http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89522
માનવીની પોતાની દુનિયાથી માંડીને છેક બ્રહ્માંડ સુધી વાતાવરણનો વિસ્તાર છે
પૃથ્વીને વાતાવરણ છે, વાયુમંડળ છે. આપણે પૃથ્વીના વાયુમંડળમાં જીવી રહ્યાં છીએ. સૂર્યમાળામાં સૂર્ય છે અને બીજા ગ્રહો છે, ગ્રહોના ઉપગ્રહો છે, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને લઘુગ્રહો છે. આ બધા પણ પૃથ્વી ફરતેનું વાતાવરણ બનાવે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના વાતાવરણમાં છે. સૂર્યમાંથી ધસમસતા નીકળતા વાયુઓ ચોમેર સૂર્યમાળામાં પથરાય છે અને સૂર્યમાળામાં વાતાવરણ કે વાયુમંડળ સર્જે છે. સૂર્યમાંથી શક્તિશાળી વિદ્યુતભારવાળા અને વિદ્યુતભારવિહીન પદાર્થકણોનાં ધોધ છૂટે છે. આ કણોના વરસાદમાં પૂરું સૂર્યમંડળ નહાય છે. પૃથ્વી ફરતે ચૂંબકીય અને વિદ્યુતક્ષેત્રો છે. પૃથ્વી તેમાં વીંટળાયેલી છે, તે પૃથ્વી પરના જીવનનું રક્ષણ પણ કરે છે. પૃથ્વી ફરતે ચૂંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રના આ ફુગ્ગા સૂર્યની સક્રિયતા અથવા નિષ્ક્રિયતા પર મોટા નાના થયા કરે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છે.
પૂરા સૂર્યમંડળને આકાશગંગા મંદાકિનીનું વાતાવરણ છે. મંદાકિનીમાં ચૂંબકીયક્ષેત્ર છે, વિદ્યુતક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. બધા જ તારા મંદાકિનીના વાતાવરણમાં છે. મંદાકિનીઓ બ્રહ્માંડના વાતાવરણમાં છે. બીજી મંદાકિનીઓના વાતાવરણમાં છે, તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં છે. આમ બધાને જ અને બધે જ વાતાવરણ છે. પોતાની આસપાસના વાતાવરણની અસર તળે દરેક વસ્તુનો ઉદ્ભવ થાય છે અને વિકાસ થાય છે.
બ્રહ્માંડમાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં વાતાવરણ ન હોય. પૂરા બ્રહ્માંડમાં વાતાવરણની માયા પથરાયેલી છે. છેવટે બધું પરબ્રહ્મમના વાતાવરણમાં છે.
વાતાવરણના સંસર્ગમાં, પાર્શ્ર્વભૂમિમાં વસ્તુનો વિકાસ થાય છે. જીવંત વસ્તુના જીવનમાં વાતાવરણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કોઈ ગ્રહનું વાતાવરણ એવું પણ હોઈ શકે જ્યાં માનવી પૃથ્વી પરના વૃક્ષોની જેમ કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરી ઑક્સિજન બહાર કાઢે. ત્યાં વૃક્ષો ઑક્સિજન ગ્રહણ કરી કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે.
પૃથ્વી સૂર્યથી એટલે અંતરે છે જ્યાં આપણા જેવું વાતાવરણ અને આપણા જેવા માનવીઓ છે. કોઈ ગ્રહ પર વાતાવરણ એવું પણ હોય જ્યાં માનવી કાળો હોય, દૃશ્ય પ્રકાશ જોઈ ન શકે પણ અલ્ટ્રાવાયોલેટ કે ઈન્ફ્રારેડ પ્રકાશમાં જોઈ શકે. તેની આંખો બીજી જ પ્રકારની હોય, તેને મોટા મોટા બબે ફૂટના કાન હોય, એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીઓ વીસ કે ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતા હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં પુખ્યવયનો માનવી માત્ર એક ફૂટ જ ઊંચો હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીને ઘેટા-બકરાં જેવા વાળ હોય અને તે ધોળો હોય. આ બધું વાતાવરણ પર આધાર રાખે છે. માનવી ગરમ વાતાવરણમાં પણ રહી શકે, ઠંડા વાતાવરણમાં પણ રહી શકે. બેકટેરીયા ગરમ પાણીમાં પણ રહી શકે છે અને પૃથ્વીના પેટાળમાં ૨૦ કિલોમીટર નીચે પણ બેકટેરીયાની કોલોની મળી આવે છે.
