Monday, January 26, 2015

પર્યાવરણને બચાવવા માટે ઓઇલના વિકલ્પો શોધી કાઢવા પડશે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=149768





ગ્લોબલ વોર્મિંગનો મુકાબલો કરવા માટે કોપનહેગનમાં મળેલી જાગતિક પરિષદ નિષ્ફળ ગઇ તેની પાછળ જગતના પેટ્રોલના ભંડારો અને તેમાંથી થતી અબજો ડોલરની કમાણી પણ કારણભૂત છે. એક અંદાજ મુજબ દુનિયામાં આજે જેટલું પણ કાર્બન ઉત્સર્જન થાય છે, તેમાંનું ૬૦ ટકા પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનોને કારણે થાય છે. જો પૃથ્વીના તાપમાનને વધતું અટકાવવું હોય તો તે માટે સૌથી પહેલા પેટ્રોલિયમના ઉત્પાદનોનો વપરાશ ઘટાડવો જોઇએ. જો જગતની પ્રજા પેટ્રોલિયમ પ્રોડક્ટનો વપરાશ ઘટાડે તો તેનાથી સૌથી વધુ નુકસાન અમેરિકાના અર્થતંત્રને થાય છે. આ કારણે જ અમેરિકા કાર્બન ઉત્સર્જન ઉપર કાપ મૂકવા તૈયાર થતું નથી.

આપણે મોટર કારમાં જે પેટ્રોલ અથવા ડીઝલ વાપરીએ છીએ, તેના દ્વારા પર્યાવરણની તો હિંસા થાય છે, પણ સાથે સાથે જે દેશમાં ઓઇલ ઉત્પન્ન થતું હોય તેની પ્રજાની પણ હિંસા થાય છે. ઇરાકના યુદ્ધ દ્વારા આપણે જોયું કે જે દેશના પેટાળમાં વધુ કુદરતી ઓઇલ તેલ હોય છે તેઓ માટે અમેરિકી આક્રમણનો ભોગ બનવાનો ડર વધી જાય છે. ઇરાક સામે અમેરિકાએ જે યુદ્ધ છેડી દીધું તેનું ખરું કારણ ‘સામૂહિક વિનાશનાં શસ્ત્રો’નહોતાં પણ ઇરાકના તેલ ભંડારો હતા એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ઇરાક પછી હવે આફ્રિકા ખંડનો વારો છે. 

થોડા સમય અગાઉ અમેરિકાના વોલ સ્ટ્રિટ જર્નલમાં અહેવાલ છપાયો હતો કે ઇ. સ. ૨૦૧૫ની સાલ સુધીમાં અમેરિકા તેની આવશ્યક્તાના ૨૫ ટકા જેટલું ઓઇલ આફ્રિકાના દેશોમાંથી પ્રાપ્ત કરતું હશે. આ કારણે જ તાજેતરમાં તેણે જર્મનીમાં ગોઠવાયેલું પોતાનું લશ્કર આફ્રિકા ખંડમાં ખસેડવા માંડ્યું છે. અમેરિકાએ કોલ્ડ વોરના અંત પછીની આ સૌથી મોટી લશ્કરી કવાયતનો આરંભ પોતાના વર્ચસ્વ હેઠળના તેલક્ષેત્રોની ‘રક્ષા’ના હેતુથી કર્યો છે. અહીં ‘રક્ષા’ નો અર્થ ‘આક્રમણ’ એવો થાય છે. જે દેશના પેટાળમાં વધુ ઓઇલ છે, તે દેશની પ્રજાએ વધુ લોહી વહેવડાવવા તૈયાર રહેવું પડશે. અમેરિકાની સંરક્ષણ નીતિનો અર્થ તેલના ભંડારો ઉપર આક્રમણ એવો થાય છે. 

આફ્રિકામાં આવેલો નાઇજિરિયા નામનો દેશ આજે અમેરિકાને તેની કુલ જરૂરિયાતનું ૧૪ ટકા ઓઇલ પૂરું પાડે છે. નાઇજિરિયા વિશ્ર્વમાં ઓઇલનું ઉત્પાદન કરતો ૧૩ નંબરનો સૌથી મોટો દેશ છે. આ દેશની નિકાસમાં ૯૫ ટકા ફાળો ઓઇલનો છે અને સરકારની કુલ આવકના ૮૦ ટકા તેલને કારણે છે. ઇરાક સાથેના યુદ્ધ અને વેનેઝુએલાની કટોકટી પછી હવે પશ્ર્ચિમ આફ્રિકાનું મહત્ત્વ તેલ ઉત્પાદક નવા દેશ તરીકે વધી ગયું છે. આ પ્રદેશમાં આવેલા એંગોલા, ગેબોન, સાઓ ટોમ અને ગિની જેવા દેશો ટૂંક સમયમાં અખાતી દેશોનું સ્થાન ગ્રહણ કરી લેશે એમ જણાઇ રહ્યું છે. અને જ્યાં તેલનું ઉત્પાદન વધે છે ત્યાં હિંસા અને ત્રાસવાદની પણ વૃદ્ધિ થાય છે. 

ગુજરાતીમાં એક કહેવત છે, "જર, જમીન અને જોરૂ ; એ ત્રણ કજિયાના છોરૂં. આ કહેવતમાં હવે તેલના ભંડારોનો પણ સમાવેશ કરવો પડશે. જે દેશની જમીનમાંથી તેલના ભંડારો મળી આવે છે તે દેશની પ્રજાનું લોહી પણ રેડાયા વિના રહેતું નથી. તેલનો વેપાર કરતી રાક્ષસી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ આ દેશોના સરમુખત્યારોને ડોલર આપે છે, પ્રજા ઉપર ત્રાસ ગુજારવા માટે લશ્કરી પીઠબળ આપે છે, વ્યભિચાર માટે સુંદરીઓ પૂરી પાડે છે અને વૈભવશાળી જીવનશૈલી આપે છે. મલ્ટીનેશનલ ઓઇલ કંપનીઓ આ દેશની સરકારો સાથે તેલની પ્રાપ્તિ માટે જે કરારો કરે છે તે જાહેર કરવામાં આવતા નથી. આ કરારો અબજોનો માલ મફતમાં આંચકી લેવા જેવા હોય છે. 

નાઇજિરિયા પોતાના ઓઇલના ભંડારો વેચી અત્યારે વર્ષે ૪૦ અબજ અમેરિકન ડોલરની કમાણી કરે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ઓઈલનું વેચાણ કરવા દ્વારા નાઇજિરિયન સરકારની તિજોરીમાં આશરે ૩૦૦ અબજ ડોલર જમા થયા છે પણ તેમાંના ૫૦ અબજ તો સ્વિસ બેન્કમાં અથવા વિદેશમાં પગ કરી ગયા છે. ઓઇલને કારણે નાઇજિરિયાની વાર્ષિક માથાદીઠ આવક આજે ૨૯૦ ડોલર છે, પણ આમ નાગરિકને તેનો ભાગ્યે જ લાભ મળે છે. આ આવકનો મોટા ભાગનો હિસ્સો ભ્રષ્ટ રાજકારણીઓના ખપ્પરમાં જાય છે. જે પ્રદેશોમાં ઓઇલનું ઉત્પાદન થાય છે ત્યાંના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી જાય છે અને યુવાનો હતાશાના પરિણામે ત્રાસવાદ તરફ વળે છે. 

નાઇજિરિયામાં જેમ ઓઇલનું ઉત્પાદન વધી રહ્યું છે તેમ હિંસા પણ વધી રહી છે. જે ક્ષેત્રોમાં લશ્કરી દળો દ્વારા ગેરકાયદે ઓઇલ કાઢવામાં આવે છે ત્યાં સ્થાનિક યુવાનો ત્રાસવાદી બની ગયા છે અને તેમણે તેલના કૂવાઓ ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. આ કારણે નાઇજિરિયાએ આ વિસ્તારમાં પોતાનાં લશ્કરી દળો ગોઠવી દીધાં છે અને યુવાનોને ગોળીએ દેવાનું શરૂ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધી ૫૦ મોત થયાં છે. અમેરિકાના તેલક્ષેત્રોની રક્ષા માટે નાઇજિરિયન સરકાર પોતાના જ યુવાનોને ગોળીએ દઇ રહી છે. તાજેતરમાં નાઇજિરિયાના વિરોધ પક્ષના મુખ્ય નેતા માર્શલ હેરીની હત્યા કરવામાં આવી. આ હત્યામાં અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઇએનો હાથ હોવાનું મનાય છે. હેરીનો ગુનો એ હતો કે તેમણે તેલ ઉત્પાદક પ્રદેશો માટે વધુ ફાળવણીની માગણી કરી હતી. 

