http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89515
ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થાય છે ત્યારે ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે વાત કરવાનું કેમ કોઈને સૂઝતું નથી?
ચલો, શરૂઆત શરૂઆતથી જ કરીએ. તમને ખબર છે, હિંદુસ્તાની ફિલ્મોના મૂળમાં ગુજરાતી માણસોના પૈસા અને પુરુષાર્થ છે? કહેવાય છે કે પહેલી ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેને ફિલ્મ બનાવવા માટે જે કેમેરા, લેબોરેટરી વગેરે માટે મદદ કરેલી એ ચંદુલાલ શાહ નામના ગુજરાતી ધનાઢ્ય કલારસિક હતા. જો ચંદુલાલ અને અન્ય પારસી સજ્જનો ન હોત તો હિંદુસ્તાની સિનેમાની શરૂઆત થોડાં વર્ષો પછી થાત! પછી તો કેટકેટલાં સ્ટુડિયો અને કંપનીઓ ગુજરાતી શઠિયાઓએ ચલાવ્યાં. એમાંના એક સ્વ. વિજય ભટ્ટે ‘રામરાજ્ય’ ફિલ્મ બનાવી, જે એકમાત્ર ફિલ્મ હતી જેને ગાંધીજીએ જોયેલી. (આજે વિજય ભટ્ટની ત્રીજી પેઢી, કેમેરામેન પ્રવીણ ભટ્ટના નિર્દેશક પુત્ર-વિક્રમ ભટ્ટ છે.) ભારતીય વિદ્યા ભવનના સ્થાપક, પ્રખર કાયદાશાસ્ત્રી અને ગુજરાતી લેખક કનૈયાલાલ માણેકલાલ મુન્શી પણ ફિલ્મોમાં લખવા આવેલા. એમની નવલકથાઓ ‘પૃથ્વીવલ્લભ’ વગેરે પર સોહરાબ મોદીએ ફિલ્મ બનાવેલી. સોહરાબ મોદી આપણા બીજા ગુજરાતી કલાકાર હતા જેણે ભારતમાં આલીશાન સેટ્સવાળી ફિલ્મો બનાવી અને એ ગુજરાતી જૂની રંગભૂમિમાંથી ફિલ્મોમાં આવેલા.
એક વાયકા છે કે હિંદીના મહાન લેખક પ્રેમચંદ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી બેઉએ ‘સલીમ-જાવેદ’ની જેમ જોડી બનાવીને ફિલ્મો લખેલી અને નામ હતું મુન્શી-પ્રેમચંદ. એટલે જ પ્રેમચંદનું નામ મુન્શી પ્રેમચંદ પડી ગયું! આવું, અદ્ભુત પ્રદાન આપનાર આ આપણી ગુજરાતી પ્રજા છે! પણ કોઈને જરાયે પડી છે? અરે, એ જમાનામાં સૌથી સફળ લેખક એટલે મોહનલાલ દવે નામના એક ગુજરાતી પટકથા-લેખક હતા જેમણે ૧૯૩૦થી ’૬૦ સુધી ૩૫૦ ફિલ્મોમાં સ્ક્રીન પ્લે લખીને એકચક્રી શાસન કરેલું, આપણા ગુણવંતરાય આચાર્ય જેમણે આપણી ભાષાને ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ જેવી અનેક દરિયાઈ નવલકથાઓ આપી તેઓ હિંદી ફિલ્મોના સફળ લેખક હતા અને રણજિત મૂવીટોનમાં ખૂબ માનભેર કામ કરતા! રામચંદ્ર ઠાકુર હોય કે વિઠ્ઠલ પંડ્યા જેવા લોકપ્રિય લેખકો હોય, પણ અનેક ગુજરાતી કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તમે ‘અર્થ’-‘સારાંશ’થી લઈને ‘મર્ડર’ અને ‘રાઝ’ જેવી ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શક અને બોલ્ડ મેધાવી માણસ મહેશ ભટ્ટનું નામ સાંભળ્યું જ હશે. પણ એમના પિતા નાનાભાઈ ભટ્ટે પણ ૧૦૦થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરેલું અને એકસાથે પાંચ-પાંચ ફિલ્મનું નિર્દેશન કરતા. ક્યારેક તો ફોન પર ડાયરેક્શન કરતા! આજે એ જ ભટ્ટ ફેમિલીની ત્રીજી પેઢી પૂજા ભટ્ટ નિર્દેશક બની ચૂકી છે અને આલિયા ભટ્ટ હિરોઈન બની ગઈ છે. મહેશના નાના ભાઈ રોબિન ભટ્ટે ‘બાઝીગર’થી લઈને ‘ઓમકારા’ કે ‘ક્રિશ’ જેવી ૬૦થી વધુ ફિલ્મો લખી છે! પણ આપણે ગુજરાતીઓ બોલીવુડમાં છવાયેલાં આ ગુર્જરરત્નોથી સાવ જ અજાણ છીએ! રાજ કપૂરને રોમેન્સનો રાજા બનાવવા પાછળ એના સંગીતનો મોટો ફાળો છે. અને એ સંગીત આપ્યું શંકર-જયકિશને. એમાંના જયકિશન પંચાલ એ ગુજરાતી સંગીતકાર હતા જે દક્ષિણ ગુજરાતના વાંસદા પાસેના હતા. માત્ર એમનું નામ જ પોસ્ટર પર છપાય તો ફિલ્મ વેચાઈ જાય એવી શંકર-જયકિશનની સફળતા હતી. કલ્યાણજી-આણંદજીએ વર્ષો સુધી બંગાળી-પંજાબી સંગીતકારો સામે ઝીંક ઝીલીને ર૦૦થી વધુ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં. છેક આજે પણ શાહરુખ ખાનની ‘ડોન ૧-૨’માં એમનાં ગીતો ગુંજે છે. અમિતાભ બચ્ચનને દેશ-વિદેશમાં સ્ટેજ શોઝ કરાવવાનું માન પણ કલ્યાણજી-આણંદજીને જ જાય છે! સુનિધિ ચૌહાણ જેવી ગાયિકા હોય કે જોની લિવર જેવો હાસ્ય કલાકાર, કલ્યાણજી-આણંદજીની મદદથી જ એ સૌ ફિલ્મમાં આવી શક્યાં છે! અરે, કોનાં કોનાં નામ લેશું? કેટકેટલા ચહેરા આપણે બેખબર, બેપરવા ગુજરાતી પ્રજાને યાદ અપાવશું? એન્ડ અફકોર્સ, હું કોઈ અધિકૃત ઇતિહાસકાર તો છું નહીં એટલે સરતચૂક પણ થશે અને ઘણાં નામો રહી જશે... પણ હું તો માત્ર નામી-અનામી હસ્તીના પાળિયા પરની સમયની ધૂળ ખંખેરીને પૂજવાનો પ્રયાસ કરી રહ્યો છું!
