Saturday, November 11, 2017

#Random_Musings_On_Bhagwat_Gita 2

http://baklol.co/aarambh-2/

गुरु द्रोणाचार्य का नाम आपने जरूर सुना होगा। किसी एक नारे में कहा भी जाता है, “द्रोणाचार्य अभी भी जिन्दा हैं” ! उनके कई प्रसिद्ध किस्सों में से एक किस्सा उनकी शस्त्र परीक्षा का किस्सा भी है। मेरे ख़याल से आपने उनके परीक्षा लेने के तरीके के बारे में सुन रखा होगा। अगर नहीं भी सुना तो चलिए हम फिर से याद दिला देते हैं। हुआ यूँ कि पांडवों और कौरवों कि शिक्षा पूरी हो चुकी थी और द्रोण जांचना चाहते थे कि शिष्य अच्छे से सीख गए या नहीं। दूर से ही दुश्मन को रोकने के लिए उस ज़माने में धनुष इस्तेमाल होते थे इसलिए द्रोणाचार्य ने धनुर्विद्या कि परीक्षा रखी।

उन्होंने एक पेड़ पर एक चिड़िया टांग दी। जाहिर था कि थोड़ी दूरी से उसपर निशाना लगाना था। एक एक करके वो छात्रों को बुलाते और निशाना लगाने को कहते। जैसे ही शिष्य निशाना लगता वो उस से पूछते वत्स क्या क्या दिख रहा है ? फिर वो तीर चलाने नहीं कहते, शिष्य को वापिस भेज देते। दुर्योधन ने निशाना लगाया तो उस से भी गुरु द्रोण ने पुछा कि क्या नजर आ रहा है। दुर्योधन ने बताया, पेड़ दिख रहा है, पत्ते हैं उसपर, डाली दिखती है जिसपर पक्षी धागे से टंगा है, आदि आदि। द्रोण ने सर हिलाया और उसे भी तीर चलाने नहीं कहा वापिस भेज दिया। फिर जब युधिष्ठिर कि बारी आई तो युधिष्ठिर ने भी कहा की उन्हें तो पेड़ के पीछे आसमान, पक्षी के पंखों का रंग आदि नजर आ रहा है। द्रोण ने उन्हें भी वापिस भेज दिया।

आखिर जब अर्जुन से उन्होंने पुछा तो अर्जुन बोले पक्षी दिख रहा है। द्रोण ने पुछा किस रंग का है, कैसा है तो अर्जुन बोले नहीं उतना नहीं दिख रहा, मैंने तो सर वाले हिस्से पर निशाना लगाया है ! अब द्रोण ने पुछा बच्चे यही बता दे कि सर कैसा है चिड़िया का ? चोंच कैसी है ? अर्जुन बोले गुरुदेव वो भी नहीं दिख रहा, बस चिड़िया की आँख दिख रही है मैंने वहीँ निशाना लगाया है ! द्रोण बोले बहुत अच्छे, चलाओ तीर। और पक्षी पर अर्जुन ने बिलकुल सही निशाना दाग दिया !

इस किस्से को आज के दौर में समझना हो तो आप भारत पाक का क्रिकेट मैच याद कर लीजिये। कोई न कोई रोमांचक ओवर चल रहा होता है और आप टीवी में चिपके होते हैं। ऐसे ही वक्त पर कभी पत्नी या माँ खाना खाने आने को कहती है, या और कोई छोटा मोटा सा काम कहती है। सुनाई देता है क्या ? बोलने पर तो छोड़िये चिल्लाने पर भी सुनाई नहीं देता ! क्या हो गया है ? सुनना बंद हो गया होता है क्या ? नहीं, टीवी की कमेन्ट्री तो सुन रहे थे आप ! सिर्फ बाकि कि आवाजें सुननी बंद कर दी हैं आपने। तो ये कंसंट्रेशन का लेवल अचानक आपमें जन्मा कहाँ से ? बाहर से अचानक आ गया ? टीवी देखते देखते कोई सिद्धि पा ली थी आपने ? नहीं, ये आपमें हमेशा ही है। सिर्फ इस तकनीक को याद रखना भूल जाते हैं आप। बिलकुल वैसे ही जैसे आत्मा हर शारीर में है, मगर याद नहीं।

ऐसे ही आप तेंदुलकर पर भी ध्यान दीजिये तो दिख जायेगा। उसके रिटायर होने की घोषणा क्रिकेट पंडितों ने कितनी बार की थी ? कितनी बार मिडिया ने कहा कि इस खिलाड़ी की क्षमता चुक गई है ? असर हुआ था तेंदुलकर पे ? उसका ध्यान बस उसके अपने खेल पर ही रह गया, किसने उसके बारे में क्या कहा इसका कभी जवाब देने की मेहनत भी नहीं की उसने। ऐसा ही मोदी करते दिख जायेंगे, अनगिनत आरोप लगे होंगे पिछले 15 – 20 साल में, वो हंस कर टाल देते हैं। बहुत पीछे तो खैर केजरीवाल भी नहीं ! वो तो खुद पर ही स्याही और अंडे भी फेंकवा सकते हैं ! इस से मिलती जुलती स्थिति को “स्थितिप्रज्ञ” होना कहते हैं। यानि ना मान की फ़िक्र है ना अपमान का भय। बस अपना काम किये जा रहे हैं।

अब पोस्ट में क्रिकेटर और राजनैतिक हस्तियों के साथ “आत्मा” और “स्थितिप्रज्ञ” जैसे शब्दों का इस्तेमाल देखने पर आप समझ गए होंगे कि ये पोस्ट ना तो क्रिकेट पर है, ना ही राजनीति पर। मगर इसकी पूरी संभावना है कि पहले पैराग्राफ में कुछ और ही समझकर आपने इसे पढ़ना शुरू किया था। तो इस चीज़ के लिए मेरा प्रिय डायलॉग है “सब माया है”। जिसे आप कुछ और समझ रहे होते हैं मगर हो कुछ और वैसी वाली “माया”। ये सब दरअसल श्रीमद् भगवतगीता के ब्रह्मज्ञान नाम के दुसरे अध्याय का विषय है। तो इस बार (धोखे से) हमने आपको गीता का दूसरा अध्याय पढ़ा डाला है।

बाकी ये नर्सरी के लेवल का है और पीएचडी के स्तर के लिए आपको खुद पढ़ना पड़ेगा, क्योंकि अंगूठा छाप तो आप हैं नहीं, ये तो याद ही होगा ?

#Random_Musings_On_Bhagwat_Gita 1

http://baklol.co/aarambh-1/
बहुत पुराने ज़माने कि बात है, शायद द्वापरयुग कि, और ये किस्सा भी शायद भगवान् कृष्ण ने अर्जुन को सुनाया था। तो किस्सा है एक साधू का, ऐसे साधू का जिसे वेद-आध्यात्म जैसे विषयों कि ज्यादा जानकारी नहीं थी। अब ऐसे में बेचारा साधू तपस्या कैसे करता ? ना तो उसे मन्त्रों कि ज्यादा जानकारी थी, ना ही उन्होंने किसी गुरु का आश्रय लिया था ! कठिनाई में पड़े साधू ने आखिर एक व्रत लिया। वो सिर्फ़ सच बोलने लगे। हमारी हिंदी फिल्मों के कोर्ट की कसम वाले सीन जैसा वो भी सच के सिवा कुछ नहीं कहते।
जंगल में एक कुटिया बना कर रहते थे, लेकिन 100% सच बोलने वाला तो अनोखा ही इंसान होगा, तो थोड़े ही दिन में आस पास के सब गाँव वाले भी उनके बारे में जान गए। महात्मा अब ‘सत्यकीर्ति’ के नाम से प्रसिद्ध हो गए। दूर दूर से लोग उनके दर्शन और आशीर्वाद के लिए भी आने लगे। एक रोज़ कि बात कि महात्मा सत्यकीर्ति अपनी कुटी के आगे ही बैठे थे इतने में जंगल में भागता हुआ एक आदमी दिखा ! देखने में ही व्यक्ति कोई व्यापारी लग रहा था और शायद जान बचा कर भाग रहा था। कुटी और साधू को देखकर व्यापारी अन्दर कुटी में जा छुपा।
सत्यकीर्ति कुछ कह पाते इस से पहले ही व्यापारी का पीछा कर रहे डाकू नंगी तलवारें लिए आ धमके। जंगल में ही रहने वाले डाकुओं को अच्छी तरह महात्मा के सच बोलने के बारे में पता था। उन्होंने आसान तरीका चुना और सीधा सत्यकीर्ति से ही पूछ लिया, बताओ वो व्यापारी भाग के किधर छुपा है ? अब सत्यकीर्ति के पास दो उपाय थे। एक तो वो झूठ बोलकर व्यापारी को बचा सकते थे, दूसरा सच बोलकर अपना व्रत बचा सकते थे। महात्मा सत्यकीर्ति ने व्रत बचाया और बता दिया कि व्यापारी कहाँ है।
व्यापारी मारा गया और इस एक पाप के कारण महात्मा सत्यकीर्ति को मोक्ष नहीं मिला।
कारण ये था कि जिस सत्य बोलने के पुण्य को महात्मा बचाना चाहते थे, उस से बड़ा धर्म होता था एक व्यक्ति कि जीवन रक्षा। ये बिलकुल वैसा ही है जैसा डाकुओं का हमला होने पर आप डाकू को ना मारकर अहिंसा के धर्म को बचाने कि सोचें, लेकिन असल में एक डाकू को मारकर आप कई लोगों को हिंसा से बचा रहे होते हैं। इसलिए एक वृहद् हिंसा को रोकने के लिए की गई छोटी हिंसा कहीं ज्यादा धार्मिक होगी। डाकू को मार देना चाहिए।
अगर English Literature या फिल्मों में रूचि है तो आप Hamlet के प्रसिद्ध डायलॉग “To be or not to be…” से वाकिफ़ होंगे। दरअसल ये किताबें जहाँ ख़त्म होती है श्रीमद्भगवतगीता वहीँ से शुरू होती है। आपने अभी अभी जो कहानी पढ़ी वो गीता का पहला अध्याय है। अर्जुन विषाद योग नाम के इस अध्याय में अर्जुन यही जानना चाहता था कि हिंसा उचित कैसे है ? कृष्ण समझा रहे होते हैं कि एक बड़े अनाचार को रोकने के लिए तुम एक अधर्म अपने सर लेकर पुण्य ही कर रहे हो। फ़िदायीन आतंकी खुद को थोड़ी देर में तो उड़ा ही देगा, उसे गोली मारने में पाप कहाँ है ?
बाकि पोस्ट के बहाने हमने आपको भगवतगीता का पहला अध्याय नर्सरी लेवल पर (धोखे से) पढ़ा दिया है, पीएचडी लेवल टाइप सीखने के लिए तो आप खुद पढ़ ही सकते हैं, अंगूठा छाप तो आप हैं नहीं ना ?