નાઇજિરિયામાં એવું બન્યું છે કે વિદેશી કંપનીઓ દ્વારા દેશના તેલના ભંડારોની થતી લૂંટફાટનો વિરોધ કરવા માટે ગરમ લોહી ધરાવતા યુવાનો છાપામાર બની ગયા છે. આ ઉગ્રવાદી યુવાનો ઉપર લશ્કર દ્વારા અત્યાચારો ગુજારવામાં આવે છે. તાજેતરમાં બાયેલ્સા રાજ્યમાં આવા અંતિમવાદી યુવાનો ઉપર લશ્કરે ગોળીબાર કરી બે હજાર લાશો ઢાળી દીધી હતી. નાઇજિરિયાના વર્તમાન પ્રમુખ ઓબેસાંજોના ચાર વર્ષના રાજ્યકાળમાં આ રીતે આશરે દસ હજાર સ્વદેશાભિમાની યુવાનોની હત્યા કરવામાં આવી છે. પ્રમુખે આ કોઇ જ હત્યા માટે ન્યાયી તપાસ યોજવાનો કે દેશની પ્રજાની માફી માંગવાનો ઇનકાર કરી રહ્યો છે. અમેરિકાના ઇશારે તેઓ પોતાના જ દેશના યુવાનોનું લોહી રેડી રહ્યા છે. નાઇજિરિયાનું લશ્કર પોતાની જ પ્રજા ઉપર જે અત્યાચારો ગુજારે છે અને હત્યાકાંડો કરે છે, તેમાં અમેરિકાની સરકારનો સીધો હાથ છે. ઇ. સ. ૧૯૯૯ માં બીલ ક્લિન્ટન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે નાઇજિરિયન લશ્કરને ‘વ્યાવસાયિક તાલીમ’ આપવા માટે એક અબજ અમેરિકન ડોલરની ‘મદદ’ જાહેર કરી હતી. પોતાની જ પ્રજાની કેવી રીતે હત્યા કરવી તેની તાલીમ આપવા માટે અમેરિકન મિલિટરી નિષ્ણાતો નાઇજિરિયા આવ્યા હતા. નિર્લજ્જ અમેરિકા માટે ‘મદદ’શબ્દનો આવો ગોબરો અર્થ થાય છે. તાજેતરમાં અમેરિકન વહીવટીતંત્રે ૨૦૦ અમેરિકન યુદ્ધ નિષ્ણાતોને નાઇજિરિયા મોકલ્યા છે તેને પણ શંકાની નજરે જોવામાં આવે છે. આ દેશ હવે અમેરિકાના સંસ્થાન જેવો બની ગયો છે. આ સંસ્થાનવાદનું કારણ તેલના ભંડારો છે. 

નાઇજિરિયામાં તેલના ભંડારોની શોધ ઇ. સ. ૧૯૫૬ માં થઇ હતી. જમીનમાંથી ઓઇલ કાઢવાનું કાર્ય અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ અને સરકાર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકન કંપનીઓએ જાણે તેલક્ષેત્રોની લૂંટફાટમાં સરકારને પોતાની ભાગીદાર બનાવી હતી. મલ્ટીનેશનલ કંપનીઓને પ્રવૃત્તિને કારણે નાઇજિરિયાના પર્યાવરણને અકલ્પ્ય નુકસાન થયું હતું, જેને કારણે સ્થાનિક પ્રજાને સ્વયંભૂ વિરોધ પ્રગટ થયો હતો. આ વિરોધમાંથી ઓગોની પ્રજાની રક્ષા માટે એક વિરાટ આંદોલન ઊભું થયું. આ આંદોલનનો મુખ્ય ઉદ્ેશ અમેરિકાની શેલ કંપની દ્વારા થઇ રહેલા શોષણનો વિરોધ કરવાનું હતું. ઇ. સ. ૧૯૯૫ માં શેલ કંપનીએ અમેરિકન લશ્કરની મદદ લઇને તમામ આંદોલનકારીઓની હત્યા કરી વિરોધને કચડી નાંખ્યો હતો. 

દુનિયામાં જ્યારથી પેટ્રોલિયમની શોધ થઇ છે ત્યારથી તેનો સમગ્ર ઇતિહાસ ગુનાખોરી, હિંસા, સંસ્થાનવાદ, ભ્રષ્ટાચાર, સરમુખત્યારશાહી અને અત્યાચારોથી ભરેલો રહ્યો છે. આજે અખાતી દેશોમાં યુદ્ધની જે પરિસ્થિતિ પ્રવર્તે છે તેના મૂળમાં ઓઇલ જ છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી અમેરિકાએ જે યુદ્ધો કર્યાં કે કરાવ્યાં તેના મૂળમાં તેલનું અર્થકારણ અને રાજકારણ જ છે. અલ કાઇદાનો જે ત્રાસવાદ છે તેનો જન્મ ઓઇલ આધારિત શોષણમાંથી જ થયો છે. હવે અમેરિકાએ પોતાની નજર આફ્રિકા તરફ વાળી છે. 

ભારતમાં અને વિશ્ર્વમાં સદીઓથી વાહનવહેવાર માટે પશુઉર્જાનો ઉપયોગ થતો હતો. યુરોપમાં પણ ઘોડાઓથી ચાલતી ટ્રામથી પરિવહન ચાલતું હતું. પશુઓમાંથી જે ઉર્જા મળે છે તેને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો નથી થતો અને પ્રદૂષણને કારણે થતાં રોગોથી પણ દૂર રહી શકાય છે. પશુમાંથી મળતી ઉર્જા રિન્યુએબલ છે. તેનાથી ગરીબોને રોજી પણ મળે છે. આજે પણ ભારતમાં ૪૦ ટકા પરિવહન પશુઓ દ્વારા જ થાય છે. પેટ્રોલ અને ડિઝલ દ્વારા થતી માનવોની અને પર્યાવરણની હિંસાથી બચવું હોય તો તેનો શ્રેષ્ઠ વિકલ્પ પશુઓમાંથી મળતી ઉર્જા છે. તેલક્ષેત્રો ઉપર અમેરિકાની દાદાગીરીનો પ્રતિકાર કરવો હોય તો પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો શોધી જ કાઢવા પડશે.

The Living Bridges of Cherrapunji

 http://www.odditycentral.com/videos/the-living-bridges-of-cherrapunji.html

The Living Bridges of Cherrapunji

It might sound like an exaggeration, but the root bridges of Cherrapunji are indeed alive. Unlike most parts of the world, these bridges are grown, not built.
Known as the wettest place on Earth, Cherrapunji is home to some of the most amazing plants. One of these is theFicus elastica tree, a sort of rubber tree that grows a ind of secondary roots from higher up in the trunk. The War-Khasis, a local tribe, noticed this plant and realized its potential.
Using hollowed-out betel nut trunks, the tribesmen are able to direct the roots in whatever way they like. When the roots grow all the way across a river, they are allowed to return to the soil, and over time, a strong bridge is formed. It takes up to 10-15 years for a root bridge to develop, but it becomes stronger with each passing year and are known to last for centuries.
Boulders and stones are placed among the rubber tree roots for an easier crossing. The living root bridges of  Cherrapunji are incredibly sturdy, able to sustain more than fifty people at a time.
root-bridges
root-bridges2
root-bridges3
root-bridges4
root-bridges5
root-bridges6
root-bridges7

http://www.youtube.com/watch?v=hEI_GRjvDPk&x-yt-ts=1421914688&x-yt-cl=84503534&feature=player_embedded#t=0


પ્રેમ અને ધર્મને એકબીજાની સામે પલડામાં કેમ મુકાય છે? -- કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=152553

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય


નામ : પ્રવીણાકુમારી ‘મસ્તાની’

સ્થળ : પુના, શનિવારવાડા

સમય : એપ્રિલ, ૧૭૪૦

ઉંમર : મરવાને યોગ્ય તો નહીં જ...



બાજીરાવે મને આપેલી હીરાની અંગૂઠી હાથમાં પકડીને બેઠી છું. કોણ જાણે કેમ, આ દુનિયા અચાનક જ જીવવા જેવી નથી રહી. હું સમજી નથી શક્તી કે બાજીરાવ આવી રીતે અચાનક મને મૂકીને જઈ જ કેવી રીતે શક્યા? મારે માટે બાજીરાવ સિવાય આ દુનિયામાં છે શું, હતું ય શું... મારા પિતા મહારાજા છત્રસાલ માઉ સહાનિયા અને બુંદેલખંડના રાજા... એમની આણ વર્તે. ચારેય તરફ દુશ્મનોની નજર માઉ ઉપર હતી. એ જ વખતે અમારા જ મહેલમાં મહોમ્મદ ખાન બંગાશે અલ્હાબાદથી હુમલો કરી દીધો. અમને સહપરિવાર અમારા જ મહેલમાં નજરકેદ પકડી લીધા...

