્ધટ લાગે પણ તે સરહદી રાજ્યો છે. સ્ટ્રેટેજિકલી એ રાજ્યોનું ઘણું મોટું મહત્ત્વ છે.

નાગાલૅન્ડ પછી મિઝોરમની પરિસ્થિતિ જોઈએ. મિઝોરમમાં પણ ૧૯૦૧ના દાયકામાં ૯૯ ટકા કરતાં વધારે (૯૯.૭૦ ટકા) વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ખ્રિસ્તીઓની વસ્તી દસ હજારે માત્ર પાંચની અર્થાત્ ઝીરો પૉઇન્ટ ઝીરો ફાઈવ ટકા જેટલી માંડ હતી. આજે શી પરિસ્થિતિ છે ત્યાં? ૧૯૯૧ની વસ્તી ગણતરીના આંકડા તમને કહે છે કે મિઝોરમમાં ૮૫ ટકા કરતાં વધુ ખ્રિસ્તીઓ છે અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ૯૯ ટકામાંથી ઘટીને ૧૩ ટકા જેટલા થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર તથા આસામની પરિસ્થિતિ વત્તે ઓછે અંશે આ જ છે. છેલ્લા એક સૈકાથી ભારતના ઈશાનમાં થઇ રહેલી મિશનરીઓની ધર્માંતરણ પ્રવૃત્તિઓનો આ અંજામ છે. ભારતીય સંસ્કૃતિને આયોજનપૂર્વક ભૂંસી નાખવાનું આ સુયોજિત ષડ્યંત્ર છે, જેને કેટલાક ભાન ભૂલેલા લોકો આવકારતા હોય છે. તેઓ ધર્માંતરવિરોધી કાયદાઓનો પણ વિરોધ કરતા હોય છે.

ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં ભયજનક ઘટાડો થઇ રહ્યો છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ૧૯૦૧માં સાડા પંચ્યાશી ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા. ૧૯૯૧માં સાડા બ્યાશી ટકા થઇ ગયા. આની સામે આ જ રાજ્યમાં ૧૯૦૧માં ૧૪ ટકા મુસ્લિમ વસ્તી હતી, ૧૯૯૧માં ૧૭ ટકા થઇ ગઇ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર- લગભગ દરેક રાજ્યમાં મુસ્લિમોની વસ્તી કૂદકેને ભુસકે વધી રહી છે.

કેરળ જેવા રાજ્યમાં ટૂંક સમયમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં મુકાઇ જવાના છે. કેરળમાં ૧૯૦૧માં ૧૩ ટકા ખ્રિસ્તીઓની અને ૧૭ ટકા મુસ્લિમોની વસ્તી સામે ૬૯ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા જે ૯૦ વર્ષ પછી ઘટીને ૫૭ ટકા થઈ ગયા અને મુસ્લિમો ૧૭માંથી ૨૩ ટકા તથા ખ્રિસ્તીઓ ૧૩માંથી ૧૯ ટકા થઇ ગયા.

ભારતમાં રહેતી લઘુમતીઓની જેમને ચિંતા હોય તેઓને બાંગ્લાદેશમાં તથા પાકિસ્તાનમાં રહેતી લઘુમતી કોમની પણ ચિંતા હોવી જોઇએ. ભારતની લઘુમતી ગણાતી મુસ્લિમ કોમની વસ્તી આ બંને દેશોમાં પૂરઝડપે ફૂલીફાલી રહી છે, એમની એકંદર વસ્તી તેમ જ એમનો વસ્તીવધારાનો દર- બેઉ વધી રહ્યાં છે અને તે પણ ભારતની મુખ્ય પ્રજાના ભોગે આ વિકાસ થઇ રહ્યો છે.

બાંગ્લાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં છે. ૧૯૦૧ના બાંગ્લાદેશમાં, અર્થાત્ આજના રાજકીય બાંગ્લાદેશના તે સમયના ભૌગોલિક પ્રદેશમાં, ૩૪ ટકા જેટલી વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ૬૬ ટકા મુસલમાનો હતા. ૧૯૯૧ના બાંગ્લાદેશમાં ભારતીય અનુયાયીઓ ૩૪ ટકામાંથી ઘટીને ૧૧ ટકા થઇ જાય છે.

પાકિસ્તાનમાં સ્થિતિ આથીય ખરાબ છે. ૧૯૦૧ની સાલમાં ૧૬ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ ધરાવતા પાકિસ્તાનમાં આજની તારીખે એમની વસ્તી પોણા બે ટકા કરતાં ઓછી થઇ ગઇ છે. મુસ્લિમોની વસ્તી ૮૪ ટકામાંથી વધીને ૯૭ ટકા થઇ ગઇ છે.

આમ છતાં આજે ભારતના તથા કથિત બૌદ્ધિકો તથા સેક્યુલરવીરો ચીસો પાડીને કહી રહ્યા છે કે ભારતમાં લઘુમતીઓને અન્યાય થાય છે. આ શાણા પુરુષો ખરેખર ન્યાયના કે તટસ્થતાના કે નિષ્પક્ષતાના પ્રેમીઓ હોય તો એમણે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જઇને ત્યાંની લઘુમતી કોમના હક્કો માટે લડવું જોઇએ, ત્યાંની સરકારો પાસે જઇને આ લઘુમતીઓના જાતિનિકંદનનો, પોગ્રોમનો હિસાબ માગવો જોઇએ.

