http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=154571

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
વીસમી સદીમાં વૈશ્ર્વિક (બ્રહ્માંડીય) કિરણોની શોધ થઈ. તેને અંગ્રેજીમાં ઈજ્ઞતળશભ-ફિુત કહે છે. પૂરું સૂર્યમંડળ આ વૈશ્ર્વિક કિરણોમાં રાત-દિવસ સ્નાન કરે છે. તે સૂર્યમાંથી તો આવે જ છે પણ દૂર દૂરની મંદાકિનીઓ, ક્વેઝાર વગેરે આકાશીપિંડોમાંથી પણ આવે છે. આ વૈશ્ર્વિક કિરણો પૃથ્વી પર બધી જ દિશાઓમાંથી આવે છે. તે હકીકતમાં ક્યાંથી આવે છે તે હજુ વિજ્ઞાનીઓને ખબર પડતી નથી. તેમાં ધન વિદ્યુતભારવાળા, ઋણ વિદ્યુતભારવાળા અનેક પદાર્થકણો છે. સાથે સાથે ભારવિહીન પદાર્થકણો અને પ્રકાશ પણ હોય છે, તે ધસમસતા આવે છે.
આઈન્સ્ટાઈનની થીઅરી કહે છે કે કોઈપણ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેની સાથેની ઘડિયાળ ધીમી ચાલે છે. ઈજ્ઞતળશભ-ફિુત માં રહેલા કિરણોએ આઈન્સ્ટાઈનની આ થીયરીને સાબિત કરી છે. પૂરા બ્રહ્માંડમાં માઈક્રોવેવનું પણ સામ્રાજ્ય છે. તેને ‘૩.૨ ડિગ્રી કૅલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિએશન’ કહે છે. તે બ્રહ્માંડની પ્રાર્શ્ર્વભૂમિ છે અને તેમનું અસ્તિત્વ બીગબેંગ થીયરીને ટેકો આપે છે. આમ બ્રહ્માંડમાં વૈશ્ર્વિક કિરણો છે અને ૩.૨ ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ પણ છે.
બ્રહ્માંડમાં પ્રકાશનાં કિરણો તો છે જ પણ સાથે સાથે ચોથા પ્રકારના ગુરુત્વીય તરંગો (ૠફિદશફિંશિંજ્ઞક્ષફહ ઠફદયત) પણ છે. જોકે આ બધા ઊર્જાનાં જ સ્વરૂપો છે. ગુરુત્વાકર્ષણ તરંગોનું અસ્તિત્વ શંકાની પર છે પણ તેમને હજુ વિજ્ઞાનીઓ હકીકતમાં શોધી શક્યા નથી. તેની પાછળનું કારણ ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરતાં સ્ત્રોતો એટલા બધા દૂર છે કે ગુરુવાત્કર્ષણ તરંગો અને તેના સ્ત્રોતોને પકડવા અઘરા પડે છે. ગુરુત્વાકર્ષણ તરંગો હજુ પકડાયા નથી. તેની પાછળનું બીજું કારણ એ છે કે તે ખૂબ જ નબળા તરંગો છે. પણ હવે લીગો ડિટેકટર તેને શોધશે તેમ જણાય છે. આ માટે અમેરિકામાં બે પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. આ પ્રયોગ સાથે ભારત જોડાયેલું છે. બહુ જ થોડા સમયમાં ગુરુત્વાકર્ષણ તરંગો પકડવા ભારતમાં પણ પ્રયોગશાળા સ્થપાનાર છે. ભારતમાં આ માટે વિશાળ વૅક્યુમ ચેમ્બર સ્થપાશે. આ પ્રયોગશાળા સાબિત કરશે કે ક્યા આકાશીપિંડમાંથી અને કઈ દિશામાંથી ગુરુત્વાકર્ષણ તરંગો આવે છે. ખગોળ વિજ્ઞાનની આ શાખાને ‘ગ્રેવીટેશનલવેવ ઍસ્ટ્રોનોમી’ કહેવામાં આવે છે એટલે કે ગુરુત્વાકર્ષણ તરંગ ખગોળ વિજ્ઞાન. આ તરંગો પકડવા એ ખગોળ વિજ્ઞાનીઓ માટે પડકાર છે અને આ પડકાર ઝીલવા ખગોળ વિજ્ઞાનીઓએ કમર કસી છે. તેમાં ભારત પણ જોડાયેલું છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે.