આજે પણ એ વાત યાદ કરું છું તો કંપારી છૂટી જાય છે. એમના મુસલમાન સૈનિકો અમને જે રીતે જોતા, અમારા શરીરને જે રીતે અડતા, બાંધેલી હાલતમાં પણ મારા પિતાનું લોહી ઊકળી ઊઠતું, જોકે એ બિચારા કંઈ કરી શક્તા નહીં. એક બંદી રાજવી શું કરી શકે? બંગાશે રાજમહેલ લૂંટ્યો, એટલું ઓછું હોય એમ મારી સાથે લગ્ન કરવાની જીદ કરી. મારા પિતા ડરી ગયા. એમણે પેશ્ર્વા બાજીરાવને સંદેશો મોકલ્યો. બાજીરાવ શાહુજીની સેનામાં પંતપ્રધાન હતા. શાહુજીની એમના પર મીઠી નજર હતી. શિવાજીના દીકરા શંભાજીના પુત્ર શાહુજીને બાજીરાવ માટે અતૂટ વિશ્ર્વાસ હતો. મારા પિતાએ એમના ગુપ્તચર દ્વારા બાજીરાવને સંદેશો મોકલ્યો. બાજીરાવ એમના ભાઈ ચીમનાજી સાથે પોતાનો રસાલો લઈને આવી પહોંચ્યા અને મને ઉગારી... ‘મને’ એટલા માટે કહું છું કે, બાજીરાવના સન્માનમાં યોજાયેલા એ સમારંભમાં એમનો કડપ, એમની વીરતા, એમની પેશ્ર્વાઈ અને એમનો દેખાવ જોઈને હું તો મારી જાતને એમને અર્પણ કરી ચૂકી હતી.

મેં મારા પિતાને કહ્યું, "તમે એમને આપણને બચાવવાના બદલામાં શું આપવાના છો ? મારા પિતાએ કહ્યું, "એક રાજાને છાજે તેવું સન્માન. હું સમજી ન શકી... મારા પિતાએ એમને રાજ્યનો ત્રીજો ભાગ આપ્યો, જેમાં ઝાંસી, સાગર અને કલ્પીનો સમાવેશ થતો હતો. તેંત્રીસ લાખ સોનાના સિક્કાની સાથે હાથી, ઘોડા અને બીજી કેટલીયે ભેટો આપી. હું મારા પિતા તરફ જોઈ રહી હતી. અંતે એમણે અત્યંત હર્ષપૂર્વક કહ્યું, "આ બધા ઉપરાંત હું તમને મારા જામાતા બનાવવા માગું છું, અલબત્ત જો તમને વિરોધ ના હોય તો. હું એ સભામાં નૃત્ય કરી રહી હતી. મારું નૃત્ય પૂરું થતાં જ બાજીરાવે કહ્યું, "આનું નામ તો મસ્તાની હોવું જોઈએ...

હું જાણતી હતી કે ચિત્તપાવન બ્રાહ્મણનો દીકરો એક મુસલમાન માની દીકરીને આસાનીથી સ્વીકારી નહીં શકે. એક બ્રાહ્મણ ઉપરાંત પેશ્ર્વા તો લોકોની નજરમાં તો લગભગ ભગવાનની કક્ષાએ પહોંચેલા રાજવી હતા. મારા પિતાએ મારા મનની વાત કરી હતી. હું એમને વરી ચૂકી હતી, ને પેશ્ર્વા બાજીરાવ મને જોઈને મોહિત થયા હતા એટલું તો મને સમજાતું હતું... હું એમના ઉત્તરની પ્રતીક્ષા કરી રહી હતી - અધર શ્ર્વાસે ! એમના ભાઈ ચીમનાજી રાવ ઊભા થઈને મને પગે લાગ્યા. મને સમજાયું નહીં, પણ મારા પિતાની આંખમાં પાણી આવી ગયાં, મારી મા ઊભી થઈને એમને પગે લાગી ! મારી મા પર્શિયન મુસ્લિમ હતી. રુહાનીબાઈ એનું નામ. નિઝામના દરબારમાં એને નૃત્ય કરતી જોઈને મારા પિતા રાવ છત્રસાલ એના પર મોહી પડેલા. મારા પિતાને પ્રેમમાં પડેલા જોઈને નિઝામે મારી માને મુક્ત કરી. એમણે એમની એ નૃત્યાંગના રુહાનીબાઈ મારા પિતા રાવ છત્રસાલને ભેટ આપી. જોકે મારા પિતા સાચા હૃદયથી મારી માના પ્રેમમાં પડ્યા હતા એટલે એમણે રુહાનીબાઈ સાથે લગ્ન કરીને એને રાણી બનાવી...

એ સમયના મરાઠાઓ કે બ્રાહ્મણો આને કારણે રાવ છત્રસાલ સામે રોષે ભરાયા હતા. હું યાવની હતી, એક યવન મુસલમાનની દીકરી... પેશ્ર્વા મને પરણશે કે નહીં એ પ્રશ્ર્ન બધા જ દરબારીઓના મનમાં ઘોળાઈ રહ્યો હતો ત્યારે ચીમનારાવ મને પગે લાગ્યા એનાથી સૌ સમજ્યા કે એમણે મને સ્વીકારી હતી.

ત્યાંથી લગ્ન કરીને બાજીરાવ મને એમના ગામ લઈ ગયા... બંડાની જાગીર ખૂબ સુંદર જગ્યા હતી, પણ મને ત્યાં દાખલ થવા દેવામાં આવી નહીં. મને હતું કે પેશ્ર્વાનાં પહેલાં પત્ની કાશીબાઈ આ લગ્નનો વિરોધ કરશે, મારું અપમાન કરશે, ગામલોકો સામે તાયફો કરશે અને મને ત્રાસ આપશે... પણ કાશીબાઈએ તો મને નાની બહેનની જેમ સ્વીકારી. ખૂબ જ વહાલ કર્યું અને પોતાની સાથે રહેવાની મંજૂરી આપી. કાશીબાઈ સાચે જ ધર્મપરાયણ અને પતિપરાયણ ી હતી. એણે કોઈ દિવસ મારું અપમાન કર્યું નથી, પરંતુ પેશ્ર્વા બાજીરાવનાં માતા રાધાબાઈ અત્યંત અંધવિશ્ર્વાસુ અને વિચિત્ર પ્રકારની માનસિક્તા ધરાવતાં હતાં. એમને લાગ્યું કે એમના પુત્રએ મારી સાથે લગ્ન કરીને પોતાનું કુળ અને ધર્મ બોળ્યો હતો. મારાં સાસુજી રાધાબાઈએ મને ઘરમાં પ્રવેશવા ના દીધી. પોતાનો સામાન બાંધ્યો અને કહ્યું, "હું પંઢરપુર યાત્રાએ જાઉં છું. પાછી ફરું ત્યાં સુધીમાં આની વ્યવસ્થા કરી નાખજે. મારા ઘરમાં નાચનારીની દીકરી પગ પણ નહીં મૂકી શકે. હું સાવ દીનદશામાં રસ્તાની વચ્ચે ઊભી હતી.

કાશીબાઈએ આ વાતનો રસ્તો કર્યો. બાજીરાવના મહેલમાં મારે માટે જગ્યા નહોતી એ વાત સાચી, પરંતુ એમના હૃદયમાં તો હતી ને ! એમણે શનિવારવાડામાં મારે માટે નવો મહેલ ઊભો કર્યો. મારે માટે બંધાયેલો આ મહેલ મસ્તાની મહેલ તરીકે ઓળખાવા લાગ્યો. પતિના સુખમાં જ સુખ જોનારી એ માતા સમી સ્ત્રી કાશીબાઈ અમારી સાથે આવીને રહ્યાં... અમે બંનેએ લગભગ સાથે જ ગર્ભધારણ કર્યો... કાશીબાઈનું સંતાન જન્મ સાથે જ મૃત્યુ પામ્યું ને મારો દીકરો સમશેર બહાદુર ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આટલે દૂર રહીને પણ સાસુજી રાધાબાઈ રાજકારણની ખટપટોમાં વ્યસ્ત રહેતાં. કર્મકાંડી બ્રાહ્મણો અને પૈસા પડાવનારા લોકો રાધાબાઈની નબળાઈ જાણતા હતા, એટલે એ લોકો અમારા ગૃહકલેશને વધુ ને વધુ ભડકાવતા. ચીમનારાવ સાચે જ લક્ષ્મણ જેવો ભાઈ હતો. એણે ક્યારેય બાજીરાવના નિર્ણય સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઉઠાવ્યો નથી. સાસુજી રાધાબાઈ જે માનતા હોય તે, પણ શનિવારવાડાના મસ્તાની મહેલમાં અમે સૌ ખૂબ સુખેથી રહેતા હતા.