સેક્યુલરવાદે ચડી ગયેલા આપણા મિડિયામાં વેલેન્ટાઇન્સ ડે પ્રકારના વાહિયાત ઉત્સવોની ઉજવણીઓ જોરશોરથી બતાડવામાં આવે છે. દિવાળી કે બેસતા વરસને બદલે નાતાલ તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને વગર ફોગટનું મહત્ત્વ અપાય છે. આ મિડિયા કેવી રીતે પોતાની સેક્યુલરગીરી દેખાડે છે? એક જાણીતી ચૅનલે ૩૧ ડિસેમ્બરની સાંજે ગોવાના સનસેટનું અડધો કલાકનું લાઇવ કવરેજ આપ્યું. પૂરી ત્રીસ મિનિટ સુધી ન્યુઝમાં માત્ર અસ્ત થઇ રહેલા સૂર્યનું વિઝ્યુઅલ અને સાથે ન્યુઝ રીડરની કોમેન્ટરી! બીજે દિવસે તમામ અગ્રણી છાપાઓએ આની હાંસી ઉડાવી. એ ટીવી ચૅનલે પોતાની આ બેવકૂફીનું સાટું વાળવા કડવા ચોથની રાત્રે લાઇવ ચંદ્રદર્શન કરાવ્યું હતું.
Show less
1

ચંદ્રકાંત બક્ષી - મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન

 
મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન  : ચંદ્રકાંત બક્ષી


મુંબઈ, કોલકતા અને ચેન્નાઈ અથવા બૉમ્બે, કલકત્તા અને મદ્રાસ, આ ત્રણ શહેરો ઊડીને આંખે વળગે તેવી કેટલીક સમાનતા ધરાવે છે. બ્રિટિશરોએ શા માટે આ ત્રણ શહેરો પસંદ કર્યાં હતાં? આના ઉત્તર માટે ઈતિહાસમાં ડોકિયું કરીએ.

૧૪૯૮- વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે ઊતર્યો.

૧૫૧૦- અલફોન્સો-દી-અલ્બુકર્કનું ગોવામાં આગમન.

પોર્ટુગીઝો એકસો વર્ષથી ભારતમાં હતા.

૧૬૦૦- લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની શરૂઆત થઈ.

૧૬૧૨- સુરતમાં કોઠી અથવા ફૅક્ટરી સ્થાપવા માટેના પ્રયાસ અને આ પાછળ એક કહાણી છે. સુરતમાં શરાબ પીવાની હોડમાં હૉક્ધિસની શરાબ પીવાની ક્ષમતાથી પ્રભાવિત થયેલા જહાંગીરે સુરતમાં ફૅક્ટરી શરૂ કરવા તેને આપેલી પરવાનગી.

૧૬૩૯- ફૅક્ટોર ફ્રાન્સિસ ડેએ મદ્રાસમાં ખરીદેલી જમીન.

૧૬૬૧- પોર્ટુગીઝના રાજાની બહેન ડૉના ઈનફન્ટા કૅથેરિના અને ઇંગ્લેન્ડના ચાર્લ્સ બીજાનાં લગ્ન થયાં અને મુંબઈ ટાપુ દહેજમાં આપવામાં આવ્યો.

૧૬૯૦- જહૉન ચારનૉકે સુતાનુતીની ત્રીજી વખત લીધેલી મુલાકાત.

૧૬૯૬- ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કિલ્લો બાંધ્યો અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું.

આ ત્રણ શહેરો કેવી રીતે ખરીદવામાં આવ્યાં હતાં.

(૧) ૧૬૩૯: ચંદ્રાઘ્નિ રાજા પાસેથી વર્ષે ૬૦૦ પાઉન્ડના ભાડે મદ્રાસ ટાપુ લેવામાં આવ્યો હતો.

(૨) ૧૬૬૧: મુંબઈ ટાપુનું જમીન અને ઈમારતો સાથેનું મૂલ્ય ૭૦૦ પાઉન્ડ હતું.

(૩) ૧૬૯૮: ઔરંગઝેબના પૌત્ર અઝિમ-ઉસ્-શાનને રૂા.

૧૬૦૦/-ની લાંચ આપ્યા પછી રૂા. ૧૩૦૦/-માં કલકત્તા, સુતાનુતી અને ગોવિંદયન એમ ત્રણ ગામડાં ખરીદવામાં આવ્યાં હતાં.

મુંબઈ, કોલકતા ને મદ્રાસને પસંદ કરવા માટેનાં કેટલાંક કારણો:

(૧) અ. કોલકતાની હુગલી નદી.

બ. મદ્રાસનો કોલમ, ભેજની વાસવાળો જળમાર્ગ.

ક. મુંબઈની વસઈની ખાડી.

વ્યાપક પ્રમાણમાંના જળપ્રદેશો એટલે મરાઠા અને મોગલ ઘોડેસવારોએ જમીનનો અંત આવતાં જ અટકવું પડે. તેઓ જળપ્રદેશ પાર કરી શકે નહીં, આમ આ ત્રણે શહેરો બ્રિટિશરો માટે સલામત હતાં.

(૨) બ્રિટિશરો દરિયાઈ માર્ગે આવ્યા હતા અને તેઓ દરિયા માર્ગથી વાકેફ હતા. તેમને ભારત છોડી જવાની ફરજ પાડવામાં આવે તો તેમને માટે સરળ હતું, આ વિશે એક કહાણી છે. ૧૯૪૭માં લોર્ડ માઉન્ટબેટન વાઈસરૉય તરીકે ભારત જવા રવાના થાય તે અગાઉ તેમની છેલ્લી પત્રકાર પરિષદમાં એક ભારતીય પત્રકારે તેમને પ્રશ્ર્ન પૂછ્યો, ‘આપ નામદારની સરકારે નૌકાદળના એક અધિકારીની નિમણૂક કરી છે. બ્રિટિશરોની ભારત છોડી જવાની કાર્યવાહી સરળતાથી પાર પડે તે માટે આ નિમણૂક કરવામાં આવી છે,’ પત્રકાર પરિષદ પછી માઉન્ટબેટન મનમાં હસતાં હસતાં બોલ્યા હતા કે કંઈક જાણવું હોય તો ક્યારે મોડું થયું ગણાય નહીં.

(૩) સારું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હતું એટલે આ પ્રદેશ પર કબજો મેળવ્યા પછી પણ વિજેતા ઝાઝો વખત રહી શકે નહીં.

(૪) હવામાન અત્યંત ખરાબ હતું. કલકત્તામાં બ્રિટિશરો કહેતા કે તમે ભારતમાં ત્રણ ચોમાસાં કાઢી શકો તો કાયમ માટે રહી શકો.