ગુરુત્વાકર્ષણ તરંગો આઈન્સ્ટાઈનની થિયરીની ઊપજ છે. આઈન્સ્ટાઈને પોતે આ તરંગોના અસ્તિત્વની થિયરી આપી હતી. તે બે ન્યૂટ્રોન સ્ટાર વચ્ચેની ગતિવિધિ, બ્લેક હૉલ્સ, બે ગેલેકસી વચ્ચેનો ટકરાવ, વિસ્ફોટો પામતા મોટા તારા અને બ્રહ્માંડ જન્મ્યું વગેરે ક્રિયામાં ઉત્પન્ન થયા છે અને થાય છે. આ બધા સ્ત્રોતો પૃથ્વીથી એટલા બધા દૂર છે (હજારો અબજ કિલોમીટર) કે આ તરંગો પૃથ્વી પર આવતા ખૂબ જ નબળા પડી જાય છે. તેમને પકડવામાં આ મુસીબત છે. લીગો (કશલજ્ઞ) એ ‘લેઝર ઈન્ટરફેરોમેટ્રિક ગ્રેવીટેશનલવૅવ ઑબ્ઝર્વેટરી’ નું ટૂંકું રૂપ છે. હજુ સુધી આ ડિટેકટરે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડ્યા નથી પણ હવે વધારે સંવેદનશીલ ડિટેક્ટર બનાવવામાં આવે છે જે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડી શકશે એમ વિજ્ઞાનીઓ માને છે. આ પ્રયોગના સહભાગીઓમાં કેલિફોર્નિયા ઈન્સ્ટિીટયૂટ ઑફ ટેક્નોલોજી, મેસેચ્યૂસેટસ ઈન્સ્ટિીટયૂટ ઓફ ટેક્નોલોજી અને ભારત છે. જો આપણે આ તરંગો ક્યાંથી આવે છે તે જાણી શકીએ તો તે મોટી શોધ હશે. કદાચ એમ પણ બને કે તેના સ્ત્રોત હજુ સુધી ન જાણીતા આકાશીપિંડો પણ હોય. જો એ જાણી શકાય તો પછી તેનો અલગ અલગ પ્રકાશમાં અભ્યાસ થઈ શકે.
જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે તેમ ગુરુત્વાકર્ષણ તરંગો અંતરિક્ષમાં ઉત્પન્ન થતાં તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. આઈન્સ્ટાઈન પછી આ ક્ષેત્રે સૌપ્રથમ બ્રિટિશ ખગોળ વિજ્ઞાની હરમન બૉન્ડી અને તેના સહકાર્યકરોએ પદ્ધતિસર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું અને દર્શાવ્યું કે ગુરુત્વાકર્ષણ તરંગો સંદર્ભ ચોકઠાને લીધે ઉત્પન્ન થતાં નથી પણ તે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટનની થીઅરી પ્રમાણે ગુરુત્વાકર્ષણ તરંગો પ્રકાશના તરંગો જેવા જ છે અને પ્રકાશની ગતિએ ચાલે છે. તેમ છતાં તે અંતરિક્ષ તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. તેના બે કમ્પોનન્ટ (બ્રાંચ) છે. તે બંને તેની ગતિની દિશાને લંબ છે. પ્રકાશ વિદ્યુત-ચુંબકીય તરંગ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે તરંગોની દિશાને એકબીજાને લંબ રહીને આંદોલન કરે છે. કોઈપણ ઊર્જા કે પદાર્થ જ્યારે પ્રવેગી બને ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરે છે.