એવામાં એક દિવસ બાજીરાવને શાહુજીનું તેડું આવ્યું. રાજકાજનાં કામોમાં આવું તેડું કંઈ બહુ આશ્ર્ચર્યજનક ન લાગે, પણ કોણ જાણે કેમ, બાજીરાવે મને મહેલની અગાશીમાં બોલાવી. મારી સાથે બેઠા. બહુ જ વાર સુધી વિચારોમાં ગરકાવ રહીને એમણે ધીમે રહીને કહ્યું, "કોણ જાણે કેમ, મને એમ લાગે છે કે કંઈક અમંગળ થવાનું છે. હું ન હોઉં અથવા મને કંઈ થાય તો કાશીબાઈ તારી જવાબદારી છે એટલું યાદ રાખજે. મને રડવું આવી ગયું. મેં એમને કહ્યું, "હું તો તમારે માટે જ જીવું છું. તમે નહીં હો કે તમને કંઈ થાય તો હું જીવીશ એવું તમને લાગે છે ? એ મારી સામે જોઈ રહ્યા. એમની આંખોમાં કંઈક એવું હતું, જેનો હું સામનો કરી શકી નહીં. મેં આંખો મીંચી દીધી ને મારા ગાલ પર આંસુઓની ધાર કેટલાય કલાકો સુધી વરસતી રહી.

બાજીરાવ ગયા એના બીજા દિવસે મને લેવા માટે થોડા લોકો આવ્યા. મારાં સંતાનોને બાનમાં લીધાં ને મારું અપહરણ કર્યું. હું જાણતી હતી કે એમાં રાધાબાઈનો હાથ હતો. ચીમનાજી અને બાજીરાવ બંને ન હોય એવા સમયનો મારાં સાસુજીએ ગેરલાભ ઉઠાવ્યો હતો. મને ઉપાડીને એ લોકોએ લગભગ પચાસ ગાઉં દૂર એક નાનકડા અવાવરું મકાનમાં પૂરી દીધી. કડક ચોકીપહેરા નીચે મને અને મારાં સંતાનોને અલગ રખાયાં હતાં. હું મારાં બાળકો વિના ભાગી નહીં શકું એવી એમને ખબર હતી. એમની વાતો પરથી હું સમજી ગઈ કે આ રાધાબાઈનું જ કારસ્તાન છે. મેં બચવાના બહુ ફાંફા માર્યા, પણ કંઈ થઈ શક્યું નહીં.

બીજી તરફ શાહુજીએ પેશ્ર્વા પાસે જવાબ માગ્યો, એક યાવની છોકરી સાથે લગ્ન કરીને એનું કુળ અને ધર્મ બોળ્યા એ વાતે શાહુજી નારાજ હતા. પેશ્ર્વાપદ જાય એમ હતું. બાજીરાવ ઘણા ચાલાક હતા. શાહુજીનું એક ઉપવસ્ત્ર હતું. એ પણ મુસ્લિમ બાઈ હતી. આખોય રાજ્ય કારભાર એના ઇશારે ચાલતો એમ માનવામાં આવતું હતું. બાજીરાવે બુદ્ધિ વાપરીને શાહુજીનાં પ્રિય વીરુબાઈનાં માતુશ્રીને બોલાવ્યા અને પોતાની વાત એમની દીકરી સુધી પહોંચાડી ને બીજે દિવસે સવારે દરબારમાં શાહુજી બદલાયેલા લાગ્યા. પોતાના આવા ભોગવિલાસની વાતો પેશ્ર્વા જાણે છે એ વાતે શાહુજી થોડા નબળા પડ્યા. એમણે પેશ્ર્વાને પોતાનું કામ

બરાબર કરવાનું કહીને કાઢી મૂક્યા...

પણ પેશ્ર્વા પાછા આવ્યા નહીં, એમને ત્યાં જ દરબારમાં જ ખબર પડી કે મારાં સંતાનો સાથે મારું અપહરણ થયું છે. એમણે ચીમનાજીને મને છોડાવવા મોકલ્યો. ચીમનાજી મને લઈને આવતા હતા ત્યાં રસ્તામાં જ અમને પેશ્ર્વા મળ્યા. પતિ-પત્ની એકલા વાતચીત કરી શકે એમ વિચારીને ચીમનાજી અમારા તંબુની બહાર નીકળી ગયા, પણ મેં જોયું કે પેશ્ર્વાની આંખો વારેવારે મીંચાઈ જતી હતી. એમને થાક લાગ્યો હશે એમ માનીને મેં એમને આરામ કરવાનું કહ્યું... પેશ્ર્વા મારા ખોળામાં માથું મૂકીને સૂતા. હું હળવા હાથે એમના વાળમાં આંગળીઓ ફેરવતી હતી.

એમના હોઠના ખૂણે ફીણ આવ્યું. મેં મારી આંગળી ઉપર એ ફીણ લઈને જોયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ એમના ચહેરા પર સ્મિત હતું. એમણે ધીરેથી મને કહ્યું, "કોઈને કંઈ નહીં કહેતી. આઈનું ખરાબ થાય એ મને ન ગમે. એ ધીમે ધીમે બેહોશ થઈ રહ્યા હતા...

મેં ચીમનાજીને બૂમ પાડીને બોલાવ્યા. એમના હોશ ઊડી ગયા. અમે રસ્તાની વચ્ચે તંબુમાં હતા. વૈદ્યને બોલાવવા માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઘણું પૂછવા છતાં બાજીરાવે ન જ કહ્યું કે એમને ઝેર કોણે આપ્યું હતું.

હજી એમની ચિતા ઠંડી પડી નથી, પરંતુ મારું શરીર ઠંડું પડવા માંડ્યું છે. એમણે આપેલી વીંટીમાંનો હીરો મારા પેટમાં ઊતરી ચૂક્યો છે. એની સાથે જ હીરાની પાછળ લગાડેલું ઝેર પણ મારી હોજરીમાં જઈને પોતાનું કામ કરી રહ્યું છે. મેં કાશીબાઈ પાસે વચન લીધું છે કે એ સમશેર બહાદુરનું ધ્યાન રાખશે. મને કાશીબાઈ પર પૂરો ભરોસો છે...

હું મારા બાજીરાવ પાસે જવા ઉતાવળી થઈ ગઈ છું... એના વિના જીવવાનો કોઈ અર્થ નથી.

દરેક પાંદડું લીલું જ શા માટે? --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148415


કહેવાય છે કે જવાન રહેવા માટે બે વસ્તુઓ જરૂરી છે: નિર્દોષતા અને આશ્ર્ચર્ય! બાળકોમાં આ બંને ગુણ હોય છે. મોટી ઉંમરે માણસમાં હોશિયારી આવી જાય છે, એની નિર્દોષતા ચાલી જાય છે. હોશિયાર માણસ પાસે બધા જ પ્રશ્ર્નોના ઉત્તરો હોય છે. અને એને કોઈ બાબતનું આશ્ર્ચર્ય કે વિસ્મય રહેતું નથી. બાળક પાસે પ્રશ્ર્નો હોય છે, હોશિયારો પાસે જવાબો હોય છે. નિર્દોષતામાંથી જ આશ્ર્ચર્ય પ્રકટ થાય છે અને આશ્ર્ચર્ય પ્રશ્ર્નો ઊભા કરે છે. મોટી ઉંમરે પ્રશ્ર્નો થતા રહે એ જવાનીનું લક્ષણ છે. 

આકાશનો રંગ બ્લુ શા માટે છે? દરેક પાંદડું લીલું જ શા માટે હોય છે? દરેક પ્રાણીનું લોહી લાલ શા માટે હોય છે? દરેક દૂધ સફેદ કેમ હોય છે?

આવા પ્રશ્ર્નો બાળકો પૂછે છે અને એના ઉત્તરો શોધવાના પ્રયત્નમાં વિજ્ઞાનોનો જન્મ થયો છે. સોળમી સત્તરમી સદીના યુરોપમાં કલાકારો અને વિજ્ઞાનિકોએ નિર્દોષતાથી અને વિસ્મયથી આવા બાલીશ પ્રશ્ર્નો પૂછ્યા હતા-અને ધર્મગુરુઓ અને ફિલસૂફો આના જવાબો આપી શક્યા ન હતા. પરિણામે યુરોપના ઈતિહાસમાં નવ-જાગૃતિકાળ આવ્યો. યુરોપ બાકીની દુનિયાથી આગળ નીકળી ગયું. 

ચારસો વર્ષો પછી પણ અમેરિકા અને યુરોપ દુનિયાથી આગળ છે. એનાં કારણો છે-આશ્ર્ચર્ય, પ્રશ્ર્નો, સંશોધન! ધર્મગ્રંથોમાં લખેલી વાતોનો અસ્વીકાર, ધર્મગુરુઓના ડહાપણનો અસ્વીકાર, સદીઓ જૂના વિશ્ર્વાસનો અસ્વીકાર.