મુંબઈમાં ૧૬૯૨માં સૌપ્રથમ વખત પગ મૂક્યો હતો. ૩૦૭ વર્ષ અગાઉ રૂપજી ધનજી દીવથી મુંબઈ આવ્યા હતા. ૧૬૭૭માં એટલે કે ૩૨૨ વર્ષ અગાઉ નિમા પારેખ આવ્યા અને ધોબી તળાવ નજીક વસ્યા હતા. આમ, ઈતિહાસની નોંધ મુજબ લગભગ ૩૫૦ વર્ષ પહેલાં અહીં આવ્યા હતા. એક સદીની ત્રણ પેઢીઓને હિસાબે જોઈએ તો ગુજરાતીઓની દસ પેઢી અહીં રહી, અહીં મૃત્યુ પામી અને તેમના અંતિમસંસ્કાર પણ અહીં જ થયા.

આ પૃથ્વી પર પશ્ર્ચિમમાં લોસ એન્જેલિસથી માંડીને પૂર્વમાં હોંગકોંગ સુધી અને દક્ષિણમાં ડરબનથી માંડીને ઉત્તરમાં છેક લંડન સુધી એકસો કરતાં પણ વધુ દેશોમાં ગુજરાતીઓ ફેલાયેલા છે, પરંતુ ગુજરાતની બહાર, આપણે મુંબઈને જે પ્રેમ આપ્યો છે તેવો પ્રેમ અન્ય કોઈ શહેરે

મેળવ્યો નથી.

મુંબઈ આવતા પહેલાં આપણે લોહાણા અને પટેલ, જૈન અને વહોરા, નાગર અને પારસી, મેમણ અને કપોળ, અનાવિલ અને ભાટિયા હતા, ‘ગુજરાતી’ની ઓળખનું લેબલ મુંબઈએ આપણને આપ્યું.

સૌથી પહેલવહેલા કપોળો અને ભાટિયાઓ મુંબઈમાં આવ્યા હતા. (કલકત્તામાં બીજા વિશ્ર્વવિગ્રહ સુધી તમામ ગુજરાતીઓ ભાટિયાઓ તરીકે જાણીતા હતા).

૧૯મી સદીમાં ‘ગુજરાતીઓનું મુંબઈ’ હતું. જે ૨૦મી સદીમાં ‘મુંબઈના ગુજરાતીઓ’માં રૂપાંતર થયું.

મુંબઈમાં ન્યૂ યોર્ક જેવું છે. જેમ ન્યૂ યોર્કરોની પ્રથમ પેઢી, ન્યૂ યોર્કરોની બીજી પેઢી અને ત્રીજી પેઢીના ન્યૂ યોર્કરો છે તેમ મુંબઈમાં પ્રથમ પેઢીના મુંબઈકરો, બીજી પેઢીના મુંબઈકરો અને ત્રીજી પેઢીના મુંબઈકરો છે. ન્યૂ યોર્કમાં જેમ અત્યંત ઓછા ચોથી પેઢીના ન્યૂ યોર્કરો છે તેમ અત્યંત ઓછા પ્રમાણમાં ચોથી પેઢીનાં મુંબઈકરો છે, મુંબઈ અને ન્યૂ યોર્ક બન્ને વસાહતીઓનાં શહેરો છે.

ચોપાટીના દરિયામાં, સ્વાતંત્ર્ય દેવીની જેમ આ ટાપુની પાલનહાર દેવી મુંબા આઈની પ્રતિમા અસ્થાને નહીં ગણાય. મારા માટે જો ન્યૂ યોર્ક એક દળદાર એપલ છે, તો મુંબઈ ભરાવદાર પાઈનેપલ છે! બહારથી બરછટ, પરંતુ અંદરથી રસદાર અને સ્વાદિષ્ટ. ‘આઈ લવ મુંબઈ’નું રટણ કરવાની આપણને જરૂર નથી, કેમ કે આપણે ગુજરાતીઓ છેલ્લાં ૭૦૦ વર્ષોથી મુંબઈને ચાહીએ છીએ.

સાતસો વર્ષ પહેલાં, ૧૩મી સદીમાં આપણે ગુજરાતના રાજા ભીમદેવ સાથે આવ્યા હતા. તેમણે તેમના પાટનગર મહિકાવટીની સ્થાપના કરી હતી, એ મહિકાવટી તે જ આજનું માહિમ! બાજુમાં તેમણે તેમના હાથીઓ માટે ગજશાળા બંધાવી હતી, જે માતંગાલયને નામે ઓળખાતી. સમય જતાં આ માતંગાલય માટુંગા બન્યું! એ વખતે વટવૃક્ષોનું વન હતું. વટવૃક્ષ એટલે વડ. એ વડ એટલે આજનું વડાલા!

અગાઉ શહેર ધાતુ ઓગાળવાનું યંત્ર અથવા મિક્સ્ડ વેજિટેબલ સૂપ અથવા પાંઉભાજી હતું જેમાં તમામ ઘટકો પોતાની ઓળખ ગુમાવી બેસે, આજે વિશ્ર્વભરમાં મહાનગરોમાં મોઝેઈક જેવી સ્થિતિ છે. જેમાં વિવિધ રંગો, વિવિધ રંગછટા, વિવિધ ભાત (ડિઝાઈન) છે અને એક નકશી અલગ દેખાઈ આવે છે, પરંતુ આ નકશી માટે ઉપયોગમાં લેવાયેલી ચીજોની ઓળખ જળવાઈ રહી છે.

મુંબઈના તમામ સાત ટાપુઓને જેમ છે તેમ રાખવા જોઈએ જેથી મુંબઈ વેનિસ જેવું સુંદર બની રહેશે. જળમાર્ગો અને ખાડી એમ ને એમ જાળવી રાખવાં જોઈએ, એવું સૂચન જમશેદજી તાતાએ કર્યંુ હતું. આ સાત ટાપુઓ હતા- કોલાબા, અલ-ઓમાનિસ, મુંબઈ (મુખ્ય ટાપુ), મઝગાંવ, પરેલ, માહિમ અને વરલી.