તમને ખબર છે, ‘ચિત્રલેખા’ના સંસ્થાપક તંત્રી અને લેખક વજુ કોટકે અનેક ફિલ્મો લખેલી! પન્નાલાલ પટેલની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની છે. અરે, ભારતની શ્રેષ્ઠ બે ફિલ્મો: ‘મધર ઈન્ડિયા’ અને ‘મુઘલે આઝમ’ની પાછળ ગુજરાતી માણસોનાં આંગળાંની ફિંગરપ્રિંટ છે. કે. આસિફને ૧૨ વર્ષ સુધી ‘મુઘલે આઝમ’ જેવા મેગ્નમ ઓપસ માટે જો શાપૂરજી પાલનજી જેવા પારસી ફાઈનાન્સરે વિના શરતે કરોડો રૂપિયા ૧૯૫૦-૬૦ સુધીમાં ન આપ્યા હોત તો આવી મહાન ‘મુઘલે આઝમ’ ક્યારેય ના બની હોત. અનેક વાર ‘મુઘલે આઝમ’નું શૂટિંગ અટક્યું, અનેક વાર એનું બજેટ વધતું ગયું પણ શાપૂરજી પાલનજીએ ફિલ્મ બનવા દીધી, કારણ કે એ કલાપારખુ ખાનદાન ધનાઢ્ય ગુજરાતી પુરુષ હતા. એમની જગ્યાએ જો કોઈ મારવાડી-પંજાબી ફાઈનાન્સર હોત તો કે. આસિફ ફિલ્મ તો પૂરી ન કરી શકત પણ દેવાળું કાઢીને આપઘાત કરી નાખત! સો ટચની ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહાન દિગ્દર્શક મહેબૂબ ખાન પણ મુસ્લિમ ગુજરાતી માણસ હતો. બે ચોપડી ભણેલ એ દરજીના દીકરાને માત્ર ગુજરાતી લખતાં-વાંચતાં આવડતી અને ગુજરાતીમાં જ પટકથા લખતો! ચિખલી પાસેના ધરમપુર નજીકના ગામમાં જન્મેલ એ ગુજરાતી માણસે ‘મધર ઈન્ડયા’નું શૂટિંગ પણ એ જ પ્રદેશમાં કર્યું. ઉપરાંત એ ગામના જ લોકલ લોકોને લઈને કામ કરાવ્યું અને ‘મધર ઇન્ડિયા’ ભારતની પહેલી ફિલ્મ હતી જે કોઈ પણ જાતના માર્કેટિંગ વિના ઓસ્કાર એવોર્ડ માટેની ૧૯૫૭ની ટોપ પાંચ ફોરેન લેંગ્વેજ ફિલ્મમાં નોમિનેટ થઈ. એ પછી છેક ૨૦૦૧’-૦૨માં ‘લગાન’ ફિલ્મ ઓસ્કાર માટે ટોપ પાંચમાં પહોંચી જેનું શૂટિંગ કચ્છમાં થયેલું અને એ ફિલ્મના લેખકોમાં પણ કુમાર દવે નામનો એક ગુજરાતી લેખક હતો! કર્યું કોઈ ગુજરાતી સંસ્થાએ આ કલાકારોનું સન્માન?
હિંદી ફિલ્મોને મસાલ ફિલ્મ એટલે શું, લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મ્યુલા શું એ શિખવનાર મનમોહન દેસાઈ, શુદ્ધ ગુજરાતી ‘અનાવિલ’ હતા! મનમોહન દેસાઈ જેટલા સફળ કમર્શિયલ ડિરેક્ટર બહુ ઓછા થયા છે કે થશે પણ નહીં. કૃષ્ણકાંત ઉર્ફે કે. કે. નામના સુરતના અભિનેતા-દિગ્દર્શકે અનેક હિંદી ફિલ્મોમાં લગભગ ૭૦ વરસ સુધી કામ કર્યું અને હિંદી-ગુજરાતી ફિલ્મો પણ બનાવી! આપણી ગુજરાતી ફિલ્મોના અદ્ભુત અભિનેતા અરવિંદ પંડ્યા, મીનાકુમારીના હીરો રહી ચૂકેલા! ભરતભાઈ શાહ જેવા ખમતીધર ડાયમન્ડ મર્ચન્ટ જો ન હોત તો સંજય ભણસાળીની ‘દેવદાસ’થી માંડીને બીજી અનેક ખર્ચાળ ફિલ્મો આપણને જોવા મળત જ નહીં. (અરે, શાહરુખ ખાનનો ‘મન્નત’ નામનો કરોડોનો બંગલો પણ ભારત શાહની જ મદદથી શાહરુખને મળ્યો છે!) એવા જ બીજા બાહોશ ડાયમંડ મર્ચંટ અને ફિલ્મ ફાઈનાન્સર, દિનેશ ગાંધી ન હોત તો પ૦ વરસ પછી ‘મુઘલે આઝમ’ ફિલ્મ રંગીન સ્વરૂપે ફરી રિલીઝ ન થાત! શાહરુખને ‘બાઝીગર’ ફિલ્મથી સ્ટારડમ અપાવનાર અબ્બાસ-મુસ્તાન, આમિર ખાનની કમબેક ફિલ્મ ‘દિલ’ અને અનેક હિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ઈન્દ્રકુમાર, નાના પાટેકરને સ્ટાર બનાવનાર પ્રોડ્યુસર-ડાયરેક્ટર મેહુલકુમાર! ૧૦૦ વરસમાંની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ બનાવનાર કુંદન શાહ ગુજરાતી જ છે, પણ ગુજરાત સરકાર કે સમાજને એ વાતનો જરાય હરખ છે? કેટકેટલાં સફળ ગુજરાતી નામો છે આપણી પાસે! પણ અફસોસ ૬ કરોડની ગુજરાતી પ્રજાએ આપણા કલાકારો કે ફિલ્મકારોને ક્યારેય ખભા પર નથી બેસાડ્યા! (મરાઠી-બંગાળી-મલયાલમ પ્રજા એમના કલાકારોને માથે બેસાડે છે પણ આપણે ગુજરાતીઓના કલાપ્રદાનથી સાવ અજાણ છીએ કે અજાણ જ રહેવા માગીએ છીએ. જ્યાં સુધી ગુજરાતી પ્રજા માત્ર વેપારીઓ-ઉદ્યોગપતિઓ કે નેતાઓનાં જ ગાણાં ગાશે અને કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકો, રમતવીરોનું જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! કદાચ ‘વાંચે ગુજરાત’ની જેમ ‘હરખે ગુજરાત’ની મુહિમ શરૂ કરવાનો સમય પાકી ગયો છે! (વધુ સફળ નામો અને વધુ બળાપો આવતા અઠવાડિયે).
ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થાય છે ત્યારે ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે વાત કરવાનું કેમ કોઈને સૂઝતું નથી?
મિજાજ મસ્તી - સંજય છેલ
રસૂલ હમઝાતોવની ‘મારું દાઘેસ્તાન’ નામની કિતાબમાં રશિયા પાસેના દાઘેસ્તાન પ્રાંતમાં બે ગામડિયણ સ્ત્રીઓ એક કૂવા પર ઝઘડી રહી હોય છે ત્યારે એક સ્ત્રી બીજીને ગુસ્સામાં એક ગાળ આપે છે, ‘જા, તારાં બાળકો એમની માતૃભાષા ભૂલી જશે!’ વાહ! આને કહેવાય ગાળ! તમને થશે કે આજે આ વાત મને કેમ યાદ આવે છે? ના, ના... ડરો નહીં... હું ગુજરાતી ભાષા મરી જશે કે નહીં એ વિષય પર રાગ મરસિયા નથી ગાવા માગતો!
વાત જાણે એમ છે કે આ વર્ષે ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થવા આવ્યાં છે. ઠેર ઠેર સૌ ફિલ્મરસિયાઓ પોતપોતાની રીતે ૧૦૦ વરસનું સરવૈયું કાઢવા બેઠા છે. પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ બનાવવાનું જાણે ફરજિયાત હોય એમ સૌ ફેસબુક-ટ્વિટર, છાપાં-મેગેઝિનમાં મંડી પડ્યા છે! એવામાં મારા માતૃભાષાપ્રેમ પર વજ્રઘાત થાય છે કે ભારતીય સિનેમામાં ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે હરખભેર વાત કરવાનું આપણામાંથી કોઈને કેમ સૂઝતું નથી? બોલીવુડમાં ર૦ વરસ ગાળ્યા પછી, બીજી ભાષાના લોકોમાં એમની ભાષાના કલાકારો માટેનો જિદ્દી પ્રેમ જોયા પછી ગુજરાતી સમાજની બેફિકરાઈ માટે ખૂબ દુ:ખ થાય છે. ત્યારે આપણા ગુજરાતી કલાકારોની કેટલીક સ્વર્ણિમ વાતો લખીને તમને આત્મભિમાનનાં ઇંજેક્શન મારવા માગું છું! આવો મારી સાથે ડાઉન મેમરી લેનમાં...