#Random_Musings_On_Bhagwat_Gita

https://www.facebook.com/anandrajadhyaksha19570621/posts/1977620788922375


करीब सत्रह साल पहले एक फिल्म आई थी “डांसेज विथ वूल्व्स” (Dances With Wolves) जिसे सात अकादमी अवार्ड मिले थे। कई साल बाद अब हो सकता है कई लोगों को इसका नाम ना याद हो। इसकी कहानी 1863 के सेंट डेविड्स फील्ड में टेनेसी में शुरू होती है जहाँ फर्स्ट लेफ्टिनेंट जॉन डनबर युद्ध में घायल हो गया है। उसे लगता है उसकी टांग काट दी जायेगी और वो लंगड़ा होकर जीने के बदले लड़ते हुए मरना चाहता था। तो वो एक घोड़ा लेकर कॉन्फेडरेट सेना पर अकेले ही घोड़ा दौड़ा देता है। उसपर निशाना लगाने की कॉन्फेडरेट सैनिकों की कोशिश बदकिस्मती से नाकाम होती है और उसके ध्यान बंटाने से जो व्यूह टूटा उसका फायदा उठा कर यूनियन सेना लड़ाई जीत लेती है।
अब डनबर जो दुश्मन की गोलियों से बच गया था, उसे बहादुरी का इनाम और अच्छा इलाज भी मिलता है। वो ठीक हुआ तो जिस घोड़े पर बैठ के उसने चढ़ाई की थी, वो भी उसे इनाम में मिला और अपने पसंद की पोस्टिंग चुनने का मौका भी। वो पश्चिमी सीमा पर कोई जगह चुनता है ताकि जिसपर उसने हमला किया था उन लोगों को गायब हो जाने से पहले देख पाए। जिस किले पर उसे भेजा जाता है वहां के सबसे दूर की निगरानी चौकी भी वो चुन लेता है। टिम्मोंन्स नाम के जिस गाड़ीवाले के साथ वो जाता है उसपर लौटते वक्त हमला होता है और वो मारा जाता है। किले के जिस सुबेदार ने उसे पोस्टिंग दी वो भी आत्महत्या कर लेता है तो कई दिनों तक लोगों को पता ही नहीं होता कि उस चौकी पर भी कोई है।
उधर अकेला पड़ा डनबर स्थानीय कबीलों से जानपहचान बढ़ाता है और अपनी टूटी फूटी चौकी के किले की मरम्मत करता है। अपने अनुभव वो एक डायरी में नोट करता रहता है। उसकी एक भेड़िये से भी दोस्ती हो जाती है और काबिले (रेड इंडियन) उसे भेड़िये के साथ खेलता देखकर डांसेज विथ वूल्व्स बुलाने लगते हैं। एक लड़की को उसने बचाया था, वो दुभाषिये की तरह काम करती है और उसी से डनबर को प्यार भी हो जाता है। इन सब में वो किला छोड़कर लड़की से शादी करके उनके साथ रहने लगता है। एक भैंसे का झुण्ड खोजने की वजह से उसका सम्मान भी बढ़ गया था। पावनी और गोरे लोगों के बढ़ते हमले से परेशान कबीले का सरदार काबिले के जाड़े में रहने वाले ठिकाने पर जाना चाहता था। साथ आने से पहले डनबर अपनी डायरी लाने चौकी पर जाता है।
किले पर गोरे सिपाही आ गए थे और वो उसे काबिले वाला समझकर हमला कर देते हैं। उसका घोड़ा मारा जाता है और उसे भगोड़ा समझकर सब मुख्य किले पर भेज रहे थे लेकिन रास्ते में उसे काबिले वाले छुड़ा लेते हैं। उसका भेड़िया भी अबतक मारा जा चुका होता है। सिपाही काबिले का पीछा ना करें इसलिए डनबर और लड़की काबिले से अलग होने का फैसला करते हैं। फिल्म में आगे इसाई सैनिक डनबर और लड़की को ढूंढते दिखते हैं लेकिन वो उन्हें खोज नहीं पा रहे होते। अंत में दिखाते हैं कि इस घटना के तेरह साल बाद उस काबिले “सिऔक्स” (Sioux) के अंतिम आजाद सदस्य को भी अमेरिकी नियंत्रण में ले आया गया। इस तरह अमेरिकी सेना ने ग्रेट प्लेन्स पर कब्ज़ा जमाने में कामयाबी पायी।
आप जब फिल्म देखें तो डनबर के दूसरों की परम्पराओं के प्रति आकर्षण और काबिले के कुछ लोगों का गोरे इसाई के प्रति मोह भी देखिये। उसे देखकर शायद आपको “परधर्मो भयावहः” वाला तीसरे अध्याय का पैंतीसवां श्लोक भी याद आ जाए :
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।3.35।।
इसमें मोटे तौर पर ये कहा जा रहा होता है कि अच्छी तरह आचरणमें लाये हुए दूसरेके धर्म से, गुणों की कमीवाले अपने धर्म में मरना बेहतर है। किसी और के आचरण की नक़ल मृगतृष्णा सी ही होती है। अक्सर ये भी पूछा जाता है कि क्या तुम उनके जैसे हो जाना चाहते हो ? फिर क्या फर्क रह जाएगा उनमें और तुममें ?
लड़ाई झगड़े में कुछ नहीं रखा जैसी सलाह देने आये लोग कई बार इसे शुरूआती वार की ही तरह इस्तेमाल करते हैं। किस्मत से ये “फिर क्या फर्क रहेगा उनमें और हममें” का सवाल अर्जुन का भी सवाल था। शेखुलर बिरादरी का यही प्रिय जुमला दोहराते हुए अर्जुन आपको भगवद्गीता के अर्जुनविषादयोग नाम के पहले अध्याय में अड़तीसवें और उञ्चलीसवें श्लोक में दिखेंगे। मैं हथियार रखता हूँ, ये लोग मुझे निहत्था मार भी दें तो ठीक वाली दुविधा में पड़ा गिरफ्तार हुआ डनबर आपको फिल्म में भी दिखेगा। भगवद्गीता के इस पहले अध्याय में एक और अंतर दिखता है। पहले ही श्लोक में “मामकाः” और “पाण्डवाश्चैव” में धृतराष्ट्र के लिए मेरे और पराये का भेद स्पष्ट है। दूसरी तरफ अर्जुन की समस्या ये है ही नहीं कि मारूं कैसे ? उसकी दिक्कत है कि अपनों को कैसे मारूं ? उसके लिए अपने-पराये का अंतर ही नहीं है।
आगे दुसरे अध्याय के ग्यारहवें श्लोक में श्री कृष्ण ऐसे ही सवालों के जवाब में खिल्ली उड़ाते हुए कहते हैं, तू पंडितों जैसी बातें करता, हरकत तो मूर्खों जैसी कर रहा है ! पहले ही वो दुसरे श्लोक में “क्लैब्यं” यानि क्रॉस ड्रेस करने वाले अथवा नपुंसक जैसे शब्दों से भी अर्जुन को संबोधित कर चुके होते हैं। पहला और दुसरे अध्याय का शुरूआती हिस्सा इसलिए भी महत्वपूर्ण है क्योंकि किसी भी समस्या से निपटने के लिए उसे पहले परिभाषित करना जरूरी होता है। पहले पांच बार पूछिए, थोड़ी देर अपनी चोंच बंद कर के सुनिए कि किस समस्या की बात हो रही है, फिर जवाब देने की कोशिश कीजिये। या कहिये कि जवाब देने की कोशिश से पहले ये सुनिश्चित कीजिये कि सवाल सही-सही समझ तो लिया है ना ? जब भगवान एक पूरा अध्याय सवाल सुनते बिता देते हैं तो आप उनसे भी ऊपर हैं क्या ?
बड़े छोटे ऐसे ही मुद्दे पहले ही अध्याय से दिख जाते हैं। जैसे शिकायत करने बैठे, अपने पराये का भेद करते धृतराष्ट्र की बात नहीं सुनी जाती। उसका एक ही श्लोक है, ऐसे ही आम जीवन में भी जो हमेशा दुखड़ा ही रोता रहे उसकी बात भी एक लाइन से ऊपर कोई नहीं सुनता। सात सौ श्लोकों में जो गीता ख़त्म हो जाती है, उसके शुरूआती सात श्लोक सिर्फ शंख की ध्वनि पर खर्च कर दिए गए हैं। 100 में से एक प्रतिशत बिना किसी प्रयोजन खर्च नहीं किया गया होगा, उसके पीछे कोई कारण होना चाहिए। शंखध्वनि इतनी विशिष्ट क्यों, इसपर भी विचार किया जा सकता है। बाकी को खुद ही ढून्ढ के देखिये, क्योंकि ये जो हमने धोखे से पढ़ा डाला वो नर्सरी लेवल का है। पीएचडी के लिए आपको खुद पढ़ना पड़ेगा ये तो याद ही होगा ?
#Random_Musings_On_Bhagwat_Gita
--------------------------------------------------
पोस्ट मेरी नहीं है और इस लेखक का नाम लिखना अब जरूरी नहीं रहा है ।