ગુજરાતના દરિયાકિનારા પરના દીવ, ઘોઘા, કચ્છ અને સુરતમાંથી ગુજરાતીઓ મુંબઈમાં આવ્યા અને તેઓ મોજાના સ્વરૂપે આવ્યા. ૧૮૦૩માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને લોકોનો પ્રવાહ મુંબઈમાં આવ્યો. એ પછી કાઠિયાવાડ બ્રિટિશરોના હાથમાં જતાં લોકોનો બીજો પ્રવાહ મુંબઈ ભણી વહ્યો. બ્રિટિશરોએ દ્વારકા અને કચ્છ નજીકના દરિયાઈ ચાંચિયા અને લૂંટારાઓને ખતમ કરતાં મુંબઈ માટેના દરિયાઈ માર્ગો સલામત બન્યા. ૧૮૬૦માં કાપડનો વેપાર ધીકતો બન્યો. એ પછી અમેરિકામાં આંતરવિગ્રહ થયો અને લેન્કેશાયરની રૂ માટેની માગણીમાં ઉછાળો આવ્યો. મુંબઈ રૂનું સપ્લાયર બન્યું. એ પછી અટકળો અને સટ્ટાબજાર. મુંબઈ ગુજરાતીઓથી ઊભરાવા માંડ્યું અને વેપારીઓમાં અગ્રણી અને ૧૯મી સદીના આપણા ધીરુભાઈ અંબાણી, પ્રેમચંદ રાયચંદ આવ્યા. વેપાર ખૂબ ખીલે એમ બ્રિટિશરો ઈચ્છતા હતા અને તેમણે વેપારીઓને મુંબઈ આમંત્ર્યા હતા.

૧૬૭૧માં સુરતના વાણિયા મહાજને ચોક્કસ અધિકારો, છૂટછાટો ને વેપારની સ્વતંત્રતાની માગણી કરી હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ તમામ માગણીઓનો સ્વીકાર કર્યો હતો.

મુંબઈમાં શરૂઆતમાં આવનારા ગુજરાતીઓનો વેપારધંધો શો હતો? આની આછી ઝલક જોઈએ તો:

ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કામદારો પૂરા પાડવા.

માળવાથી ચીનમાં અફીણની નિકાસ કરવી (ચીન સાથેના અફીણના આ વેપાર પરથી ગુજરાતી ‘ચિનોય’ અટક ઊતરી આવી છે.)

અખાતમાંથી ખજૂરની આયાત કરવી.

ગુજરાતમાં પેદા થતી તમાકુમાંથી ચિરુટનું ઉત્પાદન કરવું.

વિવિધ પ્રકારનાં જહાજો બાંધવાં.

ટિપુ અને ૧૮૫૭ દરમિયાન લડત આપનાર બ્રિટિશ ભારતીય લશ્કર માટે વરદી અને બૂટ પૂરાં પાડવાં.

અશ્ર્વો માટે જીન બનાવવાં.

૧૮૭૯ના અફઘાન યુદ્ધ દરમિયાન તંબુ પૂરા પાડવા.

તોપગાડીઓ બનાવવી.

મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન એટલું વ્યાપક પ્રમાણમાં છે કે અહીં એ યોગદાનની આછી ઝલક જ રજૂ કરી શકાય.

(૧) ૧૮૬૪ - પ્રેમચંદ રાયચંદે બૉમ્બે યુનિવર્સિટીને રૂા. બે લાખ આપ્યા હતા.

(૨) એ બાદ બે માસ પછી પ્રેમચંદ રાયચંદે પોતાની માતા રાજબાઈ (રાજાબાઈ નહીં!)ની સ્મૃતિમાં ટાવર બાંધવા યુનિવર્સિટીને બીજા રૂા. બે લાખ આપ્યા હતા. રાજબાઈ ટાવરનું બાંધકામ ૧૮૬૯ની પહેલી માર્ચથી ૧૮૭૬ના નવેમ્બર સુધી, એમ નવ વર્ષ સુધી ચાલ્યું હતું. શરૂઆતના દાયકામાં ૨૮૦ ફૂટની ઊંચાઈનો રાજબાઈ ટાવર મુંબઈની સૌથી ઊંચી ઈમારત હતી. મુંબઈના આ અત્યંત પ્રસિદ્ધ ટાવર પાછળ પણ એક કહાણી છે. ચુસ્ત જૈન માતા રાજબાઈએ પુત્ર પ્રેમચંદને ઘડિયાળ સાથેનો ટાવર બંધાવવા જણાવ્યું જેથી નજીકના બઝારગેટ વિસ્તારના જૈનો તેમનું સામાયિક કરી શકે. સામાયિક એટલે ૪૮ મિનિટનું ધાર્મિક ધ્યાન. આ સામાયિક ૪૮ મિનિટ કરવાનું હોય અને એ દિવસોમાં એ વિસ્તારમાં ઝાઝી ઘડિયાળો ન હતી અને બઝારગેટ જૈનોનો વિસ્તાર હતો, આથી ટાવર બાંધવામાં આવ્યો અને તેના ટકોરાનો રણકાર આસપાસના વિસ્તારોમાં સંભળાવા લાગ્યો. શરૂઆતમાં દર કલાકે નહીં, પરંતુ દર ૪૮ મિનિટે ટકોરા વાગતા હતા. આ માટે ઘડિયાળના યંત્રમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ આ વિસ્તારના જૈનો સરળતાપૂર્વક સામાયિક કરી શકે તે માટે રાજબાઈ ટાવર બાંધવામાં આવ્યો હતો, એ પછી દર કલાકે ટકોરા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષો પહેલાં લાહોર યુનિવર્સિટીએ પણ રાજબાઈ ટાવરની ડિઝાઈન પર આધારિત ટાવર બંધાવ્યો હતો.

(૩) જમશેદજી જીજીભૉયએ (અ) જે. જે. હૉસ્પિટલ માટે રૂા. ૨.૫૦ લાખ આપ્યા અને (બ) જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સ બંધાવી.

(૪) અબ્દુલ હુસેન આદમજી પીરભૉય- ૧૯૦૪, એ ત્રણ વર્ષમાં નેરળ-માથેરાન રેલવેલાઈન બાંધી આપી. તેનો ખર્ચ રૂા. દસ લાખ થયો હતો.

(૫) સર કાવસજી જહાંગીરે યુનિવર્સિટી હોલ અને એલ્ફિન્સ્ટન કોલેજની ઈમારત બંધાવી આપ્યાં.

(૬) ઠાકરશી પરિવારે શિક્ષણના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ૧૮૯૩માં દામોદરદાસ ઠાકરશીનું નિધન થયું. તેમનાં પત્ની નાથીબાઈને મહિલા કેળવણીમાં રસ હતો. આજે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી નામ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે.