આજના હિન્દુસ્તાનમાં પણ સામાન્ય, બાળક જેવા પ્રશ્ર્નો થઈ શકે છે. કેટલાક પ્રશ્ર્નોથી હસવું આવી શકે છે. કેટલાક પ્રશ્ર્નો નિરુત્તર રહી શકે છે. કેટલાક પ્રશ્ર્નો કદાચ સાચા અર્થમાં પ્રશ્ર્નો પણ ન હોઈ શકે?

ભારતમાં નૃત્યના ગુરુઓ હંમેશાં પુરુષો જ શા માટે હોય છે? ડોક્ટર યુગલો-પતિ અને પત્ની બંને ડોક્ટર હોય એવાં યુગલો ઘણી વાર નિ:સંતાન શા માટે હોય છે?

પઠાણની પત્નીને જોઈ છે?

સિનેમાની ટિકિટો પર મનોરંજન કર બધી જ ટિકિટો પર એકસરખો લાગે છે. ઈન્કમટેક્સની જેમ એમાં પણ સ્લેબ-સિસ્ટમો અથવા ચડ-ઊતરવાળો કર શા માટે નથી?

પાન નિયમિત ખાનારને હાઈબ્લડ પ્રેશર ન હોય અથવા ઓછું હોય એવું ખરું?

દક્ષિણ ભારતીયના લગ્નનો વરઘોડો જોયો છે?

હીજડાની સ્મશાનયાત્રા જોઈ છે?

લગ્ન-પત્રિકામાં પુત્રીને વિદાય આપવાનો સમય પણ હસ્તમેળાપ અને ક્ધયાદાનની જેમ શા માટે લખાતો નથી?

મુંબઈમાં વરસોવાથી કોલાબા સુધી સમુદ્રમાર્ગ પર ફેરીસર્વિસ શા માટે ચાલતી નથી?

ભારતમાં સમુદ્રકિનારા પર કોસ્ટલ-સર્વિસ અથવા સમુદ્રસેવા શા માટે નથી?

ઈન્ડિયન એર લાઈન્સ દાર્જિલિંગથી દેહરાદૂન સુધીની હિમાલયનાં શિખરો જોવાની એક વિમાની સેવા વિદેશીઓ અને દેશના પ્રવાસીઓ માટે શા માટે શરૂ કરતી નથી?

દુનિયાના બોદ્ધો માટે ગૌતમબુદ્ધના જન્મસ્થાનથી નિર્વાણ સુધી સંકળાયેલાં સ્થાનો લુમ્બિની, ગયા, સારનાથ, કુશીનગરની એક યાત્રાનું નિયમિત આયોજન ભારત સરકાર શા માટે કરતી નથી? આ આયોજન દુનિયાના મુસ્લિમોની મક્કા-મદીનાની હજ યાત્રાના આધાર પર દુનિયાના બૌદ્ધો માટે શા માટે ન કરી શકાય?

મુસ્લિમોમાં માનસિક રોગો કે સંત્રાસ ઓછો છે એનું કારણ ઈસ્લામી શબ્દ-ઈન્શા અલ્લાહ (ઈશ્ર્વરેચ્છા બલિયસી) છે? ‘કલકા અલ્લાહ માલિક’ જેવી ફિલસૂફીને કારણે એમનામાં માનસિક ચિંતાનું પ્રમાણ ઓછું છે?

મુંબઈનાં ઘણાં ખરાં છાપાં પત્રિકાઓના રાજકીય કાર્ટૂનિસ્ટો કચ્છી શા માટે છે?

શીખોને શરદી હોય એવું ભાગ્યે જ જોવામાં આવે છે! શા માટે?

ગાંધીજીનું શરીર મસાલાઓ ભરીને લેનિન, માઓત્સે તુંગ અને હો-ચી-મિન્હની જેમ ભવિષ્યની પેઢીઓ માટે-માઉન્ટબેટનનું સૂચન હોવા છતાં શા માટે રાખ્યું નહીં?

સદીઓથી ભીખ માગવાના અને દાન આપવાના આપણા વ્યવહારોને આજના આર્થિક ભ્રષ્ટાચાર સાથે કોઈ સંંબંધ હશે ખરો?

પારસીઓ અંગ્રેજ શાસકોના પ્રશ્ર્ન પરિચયમાં આવ્યા, એમના વિશ્ર્વાસપાત્ર રહ્યા, સૌથી પહેલાં પશ્ર્ચિમી આધુનિકતાથી રંગાયા, અંગ્રેજીને લગભગ માતૃભાષા બનાવી બેઠા પણ એ સૌથી ઓછા ખ્રિસ્તી બન્યા? શા માટે?

જૈનો વીરત્વમાં કદાચ સૌથી પાછળ હશે પણ એ ક્યારેય મુસ્લિમ બન્યા નહીં એની પાછળ કયું કારણ?

ભારતના શાસક અંગ્રેજ પ્રોટેસ્ટન્ટ હતા અને આખા દેશ પર રાજ ચલાવતા હતા, જ્યારે પોર્ટુગીઝ કેથલિક હતા અને ખૂણાના એક નાનકડા ગોવા પર રાજ કરતા હતા પણ ભારતના ખ્રિસ્તીઓમાં એક વિરાટ બહુમતી કેથલિક ખ્રિસ્તીઓની શા માટે છે? એ પ્રોટેસ્ટન્ટ શા માટે નથી?

અંગ્રેજી ભાષાના સૌથી મહાન કલાકારો, લેખકો, ક્રાન્તિકારીઓ આયરર્લેન્ડમાંથી આવ્યા, જ્યારે સ્કોટલેન્ડમાંથી ભાગ્યે જ કોઈ આવ્યું છે. શા માટે?

દુનિયાના શ્રેષ્ઠ રમતવીરો-સ્પોર્ટ્સમેન ઓસ્ટ્રેલિયાએ આપ્યા છે, પણ એટલા જ મોટા અને રાષ્ટ્રસમૂહના એક દેશ કેનેડામાંથી કોઈ જ પેદા થયું નથી. કારણ?

આફ્રિકાના લાખો ગુજરાતી-એમાંથી એક પણ ગુજરાતી લેખક આવ્યો નહીં. જ્યારે કલકત્તા અને કરાચીમાંથી દરેક પેઢીએ મેધાવી લેખકો પ્રકટતા ગયા. શું કારણ?

પ્રશ્ર્નોનો અંત નથી કારણ કે નિર્દોષતામાંથી જન્મેલું વિસ્મય ઊભરાતું જાય છે. કદાચ પ્રશ્ર્નો થઈ શકે છે એ યુવા સ્વસ્થતા છે. બાળકો જેવા પ્રશ્ર્નો પૂછતાં આવડે તો સમજવું કે મન તંદુરસ્ત છે. બાળક જ મમ્મીને પૂછી શકે: મમ્મી, દૂધ ગાયમાંથી આવે તો ચા ભેંસમાંથી આવે?...