માછલી પાણીમાં રહે છે. માનવી વાયુરૂપી સમુદ્રમાં રહે છે. આ બધું વાતાવરણને આભારી છે. કહેવત છે કે ‘મેન ઈઝ નોન બાય ધી કંપની હી કીપ્સ’ એ જ રીતે વાતાવરણ જ માનવીને ઘડે છે. જેવું વાતાવરણ એવો માનવી. વાતાવરણ જો સંસ્કારી હોય તો માનવી સંસ્કારી બને છે, વાતાવરણ અસંસ્કારી હોય તો માનવી પણ અસંસ્કારી બને છે.
ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા માનવીના સંસ્કાર એવા જ હોય છે. કોઈક અપવાદમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલો માનવી પણ મહાન બને છે અને સંસ્કારી કુટુંબમાં પણ દુરાચારી માનવી જન્મે છે. પણ એકંદરે વાતાવરણની માનવી પર અસર થાય છે. જે યુગમાં મહાન માનવી જન્મે છે, તે યુગમાં બીજા માનવીઓ પણ મહાન બને છે. માટે સમાજને સંસ્કારી બનાવી રાખીએ તો જ આપણે સંસ્કારી માનવીઓની આશા રાખી શકીએ.
ઘરના વાતાવરણ પર બાળકના વિકાસનો ઘણો આધાર છે. માટે ઘરનું વાતાવરણ સંસ્કારી બનાવી રાખવું. વૈજ્ઞાનિક વાતાવરણ હોય તો જ વિજ્ઞાનીઓ પેદા થાય. વેપારી વાતાવરણ હોય તો વેપારી પેદા થાય. રાજકારણ જાણે વેપાર બની ગયો છે, ધંધો બની ગયો છે. રાજકારણી પોતાના દીકરા-દીકરીને રાજકારણમાં લઈ આવે છે. પણ તેમાંના ભાગ્યે જ સફળતાને વરે છે, સજ્જન રાજકારણી બને છે. બાકીના બધા હલકી કોટીના હોય છે.
જેમ ઘરનું વાતાવરણ હોય તેમ શેરીનું, ગામનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું વાતાવરણ હોય છે. જ્ઞાતિનું વાતાવરણ હોય છે. બહુ રસપ્રદ વાત છે કે દરેકે દરેક માનવીના મગજમાં પોતાનું વાતાવરણ હોય છે. તેને બીજી વ્યક્તિ જાણી શકતી નથી. આ વાતાવરણ જ માનવીને મહાન કે નઠારો બનાવવાની તાકાત ધરાવે છે. આ જ તેની દુનિયા હોય છે. આમ દુનિયામાં દુનિયા અને તેમાં દુનિયા હોય છે. છેવટમાં માનવીની પોતાની દુનિયા હોય છે. આ દુનિયા કેવી નંદનવન હોય છે તેના પર માનવીની મહાનતાનો આધાર છે. વાતાવરણ જ દુનિયા બનાવે છે. અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રસંગે આપણને અલગ અલગ દુનિયાના દર્શન થાય છે. વાતાવરણનો વિસ્તાર માનવીની પોતાની દુનિયાથી માંડી છેક બ્રહ્માંડ સુધી છે. જેમ બ્રહ્માંડમાંથી છટકી શકાય તેમ નથી તેમ વાતાવરણમાંથી પણ છટકી શકાય તેમ નથી. કોઈને કોઈ પ્રકારે તમે વાતાવરણની ચૂડમાં તો છો જ.