(૭) મૂળજી જેઠા માર્કેટ- એશિયાની સૌથી મોટી કાપડ બજારોમાંની એક છે.

(૮) ગોકુળદાસ તેજપાલે ૧૮૬૭માં હૉસ્પિટલ (૧૮૭૦) માટે રૂા. ૧.૫૦ લાખ આપ્યા હતા. તેમની આ સખાવત એટલે જ આજની જી. ટી. હૉસ્પિટલ.

(૯) સર હરકિશનદાસ નરોત્તમદાસ

(અ) હરકિશનદાસ હોસ્પિટલના રૂપે યોગદાન આપ્યું અને (બ) ભારતની સૌપ્રથમ કોમર્સ કોલેજ સિડનહમ કોલેજ શરૂ કરવા રૂા. ૨.૨૫ લાખ આપ્યા હતા.

(૧૦) ભાટિયા વેપારી ગોરધનદાસ સુંદરદાસે જી. એસ. મેડિકલ કોલેજ આપી.

(૧૧)બમનશા દિનશા પિટિટે પારસી જનરલ હોસ્પિટલ આપી.

(૧૨) વિલે પાર્લે કેળવણી મંડળની વિવિધલક્ષી પ્રવૃત્તિઓએ મુંબઈને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લૉ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના અભ્યાસ માટેની કોલેજો આપી.

(૧૩) પ્રથમ ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ એશિયાનાં ૧૯મી સદીની શરૂઆતનાં અખબારોમાંનું એક છે.

(૧૪) શેઠ કાવસજી પટેલે એક તળાવ બંધાવ્યું હતું. આ તળાવ તે આજનું સી. પી. ટેન્ક.

(૧૫) ૧૮૬૪માં પ્રેમચંદ રાયચંદે બૉમ્બે રેકલેમેશન કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીએ કોલાબાથી વાલકેશ્ર્વર સુધીના દરિયાની ભરણી કરી હતી, જે આજે ‘બૉમ્બે રેકલેમેશન’ના નામે ઓળખાય છે.

(૧૬) રૂપારેલ કોલેજ, કીર્તિ કોલેજ અને દાદરની છબિલદાસ સ્કૂલની શરૂઆત ગુજરાતીઓએ કરી હતી.

(૧૭) લીલાવતી હોસ્પિટલ, વાંદરા-પાલનપુરના હીરાના વેપારી કિરીટલાલ મહેતાએ આ હોસ્પિટલ બંધાવી છે.

અને ગુજરાતીઓનું મુંબઈમાં શું યોગદાન?

મુંબઈને સ્વચ્છ રાખનારા સફાઈકામદારોમાં લગભગ એકસો ટકા કામદારો ગુજરાતી છે. મુંબઈનું ભરણપોષણ કરનારા કરિયાણાના દુકાનદારો એકસો ટકા ગુજરાતીઓ છે.

અને આ ઉપરાંત, અગ્રણી તેજસ્વી ગુજરાતીઓમાં ડૉક્ટરો, ધારાશાસ્ત્રીઓ, આર્કિટેક્ટસ, એક્ઝિક્યુટિવ, બિલ્ડરો અને અન્ય વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે, મોટા ચેઈન-સ્ટોર્સ, વેપારગૃહો, દુકાનો અને વેપારના માલિકો ગુજરાતીઓ છે.

૧૯મી સદીમાં આપણું સૌથી મોટું યોગદાન હતું પ્રેમચંદ રાયચંદ, ૨૦મી સદીમાં આપણું સૌથી મોટું યોગદાન છે: ધીરુભાઈ અંબાણી!

(બૉમ્બે હિસ્ટરી ટીચર્સ એકેડેમી ખાતે ૨૬મી સપ્ટેમ્બર, ૧૯૯૯ના રોજ અપાયેલું મુખ્ય પ્રવચન)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101666

ચંદ્રકાંત બક્ષી-- ગુજુ અને બીજા

ગુજુ અને બીજા    :   ચંદ્રકાંત બક્ષી

દરેક પ્રજા બીજી પ્રજા માટે એકાદ એવો શબ્દ શોધી કાઢે છે, જેમાં નફરત હોય, થોડી ઈર્ષ્યા પણ હોય!

ગુજુ શબ્દ હવે ઘણી ભાષાઓએ સ્વીકારી લીધો છે. કદાચ સાપ્તાહિક બ્લિટ્ઝે ગુજરાતી ફિલ્મ કલાકાર સંજીવકુમાર માટે એ શબ્દ પ્રથમ વાપર્યો હતો - ગુજુભાઈ! ગુજરાતી છોકરીઓ માટે આજથી વીસપચીસ વર્ષ પહેલાં મુંબઈની કૉલેજોમાં મણિબહેન શબ્દ વપરાતો હતો. પણ ગુજુ શબ્દ હવે સ્વીકાર્ય બન્યો છે. શરૂમાં એ જે કનિષ્ઠ અર્થમાં વપરાતો હતો, એ અર્થ રહ્યો નથી. હવે ગર્વથી કહી શકાય છે, આયમ અ ગુજુ!

દરેક પ્રજા બીજી પ્રજા માટે એકાદ એવો શબ્દ શોધી કાઢે છે, જેમાં નફરત હોય, થોડી ઈર્ષ્યા પણ હોય! આ મનુષ્ય સ્વભાવ છે. માનસશાસ્ત્રીઓ કદાચ આને એક તંદુરસ્ત પ્રક્રિયા માને છે. બીજા માટે થોડી ઘૃણા હોય તો આપણે સ્વચ્છ થઈ શકીએ! એક પ્રજા બીજી પ્રજા માટે કેવા શબ્દો વાપરે છે? એનો પણ એક રમૂજી ઈતિહાસ છે! દુનિયા અમેરિકનોને યાન્કી કહે છે જેમાં ન ગમતું કંઈક તત્ત્વ રહેલું છે. અંગ્રેજને માટેનો શબ્દ છે - જ્હૉન બુલ! જાડિયો, ગરમમિજાજ, જરા જડ એ જ્હૉન બુલ! ઓસ્ટ્રેલિયનો માટે ઑસીસ શબ્દ વપરાય છે. અંગ્રેજો એમને કલોનીઅલ્સ કહે છે. જર્મનોને અંગ્રેજો દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં હૂણ કહેતા હતા. જાપાનીઓને જેપ્સ કે ‘પીળી આફત’ (યલો પેરીલ) કહેતા હતા. ચીનાઓ માટે નફરતનો શબ્દ છે ચાઈનામેન! એક વાર કૉલેજમાં મારા ચીના મિત્રને પૂછ્યું હતું કે ચાઈનામેનમાં ખરાબ શું છે? તો એણે ઉત્તર આપ્યો હતો: તને જો ઈન્ડિયામેન કહે તો કેવું લાગે? ચીના માટે ‘ચીંક્સ’ પણ વપરાય છે. ક્યારેક ‘મોંગ્લોઈડ’ પણ કહેવાય છે. આ બધા જ શબ્દો નફરતના છે.