વાત જાણે એમ છે કે આ વર્ષે ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થવા આવ્યાં છે. ઠેર ઠેર સૌ ફિલ્મરસિયાઓ પોતપોતાની રીતે ૧૦૦ વરસનું સરવૈયું કાઢવા બેઠા છે. પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ બનાવવાનું જાણે ફરજિયાત હોય એમ સૌ ફેસબુક-ટ્વિટર, છાપાં-મેગેઝિનમાં મંડી પડ્યા છે! એવામાં મારા માતૃભાષાપ્રેમ પર વજ્રઘાત થાય છે કે ભારતીય સિનેમામાં ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે હરખભેર વાત કરવાનું આપણામાંથી કોઈને કેમ સૂઝતું નથી? બોલીવુડમાં ર૦ વરસ ગાળ્યા પછી, બીજી ભાષાના લોકોમાં એમની ભાષાના કલાકારો માટેનો જિદ્દી પ્રેમ જોયા પછી ગુજરાતી સમાજની બેફિકરાઈ માટે ખૂબ દુ:ખ થાય છે. ત્યારે આપણા ગુજરાતી કલાકારોની કેટલીક સ્વર્ણિમ વાતો લખીને તમને આત્મભિમાનનાં ઇંજેક્શન મારવા માગું છું! આવો મારી સાથે ડાઉન મેમરી લેનમાં...
ચલો, શરૂઆત શરૂઆતથી જ કરીએ. તમને ખબર છે, હિંદુસ્તાની ફિલ્મોના મૂળમાં ગુજરાતી માણસોના પૈસા અને પુરુષાર્થ છે? કહેવાય છે કે પહેલી ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેને ફિલ્મ બનાવવા માટે જે કેમેરા, લેબોરેટરી વગેરે માટે મદદ કરેલી એ ચંદુલાલ શાહ નામના ગુજરાતી ધનાઢ્ય કલારસિક હતા. જો ચંદુલાલ અને અન્ય પારસી સજ્જનો ન હોત તો હિંદુસ્તાની સિનેમાની શરૂઆત થોડાં વર્ષો પછી થાત! પછી તો કેટકેટલાં સ્ટુડિયો અને કંપનીઓ ગુજરાતી શઠિયાઓએ ચલાવ્યાં. એમાંના એક સ્વ. વિજય ભટ્ટે ‘રામરાજ્ય’ ફિલ્મ બનાવી, જે એકમાત્ર ફિલ્મ હતી જેને ગાંધીજીએ જોયેલી. (આજે વિજય ભટ્ટની ત્રીજી પેઢી, કેમેરામેન પ્રવીણ ભટ્ટના નિર્દેશક પુત્ર-વિક્રમ ભટ્ટ છે.) ભારતીય વિદ્યા ભવનના સ્થાપક, પ્રખર કાયદાશાસ્ત્રી અને ગુજરાતી લેખક કનૈયાલાલ માણેકલાલ મુન્શી પણ ફિલ્મોમાં લખવા આવેલા. એમની નવલકથાઓ ‘પૃથ્વીવલ્લભ’ વગેરે પર સોહરાબ મોદીએ ફિલ્મ બનાવેલી. સોહરાબ મોદી આપણા બીજા ગુજરાતી કલાકાર હતા જેણે ભારતમાં આલીશાન સેટ્સવાળી ફિલ્મો બનાવી અને એ ગુજરાતી જૂની રંગભૂમિમાંથી ફિલ્મોમાં આવેલા.
એક વાયકા છે કે હિંદીના મહાન લેખક પ્રેમચંદ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી બેઉએ ‘સલીમ-જાવેદ’ની જેમ જોડી બનાવીને ફિલ્મો લખેલી અને નામ હતું મુન્શી-પ્રેમચંદ. એટલે જ પ્રેમચંદનું નામ મુન્શી પ્રેમચંદ પડી ગયું! આવું, અદ્ભુત પ્રદાન આપનાર આ આપણી ગુજરાતી પ્રજા છે! પણ કોઈને જરાયે પડી છે? અરે, એ જમાનામાં સૌથી સફળ લેખક એટલે મોહનલાલ દવે નામના એક ગુજરાતી પટકથા-લેખક હતા જેમણે ૧૯૩૦થી ’૬૦ સુધી ૩૫૦ ફિલ્મોમાં સ્ક્રીન પ્લે લખીને એકચક્રી શાસન કરેલું, આપણા ગુણવંતરાય આચાર્ય જેમણે આપણી ભાષાને ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ જેવી અનેક દરિયાઈ નવલકથાઓ આપી તેઓ હિંદી ફિલ્મોના સફળ લેખક હતા અને રણજિત મૂવીટોનમાં ખૂબ માનભેર કામ કરતા! રામચંદ્ર ઠાકુર હોય કે વિઠ્ઠલ પંડ્યા જેવા લોકપ્રિય લેખકો હોય, પણ અનેક ગુજરાતી કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તમે ‘અર્થ’-‘સારાંશ’થી લઈને ‘મર્ડર’ અને ‘રાઝ’ જેવી ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શક અને બોલ્ડ મેધાવી માણસ મહેશ ભટ્ટનું નામ સાંભળ્યું જ હશે. પણ એમના પિતા નાનાભાઈ ભટ્ટે પણ ૧૦૦થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરેલું અને એકસાથે પાંચ-પાંચ ફિલ્મનું નિર્દેશન કરતા. ક્યારેક તો ફોન પર ડાયરેક્શન કરતા! આજે એ જ ભટ્ટ ફેમિલીની ત્રીજી પેઢી પૂજા ભટ્ટ નિર્દેશક બની ચૂકી છે અને આલિયા ભટ્ટ હિરોઈન બની ગઈ છે. મહેશના નાના ભાઈ રોબિન ભટ્ટે ‘બાઝીગર’થી લઈને ‘ઓમકારા’ કે ‘ક્રિશ’ જેવી ૬૦થી વધુ ફિલ્મો લખી છે! પણ આપણે ગુજરાતીઓ બોલીવુડમાં છવાયેલાં આ ગુર્જરરત્નોથી સાવ જ અજાણ છીએ! રાજ કપૂરને રોમેન્સનો રાજા બનાવવા પાછળ એના સંગીતનો મોટો ફાળો છે. અને એ સંગીત આપ્યું શંકર-જયકિશને. એમાંના જયકિશન પંચાલ એ ગુજરાતી સંગીતકાર હતા જે દક્ષિણ ગુજરાતના વાંસદા પાસેના હતા. માત્ર એમનું નામ જ પોસ્ટર પર છપાય તો ફિલ્મ વેચાઈ જાય એવી શંકર-જયકિશનની સફળતા હતી. કલ્યાણજી-આણંદજીએ વર્ષો સુધી બંગાળી-પંજાબી સંગીતકારો સામે ઝીંક ઝીલીને ર૦૦થી વધુ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં. છેક આજે પણ શાહરુખ ખાનની ‘ડોન ૧-૨’માં એમનાં ગીતો ગુંજે છે. અમિતાભ બચ્ચનને દેશ-વિદેશમાં સ્ટેજ શોઝ કરાવવાનું માન પણ કલ્યાણજી-આણંદજીને જ જાય છે! સુનિધિ ચૌહાણ જેવી ગાયિકા હોય કે જોની લિવર જેવો હાસ્ય કલાકાર, કલ્યાણજી-આણંદજીની મદદથી જ એ સૌ ફિલ્મમાં આવી શક્યાં છે! અરે, કોનાં કોનાં નામ લેશું? કેટકેટલા ચહેરા આપણે બેખબર, બેપરવા ગુજરાતી પ્રજાને યાદ અપાવશું? એન્ડ અફકોર્સ, હું કોઈ અધિકૃત ઇતિહાસકાર તો છું નહીં એટલે સરતચૂક પણ થશે અને ઘણાં નામો રહી જશે... પણ હું તો માત્ર નામી-અનામી હસ્તીના પાળિયા પરની સમયની ધૂળ ખંખેરીને પૂજવાનો પ્રયાસ કરી રહ્યો છું!