Sunday, January 25, 2015

What to do when taxmen come raiding -- Suresh Suran / DNA MONEY

The search and survey operations conducted by the income tax department, commonly known as income tax raids, have always been one of the worst nightmares of businessmen, high earners and corporates.
The reasons for this fear include heavy tax and penalty payments, possible devastating impact on the business, mental harassment faced during such raids, etc. Most of the fears are valid and the negative impacts are generally unavoidable, though the impact can be much lesser if the assessee has reasonable knowledge about various aspects of the raids.
Survey procedures
Generally, action under section 133A is called ‘survey’. However, the term survey is not defined in the Act, although the section refers to the power of survey. In the context of the Act, the term ‘survey’ means to collect information and data for the purpose of the Act on the spot, at the place of business or profession.
Although surveys are not feared as much as search and seizure operations, often it is considered to be a step towards such operations. Surveys are considered to be milder than search procedures mainly because this procedure does not involve confiscation of cash, jewellery or other assets, taking statements on oath, searching residential premises, etc.
Powers of income tax authorities while conducting the survey
- To enter the place of business during the business hours and in other places, only after sunrise and before sunset.
- To enter the place other than the business premises, if the assessee states that the cash, stocks, records and books of accounts relating to the business are lying there.
- In case of books of accounts — to place marks of identification on the books of accounts, to take extracts from such books of accounts and documents or records and to impound (confiscate) books of accounts noticed during survey w.e.f. June 1, 2002, after recording the reasons (remember, the survey teams have no power to seize assets). Budget 2008 proposes to extend the rebuttable presumption, which is currently applicable to search operations, also to books of account and other documents found in the possession or control of any person in the course of a survey operation.
In simple words, records in the books of account, other documents found during the survey operations will stand as facts unless proved otherwise. This amendment will take effect retrospectively from June 1, 2002.
- To make an inventory of any cash, stock and other valuables checked by them, to record the statement of any person, to collect information regarding the nature and quantum of expenditure incurred in connection with personal functions and events like a wedding ceremony and any other functions, to discover and production of evidence, etc - A survey can lead to a search only on the basis of information collected in survey, subject to fulfilment of certain condition of section 132(1). Normally, a survey is concluded on the same day, but if the situation warrants, it can be continued on the next day also.
- Authority can take the statement of person available at the place of survey (not on oath) if it is deemed that the statement may be useful or relevant to any proceeding under the Act.
- Similar to search and seizure, the tax officer cannot force the assessee to make any statement about his income or minimum income.
- Only an authority having jurisdiction over the assessee can conduct a survey.
Rights and obligations of an assessee being surveyed
- To permit entry to the IT officers after satisfying their identity.
- To afford facility to the tax authority to conduct survey, to cooperate during survey, to maintain equilibrium, to maintain a peaceful atmosphere.
- To assist in preparing an inventory of books of accounts or documents or cash or stock-in-trade or any other article or thing that may be found in the course of survey and to see that such inventories are detailed, exhaustive and authentic.
- To furnish requisite classification so as to let the income tax authority satisfy as to the assets found duly accounted for.
- To give statements truthfully and completely and avoid giving false or incorrect or vague answers.
- To sign the inventories and statements after carefully reading and vouching for its correctness and obtaining its copies.
- To extend facility so as to compete the survey as expeditiously as possible.
- To let the survey continue after business hours and to see that it is concluded on the same day and is not required to be resumed on the next date.
- To keep the place in an orderly manner so as to let the authorities perform their duties expeditiously.
- To keep and preserve copies of inventories, statements, and to contact the tax consultant immediately on completion of survey.
- To disclose all the material facts and to be guided by the advice of his CA or tax consultant.
- To undertake any other act or steps or retract or which may be deemed desirable by the CA or tax consultant on the facts and in totality of the circumstances.
- Not to hide such material aspects, which stand detected from the material found in the survey.
Dos and don’ts during the raids
The following dos and don’ts can assist in reducing impact of the dreaded procedure of raids.
- Maintain proper and updated books of accounts.
- Ensure that the benefit all the reliefs are availed.
- Copies of important documents like returns of income/ wealth filed, assessment orders, tax payment challans should be readily available.
- Investments made in assets should be properly accounted and supporting evidence should be available to substantiate the investment made.
- Statements recorded at the time of search are very crucial. Be cautious and careful while answering questions and person questioned should not panic.
- To be cooperative and cordial with search and survey teams.
Under license from 

Of China, Ponzi scheme and the Panda put -- Vivek Kaul

http://www.dnaindia.com/money/report-of-china-ponzi-scheme-and-the-panda-put-1281274

 “Wisdom always comes late,” I told her rather philosophically early on Sunday morning. “Are you still hallucinating?” she asked, making a reference to the 
late night drinking binge we had indulged in. 
“And by the time it comes, the damage has already been done.” 
“What comes?” 
“Wisdom.” 
“Oh. But why are we talking about wisdom early morning?” 
“Simply because we refuse to learn from our mistakes.” 
“Can you stop beating around the bush and tell me what is on your mind.”
“Yes Ma’m! Basically I had China on my mind.” 
“China?” 
“Yeah, China. The stock market in Shanghai has gone up by a little over 90% since early November last year. Now what is surprising is that China, over the years, has evolved as an export-driven economy which is highly dependant on exports to the western markets. 

With western economies collapsing, Chinese exports have also collapsed. In the month of June, Chinese exports fell by 21.4% in comparison to the same period last year. This has had an impact on the earnings of companies. Profits of large scale industrial companies based out of 22 Chinese provinces fell by 21.2% for the first six months of 2009. But despite this, markets have been rallying. Why is that?” 

“How would I know? You asked the question, you answer it!” she snorted. 
“Well, the People’s Bank of China, which is the Chinese central bank, has been printing money big time. The Chinese money supply has gone up by around 28.5% from last year. This newly-printed money has found its way into the Chinese economy, with the government-controlled banks lending a record 7.4 trillion yuan ($1.2 trillion) of new loans in the first six months of 2009. Now, to give you a sense of proportion, these new loans are equal to almost one-fourth of the size of China’s economy and a little more than the size of the Indian economy. When such aggressive lending happening, a portion of these loans is being actively used to speculate both in the stock and the property markets, leading to both these markets going up so soon so fast, without any connect with the economic reality of the day,” I explained. 

“And what is the economic reality of the day?” 
“The economic reality of the day is that things are not good. As I explained, Chinese exports have fallen and so have company earnings, but the stock market is still going up. Or take the case of the Chinese property market. The average price per square metre in China is more or less the same as the price in the US. This, despite the fact that the per capita income in the US is seven times the per capita income in urban China. Property prices in the US have fallen dramatically in the last two years, but that still doesn’t justify similar prices. Basically, the Chinese economy has become a giant Ponzi scheme.” 
“A Ponzi scheme? You love that phrase don’t you? To you everything looks like a Ponzi scheme!” she exclaimed.

“Actually, to tell you the truth, I did not figure this one out. Andy Xie, a former Morgan Stanley economist, who is now an independent economist based out of Shanghai, offered this insight around a week back. As I have told you earlier, the Ponzi scheme is named after Charles Ponzi, an Italian immigrant to the US. He launched an investment scheme in 1919, promising to double investors’ money first in 90 days, and later in 45 days. 

Investors got attracted to the huge returns the scheme promised. At its peak, the scheme had 40,000 investors who had invested around $15 million in the scheme. Ponzi had no business model in place to generate these huge returns. All he was doing was using the money brought in by the new investors to pay off the old investors. He ran his scheme till the money coming into the scheme was greater than the money leaving the scheme. One fine day, that stopped, and the scheme went bust.” 
“But what has that got to do with the Chinese economy and stock market being a Ponzi scheme?” she asked. 

“As I explained, the stock and property market going up has no link with economic reality. They are primarily going up because of all the money that is being lent and is finding its way into these markets. With all this new buying coming in, market prices are going through the roof. Such a market is akin to a Ponzi scheme. As a market starts giving good returns, more and more investors want to enter it. The money brought in by these new investors ensures that the price keeps going up and rewards the older investors, instead of any fundamentals, like in a Ponzi scheme. As Robert Shiller writes in his all-time classic Irrational Exuberance, ‘When prices go up a number of times, investors are rewarded by price movements in these markets, just as they are in Ponzi schemes.’ In addition, when the markets have been on their way up, investors tend to look at the recent past pattern and assume that the market will keep going up. They mistake probability for certainty.” 

“Hmm. That makes some sense. But tell me something, what makes Chinese investors so convinced that the markets will keep going up?” 
“Oh, that’s because of the Panda put.”
“Panda put?” she asked. 
“Yeah Andy Xie, the economist, I talked about earlier, coined this term. It refers to the investor belief that the government won’t allow the markets to fall. The popular belief these days is that the Chinese government cannot allow the stock or the property market to collapse before October 1, 2009, the sixtieth anniversary of the foundation of People’s Republic of China. So, the bull run is on at least till then. The other major factor influencing this belief is the fact that taxes from property sales account for a major portion of the income earned by local governments in China. So, it is in their interest to sustain high property prices. With this belief in place, retail investors are getting into the market big time, hoping to get rich overnight, as they normally do towards the last stage of a bull run. Even informed investors are gambling on the hope that they will not be in the last wave of buyers. 

In modern parlance, this is known as the greater fool theory, wherein investors invest because they feel that some greater fool could be depended on to enter the market after they have, and this would give them handsome returns. This explains to a very large extent why Chinese foreign exchange reserves have gone up by $185.6 billion to $2.13 trillion in the first six months of 2009 — the foreign investors bringing dollars into China to invest in the stock market clearly seem to be hoping that they are not in the last wave of buyers. This is a mistake investors always make, when they become a part of a stock market or a property bubble. “ 
“Interesting as always… But till when will this last?” 
“Oh that’ simple. It will last 
till banks keep lending and a portion 
of that money keeps getting diverted into the stock and property market for speculation.” 
“And till when will that happen?” 
“To get an answer to this question, you need to ask Zhou Xiaochuan.” 
“And who’s he?” 
“The governor of the Chinese central bank.” 
“But what is the moral of the story?” 
“Wisdom always comes late. Once a government starts a Ponzi scheme, it is very difficult for it to stop it. As 
Satyajit Das, the internationally renowned derivative expert said in a recent interview, ‘The only lesson learned is that no Ponzi game can ever be allowed to stop.’”  
 