#Random_Musings_On_Bhagwat_Gita

http://baklol.co/aarambh-21-reading-gita-how-to-bhagwad-geeta/
कई साल पहले की बात है भारत के छोटे से गाँव में एक किसान था। किसानों की हालत आज भी अच्छी नहीं होती, पुराने ज़माने में भी अच्छी नहीं ही होती थी। तो किसान ने गाँव के महाजन से कुछ क़र्ज़ लिया। साल दर साल सूद बढ़ता गया और किसान क़र्ज़ उतार नहीं पाया। इतने दिनों में किसान की इकलौती बिटिया भी बड़ी हो गई। कहीं से गुजरते हुए महाजन की निगाह किसान की बेटी पर पड़ गई।

अब तो महाजन किसान की सुन्दर सी बिटिया से शादी रचाने के सपने देखने लगा। उसने अपने क़र्ज़ का फायदा उठाने की सोची। तो एक दिन वो किसान के घर पहुंचा और किसान से कहा की भइये क़र्ज़ दिए तुम्हें बहुत साल हो गए, चुका तुम पाते नहीं हो इसलिए अपनी जमीन तुम मुझे सौंप दो और कर्ज़ा चुकता माना जाये। किसान घबडाया, जमीन छिनने के डर से वो महाजन के आगे गिड़गिड़ाने लगा। अब महाजन ने असली पासा फेंका, कहा ठीक है एक और तरीका है, अगर तुम अपनी बिटिया की शादी मुझसे कर दो तो कर्ज़ा मैं माफ़ कर दूंगा। इस बात पर किसान भड़क गया।

अपनी सुन्दर, प्यारी सी बिटिया की शादी वो बूढ़े, दुष्ट महाजन से कैसे कर दे ? आख़िर दोनों ने खाप पंचायत के पास जाने का फैसला किया। जब सब पंचों के पास पहुंचे और गाँव भी इकठ्ठा हो गया तो बहस लम्बी खीचने लगी। अब महाजन ने दूसरा दांव चला। उसने कहा की अपनी थैली में वो जमीन से उठा कर दो कंकड़ डाल देगा, एक काला और एक सफ़ेद। बिना थैली में देखे अगर लड़की ने सफ़ेद कंकड़ थैली से निकाला तो कर्ज़ा भी माफ़ और उसे महाजन से शादी भी नहीं करनी होगी। अगर काला कंकड़ निकाला तो कर्ज़ा माफ़ मगर उसे महाजन से शादी करनी होगी। हां कहीं कंकड़ निकालने से लड़की ने मना किया तो महाजन मुक़दमा करेगा और किसान को जेल में डलवाएगा। फैसला अब भाग्य के हाथों में।

किसान और महाजन बगल बगल ही खड़े थे तो महाजन ने थैली अपनी खाली की। लड़की को दूसरी तरफ खड़ा किया गया और महाजन वहीँ बीच की जगह से दो कंकड़ चुनने गया। चारो तरफ गाँव वाले खड़े होकर देखने लगे। कंकड़ उठाते वक्त महाजन ने पहले ही दो काले कंकड़ थैली में डाल दिए और सफ़ेद कंकड़ उँगलियों में दबा लिया फिर थैली बीच में रख कर किसान के बगल में जा खड़ा हुआ। लड़की बेचारी की जान तो थैली पे ही अटकी थी महाजन की बेईमानी उसने भांप ली।

समस्या ये थी की अगर कंकड़ चुनने से मना करती तो किसान को जेल होती और चुनती तो दोनों काले कंकड़ ही थे महाजन से शादी करनी पड़ती। बेईमानी की पोल खोल भी देती तो सब दोबारा कंकड़ चुन के डालते, इस तरह फैसला फिर से किस्मत पे आधारित होता। किस्मत से जीत भी हो सकती थी, हार भी और लड़की के पास हारने का विकल्प नहीं था। बेचारी बिटिया दुसरे कोने पर अकेली खड़ी, आगे कूआं पीछे खाई वाली स्थिति में आ गई ! अब सोचिये की लड़की की जगह खाप पंचायत के बीच आप खड़े होते तो क्या करते ? लड़की को क्या करने की सलाह देंगे ?

लड़की आगे आई जमीन पर रखी थैली उठाई और उसमे से एक कंकड़ निकाला, लड़खड़ाने का बहाना किया और कंकड़ गिरा दिया। खाप का सरपंच चिल्लाया, यो के किया मूरख लड़की ! एक कंकड़ ना संभले है ? लड़की ने मुस्कुराकर कहा, सरपंच जी घबराने की कोई बात नहीं है। कौन सा कंकड़ निकाला था वो अभी भी पता चल जायेगा। अगर सफ़ेद निकाला होगा तो काला थैली में होगा, अगर काला निकाला होगा तो सफ़ेद बचा होगा, थैली में कौन सा कंकड़ है वो देख लेते हैं। अभी पता चल जायेगा !

अब कंकड़ तो थैली में दोनों काले थे, महाजन कुछ न कह पाया। थैली पंचों ने जाँची और काला कंकड़ निकल आया। इस तरह किसान की जमीन भी बच गई, और किसान की बिटिया भी बच गई। तरीके बदलने से नतीजे भी बदलते हैं, अगर एक आसान तरीका काम ना कर रहा हो तो दुसरे विकल्पों के बारे में भी सोचना चाहिए। धर्म के मामले में भी रिलिजन या मजहब की तरह one size fits all वाली परिकल्पना काम नहीं करती। भगवद्गीता में कर्मयोग से शुरू कर के फिर भक्ति योग, ज्ञान योग, या दो तरीकों को मिला कर कर्मसन्यास योग जैसे अध्यायों को पढ़ते समय भी ये याद रखना चाहिए। हो सकता है आपको वो तरीका बिलकुल सही ना लगे लेकिन किसी और के लिए वो फायदेमंद हो।

ऐसी ही चीज़ों के बारे में बताते समय श्रीअरविन्द कहते हैं :
“मानव-चेतना तीन अवस्थाओं का क्रम है। पहली श्रेणी का मनुष्य स्थूल, अनगढ़, अभी तक अहिर्मुख और अभी तक प्राण-प्रधान एवं देह्प्रधान मन वाला होता है और उसे अपने अज्ञान के उपयुक्त उपायों से ही परिचालित किया जा सकता है। दूसरी श्रेणी का मनुष्य अत्यधिक प्रबल एवं गंभीर चैत्य-आध्यात्मिक अनुभव के यौग्य होता है और मनुष्यत्व का एक ऐसा परिपक्व्तर तोप प्रस्तुत करता है जो अधिक सचेतन बुद्धि और विस्तृततर प्राणिक या सौन्दर्योन्मुख उद्घाटन से तथा प्रकृति की एक बलवत्तर नैतिक शक्ति से संपन्न होता है।