તમને ખબર છે, ‘ચિત્રલેખા’ના સંસ્થાપક તંત્રી અને લેખક વજુ કોટકે અનેક ફિલ્મો લખેલી! પન્નાલાલ પટેલની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની છે. અરે, ભારતની શ્રેષ્ઠ બે ફિલ્મો: ‘મધર ઈન્ડિયા’ અને ‘મુઘલે આઝમ’ની પાછળ ગુજરાતી માણસોનાં આંગળાંની ફિંગરપ્રિંટ છે. કે. આસિફને ૧૨ વર્ષ સુધી ‘મુઘલે આઝમ’ જેવા મેગ્નમ ઓપસ માટે જો શાપૂરજી પાલનજી જેવા પારસી ફાઈનાન્સરે વિના શરતે કરોડો રૂપિયા ૧૯૫૦-૬૦ સુધીમાં ન આપ્યા હોત તો આવી મહાન ‘મુઘલે આઝમ’ ક્યારેય ના બની હોત. અનેક વાર ‘મુઘલે આઝમ’નું શૂટિંગ અટક્યું, અનેક વાર એનું બજેટ વધતું ગયું પણ શાપૂરજી પાલનજીએ ફિલ્મ બનવા દીધી, કારણ કે એ કલાપારખુ ખાનદાન ધનાઢ્ય ગુજરાતી પુરુષ હતા. એમની જગ્યાએ જો કોઈ મારવાડી-પંજાબી ફાઈનાન્સર હોત તો કે. આસિફ ફિલ્મ તો પૂરી ન કરી શકત પણ દેવાળું કાઢીને આપઘાત કરી નાખત! સો ટચની ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહાન દિગ્દર્શક મહેબૂબ ખાન પણ મુસ્લિમ ગુજરાતી માણસ હતો. બે ચોપડી ભણેલ એ દરજીના દીકરાને માત્ર ગુજરાતી લખતાં-વાંચતાં આવડતી અને ગુજરાતીમાં જ પટકથા લખતો! ચિખલી પાસેના ધરમપુર નજીકના ગામમાં જન્મેલ એ ગુજરાતી માણસે ‘મધર ઈન્ડયા’નું શૂટિંગ પણ એ જ પ્રદેશમાં કર્યું. ઉપરાંત એ ગામના જ લોકલ લોકોને લઈને કામ કરાવ્યું અને ‘મધર ઇન્ડિયા’ ભારતની પહેલી ફિલ્મ હતી જે કોઈ પણ જાતના માર્કેટિંગ વિના ઓસ્કાર એવોર્ડ માટેની ૧૯૫૭ની ટોપ પાંચ ફોરેન લેંગ્વેજ ફિલ્મમાં નોમિનેટ થઈ. એ પછી છેક ૨૦૦૧’-૦૨માં ‘લગાન’ ફિલ્મ ઓસ્કાર માટે ટોપ પાંચમાં પહોંચી જેનું શૂટિંગ કચ્છમાં થયેલું અને એ ફિલ્મના લેખકોમાં પણ કુમાર દવે નામનો એક ગુજરાતી લેખક હતો! કર્યું કોઈ ગુજરાતી સંસ્થાએ આ કલાકારોનું સન્માન?
હિંદી ફિલ્મોને મસાલ ફિલ્મ એટલે શું, લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મ્યુલા શું એ શિખવનાર મનમોહન દેસાઈ, શુદ્ધ ગુજરાતી ‘અનાવિલ’ હતા! મનમોહન દેસાઈ જેટલા સફળ કમર્શિયલ ડિરેક્ટર બહુ ઓછા થયા છે કે થશે પણ નહીં. કૃષ્ણકાંત ઉર્ફે કે. કે. નામના સુરતના અભિનેતા-દિગ્દર્શકે અનેક હિંદી ફિલ્મોમાં લગભગ ૭૦ વરસ સુધી કામ કર્યું અને હિંદી-ગુજરાતી ફિલ્મો પણ બનાવી! આપણી ગુજરાતી ફિલ્મોના અદ્ભુત અભિનેતા અરવિંદ પંડ્યા, મીનાકુમારીના હીરો રહી ચૂકેલા! ભરતભાઈ શાહ જેવા ખમતીધર ડાયમન્ડ મર્ચન્ટ જો ન હોત તો સંજય ભણસાળીની ‘દેવદાસ’થી માંડીને બીજી અનેક ખર્ચાળ ફિલ્મો આપણને જોવા મળત જ નહીં. (અરે, શાહરુખ ખાનનો ‘મન્નત’ નામનો કરોડોનો બંગલો પણ ભારત શાહની જ મદદથી શાહરુખને મળ્યો છે!) એવા જ બીજા બાહોશ ડાયમંડ મર્ચંટ અને ફિલ્મ ફાઈનાન્સર, દિનેશ ગાંધી ન હોત તો પ૦ વરસ પછી ‘મુઘલે આઝમ’ ફિલ્મ રંગીન સ્વરૂપે ફરી રિલીઝ ન થાત! શાહરુખને ‘બાઝીગર’ ફિલ્મથી સ્ટારડમ અપાવનાર અબ્બાસ-મુસ્તાન, આમિર ખાનની કમબેક ફિલ્મ ‘દિલ’ અને અનેક હિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ઈન્દ્રકુમાર, નાના પાટેકરને સ્ટાર બનાવનાર પ્રોડ્યુસર-ડાયરેક્ટર મેહુલકુમાર! ૧૦૦ વરસમાંની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ બનાવનાર કુંદન શાહ ગુજરાતી જ છે, પણ ગુજરાત સરકાર કે સમાજને એ વાતનો જરાય હરખ છે? કેટકેટલાં સફળ ગુજરાતી નામો છે આપણી પાસે! પણ અફસોસ ૬ કરોડની ગુજરાતી પ્રજાએ આપણા કલાકારો કે ફિલ્મકારોને ક્યારેય ખભા પર નથી બેસાડ્યા! (મરાઠી-બંગાળી-મલયાલમ પ્રજા એમના કલાકારોને માથે બેસાડે છે પણ આપણે ગુજરાતીઓના કલાપ્રદાનથી સાવ અજાણ છીએ કે અજાણ જ રહેવા માગીએ છીએ. જ્યાં સુધી ગુજરાતી પ્રજા માત્ર વેપારીઓ-ઉદ્યોગપતિઓ કે નેતાઓનાં જ ગાણાં ગાશે અને કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકો, રમતવીરોનું જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! કદાચ ‘વાંચે ગુજરાત’ની જેમ ‘હરખે ગુજરાત’ની મુહિમ શરૂ કરવાનો સમય પાકી ગયો છે! (વધુ સફળ નામો અને વધુ બળાપો આવતા અઠવાડિયે).
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90357
સિનેમાનાં ૧૦૦ વર્ષમાં આપણા કેટલા ટકા?
અન્ય પ્રજા એમના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ અમીર ગુજ્જુ પ્રજા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે.
ગયા રવિવારે કહેલું એમ ભારતીય સિનેમાને ૧૦૦ વર્ષ થયાં એમાં ગુજરાતીઓનાં પ્રદાન અને ગુજરાતી પ્રજાની ઉદાસીનતા વિશે મારો બળાપો હજુ બાકી છે! કડવું લાગે તો લાગે પણ વ્યાપાર વાણિજ્ય કે રાસ ગરબાથી આગળ વિચારવા માટે આપણે ગુજ્જુઓ સાવ અક્ષમ છીએ. મરાઠીઓ, મલયાલીઓ, બંગાળીઓ એમના નાના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ આપણી અમીર ગુજ્જુ પ્રજા આપણા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે. ઉપરછલ્લી અસ્મિતાની વાતો કરીને પછી આપણને આળસ આવી જાય છે.