માનવીની પોતાની દુનિયાથી માંડીને છેક બ્રહ્માંડ સુધી વાતાવરણનો વિસ્તાર છે
પૃથ્વીને વાતાવરણ છે, વાયુમંડળ છે. આપણે પૃથ્વીના વાયુમંડળમાં જીવી રહ્યાં છીએ. સૂર્યમાળામાં સૂર્ય છે અને બીજા ગ્રહો છે, ગ્રહોના ઉપગ્રહો છે, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને લઘુગ્રહો છે. આ બધા પણ પૃથ્વી ફરતેનું વાતાવરણ બનાવે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના વાતાવરણમાં છે. સૂર્યમાંથી ધસમસતા નીકળતા વાયુઓ ચોમેર સૂર્યમાળામાં પથરાય છે અને સૂર્યમાળામાં વાતાવરણ કે વાયુમંડળ સર્જે છે. સૂર્યમાંથી શક્તિશાળી વિદ્યુતભારવાળા અને વિદ્યુતભારવિહીન પદાર્થકણોનાં ધોધ છૂટે છે. આ કણોના વરસાદમાં પૂરું સૂર્યમંડળ નહાય છે. પૃથ્વી ફરતે ચૂંબકીય અને વિદ્યુતક્ષેત્રો છે. પૃથ્વી તેમાં વીંટળાયેલી છે, તે પૃથ્વી પરના જીવનનું રક્ષણ પણ કરે છે. પૃથ્વી ફરતે ચૂંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રના આ ફુગ્ગા સૂર્યની સક્રિયતા અથવા નિષ્ક્રિયતા પર મોટા નાના થયા કરે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છે.
પૂરા સૂર્યમંડળને આકાશગંગા મંદાકિનીનું વાતાવરણ છે. મંદાકિનીમાં ચૂંબકીયક્ષેત્ર છે, વિદ્યુતક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. બધા જ તારા મંદાકિનીના વાતાવરણમાં છે. મંદાકિનીઓ બ્રહ્માંડના વાતાવરણમાં છે. બીજી મંદાકિનીઓના વાતાવરણમાં છે, તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં છે. આમ બધાને જ અને બધે જ વાતાવરણ છે. પોતાની આસપાસના વાતાવરણની અસર તળે દરેક વસ્તુનો ઉદ્ભવ થાય છે અને વિકાસ થાય છે.
બ્રહ્માંડમાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં વાતાવરણ ન હોય. પૂરા બ્રહ્માંડમાં વાતાવરણની માયા પથરાયેલી છે. છેવટે બધું પરબ્રહ્મમના વાતાવરણમાં છે.
વાતાવરણના સંસર્ગમાં, પાર્શ્ર્વભૂમિમાં વસ્તુનો વિકાસ થાય છે. જીવંત વસ્તુના જીવનમાં વાતાવરણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કોઈ ગ્રહનું વાતાવરણ એવું પણ હોઈ શકે જ્યાં માનવી પૃથ્વી પરના વૃક્ષોની જેમ કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરી ઑક્સિજન બહાર કાઢે. ત્યાં વૃક્ષો ઑક્સિજન ગ્રહણ કરી કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે.
પૃથ્વી સૂર્યથી એટલે અંતરે છે જ્યાં આપણા જેવું વાતાવરણ અને આપણા જેવા માનવીઓ છે. કોઈ ગ્રહ પર વાતાવરણ એવું પણ હોય જ્યાં માનવી કાળો હોય, દૃશ્ય પ્રકાશ જોઈ ન શકે પણ અલ્ટ્રાવાયોલેટ કે ઈન્ફ્રારેડ પ્રકાશમાં જોઈ શકે. તેની આંખો બીજી જ પ્રકારની હોય, તેને મોટા મોટા બબે ફૂટના કાન હોય, એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીઓ વીસ કે ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતા હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં પુખ્યવયનો માનવી માત્ર એક ફૂટ જ ઊંચો હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીને ઘેટા-બકરાં જેવા વાળ હોય અને તે ધોળો હોય. આ બધું વાતાવરણ પર આધાર રાખે છે. માનવી ગરમ વાતાવરણમાં પણ રહી શકે, ઠંડા વાતાવરણમાં પણ રહી શકે. બેકટેરીયા ગરમ પાણીમાં પણ રહી શકે છે અને પૃથ્વીના પેટાળમાં ૨૦ કિલોમીટર નીચે પણ બેકટેરીયાની કોલોની મળી આવે છે.