ચીના અને જાપાની યુરોપના ગોરાઓને સફેદ શયતાનો કહેતા. આપણે એમને નફરતથી ફિરંગી કહેતા. ગ્રીકને આપણે નફરતથી યવન કહેતા. જે આયોનીઆના પ્રદેશમાંથી આવ્યો હતો એ યવન કહેવાતો. જે હિંદુ માટે અસ્પૃશ્ય, જંગલી, અસંસ્કારી હતો એ મ્લેચ્છ કહેવાતો! વિદેશી ઈતિહાસકારો હિંદુ માટે એક ઘૃણાત્મક શબ્દ વાપરે છે. જેન્ટુ! ૧૯૭૧ની લડાઈને સમયે રેડિયો પાકિસ્તાન તુચ્છકારથી ભારતીયો માટે બનિયા શબ્દ વાપરીને મજાક કરતો! આપણા લશ્કરમાં પાકિસ્તાની સૈન્યના જવાન માટે જે શબ્દ વપરાતો હતો એ હતો - પી. બી.! અર્થાત્ ‘પાક બાસ્ટાર્ડ’!

લોકો દરેક યુગે ગુસ્તાની અને ઘૃણાની એક ભાષા પ્રગટાવી નાખે છે! મુસ્લિમ ઈતિહાસકારો મધ્ય યુગમાં હિંદુઓ માટે કાફર શબ્દ વાપરે છે. જ્યારે લોકબોલીમાં મુસ્લિમ માટે બાંડિયા કે તરકડા શબ્દ (તુર્ક પરથી) પ્રચલિત છે! શબ્દશાસ્ત્રીઓ માને છે કે હરામી શબ્દ પણ મૂળ હીટાઈટ પ્રજાનો છે અને આપણે જે અર્થ ઘટાવીએ છીએ - હરમમાં પેદા થયેલો - એ અર્થ ખરો નથી!

ઘણીવાર શબ્દો બહુ વિચિત્ર રીતે જન્મતા હોય છે. આપણા ઈતિહાસમાં આપણે ઘણીવાર બીજી જાતિઓને બર્બર કહીએ છીએ. એટલે કે ‘જંગલી’! ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પણ બર્બર નામની એક જાતિ છે. અંગ્રેજીમાં પણ બાર્બેરિક એટલે વન્ય કે જંગલી! જ્યારે યુરોપના ગોરા અને સફેદ લોકો ઉત્તર અમેરિકામાં ગયા અને ત્યાંની રેડ ઈન્ડિયન પ્રજાનો સંહાર કરવા લાગ્યા ત્યારે સ્થાનિક પ્રજા આ આક્રમકોને પેલફેસ અથવા ફિક્કા ચહેરાવાળા કહેવા લાગી! એમને માટે આ શબ્દ ગાળરૂપ હતો. જ્યારે આફ્રિકાથી કાળા હબસી ગુલામો અમેરિકા લાવવામાં આવ્યા ત્યારે ગોરા લોકો આ નિગ્રો ગુલામોને નિગર કહીને ગાળ આપતા! અને નિગ્રો કે હબસી લોકોની બોલીમાં આ ગોરાઓ માટેની ગાળ હતી-વ્હાઈટી! ભાષાશાસ્ત્રીઓને એક વાત વિચિત્ર લાગે છે કે આજે પણ નિગ્રો શબ્દનો પ્રથમ અક્ષર એન અંગ્રેજી ભાષામાં મોટો લખાય છે! જ્યારે વ્હાઈટનો પહેલો અક્ષર ‘ડબ્લ્યુ’ નાનો લખાય છે! બાસ્ટાર્ડ શબ્દ આજે અંગ્રેજી ભાષાની એક ગાળ બની ગયો છે. આ શબ્દ ડચ કે આફ્રિકનર ભાષાનો છે અને દક્ષિણ આફ્રિકામાં ગોરા પિતા અને હબસી માતાનું સંતાન બાસ-ટાર્ડ કહેવાતું! એ નામની એક આખી જાતિ પેદા થઈ ગયેલી, અને ગઈ સદીમાં આ શબ્દ ગાળ તરીકે વપરાતો ન હતો. આ સદીમાં બાસ-ટાર્ડમાંથી બાસ્ટાર્ડ ગાળ બની ગઈ. અર્થ થાય વર્ણસંકર!

ભારતમાં પણ ઘણી જાતિઓએ પોતાને ન ગમતી જાતિઓ માટે આવા ઘણા શબ્દો પેદા કરી લીધા છે. ગુજુ શબ્દ થોડાં વર્ષો પહેલાં જ જન્મ્યો છે. પણ ગુજરાતી છોકરીને મણિબહેન કહેવાનો રિવાજ જૂનો છે. ગોવાનીઝ કે ખ્રિસ્તીને માકા (અને છોકરીને માકી) કહેવાતું હતું. મહારાષ્ટ્રીયન માટે ઘાટી વપરાય છે. અંગ્રેજી ભણેલા ભારતીયોમાં શીખો માટે સર્ડી વપરાય છે. જ્યારે બંગાળીઓ શીખો માટે બાંધા-ગોભી (ફ્લાવરના શાકવાળું કોબી) વાપરે છે. પહેલો શબ્દ સરદાર પરથી આવ્યો છે, અને બીજો એમની પાઘડીના આકાર પરથી આવ્યો છે. અને બંગાળી માટેનો શબ્દ છે-બોંગ! બંગાળી મારવાડીને મેડો કહે છે, બિહારીને માટે કટાક્ષ અને નફરતમાં કહેવું હોય ત્યારે શબ્દ છે-ખટુવા! દિલ્હીમાં પંજાબીને માટે નફરતનો શબ્દ છે-પંજાબડે! મજાની વાત એ છે કે પંજાબીમાં એક કહેવત છે: સિંધી અને સાપ મળે તો પહેલો ‘સિંધીને મારવો અને પછી સાપને!’ અને આ જ મતલબની કહેવત દક્ષિણમાં છે: ‘મલયાલી અને સાપ મળે તો પહેલો મલયાલીને મારવો અને પછી સાપને!’