સૌથી મોટું ઉદાહરણ આપું? ૧૯૩૩માં પહેલી ગુજરાતી ફિલ્મ બનેલી અને છેક પંદર વરસે ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ, એ ૧૫ વર્ષમાં જો ૩૦-૪૦ ગુજરાતી ફિલ્મો બની શકી તો કોઈએ ગાંધીજીનો ગુજરાતીમાં એક ઈન્ટરવ્યુ ફિલ્મ પર શૂટ કેમ ના કર્યો? એક પણ નિર્માતા કે શેઠિયાને આ ન સૂઝ્યું? જો ગાંધીજીની આવી હાલત થાય તો ફિલ્મવાળાઓને કોણ પૂછે? છેક ૧૯૮૬માં સંજીવકુમાર ગુજરી ગયાં પણ આપણી પાસે અમદાવાદ-મુંબઈ દૂરદર્શનમાં કે ફિલ્મઝ ડિવિઝનમાં એમનો એક પણ ગુજરાતી ભાષામાં શૂટ થયેલ ઈન્ટરવ્યુ છે? કોમેડી હોય, ટ્રેજેડી હોય કે બાપના રોલ હોય સંજીવકુમારે સૌના બાપ બનીને પંજાબી-બંગાળીઓની ગ્રુપબાજી સામે માત્ર ટેલેન્ટનાં જોરે નામ કમાવેલું. અરે, જે સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિતાભને ૧૨-૧૫ લાખ રૂ. મળતાં ત્યારે એમણે યશ ચોપરાની ‘ત્રિશૂલ’માં બાપનો રોલ કરવાનાં ૨૦ લાખ રૂ. માંગેલા અને મેળવેલાં, કારણ? સંજીવકુમારનો અદભુત આત્મવિશ્ર્વાસ અને એક ગુજરાતી માણસની વિચક્ષણ વેપારી બુદ્ધિ! એમને ખબર હતી કે અમિતાભના બાપનો રોલ કરવા માટે બે જ અભિનેતા લાયક છે: દિલીપ કુમાર અને સંજીવ કુમાર પોતે. દિલીપ કુમાર તો બાપનો રોલ કરશે નહીં એટલે એમણે દાદાગીરીથી ૨૦ લાખ મેળવ્યાં.. આવા હરીભાઈ જરીવાલા ઉર્ફે સંજીવકુમાર જો કેરળ કે બંગાળમાં હોત તો એમનાં નામે નાટ્યગૃહ હોત, યુનિવર્સિટી હોત. જિદ્દી મલયાલી - બંગાળી લોબીએ લડી-ઝગડીને અનેક સાચાં ખોટાં ‘નેશનલ એવૉર્ડ’ અપાવ્યાં હોત. અફસોસ, સંજીવ કુમાર ઉર્ફ હરીભાઈ જરીવાલાને આપણે જર્જર ગુર્જર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ ના બનાવી શક્યા!
ગઈકાલને છોડો, આજે બોલીવુડમાં સૌથી મોટા ત્રણ નામ છે: શાહરુખ, આમિર, સલમાન આ ત્રણેયની પાછળ ગુજરાતનો ફાળો છે! શાહરુખે પહેલીવાર મુંબઈમાં શૂટિંગ કર્યું એ કુંદન શાહ નામના ગુજ્જુ દિગ્દર્શકના હાથ નીચે કર્યું અને એમને જ લીધે કુંદનના પાર્ટનર અઝિઝ મિર્ઝાની ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ શાહરુખને મળી.
આમિર ખાને જીવનમાં અભિનયની બારખડી ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સ્વ. મહેન્દ્ર જોષી પાસે શીખેલી. મુંબઈની નરસી મોનજી કોલેજમાં ગુજરાતી એકાંકીઓ કર્યાં પછી જ આમિરમાં અભિનયનો કીડો સળવળ્યો અને એટલે જ આજે સારી ફિલ્મોનો સ્ટાર કે કલાકાર બની શક્યો. સલમાનની જિંદગીમાં ગુજરાતી લેખક-દિગ્દર્શક હની છાયા ના આવ્યા હોત તો એ બાંદ્રામાં કોઈ ડિસ્કોમાં બાઉન્સર કે બોડીગાર્ડ હોત. લેખક સલીમ ખાનના સહાયક અને ‘દાદા હો દીકરી’ જેવી અનેક ફિલ્મોના નિર્દેશક હની છાયાએ રાજશ્રી ફિલ્મઝની ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ અપાવી અને વર્ષો સુધી સલમાનની કેરિયરને એક વડીલની જેમ કંડારી. રાજેશ ખન્નાએ પહેલો સ્ક્રીન ટેસ્ટ જે ફિલ્મફેર સ્પર્ધામાં આપેલો એ સ્વ. પ્રબોધ જોષી નામના ગુજરાતી નાટ્ય લેખકે લખેલો. ભારતનાં પહેલાં સુપર સ્ટારથી માંડીને આજના ત્રણ સુપર સ્ટાર્સની સફળતામાં ગુજરાતી ભાષા - કલાકારોના ડીએનએ છે!
આજે પરેશ રાવલ, ગુજરાતી ભાષા રંગભૂમિમાંથી નીકળીને ફિલ્મોમાં રાજ કરતો એક એવો સ્ટાર-કલાકાર છે કે જેની તગતગતી કાતિલ આંખો સામે ૧૦૦ કરોડની હિટ આપનારાં ભલભલાં સુપર સ્ટારો પણ કલીન બોલ્ડ થઈ જાય છે. અને હા ગુજરાતી નાટકનાં મહાન અભિનેતા અરવિંદ જોષીનો દીકરો શર્મન જોષી ‘થ્રી ઈડિયટસ’ જેવી ફિલ્મો પછી એક સ્ટાર પણ છે અને એક સશક્ત અભિનેતા પણ.. પણ આપણે ‘આ બધામાં આપણા કેટલા ટકા?’ એવું વિચારતી સુખાળવી પ્રજા છીએ એટલે કોઈને કશી જ પડી નથી. ગયા સપ્તાહના લેખ પછી અનેક ફોન, ઈમેઈલ, એસ.એમ.એસ દ્વારા અમુક લોકોએ હરખ દેખાડ્યો, ખૂટતી માહિતીઓ આપી ત્યારે મને ગમ્યું કે હાશ બંધિયાર પાણીમાં સ્હેજ વમળ તો થયાં... પણ કેટલાંને ખબર છે કે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપાવનાર ફક્કડ ભેખધારી નેતા ઇંદુલાલ યાજ્ઞિક પણ ફિલ્મોથી સંકળાયેલા હતા? ‘અય મેરે વતન કે લોગો ઝરા આંખ મેં ભર લો પાની’ કે ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાએ ઝાંકી હિંદુસ્તાન કી’ જેવાં અમર ગીતો લખનાર કવિ પ્રદીપ પણ મૂળે ગુજરાતી છે?