એવા પણ તારા છે, જેમાં ગુરુત્વીય પતન થયું છે. આવા તારા યુગલમાં પણ છે. આવા યુગ્મતારા એકબીજાની ફરતે ફરે છે. આ કારણે તેઓ ગુરુત્વીય તરંગો છોડે છે. આવા ન્યૂટ્રોન તારાનું યુગલ ખગોળ વિજ્ઞાનીઓને મળ્યું છે, જેમાંથી ગુરુત્વીય તરંગો બહાર પડે છે.
જ્યારે પદાર્થમાં જબ્બર ગુરુત્વાકર્ષણ શક્તિ હોય અને તે જ્યારે પ્રવેગી (અભભયહયફિયિંહ) બને ત્યારે તેમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. જ્યારે મોટા તારાનો મહાવિસ્ફોટ થાય છે ત્યારે એકાએક ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. યુગ્મતારામાં જો બંને ખૂબ જ વજનદાર તારા હોય, ન્યૂટ્રોન તારા કે બ્લેકહૉલ હોય તો ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. આ તરંગો સતત બહાર પડે છે અને તેનો પ્રવાહ એકસરખો જ હોય છે.
ગુરુત્વાકર્ષણ તરંગોની તરંગ લંબાઈ વધારે હોવાથી તેને પકડવા પડકારરૂપ હોય છે. જે સ્ત્રોતમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડતા હોય ત્યાંથી પ્રકાશને બહાર પડવું અઘરું પડે છે. માટે આવા સ્ત્રોત માત્ર ગુરુત્વાકર્ષણ તરંગો છોડતાં જ માલૂમ પડે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પ્રવેગી બને છે ત્યારે પ્રકાશ બહાર પડે છે. જબ્બર પદાર્થ પ્રવેગી બને છે ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. ખૂબ જ વજનદાર આકાશીપિંડની અંદર શું ચાલી રહ્યું છે અને તેમાંથી શું બહાર નીકળે છે તે તપાસવા ગુરુત્વાકર્ષણના તરંગો એક સાધન છે.
દુનિયામાં ગુરુત્વાકર્ષણ તરંગોને પકડવા પ્રથમ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે જોેસેફ વેબર હતા. આ કાર્યમાં જોકે તેઓ સફળ ન થયા પણ આ દિશામાં વિજ્ઞાનીઓને તેમણે કાર્ય કરતા કરી દીધા. હાલમાં જે ગુરુત્વાકર્ષણ તરંગ શોધક યંત્ર છે તે ઘણું જ ગૂંચવણ ભરેલું છે, પણ તે ગુરુત્વાકર્ષણ તરંગોને શોધવા સક્ષમ છે. ગુરુત્વાકર્ષણ તરંગો જ્યાંથી આવે છે તે સ્ત્રોતોને ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બતાવશે. પછી ખગોળ વિજ્ઞાનીઓ મોટા મોટા અને વિવિધ પ્રકાશમાં કાર્યરત દૂરબીનોથી તેમને જોશે. ગુરુત્વાકર્ષણ તરંગોનું ક્ષેત્ર એક ઊગતું ખગોળ વિજ્ઞાનનું ક્ષેત્ર છે અને તે ખગોળ વિજ્ઞાનમાં નવાં દ્વારો ખોલી શકશે.
પૂરું બ્રહ્માંડ વિવિધ પ્રકારના તરંગોથી ભરપૂર છે. તેમાં વિવિધ પ્રકાશના તરંગો, વૈશ્ર્વિક કિરણો અને ગુરુત્વાકર્ષણ તરંગો છે. બ્રહ્માંડ આ બધા તરંગોનો ગોળો છે. બબલ (પરપોટો) છે. આ બધી છેવટે ઊર્જા છે. ચેતના છે. બ્રહ્માંડના બ્રહ્મની માયા અગાધ છે. નેતિ નેતિ બોલવું પડે. ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બ્રહ્માંડની ગૂઢ રચના દેખાડશે, જે હજુ સુધી આપણે જોઈ શક્યા નથી. તે ક્વૉન્ટમ ગ્રેવીટી પર પણ પ્રકાશ પાડશે. જ્ઞાનનું આ એક ગુરુશિખર હશે.