तीसरी श्रेणी का, अर्थात सर्वाधिक परिपक्व एवं विकसित मनुष्य आध्यात्मिक ऊँचाइयों तक पहुँचने के लिए होता है, परमेश्वर के औरनी सत्ता के चरम सत्य को ग्रहण करने या उसपर आरोहण करने तथा दिव्य अनुभवों के शिखरों पर पग रखने के योग्य होता है।” वो आगे बताते हैं की भारतीय धर्म दर्शन में, “विचारशील बुद्धिप्रधान मनुष्य के स्व-अतिक्रमण के लिए ज्ञानयोग, कर्मठ, शक्तिमय, और नैतिक मनुष्य के स्व-अतिक्रमण के लिए कर्मयोग और भावुक, सौंदर्यप्रेमी एवं सुखभोगवादी मनुष्य के स्व-अतिक्रमण के लिए प्रेम तथा भक्ति योग की रचना की गई थी।” (श्रीअरविन्द, भारतीय संस्कृति के आधार पृष्ठ 179-190)

इस बार कहानी के बदले धोखे से भगवद्गीता पढ़ने के तरीके के बारे में बता दिया है। ध्यान रखिये कि सब पर एक ही तयशुदा तरीका जबरन थोप देने के प्रयास का नाम हिंदुत्व नहीं होता। सनातन आपको विकल्प देता है, अपना भविष्य, अपनी दिशा आपको खुद चुननी होती है। मनुष्य में सोचने-समझने की शक्ति या विवेक होने का उद्देश्य ही यही है की उसे अपने आप चुनने की स्वतंत्रता रहे। हां, कहीं अगर समस्या ज्यादा ही गंभीर लगे तो गिर जाने दीजिये। काला कंकड़ ही तो है, छोड़ देते हैं।

बाकी ये नर्सरी लेवल का है, और पीएचडी के लिए आपको खुद पढ़ना पड़ेगा ये तो याद ही हो

Monday, June 12, 2017

રવીન્દ્રનાથની સંઘર્ષયાત્રા --- ડૉ. દિનકર જોશી

‘કરે છે જે મૃત્યુનો સ્વીકાર,

વરે તેને અમૃતનો અધિકાર.’

કવિ કથિત અમરત્વનો આ અધિકાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને બાલ્યાવસ્થાથી જ મળી ચૂક્યો હતો. 

૭ મે ગુરુદેવની જન્મજયંતી. આ મહિને એમને ૧૫૫ વરસ થયાં. ગુરુદેવને આપણે કવિ તરીકે ઓળખીએ છીએ. નાટ્યકાર, ચિત્રકાર, ગદ્યકાર, ચિંતક, પ્રખર વ્યાખ્યાતા એમ અનેક સ્વરૂપે આપણે એમને ઓળખીએ છીએ. કહેવું હોય તો કહેવાય કે હી વોઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. મહેલથીય અદકેરું ઘર, વિશાળ જાગીર, ત્રણ-ચાર પેઢીથી સમૃદ્ધિ છલોછલ.

કલા, સંસ્કૃતિ, સંગીત આ બધું ઘરની બધી જ વ્યક્તિઓમાં વધતા-ઓછા અંશે સીંચાયેલું. એમના જીવન, સાહિત્ય અને દર્શન વિશે તો ઘણી વાતો લખાઈ ચૂકી છે, પણ એમના સંવેદનશીલ વિશ્ર્વે કેટલા બધા આઘાતો સહન કર્યા હતા એની વાત સંભારીએ તો કદાચ આપણા હૃદયને પણ એક ધક્કો પહોંચે.

મૃત્યુ કોઈને છોડતું નથી. બધાના જીવનમાં કોઈ ને કોઈ સ્વજનના મૃત્યુનો આઘાત આવે જ છે. રવીન્દ્રનાથે એમના જીવનમાં ૧૮ સ્વજનોને ગુમાવ્યા હતા. બાલ્યાવસ્થામાં માતાએ વિદાય લીધી. અને એ પછી મૃત્યુએ એમની જે આકરી તાવણી કરી છે એ કોઈનેય વિચારતા કરી મૂકે એવી છે. માતા-પિતા સહુનાં મૃત્યુ પામે એમ યથાકાળે રવીન્દ્રનાથે પણ માતા-પિતા તો ગુમાવ્યા જ પણ પત્ની, ત્રણ સંતાનો, એક દોહિત્ર (જે એમનો એકનો એક વારસદાર હતો. એમનાં પાંચ સંતાનો બધાં જ કાં તો વહેલાં મૃત્યુ પામ્યાં છે અથવા નિ:સંતાન રહ્યાં છે. બે પુત્રી અને એક પુત્રના લગ્નજીવનનો તો વિચ્છેદ પણ થયો છે.) આઠ ભાઈબહેનો, બે ભાભી અને બનેવી એમ એકંદરે કુલ ૧૮ પરિવારજનોને રવીન્દ્રનાથે સ્વહસ્તે વિદાય આપી છે.

માતાના મૃત્યુ પછી એમણે જે મૃત્યુનો પહેલો આઘાત જીરવ્યો એ કાદંબરીભાભીનો છે. કાદંબરી રવીન્દ્રનાથને લાડમાં ‘ઠાકુરપો’ કહેતી અને રવીન્દ્રનાથ ભાભીને ‘ભાભીરાણી’ કહેતા. આ સંબંધો એટલા નાજુક અને એટલા ઊંડા હતા કે એને કોઈ પરિભાષામાં ગોઠવી શકાય નહીં. રવીન્દ્રનાથનાં લગ્ન પછી ચોથા મહિને ભાભીરાણીએ અફીણ ખાઈને આત્મહત્યા કરી. આ આત્મહત્યાનું રહસ્ય આજ સુધી અણઉકેલ છે. રવીન્દ્રનાથને કાદંબરીની વિદાયથી જે આઘાત લાગ્યો હતો એ ૧૯૪૧માં મૃત્યુ પૂર્વે પાંચ છ દિવસે એમણે લખાવેલા અંતિમ કાવ્યમાં પણ પડઘાય છે. કાદંબરી વિશે લખેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુષ્પાંજલિ’-એની અર્પણ પત્રિકામાં એમણે લખ્યું-કવિના હૃદયના ઊંડાણમાં વસેલા કવિને અર્પણ.

કવિના લગ્નના દિવસે જ એમના પોતાના જ ઘરમાં બનેવીનું અવસાન થયું. એક ઓરડામાં નનામી બંધાઈ રહી હતી ત્યારે બીજી તરફ લગ્નવિધિ સાદાઈથી આટોપાઈ રહ્યો હતો. પત્ની મૃત્યુ પામી ત્યારે મોટી પુત્રી સાસરવાસી થઈ ચૂકી હતી, પણ શેષ ચાર સંતાનોની માતા બનવાની જવાબદારી તો રવીન્દ્રનાથે જ ઉપાડવી પડી. ટૂંકા ગાળામાં બે પુત્રી અને એક પુત્ર પણ મૃત્યુ પામ્યાં ત્યારે કવિએ લખ્યું-‘ઈશ્ર્વરે આપ્યું છે એ હું સ્વીકારું છું. જો હજુ પણ વધુ દુ:ખ આપશે તો એ પણ સ્વીકારીશ. હું હાર માનવાનો નથી’-આમી પરાભૂત હઈબન!-પત્નીને વિદાય કરી ત્યારે એક કાવ્ય લખ્યું ‘સ્મરણ’-તેં ઘર છોડીને અજાણ્યા પંથે યાત્રા આદરી, તું એકલી જ ચાલી ગઈ, હું અહીં તને શોધતો રહ્યો, તું જે રીતે ઘરે મને બોલાવતી એ રીતે, જ્યાં હો ત્યાંથી બોલાવવાનું ચાલું રાખજે.’

મૃત્યુના વિકરાળ ચહેરાએ રવીન્દ્રનાથને સતત પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો એ જ રીતે પ્રેમ નામની અત્યંત મુલાયમ વિભાવનાએ પણ એમના સંવેદનશીલ હૃદયને ઓછા ડંખ નથી માર્યા. કાદંબરીભાભી સાથે તરુણ વયે-જેને નામ આપીને ઓળખવો અઘરો પડે એવો અદ્ભુત સ્નેહ સંબંધ બંધાયો. મુંબઈના ગિરગામ વિસ્તારના ડૉ. આત્મારામની પુત્રી અનુ સાથે હૃદયના તાર જોડાયા, ન જોડાયા ત્યાં એ પ્રકરણ સમાપ્ત થયું. અનુનું નવું નામાભિધાન યુવાન રવીન્દ્રે જ કરેલું-નલિની. નલિનીએ રવીન્દ્રના સુંદર ચહેરા વિશે કહેલું-‘રવીન્દ્ર, તું ક્યારેય દાઢી વધારીને તારા ચહેરાની સુંદરતાને સંતાડી નહીં દે તો.’ રવીન્દ્ર અનુને વચન આપ્યું અને અનુના મૃત્યુ સુધી એ નિભાવ્યું. અનુની અકાળ વિદાય પછી જ રવીન્દ્રે દાઢી વધારી. રવીન્દ્રનાં લગ્ન અનુ સાથે થાય એ વાત પિતા દેવેન્દ્રનાથને મંજૂર નહોતી. 