તમને ખબર છે છેલ્લા બે દાયકામાં ગુજરાતી કલાકારોએ બોલીવુડમાં અશ્ર્વમેધ યજ્ઞ આદર્યો છે. ‘હેરાફેરી’ જેવી ફિલ્મોથી લેખક-નિર્દેષક નીરજ વોરાના સિક્કા પડે છે. નીરજના નાના ભાઈ ઉત્તંક વોરાએ ‘પહેલા નશા’માં ૧૯૯૩માં અદભુત સંગીત પણ આપેલું. છેલ્લાં પંદર વર્ષમાં સફળ લેખક મોડાસાના અનીસ બઝમી હવે, સફળ ડાયરેક્ટર બનીને ‘નો એંટ્રી’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘વેલકમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. કચ્છી માડુ વિપુલ અમૃતલાલ શાહે, ટીવીથી ફિલ્મો તરફ હરણફાળ ભરીને આંખે, વક્ત, નમસ્તે લંડન, લંડન ડ્રીમ્સ, એકશન રીપ્લે જેવી ફિલ્મોનું નિર્માણ કરીને નામ કમાવ્યું છે. એકાંકીઓથી શરૂ કરીને ‘ઢૂઢતે રહ જાઓગે’ અને હવે અક્ષય-પરેશની ‘ઓહ માય ગોડ’ સુધી પહોંચેલા નિર્દેશક ઉમેશ શુકલા પણ વધુ એક નામ છે. ભવની ભવાઈ - મિર્ચ મસાલા જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્દેશક કેતન મહેતા નખશિખ ગુજરાતી છે જે સત્યજિત રેના પ્રિય નિર્દેશક છે એ કોઈને ખબર છે? આપણા મનોજ જોશી, સતીષ શાહ, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, હોમી વાડિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, સંગીતકાર હિમેશ કે સચીન જીગર, લેખક અભિજાત જોષી, પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર કેટકેટલી ગુજરાતી હસ્તીઓનાં નામો ગણાવું? મારાથી અમુક નામો રહી પણ જશે પણ એક વાત કહેવા દો કે આપણા ગુજરાતી કલાકારો ભેગા મળીને જો અઠવાડિયા માટે હડતાળ કરે ૬૦ ટકા ટીવી સિરિયલો બંધ થઈ જાય અને ૫૦ ટકા ફિલ્મોનાં શૂટિંગો અટકી જાય! પણ... પણ... પણ.. પણ ગુજરાતી પ્રજાને આ બધા કલાકારો વિશે ખબર છે? ના આપણે ત્યાં જૂની રંગભૂમિ નવી રંગભૂમિ ના કલાકારો - ટેક્નિશિયનોની એક વ્યવસ્થિત કિતાબ નથી. મ્યુઝિયમ તો દૂરની વાત છે. ગુજ્જુ સમાજની જેમ ગુજરાત સરકારને પણ ક્યાં પરવા છે? મરાઠી ફિલ્મો માટે મહારાષ્ટ્ર સરકાર પૂરા ૪૦ લાખની સબ્સિડી આપે છે જ્યારે આપણી ગુજરાત સરકાર માત્ર પાંચ લાખ! પાંચ લાખમાં તો ટીવીનો એપિસોડ પણ નથી બનતો... આ છે વિકસિત ગુજરાત રાજ્યનો કલાપ્રેમ!
જરા વિચાર કરો... શું ભવ્ય ઈતિહાસ છે આપણો ‘મુઘલેઆઝમ’નું હીટ સોંગ ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયોરે’ ગુજરાતી જૂની રંગભૂમિનું સુપરહિટ ગીત હતું જે ફિલ્મમાં ઉઠાવી લેવાયું!! ‘સત્યમ શિવમ્-સુંદરમનું જાણીતું ગીત ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ એ સ્વ. નિનુ મઝુમદાર નામના ગુજરાતી ગીતકાર-સંગીતકારનું ઓરિજિનલ ગીત છે જે ૧૯૫૦માં એમણે એક ફિલ્મ માટે બનાવેલું! ભારતની સર્વપ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતીદેવી, જે મૂળ પારસી સન્નારી હતી એ ગુજરાતી પ્રજાનું ગૌરવ કહેવાય પણ આપણે આપણા બે-ચાર લોકલ સંગીતકારો કે ડાયરાના કલાકારોથી વિશેષ કશું જાણવા માંગતા જ નથી... ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વનરાજ ભાટિયા, સંગીતકાર અજિત મર્ચંટ, નેશનલ એવૉર્ડ જીતનાર સંગીતકાર રજત ધોળકિયા, ‘બુનિયાદ’ સિરિયલ ફેમ ઉદય મઝુમદાર, આજના કેમરામેન સ્વ. રાજન કોઠારી, પ્રવીણ ભટ્ટ, સુનીલ પટેલ હોય કે ફલી મિસ્ત્રી, જાલ મિસ્ત્રી જેવા રાજકપૂર - દેવાઆનંદના ત્યારના સ્ટાર કેમેરામેન હોય એ બધા ગુજરાતી હતા કે છે! અરે, ડાન્સ ડિરેક્ટર રેમો ફર્નાન્ડીઝ પણ જામનગરનો ગુજરાતી છોકરો છે! કદાચ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી જન્મેલી ધર્માંધતાને કારણે આપણે પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી નામોને ગુજરાતી નથી ગણતા! બોલીવુડ છોડો, હોલીવુડનો હીરો કાલપેન પણ ગુજ્જુ છે. એટનબરોની ‘ગાંધી’માં ગાંધી બનનાર બેન કિંગ્સલે ઉર્ફે કૃષ્ણ ભાણજીમાં ગુજરાતી લોહી વહે છે. શેખર કપૂર કે દીપા મહેતા પહેલાં હોલીવુડમાં નિર્દેશક તરીકે ભારતનું નામ કાઢનારા કૃષ્ણા શાહ પણ આ એક ગુજરાતી માણસ જ હતો! ‘શાલીમાર’ ફિલ્મ બનાવનાર કૃષ્ણા શાહ, ગુજરાતી રંગભૂમિની પૈદાઈશ છે જેણે હોલીવુડમાં જઈને ૬૦-૭૦’ના દાયકામાં ‘રાઈફલ્સ’ જેવી ફિલ્મો બનાવી.
સદાબહાર અભિનેત્રી આશા પારેખ, યાદગાર માતા ‘નિરૂપા રોય’ હોય, પ્રેમાળ શમ્મી આન્ટી ગુજરાતી નારીપાવર છે! ડિમ્પલ કાપાડિયા જેવી ગલેમર કવીન હોય કે ટીના મુનીમ જેવી ચુલબુલી અદાકાર હોય, સ્વરૂપવાન સ્વરૂપ સંપટ હોય કે આયેશા તાકિયા જેવી માદક અભિનેત્રી હોય કે બિંદુ જેવી સેક્સી કલાકાર હોય કે ઓલ-રાઉંડર અરૂણા ઈરાની હોય કે ‘પ્રતિઘાત’ ફેમ સુજાતા મહેતા હોય કે આજની પ્રાચી દેસાઈ જેવી નમણી છોકરી હોય કે વૈભવી મર્ચંટ જેવી નિર્દેશિકા હોય કે નેશનલ એવૉર્ડ વિનર કશ્ર્શ્યુમ ડિઝાઈનર લીના દરૂ હોય, બધી આપણી ગુજરાતની ધરતીની સ્ત્રીઓ છે જેણે બોલીવુડમાં સમ્માનભેર નામ કાઢયું છે. ૧૩૦ ફિલ્મનો કરનાર જેકી શ્રોફ જેવા હેન્ડસમ ગુજરાતી સ્ટારને પણ આપણે સાવ સેક્ધડહેડ ટ્રીટમેંટ આપી છે!
આપણી પ્રજાએ શેરબજારને અપનાવી છે પણ સવાશેર બનીને કળા-સંસ્કૃતિનું જતન કરતાં શીખ્યા નથી. જ્યાં સુધી ગુજરાતી પ્રજા એમના કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકોનું પણ જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈ કહેતાં "જો ઝુંબાં (ભાષા) રોટી કમા કે નહીં દે સકતી વો આખિરકાર મર જાતી હૈ તો હું કહીશ જે ભાષા રોટી સાથે મીઠાઈ પણ ખાઈ શકે એવી સમૃદ્ધ હોય પણ પોતાના કલાકારોને પ્રેમ ના કરી શકે એ મરી જશે. કમસેકમ ઈતિહાસમાં તો જરૂર મરી જશે! મહાજાતિ ગુજરાતીને ઊંઘમાંથી ઉઠાડીને મરતાં બચાવવાનો સમય આવી ગયો છે?