હલ્સ અને ટેઈલર નામના બે ખગોળ વિજ્ઞાનીઓએ ન્યૂટ્રોન તારાની યુગ્મ સિસ્ટમ શોધી, જે ગુરુત્વાકર્ષણ તરંગોને છોડે છે. આ શોધે ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની શાખાને વેગ આપ્યો. આ શોધ બદલ આ બંને ખગોળવિદ્ોને ૧૯૯૩માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું. આ ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની અગત્ય છે.
આઈન્સ્ટાઈનની થીઅરી કહે છે કે કોઈપણ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેની સાથેની ઘડિયાળ ધીમી ચાલે છે. ઈજ્ઞતળશભ-ફિુત માં રહેલા કિરણોએ આઈન્સ્ટાઈનની આ થીયરીને સાબિત કરી છે. પૂરા બ્રહ્માંડમાં માઈક્રોવેવનું પણ સામ્રાજ્ય છે. તેને ‘૩.૨ ડિગ્રી કૅલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિએશન’ કહે છે. તે બ્રહ્માંડની પ્રાર્શ્ર્વભૂમિ છે અને તેમનું અસ્તિત્વ બીગબેંગ થીયરીને ટેકો આપે છે. આમ બ્રહ્માંડમાં વૈશ્ર્વિક કિરણો છે અને ૩.૨ ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ પણ છે.
બ્રહ્માંડમાં પ્રકાશનાં કિરણો તો છે જ પણ સાથે સાથે ચોથા પ્રકારના ગુરુત્વીય તરંગો (ૠફિદશફિંશિંજ્ઞક્ષફહ ઠફદયત) પણ છે. જોકે આ બધા ઊર્જાનાં જ સ્વરૂપો છે. ગુરુત્વાકર્ષણ તરંગોનું અસ્તિત્વ શંકાની પર છે પણ તેમને હજુ વિજ્ઞાનીઓ હકીકતમાં શોધી શક્યા નથી. તેની પાછળનું કારણ ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરતાં સ્ત્રોતો એટલા બધા દૂર છે કે ગુરુવાત્કર્ષણ તરંગો અને તેના સ્ત્રોતોને પકડવા અઘરા પડે છે. ગુરુત્વાકર્ષણ તરંગો હજુ પકડાયા નથી. તેની પાછળનું બીજું કારણ એ છે કે તે ખૂબ જ નબળા તરંગો છે. પણ હવે લીગો ડિટેકટર તેને શોધશે તેમ જણાય છે. આ માટે અમેરિકામાં બે પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. આ પ્રયોગ સાથે ભારત જોડાયેલું છે. બહુ જ થોડા સમયમાં ગુરુત્વાકર્ષણ તરંગો પકડવા ભારતમાં પણ પ્રયોગશાળા સ્થપાનાર છે. ભારતમાં આ માટે વિશાળ વૅક્યુમ ચેમ્બર સ્થપાશે. આ પ્રયોગશાળા સાબિત કરશે કે ક્યા આકાશીપિંડમાંથી અને કઈ દિશામાંથી ગુરુત્વાકર્ષણ તરંગો આવે છે. ખગોળ વિજ્ઞાનની આ શાખાને ‘ગ્રેવીટેશનલવેવ ઍસ્ટ્રોનોમી’ કહેવામાં આવે છે એટલે કે ગુરુત્વાકર્ષણ તરંગ ખગોળ વિજ્ઞાન. આ તરંગો પકડવા એ ખગોળ વિજ્ઞાનીઓ માટે પડકાર છે અને આ પડકાર ઝીલવા ખગોળ વિજ્ઞાનીઓએ કમર કસી છે. તેમાં ભારત પણ જોડાયેલું છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે.