અંગ્રેજો ભારતમાં આવીને કલકત્તામાં રાજધાની નાખીને સ્થાયી થયા પછી એમને ભારતીય બંગાળી કારકુનોની રાજ્યતંત્ર ચલાવવા માટે જરૂર પડી. અંગ્રેજોના હાથ નીચે ઓફિસમાં બંગાળીઓ કામ કરતા જે સામાન્ય રીતે જ અંગ્રેજોની દૃષ્ટિમાં કાળા હતા. અંગ્રેજો આપસમાં વાત કરતા ત્યારે આ લોકો માટે બબુન શબ્દ વાપરતા! બબુન એટલે કાળા મોઢાવાળું બંદર! એમ મનાય છે કે આપણું ‘બાબુ’ મૂળ આ બબુન પરથી આવ્યું છે! એટલે હવે કોઈના નામની પાછળ બાબુ લગાવતાં પહેલાં વિચાર કરવો... આ વિષય રમૂજ અને રસનો છે, અને શબ્દશાસ્ત્રનો છે. ભારતીયો અંગ્રેજો માટે હિકારતથી બ્લાઈટી વાપરતા, જે મૂળ વિલાયત પરથી આવ્યો છે! પ્રજાના માનસિક સ્વાસ્થ્ય માટે પણ કદાચ આવા શબ્દો જરૂરી હતા. પ્રજાઓમાં પણ વ્યક્તિઓમાં જે ક્ષતિઓ છે એ જ છે. પણ મોટા પાયા પર. ખુશકિસ્મતી એ વાતની છે કે ગુજરાતીઓ માટે વપરાતો ગુજુ શબ્દ એટલો ખરાબ નથી. બીજી પ્રજાઓ માટે વધારે જોરદાર શબ્દો વપરાય છે! ક્યારેક પ્રજાએ પોતે જ આ રમૂજ પેદા કરી હોય છે! બીજા વિશ્ર્વયુદ્ધ પછી અમેરિકન સૈનિક જી. આઈ. કહેવાય છે. સૈનિકોએ પોતે જ પોતાને માટે આ શબ્દ પસંદ કર્યો હતો, એમના માટેની દરેક વસ્તુ પર જી. આઈ.નો સ્ટેમ્પ આવતો હતો. જી. આઈ. એટલે ‘ગવર્નમેન્ટલ ઈસ્યુ’!...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=102362

મહેન્દ્ર પુનાતર - જીવન દર્શ

 
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

આશાવાદી માટે પ્યાલો દૂધથી અડધો ભરેલો, નિરાશાવાદી માટે અડધો ખાલી

મોટા ભાગનાં દુ:ખો અને ચિંતાઓ માણસની પોતાની સર્જત છે. દરેકને પોતાના પ્રશ્ર્નો છે અને દરેક પ્રશ્ર્નનું સમાધાન છે. પણ આ માટે ધૈર્ય, હિંમત અને ડહાપણની જરૂર છે. આપણી પોતાની ભૂલોમાંથી શીખવાનું છે. માણસ ધારે તો મોટા ભાગની વિટંબણાઓને ટાળી શકે છે અને ચિંતા-તાણમાંથી મુક્ત થઈ શકે છે. આ માટેની કેટલીક બાબતો વિચાર પ્રેરક અને સોનેરી સૂત્રો જેવી છે.


(૧) જગતના આપણે માત્ર અંશ છીએ. આ દુનિયા આપણા વિના પણ ચાલવાની છે. તેથી માથે ભાર લઈને ફરવાની જરૂર નથી. ગમે તેટલું વ્યવસ્થિત કરીને મૂકીને જશો તો પણ સમયની સાથે બધું વિલિન થવાનું છે.

(૨) બીજા પર વિશ્ર્વાસ મૂકો. સંતાનોને તાલીમ આપી બધું તેમના પર છોડી દો. તમે માત્ર માર્ગદર્શક બનો. તમે જેટલું ચીવટ અને ખંતથી કરી શકો એટલું કદાચ બીજા ન કરી શકે. કદાચ કોઈ ભૂલ પણ થઈ જાય. માણસ અનુભવમાંથી ઘડાય છે.

(૩) ઘણાં બધાં કામો એકસાથે કરી નાખવાની કોશિશ કરો નહીં. આના કારણે તાણ ઊભી થશે અને કામ સરખાં નહીં થાય. એક કામ કામ અધૂરું રાખીને બીજું કામ શરૂ કરો નહીં. જે કામ હાથમાં લીધું હોય તે પૂરું કરો. કામના બોજાની વહેંચણી કરી નાખો.

(૪) ઓફિસમાં હો ત્યાં સુધી કામ ધંધાની ચિંતા કરો. ઓફિસ છોડ્યા પછી ધંધાને ભૂલી જાવ. ઘરમાં બાળકો સાથે થોડો સમય વિતાવો અને એ વિષયની વાત કરો જેમાંથી આનંદ મળે.

(૫) તર્કયુક્ત મહત્ત્વાકાંક્ષા રાખો. શક્તિ અને સામ્યર્થ વગરની વધુ પડતી આકાંક્ષાઓ દુ:ખ ઉત્પન્ન કરે છે. જાત પ્રત્યે પ્રામાણિક રહીને વિચારો કે તમે શું કરી શકો છો. નથી કરી શકવાના તેનો મોહ છોડી દો.

(૬) જીવનમાં જે મળ્યું છે તેનો આનંદ માણો. નથી મળ્યું તેનો અફસોસ કરો નહીં. બધી વસ્તુઓ બધાને મળતી નથી અને જીવનમાં કદાચ મળી જાય તો પણ તેનો કશો અર્થ રહેતો નથી.