રવીન્દ્રનાથ અભ્યાસ અર્થે લંડન ગયા ત્યારે જે પરિવારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા એ પરિવારની ચુલબુલી પુત્રી લ્યુસી રવીન્દ્ર પાસેથી બંગાળી શીખતી અને રવીન્દ્ર લ્યુસી પાસેથી પાશ્ર્ચાત્ય સંગીત શીખતા. પિતા ઉપરના એક પત્રમાં લંડનથી રવીન્દ્ર લખ્યું કે લ્યુસી સરસ છોકરી છે અને મારી ખૂબ સંભાળ લે છે. પિતાને થયું, રવીન્દ્ર ભણવાને બદલે પ્રેમ નામના લફરામાં ઊતરતો જાય છે એટલે એને તાબડતોબ લંડનથી પાછો બોલાવી લીધો. લ્યુસીના પ્રકરણનો આમ અંત આવી ગયો. 

મૃણાલિનીદેવી સાથેનું લગ્નજીવન સોળેક વરસ નભ્યું છે. રર વરસના રવીન્દ્રનાથ વરરાજા હતા અને ૯ વરસની મૃણાલિનીદેવી (મૂળ નામ ભવતારીણી) નવવધૂ હતાં. ૧૩ વરસની ઉંમરે તે માતા બન્યાં. 

આ પછી લાંબા ગાળે વિક્ટોરિયા ઓકોમ્પો આવે છે. કવિ આર્જેન્ટિનામાં આ અજાણી સ્ત્રીના અતિથિ તરીકે બે મહિના રહ્યા છે. સાઠી વળોટી ચૂક્યા છે અને વિક્ટોરિયા માત્ર ૩૪ વરસની છે. વિક્ટોરિયાએ કવિને મળ્યા પહેલાં જ એમનું ઘણું ખરું સાહિત્ય વાંચી લીધું હોય છે. કાદંબરીએ કવિને તરુણ વયે શબ્દોમાં બાંધી ન શકાય એવો જે પ્રેમ કર્યો હતો એવો જ પ્રેમ હવે જીવનની આ ઉત્તરાવસ્થામાં કવિને આ વિદેશી સ્ત્રી પાસેથી મળે છે. કાદંબરીને ભાભીરાણી, અનુને નલિની કહેનાર કવિએ વિક્ટોરિયા ઓકોમ્પોનું નામ પાડ્યું છે-વિજયા. આ વિજયા કવિને અત્યંત ચાહે છે, સન્માને છે, એની સેવા કરે છે, પણ ક્યાંય કશું માગતી નથી, કશી વળતી અપેક્ષા રાખતી નથી. કવિએ વિજયાને અનુલક્ષીને એક કાવ્ય લખ્યું-‘વિદેશી ફૂલ’-‘હે વિદેશી ફૂલ, તને હું હૈયે લગાડું છું અને પૂછું છું તારું ઘર ક્યાં છે? તું માથું હલાવીને કહે છે, મને ખબર નથી. ત્યારે મને થાય છે, તારું ઘર તું જે હૈયામાં વસી હોય, એ હૈયું જ હોય!’

આ વિજયાને કવિએ પોતાનો કાવ્યસંગ્રહ ‘પૂરબી’ અર્પણ કર્યો છે અને અર્પણપત્રિકામાં લખ્યું છે-

‘ઉડાડી મૂકશે નિદ્રા

સદાસર્વદા કરુણ ને કોમળ

સંદેશ એ સન્નારીનો

જાણતો નહોતો તેની ભાષા

પણ આંખો હતી તેની બોલકી-બોલતી.’

છૂટા પડતી વેળાએ આ વિજયાએ પોતાના પ્રિય પ્રિય પ્રિય પ્રિય એવા રવીન્દ્રનાથને એક આરામખુરશી ભેટ આપી હતી. આ આરામખુરશી પાછલા તમામ વરસોમાં કવિએ પોતાની સાથે ફેરવી હતી. શાંતિનિકેતન, જોરાસાંકો, કાલિમપોંગ, બધે જ.

એક ફ્રેન્ચ મહિલા ચિત્રકાર એન્ડ્રી રવીન્દ્રનાથનું ચિત્ર બનાવવા શાંતિનિકેતનમાં દિવસો સુધી રોકાઈ. ગુરુદેવે ચિત્ર બનાવવા સંમતિ આપી. દિવસો પછી ગુરુદેવે જોયું, એન્ડ્રીના કેન્વાસ પર એકેય રેખા અંકિત થઈ નહોતી. કવિ નવાઈ પામ્યા અને પૂછ્યું-‘આ શું એન્ડ્રી?’ એન્ડ્રી બંને હથેળીઓમાં ચહેરો સંતાડીને ગુરુદેવના ચરણમાં ઢળી પડી. બોલી-‘ગુરુદેવ, તમારી સામે જોઉં છું અને સ્તબ્ધ થઈ જાઉં છું. મારો હાથ ઊપડતો નથી. તમારી હાજરીમાં મારું અસ્તિત્વ ઓગળી જાય છે. મને તમારી પાસે રહેવા દો.’ આવું જ હંગેરિયન યુવતી એલિઝાબેથ સાથે પણ બન્યું. આ એલિઝાબેથ પણ શાંતિનિકેતનમાં ચિત્રકામ શીખવા આવી હતી. અભ્યાસ પૂરો થયો ત્યારે એણે ભક્તિભાવપૂર્વક સજળ નયને કહ્યું, ‘ગુરુદેવ, મારે અહીંથી નથી જવું. મને તમારી પાસે રાખો.’ ગુરુદેવે એના માથે હાથ મૂકીને કહ્યું, ‘સાથે રહેવા કરતાં જુદા રહીને આપણે સહુ પરસ્પરનું સ્મરણ કરતા રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.’

આ પછી એલિઝાબેથે રવીન્દ્રનાથને જે પત્રો લખ્યા છે એમાં લખ્યું છે-‘હું તમને જોવા માટે તલસી રહી છું. મારું હૃદય ભાંગીને ભુક્કો થઈ જશે. તમારા વિના મારાથી રહેવાતું જ નથી. મારે શું કરવું?’

કવિએ એનો જવાબ વાળ્યો છે. લખ્યું છે-‘તારે આપણી વચ્ચે જે વયનો ગાળો છે એ યાદ રાખવો જોઈએ. હું હવે જૂના સંબંધો ભૂલતો જાઉં અને નવા સંબંધો ન બાંધું એ જ હિતકર છે.’

એવું લાગે છે કે જનેતાના માતૃપ્રેમ અને કાદંબરીભાભીના અનામ પ્રેમથી વંચિત રહેલા રવીન્દ્રનાથે આજીવન એમની નિકટ આવેલી સ્ત્રીઓમાં આ ખોટ પૂરી કરવા શોધ કરી છે. રાણુ નામની દશ-બાર વરસની વારાણસીમાં વસતા એક પ્રાધ્યાપકની પુત્રી ગુરુદેવને ‘રોબીદાદા’ કહીને પત્રો લખે અને આ રોબીદાદા આ રાણુ દ્વારા પણ પેલો પ્રેમ શોધે એ પ્રકરણ ભારે રોમાંચક છે. (‘રાનુ ઓ ભાનુ’ લેખક- સુનીલ ગંગોપાધ્યાય).

મૃત્યુ અને પ્રેમ આ બે મનોગત વિભાવનાઓ સાથે કવિએ જે સંઘર્ષ વેઠ્યો છે એ સિવાય સપાટી ઉપરનો વધુ એક સંઘર્ષ પણ સંભારી લેવા જેવો છે. શાંતિનિકેતનનો ખર્ચ સખાવતોથી પૂરો થતો નહોતો. એટલે કવિએ પ્રકાશક પાસેથી ઉધાર નાણાં માગ્યા. પ્રકાશકે વળતી શરત કરી-‘અત્યાર સુધીનાં તમારાં બધાં પુસ્તકોના કોપીરાઈટ અમને આપો.’ કવિએ આ શરત કબૂલ કરીને રૂ. ૨૦૦૦/- મેળવ્યા. (પ્રકાશકે આ રીતે હસ્તગત કરેલા કવિના કોપીરાઈટ, વિશ્ર્વભારતીએ કવિના મૃત્યુ પછી, વરસો પછી પ્રકાશકને નાણાં ચૂકવીને પાછા મેળવ્યા હતા.)