ગુરુત્વાકર્ષણ તરંગો આઈન્સ્ટાઈનની થિયરીની ઊપજ છે. આઈન્સ્ટાઈને પોતે આ તરંગોના અસ્તિત્વની થિયરી આપી હતી. તે બે ન્યૂટ્રોન સ્ટાર વચ્ચેની ગતિવિધિ, બ્લેક હૉલ્સ, બે ગેલેકસી વચ્ચેનો ટકરાવ, વિસ્ફોટો પામતા મોટા તારા અને બ્રહ્માંડ જન્મ્યું વગેરે ક્રિયામાં ઉત્પન્ન થયા છે અને થાય છે. આ બધા સ્ત્રોતો પૃથ્વીથી એટલા બધા દૂર છે (હજારો અબજ કિલોમીટર) કે આ તરંગો પૃથ્વી પર આવતા ખૂબ જ નબળા પડી જાય છે. તેમને પકડવામાં આ મુસીબત છે. લીગો (કશલજ્ઞ) એ ‘લેઝર ઈન્ટરફેરોમેટ્રિક ગ્રેવીટેશનલવૅવ ઑબ્ઝર્વેટરી’ નું ટૂંકું રૂપ છે. હજુ સુધી આ ડિટેકટરે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડ્યા નથી પણ હવે વધારે સંવેદનશીલ ડિટેક્ટર બનાવવામાં આવે છે જે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડી શકશે એમ વિજ્ઞાનીઓ માને છે. આ પ્રયોગના સહભાગીઓમાં કેલિફોર્નિયા ઈન્સ્ટિીટયૂટ ઑફ ટેક્નોલોજી, મેસેચ્યૂસેટસ ઈન્સ્ટિીટયૂટ ઓફ ટેક્નોલોજી અને ભારત છે. જો આપણે આ તરંગો ક્યાંથી આવે છે તે જાણી શકીએ તો તે મોટી શોધ હશે. કદાચ એમ પણ બને કે તેના સ્ત્રોત હજુ સુધી ન જાણીતા આકાશીપિંડો પણ હોય. જો એ જાણી શકાય તો પછી તેનો અલગ અલગ પ્રકાશમાં અભ્યાસ થઈ શકે.
જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે તેમ ગુરુત્વાકર્ષણ તરંગો અંતરિક્ષમાં ઉત્પન્ન થતાં તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. આઈન્સ્ટાઈન પછી આ ક્ષેત્રે સૌપ્રથમ બ્રિટિશ ખગોળ વિજ્ઞાની હરમન બૉન્ડી અને તેના સહકાર્યકરોએ પદ્ધતિસર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું અને દર્શાવ્યું કે ગુરુત્વાકર્ષણ તરંગો સંદર્ભ ચોકઠાને લીધે ઉત્પન્ન થતાં નથી પણ તે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટનની થીઅરી પ્રમાણે ગુરુત્વાકર્ષણ તરંગો પ્રકાશના તરંગો જેવા જ છે અને પ્રકાશની ગતિએ ચાલે છે. તેમ છતાં તે અંતરિક્ષ તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. તેના બે કમ્પોનન્ટ (બ્રાંચ) છે. તે બંને તેની ગતિની દિશાને લંબ છે. પ્રકાશ વિદ્યુત-ચુંબકીય તરંગ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે તરંગોની દિશાને એકબીજાને લંબ રહીને આંદોલન કરે છે. કોઈપણ ઊર્જા કે પદાર્થ જ્યારે પ્રવેગી બને ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરે છે.
એવા પણ તારા છે, જેમાં ગુરુત્વીય પતન થયું છે. આવા તારા યુગલમાં પણ છે. આવા યુગ્મતારા એકબીજાની ફરતે ફરે છે. આ કારણે તેઓ ગુરુત્વીય તરંગો છોડે છે. આવા ન્યૂટ્રોન તારાનું યુગલ ખગોળ વિજ્ઞાનીઓને મળ્યું છે, જેમાંથી ગુરુત્વીય તરંગો બહાર પડે છે.