સૌથી મોટું ઉદાહરણ આપું? ૧૯૩૩માં પહેલી ગુજરાતી ફિલ્મ બનેલી અને છેક પંદર વરસે ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ, એ ૧૫ વર્ષમાં જો ૩૦-૪૦ ગુજરાતી ફિલ્મો બની શકી તો કોઈએ ગાંધીજીનો ગુજરાતીમાં એક ઈન્ટરવ્યુ ફિલ્મ પર શૂટ કેમ ના કર્યો? એક પણ નિર્માતા કે શેઠિયાને આ ન સૂઝ્યું? જો ગાંધીજીની આવી હાલત થાય તો ફિલ્મવાળાઓને કોણ પૂછે? છેક ૧૯૮૬માં સંજીવકુમાર ગુજરી ગયાં પણ આપણી પાસે અમદાવાદ-મુંબઈ દૂરદર્શનમાં કે ફિલ્મઝ ડિવિઝનમાં એમનો એક પણ ગુજરાતી ભાષામાં શૂટ થયેલ ઈન્ટરવ્યુ છે? કોમેડી હોય, ટ્રેજેડી હોય કે બાપના રોલ હોય સંજીવકુમારે સૌના બાપ બનીને પંજાબી-બંગાળીઓની ગ્રુપબાજી સામે માત્ર ટેલેન્ટનાં જોરે નામ કમાવેલું. અરે, જે સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિતાભને ૧૨-૧૫ લાખ રૂ. મળતાં ત્યારે એમણે યશ ચોપરાની ‘ત્રિશૂલ’માં બાપનો રોલ કરવાનાં ૨૦ લાખ રૂ. માંગેલા અને મેળવેલાં, કારણ? સંજીવકુમારનો અદભુત આત્મવિશ્ર્વાસ અને એક ગુજરાતી માણસની વિચક્ષણ વેપારી બુદ્ધિ! એમને ખબર હતી કે અમિતાભના બાપનો રોલ કરવા માટે બે જ અભિનેતા લાયક છે: દિલીપ કુમાર અને સંજીવ કુમાર પોતે. દિલીપ કુમાર તો બાપનો રોલ કરશે નહીં એટલે એમણે દાદાગીરીથી ૨૦ લાખ મેળવ્યાં.. આવા હરીભાઈ જરીવાલા ઉર્ફે સંજીવકુમાર જો કેરળ કે બંગાળમાં હોત તો એમનાં નામે નાટ્યગૃહ હોત, યુનિવર્સિટી હોત. જિદ્દી મલયાલી - બંગાળી લોબીએ લડી-ઝગડીને અનેક સાચાં ખોટાં ‘નેશનલ એવૉર્ડ’ અપાવ્યાં હોત. અફસોસ, સંજીવ કુમાર ઉર્ફ હરીભાઈ જરીવાલાને આપણે જર્જર ગુર્જર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ ના બનાવી શક્યા!
ગઈકાલને છોડો, આજે બોલીવુડમાં સૌથી મોટા ત્રણ નામ છે: શાહરુખ, આમિર, સલમાન આ ત્રણેયની પાછળ ગુજરાતનો ફાળો છે! શાહરુખે પહેલીવાર મુંબઈમાં શૂટિંગ કર્યું એ કુંદન શાહ નામના ગુજ્જુ દિગ્દર્શકના હાથ નીચે કર્યું અને એમને જ લીધે કુંદનના પાર્ટનર અઝિઝ મિર્ઝાની ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ શાહરુખને મળી.
આમિર ખાને જીવનમાં અભિનયની બારખડી ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સ્વ. મહેન્દ્ર જોષી પાસે શીખેલી. મુંબઈની નરસી મોનજી કોલેજમાં ગુજરાતી એકાંકીઓ કર્યાં પછી જ આમિરમાં અભિનયનો કીડો સળવળ્યો અને એટલે જ આજે સારી ફિલ્મોનો સ્ટાર કે કલાકાર બની શક્યો. સલમાનની જિંદગીમાં ગુજરાતી લેખક-દિગ્દર્શક હની છાયા ના આવ્યા હોત તો એ બાંદ્રામાં કોઈ ડિસ્કોમાં બાઉન્સર કે બોડીગાર્ડ હોત. લેખક સલીમ ખાનના સહાયક અને ‘દાદા હો દીકરી’ જેવી અનેક ફિલ્મોના નિર્દેશક હની છાયાએ રાજશ્રી ફિલ્મઝની ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ અપાવી અને વર્ષો સુધી સલમાનની કેરિયરને એક વડીલની જેમ કંડારી. રાજેશ ખન્નાએ પહેલો સ્ક્રીન ટેસ્ટ જે ફિલ્મફેર સ્પર્ધામાં આપેલો એ સ્વ. પ્રબોધ જોષી નામના ગુજરાતી નાટ્ય લેખકે લખેલો. ભારતનાં પહેલાં સુપર સ્ટારથી માંડીને આજના ત્રણ સુપર સ્ટાર્સની સફળતામાં ગુજરાતી ભાષા - કલાકારોના ડીએનએ છે!
આજે પરેશ રાવલ, ગુજરાતી ભાષા રંગભૂમિમાંથી નીકળીને ફિલ્મોમાં રાજ કરતો એક એવો સ્ટાર-કલાકાર છે કે જેની તગતગતી કાતિલ આંખો સામે ૧૦૦ કરોડની હિટ આપનારાં ભલભલાં સુપર સ્ટારો પણ કલીન બોલ્ડ થઈ જાય છે. અને હા ગુજરાતી નાટકનાં મહાન અભિનેતા અરવિંદ જોષીનો દીકરો શર્મન જોષી ‘થ્રી ઈડિયટસ’ જેવી ફિલ્મો પછી એક સ્ટાર પણ છે અને એક સશક્ત અભિનેતા પણ.. પણ આપણે ‘આ બધામાં આપણા કેટલા ટકા?’ એવું વિચારતી સુખાળવી પ્રજા છીએ એટલે કોઈને કશી જ પડી નથી. ગયા સપ્તાહના લેખ પછી અનેક ફોન, ઈમેઈલ, એસ.એમ.એસ દ્વારા અમુક લોકોએ હરખ દેખાડ્યો, ખૂટતી માહિતીઓ આપી ત્યારે મને ગમ્યું કે હાશ બંધિયાર પાણીમાં સ્હેજ વમળ તો થયાં... પણ કેટલાંને ખબર છે કે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપાવનાર ફક્કડ ભેખધારી નેતા ઇંદુલાલ યાજ્ઞિક પણ ફિલ્મોથી સંકળાયેલા હતા? ‘અય મેરે વતન કે લોગો ઝરા આંખ મેં ભર લો પાની’ કે ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાએ ઝાંકી હિંદુસ્તાન કી’ જેવાં અમર ગીતો લખનાર કવિ પ્રદીપ પણ મૂળે ગુજરાતી છે?