શાંતિનિકેતન માટે જ કવિએ જગન્નાથપુરીનો પોતાનો બંગલો વેચી દીધો. પત્ની મૃણાલિદેવીનાં આભૂષણો પણ વેચી નાખ્યાં હતાં. વિદેશ પ્રવાસ મારફતે વ્યાખ્યાનો કરીને જે એકઠા કર્યાં હતાં એ નાણાં પોતાના પ્રવાસને કારણે ટ્રાવેલિંગ એજન્ટ પાસે જ જમા થતાં હતા. અચાનક વિશ્ર્વયુદ્ધ શરૂ થયું તથા ડોલર અને પાઉન્ડનું અવમૂલ્યન થયું. ટ્રાવેલિંગ એજન્ટ નાદાર જાહેર થયો. કવિનાં બધાં જ નાણાં ડૂબી ગયાં. 

કલકત્તા યુનિવર્સિટીએ કવિને મેટ્રિક્યુલેશન પરીક્ષાના માનદ્ પરીક્ષક તરીકે નીમવાની ના પાડી હતી. એટલું જ નહીં, કવિને ડી. લિટની પદવી આપવાનો પ્રસ્તાવ પણ નામંજૂર કર્યો હતો. કવિએ લખેલા એક પાઠ્યપુસ્તકને પણ શિક્ષણખાતાએ મંજૂરી નહોતી આપી.

અને છેલ્લી વાત-

મૃત્યુ નિશ્ર્ચિત છે અને હવે ગણતરીના દિવસો જ બાકી છે એની પ્રતીતિ થઈ ત્યારે હોસ્પિટલમાં જતી વેળાએ રવીન્દ્રનાથે એક ચિઠ્ઠી લખીને આપી હતી. મારો અગ્નિસંસ્કાર શાંતિનિકેતનમાં જ મારા નિવાસસ્થાન ઉત્તરાયણની સામેના મેદાનમાં કરજો.’

કોણ જાણે કેમ પણ આ સૂચનનો અમલ નથી થયો. કવિ કલકત્તાના પૈતૃક નિવાસસ્થાન જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા અને એમનો અંત્યેષ્ઠિ વિધિ નીમતોલા ઘાટમાં થયો છે. 

(કાંદિવલીમાં ‘સંવિત્તિ’ આયોજિત કાર્યક્રમમાં અપાયેલા વ્યાખ્યાનના કેટલાક અંશો ટૂંકાવીને)

કુદરતની આપણા પર દયા અપરંપાર છે --- ડૉ. જે. જે. રાવલ

પાણીની સપાટી કોઈ પણ પ્રવાહીની સપાટી કે બ્રહ્માંડમાં કોઈ પણ સપાટી આપણે જોઈએ તો ઉપર ઉપરથી લાગે કે તે મુલાયમ - ઢીલી ઢીલી કે લચેલી લાગે, ન લાગે કે તે બધી દિશામાંથી તણાયેલી સપાટી છે. - સ્ટ્રેચ્ડ મેજબ્રૅન છે. હકીકતમાં તે બધી દિશાઓમાંથી તણાયેલી સપાટી હોય છે, બધી દિશાઓમાંથી તણાયેલી ચાદર જેવી હોય છે. સપાટીના આ ગુણને સપાટી પર અંદરના ભાગમાંથી લાગતું બળ કહે છે. અંગ્રેજીમાં તેને સરફેસ ટેન્શન કહે છે. પ્રવાહીમાં આપણે આ ગુણ જોઈ શકીએ છીએ.

પ્રવાહીની સપાટીના આ ગુણને લીધે જીવ - જંતુઓ તેના પર ચાલી શકે છે અને મચ્છરોએ તેની પર મૂકેલાં ઇંડાં તેની પર આસાનીથી તરી શકે છે, તે ડૂબી જતાં નથી અને જીવે છે. કુદરતે આ રીતે મચ્છરોનાં ઇંડાં પણ જીવી શકે તેની વ્યવસ્થા કરી છે. - કુદરતે ઠંડા પ્રદેશમાં જળચરોને જીવાડવા ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાનવાળા પાણીને સૌથી ભારે બનાવી રાખ્યું છે જેથી કડકડતી ઠંડીમાં પાણીનું ઉષ્ણતામાન ઘટે ત્યારે પાણી જ્યારે ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાને પહોંચે ત્યારે તે સૌથી ભારે થઈ જાય અને તળિયા પર બેસે જ્યારે વધારે ઠંડીમાં ઉપરનું પાણી બરફ થઈ જાય ત્યારે જળચરો તળિયે રહેલા હૂંફાળા પાણીમાં આવી જાય અને જીવી જાય. એવી ભયંકર ઠંડી ભાગ્યે જ પડે કે તળિયાના ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીને પણ બરફ બનવું પડે. આમ આપણા બધા ઉપર, જીવંત જળચર, ખેચર, ભૂચર પ્રાણીઓ ઉપર કુદરતની ઘણી દયા છે. આપણે કુદરતની દયા પર જ જીવીએ છીએ પણ આપણે માનીએ છીએ કે આપણે કુદરત પર દયા કરીએ છીએ.

આપણી સ્થિતિ પાણીની સપાટી પર જીવતા મચ્છરો જેવી જ છે. કુદરતે પૃથ્વી બનાવી. તેને જીવંત રાખવા તેના પેટાળમાં ધગધગતો લાવા રાખ્યો પણ તેના પર સપાટી બનાવી જેને આપણે પોપડો કહીએ છીએ અને તેની પર આપણે જીવીએ છીએ. આ પોપડો જો ડૂબે તો આપણા બધાંનું આવી જ બને. ગરમ દૂધ પર જેમ પોપડો બંધાય અને તેની નીચે ગરમ દૂધ હોય તેવું જ પૃથ્વીની સપાટીનું છે. આપણને જીવાડવા કુદરતે પૃથ્વી ફરતે વાયુમંડળ બનાવ્યું જેથી તેની હૂંફથી આપણે જીવી શકીએ. પૃથ્વીની બહારથી સૂર્યમાંથી કે બ્રહ્માંડમાંથી આવતાં શક્તિશાળી કિરણો અને વિદ્યુત ભારવાહી પદાર્થકણોથી બચાવવા પૃથ્વીની ફરતે ચુંબકીય ક્ષેત્રે (મેગ્નેટિક ફિલ્ડ) બનાવી રાખ્યું. બોલો, કુદરતની આપણા પર કેવી દયા છે? પણ આપણે એકબીજા પર દયા રાખતાં નથી. આપણે બધી વાતે નગુણા છીએ માટે જ દુ:ખી થઈએ છીએ.

જો પાણીમાં કેરોસીન રેડીએ તો પાણીનું સરફેસ ટેન્શન ઓછું થઈ જાય છે અને સપાટીની ચાદર ઢીલી પડી જાય છે અને મચ્છરોનાં ઇંડા પાણીમાં ડૂબી જઈ નાશ 

પામે છે.

પાણીના રેણુઓમાં આકર્ષણ શક્તિ છે. તે એકબીજાને આકર્ષે છે. સપાટી પરના રેણુઓ પ્રવાહીમાં રહેલા રેણુઓથી નીચેની તરફ આકર્ષાય છે, તે પ્રવાહીની સપાટીને બધી દિશાઓમાંથી તાણે છે. સપાટી તણાયેલી ચાદર બને છે. આ કુદરતનું મહાન સ્વરૂપ છે. રસ્તાઓ પર કે કોઈ પણ સપાટી પર આ ક્રિયા થાય છે.

વનસ્પતિના મૂળમાંથી પાણી તેની છેક ટોચે પહોંચે છે. તે પ્રવાહીના કેશાકર્ષણના ગુણથી ચઢે છે. તેને અંગ્રેજીમાં કેપિલારિટી એકશન કહે છે. તે આ સરફેસ ટેન્શનની દેન છે, આમ ન થતું હોત તો વૃક્ષો પૃથ્વી પર હોત જ નહીં. આપણી નસો અને તેની પેટાનસોમાં પણ આ ક્રિયા કાર્યરત છે જેથી આપણે જીવી શકીએ છીએ.

કેશાકર્ષણ બે પ્રકારના હોય છે. જો પ્રવાહી જે વાસણમાં રાખ્યું હોય તેને ભીંજવે. દા. ત. પાણી તો પ્રવાહીમાં રાખેલ નળીમાં પાણી ઊંચે ચઢે છે અને જો પ્રવાહી વાસણને ન ભીંજવે. દા. ત. પારો (મરક્યુરી) તો તેમાં પ્રવાહી નીચે ઊતરે છે. પ્રવાહીના અણુઓ કે રેણુઓ વચ્ચે જે આકર્ષણનું બળ હોય છે તેને કોહેસીવ ફોર્સ કહે છે અને પ્રવાહી અને વાસણના રેણુઓ કે અણુઓ વચ્ચે જે બળ હોય છે તેને અડહેસીવ ફોર્સ કહે છે. ફેવિકોલ જેવા પદાર્થો અડહેસીવ છે.