જ્યારે પદાર્થમાં જબ્બર ગુરુત્વાકર્ષણ શક્તિ હોય અને તે જ્યારે પ્રવેગી (અભભયહયફિયિંહ) બને ત્યારે તેમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. જ્યારે મોટા તારાનો મહાવિસ્ફોટ થાય છે ત્યારે એકાએક ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. યુગ્મતારામાં જો બંને ખૂબ જ વજનદાર તારા હોય, ન્યૂટ્રોન તારા કે બ્લેકહૉલ હોય તો ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. આ તરંગો સતત બહાર પડે છે અને તેનો પ્રવાહ એકસરખો જ હોય છે.
ગુરુત્વાકર્ષણ તરંગોની તરંગ લંબાઈ વધારે હોવાથી તેને પકડવા પડકારરૂપ હોય છે. જે સ્ત્રોતમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડતા હોય ત્યાંથી પ્રકાશને બહાર પડવું અઘરું પડે છે. માટે આવા સ્ત્રોત માત્ર ગુરુત્વાકર્ષણ તરંગો છોડતાં જ માલૂમ પડે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પ્રવેગી બને છે ત્યારે પ્રકાશ બહાર પડે છે. જબ્બર પદાર્થ પ્રવેગી બને છે ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. ખૂબ જ વજનદાર આકાશીપિંડની અંદર શું ચાલી રહ્યું છે અને તેમાંથી શું બહાર નીકળે છે તે તપાસવા ગુરુત્વાકર્ષણના તરંગો એક સાધન છે.
દુનિયામાં ગુરુત્વાકર્ષણ તરંગોને પકડવા પ્રથમ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે જોેસેફ વેબર હતા. આ કાર્યમાં જોકે તેઓ સફળ ન થયા પણ આ દિશામાં વિજ્ઞાનીઓને તેમણે કાર્ય કરતા કરી દીધા. હાલમાં જે ગુરુત્વાકર્ષણ તરંગ શોધક યંત્ર છે તે ઘણું જ ગૂંચવણ ભરેલું છે, પણ તે ગુરુત્વાકર્ષણ તરંગોને શોધવા સક્ષમ છે. ગુરુત્વાકર્ષણ તરંગો જ્યાંથી આવે છે તે સ્ત્રોતોને ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બતાવશે. પછી ખગોળ વિજ્ઞાનીઓ મોટા મોટા અને વિવિધ પ્રકાશમાં કાર્યરત દૂરબીનોથી તેમને જોશે. ગુરુત્વાકર્ષણ તરંગોનું ક્ષેત્ર એક ઊગતું ખગોળ વિજ્ઞાનનું ક્ષેત્ર છે અને તે ખગોળ વિજ્ઞાનમાં નવાં દ્વારો ખોલી શકશે.
પૂરું બ્રહ્માંડ વિવિધ પ્રકારના તરંગોથી ભરપૂર છે. તેમાં વિવિધ પ્રકાશના તરંગો, વૈશ્ર્વિક કિરણો અને ગુરુત્વાકર્ષણ તરંગો છે. બ્રહ્માંડ આ બધા તરંગોનો ગોળો છે. બબલ (પરપોટો) છે. આ બધી છેવટે ઊર્જા છે. ચેતના છે. બ્રહ્માંડના બ્રહ્મની માયા અગાધ છે. નેતિ નેતિ બોલવું પડે. ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બ્રહ્માંડની ગૂઢ રચના દેખાડશે, જે હજુ સુધી આપણે જોઈ શક્યા નથી. તે ક્વૉન્ટમ ગ્રેવીટી પર પણ પ્રકાશ પાડશે. જ્ઞાનનું આ એક ગુરુશિખર હશે.
હલ્સ અને ટેઈલર નામના બે ખગોળ વિજ્ઞાનીઓએ ન્યૂટ્રોન તારાની યુગ્મ સિસ્ટમ શોધી, જે ગુરુત્વાકર્ષણ તરંગોને છોડે છે. આ શોધે ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની શાખાને વેગ આપ્યો. આ શોધ બદલ આ બંને ખગોળવિદ્ોને ૧૯૯૩માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું. આ ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની અગત્ય છે.
No comments:
Post a Comment