(The example is hypothetical)

બ્રહ્માંડમાં લોહચુંબકની માયા અને મહિમા --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=111259


જો પૃથ્વીને ચુંબકીયક્ષેત્ર ન હોત તો પૃથ્વી પર જીવન ઉદ્ભવ્યું જ ન હોત

સુમારે ર૮૦૦ વર્ષ પહેલા ગ્રીસમાં એક ભરવાડ હતો. તે તેના ઘેટા-બકરાં ચરાવતો. ઘેટા-બકરાં ચરાવવા તેની પાસે લાકડી હતી. એ લાકડીને છેડે પતરાની કડી મારી હતી. એક દિવસ એક જગ્યાએ તે ગયો ત્યાં તેની લાકડી સાથે નાનાં નાનાં પથરા ચોંટી ગયાં. તે પ્રદેશનું નામ મેગ્નેશિયા હતું તેથી તે નાનાં નાનાં ટુકડા મેગ્નેટ કહેવાયાં. ત્યાં પછી મોટા મેગ્નેટવાળા પથ્થરો પણ તેને મળી આવ્યા. મેગ્નેટને આપણે ચુંબક અથવા લોહચુંબક કહીએ છીએ અને તેની સાથે લોખંડના ટુકડાં ચોંટી જાય તેના એ ગુણને ચુંબકત્વ (મેગ્નેટિઝમ) કહીએ છીએ. મેગ્નેટના દર્શનની આ પ્રથમ વાર્તા હતી. એશિયા માયનોરના ઈડા પર્વતની આજુબાજુ આ મેગ્નેટિઝમવાળા પથ્થરો પ્રથમ મળ્યાં હતાં. શું તે આકાશમાંથી આવી પડેલી ઉલ્કાના ટુકડા હતાં? કદાચ હોય. કોઈ વળી કહે છે કે એ મેગ્નેટિઝમવાળા પથ્થરને જ મેગ્નેશિયા કહેવામાં આવતાં. તેના પરથી તેમને મેગ્નેટ કહેવામાં આવ્યાં હતાં. આપણા વેદોમાં પણ ચુંબકત્વનાં સંદર્ભો છે. 

ઈ. સ. પૂર્વ ત્રીજી-ચોથી સદીમાં થયેલ ચાણક્યે તેના અર્થશાસ્ત્રમાં ચુંબક વિષે લખ્યું છે. તેણે લખ્યું છે કે લોકોને વજન કરીને ઓછું આપવા ત્રાજવા નીચે વેપારીઓ લોહ ચુંબક રાખતાં. એરિસ્ટોટલ, પ્લેટો, હોય વગેરે ગ્રીક વિદ્વાનોએ પણ તેમના પુસ્તકોમાં લોહચુંબકનો ઉલ્લેખ કર્યોં છે. ચીનાઓ લોહચુંબકને પ્રેમ કરતો પથ્થર કહેતાં. આજે પણ કોઈ આકર્ષે તો તેને લોહચુંબક કહેવામાં આવે છે. 

એક બહુ રસપ્રદ વાત છે. ચીનાઓએ એક ગામ એવું બનાવેલું કે તેમાં શસ્ત્રધારી દુશ્મનનું સૈન્ય પ્રવેશ જ ન કરી શકે. કારણ કે તેના દરવાજે મોટા મોટા લોહચુંબક રાખેલાં. જેથી ત્યાંથી પ્રવેશ કરતાં શસ્ત્રધારીઓના શસ્ત્રો દરવાજા સાથે સજ્જડ ચોંટી જતાં. ઉખાડવા જાય તો ફરી પાછા ચોંટી જતાં. ચીનાઓએ તેમના શહેરના રસ્તા લોહચુંબક પથ્થરોનાં બનાવેલાં જેથી દુશ્મન સૈન્યના રથ તેની સાથે ચીટકી જતાં, ઘોડાના ડાબલા પણ એ લોહચુંબક પાષાણના રસ્તા સાથે ચોંટી જતાં. તેથી ઘોડા પણ તે રસ્તા પર ચાલી શકતાં નહીં. ચુંબક માત્ર લોખંડને જ આકર્ષે તેવું નથી. બળવાન ચૂંબક બધી જ ધાતુને આકર્ષે છે. તેથી શરીર પર પહેરેલા આભૂષણો પણ લોહચુંબકવાળા પથ્થરોનાં રસ્તા સાથે ચોંટી જતાં. છે ને કમાલ?

બળતી મીણબત્તીની જ્યોત પણ લોહચુંબકથી આકર્ષાય છે. લોકોને ખબર પડતી ન હતી કે લોહચુંબકવાળા પથ્થરો આમ કેમ વર્તે છે. તેમાં શું છે? બધા જ પથ્થરો તો એવાં નથી. પછી લોકોને માલૂમ પડ્યું કે દોરીથી લટકાવેલો ચુંબકત્વવાળો પથ્થર ઉત્તર-દક્ષિણ દિશા બતાવે છે. લોહચુંબકત્વનો આ બીજો ગુણ વિજ્ઞાનીઓ અને માણસોને દેખાયો. તેમણે એ પણ જોયું કે બે આવા પથ્થરો વચ્ચે આકર્ષણ પણ છે અને અપાકર્ષણ પણ છે. આ તેનો ત્રીજો ગુણ અસ્તિત્વમાં આવ્યો. તો વિચારવંતોને પ્રશ્ર્ન ઊઠ્યો કે શું પૃથ્વી પણ એક ચુંબક છે જેનો ઉત્તરધ્રુવ તેની ભૌગોલિક દક્ષિણ દિશામાં છે અને દક્ષિણધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં છે!

વહાણવટુ કરતા સાહસિકો કે રણમાં મુસાફરી કરતા મુસાફરો દિવસે તો સૂર્યના સ્થાન પરથી ઉત્તર દિશા નક્કી કરતાં અને રાતે ધ્રુવના તારા પરથી. પણ જ્યારે આકાશમાં વાદળો હોય ત્યારે ઉત્તર દિશા કેવી રીતે નક્કી કરવી. તે માટે તેઓ લોહચુંબકવાળા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યાં. આ શોધ ઘણી મોટી ગણાય. તેને પછી હોકાયંત્ર કહેવામાં આવ્યું. ચુંબકના બે ધ્રુવો ઉત્તર અને દક્ષિણ વચ્ચે જબ્બર દોસ્તી છે. તે છૂટ્ટા પડતાં જ નથી. લોહચુંબકને બે ધ્રુવો હોય છે તેથી પ્રથમ વાત ફ્રેન્ચ શાસ્ત્રજ્ઞ પેટ્રસ પેરગ્રિનસ-દ મેરીકોર્ટે ૧૨૬૯માં કરી હતી. ચૂંબકત્વનો પછી રમકડા બનાવવામાં ઉપયોગ થયો. લોખંડના ટુકડાને દોરીથી લટકાવી દૂરથી લોહચુંબકને ગોળ ગોળ ફેરવીને તે લોખંડના ટુકડાંને ગોળ ગોળ ફેરવવામાં આવતો. 

વિજ્ઞાનીઓએ પછી પ્રશ્ર્ન કર્યો કે શું લોહચુંબકનાં બે ધ્રુવો અલગ અલગ મળી શકે? હજુ સુધી આ શક્ય બન્યું નથી. સજાતીય લોહચુંબકના ધ્રુવો અને વિજાતીય લોહચુંબકના ધ્રુવો વચ્ચેના ગુણધર્મો સ્થાપનાર વિજ્ઞાની ચાર્લ્સ કુલમ્બ હતા તેને આ નિયમો ૧૭૮૫માં પ્રસ્થાપિત કર્યા હતાં. લોહચુંબકની સાચી પરીક્ષા અપાકર્ષણ છે. આકર્ષણ નહીં. કારણ કે લોહચુંબક બીજી કોઈ ધાતુને પણ આકર્ષે છે. હવે તો લોહચુંબકના ઉપયોગ પર કલાકના પ૦૦ કિલોમીટરની ગતિ પર ચાલતી રેલવે ટ્રેઈનો બની છે. જેને મેગ્લેવ ટ્રેઈન (મેગ્નેટિક લેવીટેશન ટ્રેઈન) કહે છે. 

૧૬૦૦ની સાલમાં અંગ્રેજ વિજ્ઞાની વિલિયમ ગિલ્બર્ટે ‘ડી મેગ્નેટ’ નામનું પુસ્તક લખ્યું. તે મેગ્નેટિઝમ પર પ્રથમ મહાન પુસ્તક હતું તે મેગ્નેટિઝમનું બાયબલ ગણાય છે. ગિલ્બર્ટે જ સાબિત કર્યું કે પૃથ્વી એક લોહચુંબક છે જેનો ઉત્તરધ્રુવ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણધ્રુવની દિશામાં છે અને દક્ષિણધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ઉત્તરધ્રુવની દિશામાં છે. પછી વર્ષો જતાં ખબર પડી કે પૃથ્વીના મેગ્નેટની દિશા ધીરે ધીરે બદલાય છે. હાલમાં તે ભૌગોલિક ધ્રુવબિન્દુઓ સાથે લગભગ ૮ અંશનો ખૂણો બનાવે છે. ૧૪૯૨માં જ્યારે કોલંબસ અમેરિકા પહોંચ્યો ત્યારે રસ્તામાં તેને માલૂમ પડ્યું હતું કે મેગ્નેટના ધ્રુવોની દિશામાં ગડબડ છે. તે ભૌગોલિક ધ્રુવોની દિશા સાથે બંધબેસતી નથી. પૃથ્વીના લોહચુંબકની ખરી દિશા ચોક્કસ કરનાર કેપ્ટન જેમ્સ હોસ હતો. તેણે ૧૮૩૧ના વર્ષમાં આ શોધ કરી હતી. રોસા પૃથ્વીના ચુંબકીય ઉત્તરધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી હતો. પૃથ્વીના ચુંબકીય દક્ષિણધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી ઓસ્ટ્રેલિયાનો ડગ્લાસ માર્સન હતો. તે ૧૯૦૮માં ત્યાં પહોંચ્યો હતો. 