કેશાકર્ષણ છેવટે ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. જો ગુરુત્વાકર્ષણ વધારે તો કેશાકર્ષણ વડે પાણીની નળીમાં પાણી ઓછું ઊંચે ચઢે છે. પણ જો ગુરુત્વાકર્ષણ ઓછું હોય તો પાણીની નળીમાં પાણી વધારે ઊંચે ચઢે છે. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ, પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણથી છ ગણું ઓછું હોય છે. તેથી ચંદ્ર પર પાણી નળીમાં છ ગણું વધારે ઊંચે ચઢે છે. મંગળ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ત્રણ ગણું ઓછું હોય છે. તેથી ત્યાં પાણીની નળીમાં કેશાકર્ષણથી પાણી ત્રણગણું વધારે ચઢે છેે. આ નળી પાતળી હોય તે જરૂરી છે.

ગુરુગ્રહ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ૨.૬ ગણું વધારે છે. તેથી ત્યાં પાણીની નળીમાં પાણી ૨.૬ ગણું ઓછું ચઢે છે.

અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણ લગભગ નહીંવત્ છે ત્યાં પાણીની પાતળી નળીમાં પાણી અસીમિત ઊંચે ચઢે છે. જો નળી અસીમિત લાંબી હોય તો તેમાં પૂરા મહાસાગરનું પાણી ઊંચે ચઢી જાય અને મહાસાગર ખાલી થઈ જાય. જો કે આવડી મોટી નળી બનાવવી અઘરી પડે.

અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય પણ પૃથ્વી પર આવી લાંબી નળી ન બનાવી શકાય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ માત્ર ૧૦ કિલોમીટર ઊંચે નળીને જ સ્વીકારે, નહીં તો તેને તોડી નાખે અથવા તો વધારાની ઊંચાઈ પૃથ્વીની અંદર ઘૂસી જાય. જો અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય અને તેની વચ્ચે કોઈ ગુરુત્વાકર્ષણ ન આવે તો આ નળી ૧,૪૦,૦૦૦ અબજ અબજ કિલોમીટર લાંબી એટલે કે ઊંચી બની શકે આ સૈદ્ધાંતિક રીતે શક્ય બને પણ વાસ્તવિક રીતે શક્ય ન બને.

આશ્ર્ચર્યની વાત એ છે કે કુદરતે આપણને પશુ-પંખી - વનસ્પતિને, પૃથ્વી પરના પૂરા જીવનને જીવવા બધી જ સુવિધા કરી આપી છે. તો પણ આપણે પૃથ્વી પર દુ:ખી દુ:ખી છીએ તેના જવાબદાર આપણે જ છીએ.

વિસ્તૃત થતાં બ્રહ્માંડની ખુદની ચાદર ટેન્શનમાં છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? હરેક માનવી

કોઈને કોઈ પ્રકારના ટેન્શનમાં છે. કોઈ દુ:ખી ટેન્શનમાં છે, તો કોઈ સુખી ટેન્શનમાં છે. ટેન્સન વગર બ્રહ્માંડમાં કોઈ જગ્યા નથી. સ્થિતિસ્થાપકતા ટેન્શનને ગળી જાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ પર ટેન્શન છે. ટેન્શન ખતમ થઈ જાય તો ફુગ્ગો ફૂટી જાય છે. બ્રહ્માંડમાં ગતિ વગર જીવી શકાય નહીં અને ગતિ હોય ત્યાં ટેન્શન રહેવાનું જ. બ્રહ્માંડમાં જાતજાતના ટેન્શન છે અને સરફેસ ટેન્શન તેમાંનું એક છે. કોઈને કામનું ટેન્શન છે. તો કોઈને દામનું ટેન્શન છે. કોઈને રોટીનું, તો કોઈને કપડાંનું, તો કોઈને મકાનનું. જીવનનો અર્થ જ ટેન્શન છે. ટેન્શન વગરનું જીવન, જીવન હોતું નથી. દબાણ (પ્રેસર, ટેન્શન) કોના પર નથી.

સૂર્ય પર, તારા પર, ગ્રહો પર, મંદાકિનીઓ પર. દબાણ બધા જ પર છે. ગમે તેટલો મોટો માણસ હોય તે ટેન્શન નીચે જ હોય છે. ટેન્શનથી જ કુદરત કામ કરે છે અને કરાવે છે. જે દરેક પ્રકારના ટેન્શન મુક્ત હોય તેણે મોક્ષ પ્રાપ્તિ કરી છે તેમ જાણવું. શંકરાચાર્ય, નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્માઓ મોક્ષ પ્રાપ્ત હતા, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારના ટેન્શન મુક્ત મહાત્માઓ હતા.

ઉલ્કા, ધૂમકેતુઓ અને લઘુગ્રહો: મેસેન્જર ઑફ સ્પેસ --- ડૉ. જે. જે. રાવલ

ઉનાળામાં ગરમીમાં હવા ખાવા રાતે અગાશીમાં બેસીએ તો એકાએક ઝળહળતો તારો આકાશમાં પ્રકાશની રેખા દોરી પૃથ્વી પર આવી પડતો દેખાય. આપણા મુખમાંથી આહ, શબ્દ નીકળી પડે. આપણા મગજમાં પણ ઝબકારો થઇ જાય. તેને આપણે ખરતો તારો કહીએ છીએ, ઉલ્કા કહીએ છીએ. લોકોની માન્યતા હતી કે તારો ખરે છે. લોકો માનતાં હતાં કે મહાન પુરુષનું મૃત્યુ થાય પછી ઇશ્ર્વર તેના માનમાં આકાશમાં તારારૂપે તેને સ્થાન આપે છે અને તેનું પુણ્ય પરવારે એટલે તે પૃથ્વી પર જન્મ લેવા આવે છે. આ જબ્બર આડેધડ કલ્પના કહેવાય. 

તારા શું છે, તે તેમને ત્યારે ખબર ન હતી. તારા પંદરથી વીસ લાખ કિલોમીટરના વ્યાસ ધરાવતા મોટા આકાશીપીંડો છે, તે પંદરથી વીસ હજાર અબજ કિલોમીટર સુધી ગુરુ, શનિ જેવા પ્રમાણમાં નાના આકાશીપિંડોને પોતાના ગુરુત્વાકર્ષણના નિયંત્રણમાં રાખે છે. જો એક તારો સૂર્યમાળાની નજીકમાં આવે તો પણ ગ્રહો ધ્રૂજ્વા લાગે, ઉછળવા લાગે અને અંતરીક્ષમાં ફેંકાઇ જાય. સૂર્યને તેમને તેના નિયંત્રણમાં રાખવા અઘરું પડે, સૂર્ય પોતે તે તારાના ગુરુત્વાકર્ષણના દબાણ નીચે આવી પડે. 

ઉલ્કા સૂર્યમાળામાં ફરતાં, નાના મોટા કંકણ, પથ્થરો અને ખડકો છે. તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ધસમસતા આવે છે. પૃથ્વીના વાયુમંડળના ઘર્ષણને લીધે બળવા લાગે છે. તે જો નાની ઉલ્કા હોય તો પૃથ્વીના વાતાવરણમાં જ બળી ભસ્મ થઇ જાય છે અને થોડી મોટી ઉલ્કા હોય તો તે પૂરી બળી શકતી નથી અને ઉલ્કા-પાષાણરૂપે પૃથ્વી પર આવી પડે છે. તે જો મોટી ઉલ્કા હોય તો તે ધડાકાભેર પૃથ્વી સાથે અથડાઇને વિશાળ ખાડો કરી નાંખે છે જેને આપણે ઉલ્કાકુંડ કહીએ છીએ. આ ઘટના ઘણી વિધ્વંસક હોય છે. આ ઉલ્કાકુંડો એક, બે, ચાર દસ કે પચાસ કિલોમીટરના વિશાળ વ્યાસ ધરાવતા હોય છે. પૃથ્વી પર આવા ૧૦૦૦ ઉલ્કાકુંડો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોનાર ગામની નજીક બે કિલોમીટર વ્યાસ ધરાવતો લોનાર ઉલ્કાકુંડ છે. લોનારકુંડનું નામ લવણાસુરની કથા પરથી પાડવામાં આવ્યું છે. લોનાર ગામ આ ઉલ્કાકુંડના નામ પરથી પડ્યું છે. લોનાર એટલે લોણાર. પૃથ્વી પર બીજો સરસ ઉલ્કાકુંડ તે અમેરિકાના એરિઝોના પ્રાંતના રણમાં છે. તેનું નામ બેરીંજર ઉલ્કાકુંડ છે. બેરીંજર નામના એસ્પ્લોટરે તે શોધી કાઢ્યો હતો અને તેને પ્રકાશમાં આણ્યો હતો. માટે તેને બેરીન્જર ક્રેટર (બેરીન્જર ઉલ્કાકુંડ) કહે છે. હિમાચલમાં ડેલહાઉઝી અને ચંબા નજીક ખજિયાર તળાવ છે તે ખજિયાર ઉલ્કાકુંડ છે. ઉલ્કાકુંડો પૃથ્વીની સાથે ઉલ્કા, લઘુગ્રહો કે ધૂમકેતુની અથડામણથી બને છે અને તે ઘણી વિધ્વંસક ઘટના હોય છે. 