તમને ખબર છે છેલ્લા બે દાયકામાં ગુજરાતી કલાકારોએ બોલીવુડમાં અશ્ર્વમેધ યજ્ઞ આદર્યો છે. ‘હેરાફેરી’ જેવી ફિલ્મોથી લેખક-નિર્દેષક નીરજ વોરાના સિક્કા પડે છે. નીરજના નાના ભાઈ ઉત્તંક વોરાએ ‘પહેલા નશા’માં ૧૯૯૩માં અદભુત સંગીત પણ આપેલું. છેલ્લાં પંદર વર્ષમાં સફળ લેખક મોડાસાના અનીસ બઝમી હવે, સફળ ડાયરેક્ટર બનીને ‘નો એંટ્રી’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘વેલકમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. કચ્છી માડુ વિપુલ અમૃતલાલ શાહે, ટીવીથી ફિલ્મો તરફ હરણફાળ ભરીને આંખે, વક્ત, નમસ્તે લંડન, લંડન ડ્રીમ્સ, એકશન રીપ્લે જેવી ફિલ્મોનું નિર્માણ કરીને નામ કમાવ્યું છે. એકાંકીઓથી શરૂ કરીને ‘ઢૂઢતે રહ જાઓગે’ અને હવે અક્ષય-પરેશની ‘ઓહ માય ગોડ’ સુધી પહોંચેલા નિર્દેશક ઉમેશ શુકલા પણ વધુ એક નામ છે. ભવની ભવાઈ - મિર્ચ મસાલા જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્દેશક કેતન મહેતા નખશિખ ગુજરાતી છે જે સત્યજિત રેના પ્રિય નિર્દેશક છે એ કોઈને ખબર છે? આપણા મનોજ જોશી, સતીષ શાહ, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, હોમી વાડિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, સંગીતકાર હિમેશ કે સચીન જીગર, લેખક અભિજાત જોષી, પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર કેટકેટલી ગુજરાતી હસ્તીઓનાં નામો ગણાવું? મારાથી અમુક નામો રહી પણ જશે પણ એક વાત કહેવા દો કે આપણા ગુજરાતી કલાકારો ભેગા મળીને જો અઠવાડિયા માટે હડતાળ કરે ૬૦ ટકા ટીવી સિરિયલો બંધ થઈ જાય અને ૫૦ ટકા ફિલ્મોનાં શૂટિંગો અટકી જાય! પણ... પણ... પણ.. પણ ગુજરાતી પ્રજાને આ બધા કલાકારો વિશે ખબર છે? ના આપણે ત્યાં જૂની રંગભૂમિ નવી રંગભૂમિ ના કલાકારો - ટેક્નિશિયનોની એક વ્યવસ્થિત કિતાબ નથી. મ્યુઝિયમ તો દૂરની વાત છે. ગુજ્જુ સમાજની જેમ ગુજરાત સરકારને પણ ક્યાં પરવા છે? મરાઠી ફિલ્મો માટે મહારાષ્ટ્ર સરકાર પૂરા ૪૦ લાખની સબ્સિડી આપે છે જ્યારે આપણી ગુજરાત સરકાર માત્ર પાંચ લાખ! પાંચ લાખમાં તો ટીવીનો એપિસોડ પણ નથી બનતો... આ છે વિકસિત ગુજરાત રાજ્યનો કલાપ્રેમ!
જરા વિચાર કરો... શું ભવ્ય ઈતિહાસ છે આપણો ‘મુઘલેઆઝમ’નું હીટ સોંગ ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયોરે’ ગુજરાતી જૂની રંગભૂમિનું સુપરહિટ ગીત હતું જે ફિલ્મમાં ઉઠાવી લેવાયું!! ‘સત્યમ શિવમ્-સુંદરમનું જાણીતું ગીત ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ એ સ્વ. નિનુ મઝુમદાર નામના ગુજરાતી ગીતકાર-સંગીતકારનું ઓરિજિનલ ગીત છે જે ૧૯૫૦માં એમણે એક ફિલ્મ માટે બનાવેલું! ભારતની સર્વપ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતીદેવી, જે મૂળ પારસી સન્નારી હતી એ ગુજરાતી પ્રજાનું ગૌરવ કહેવાય પણ આપણે આપણા બે-ચાર લોકલ સંગીતકારો કે ડાયરાના કલાકારોથી વિશેષ કશું જાણવા માંગતા જ નથી... ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વનરાજ ભાટિયા, સંગીતકાર અજિત મર્ચંટ, નેશનલ એવૉર્ડ જીતનાર સંગીતકાર રજત ધોળકિયા, ‘બુનિયાદ’ સિરિયલ ફેમ ઉદય મઝુમદાર, આજના કેમરામેન સ્વ. રાજન કોઠારી, પ્રવીણ ભટ્ટ, સુનીલ પટેલ હોય કે ફલી મિસ્ત્રી, જાલ મિસ્ત્રી જેવા રાજકપૂર - દેવાઆનંદના ત્યારના સ્ટાર કેમેરામેન હોય એ બધા ગુજરાતી હતા કે છે! અરે, ડાન્સ ડિરેક્ટર રેમો ફર્નાન્ડીઝ પણ જામનગરનો ગુજરાતી છોકરો છે! કદાચ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી જન્મેલી ધર્માંધતાને કારણે આપણે પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી નામોને ગુજરાતી નથી ગણતા! બોલીવુડ છોડો, હોલીવુડનો હીરો કાલપેન પણ ગુજ્જુ છે. એટનબરોની ‘ગાંધી’માં ગાંધી બનનાર બેન કિંગ્સલે ઉર્ફે કૃષ્ણ ભાણજીમાં ગુજરાતી લોહી વહે છે. શેખર કપૂર કે દીપા મહેતા પહેલાં હોલીવુડમાં નિર્દેશક તરીકે ભારતનું નામ કાઢનારા કૃષ્ણા શાહ પણ આ એક ગુજરાતી માણસ જ હતો! ‘શાલીમાર’ ફિલ્મ બનાવનાર કૃષ્ણા શાહ, ગુજરાતી રંગભૂમિની પૈદાઈશ છે જેણે હોલીવુડમાં જઈને ૬૦-૭૦’ના દાયકામાં ‘રાઈફલ્સ’ જેવી ફિલ્મો બનાવી.
સદાબહાર અભિનેત્રી આશા પારેખ, યાદગાર માતા ‘નિરૂપા રોય’ હોય, પ્રેમાળ શમ્મી આન્ટી ગુજરાતી નારીપાવર છે! ડિમ્પલ કાપાડિયા જેવી ગલેમર કવીન હોય કે ટીના મુનીમ જેવી ચુલબુલી અદાકાર હોય, સ્વરૂપવાન સ્વરૂપ સંપટ હોય કે આયેશા તાકિયા જેવી માદક અભિનેત્રી હોય કે બિંદુ જેવી સેક્સી કલાકાર હોય કે ઓલ-રાઉંડર અરૂણા ઈરાની હોય કે ‘પ્રતિઘાત’ ફેમ સુજાતા મહેતા હોય કે આજની પ્રાચી દેસાઈ જેવી નમણી છોકરી હોય કે વૈભવી મર્ચંટ જેવી નિર્દેશિકા હોય કે નેશનલ એવૉર્ડ વિનર કશ્ર્શ્યુમ ડિઝાઈનર લીના દરૂ હોય, બધી આપણી ગુજરાતની ધરતીની સ્ત્રીઓ છે જેણે બોલીવુડમાં સમ્માનભેર નામ કાઢયું છે. ૧૩૦ ફિલ્મનો કરનાર જેકી શ્રોફ જેવા હેન્ડસમ ગુજરાતી સ્ટારને પણ આપણે સાવ સેક્ધડહેડ ટ્રીટમેંટ આપી છે!
આપણી પ્રજાએ શેરબજારને અપનાવી છે પણ સવાશેર બનીને કળા-સંસ્કૃતિનું જતન કરતાં શીખ્યા નથી. જ્યાં સુધી ગુજરાતી પ્રજા એમના કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકોનું પણ જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈ કહેતાં "જો ઝુંબાં (ભાષા) રોટી કમા કે નહીં દે સકતી વો આખિરકાર મર જાતી હૈ તો હું કહીશ જે ભાષા રોટી સાથે મીઠાઈ પણ ખાઈ શકે એવી સમૃદ્ધ હોય પણ પોતાના કલાકારોને પ્રેમ ના કરી શકે એ મરી જશે. કમસેકમ ઈતિહાસમાં તો જરૂર મરી જશે! મહાજાતિ ગુજરાતીને ઊંઘમાંથી ઉઠાડીને મરતાં બચાવવાનો સમય આવી ગયો છે?
No comments:
Post a Comment