માછલી પાણીમાં રહે છે. માનવી વાયુરૂપી સમુદ્રમાં રહે છે. આ બધું વાતાવરણને આભારી છે. કહેવત છે કે ‘મેન ઈઝ નોન બાય ધી કંપની હી કીપ્સ’ એ જ રીતે વાતાવરણ જ માનવીને ઘડે છે. જેવું વાતાવરણ એવો માનવી. વાતાવરણ જો સંસ્કારી હોય તો માનવી સંસ્કારી બને છે, વાતાવરણ અસંસ્કારી હોય તો માનવી પણ અસંસ્કારી બને છે.
ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા માનવીના સંસ્કાર એવા જ હોય છે. કોઈક અપવાદમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલો માનવી પણ મહાન બને છે અને સંસ્કારી કુટુંબમાં પણ દુરાચારી માનવી જન્મે છે. પણ એકંદરે વાતાવરણની માનવી પર અસર થાય છે. જે યુગમાં મહાન માનવી જન્મે છે, તે યુગમાં બીજા માનવીઓ પણ મહાન બને છે. માટે સમાજને સંસ્કારી બનાવી રાખીએ તો જ આપણે સંસ્કારી માનવીઓની આશા રાખી શકીએ.
ઘરના વાતાવરણ પર બાળકના વિકાસનો ઘણો આધાર છે. માટે ઘરનું વાતાવરણ સંસ્કારી બનાવી રાખવું. વૈજ્ઞાનિક વાતાવરણ હોય તો જ વિજ્ઞાનીઓ પેદા થાય. વેપારી વાતાવરણ હોય તો વેપારી પેદા થાય. રાજકારણ જાણે વેપાર બની ગયો છે, ધંધો બની ગયો છે. રાજકારણી પોતાના દીકરા-દીકરીને રાજકારણમાં લઈ આવે છે. પણ તેમાંના ભાગ્યે જ સફળતાને વરે છે, સજ્જન રાજકારણી બને છે. બાકીના બધા હલકી કોટીના હોય છે.
જેમ ઘરનું વાતાવરણ હોય તેમ શેરીનું, ગામનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું વાતાવરણ હોય છે. જ્ઞાતિનું વાતાવરણ હોય છે. બહુ રસપ્રદ વાત છે કે દરેકે દરેક માનવીના મગજમાં પોતાનું વાતાવરણ હોય છે. તેને બીજી વ્યક્તિ જાણી શકતી નથી. આ વાતાવરણ જ માનવીને મહાન કે નઠારો બનાવવાની તાકાત ધરાવે છે. આ જ તેની દુનિયા હોય છે. આમ દુનિયામાં દુનિયા અને તેમાં દુનિયા હોય છે. છેવટમાં માનવીની પોતાની દુનિયા હોય છે. આ દુનિયા કેવી નંદનવન હોય છે તેના પર માનવીની મહાનતાનો આધાર છે. વાતાવરણ જ દુનિયા બનાવે છે. અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રસંગે આપણને અલગ અલગ દુનિયાના દર્શન થાય છે. વાતાવરણનો વિસ્તાર માનવીની પોતાની દુનિયાથી માંડી છેક બ્રહ્માંડ સુધી છે. જેમ બ્રહ્માંડમાંથી છટકી શકાય તેમ નથી તેમ વાતાવરણમાંથી પણ છટકી શકાય તેમ નથી. કોઈને કોઈ પ્રકારે તમે વાતાવરણની ચૂડમાં તો છો જ.
No comments:
Post a Comment