વિજ્ઞાનીઓ સામે પ્રશ્ર્ન એ હતો કે પૃથ્વીનું ચુંબકત્વ ક્યાં અને કેવી રીતે ઉત્પન્ન થાય છે? ૧૮૩૮માં મહાન વિજ્ઞાની કાર્લ ફ્રેડ્રીક ગૉસે દર્શાવ્યું કે પૃથ્વીનું ચુંબકત્વ તેના ગર્ભભાગમાં ઉત્પન્ન થાય છે. પછી વિજ્ઞાનીઓએે સાબિત કર્યું કે પૃથ્વીનું ચુંબકત્વ તેના ગર્ભભાગમાં રહેલા પ્રવાહી ધાતુનું પરિણામ છે. રેડિયોએક્ટિવિટીનુંં પરિણામ છે. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે. પૃથ્વીના ગર્ભભાગમાં જે પ્રવાહી ધાતુ છે તે વલોવાય છે અને તેથી ગ્રહનું કે પૃથ્વીનું ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. આપણાં ધ્રુવ પ્રદેશ પર જઈએ તો હોકાયંત્ર કોઈ પણ દિશા બતાવે નહીં. જ્યાં તે સ્થિર હોય ત્યાં જ રહે.

પૃથ્વી ફરતે તેનું ચુંબકીયક્ષેત્ર છે. તેમાં જ્યારે સૂર્યમાંથી આવતા વિદ્યુતભારવાહી પદાર્થકણો પ્રવેશે છે ત્યારે તે પ્રવર્ગી થાય છે અને તેમની શક્તિ પ્રમાણે રંગબેરંગી પ્રકાશ છોડે છે અને રંગીન પ્રકાશના પર્દા બનાવે છે. તેને ધ્રુવીપ્રકાશ (અરોરા) કહે છે. તે પૃથ્વીના ઊંચા અક્ષાંશે દેખાય છે. પણ જ્યારે સૂર્ય બહુ ક્રિયાશીલ થઈ જાય છે ત્યારે આ ધ્રુવીય પ્રકાશ પૃથ્વીના નીચા અક્ષાંશે નજરે પડે છે. એટલે કે ૬૦.૭૦ અંશ અક્ષાંશે પણ સૂર્ય જો અતિશય ક્રિયાશીલ હોય તો આ ધ્રુવીય પ્રકાશ ૪૦ કે પ૦ અંશ અક્ષાંશે દૃશ્યમાન થાય છે. ભૂતકાળમાં એક વખત તે મુંબઈના ૧૮, ૧૯ અને ર૦ અંશ અક્ષાંશે દૃશ્યમાન થયો હતો. ત્યારે સૂર્ય કેટલો બધો ક્રિયાશીલ થઈ ગયો હશે તેની કલ્પના થઈ શકે છે. 

પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર આપણા બધાનું ખૂબ જ રક્ષણ કરે છે. જો પૃથ્વીને ચુંબકીયક્ષેત્ર ન હોત તો પૃથ્વી પર જીવન ઉદ્ભવ્યું જ ન હોત. સૂર્યમાંથી બહાર પડતા શક્તિશાળી વિદ્યુતભારવાહી પદાર્થકણોએ પૃથ્વી પરના જીવનનો નાશ કર્યો હોત. દરેકે દરેક ગ્રહને ઓછે વધતે અંશે ચૂંબકીયક્ષેત્ર હોય જ છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યૂનને વધારે શક્તિશાળી ચુંબકીયક્ષેત્રો છે. ચુંબકીયક્ષેત્ર ગૉસ નામના એકમમાં મપાય છે. વિજ્ઞાની ગોસે આ ક્ષેત્રે પાયાનું કાર્ય કર્યું હતું માટે તેને માન આપવા ચુંબકીયક્ષેત્રના એકમનું નામ ગૉસ રાખવામાં આવ્યું છે. સૂર્યને તો ખૂબ જ શક્તિશાળી ચૂંબકીયક્ષેત્ર છે અને તે સૂર્યમાં જબ્બર ઊથલ-પાથલ કરે છે. ચુંબકીય તોફાનો સૂર્ય પર, પૃથ્વી પર, ગુરુ પર અને બધા જ ગ્રહો પર થાય છે.

પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર દિશાઓ જાણવા આપણને મદદરૂપ થાય છે. પહેલાં આપણને ખબર ન હતી કે ચુંબકીયક્ષેત્ર (ચૂંબકત્વ) શું છે. હવે ધાતુના ચુંબકીયક્ષેત્ર વિષે ઊંડો અભ્યાસ થયો છે. ચુંબકીયક્ષેત્રની જેમ આપણી પાસે વિદ્યુતક્ષેત્ર છે. પહેલાં એમ લાગતું હતું કે ચુંબકીયક્ષેત્ર (ચૂંબકત્વ, મેગ્નેટ, લોહચુંબક) અને વિદ્યુતક્ષેત્ર (વિદ્યુતભાર)નેે કોઈ સંબંધ નથી. પણ ફેરેડે, ઓઈર્સ્ટર્ડ,મેક્ષવેલ,આઈન્સ્ટાઈન અને બીજા વિજ્ઞાનીઓએ દર્શાવ્યું કે ચુંબકત્વ અને વિદ્યુતભાર એકના એક જ છે. તે એક જ વસ્તુના બે અલગ અલગ દેખાતા સ્વરૂપો છે. મેગ્નેટને ફેરવો એટલે વિદ્યુત ઉત્પન્ન થાય અને વિદ્યુતમાં ફેરફાર કરો એટલે ચુંબકત્વ ઉત્પન્ન થાય. એટલું જ નહીં પણ પ્રકાશ પોતે વિદ્યુત-ચુંબકીયક્ષેત્ર છે. 

સૂર્ય અને ગ્રહોને ચુંબકીયક્ષેત્ર છે તેમ દરેકે દરેક મંદાકિની (ગેલેક્સી)ને પણ ચુંબકીયક્ષેત્ર છે. મંદાકિનીનું ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર વચ્ચે ખૂણો બને છે તેથી મંદાકિનીનું ધરીભ્રમણ ઉત્પન્ન થાય છે. પૂરી મંદાકિની ચુંબકીયક્ષેત્રના જાળામાં (નેટવર્ક)માં છે. સૂર્યમાળાની ઉત્પત્તિમાં પણ નિયંત્રણ ચુંબકીયક્ષેત્રનું છે. આમ ચુંબકીયક્ષેત્ર સર્વવ્યાપી છે. તે ગ્રહોના ધરીભ્રમણને પણ અસર કરે છે. આપણે બધા ચુંબકીયક્ષેત્રના જાળામાં ફસાયેલાં છીએ. પૂરા બ્રહ્માંડમાં ચુંબકીયક્ષેત્રની માયા પથરાયેલી છે અને તેટલો જ તેનો ઉમદા મહિમા છે. બધી જ ઉલ્કામાં ચુંબકત્વ હોય છે, ચુંબકત્વ હકીકતમાં બ્રહ્માંડીય તત્ત્વ છે. જોકે હવે કૃત્રિમ લોહચુંંબકો બનાવવામાં આવે છે અને તેને મોટા મોટા કામે લગાડવામાં આવે છે. તે તબીબીશાસ્ત્રમાં લગભગ દરેકે દરેક ઈલેક્ટ્રોનિક યંત્રમાં કે યંત્રમાં રીમરીંગ એઈડ મેગ્નેટીક રેસોનન્સ ઈમેજિંગ, સુપરક્ધડક્ટીંગ મેગ્નેટ બનાવવામાં વપરાય છે. તે આપણા શરીરમાં પણ મોજૂદ છે. ચુંંબકીય અને વિદ્યુત અણુએ અણુમાં વ્યાપ્ત છે. આપણું શરીર એ બળ પર આધારિત છે. ગુરુત્વાકર્ષણબળનો જેટલો મહિમા છે અને માયા છે તેટલો જ મહિમા અને માયા વિદ્યુત-ચુંબકીયક્ષેત્રની છે. પ્રકાશ તેનું જ સ્વરૂપ છે.