ઉલ્કા સાથેની અથડામણ સૂર્યમાળાના ગ્રહો, ઉપગ્રહો, સાથે થતી સતત ક્રિયા છે. અને સૂર્યમાળા જન્મી ત્યારથી જ થાય છે. સૂર્યમાં કે ગુરુ, શનિમાં આ લઘુગ્રહો કે ધૂમકેતુઓ પડે છે તો તેમાં ગરકાવ થઇ જાય છે. તેનો પત્તો લાગતો નથી. બુધ, મંગળ, પૃથ્વી, પ્લૂટો અને સૂર્યમાળાના ગ્રહોનાં ઉપગ્રહો જે ખડકાળ છે તેના પર ઉલ્કા પડીને નાના મોટા ઉલ્કાકુંડો બનાવ્યાં છે. આ બધા ગ્રહો અને ઉપગ્રહોની સપાટી ઉલ્કાકુંડ આચ્છાદિત દેખાય છે. ચંદ્રની સપાટી દૂરબીનથી જોઇએ તો તેના પર નાના મોટા કેટલાય ઉલ્કાકુંડો દૃશ્યમાન થાય છે. ચંદ્ર ઉપરના ઉલ્કાકુંડોના નામ આપવામાં આવે છે. તેમાં મહાન ગણિતવિદો, ખગોળ ચંદ્ર પર ટાયકો, કેપ્લર, કોપરનીકસ, આર્કિમિડીઝ, ઓસીજીન, મેડમ ક્યૂરી, સી.વી.રામન, મેઘનાદ શાહ, સત્યેન્દ્રનાથ બોઝ, મિત્રા, કલ્પના ચાવલા, વિક્રમ સારાબઇ વગેરેના નામો પર ઉલ્કાકુંડો છે. વિજ્ઞાનીઓ માટે આ મોટું સન્માન ગણાય છે.

ચંદ્ર પર કોપરનીકસ ઉલ્કાકુંડનો વ્યાસ ૧૦૦ કિલોમીટરનો છે. 

ચંદ્ર પરની સપાટી બસાલ્ટિક છે. લોનાર ઉલ્કાકુંડ મહારાષ્ટ્રમાં જે જગ્યાએ બન્યો છે તે પ્રદેશ-જમીન પણ બસાલ્ટિક છે. માટે લોનાર ઉલ્કાકુંડને જોવો એનો અર્થ એમ થાય કે તમે ચંદ્ર પરના ઉલ્કાકુંડને જુઓ છો. 

પૃથ્વી જીવંત છે, અહીં વરસાદ, પવન વગેરે થાય છે. તેથી પૃથ્વી પર ઉલ્કાકુંડો બને છે તે દશેક લાખ વરસે બુરાઇ નજરે પડે છે પણ ઇન્ફ્રારેડ સેટેલાઇટથી પૃથ્વીનો અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે ભૂતકાળમાં પૃથ્વી પર કેટલાય કુંડો બન્યા હતાં પણ કાળે કરીને તે બુરાઇ ગયાં છે. ચંદ્ર પર બિલકુલ વાયુમંડળ નહીં હોવાથી ત્યાંના ઉલ્કાકુંડો જેમના તેમ દેખાય છે. 

ઉલ્કાકુંડો શું છે તે નહીં જાણતા લોકો તેમના વિષે કેટલીયે ઉલટ-પુલટ કથાઓ ઘડી કાઢે છે. આ કથા પુરાણોમાં આપણે વાંચી શકીએ છીએ, અથવા મુખા-મુખ સાંભળી શકીએ છીએ. લથસાસુર ઉલ્કાકુંડ અને અજીયાર તળાવ વિષે આપણે આવી કથાઓ સાંભળી શકીએ છીએ. લોનાર ઉલ્કાકુંડમાં પણ પાણી ભરાઇ ગયા છે. તેથી તે લોનાર તળાવ કહેવાય છે. ઉલ્કાકુંડોનો આકાર તવા જેવો જ હોય છે. કુંડના આકાર પરથી કહી શકાય કે કુંડ ઉલ્કાકુંડ છે કે નહીં. 

ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓને ખગોળવિજ્ઞાનીઓ મેસેન્જર ઓફ સ્પેસ કહે છે કારણ કે તેમના દ્વારા આપણને દૂર દૂર અંતરીક્ષમાં શું છે, ત્યાં શું ચાલી રહ્યું છે તેની જાણ થાય છે. તે હકીકતમાં જ્યારે સૂર્યમાળા બંધાઇ ત્યાર પછીનો પડી રહેલો પદાર્થ છે. તેનો અભ્યાસ આપણને સૂર્યમાળાનો જન્મ, બંધારણ, રચના અને વિકાસ વિષે માહિતી આપી શકે છે. રસપ્રદ વાત એ છે કે અંતરીક્ષમાંથી આવેલી કેટલીક ઉલ્કાઓમાં જીવનરસ મળી આવ્યો છે. તે દર્શાવે છે કે અંતરીક્ષમાં જીવન છે. એન્ટાર્કટિકામાંથી એક ઉલ્કા મળી આવી છે. તે મંગળ પરથી આવી છે. તેમાં જીવનરસ હતો. તે દર્શાવે છે કે મંગળ પર કોઇક જાતનું સૂક્ષ્મજીવન હતું. 

કોઇ ઉલ્કા જ્યારે જમીન પર આવી પડે છે ત્યારે તેને ઉલ્કા-પાષાણ કહે છે. ઉલ્કાપાષાણ હકીકતમાં દૈવી હોય છે. તે ગમે તે રંગનો હોય પણ તેની દિવ્યતા પરખાઇ આવે છે. તેમાં કોલસો, ચૂનો, પથ્થર અને વિવિધ ધાતુઓ હોય છે. તેમાં લોખંડ, નિકલ, સોનું ચાંદી અને હીરા પણ હોઇ શકે છે. 

નાના-મોટા લઘુગ્રહો મંગળ અને ગુરુ વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. તેને લઘુગ્રહોનો પટ્ટો કહે છે. મોટી ઉલ્કાઓ આ લઘુગ્રહના પટ્ટામાંથી આવે છે. 

ધૂમકેતુઓ થોડા લૂઝ પદાર્થના બનેલા હોય છે. તેમાં પાણી, એમિનો એસિડ, હાઇડ્રોજન, કાર્બનડાયોક્સાઇડ, એમોનિયા જેવા વાયુઓ હોય છે. આ બધા પદાર્થોનાં બરફો કેન્દ્રીય ખડકોની ફરતે બાઝેલાં હોય છે. તે ગંદા બરફનાં ગોળા કહેવાય છે. ઉલ્કા અને ધૂમકેતુઓ માનવીને હજારો વર્ષોથી જાણીતા હતાં, પણ તેમને ખરેખર ખબર ન હતી કે તેમાં શું છે. ધૂમકેતુ જોઇને લોકો ડરતાં. તેમના વિષે લોકોએ કેટલીયે ઉલટ-પુલટ માન્યતાઓ અને કથાઓ ઘડી કાઢી છે. હવે છેલ્લાં સાઠ વર્ષથી આપણને ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ વિષે જાણવા મળ્યું છે. હકીકતમાં ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ એક જ કુટુંબના સભ્યો છે. આપણને લઘુગ્રહની જાણ ઓગણીસમી સદીના પ્રારંભે જ થઇ. પ્રથમ લઘુગ્રહ સેરેસને સીસીલીના ખગોળવિજ્ઞાની ગ્યુસીપ્પી પિઆઝાએ શોધ્યો હતો. તેનો વ્યાસ લગભગ ૧૦૦૦ કિલોમીટર છે. હવે તો લઘુગ્રહ પર નાસાના અંતરીક્ષયાન ઊતર્યાં છે. ધૂમકેતુની નજીકથી પસાર થયાં છે. લઘુગ્રહો પૃથ્વી માટે ઘણીવાર ભયાનક પણ સાબિત થઇ જાય છે. ભારતીય ઋષિમુનિઓએ એક હજાર ધૂમકેતુઓનો અભ્યાસ કર્યો હતો. તેથી ધૂમકેતુના નામો નારદ, ગર્ગ, પરાશર વગેરે પણ છે. વરાહમિહિરે તેમની બૃહતસંહિતામાં આપણા પ્રાચીન મુનિઓએ જેનું અધ્યયન કર્યું હતું તે હજાર ધૂમકેતુઓ વિષે વિસ્તારથી લખ્યું છે.