(૭) કોઈ પણ બાબતમાં બીજા સાથે સરખામણી કરો નહીં. બીજાથી તમે આગળ રહેવા જોઈએ એ વાત છોડી દો. ઊંધું ઘાલીને દોટ મૂકો નહીં. તમે તમારી રીતે ચાલો.

(૮) બીજાની ઈર્ષ્યા અને અદેખાઈ ન કરો. તમારી પાસે જે છે તે પ્રભુની કૃપા છે એમ માનીને સંતોષ અનુભવો. દરેક બાબતને પૈસાના ત્રાજવે તોળો નહીં.

(૯) બધા જ તમારી સાથે સંમત થાય, તમારા કહ્યા પ્રમાણે ચાલે, તમારો પડ્યો બોલ ઝીલે એવી અપેક્ષા કદી રાખશો નહીં. દરેક માણસને પોતાની ઈચ્છા અને ગમા-અણગમા હોય છે.

(૧૦) બધા તમારા જેવા બને એવી આશા રાખો નહીં. સંતાનોને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરો નહીં. સૌની પ્રકૃતિ, સ્વભાવ જુદો છે. તમે તમારી રીતે રહો અને બીજાને તેમની રીતે રહેવા દો.

(૧૧) દરેક ખુશ રાખવાની મથામણ કરો નહીં. બધાને તમે રાજી રાખી શકવાના નથી. પણ કોઈને દુ:ખ ન પહોંચે તેનો જરૂર ખ્યાલ રાખો. સહૃદયી, મૈત્રીપૂર્ણ અને નિષ્કપટ રહેવાનો પ્રયાસ કરો એટલે ઘણું.

(૧૨) નિષ્ઠુર બનો નહીં અને સાથે સાથે વધુ પડતા લાગણીશીલ પણ બનો નહીં. બીજા પાસેથી અપેક્ષા રાખો નહીં. અપેક્ષા કદી સુખ આપતી નથી. દુ:ખ જરૂર આપે છે. ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય નિભાવો. એમાંથી સુખનો જે અનુભવ થશે તેની સરખામણીમાં બીજું બધું ગૌણ બની જશે.

(૧૩) સરળ અને સહજ રીતે જીવો. ખોટો દંભ અને દેખાવ કરવાનું ટાળો. આ લાંબો સમય ટકશે નહીં.

(૧૪) આજને નજર સમક્ષ રાખો. ભવિષ્યની બિલકુલ ચિંતા કરો નહીં. જે થઈ ગયું છે તે દૂર થઈ શકવાનું નથી અને જે થવાનું છે તેની કોઈને ખબર નથી.

(૧૫) જીવનમાં જે કાંઈ આવે તેનો સહર્ષ સ્વીકાર કરો. સુખ આવે તો સુખ, દુ:ખ આવે તો દુ:ખ. બંનેમાં સ્થિરતા અને સંતુલન જાળવી રાખો.

(૧૬) જીવનને વધુ અર્થપૂર્ણ અને વિવેકપૂર્ણ બનાવો. નમ્રતા, નિખાલસતા અને ખુલ્લું મન રાખો.

(૧૭) કોઈ પણ બાબતમાં નકામી ઉતાવળ કરો નહીં. આરોગ્ય અને ભોજન પાછળ નિરાંતનો સમય આપો. પહેલું સુખ તે જાતે નર્યાં.

(૧૮) ચિંતા અને વ્યથાઓને અંદર દબાવી રાખો નહીં. કોઈ સહૃદયી સ્વજન કે મિત્ર પાસે દિલને ખોલીને મનને હળવું કરી નાખો, પરંતુ એ માટે સાચી વ્યક્તિની પસંદગી કરજો.

(૧૯) તમારી ખાનગી વાત કોઈને કહેશો નહીં. ખાનગી વાતો જલદીથી જાહેર થઈ જાય છે અને ખાનગી રાખવું પડે એવું કરશો નહીં.

(૨૦) સાચી વાતનો હંમેશાં સ્વીકાર કરો. આપણે હંમેશાં સાચા છીએ અને બીજા ખોટા છે એવા ભ્રમમાં કદી રહેશો નહીં.

(૨૧) દરેક બાબતમાં આગળ નીકળી જવાની અને પ્રથમ નંબર પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખશો નહીં. આ નંબર વનનું સ્થાન ટકાવી રાખવા અપાર યાતનામાંથી પસાર થવું પડે છે અને નંબર છીનવાઈ જાય છે ત્યારે હતાશા અને નિરાશાનો અનુભવ કરવો પડે છે.

(૨૨) જીવનમાં હંમેશાં બધું મેળવવું જરૂરી નથી. કેટલીક વખત ગુમાવવાનું પણ અદકેરું મહત્ત્વ હોય છે. ગુમાવે છે તે જ મેળવે છે. બીજ મટી જાય ત્યારે નવા વૃક્ષનો જન્મ થાય છે.

માણસની મોટા ભાગની ચિંતાઓ પૈસાની હોય છે. ધન કમાવું એમાં કશું ખોટું નથી, પણ તે પાછળનું પાગલપણું અનેક અનર્થો સર્જે છે અને ખોટાં કામો કરાવે છે. જીવનમાં પૈસા કરતાંયે બીજી ઘણી વસ્તુઓ મહત્ત્વની છે. તરસ લાગે ત્યારે પાણી મીઠું લાગે છે. કકડીને ભૂખ લાગે ત્યારે ભોજન સ્વાદિષ્ટ બની જાય છે અને પરિશ્રમ પછી ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પડતી નથી. આવાં સુખો ઘણાના નસીબમાં નથી.

બાળકોના સ્મિતમાં, કલકલ વહેતા ઝરણામાં, પક્ષીઓના કલરવમાં, પુષ્પોના પમરાટમાં જીવનનું સંગીત છે. આ બધો નિજાનંદ છે. પૈસા બહુત કુછ હૈ લેકિન સબ કુછ નહીં. કેટલાક સોગિયા, નિરાશાવાદી લોકો સુખને અડકે તો સુખ પણ દુ:ખમાં ફેરવાઈ જાય છે. આવા લોકોની દયા ખાવા સિવાય બીજું કરી શકાય પણ શું?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=104675